CIA ALERT

Alert Archives - Page 404 of 512 - CIA Live

February 26, 2019
mirage_fighter.jpeg
1min11400

ભારતે વહેલી સવારે પીઓકેમાં કરેલા હુમલાના સમાચારોએ ભારતીયોને ખુશખુશાલ બનાવી દીધા

ભારતે આતંકી કૅમ્પ પર 1000 કિલો બૉમ્બથી કર્યો હુમલો

પુલવામા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે અને ભારતીય સૈનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ઇન્ડિયન એરફોર્સના 12 મિરાજ-2000 યુદ્ધ વિમાનોએ મળસકે સાડા ત્રણ વાગ્યાની આસપાસ એલઓસી ક્રોસ કરીને 1000 કિલોના લેસર ગાઇડેડ બોમ્બ ફેંક્યા હતા. એરફોર્સના સૂત્રોનું કહેવું છે કે આ ઓપરેશન 100 ટકા સફળ રહ્યું છે.

પુલવામા હુમલા બાદ ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય વાયુસેનાએ મોટી કાર્યવાહી કરતા એલઓસી પાર કરીને  જૈશ-એ-મોહમ્મદના આતંકી કેમ્પો પર 1000 કિલોના બોમ્બ ફેંક્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, આ બોમ્બ વહેલી સવારે ફેંકવામાં આવ્યા હતા, આ ઓપરેશનમાં એરફોર્સના 12 મિરાજ ફાઇટર વિમાન સામેલ હતા. હુમલો કરીને વાયુસેનાએ જૈશના કેમ્પને પુરે પુરા નષ્ટ કરી દીધાં હતા.

આ કાર્યવાહી બાદ સરહદ પણ તણાવ વધી ગયો છે અને વાયુસેનાને એલર્ટ પર રાખવામાં આવી છે. મંગળવારે ઈન્ડિયન એરફોર્સના યુદ્ધ વિમાનોએ એલઓસી પાર કરીને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં ઘૂસીને ત્રાસવાદી કેમ્પ પર બોમ્બ મારો કર્યો હતો. ત્યાંજ  પાકિસ્તાને આ હુમલા અંગે જણાવ્યું હતું કે ભારતીય વાયુસેના એ લાઇન ઓફ કંટ્રોલનું ઉલ્લંઘન કર્યું છે અને જ્યારે પાકિસ્તાની વાયુસેના એ તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરી તો ભારતીય યુદ્ધ વિમાન પાછા જતા રહ્યા હતા.

પુલવામા હુમલા પછી ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન વિરૂદ્ધ એક મોટી કાર્યવાહી કરી છે. સૂત્રો દ્વારા મળી રહેલી માહિતી પ્રમાણે મંગળવારે વહેલી સવારે LoC પર આતંકી સંગઠન જૈશના કૅમ્પમાં 1,000 કિલો બોમ્બ ફેંકવામાં આવ્યા છે. જોકે ભારત તરફથી હજી આ વિશે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.

માનવામાં આવે છે કે, આ હુમલાથી ઘણાં આતંકીઓના ઠેકાણા અને લોન્ચ પેડ બરબાદ કરી દેવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાયુસેનાએ મંગળવારે સવારે આ સ્ટ્રાઈક કરી છે. આ ઓપરેશનમાં 12 મિરાજ લડાકૂ વિમાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ઓપરેશનમાં PoKમાં બાલાકોટ, ચકૌતી અને મુઝફ્ફરાબાદમાં આવેલા આતંકીઓના લોન્ચ પેડ બરબાદ કરી દેવામાં આવ્યા છે. અહીં ત્રણેય જગ્યાઓ પર જૈશ-એ-મોહમ્મદના અલ્ફા-3 ઠેકાણા હતા જે તોડી પાડવામાં આવ્યા છે. ભારતીય આર્મી અને વાયુસેના આ વિશે ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ કરે તેવી પણ શક્યતા લાગી રહી છે.

February 25, 2019
tapi1-1280x720.jpg
1min18060
  • તાપી પાસેથી અત્યાર સુધી લીધે રાખ્યું, હવે તાપી નદીના ખરા અર્થમાં જતનનું કામ શરૂ થશે
  • ખુદ નરેન્દ્ર મોદી તાપી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે સુરત આવે તેવી સંભાવના
  • લોકસભાની ચૂંટણી પહેલા તાપી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધરી દેવાય તેવી વકી
  • મોટી સંખ્યામાં કોલેજીયન, યંગસ્ટર્સને તાપી ડેવલપમેન્ટમાં કારસેવા કરવા માટે જોડવામાં આવશે
  • ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ મળીને અંદાજે 13 કરોડ લોકો તાપી નદીના પાણી પર નિર્ભર

(Map of Tapi)

દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન તેમજ જેના મૂળીયા મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સુધી વિસ્તરેલા છે એ સૂર્યપૂત્રી તાપી નદીના ડેવલપમેન્ટ માટે ગુજરાતના સ્થાનિક વહીવટીતંત્રોએ તૈયાર કરેલા રૂ.952 કરોડના ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં રૂ.21 કરોડ વધારાની ગ્રાન્ટ ઉમેરીને કુલ રૂ.973 કરોડના પ્રોજેક્ટને આજે કેન્દ્ર સરકારના પર્યાવરણ વિભાગ તેમજ રાજ્ય સરકારે એક પણ સવાલ ઉઠાવ્યા વગર, એક પણ સૂચન કર્યા વગર લીલીઝંડી આપી દીધી હોવાની વિગતો જાણવા મળી છે.

સુરત ભાજપના કદાવર નેતા અને નવસારીના સાંસદ શ્રી સી.આર. પાટીલએ તાપી શુદ્ધિકરણના આ પ્રોજેક્ટને સત્વરે મંજૂરી મળે તે માટે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારમાં આક્રમક લોબિંગ કર્યું હતું. તેઓ સતત આ કામનો ફોલોઅપ કરતા રહ્યા અને આખરે ઝડપભેર પ્રોજેક્ટ સાકાર થઇ શકે અને સુરતની જીવાદોરી સમાન આ પ્રોજેક્ટનું કામ શરૂ થાય તેવા તેમના પ્રયાસો હતા.

તાપી નદી પાસેથી અત્યાર સુધી સુરત હોય કે દક્ષિણ ગુજરાતની પ્રજા અને વહીવટીતંત્રોએ બધું લીધું જ છે, તાપી નદીના જતન માટે કોઇ નક્કર યોજના ભૂતકાળથી લઇને અત્યાર સુધી ક્યારેય બની ન હતી. પરંતુ, સુરત પર વસતિનું ભારણ વધતા તેમજ દક્ષિણ ગુજરાતમાં તાપી નદીમાંથી વિતરીત સિંચાઇ પુરવઠાની ખેંચ પડવા માંડતા તાપી નદીને હવે મેઇન્ટેન કરવા, શુધ્ધ કરવા તેમજ અન્ય આનુષંગિક કામો કરીને દક્ષિણ ગુજરાતની લોકમાતા કહો કે જીવાદોરી સમાન તાપી ડેવલપમેન્ટ પ્રોજેક્ટને આખરે કેન્દ્ર સરકારે પણ લીલીઝંડી આપી દીધી છે. અને લોકસભાની ચૂંટણીની આચારસંહિતા પહેલા તાપી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ શરૂ થઇ જાય તે માટે હવે સ્થાનિક વહીવટીતંત્રોથી લઇને ભાજપાએ પણ કાર્યક્રમો ગોઠવવા માંડ્યા છે.

આગામી દિવસોમાં તાપી મૈયા ડેવલપમેન્ટ પ્રોજેક્ટના શુભારંભમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ખુદ સુરત આવે તેમજ સ્થાનિક યુવાપેઢી, કોલેજિયન તાપી કાર સેવામાં મોટી સંખ્યામાં જોતરાય તેવા પ્રોજેક્ટને આકાર આપવામાં આવી રહ્યો છે.

આગામી દિવસોમાં સ્થાનિક વહીવટીતંત્રોના સથવારે ભાજપા તાપી ડેવલપમેન્ટ પ્રોજેક્ટને એક ચૂંટણી મુદ્દા તરીકે એન્કેશ કરે તેવા કાર્યક્રમો જોવા મળશે. એ ભલે કંઇપણ કરે પરંતુ, તાપી નદીનો વિકાસ થશે એ બહું આવકારદાયક પગલું બની રહેશે.

February 25, 2019
income_tax-1280x853.jpg
1min6290

ચાલુ નાણાકીય વર્ષ પૂરું થવા હવે દોઢ મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે ત્યારે ૨૦૧૮-૧૯માં ગુજરાત ઇન્કમટેક્ષ વિભાગે રૂ. ૫૫૭૫૦ કરોડના નિર્ધારીત ટાર્ગેટ સુધી પહોંચવા માટે ઘણી મહેનત કરવી પડશે. અત્યાર સુધીમાં રાજ્યમાંથી ટેક્ષ કલેકશન રૂ. ૩૮૧૯૧ કરોડ થવા પામ્યું છે કે જે ટાર્ગેટ કરતા રૂ. ૧૭૫૫૯ કરોડ ઓછું છે. આ ટાર્ગેટ પૂરો કરવા માટે આગામી દિવસોમાં આયકર ખાતું ટેક્ષ ડિફોલ્ટરો પર તૂટી પડશે તેવો નિર્દેશ ઈન્કમટેક્ષના મુખ્ય ચીફ કમિશનરે આપ્યો હતો.

  • ૨૦૧૮-૧૯માં ગુજરાત ઇન્કમટેક્ષ વિભાગને રૂ. ૫૫૭૫૦ કરોડના ટાર્ગેટ સામે અત્યાર સુધીમાં રૂ. ૩૮૧૯૧ કરોડનું કલેકશન
  • દોઢ મહિનામાં રૂ. ૧૭૫૫૯ કરોડની ઘટ પૂરી કરવા ટેક્ષ ડિફોલ્ટરો પર સટાસટી
  • ૨૦૧૮-૧૯માં ગુજરાત ઇન્કમટેક્ષ વિભાગે રૂ. ૫૫૭૫૦ કરોડના નિર્ધારીત ટાર્ગેટ સુધી પહોંચવા માટે ઘણી મહેનત કરવી પડશે

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ૨૦૧૮-૧૯માં ગુજરાત ઇન્કમટેક્ષ વિભાગને રૂ. ૫૫૭૫૦ કરોડના ટાર્ગેટ સામે અત્યાર સુધીમાં રૂ. ૩૮૧૯૧ કરોડનું કલેકશન થયું હતું. દોઢ મહિનામાં રૂ. ૧૭૫૫૯ કરોડની ઘટ પૂરી કરવા ટેક્ષ ડિફોલ્ટરો પર સટાસટી બોલાવશે. ગયા વર્ષના ટાર્ગેટ કરતા ચાલુ વર્ષનો ટાર્ગેટ ૧૭.૫ ટકા જેટલો ઊંચો હતો અને તેને પ્રાપ્ત કરવો અત્યારે તો મુશ્કેલ લાગી રહ્યો છે.

અત્રે ઉલ્લેખનિય છે કે ૨૦૧૮-૧૯માં ગુજરાતમાં નવા ૬.૬ લાખ કરદાતાઓ ઉમેરાયા છે. એટલું જ નહિ માર્ચ ૨૦૧૮ના અંત સુધીમાં ઇન્કમટેક્ષ રિટર્નની સંખ્યામાં ૨૦૧૪ના ૩૧.૫૮ લાખ હતી તે વધીને ૭૦.૮૬ લાખની થઈ છે. ઇન્કમટેક્ષ રિટર્નની સંખ્યા વધી પણ ટાર્ગેટ પણ વધી જતા આવકવેરા ખાતું ચિંતામાં પડ્યું છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યોજાયેલા ઓલ ગુજરાત ઓપન હાઉસ કાર્યક્રમમાં કમિશનરે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ટેક્ષ વિભાગ ટેક્ષ કલેકશન પર ધ્યાન કેન્દ્રિત કરી અને ટીડીએસ ડિફોલ્ટરો પર તૂટી પડશે. મોટા વ્યવહારો કર્યા છતાં જે લોકોએ રિટર્ન નથી ભર્યું તેમની સામે પણ પગલાં લેવામાં આવશે. તેમણે ઈઝ ઓફ પેઇંગ ટેક્ષ અંગે બોલતા કહ્યું હતું કે કરદાતાઓએ ઇન્કમટેક્ષ સાથે નિયમિત રીતે સંપર્કમાં રહેવું જોઈએ અને ઈ-મેઈલ સતત અપડેટ કરતા રહેવો જોઈએ.

February 25, 2019
drought-1280x720.jpg
1min7690
  • શેત્રુંજી અને ભાદર ડેમમાં ફક્ત ૧૨ ટકા જ પાણી
  • સૌરાષ્ટ્ર-કચ્છના ૧૫૫ પૈકી ૮૦ ટકા એટલે કે ૧૨૧ જળાશયો સાવ તળિયાઝાટક
  • ૧૫૫ જળાશયોની કુલ સંગ્રહ ક્ષમતાના ફક્ત ૧૫ ટકા જળ જથ્થો
  • કચ્છનાં ૨૦ જળાશયો પૈકી ૧૮ જળાશયો સૂકાભઠ્ઠ મેદાન
  • આ વર્ષે ઉનાળામાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોમેર પાણીની રામાયણ સર્જાવાની ભીતિ
  • રાજકોટ શહેરને પાણી પૂરું પાડતાં અને સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા ગણાતા ભાદર-૧ ડેમમાં ફક્ત ૧૨ ટકા પાણીનો જીવંત જથ્થો
  • રાજકોટ જિલ્લાના કુલ ૨૮ ડેમ પૈકી ૨૦ ડેમ તળિયાઝાટક થઈ ગયા છે
  • દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ જળાશયો તળિયાઝાટક
  • ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર અને અમરેલી જિલ્લાના જળાશયોની પરિસ્થિતિ પણ કંઈ આશ્વાસન રૂપ નથી

સૌરાષ્ટ્ર-કચ્છ પર ગંભીર જળસંકટનો ખતરો મંડરાઈ રહ્યો છે. ગત વર્ષે અત્યંત ઓછા વરસાદના લીધે હવે આગામી દિવસોમાં પીવા અને સિંચાઈના પાણીની તીવ્ર અછત ઊભી થવાના એંધાણ જણાઈ રહ્યા છે.

હાલની પરિસ્થિતિએ સૌરાષ્ટ્ર-કચ્છના ૧૫૫ પૈકી ૮૦ ટકા એટલે કે ૧૨૧ જળાશયો સાવ તળિયાઝાટક થઈ ગયાં છે. ૧૫૫ જળાશયોની કુલ સંગ્રહ ક્ષમતાના ફક્ત ૧૫ ટકા જળ જથ્થો જ હવે બચવા પામ્યો છે. આ પરિસ્થિતિને લીધે હવે આ ડેમો પર નિર્ભર શહેરો અને ગામડાઓ માટે ફક્ત નર્મદાના નીર જ એકમાત્ર આધાર રહ્યો છે.

સૌરાષ્ટ્ર-કચ્છના બે સૌથી મોટા ડેમો ભાદર અને શેત્રુંજીમાં પણ તેની કુલ સંગ્રહ ક્ષમતા સામે ફક્ત ૧૦થી ૧૨ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. સૌથી ખરાબ હાલત કચ્છ જિલ્લાની છે. કચ્છનાં ૨૦ જળાશયો પૈકી ૧૮ જળાશયો સૂકાભઠ્ઠ મેદાન બની ગયાં છે.અને જે બે ડેમોમાં પાણીનો જથ્થો બચ્યો છે તે પણ એકાદ માસમાં ખાલી થઈ જવાની સંભાવના છે ત્યારે આ વર્ષે ઉનાળામાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ચોમેર પાણીની રામાયણ સર્જાવાની ભીતિ છે.

રાજકોટના જળાશયોની સ્થિતિ મોટાભાગે ખાલીખમ જોવા મળી રહી છે. રાજકોટ શહેરને પાણી પૂરું પાડતાં અને સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા ગણાતા ભાદર-૧ ડેમમાં ફક્ત ૧૨ ટકા પાણીનો જીવંત જથ્થો બચ્યો છે. જિલ્લાના કુલ ૨૮ ડેમ પૈકી ૨૦ ડેમ તળિયાઝાટક થઈ ગયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં જ્યાં જળાશયોની સ્થિતિ પ્રમાણમાં સારી હતી તેવા જૂનાગઢ જિલ્લામાં પણ હવે ડેમો ખાલીખમ થઈ ગયા છે.

જોકે, ગીર સોમનાથ જિલ્લામાં ગત સાલ મેઘમહેરના પગલે જળાશયોમાં હજુ પૂરતો જળજથ્થો ઉપલબ્ધ છે. તો બીજી તરફ વરસાદ ન થવાના કારણે હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ જળાશયો તળિયાઝાટક થઈ ગયાં છે. તો ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર અને અમરેલી જિલ્લાના જળાશયોની પરિસ્થિતિ પણ કંઈ આશ્વાસન રૂપ નથી. જળાશયોમાં ફક્ત માર્ચ માસના અંત સુધી ચાલે તેટલો જ જળજથ્થો ઉપલબ્ધ હોવાનું સત્તાવાર આંકડા દર્શાવી રહ્યા છે.

 

February 25, 2019
china_onechild.jpg
1min11400

ચીનની ઘટતી જતી જનસંખ્યા અને વ્ાૃદ્ધોની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખી ચીન પ્રશાસન તંત્ર ચીનના નાગરિકોને ફેમિલી પ્લાનિંગને નહીં અનુસરી વધુ બાળકો પેદા કરવા અપીલ કરે છે જ્યારે ત્યાંના અધિકારી તેનો વિરોધ કરે છે. તાજેતરમાં ચીનમાં ત્રીજા સંતાનના જન્મ પર દંપતીને રૂ. ૬ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ચીન બ્યુરોક્રેટ્સના દંડથી ભારે પરેશાન છે. તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારનો દંડ અન્ય કોઈ દેશમાં નથી.

Chinese Director Zhang Yimou Is Fined $1.23 Million for Having 3 Children

ચીનના શેનદોંગ પ્રાંતના અધિકારીઓએ વાંગ દંપતી પર ૨૦૧૭માં ત્રીજા સંતાનને જન્મ આપવા બદલ ૬૪,૬૨૬ યુઆનનો દંડ ફટકાર્યો હતો.
દંપતી દંડ ભરી શકવામાં અસમર્થ સાબિત થતા તેમના બૅંકખાતામાં જમા ૨૨૯૫૯ યુઆન અધિકારીઓએ જપ્ત કરી લીધા હતા.
ઉલ્લેખનીય છે કે ચીનમાં વન ચાઇલ્ડ પોલિસી અમલમાં મૂકવામાં આવી  હતી.

ચીનની વેઈબો માઈક્રોબ્લોગિંગ સર્વિસ પર કોલમિસ્ટ લિયાંગપેંગે જણાવ્યું હતું કે દેશની વસતિ વધારવા વધુ માત્રામાં બાળકોને જન્મ આપવા સરકાર પ્રોત્સાહિત પગલાં ભરવા માગે છે જ્યારે સ્થાનિક સરકાર પૈસાની જરૂરિયાતને ધ્યાનમાં રાખી વન ચાઇલ્ડ પોલિસી રદ થવા દેતી નથી. ચીનના પત્રકાર જીન વેઈએ જણાવ્યું હતું કે દેશની ઘટતી જતી વસતિથી ચીનના નાગરિક ચિંતિત છે, પરંતુ સ્થાનિક સરકાર પૈસાને કારણે નાગરિકો પર દમનશાહી કરી રહી છે.

ચીનમાં ૧૯૭૦થી ૧૯૮૦ દરમિયાન વન ચાઇલ્ડ પોલિસી દાખલ કરવામાં આવી હતી. જેનું ઉલ્લંઘન કરવાથી ચીનમાં જબરદસ્તી ગર્ભપાત તથા આકરા દંડ ફટકારવાનો અને નોકરીમાંથી કર્મચારીને હાંકી કાઢવા સુધીની કાર્યવાહી કરવામાં આવતી હતી. ૨૦૧૬માં વનચાઇલ્ડ પોલિસી ટુ ચાઇલ્ડ પોલિસીમાં ફેરવવામાં આવી હતી.

ચીનમાં ૨૦૧૮નો જન્મદરમાં ઘટાડો જોવા મળ્યો હતો. ૨૦૧૭માં થયેલા નવજાત બાળકોના જન્મની સામે ૨૦૧૮માં બે મિલ્યન બલળકોનો ઘટાડો નોંધાયો હતો. ચીન પૈસાદાર થયા પહેલા ઘરડું થઈ જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ૨૦૨૯ સુધીમાં ચીનની વસતિ ૧.૪૪૨ બિલ્યનને આંબી જવાની સંભાવના છે, પરંતુ તેમાં વયોવ્ાૃદ્ધ નાગરિકોની સંખ્યા વધુ હોવાનું સર્વેમાં નોંધવામાં આવી રહ્યું છે.

વનચાઇલ્ડ પોલિસી ચીન પર પારિવારિક રીતે સામાજિક, આર્થિક રીતે ભારે પડી રહી છે. ગત વર્ષે ચીન અર્થતંત્રમાં ૬.૬ ટકાનો વિકાસદર નોંધાયો જે પાછલા ત્રણ દાયકા દરમિયાન સૌથી ઓછો વિકાસ દર્શાવે છે. ઉપરાંત ચીન પર પેન્શન, હેલ્થકેર કોસ્ટનો ભાર વધી રહ્યો છે.

 

https://www.theepochtimes.com/chinese-director-zhang-yimou-is-fined-1-23-million-for-having-3-children_441542.html

 

February 25, 2019
manv_b3.jpg
1min11240

દેશની સ્ત્રી વિકાસશીલ તો દેશ પ્રગતિશીલ” શિર્ષક સાથે વડોદરા ખાતે તા.24મી ફેબ્રુઆરી 2019ના રોજ સ્થાનિક એન.જી.ઓ. દ્વારા પ્રેરણાત્મક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

વડોદરા શહેરના અંબાલાલ પાર્ક ખાતે ખાતે 3જા વર્ષે વુમન એમ્પાવરન્મેન્ટ દ્વારા પ્રદર્શન કમ સેલ તથા સાંસ્કૃતિક અને મનોરંજન પીરસે એવા કાર્યક્રમો થકી વડોદરાવાસીઓની રવિવારની સાંજને મેમોરેબલ બનાવી દીધી હતી.  આ સમારોહમાં વડોદરા શહેર મેયર ડૉ જીગીષાબેન શેઠ દીપ પ્રગટાવીને શુભારંભ કરાવ્યો હતો. સ્થાનિક વિસ્તાર ના કોર્પોરેટર તેમજ હજારો ની સંખ્યામાં મહિલાઓએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને પ્રસંગને દિપાવ્યો હતો. આયોજક મમતાબેન શાહ, નિલમબેન નગર તેમજ તેમની ટીમ દ્વારા  કરવામાં આવેલા ખુબ જ સુંદર આયોજનને સૌ કોઇએ બિરદાવ્યા હતા.

માનવતા કેમ્પેઇન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સ્ત્રી સશક્તિકર્ણના કાર્યક્રમની વિગતો આપતા વડોદરાના મહિલા આગેવાન શ્રીમતી ધ્રુવા ભટ્ટે સી.આઇ.એ. લાઇવને જણાવ્યું હતું કે કાર્યક્રમમાં મહિલા ઉત્કર્ષ, બેટી બચાવો બેટી પઢાવો, સ્ત્રી સશક્તિકરણ જેવા મુદ્દાઓને આવરી લઇને કાર્યક્રમો યોજાયા હતા.

માનવતા કેમ્પેઇન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત સ્ત્રી સશક્તિકર્ણના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વડોદરાવાસીઓએ સ્વંયભુ હાજરી આપી હતી. વડોદરાના અનેક મહાનુભાવોએ પણ પ્રસંગને દિપાવ્યો હતો.

February 25, 2019
AffordableHousing.png
1min7130

બાંધકામ હેઠળના ઘરો અને એફોર્ડેબલ હાઉસિંગમાં જીએસટી સાત ટકા ઘટાડતી જીએસટી કાઉન્સિલ

ઘર ખરીદનારાઓ માટે મોટી રાહતના સમાચાર છે. જીએસટી કાઉન્સિલની રવિવારે મળેલી બેઠકમાં બે મહત્ત્વના નિર્ણય લેવાયા હતા. બાંધકામ હેઠળના રહેણાંકમાં જીએસટી ૧૨ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરાયો છે. એફોર્ડેબલ હાઉસિંગમાં જીએસટી ૮ ટકાથી ઘટાડીને માત્ર એક ટકા કરાયો છે. બંનેમાં રેટ સાત ટકા ઘટાડાયા છે. નાણાપ્રધાન અરુણ જેટલીએ કહ્યું હતું કે નવા ઘટાડેલા દર ૧ એપ્રિલ ૨૦૧૯થી અમલમાં આવશે. જીએસટી દરમાં ઘટાડો થવાથી બાંધકામ ક્ષેત્રને વેગ મળશે. એફોર્ડેબલ હાઉસિંગનો વ્યાપ વધારાયો છે. રૂા. ૪૫ લાખ સુધીની કિંમતના ઘરો આવરી લેવાયા છે. મેટ્રો શહેરમાં ૬૦ ચો. મીટર અને મેટ્રો સિવાયના શહેરોમાં ૯૦ ચો. મીટરવાળાને આવરી લેવાયા છે. નવા જીએસટી દર અંતર્ગત બિલ્ડરો ઈન્પુટ ટેક્સ ક્રેડિટનો દાવો કરી શકશે નહીં.

લોટરીની બાબતમાં કાઉન્સિલે નિર્ણય મુલતવી રાખ્યો છે તેના માટે પ્રધાનોની પેનલ ફરી ચર્ચા માટે મળશે. હાલ રાજ્ય સરકાર ચલાવાતી લોટરીમાં ૧૨ ટકા જીએસટી છે જ્યારે રાજ્ય અધિકૃત લોટરીમાં ૨૮ ટકા છે.

February 21, 2019
gst.jpg
1min6900

જીએસટી રિટર્ન ફાઇલ કરતી વખતે કોડ લખવામાં થઇ ગયેલી ભૂલોને કારણે ગુજરાતના અને મોટા ભાગે સૌરાષ્ટ્રના નિકાસકારોના રૂ.725 કરોડથી વધુ રકમના જીએસટી  રિફંડ અટવાય ગયા છે, કેન્દ્ર અને રાજ્ય સરકારોને અનેકો વખત રજૂઆતો કરવા છતાં હવે  સવાસો કરોડનું  રિફંડ મળવાની આશા એટલા માટે ધૂંધળી બની ગઇ છે કેમકે કેન્દ્ર સરકારે નિકાસકારોને રિફંડ નહીં મળવા અંગેનો સત્તાવાર સરક્યુલર જારી કરી દીધો છે.

જીએસટીનો કાયદો લાગુ થયા પછી વેપાર-ઉદ્યોગ અપાર મુશ્કેલીમાં મૂકાઇ ગયા હતા. જીએસટીના અમલીકરણના પ્રારંભિક મહિનાઓમાં કાયદાની ગેરસમજને લીધે એ વખતે કરેલી ભૂલોના ફળ નિકાસકારો હજુ ભોગવી રહ્યા છે. 2017ના વર્ષના આઇજીએસટી રિફંડ ટેકનીકિલ ક્ષતિને કારણે હવે કેન્દ્ર સરકાર છૂટ્ટા નહીં કરતી હોવાથી નિકાસકારોની 125 કરોડ કરતા વધારે રકમ ફસાઇ ગઇ છે. 30 કરોડ જેટલી રકમ તો રાજકોટ ચેમ્બરના સભ્યોની જ હોવાની ધારણા છે

જીએસટી લાગુ થયો એ પછી જુલાઇ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2017ના રિફંડ ફસાયેલા છે. કરોડો રૂપિયા ફસાય જતા વ્યાજની તો નુક્સાની ગઇ છે પરંતુ હવે એ રકમ મળવાની પણ અશા રહી નથી. કારણકે ઓક્ટોબર 2018માં સીબીટીસીએ રિફંડ નહીં મળે તેવો પરિપત્ર જાહેર કરી દીધો છે.

રાજકોટ ચેમ્બર દ્વારા આ મુદ્દે સતત રજૂઆત થઇ છે. ચેમ્બરના ઉપપ્રમુખ પાર્થ ગણાત્રા સમગ્ર મુદ્દા અંગે કહે છે, જીએસટી પૂર્વે એક્સાઇઝ લાગુ હતી. એ વખતે શીપીંગ બિલો ફાઇલ કરવા માટે એ અને બી એમ બે કોડ વપરાતા. ઉત્પાદક નિકાસ કરે તો બી લખવામાં આવતો અને ટ્રેડિંગ કરનારા નિકાસ કરે તો એ લખવામાં આવતો.

જીએસટી લાગુ થયા પછી બી લખનારાને રિફંડ મળી ગયું. પરંતુ જે ટ્રેડિંગ કરીને નિકાસ કરતા હતા તેમના શીપીંગ બિલો ફાઇલ કરતી વખતે સિસ્ટમમાં એ નો ઓપ્શન ચાલતો ન હતો. કેટલાકે એ વખતે સી લખીને ફાઇલ કર્યા અને થઇ પણ ગયા.

જોકે બાદમાં કેવી મુશ્કેલી પડશે તે કોઇએ વિચાર્યું ન હતુ તેમ પાર્થભાઇ કહે છે. નિકાસકારો કે ક્લીયરીંગ એજન્ટોનું અજ્ઞાન જે ગણો તો પણ આ રીતે સી વિકલ્પથી શીપીંગ બિલો ફાઇલ થતા રહ્યા. ઓક્ટોબર 2017માં સરકારે” એ બી કે સી ગમે તે લખવાથી રિફંડ મળે એવી જાહેરાત થઇ. જુલાઇથી ઓક્ટોબર 2017માં એ અને સી લખતા હતા તેમના રિફંડ સિસ્ટમ દ્વારા ઓટોમેટિક રિજેક્ટ થવા લાગ્યા હતા.
જોકે આ પ્રકારે દેશભરમાંથી રજૂઆતો આવવાથી સરકારે છેલ્લે 9 ઓક્ટોબર 2018ના રોજ સરક્યુલર બહાર પાડીને આવા કિસ્સાઓમાં રિફંડ નહીં અપાય તેવું જાહેર કરી દીધું. રાજકોટ ચેમ્બર સહિત દેશભરમાંથી અસંખ્ય નિકાસકારોની ભારે રજૂઆતો પછી આ સરક્યુલર જાહેર થયો છે. જોકે હવે સરકાર આ મુદ્દે કોઇ કાર્યવાહી કરવાના મૂડમાં નથી.

રાજકોટ ચેમ્બર દ્વારા છેલ્લે 30 જાન્યુઆરીએ વાણિજ્ય મંત્રાલયના મનિંદર કુમારને રજૂઆત કરી છે પરતું કોઇ હકારાત્મક વલણ સરકારે દાખવ્યું નથી. ચેમ્બરે કહ્યું છેકે, નિકાસકારો પ્રમાણિક છે અને ભૂલમાં આવા કોડ લખાઇ ગયા હતા.

સરકારમાં વિવિધ સ્તરે મુખ્યમંત્રીથી લઇને નાણાપ્રધાન સુધીની રજૂઆતો થઇ રહી છે પરંતુ કોઇ ઉકેલ આવે એવી શક્યતા નહીં હોવાથી નિકાસકારોના કરોડો રૂપિયા અત્યારે તો ફસાઇ જ ગયા છે.

February 21, 2019
modik.jpg
1min6730

ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ

વડાપ્રધાન મોદી અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે ઈનને ગુરુવારે સિયોલમાં યોંસી વિશ્વવિદ્યાલયમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું. આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રના પૂર્વ મહાસચિવ બાન કી મૂન પણ હાજર રહ્યા. પ્રતિમાના અનાવરણ બાદ આ નેતાઓએ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી.

કાર્યક્રમને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે ગાંધીજીની 150મી જન્મ જયંતિ પર વિશ્વના 155 દેશના ગાયકોએ તેમનું પ્રિય ભજન વૈષ્ણવ જન તો તેમને કહિએ ગાયું છે. હવે આ વૈશ્વિક વારસો બની ગયું છે જે અમારા માટે ગર્વનો વિષય છે. વડાપ્રધાને કહ્યું કે ગાંધીજી કોઈ એક યુગના બંધનમાં નથી બંધાતા. તેઓ આવનારા સમયમાં પણ આપણને પ્રેરણા આપતા રહેશે.


યોંસી વિશ્વવિદ્યાલયમાં મહાત્મા ગાંધીની એક પ્રતિમાના અનાવરણના અવસર પર વડાપ્રધાન મોદીએ કહ્યું કે ગાંધીજીના વિચાર અને આદર્શ આપણને આતંકવાદ અને જળવાયુ પરિવર્તનના ખતરાથી બહાર આવવામાં મદદ કરવાની શક્તિ આપે છે. તેમણએ કહ્યું કે આ બે મુદ્દાઓ જ દુનિયા સામે સૌથી મોટા પડકારો છે.

વડાપ્રધાન મોદી ગુરુવારે સવારે દક્ષિણ કોરિયાના બે દિવસના પ્રવાસ પર પહોંચ્યા. આ વડાપ્રધાન મોદીની બીજી દક્ષિણ કોરિયાની યાત્રા છે. અહીં પહોંચ્યા બાદ વડાપ્રધાન મોદીએ સિયોલમાં ભારતીય સમુદાયના લોકો સાથે મુલાકાત કરી. જે બાદ વડાપ્રધાને ભારત-દક્ષિણ કોરિયાના ઉદ્યોગતિઓના એક કાર્યક્રમને સંબોધન કર્યું. એ દરમિયાન તેમણે કહ્યું કે અને ન્યૂ ઈન્ડિયાના નિર્માણ માટે નવા સાથીની શોધ કરી રહ્યા છે. દક્ષિણ કોરિયા અમારું મહત્વનું સાથીદાર રહ્યું છે અને તે દેશના ટૉપ 10 ટ્રેડર્સમાં સામે છે.

February 21, 2019
st_bus-1.jpg
1min14770
  • એસટીના કર્મચારીઓ સાતમાં પગારપંચના અમલની માંગણી કરી રહ્યા છે.
  • તેમના પરના કેસ પાછા ખેંચવાની માંગ કરવામાં આવી છે.
  • એસટી બસના કર્મચારીઓને વર્ગ 3 ના કર્મચારીઓ ગણવામાં આવે છે પરંતુ તેમને પગાર વર્ગ 4નાં કર્મચારીઓ પ્રમાણે આપવામાં આવે છે.

ગુજરાત રાજ્યમાં સ્ટેટ ટ્રાન્સપોર્ટના 45 હજાર કર્મચારીઓ આજથી માસ સીએલ પર છે, જેને કારણે રાજ્યભરમાં એસટી બસ ઠપ થઈ ચૂકી છે.

તા.22મીએ યોજાયેલી રાજ્યના એસટી નિગમના ત્રણ યુનિયનની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. પડતર પ્રશ્નોનો ઉકેલ આવે તે માટે બેઠકમાં ચર્ચા થઈ હતી, સાથે જ માસ સીએલને સફળ બનાવવા માટે વ્યૂહરચના પણ બનાવાઈ હતી.

આ બેઠકમાં થયેલા નિર્ણય પ્રમાણે એસટી નિગમના ત્રણેય યુનિયન બુધવારે મધરાતથી માસ સીએલ પર ઉતર્યા છે. જેને કારણે રાજ્યમાં 7 હજાર જેટલી બસો ડેપોમાં જ પડી રહી છે.

એસટીના કર્મચારીઓનું કહેવું છે કે તેમણે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના પદાધિકારીઓને મળીને તેમના પ્રશ્નોની રજૂઆત કરી છે. પરંતુ તેમના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા તેમણે માલ સીએલ પર જવાનો નિર્ણય કર્યો છે.