CIA ALERT

Alert Archives - Page 382 of 512 - CIA Live

April 6, 2019
murli.jpg
1min12110

ભાજપના સિનિયર નેતા મુરલી મનોહર જોષી શુક્રવારે લાલકૃષ્ણ અડવાણીને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. એક દિવસ પહેલાં અડવાણીએ કહ્યું હતું કે રાજકીય દૃષ્ટિએ સહમત નહીં થતાં હોય તેઓને ભાજપે ક્યારે પણ દુશ્મન કે રાષ્ટ્રવિરોધી ગણ્યા નથી. ભાજપના અગ્રણી નેતાઓ નરેન્દ્ર મોદી, અમિત શાહ સતત બાલાકોટ હવાઈ હુમલા બાદ વિપક્ષો પર રાષ્ટ્રવિરોધી હોવાનો આક્ષેપ કરી રહ્યા છે ત્યારે અડવાણીનું નિવેદન ઘણું મહત્ત્વ ધરાવે છે.

જોષી અને અડવાણી વચ્ચે શું ચર્ચા થઈ તે હજુ બહાર આવ્યું નથી. આ બંને નેતાને ટિકિટ મળી નથી. અડવાણીની ઉંમર 91 વર્ષ છે. તેઓ ગાંધીનગર બેઠકથી છ વાર ચૂંટાયા હતા. મુરલી મનોહર જોષી ભાજપના સ્થાપક સભ્ય પૈકી એક છે. તેમને ભાજપના મહામંત્રી રામલાલ થોડા દિવસ અગાઉ મળ્યા હતા અને પક્ષના નિર્ણયથી વાકેફ કર્યા હતા.

April 6, 2019
rahul1.jpg
1min5400

કૉંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે ગરીબોને વર્ષે રૂ. 72,000 આપવાની સ્કીમનો અમલ કરવા માટે મિડલક્લાસ પર ટેકસનો બોજો નાખવામાં નહીં આવે. કૉંગ્રેસે પોતાના વચનનામામાં ગરીબીરેખા નીચે જીવતા લગભગ પાચ કરોડ પરિવાર માટે દર વર્ષે રૂ. 72,000 આપવાની જાહેરાત કરી છે. પુણે ખાતે તેમણે આ વિશે વિદ્યાર્થીઓ સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ જાહેરનામું ઘણા લોકો સાથે વાતચીત કર્યા બાદ બનાવવામાં આવ્યું છે. ગાંધીએ જાહેર કરેલી ‘ન્યાય’ સ્કીમ વર્ષે રૂ. 3.26 લાખ કરોડનો બોજ દેશની તિજોરી પર નાખશે. ભાજપ સહિત નિષ્ણાતોએ આટલું મોટું ફંડ ક્યાંથી આવશે તે અંગે સવાલો ઊભા કર્યા હતા. આરજે મલિષ્કા અને અભિનેતા સુબોધ ભાવે દ્વારા સંચાલિત કરવામાં આવેલા આ કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ રાજકારણ, તેના વ્યક્તિગત જીવન અને બહેન પ્રિયંકા સાથેના સંબંધો વિશે પૂછાયેલા સવાલોના જવાબ આપ્યા હતા. તેમણે મહિલાઓને સંસદમાં 33 ટકા અનામત આપવાની વાત પણ કરી હતી.

ગાંધીએ ડિમોનિટાઈઝેશનને ડિઝાસ્ટરસ આઈડિયા ગણાવ્યો હતો. આ નિર્ણયને લીધે અર્થવ્યવસ્થા પર ઘાતક અસર થઈ હોવાની ટીકા તેમણે કરી હતી. નીતી આયોગને બંધ કરવાના કૉંગ્રેસના વચન અંગે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સ્તરે આપણને એવી સંસ્થા જોઈએ છે જે શું કરવું તે નક્કી કરે, પરંતુ તેનો અમલ તો રાજ્યસ્તરે થવો જોઈએ. બાલકોટમાં કરેલી ઍર સ્ટ્રાઈકનો શ્રેય કોણે લેવો જોઈએ તેમ પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે વાયુસેનાએ આનો શ્રેય લેવો જોઈએ. આ મુદ્દાને રાજકારણ સાથે જોડવામાં આવ્યો તે વાતનો મને અફસોસ છે, પરંતુ વડા પ્રધાને આમ કર્યું અને એ તેમની પસંદ છે. અભિનેતા સુબોધ ભાવેએ ગાંધીને પૂછ્યું હતું કે જો હું તમારી બાયોપિક બનાવું તો હિરોઈન તરીકે કોને કામ આપવું જોઈએ, ત્યારે રાહુલે જણાવ્યું હતું કે દુર્ભાગ્યપુર્ણ રીતે હું મારા કામને પરણેલો છું. સોશિયલ મીડિયામાં તેમના પર થતા જૉક્સ વિશે તેમણે જણાવ્યું હતું કે જે લોકો વર્ચ્યુઅલ રિયાલિટીમાં જીવે છે, તેમને જીવવા દો, પરંતુ લોકો વાસ્તવિકતાને નકારી શકે નહીં.

April 6, 2019
modi_rahul_matterphoto.jpg
1min13340

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે જણાવ્યું હતું કે કૉંગ્રેસ અને ભ્રષ્ટાચાર ‘એકબીજાના અવિભાજ્ય ભાગ’ છે. ઑગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકૉપ્ટર સોદાના કૌભાંડમાં પકડાયેલા વચેટિયા (દલાલ) ક્રિશ્ર્ચિયન મિશેલે કૉંગ્રેસનો ‘પ્રથમ પરિવાર’ આ ગેરરીતિમાં સંડોવાયો હોવાનો નિર્દેશ આપ્યો હતો.

મોદીએ દેહરાદૂનમાં જાહેરસભાને સંબોધતા જણાવ્યું હતું કે મિશેલે પૂછપરછ દરમિયાન બે નામ જાહેર કર્યા હતા. એક ‘એપી’ છે અને બીજું ‘એફએએમ’ છે. ‘એપી’ એટલે અહેમદ પટેલ અને ‘એફએએમ’ એટલે ‘ફેમિલી’ છે. તમે અહેમદ પટેલનું નામ સાંભળ્યું હશે? તેઓ ક્યા પરિવારની નજીક છે એ જાણો છોને? આ પરિવાર ‘ચોકીદાર’ના કડક પગલાંને સહન કરી નથી શકતો.

એન્ફૉર્સમેન્ટ ડિરેક્ટરેટે વચેટિયા ક્રિશ્ર્ચિયન મિશેલ સામે ગુરુવારે દિલ્હીની અદાલતમાં પૂરક તહોમતનામું નોંધાવ્યું હતું. એન્ફૉર્સમેન્ટ ડિરેક્ટરેટે જણાવ્યું હતું કે મિશેલે ‘એપી’ એટલે અહેમદ પટેલ હોવાનું કબૂલ કર્યું હતું. આમ છતાં, મિશેલે શુક્રવારે કરેલી અરજીમાં દાવો કર્યો હતો કે મેં આ સોદાના સંબંધમાં કોઇનું નામ નથી આપ્યું. દરમિયાન, કૉંગ્રેસે એન્ફૉર્સમેન્ટ ડિરેક્ટરેટ દ્વારા આ પ્રકરણમાં નોંધાવાયેલા પૂરક તહોમતનામાને ‘ચૂંટણી વખતનો સ્ટન્ટ’ ગણાવ્યો હતો.

અહેમદ પટેલે આ આક્ષેપને પાયાવિહોણો ગણાવીને જણાવ્યું હતું કે ચોકીદાર અને તેમના સાથીઓ ખોટી રીતે આક્ષેપ કરી રહ્યા છે. નૉટબંધી અને રાફેલના દલાલો હવે બચી નહિ શકે. જનતા તેઓને ચૂંટણીમાં પાઠ ભણાવશે.

April 6, 2019
upsc1.jpg
1min14420

યુપીએસસીએ શુક્રવારે જાહેર કરેલા સિવિલ સર્વિસીસની 2018ની અંતિમ પરીક્ષાના પરિણામમાં આઇઆઇટી બૉમ્બેનો બીટેકનો વિદ્યાર્થી કનિષ્ક કટારિયા પ્રથમ આવ્યો હતો. યુપીએસસીએ જણાવ્યું હતું કે કમિશને વિવિધ આઇએએસ, આઇપીએસ, આઇએફએસ વગેરે સેવા માટે કુલ 759 ઉમેદવાર (577 પુરુષ અને 182 મહિલા)ની ભલામણ કરી હતી. કટારિયા અનુસૂચિત જાતિનો છે અને ગણિતને વૈકલ્પિક વિષય રાખીને ક્વૉલિફાઇ થયો હતો. તે બી.ટેક (કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ)નો વિદ્યાર્થી છે.

ગુજરાતનું રિઝલ્ટ શું

UPSCની કમ્બાઈન્ડ સિવિલ સર્વિસિઝ એક્ઝામ (CCSE) 2018નું પરિણામ શુક્રવારે જાહેર થયું. ગુજરાતના 18 ઉમેદવારોએ UPSCની પરીક્ષા પાસ કરી છે અને એક પરીક્ષાર્થીએ ટોપ 100માં સ્થાન મેળવ્યું છે. 2018માં ગુજરાતમાંથી 131 ઉમેદવારોએ યુપીએસસીની પ્રીલિમનરી પરીક્ષા પાસ કરી જેમાંથી 43 ગુજરાતી ઉમેદવારોએ એ યુપીએસસી સિવીલ સર્વિસીઝ મેઈન્સ પરીક્ષા પાસ કરી છે. ફાઈનલ સિલેક્શન અને રેન્ક નક્કી કરવા માટે ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા. ગુજરાતમાંથી એન્જિનયિરંગ સ્નાતક થયેલા કાર્તિક જીવાણીએ મિકેનિકલ એન્જિનિયરિંગ વિષય સાથે પરીક્ષા પાસ કરી અને યુપીએસસી ફાઇનલ્સમાં દેશભરમાં 94મો ક્રમાંક મેળવ્યો છે. કાર્તિક જીવાણી ગુજરાતમાં પ્રથમ છે.

583મો ક્રમ મેળવનાર અલ્પેશ પંચાલ ભારતીય રેલવેમાં મિકેનિકલ એન્જિનિયર તરીકે કામ કરે છે. ઘાટલોડિયાનો રહેવાસી અને સુથારના દીકરા અલ્પેશે નોકરી કરતાં કરતાં જ પરીક્ષાની તૈયારી કરી. અલ્પેશે કહ્યું, “IIT બોમ્બેમાંથી મેં મિકેનિકલ એન્જિયરિંગની ડિગ્રી મેળવી અને બાદમાં સિવિલ સર્વિસીઝની પરીક્ષા માટે તૈયારી શરૂ કરી. મને આશા છે કે હું IPS કે IRS કેડરમાં જોડાઉં.” બી. જે. મેડિકલ કોલેજમાંથી MBBSની ડિગ્રી મેળવનાર ડૉ. મનોજ ભરતે 622મો ઓલ ઈન્ડિયા રેન્ક (AIR) મેળવ્યો છે. ડૉ. મનોજે કહ્યું, ‘IPS કેડરમાં જોડાવાની આશા છે.’ શહેરના અન્ય એક ઉમેદવાર પિંકેશ પરમહંસે 685મો ઓલ ઈન્ડિયા રેન્ક મેળવ્યો.

પરિણામનું વિશ્લેષણ કરતાં જાણવા મળ્યું કે, 3 ઉમેદવારોએ પ્રથમ પ્રયાસમાં જ પરીક્ષા પાસ કરી, બીજા પ્રયાસમાં પાંચ ઉમેદવારો અને ત્રીજા પ્રયાસમાં બે ઉમેદવારો પાસ થયા. 6 સફળ પરીક્ષાર્થીઓ 20થી 25 વર્ષની વયના છે અને એક 30થી વધુની ઉંમરનો છે. સ્પીપા (સરદાર પટેલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન)ના સૂત્રોના જણાવ્યા અનુસાર UPSCએ જાહેર કરેલી ખાલી જગ્યાની સંખ્યામાં ઘટાડો થયો છે તેમ છતાં ઈન્સ્ટીટ્યૂટનું પરિણામ ઊંચું આવ્યું છે. જાગૃતિ અને પરીક્ષાની ઉત્તમ તૈયારીના લીધે સારું પરિણામ પ્રાપ્ત થયું છે. 2017-18માં પાસ થનારા ઉમેદવારો 22 હતા. જ્યારે 2016-17માં આ આંકડો 19 હતો.”

Complete Results with name

https://upsc.gov.in/sites/default/files/FR-CSME-2018-Engl.pdf

 

April 5, 2019
kapas.jpg
1min12930
કપાસનો ભાવ સૌરાષ્ટ્રના અર્થતંત્ર ઉપર ઉંડો પ્રભાવ પાડનારો રહ્યો છે. મંદી હોય ત્યારે બૂમરાણ મચી જાય પણ તેજી વખતે બજારમાં તેની ચમક હોય. લગભગ આઠ વર્ષના દિર્ધ ગાળા પછી પ્રથમ વખત કપાસનો ભાવ સૌરાષ્ટ્રમાં મણદીઠ રૂ. 1300ની સપાટીએ પહોંચ્યો છે. કપાસના ઉત્પાદનમાં મોટું ગાબડું નીકળ્યું છે તેના પરિણામે માલ ખૂટવા લાગ્યો છે. બીજી તરફ મંદીની બૂમરાણ મચાવી રહેલા મોટાં ટ્રેડરો અને કંપનીઓ પણ તેજીમાં આવી જતા કપાસની સાથે રૂ, કપાસિયા તથા ખોળમાં પણ ભારેખમ તેજી થઇ છે. જોકે કપાસનો જથ્થો હવે જૂજ ખેડૂતો પાસે હોય તેજીનો લાભ મેળવવામાંથી મોટાંભાગના વંચિત રહી ગયા છે.
અમરેલી માર્કેટ યાર્ડમાં કપાસ રૂ. 1090-1300માં વેચાયો હતો. જોકે ગામડે પણ રૂ. 1275 સુધી કામકાજ થયા હતા. મહિનામાં પેમેન્ટ કરવાની શરતે રૂ. 1300માં કેટલાક ગામડાંમાંથી સોદા થયા હતા તેમ સૌરાષ્ટ્ર કોટન અને કોટનસીડ બ્રોકર્સ એસોસીએશનના પ્રમુખ અવધેશભાઇ સેજપાલે કહ્યું હતુ. તેમણે કહ્યું કે, સીઝનના આરંભે 370 લાખ ગાંસડી રૂનો પાક થશે તેવા અંદાજો હતા પરંતુ વાતાવરણની પ્રતિકૂળતા વચ્ચે પાક હવે 300-310 લાખ ગાંસડી માંડ માંડ આવશે એવી ધારણા બજારમાં બધે જ પ્રવર્તી છે. અગાઉ મોટાં પાકની ધારણા વચ્ચે મંદીમાં મહાલી રહેલો તમામ વર્ગ તેજીમાં આવી જતા લાવ લાવની તેજી થઇ છે.
તેમણે કહ્યું કે, કપાસની સીઝન શરું થવાની હોય ત્યારે મોટાં મોટાં સંગઠનો પાકના આસમાની અંદાજો મૂકે છે. મોટાં અંદાજોની અસરથી ખેડૂતો માલ વેંચી નાંખે છે અને જિનો પણ ખોટમાં ચાલે છે. સીઝનના અંતે પાક ઓછો નીકળતા ખેડૂતોને કપાસની તેજીનો લાભ મળતો નથી. અત્યારે એવી જ સ્થિતિ છે. મોટાંભાગના ખેડૂતો કપાસ વેંચી ચૂક્યાં છે. હવે 10 ટકા સ્ટોક ફક્ત મજબૂત હાથમાં છે તેમને જ તેજીનો લાભ મળી રહ્યો છે.
કપાસનો ભાવ રૂ. 1300 થયો છે. બીજી તરફ રૂનો ભાવ તુલનાત્મક રીતે ઓછો વધે છે એટલે જિનીંગ મિલોને રૂ. 1500ની ડિસ્પેરીટી થઇ ગઇ છે. ડિસ્પેરીટી ઘટાડવા માટે જિનો કપાસિયા ઉંચા ભાવે વેંચવા લાગતા કપાસિયામાં પૂરપાટ તેજી ચાલી રહી છે. સૌરાષ્ટ્રમાં કપાસિયા રૂ 580-600માં વેંચાતા હતા. ચાલુ સીઝનનો સર્વોચ્ચ ભાવ થઇ ગયો છે. કપાસમાં એક દિવસમાં રૂ. 20નો વધારો થયો છે. જ્યારે કપાસિયામાં રૂ. 30 ઉંચકાઇ ચૂક્યાં છે.
કપાસની તેજી વચ્ચે સંકર રૂનો ભાવ પણ સીઝનની ટોચ ઉપર રૂ. 45800-46300એ પહોંચી ગયો છે. રૂ બજારમાં વધુ તેજી શક્ય છ ઁતેમ અભ્યાસુઓ કહેછે. રૂમાં સ્થાનિક અને નિકાસ માગ ઉંચા મથાળે અટકી ગઇ છે.
અભ્યાસુઓના મતે તેજીને લીધે કપાસની વેચવાલીમાં સાવ ઘટાડો આવે એમ છે. એ જોતા જિનોને કાચો માલ મળે તેમ નથી. કાચો માલ ન મળતા જિનીંગ મિલો પંદર વીસ દિવસમાં મોટેભાગે બંધ થઇ જાય તેમ છે.
April 5, 2019
fugen_world.jpg
1min11810

11-12 સાયન્સમાં ફ્યુજન વર્લ્ડ અને 4 શાળાઓ 150 તેજસ્વી વિદ્યાર્થીઓને મફત ભણાવશે

કામરેજ સ્થિત શ્રી વસિષ્ઠ વિદ્યાલય, વસિષ્ઠ જેનેસીસ સ્કુલ-બારડોલી, નાનપુરા સ્થિત જીવનભારતી ફુલ-ડે સ્કુલ અને હરીઓમ સ્કુલ ઓફ સાયન્સ, પૂણાગામ, સુરત એમ ચાર શાળાઓએ અને પાંચમી સંસ્થા ફ્યુજન વર્લ્ડનું એક ગ્રુપ રચાયું છે જે  શહેરમાં ધો.11-12 સાયન્સનું ગુણવત્તાસભર એજ્યુકેશન પુરૂં પાડી રહ્યું છે. ફ્યુજન વર્લ્ડ સાથે સંકળાયેલી શાળાઓમાં ધો.11-12 સાયન્સનું શાળાકીય શિક્ષણ ઉપરાંત મેડીકલ તથા એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેની નીટ-જેઇઇ મેઇન્સ, જેઇઇ એડવાન્સ્ડ વગેરે જેવી પ્રવેશ પરીક્ષાઓનું પણ ગુણવત્તાસભર આધુનિક શિક્ષણ પૂરૂં પાડવામાં આવે છે.  જેમણે ધો.11-12 સાયન્સના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે અદભૂત યોજના લોંચ કરી છે. જેમાં તેજસ્વી હોય અને જેમના માબાપ ધો.11-12 સાયન્સમાં અભ્યાસનો ખર્ચ ઉઠાવી શકે તેમ નહોય તેવા વિદ્યાર્થીઓને ધો.10ના મેરીટના આધારે પ્રવેશ આપીને બિલકુલ ફ્રીમાં ભણાવવામાં આવશે.

ફ્યુજન વર્લ્ડ સાથે સંકળાયેલી 4 શાળાઓમાં ધો.11-12 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અન્ય કોઇ ટ્યુશન કે કોચિંગ નહીં લેવું પડે

  • ફ્યુજન વર્લ્ડ સાથે સંકળાયેલી શાળાઓ
  • કામરેજ સ્થિત શ્રી વસિષ્ઠ વિદ્યાલય,
  • બારડોલી સ્થિત વસિષ્ઠ જેનેસીસ સ્કુલ
  • નાનપુરા સ્થિત જીવનભારતી ફુલ-ડે સ્કુલ
  • પૂણાગામ સુરત સ્થિત હરીઓમ સ્કુલ ઓફ સાયન્સ

ફ્યુજન વર્લ્ડ એ એવી શાળાઓનું સંગઠન છે જે ધો.11-12 સાયન્સ પછી આપવાની થતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે બાયોલોજી ગ્રુપમાં નીટ (મેડીકલ-ડેન્ટલ-હોમિયોપેથી-આયુર્વેદિકમાં પ્રવેશ માટે) અને જેઇઇ મેઇન્સ તથા એડવાન્સ્ડ (આઇ.આઇ.ટી, એન.આઇ.ટી., ત્રિપલઆઇટી જેવી રાષ્ટ્રીય મહત્વતા એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ માટેની) પરીક્ષાની તૈયારી કરાવે છે. ચારેય સંસ્થાઓમાં નિવડેલા શિક્ષકો, પોતાને સતત અપડેટ રાખતા શિક્ષકો, પોતાનું જ્ઞાન વધે તેવા સતત પ્રયાસો કરતા શિક્ષકો દ્વારા વિજ્ઞાન પ્રવાહ તેમજ પ્રવેશ પરીક્ષાનું શિક્ષણ આપવામાં આવે છે.

ફ્યુજન વર્લ્ડ સાથે જોડાયેલી ચારેય સ્કુલો સ્પર્ધાત્મક પરીક્ષાઓ ઉપરાંત ધો.11-12 શાળાકીય શિક્ષણ તેમજ ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવતી ગુજકેટ પરીક્ષાની તૈયારી પણ કરાવશે.

ફ્યુજન વર્લ્ડ સાથે જોડાનારા વિદ્યાર્થીઓએ ધો.11-12 સાયન્સમાં અભ્યાસ માટે કે કોઇપણ એન્ટ્રન્સ ટેસ્ટ માટે ખાનગી કે વધારાનું ટ્યુશન લેવાની કે કોચિંગ ક્લાસીસમાં જોડાવાની બિલકુલ જરૂર નહીં રહે.

તેજસ્વી હોય તેવા 150 ગરીબ વિદ્યાર્થીઓને કલ્પ 150 અન્વયે બિલકુલ ફ્રી ભણાવાશે પણ રજિસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય

ફ્યુજન વર્લ્ડ સાથે સંકળાયેલી શાળાઓમાં અભ્યાસ કરવા ઇચ્છુક તેજસ્વી વિદ્યાર્થીઓ કે જેમના વાલીઓ આર્થિક રીતે ધો.11-12 સાયન્સનો અભ્યાસ ખર્ચ ઉઠાવી શકે તેમ ન હોય તેવા વિદ્યાર્થીઓ માટે કલ્પ 150 યોજના લોંચ કરી રહ્યા છે. ધો.10ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓએ કલ્પ 150 યોજનામાં સામેલ થવું હોય તો તેના માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. આ યોજનામાં ધો.10માં ટોપ મેરિટ ધરાવતા પ્રથમ 150 વિદ્યાર્થીઓને બિલકુલ ફ્રીમાં અભ્યાસ કરાવવામાં આવશે. ફ્યુજન વર્લ્ડ કલ્પ 150 યોજનામાં રજિસ્ટ્રેશન ઓનલાઇન અને ઓફલાઇન બન્ને રીતે થઇ શકે છે.

કલ્પ 150 યોજના માટે અહીં રજિસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય

કલ્પ 150 યોજનાનો લાભ લેવા ઇચ્છતા તેજસ્વી અને આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓએ

ફોન નં. 9727 99 1009 તેમજ 9624 39 1009

Website for online Registration www.fugenworld.com

ફ્યુજન વર્લ્ડના નીચે મુજબના પોસ્ટરમાં કલ્પ 150 યોજના અંગેની સઘળી માહિતી દર્શાવવામાં આવી છે.

 

April 5, 2019
sabarmati-1280x720.jpg
1min14990

ગુજરાતની સૌથી મોટી નદીનું બિરૂદ ધરાવતી અને રાજ્ય સરકારના મહત્ત્વકાંક્ષી એવા રિવરફ્રન્ટ પ્રોજેકટ બાદ શહેરની રોનકમાં ખૂબ જ વધારો થઈ ગયો છે. જ્યાં અનેક રાજ્યના લોકો નિહાળવા આવતા હોય છે ત્યારે બીજી બાજુ સાબરમતીનો રિવરફ્રન્ટ શહેરનો સ્યુસાઈડ પોઈન્ટ બની ગયો હોય તેમ તા.1લી જાન્યુઆરીથી અત્યાર સુધીમાં નદીમાં ઝંપલાવીને કુલ 34 લોકો મોતને ભેટ્યા હતા. જ્યારે ફાયર બ્રિગેડે 18 જેટલા લોકોને ડૂબતાં બચાવી લાધા હતા. છેલ્લા ત્રણ મહિનામાં ફાયરબ્રિગેડને 50થી વધુ કોલ મળ્યા હતા અને સ્થળ પર જઈને રેસ્ક્યુ કરીને અનેક લોકોને ડૂબતા બચાવવા હંમેશા નદી કિનારે ટીમ તૈનાત રહે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં સાબરમતી નદી પર સૌ પ્રથમ રિવરફ્રન્ટ બનતા દૂરદૂરથી અનેક સહેલાણીઓ નદીને નિહાળવા આવતા હોય છે. જેથી શહેરની રોનકમાં ખૂબ જ વધારો થવા સાથે નદીનો રિવરફ્રન્ટ સમગ્ર દેશમાં પિકનિક પોઈન્ટ તરીકે ઊભરી આવ્યો છે ત્યારે બીજી બાજુ આ સ્થળ શહેરનો સ્યુસાઈડ પોઈન્ટ બની ગયો હોય તેમ અહીં આત્મહત્યા કરનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે જેના કારણે મનપાએ તમામ બ્રિજ પર ઊંચાઇવાળી લોખંડની જાળી લગાડી દીધી હતી જેના કારણે ગત વર્ષોની તુલનામાં ચાલુ વર્ષે બ્રિજ પરથી નદીમાં પડવાના કિસ્સાઓમાં ભારે ઘટાડો નોંધાયો હતો. પરંતુ ગત માર્ચ મહિનામાં સાબરમતી નદીમાંથી લાશ મળવાની સંખ્યામાં વધારો થયો છે. જાળીઓ લગાવ્યા બાદ હવે લોકો વોક-વે પરથી પડતું મૂકી આત્મહત્યા કરી રહ્યા છે. છેલ્લા ત્રણ મહિનામાં ફાયરે બચાવેલા 8 લોકોમાંથી મોટા ભાગનાએ વોક-વે પરથી પડતું મૂક્યું હતું. જો કે, કેટલાક લોકો જાળી પર ચડીને પણ નદીમાં ઝંપલાવી દેતા હોય છે.

તા.1લી જાન્યુઆવી 2019થી અત્યાર સુધામાં ફાયર બ્રિગેડને મળેલા કોલ મુજબ જાન્યુઆરી મહિનામાં 7 પુરુષ અને 1 મહિલા મળી 8 લાશ મળી હતી. ફેબ્રુઆરી મહિનામાં 5 પુરુષ 1 મહિલા મળી 6 લાશ મળી હતી. જ્યારે 2 પુરૂષ અને 1 મહિલાને બચાવ્યા હતા. જ્યારે ગત માર્ચ મહિનામાં 16 પુરુષ અને 4 મહિલાઓ મળી 20 લાશ મળી છે. જ્યારે 2 પુરુષ અને 3 મહિલા મળી પાંચ લોકોને બચાવ્યા લીધા હતા અને સૌથી વધુ 20 લોકો માર્ચ મહિનામાં નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી.

છેલ્લા ત્રણ મહિનામાં મનપાના ફાયરબ્રિગેડને 50થી વધુ કોલ મળ્યા હતા જેમાં ફાયરની રેસ્ક્યૂ ટીમે માત્ર માણસોના નહીં પક્ષીઓ અને પ્રાણીઓને એટલે કે, કબૂતર, સમડીઓ, કૂતરાઓ નદીમાં અકસ્માતે પડી જતા તેમને પણ જીવતા બચાવી લીધા હતા. આમ શહેરમાં ફાયરની બચાવ ટીમને સાહસિક કામગીરી કરીને અનેકના જીવો બચાવ્યા છે.

April 5, 2019
ashok_adhewada_mp.jpg
1min7230

ભણેલા-ગણેલા લોકો રાજકારણમાં આવતા નથી કે ચૂંટણીમાં ઝંપલાવતા હોતા નથી. રાજકીય પાર્ટીઓ પણ મતદારોને રીઝવી શકે તેવા નહીં પરંતુ, પોતાના સમીકરણોમાં સેટ થાય તેવા ઉમેદવારોની જ પસંદગી કરતી હોય છે. કોંગ્રેસે સુરત સંસદીય બેઠક માટે જે ઉમેદવાર પસંદ કર્યા છે એ અશોક અધેવાડાએ આજે પોતાની ઉમેદવારી નોંધાવતા એફિડેવિટ પણ રજૂ કરી હતી. એ એફિડેવિટમાંથી મળતી વિગતો મુજબ અશોક અધેવાડાની શૈક્ષણિક લાયકાત ફક્ત ધો.9 પાસ છે. અશોક અધેવાડાએ તેમનો મુખ્ય વ્યવસાય ખેતી ગણાવ્યો છે અને તેમની પાસે જંગમ મિલક્તો રૂ.38.32 લાખની છે. વાહનોમાં એક કાર અને એક બાઇક ધરાવતા અશોક અધેવાડા પાસે હાથ પર રોકડ રૂ.25 લાખની હોવાનો એકરાર સોગંદનામાંમાં કરવામાં આવ્યો છે. તેઓ દોઢ કરોડની વેલ્યુ ધરાવતી મિલકતના માલિક હોવાનું પણ જણાવવામાં આવ્યું છે.

સુરત બેઠક પર 22 ઉમેદવારોએ ઝુકાવ્યું, મુખ્ય લડાઇ ભાજપ-કોંગ્રેસ

લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં આગામી તા.23મી એપ્રિલ એ ગુજરાતમાં યોજાનારા મતદાન પૂર્વે આજે તા.4 એપ્રિલ 2019ના રોજ ઉમેદવારીપત્ર ભરવાની અંતિમ મુદતે સુરત લોકસભા સીટ પર કુલ 22 ઉમેદવારોએ ઝુકાવ્યું છે. સુરત બેઠક માટે કુલ 32 ઉમેદવારી પત્રો ભરાયા છે. જોકે, સુરતમાં મુખ્ય ચૂંટણી જંગ ભાજપા અને કોંગ્રેસ વચ્ચે જ જોવાય રહ્યો છે.

અઠવાલાઇન્સ સ્થિત જિલ્લા સેવા સદનમાં આજે સવારથી જ ભીડભાડ જોવા મળી હતી. લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારીપત્ર ભરવાનો આજે અંતિમ દિન હોઇ, ભાજપ-કોંગ્રેસ અને અન્ય વિપક્ષો દ્વારા તેમના સમર્થકો સાથે વાજતે ગાજતે ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા પાર પાડવામાં આવી હતી.

દર્શના જરદોષના ડમી તરીકે અજય ચોક્સીએ ફોર્મ ભર્યું

ભાજપાના સત્તાવાર ઉમેદવાર દર્શના જરદોષએ તા.3 એપ્રિલના રોજ મેન્ડેટ વગર ફોર્મ ભર્યું હતું, આજે તેઓ પાર્ટીના મેન્ડેટ સાથે અને હજારો કાર્યકર્તાઓ સાથે વાજતે ગાજતે ઉમેદવારી કરવા માટે આવ્યા હતા. દર્શનાબેન જરદોષના ડમી તરીકે પૂર્વ ધારાસભ્ય અજય ચોક્સીએ ફોર્મ ભર્યું હતું.

અશોક અધેવાડાના ડમી તરીકે ભારતી પટેલએ ફોર્મ ભર્યું

એવી જ રીતે કોંગ્રેસ તરફે અશોક અધેવાડાએ પણ છેક વરાછા રોડથી અઠવાલાઇન્સ જિલ્લા સેવા સદન સુધી હજારો કાર્યકર્તાઓ સાથે રેલી કાઢીને વાજતે ગાજતે ઉમેદવારી કરવા પહોંચ્યા હતા. અશોક અધેવાડાએ કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર તરીકે મેન્ડેટ સાથે ઉમેદવારી નોધાવી હતી. અશોક અધેવાડાના ડમી તરીકે ભારતીબેન પટેલ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું હતું.

3 વાગ્યા સુધીમાં ફોર્મ મેળવ્યા અને ભરવાની વિધી 4.30 સુધી ચાલી

આજે ઉમેદવારી પત્ર નોંધાવવાની અંતિમ મુદતે તમામ ઉમેદવારો એક સાથે જ ફોર્મ ભરવા આવ્યા હતા. ચૂંટણી પંચના નિયમ મુજબ બપોરે ત્રણ વાગ્યા સુધીમાં ઉમેદવારીપત્ર મેળવી લેનાર ઉમેદવાર કામકાજના કલાક પૂર્ણ થાય ત્યાં સુધી ફોર્મ ભરી શકે. પરીણામે 3 વાગ્યે ફોર્મ મેળવનાર ઉમેદવારોએ ફોર્મ ભરવા માટે 4.30 વાગ્યા સુધી જહેમત ઉઠાવી હતી. જિલ્લા કલેક્ટરેટના અધિકારી-કર્મચારીઓએ ચુસ્ત પણે ચૂંટણી પંચના નિયમોનું પાલન કરાવ્યું હતું.

એક ઉમેદવાર 3.10 કલાકે ફોર્મ ભરવા આવ્યો

સુરતના ચોર્યાસી પ્રાતંની કચેરીમાં આજે લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી પત્રક ભરવાની અંતિમ મુદત બપોરે 3 વાગ્યા પછી એટલે કે બપોરે 3.10 કલાકે એક ઉમેદવાર ફોર્મ ભરવા માટે આવ્યો હતો. જોકે, મુદત પૂર્ણ થઇ ચૂકી હોઇ, સિટી પ્રાંત અધિકારી શ્રી પી.આર. જાનીએ નિયમાનુસાર એ ઉમેદવારને ફોર્મ નહીં ભરી શકે એમ જણાવી દીધું હતું.

સુરત બેઠક પર કુલ 22 ઉમેદવારો મેદાનમાં

દર્શના જરદોષ

અજય ચોક્સી

અશોક અધેવાડા

ભારતી પટેલ

ગૌતમ રાજ હિન્દુસ્તાની

સુરવાડે સંતોષ અવધુત

તુલસીભાઇ ડાંખરા

વિજય જયકિશન તાલીયા

અશોક વલ્લભ પટેલ

દિનેશ ચતુરભાઇ જીકાદરા

જોગીયા અમિષા વિક્રમભાઇ

અશોક રમેશભાઇ સોલંકી

સુરેનું ગોપાલસિંગ અરોરા

મો.અલાઉદ્દીન શેખ

એક ઉમેદવાર ડિપોઝીટ વગર ફોર્મ ભરી ગયો

સુરત સંસદીય મત વિસ્તારમાં આજે મો. અલાઉદ્દીન શેખએ અપક્ષ તરીકે ઉમેદવારી પત્ર ભર્યું હતું. જોકે, ચૂંટણી તંત્રવાહકોએ આપેલી માહિતી મુજબ આ અપક્ષ ઉમેદવારી ઉમેદવારીપત્ર સાથે જમા કરવાની થતી ડિપોઝીટની રકમ જમા કરાવી ન હતી.

ચૂંટણી પંચના નિયમાનુસાર ઉમેદવાર કોઇપણ રીતે ફોર્મ આપી જાય તો તેને સ્વીકારી લેવું. આ રૂએ સ્થાનિક તંત્રએ મો. અલાઉદ્દીન શેખનું અપક્ષ તરીકેનું ઉમેદવારી પત્ર સ્વીકારી લીધું હતું. પરંતુ, હવે તા.5મી એપ્રિલ 2019ના રોજ ઉમેદવારી પત્રો ચકાસણી દરમિયાન ડિપોઝીટ વગર ભરવામાં આવેલું ઉમેદવારીપત્ર રદ બાતલ કરી દેવામાં આવશે.

આજે ઉમેદવારીપત્રોની ચકાસણી અને 8મીએ બપોરે 3 વાગ્યા સુધી પરત ખેંચી શકાશે

તા.23મીએ યોજનારા મતદાન પૂર્વે ઉમેદવારી પ્રક્રિયા યોજાય છે. આજે ઉમેદવારી નોંધાવવાની મુદત પૂર્ણ થયા બાદ હવે આવતીકાલ તા.5 એપ્રિલ 2019ના રોજ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઉમેદવારીપત્રોની ચકાસણીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જ્યારે તા.8મી એપ્રિલના રોજ બપોરે 3 વાગ્યા સુધી ઉમેદવારીપત્રો પરત ખેંચી શકાશે.

 

April 5, 2019
calogo1.jpg
2min13610

ધો.12 કોઇપણ પ્રવાહ પછી ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બનવા માટેનું પહેલું ચરણ ગણાતી સી.પી.ટી. (કોમન પ્રોફિશ્યન્સી ટેસ્ટ) જુન 2019માં બેસવા માટેના રજિસ્ટ્રેશન તા.4 એપ્રિલ 2019થી શરૂ થઇ ચૂક્યા છે. ધો.12 કોઇપણ પ્રવાહની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓએ સી.એ. કોર્સ કરવો હોય તો સી.પી.ટી. માટે રજિસ્ટ્રેશન કરીને એ પરીક્ષા આપવી ફરજિયાત છે.

તા.30મી જૂન 2019ના રોજ લેવાનારી સી.પી.ટી. પ્રવેશ પરીક્ષાની સઘળી માહિતી નીચે મુજબ છે.

1. Last date for registration to CPT Course with BOS 30th June, 2017
2. Commencement of Online filling of CPT Examination Form 4th April, 2019 (10:00 A.M. IST)
3. Last date & time for Login Creation/New User Registration 02nd May, 2019 upto 5:30 P.M. (IST)
4. Last date & time for submitting the form and making payment without Late Fee through already created Login 24th April, 2019 upto 23:59 P.M. (IST)
5. Last date & time for filling the form and making payment with Late Fee through already created Login 02nd May, 2019 upto 23:59 P.M. (IST)
6. Last date for receipt of print out of online examination form duly filled up(PDF) 06th May, 2019
7. Date of CPT Examination 16th June, 2019 (Sunday)
8. Hosting of Correction Window -I [(without fee) will be available for one week from the date of hosting] 1st Week of May, 2019 (for one week) **
9. Hosting of Correction Window -II [(with fee) will be available upto 07th June, 2019] 4th Week of May, 2019 to 07th June, 2019. **
10. Likely date of declaration of result (icaiexam.icai.org) Around mid July 2019

સી.એ.ની એન્ટ્રન્સ એકઝામ સી.પી.ટી. જૂન 2019ની પરીક્ષાનું ફોર્મ ભરવા માટેની વિગતો

http://icaiexam.icai.org/Announcements/Guidance_Notes_CPT_June2019.pdf

સી.પી.ટી. 2019માં રજિસ્ટ્રેશન કરાવવા માટેની લિંક ક્લીક કરો

http://icaiexam.icai.org/index1.php#

 

April 5, 2019
congress.jpg
1min5340

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે ટેલિવિઝન છે, પણ વિઝન ન હોવાનો ટોણો કૉંગ્રેસે ભાજપ સરકારને માર્યો હતો. કૉંગ્રેસનાં પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ પત્રકારોને જણાવ્યું હતું કે ભાજપ સરકારનું નબળું પ્રદર્શન એ દર્શાવે છે કે મોદી પાસે ટેલિવિઝન છે, વિઝન નથી.

સશસ્ત્ર સેનાને આપવામાં આવેલા ખાસ પાવર્સ માટેના અફસ્પા કાયદામાં ફેરફાર મામલે ભાજપે કૉંગ્રેસની કરેલી ટીકાને વખોડતા પ્રિયંકાએ જણાવ્યું હતું કે પોતાનો પક્ષ આ મામલે ફક્ત સમીક્ષા કરવા માગે છે અને એ માટે ચર્ચા કરવા માગે છે. આ સાથે પ્રિયંકાએ એવો આક્ષેપ કર્યો હતો કે ભાજપના શાસનમાં અમીરો વધુ અમીર અને ગરીબો વધુ ગરીબ બન્યા છે, પણ કૉંગ્રેસના જાહેરનામામાં ખેડૂતો, મહિલાઓ, યુવાનો ને અન્ય વર્ગને ન્યાય અપાવવાની વાત કહેવામાં આવી છે.