CIA ALERT

Alert Archives - Page 382 of 519 - CIA Live

April 18, 2019
kamal-haasan-mk-stalin.jpg
1min5490

સત્તાધારી એઆઇએડિએમકેએ બુધવારે ચૂંટણીપંચનો સંપર્ક સાધીને ફરિયાદ કરતા જણાવ્યું હતું કે ડિએમકેના પ્રમુખ એમ કે સ્ટાલિને પ્રચાર બંધ કરવાના સમય દરમિયાન મીડિયાને સંબોધીને આડકતરી રીતે પ્રચાર કર્યો હતો અને એ રીતે આચારસંહિતાનો ભંગ કર્યો હતો. આ સિવાય પક્ષ તરફથી મુખ્ય ચૂંટણી અધિકારી સત્યબ્રત સાહુને એમએનએમના સ્થાપક કમલ હાસને મૂકેલી ચોક્કસ જાહેરાત સહિત અન્ય અનેક ફરિયાદો કરી હતી.

પક્ષના પ્રવક્તા આર એમ બાબુ મુરગાવેલે જણાવ્યું હતું કે સ્ટાલિને એક ખાનગી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં અન્ય પક્ષના નેતાઓને વખોડયા હતા અને એ આચારસંહિતાનું સ્પષ્ટ ઉલ્લંઘન કર્યું ગણાય. પ્રચાર બંધ કરવાના સમય મંગળવારે સાંજે 6 વાગ્યાથી શરૂ થયો હતો અને સ્ટાલિનનો ઉદ્દેશ મીડિયાને સંબોધીને આડકતરી રીતે પ્રચાર કરવાનો હતો.

આ સિવાય ડિએમકેના નેતા પાસેથી મોટા પ્રમાણમાં રોકડ મળી આવ્યા બાદ ચૂંટણીપંચે વેલ્લોર બેઠક માટેની 18મી એપ્રિલની ચૂંટણી રદ કરી હતી અને એ વખતે સ્ટાલિને ચૂંટણીપંચને વખોડયું હતું. એ વખતે પણ સ્ટાલિને આચારસંહિતાનો ભંગ કર્યો હોવાની ફરિયાદ પણ પક્ષ દ્વારા કરવામાં આવી હતી. કાંચીપુરમમાં સ્ટાલિને મતદારોને નૉટ લઇને મત આપવાની હાકલ કરી હતી. એ પણ આચારસંહિતાનો ભંગ કર્યો ગણાય.

કમલ હાસનના પક્ષ તરફથી 16મી એપ્રિલે અખબારોમાં આપવામાં આવેલી જાહેરાતમાં ન હોવા જોઇએ એવા ફોટાઓ હોવાથી કમલને એ જાહેરાતો બંધ કરવા માટેનો આદેશ આપવાની માગણી પણ ચૂંટણીપંચ સમક્ષ પક્ષે કરી હતી.

April 17, 2019
jet.jpg
1min6760

આર્થિક ભીંસમાં સપડાયેલી જૅટ ઍરવેઝની ઇન્ટરનેશનલ ફલાઇટ્સની સર્વિસ અચાનક બંધ થયા બાદ લોકોની વેકેશનની યોજના પડી ભાંગી છે. છેલ્લી ઘડીએ એડવાન્સમાં બુક કરાવેલી ફલાઇટની ટિકિટો રદ થતા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની ખાનગી કંપનીઓએ તેના ભાવમાં એકાએક વધારો કરતા અનેક પ્રવાસીઓની મુશ્કેલી વધી ગઇ છે. હાલમાં વેકેશનની સિઝન ચાલુ હોવાથી ફલાઇટની ટિકિટોના ભાવ આસમાને પહોંચ્યા છે તેમ જ અન્ય ઍરલાઇન્સના ભાડા પણ તુલનામાં વધુ છે, તેને કારણે ટ્રાવેલ્સ કંપનીઓએ તેના ટૂરના પૅકેજના ભાવ વધારી દીધા છે. પરિણામે લોકોને તેના ખિસ્સામાંથી વધુ પૈસા ચૂકવવા પડી રહ્યા હોવાથી તેમનું આર્થિક બજેટ પણ ખોરવાયું છે.

એપ્રિલથી જૂન મહિનો એ વેકેશનનો સમયગાળો હોય છે. શાળા-કૉલેજમાં રજા હોવાથી મોટા ભાગના લોકો સહપરિવાર બહારગામ અથવા દેશ-વિદેશમાં પોતાની મેળે અથવા ટૂર્સ એન્ડ ટ્રાવેવ્સ મારફત ફરવા માટે જતા હોય છે. આ સમયગાળામાં પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં લઇને ફલાઇટની ટિકિટો પણ પ્રમાણમાં મોંઘી થાય છે. તેને કારણે અનેક લોકો અગાઉથી જ ફલાઇટની ટિકિટ બુક કરાવીને રાખતા હોય છે, જેથી કરીને તેમને વધુ પૈસા ન ચૂકવવા પડે. જોકે, જૅટ ઍરવેઝે છેલ્લી ઘડીએ ઇન્ટરનેશનલ ફલાઇટ્સ રદ કરતા અનેક પ્રવાસીઓની વેકેશનની યોજના અટવાઇ પડી છે. અનેક લોકો પર બહારગામ પહોંચ્યા પછી પાછા ફરવા માટે મોંઘી ટિકિટ ખર્ચવાની નોબત આવી છે.

આ અંગે એક પર્યટન કંપનીના જણાવ્યા અનુસાર પર્યટન કંપનીઓ એકસાથે અનેક પર્યટકોની વિમાનની ટિકિટ આરક્ષિત કરતી હોય છે. એવામાં છેલ્લી ઘડીએ ફલાઇટ રદ થતા નવેસરથી ટિકિટ કાઢવાનું ખર્ચાળ પડે છે. ટૂરના ખર્ચમાં વધારો થતા અમારે પણ પર્યટકો પાસેથી પૈસા વસૂલવા પડે છે. જો એમ ન કરીએ તો અમારે નુકસાન વેઠવાનો વારો આવે. જૅટની પરિસ્થિતિનો ફટકો આગામી એકાદ બે વર્ષ સુધી પર્યટન વ્યવસાય પર પડવાની શકયતા છે.

દરમિયાન એક પ્રવાસીએ તેનો અનુભવ જણાવતા કહ્યું હતું કે સિંગાપુર જવા માટે જૅટની ટિકિટ 27 હજાર રૂપિયામાં મળે છે. જોકે, આવી પરિસ્થિતિમાં ઍર ઇન્ડિયા અને સિંગાપુર ઍરલાઇન્સની ટિકિટ છેલ્લી ઘડીએ 72 હજાર રૂપિયા પર ગઇ. તેને કારણે બીજી કંપનીના વિમાન મારફત ચેન્નઇ દ્વારા પ્રવાસ કરવો પડ્યો. સવા પાંચ કલાક માટે 12 કલાક પ્રવાસ કરીને હાલાકી ભોગવવી પડી હોવાથી પ્રશાસન સામે આક્રોશ વ્યકત કર્યો હતો.

April 17, 2019
mitish_modi_pic.jpg
1min13350

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCI)ના ભાવિ વાઇસ પ્રેસિડેન્ટ માટે આગામી તા.21મીએ યોજાનારી ચૂંટણીમાં મજબૂત ઉમેદવાર તરીકે ઉભરી આવેલા શહેરના જાણીતા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ મિતિષકુમાર સન્મુખલાલ મોદી શહેરના ઉદ્યોગોને કનડતા પ્રશ્નો, સમસ્યાઓ ખાસ કરીને જીએસટીને સ્પર્શતા મુદ્દાઓના નિરાકરણ માટે ટ્રબલ શૂટર બની શકે તેમ છે. ટેક્સેશન વિષયમાં એક્સપર્ટ તરીકે જાણીતા મિતિષ મોદી ટેક્સટાઇલ, ડાયમંડ, એન્જિનિયરિંગ, ફૂડ એન્ડ એગ્રો, કેમિકલ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી, રીયલ એસ્ટેટ, બાંધકામ ઉદ્યોગ વગેરેની ભૂતકાળની સમસ્યાઓ દરમિયાન પણ ઉપયોગી સૂચનો કરી ચૂક્યા છે. આમેય હાલમાં મિતિષ મોદી સ્થાનિક ઉદ્યોગપતિઓ અને તંત્રવાહકો વચ્ચે સમજૂતિ માટે કડીરૂપ બની રહ્યા છે.

સી.આઇ.એ. લાઇવ સાથે વાતચીત દરમિયાન મિતિષ મોદીએ જણાવ્યું હતું કે તેઓ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCI) નેશનલ અને ઇન્ટરનેશનલ સ્તરે લઇ જવા માટે કટિબદ્ધ છે. તેઓ માને છે કે દક્ષિણ ગુજરાતમાં ચેમ્બરએ અલગ ભાત પાડી છે હવે સમય આવી ગયો છે કે ચેમ્બરના વહીવટને આંતર રાષ્ટ્રીય ફલક પર લઇ જવામાં આવે અને તે માટે હું સતત પ્રયાસો કરીશ.

મિતિષ મોદીનું સૌથી મોટું જમા પાસું એ છે કે તેઓ ક્યારેય કોઇપણ વિવાદમાં આવ્યા નથી. બિનવિવાદી વ્યક્તિત્વ, મૃદુભાષી એવા મિતિષભાઇ મોદી માટે કહેવાય છે કે સ્વયંભુ ઉદ્યોગપતિઓ સમર્થન આપી રહ્યા છે. 1992માં મિતિષ મોદી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCI)માં મેનેજિંગ કમિટીમાં જોડાયા બાદ સતત સક્રિય રહ્યા અને ગત તા.17-18 વર્ષ માટેની ચેમ્બરની ટેક્સેશન કમિટીમાં તેઓએ ચેરમેન તરીકે અનેક મુદ્દાઓમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી છે.

સ્પષ્ટ વક્તા હોવાના કારણે મિતિષ મોદી સૌને સ્વીકાર્ય બની રહ્યા છે. સૌને સાથે લઇને ચાલવાની કાબેલિયત અને ક્ષમતા ધરાવતા મિતિષ મોદી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCI) વાઇસ પ્રેસિડેન્ટ બન્યા બાદ તમામ ઉદ્યોગોના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે આયોજનબદ્ધ આગળ વધવાની યોજના ધરાવી રહ્યા છે.

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ઉપપ્રમુખ પદ માટે ના મજબૂત ઉમેદવાર શિક્ષિત – વિઝનરી – ડેડીકેટેડ -સૌને સાથે લઈને ચાલનારા – નામાંકિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એવા મીતીશ એસ. મોદી ના ચૂંટણી કાર્યાલયનું ચેમ્બરના સભ્યો ની હાજરીમાં એક માત્ર જંગી બહુમતીના એજન્ડા ના ઉદઘોષ સાથે દીપ પ્રાગટ્ય એપીએમસીના ચેરમેન શ્રી રમણભાઈ જાની ના હસ્તે કરવામાં આવ્યું.

April 17, 2019
dinesh_navadia_pic.jpg
1min7120

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCI)ના ઉપપ્રમુખ પદ માટે આગામી તા.21મી એપ્રિલે યોજાઇ રહેલા મતદાન પૂર્વે હીરા ઉદ્યોગપતિ એક વિઝનરી લિડર તરીકે ઉભરી રહ્યા છે. ભવિષ્યમાં સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCI) કેવી રીતે વર્કિંગ કરશે એ અંગે સ્પષ્ટ વિઝન સાથે તેઓ મતદારોને મળી રહ્યા છે. દિનેશ નાવડીયા હાલમાં જીજેઇપીસીના ચેરમેન છે, અગાઉ તેઓ ડાયમંડ એસોસીએશન ઉપરાંત વરાછાની અનેક મોટી સંસ્થાઓમાં વહીવટકર્તા રહી ચૂક્યા છે. આમ એક સંસ્થાને લિડરશીપ પૂરી પાડવાનો અનુભવ દિનેશ નાવડીયાને એક વિઝનરી વ્યક્તિત્વ તરીકે પ્રોજેક્ટ કરે છે. ડાયમંડ ઉદ્યોગ સાથે બાંધકામ ઉદ્યોગ અને ટેક્સટાઇલ ઉદ્યોગને ચોક્કસ દિશા આપવામાં તેમની વિચારધારા અને ભાવી રણનીતિ ચેમ્બરના ઉદ્યોગપતિઓને પ્રભાવિત કરી રહી છે.

ઉમેદવારી અંગે ભ્રામક સ્થિતિ ઉભી કરવામાં આવી રહી છે

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCI)ના ઉપપ્રમુખ પદની યોજાઇ રહેલી ચૂંટણીમાં એક એવી હવા ઉભી કરવામાં આવી છે કે તટસ્થ ઉમેદવાર દિનેશ નાવડીયાની મેનેજિંગ કમિટીની મિટીંગોમાં પૂરતી હાજરી ન હોઇ, તેમની ઉમેદવારી રદ કરવામાં આવે. હકીકતમાં આ મુદ્દા પર હજુ સુધી ચૂંટણી કમિટીએ કોઇ નિર્ણય લીધો નથી પરંતુ, દિનેશ નાવડીયા સામે ઇરાદાપૂર્વક એક ઝુંબેશ ચલાવવામાં આવી છે. હકીકતમાં તેમનું ઉમેદવારીપત્ર ચૂંટણી કમિટીએ કાયદેસર રીતે મંજૂર કર્યું છે. નીતિન ભરૂચાએ દિનેશ નાવડીયા સામે કરેલી ફરીયાદ પરત્વે ચૂંટણી કમિટીએ હજુ સુધી કોઇ જ નિર્ણય કર્યો નથી. દિનેશ નાવડીયા ખેલદીલીપૂર્વક ચૂંટણી લડી રહ્યા છે અને એ અટલ ઉમેદવાર તરીકે છેવટ સુધી લડી લેશે.

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (SGCCI)ના ઉપપ્રમુખ પદની હાલ યોજાઇ રહેલી ચૂંટણીમાં તટસ્થ ઉમેદવાર તરીકે જાણીતા ડાયમંડ ઉદ્યોગના અગ્રણી દિનેશભાઇ નાવડીયા માટે હાલ અનુકૂળ વાતાવરણ સર્જાય રહ્યું છે. હીરા ઉદ્યોગ ઉપરાંત બાંધકામ ઉદ્યોગ, ટેક્સટાઇલ ઉદ્યોગ, સર્વિસ ક્ષેત્ર વગેરેમાંથી આગેવાનો તેમના સમર્થનમાં અને પ્રચારમાં મંડી પડ્યા છે.

તા.17મી એપ્રિલ 2019ની સવારે ચેમ્બર ઓફ કોમર્સની ઉપપ્રમુખ પદની ચૂંટણીના ઉમેદવાર શ્રી દિનેશભાઈ નાવડિયાએ પોતાના સમર્થકોની સાથે ઈચ્છાનાથ સ્થિત એસ.વી.એન.આઈ.ટી. કોલેજથી જનસંપર્ક અભિયાન શરૂ કર્યું હતું. જેને બહોળો પ્રતિસાદ સાંપડ્યો હતો.

મંગળવાર, તા. ૧૬ એપ્રિલ, ૨૦૧૯ ના રોજ રાત્રે ૯ કલાકે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજની વાડી, વરાછા રોડ, સુરત ખાતે ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ પદની ચૂંટણીના ઉમેદવાર શ્રી દિનેશભાઈ નાવડિયાના સમર્થનમાં જાહેર સભા મળી હતી.

જેમાં ડાયમંડ, ટેક્ષટાઈલ, રીયલ એસ્ટેટ તેમજ અન્ય ધંધા – ઉદ્યોગના પ્રતિનિધિઓએ મોટી સંખ્યામાં હાજરી આપી શ્રી દિનેશભાઈ નાવડિયાને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. આ સભામાં વિવિધ ઉદ્યોગના અગ્રણી હાજર રહ્યા હતા. જેની યાદી નીચે મુજબ છે.

• ટેક્ષટાઈલ ઉદ્યોગના અગ્રણીઓ

શ્રી ભરતભાઈ ગાંધી – ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખશ્રી

શ્રી પ્રફૂલ્લભાઈ શાહ – ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખશ્રી

શ્રી રસિકભાઈ કોટડિયા

શ્રી અશોકભાઈ જીરાવાલા – ફોગવાના પ્રમુખ

શ્રી પ્રવિણભાઈ ડોંગા – માંગરોળ તાલુકા ઇન્ડ. એસો.ના મંત્રી

શ્રી સંજયભાઈ દેસાઈ

શ્રી મહેન્દ્રભાઈ રામોલિયા – સચીન ઇન્ડ. સોસા.

• રીયલ એસ્ટેટ ઉદ્યોગના અગ્રણીઓ

શ્રી વેલજીભાઈ શેટા – નેશનલ ક્રેડાઈના પ્રતિનિધિ

શ્રી જસમતભાઈ વિડીયા – સુરત ક્રેડાઈના ચેરમેન

શ્રી વિજયભાઈ ધામેલિયા – સુરત ક્રેડાઈના મંત્રી

શ્રી કેયુરભાઈ ખેની – અગ્રણી બિલ્ડર

• ડાયમંડ ઉદ્યોગના અગ્રણીઓ

શ્રી સી.પી. વાનાણી – સુરત ડાયમંડ એસોસીએશનના ભૂતપૂર્વ પ્રમુખ

શ્રી દેવશીભાઈ ભડિયાદરા – સુરત ડાયમંડ એસોસીએશનના ભૂતપૂર્વ પ્રમુખ

• ચેમ્બર ઓફ કોમર્સના અગ્રણીઓ

શ્રી બી. એસ. અગ્રવાલ – ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખશ્રી

શ્રી કાનજીભાઈ ભાલાળા – વરાછા કો.ઓપ. બેંકના ચેરમેન

શ્રી હરિભાઈ કથિરીયા – લોક સમર્પણ રક્તદાન કેન્દ્રના પ્રમુખ

શ્રી નિખિલભાઈ મદ્રાસી – માજી માનદ્ મંત્રી

શ્રી રમેશભાઈ વઘાસીયા

શ્રી મનિષભાઈ કાપડિયા

શ્રી કમલેશભાઈ ગજેરા

શ્રી જયંતીભાઈ સાવલિયા

શ્રી ગણપતભાઈ ધામેલિયા

શ્રી પરેશભાઈ લાઠિયા

શ્રી ભરતભાઈ સોની

શ્રી અંકિત કલથિયા

• સામાજિક અને રાજકીય મહાનુભાવો

શ્રી જનકભાઈ બગદાણાવાલા – માજી ધારાસભ્ય શ્રી

શ્રી વજુભાઈ માવાણી – માજી ડેપ્યુટી મેયર શ્રી

શ્રી દિલીપભાઈ બુહા – જય જવાન નાગરિક સમિતિ

ડૉ. છગનભાઈ વાઘાણી

ડૉ. સંજય નાકરાણી

શ્રી ફારૂકભાઈ ચાંદીવાલા

માનનીય સંત શ્રી સુફી બાવા

નિખિલ મદ્રાસી

નિખિલ મદ્રાસીએ શું અપીલ કરી

તાકાત હોય તો સામી છાતીએ લડીને બતાવો. કાયદાનો આધાર લઈને તમારી અશક્તિને છતી નહિ કરો.

આપ સૌ જાણો છો તેમ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ પદની ચૂંટણી રવિવાર, તા. ૨૧ એપ્રિલ, ૨૦૧૯ના રોજ સવારે ૧૦ થી સાંજે ૫ ના સમયગાળા દરમિયાન, સુરત ઇન્ટરનેશનલ એક્ઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે યોજાવાની છે.

ડાયમંડ ઉદ્યોગના અગ્રણી શ્રી દિનેશભાઈ નાવડિયાની ઉમેદવારીને કાયદાકીય રીતે પડકારવામાં આવી રહી છે. છેલ્લી ૩ મેનેજીંગ કમિટીમાં આ મુદ્દો જોરશોરથી હું એટલે કે નિખિલ મદ્રાસી અને સંજય પંજાબીએ ઉઠાવ્યો હતો. પરંતુ છેલ્લી સભામાં અમોને એવું સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે છેલ્લી ૩ મિટીંગથી સતત જે મેનેજીંગ કમિટીના સભ્ય ગેરહાજર રહ્યા હોય તેનું મેનેજીંગ કમિટીનું સભ્યપદ બંધારણ મુજબ, આપોઆપ રદ થઈ જાય તેવી જોગવાઈનો વ્યવહારુ અમલ શક્ય નથી.

જો આ કલમનો અમલ કરવો જ હતો તો જયારે આ માંગણી કરવામાં આવી હતી. ત્યારે તેનો અમલ કેમ નહિ કર્યો? અને જયારે આજે હાર દેખાઈ રહી હોય ત્યારે આવા ત્રાગા કરવા એ શોભતું નથી.

વર્તમાન પરિસ્થિતિમાં શહેરના બે મહત્વના ઉદ્યોગો ડાયમંડ અને ટેક્ષટાઈલ, અનેક વિધ પ્રશ્નોનો સામનો કરી રહ્યા હોય તેવા સમયે આ ઉદ્યોગોના પ્રશ્નોને વાચા આપવા માટે સક્ષમ અને બાહોશ ઉદ્યોગપતિની જ જરૂરિયાત છે. તે વાત સૌએ સમજી લેવી જરૂરી છે. શહેરના તટસ્થ ૧૭ ઉદ્યોગપતિઓએ બોલાવેલી સમાધાન મિટીંગમાં આ વર્ષે શ્રી દિનેશભાઈ નાવડિયા ચૂંટણી લડે તેવો નિર્ણય લેવાતા અનેકના પેટમાં તેલ રેડાયું છે અને તેઓ વિઘ્ન સંતોષી બનીને વાતાવરણ દોહળાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આવા તત્વોને સૌએ ઓળખી લેવાની જરૂર છે અને કોઈ પણ સક્ષમ સત્તાધીશ સમક્ષ ચેમ્બરની રજૂઆત અસરકારક રીતે કરી શકે તેવા લીડર શ્રી દિનેશભાઈ નાવડિયાને જંગી બહુમતીથી ચૂંટી કાઢવા માટેની હું નમ્ર અપીલ કરું છું.

આભાર – નિખિલ મદ્રાસી

April 17, 2019
mumbai1.jpg
1min16120

લોકસભાની ચૂંટણીની તૈયારીઓ જોરશોરમાં છે, પરંતુ રાજ્યનો અને ખાસ કરીને મુંબઈનો ગુજરાતી સમાજ મૂંઝવણમાં છે અથવા તો 2014 જેવો ઉત્સાહ ગુજરાતી મતદારોમાં દેખાતો નથી. 2014માં તે સમયના ગુજરાતના મુખ્ય પ્રધાન અને વડા પ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને વડા પ્રધાનપદની ગાદીએ જોવાની ઈચ્છા દરેક ગુજરાતીને હતી અને તેથી મુંબઈના ગુજરાતીઓએ ખોબલે ખોબલે મત આપી મુંબઈની તમામ છ લોકસભા બેઠક ભાજપ-શિવસેનાને ધરી દીધી હતી, પરંતુ છેલ્લાં પાંચ વર્ષમાં સ્થાનિક નેતાઓ દ્વારા મતવિસ્તારના પ્રશ્ર્નો અને ગુજરાતીઓની કરવામાં આવેલી અવગણનાને લીધે તેઓ નિરાશ થયા છે.

નૉટબંધી અને જીએસટી બાદ પણ મોદીના નેતૃત્વ પર તેમને ભારોભાર ભરોસો છે, પરંતુ સ્થાનિક ભાજપ-શિવસેનાની નારાજગીનો ફટકો ક્યાંક યુતિને પડશે, તેવું જણાઈ રહ્યું છે. તમામ છ લોકસભા વિસ્તારોમાં વિધાનસભ્યો અને નગરસેવકો પણ મોટે ભાગે ભાજપ સેનાના હોવા છતાં કોઈ સમન્વય દેખાતો નથી. કેન્દ્ર, રાજ્ય અને મહાનગરપાલિકામાં આ બન્ને પક્ષનું વર્ચસ્વ હોવા છતાં જનતાની વાત કાને ધરાતી નથી ત્યારે ગુજરાતીઓનો મોદીપ્રેમ યથાવત્ હોવા છતાં મુંબઈગરા કોને પસંદ કરશે તે કહેવું મુશ્કેલ છે.

દક્ષિણ મધ્ય મુંબઈને બાદ કરતા તમામ પાંચ લોકસભા બેઠકમાં ગુજરાતી મતદારો નિર્ણાયક સાબિત થાય છે. આ વિસ્તારોના મરાઠી, મુસ્લિમ અને હિન્દીભાષી મત ભાજપ, શિવસેના, કૉંગ્રેસ, એનસીપી વચ્ચે વહેંચાશે, પરંતુ ગુજરાતીઓ પરંપરાગત ભાજપને પસંદ કરે છે તેમ માનવામાં આવે છે. જોકે વિવિધ વિસ્તારોના ગુજરાતી અગ્રણીઓ સાથે વાત કરતા જણાઈ રહ્યું છે કે તેઓ આ વખતે મોદીના નામે મત દેવાના મૂડમાં નથી. જોકે તેઓ અન્ય વિકલ્પો તરફ ઢળે તેવું પણ દેખાઈ રહ્યું નથી ત્યારે ગુજરાતી મતદારો ક્યાંક મતદાન જ ન કરે અથવા તો નૉટાનું બટન દબાવે તેવી સંભાવના વધારે જોવા મળે છે.

ઈશાન મુંબઈમાં મતદારોએ ‘મુંબઈ સમાચાર’ સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ વિસ્તારમાં નગરસેવકોથી માંડી સાંસદ ભાજપના હોવા છતાં પ્રશ્ર્નોનો કોઈ ઉકેલ આવ્યો નથી. રિડેવલપમેન્ટ, જાહેર ઓરગ્યની સુવિધાનો અભાવ, ડંપિંગ ગ્રાઉન્ડ, ગંદકી વગેરે પ્રશ્ર્નો ત્યાંના ત્યાં છે. જીએસટીથી વેપારીઓને પડતી મુશ્કેલીઓ અહીંના નેતાઓએ સાંભળવાની દરકાર પણ કરી નથી. મુલુન્ડથી થાણે તેમ જ ભિવંડી જનારાઓની સંખ્યા મોટા પ્રમાણમાં છે, પરંતુ વાહનવ્યવહારની કોઈ વ્યવસ્થા નથી અને રસ્તા બિસ્માર છે.

આ જ રીતે ઉત્તર મુંબઈના મતદારોના કહેવા અનુસાર રેલવે પરિસરોમાં સ્વચ્છતાનો અભાવ, ફેરિયાઓનું અતિક્રમણ, બિલ્ડરોની દાદાગીરી અને ગીચતાને લીધે ગંદકીની ભયાનક સમસ્યાઓ છે. વળી, નાના ધંધાર્થીઓને ફટકો પડ્યો છે, તે પણ એક મહત્ત્વનું કારણ બની રહેશે. ઉત્તર મધ્ય મુંબઈમાં વિલેપાર્લે, જુહૂ, અંધેરી જેવા પૉશ વિસ્તારો આવે છે. અહીં પ્રસ્તાવિત મેટ્રો ટુને લીધે લોકો નારાજ છે. લોકોને અન્ડરગ્રાઉન્ડ મેટ્રો જોઈએ છે, પરંતુ કરોડોનો ટેક્સ ઠાલવતા ઉપનગરો માટે સરકાર થોડા વધારે પૈસા ખર્ચવા તૈયાર નથી.

આ ઉપરાંત અહીં પણ ગંદકી અને અતિક્રમણની સમસ્યા વિકટ છે. ઉત્તર-પશ્ર્ચિમ મુંબઈમાં પણ સ્થાનિક મુદ્દાઓ ઉકેલાયા નથી અને સ્થાનિક સાંસદની જનતા વચ્ચે કોઈ હાજરી દેખાઈ જ નથી. મુંબઈના હૃદય સમાન દક્ષિણ મુંબઈમાં ગુજરાતીઓની ભારે સંખ્યા છે અને વેપારધંધા માટેનું પણ આ હબ છે. અહીં કોલાબા-ઝવેરી બજાર જેવા વિસ્તારોમાં સોના-ચાંદીના કારખાનાને લીધે પ્રદૂષણની સોથી મોટી સમસ્યા છે. સેસ હેઠળ આવતી ઈમારતોનું રિડેવલપમેન્ટ લગભગ અટકી પડ્યું છે. લોકો જીવના જોખમે જર્જરિત ઈમારતોમાં રહે છે. ટ્રાફિકની સમસ્યા પણ એટલી જ વિકટ છે. મેટ્રો થ્રીના કામને લીધે પડતી મુશ્કેલી અને વૃક્ષોની આડેધડ કતલથી પણ રહેવાસીઓ નારાજ છે.

તમામ પક્ષના ઉમેદવારો પોત-પોતાની રીતે ગુજરાતી મતદારોને રીઝવવાના પેતરા અજમાવી રહ્યા છે, પરંતુ કોણ કેટલું સફળ થશે, તે પરિણામ જાહેર થાય ત્યારે જ ખબર પડશે.

April 16, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5500

હિંમતનગર ખાતે આવતીકાલ તા.17 એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રચાર સભા માટે તૈયાર કરવામાં આવેલા મંડપને આજે કુદરતી વાવાઝોડાએ તહસનહસ કરી મૂક્યો હતો. પ્રસ્તુત વિડીયો દર્શાવે છે કે ગુજરાતમાં આવેલા આંધી-તૂફાનને કારણે મોદીનો સભા મંડપ બિલકુલ વેરણછેરણ બની ગયો હતો.

Video From the Facebook wall of leading Journalist of Gujarat Shri Vivek Oza..

Posted by Vivek Oza on Tuesday, 16 April 2019

April 16, 2019
gseb-1280x720.jpg
2min15480

જયેશ બ્રહ્મભટ્ટ

ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા.26મી માર્ચે લેવામાં આવનારી ગુજકેટ 2019 પરીક્ષા માટેની હોલટિકીટ આજે રિલીઝ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ પોતાની હોલટિકીટ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરીને તેની ડિટેઇલ ચેક કરી લે એ હિતાવહ છે.

ઓપ્ટોમેટ્રી, નર્સિંગ, એગ્રિકલ્ચર, ફાર્મસી વગેરે જેવા બાયોલોજી બેઝ્ડ અભ્યાસ્ક્રમો તેમજ એન્જિનિયરિંગ, ટેક્નોલોજી, ફાર્મસી, એગ્રિકલ્ચર જેવા મેથ્સ ગ્રુપ બેઝ્ડ અભ્યાસક્રમો માટે ગુજકેટ પરીક્ષા આપવી ફરજિયાત છે.

૨૬ એપ્રિલના રોજ ગુજકેટ ૧૦ વાગ્યેથી લઈને ૪ વાગ્યા દરમિયાન યોજાશે

રાજ્યની ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી ફાર્મસી તથા ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ માટે યોજાનારી ગુજકેટ માટે ૧.૩૪ લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. બોર્ડ દ્વારા ગુજકેટ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે અને હવે ટૂંક સમયમાં વિદ્યાર્થીઓને હોલ ટિકિટ ઓનલાઈન આપવામાં આવશે. ૨૬ એપ્રિલના રોજ ગુજકેટ ૧૦ વાગ્યેથી લઈને ૪ વાગ્યા દરમિયાન યોજાશે. આ વખતે પણ ગુજકેટ આપનારા બી ગ્રૂપના વિદ્યાર્થીઓ વધુ છે. આ વર્ષે ગુજકેટની તારીખ ચાર વાર બદલાઈ હતી.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજેકટ ૨૬ એપ્રિલના રોજ લેવાશે. ગુજકેટ માટે કુલ ૧૩૪૮૪૬ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જેમાં એ ગ્રૂપના ૫૬૯૧૩, બી ગ્રૂપના ૭૭૪૭૮ અને એબી ગ્રૂપના ૪૫૫ વિદ્યાર્થીઓ છે. ગુજકેટ ડિગ્રી એન્જિનિયરિંગ ઉપરાંત ડિગ્રી ફાર્મસી અને ડિપ્લોમા ફાર્મસી માટે લેવાશે. ગુજકેટ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની કાર્યવાહી પૂર્ણ થયા બાદ હવે બોર્ડ દ્વારા હોલ ટિકિટ તૈયાર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. જેથી ટૂંક સમયમાં બોર્ડ વેબસાઈટ પર ગુજકેટની હોલ ટિકિટ મૂકાશે.ગુજકેટમાં સવારે ૧૦થી લઈને ૧૨ સુધી ફિઝિક્સ અને કેમિસ્ટ્રીનું સંયુક્ત પેપર પૂછાશે. ત્યારબાદ એક કલાકનો બ્રેક આપવામાં આવશે. બપોરે ૧ વાગ્યાથી ૨ વાગ્યા દરમિયાન બાયોલોજીનું પેપર પૂછાશે અને ફરી એક કલાકનો બ્રેક અપાશે. ત્યારબાદ બપોરના ૩ વાગ્યાથી ૪ વાગ્યા દરમિયાન ગણિતની પરીક્ષા લેવામાં આવશે. ગુજકેટ જિલ્લા મથકો પર લેવાનું આયોજન કરાયું છે.

How to Download Hall Ticket?

Gujarat Secondary and Higher Secondary Education Board (GSEB) has released the admit card for Gujarat Common Entrance Test (GUJCET) 2019 on its official website. The candidates who have applied for the GUJCET 2019 can visit the official website of GSEB- gsebht.in- to check and download their admit card.

The GUJCET 2019 would be conducted on April 26, 2019. Candidates can obtain their GUJCET 2019 admit cards either from the official website or from the direct link provided below.

Direct link to download GUJCET 2019 admit cardHow to download the GUJCET 2019 admit card

1. Go to the official website of GSEB- gsebht.in

2. On homepage, click on the link which reads “GUJCET 2019 Admit Card”

3. A login based page will open on your browser

4. Enter your Roll number, Date of Birth, and password

5. Your admit card for GUJCET 2019 will be displayed on the screen

6. Download and take a print out of your GUJCET 2019 for the future needs

GUJCET is an entrance exam to get admission for the undergraduate course in various programmes in the field of Engineering Degree/Diploma & Pharmacy courses offered by the Government and Private colleges of Gujarat.

April 16, 2019
neet.jpg
4min1012

નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આગામી તા.5મી જૂન 2019ના રોજ લેવામાં આવનારી ભારતમાં મેડીકલ, ડેન્ટલ હોમિયોપેથી અને આયુર્વેદિક કોલેજમાં પ્રવેશ માટેની પરીક્ષા નીટ 2019 માટેના એડમિટ કાર્ડ એન.ટી.એ.ની વેબસાઇટ પર ડાઉનલોડ કરી શકાશે.

એન.ટી.એ. દ્વારા કહેવામાં આવ્યું છે કે પરીક્ષાર્થીઓએ સત્વરે તેમના એડમિટ કાર્ડ ડાઉલોડ કરીને તેમાં નામ, સરનામા, સેન્ટર વગેરે વિગતો ચેક કરી લેવી હિતાવહ છે.

તા.5મી મે 2019ના રોજ પરીક્ષા યોજાયા બાદ તા.5મી જૂન સુધીમાં નીટનું પરીણામ જાહેર કરી દેવામા આવશે.

National Testing Agency (NTA) has released the admit card for NEET 2019 on its official website today, i.e., April 15, 2019. Candidates who have registered for the NEET 2019 can visit the official website of NTA- ntaneet.nic.in- to check and download the answer key.

NTA has scheduled to conduct NEET 2019 on May 5, 2019, from 2.00 pm to 5.00 pm

Candidates need to enter their application number and password to obtain the NEET 2019 admit card. NTA has scheduled to conduct NEET 2019 on May 5, 2019, from 2.00 pm to 5.00 pm. Candidates are required
to bring NEET 2019 admit card on the day of examination. Candidates can download their NEET 2019 admit card either from the official website or from the direct link provided below.

Here is the direct link to download NEET 2019 admit card

The official notification reads ” The candidates (who have paid the fees as on the last date 08.12.2018) can download the eAdmit Cards of NEET (UG) – 2019 from NEET website www.ntaneet.nic.in w.e.f. 15.04.2019. The candidates are advised to download their e-admit card of NEET (UG) – 2019 using their Application Number and Password. In case, a candidate has misplaced or forgotten the Password, he/she may use the Date of Birth option given in the website.

Candidates should note that the NEET 2019 examination centre will be as same as indicated on the admit card.
It is to be noted that no candidate will be allowed to enter the examination centre without admit card. The information bulletin reads “The candidate must show, on demand, the Admit Card for admission in the Examination Hall. A candidate who does not possess the valid Admit Card shall not be admitted to the Examination Hall under any circumstances by the Centre Superintendent.”

If candidates find any issue while downloading the NEET 2019 admit card, they can send an email to neetug-nta@gov.in.

The notification further says “In case any candidate is not able to download his/her e-Admit card, he/she may send email to neetug-nta@gov.in. Such candidates must mention ‘NEET Admit Card’ in the subject line. The candidates may note that no eAdmit Card will be sent to them by post.”

How to download NEET 2019 admit card
Candidates can follow the step guide given below to download NTA NEET 2019 admit card.

1. Go to the official website of NTA- ntaneet.nic.in

2. On the homepage, click on the link which reads “NEET 2019 admit card”

3. It will direct to login based page

4. Enter your application number and password

5. Your NTA NEET 2019 admit card will be displayed on the screen

6. Download and take a print out of the NTA NEET admit card for the future use

As per the information given on the bulletin, NTA will declared NEET 2019 results by June 5, 2019.

April 16, 2019
eway_bill.jpg
1min6410

જૂનાગઢમાં નવા નાણાકીય વર્ષના પ્રારંભે જે જીએસટી વિભાગે દરોડો પાડી રૂ.227 કરોડનું બોગસ ઇ-વે બિલનું જંગી કૌભાંડ ઝડપી પાડયું હતું. જે પ્રકરણમાં પોલીસે મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી હતી. જ્યારે પૂછપરછમાં અનેક ચોંકાવનારી માહિતી સામે આવી હતી.

સૌરાષ્ટ્રના ગોંડલ અને ભાવનગરમાં કરોડોનું બોગસ બિલીંગ કૌભાંડ પકડાયા બાદ જીએસટી વિભાગની ટીમે નવા નાણાકીય વર્ષના પ્રારંભે જૂનાગઢમાં ખાદ્યતેલની 9 પેઢીઓ પર દરોડા પાડયા હતા. જે પ્રકરણમાં તપાસ કરાતા કુલ રૂ.227 કરોડનું બોગસ ઇ-વે બિલનું જંગી કૌભાંડ પકડાયું હતું. આ કામગીરી બાદ જીએસટી તંત્રએ આ કૌભાંડના માસ્ટર માઇન્ડને પકડવા કવાયત હાથ ધરી હતી જે દિલીપ મોહનભાઇ સેજપાલ હોવાનું ખુલતા તેની ધરપકડ કરી જેલ હવાલે કરાયો હતો. જીએસટી વિભાગના સૂત્રોએ જણાવ્યું કે આરેપી દિલીપ સેજપાલે જૂનાગઢ અને આજુબાજુના વિસ્તારોના મજૂરી કામ કરતા અને નાના વેપાર ધંધો કરતા વ્યક્તિઓ પાસેથી પાન કાર્ડ, આધાર કાર્ડ અને બેંકની વિગતો મેળવી લીધી હતી.

બાદમાં તેનો દુરૂપયોગ કરી જૂનાગઢમાં કુલ નવ પેઢીઓ ઉભી કરી હતી. આટલું જ નહીં તેણે આજ વ્યક્તિઓના મેળવેલા પુરાવાઓનો દુરઉપયોગ કરીને ગુજરાત રાજ્ય બહાર પણ બીજા 11 રાજ્યોમાં કુલ 15 પેઢીઓ ઉભી કરી જીએસટી નંબર મેળવી લીધા હતા. દિલીપ સેજપાલ દ્વારા કુલ રૂ.227 કરોડના ઇ-વે બીલ જનરેટ કરીને ગુજરાત રાજ્ય બહાર સીંગદાણા અને ધાણાનો માલ મોકલવામાં પણ ભૂમિકા ભજવી હતી. જેમાં કુલ 11 કરોડ જેટલા વેરાની રકમ સંડોવાયેલી છે. ઉલ્લેખનીય છે કે, જીએસટી તંત્ર દ્વારા ગઇતા.પાંચના તમામ નવ સ્થળોએ તપાસ કરાઇ હતી ત્યારે આરોપી દિલીપ સેજપાલ ફરાર હતો. જેથી જૂનાગઢમાં તેના રહેણાનક સ્થળને સીલ કરી એસઆરપી મુકી દેવાઇ હતી. ત્યારબાદ તે તપાસ અધિકારી સમક્ષ હાજર તેના નિવેદનો લઇ આ કૌભાંડમાં તેની ધરપકડ કરાઇ હતી.

મજૂરો અને નાના ધંધાર્થી પાસેથી પાનકાર્ડ સહિતની માહિતી મેળવી હતી
જીએસટી વિભાગના સૂત્રોએ જણાવ્યું કે આરોપી દિલીપે જૂનાગઢ અને આજુબાજુના વિસ્તારોમાં મજૂરી કામ અને નાના વેપાર ધંધો કરતા લોકો પાસેથી પાનકાર્ડ, આધાર કાર્ડ અને બેંકની વિગતો મેળવીને જૂનાગઢમાં નવ બોગસ પેઢીઓ ઉભી કરી હતી. આ લોકો પાસેથી લોનની લાલચ આપી વિગતો મેળવી હોવાનું જાણવા મળ્યું છે.

April 16, 2019
election19.jpg
1min12730

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાન આડે હવે માંડ અઠવાડિયાનો જ સમય બાકી રહ્યો છે ત્યારે જાહેર પ્રચાર આગામી રવિવારે સાંજે 5 વાગ્યે બંધ થઈ જશે. તે પૂર્વે ગુજરાતમાં 26 લોકસભા વિસ્તારોમાં જાહેર પ્રચારમાં વેગ આવ્યો છે. સ્થાનિક, પ્રદેશના રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતને ઘમરોળી રહ્યા છે.

છેલ્લા દિવસોમાં મતદારો પર અપેક્ષિત અસર પાડવા ભાજપ-કૉંગ્રેસ સહિતના રાષ્ટ્રીય પક્ષો, ઉમેદવારો અને કાર્યકરો મથામણ કરી રહ્યા છે. રાષ્ટ્રીય નેતાઓના ગુજરાત વ્યાપી ઝંઝાવતી પ્રવાસ શરૂ થઈ ગયા છે. કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી આજે સૌરાષ્ટ્રના પ્રવાસે હતા. અમરેલી, પોરબંદર અને જૂનાગઢ બેઠકને ધ્યાને રાખી રાજુલા પાસે તેમની સભા યોજવામાં આવી હતી. તેઓ ફરી સંભવત તા. 19મીએ ગુજરાત આવશે. જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ આજે કોડીનારના પ્રવાસે આવ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અગાઉ જૂનાગઢમાં એક સભા ગજાવી ગયા હવે અમરેલી બેઠકમાં બીજી સભા ગજાવવા તા. 18મીએ આવી રહ્યા છે. કેન્દ્રીયપ્રધાન સ્મૃતિ ઈરાની તા. 17મીએ ધોરાજીમાં રોડ-શો અને સભા માટે આવતા હોવાના અહેવાલ પણ મળ્યા હતા. ઉપરાંત અન્ય રાજ્યોના મુખ્ય પ્રધાનો અને અન્ય રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. સભા, સંમેલન, રોડ-શો વગેરે દ્વારા પ્રચારની પરાકાષ્ટા સર્જવાની રાજકીય પક્ષોની નેમ છે.