CIA ALERT

Alert Archives - Page 374 of 512 - CIA Live

April 18, 2019
mitish_modi_poster.jpg
1min10860

પોઝિટીવીટીમાં માનતા મિતિષ મોદી કહે છે કે સુરતના ઉદ્યોગોને ઝીરો એરર ટેક્સેશન અને અપગ્રેડેશનની તાતી જરૂરીયાત, જે પૂરી કરવા માટે કટિબદ્ધ છું

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વાઇસ પ્રેસિડેન્ટ પદની ચૂંટણી લડી રહેલા શહેરના જાણીતા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ મિતિષ મોદીને ઉદ્યોગપતિઓ તેમજ શહેરના વ્યવસાયિકોના જૂથો દ્વારા ઉમળકાભર્યો આવકાર મળી રહ્યો છે.

અઢી દાયકાથી શહેરમાં જાણિતા ટેક્સ કન્સલ્ટન્ટ ઉપરાંત એક્સપર્ટ ઇકોનોમિસ્ટ તરીકે ખ્યાતિપ્રાપ્ત મિતિષ મોદીની લિડરશીપ સુરતના જુદા જુદા ઉદ્યોગો જેવા કે ડાયમંડ, ટેક્સટાઇલ, કન્સ્ટ્રકશન, કેમિકલ્સ વગેરેને નવી દિશા આપી શકશે. તમામ ઉદ્યોગોને કનડતો સૌથી મોટો પ્રશ્ન ટેક્સેશન અને જીએસટી આધારિત છે, તેમાં મિતિષ મોદી ઉંડું જ્ઞાન ધરાવે છે એવી જ રીતે ભાવિ પડકારોને સ્થાનિક ઉદ્યોગો પહોંચી વળે તે માટે અપગ્રેડેશન પછી એ ટેક્નોલોજી બેઝ્ડ હોય કે ક્વોલિટી બેઝ આ તમામ વ્યવસ્થા ઉદ્યોગોને ચેમ્બર મારફતે પૂરી પાડવા માટેનું વિઝન મિતિષ મોદી ધરાવી રહ્યા છે.

મિતિષ મોદીનું માનવું છે કે સુરત એક ધંધાકીય શહેર છે, ગુજરાતનું આર્થિક પાટનગર છે અને આ શહેરની સુખ-સાહ્યબી તેના ઉદ્યોગ-ધંધા પર નિર્ભર હોય ત્યારે સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની લિડરશીપ થકી આ ઉદ્યોગો માટે કેટલાક કાયમી માઇલસ્ટોન વિકસિત કરવાની તાતી જરૂરિયાત છે.

મિતિષ મોદી સાથે તેમના સમર્થકોની વિશાળ ટીમ હાલ તો ચેમ્બરના ઉદ્યોગપતિ મતદારોમાં ઘનિષ્ઠ પ્રચાર કરી રહી છે. દરેક સ્થળે મિતિષ મોદીને આવકાર મળી રહ્યો છે કેમકે ટેક્સ એક્સપર્ટ સી.એ. તરીકે તેમની દીર્ઘકાલિન સેવાઓને કારણે ઉદ્યોગપતિઓ સાથે તેઓ વર્ષોથી નહીં દાયકાઓથી ઘરોબ ધરાવી રહ્યા છે.

April 18, 2019
nathenan.jpg
1min15260

સોશ્યલ મિડીયા પર રચ્યા-પચ્યા રહેતા આજના યુવાનોને સોશ્યલ મિડીયા અને ઇન્ટરનેટનો સદુપયોગ કેવી રીતે કરવો તેનું સૌથી શ્રેષ્ઠ જીવંત ઉદાહરણ જો કોઇ હોય તો થાઇલેન્ડમાં રહેતી 12 વર્ષની નેથાનન નામની દિકરી છે. નેથાનન યુ ટ્યુબ પર વિડીયો જોઇને મેક-અપ કરવાનું શીખી, આજે વિશ્વની સૌથી નાની વયે એક્સપર્ટ મેકઅપ આર્ટિસ્ટ બની ચૂકી છે

12 year old makeup artist buys herself a BMW

12 વર્ષની વયજૂથની છોકરીઓ મોબાઈલ, રમકડાં, એક્ટીવા, ટેબ્લેટ વગેરે અપાવવા માટે માબાપ પાસે હઠાગ્રહ કરતા હોય છે પણ થાઈલેન્ડની નેથાનન નામની એક કિશોરીએ 12 વર્ષની ઉંમરે પોતાની કમાણીથી એક બીએમડબલ્યુ લક્ઝુરિયસ કાર ખરીદી છે.

12 વર્ષની Natthananએ પોતાને જ BMW Sedan ગિફ્ટ કરી છે, ગઇ તા.9મી એપ્રિલના રોજ નેથાનનનો જન્મ દિવસ હતો અને  પોતાના જન્મદિવસે નેથાનને પોતાને જ બીએમડલબ્યુ જેવી લક્ઝરીયસ કાર ગીફ્ટ કરી છે.

નેથેનન ફક્ત થાઇલેન્ડમાં જ નહીં બલ્કે વિશ્વભરમાં સૌથી નાની ઉંમરની એક જાણીતી મેકઅપ આર્ટિસ્ટ છે. થાઈલેન્ડના ચેંટાબુરીમાં રહેતી નેથાનન ‘લંડન ફેશન વીક – 2018’માં પણ ભાગ લઈ ચૂકી છે.

રિપોર્ટ અનુસાર નેથેનન ‘લંડન ફેશન વીક’માં મેકઅપ કરનારી સૌથી ઓછી ઉંમરની મેકઅપ આર્ટિસ્ટ છે.

નેથેનને 9 એપ્રિલના દિવસે પોતાના ફેસબુક પેજ પર કાર ખરીદી હોવાની વાત શેર કરી. તે લખે છે, ‘મને જન્મદિવસ મુબારક. હું આજે 12 વર્ષની થઈ ગઈ છું. તમારા પ્રેમ અને સપોર્ટ માટે આભાર. મારા તરફથી પણ બધાને અભિનંદન.’ જણાઈ કે, નેથેનનને ફેસબુક પર 9 લાખથી વધુ લોકો ફોલો કરે છે.

સોશ્યલ મિડીયાનો સદુપયોગ કર્યો નેથાનને

12 વર્ષની ઉંમરે વિદ્યાર્થિનીઓ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વ્હોટ્સએપ પર બિનજરૂરી ચેટિંગમાં પોતાનો સમય, શક્તિ, મગજ બગાડતી હોય જોવા મળે છે, જ્યારે થાઇલેન્ડની નેથાનને ઇન્ટરનેટ અને સોશ્યલ મિડીયાનો સદુપરયોગ કર્યો છે.

તે યૂટ્યૂબના વિડીયોની મદદથી મેકઅપ કરતા શીખી છે. તેણે 7 વર્ષની ઉંમરથી સોશિયલ મીડિયા પર પોતાના મેકઅપ ટ્યૂટોરિયલ મૂકવાનું શરૂ કરી દીધું હતું. ત્યારબાદ તે લોકોની નજરમાં આવતી રહી અને ફેમસ બની ગઈ. જોકે, પ્રૉફેશનલ મેકઅપ આર્ટિસ્ટ બનવા માટે તેણે પ્રોફેશનલ મેકઅપ કોર્સિસ પણ કર્યા છે.

April 18, 2019
voting.jpg
1min5490

ભૂતપૂર્વ વડાપ્રધાન એચ ડી દેવગૌડા, દ્રમુક નેતા દયાનિધિ મારન, એ. રાજા, કનિમોઝી, મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણ, જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના ફારુક અબ્દુલ્લા, ઉત્તર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ રાજ બબ્બર, ભાજપના નેતા હેમા માલિની, બસપાના દાનિશ અલી જેવા દિગ્ગજ નેતાઓના ભાવિ દાવ પર લાગ્યા

લોકસભાની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયામાં 11મી એપ્રિલના દિવસે પ્રથમ તબક્કામાં શંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયા બાદ હવે આજરોજ તા.18મી એપ્રિલ 2019ને ગુરૂવારે સવારે 8 વાગ્યાથી દેશની લોકસભાની ચૂંટણીના બીજા તબક્કામાં મતદાન શરૂ થઇ ચૂક્યું છે. આરંભના કલાકોમાં મતદાન સાવ મંદ ગતિએ ચાલી રહ્યાના પ્રાથમિક અહેવાલો મળ્યા હતા.
બીજા તબક્કામાં આજે તા.18મી એપ્રિલના રોજ દેશના 12 રાજ્યો અને કેદ્ર શાસિત પ્રદેશ પુડ્ડુચેરીને આવરી લેતી 96 સીટ પર મતદાન યોજાઇ રહ્યું છે. જેમાં કુલ 1644 ઉમેદવારોનાં ભાવી આજે ગુરુવારે સાંજે 5 કલાકે ઇવીએમમાં કેદ થઈ જશે.
આજે બીજા તબક્કામાં જે રાજ્યોમાં મતદાન યોજાનાર છે તે પૈકી તમિળનાડુમાં સૌથી વધારે 38 સીટો પર મતદાન થનાર છે. કર્ણાટકમાં 14, મહારાષ્ટ્રમાં 10, ઉત્તરપ્રદેશમાં આઠ, આસામ, બિહાર અને ઓરિસ્સામાં પાંચ પાંચ સીટો પર મતદાન થનાર છે. આવી જ રીતે છત્તિસગઢ અને બંગાળમાં ત્રણ ત્રણ સીટ પર મતદાન થનાર છે. જમ્મુ કાશ્મીરમાં બે સીટ પર મતદાન થનાર છે. મણિપુર, ત્રિપુરા અને પોન્ડીચેરીમાં એક એક સીટ પર મતદાન શરૂ થયાના અહેવાલો મળ્યા હતા. ચૂંટણી પ્રચારનો મંગળવારના દિવસે અંત આવ્યો હતો.
April 18, 2019
mugfali-1280x720.jpg
1min6000
 
લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે મોં ધોવા જવા જેવો ઘાટ સૌરાષ્ટ્રના સીંગદાણાની નિકાસ ક્ષેત્રે સર્જાયો છે. સીંગદાણાની નિકાસમાં કટ્ટર હરીફ ગણાતા આફ્રિકન દેશ સુદાનમાં કટોકટી લાગુ થઈ છે, નિકાસ સોદા ઠપ થઈ ગયા છે. એ કારણથી ચીનની માગ સૌરાષ્ટ્રમાં આવી છે પણ મગફળીનો જંગી જથ્થો નાફેડ પાસે પડયો છે ને વેંચવા માટે હજુ ચૂંટણી પસાર થવાનું મુહૂર્ત જોઇ રહી હોઇ નિકાસની સોનેરી તક સરી પડે એવી સ્થિતિ સર્જાઈ છે.
નાફેડ પાસે ચાલુ સીઝનની આશરે 4.50 લાખ ટન મગફળી ખરીદેલી પડી છે. અગાઉ પહેલી એપ્રિલથી મગફળી વેંચવાની હતી પણ એકાએક ચૂંટણીનું કારણ આપીને 30 એપ્રિલ પહેલા વેંચશે નહીં એવી જાહેરાત થઈ છે. જોકે ચૂંટણી પછી નાફેડ ક્યારે વેંચશે તેની કોઇ તારીખો બહાર આવતી નથી પરિણામે થાળીમાં ભોજન હોવા છતાં ખાઇ નહીં શકાતો હોવાની લાગણી વેપારીઓ અને નિકાસકારો અનુભવી રહ્યા છે.
ગુજરાતમાં 23મીએ ચૂંટણી પૂરી થઈ રહી છે ત્યારે નાફેડ જેવી સહકારી સંસ્થા ઈચ્છે તો 24મીથી મગફળી વેંચી શકે પણ અકારણ 30મી સુધી વેંચવાની નથી. જોકે એ પછી પણ ક્યારે વેંચશે એ ય નક્કી નથી, તેમ દલાલ શાંતિલાલ નારણદાસના નીરજ અઢિયાએ કહ્યું હતું.
તેમના કહેવા પ્રમાણે સુદાનમાં રાજકીય કટોકટી સર્જાતા નિકાસનાં કામકાજ ઠપ થઇ ચૂક્યાં છે. આ સ્થિતિમાં સૌરાષ્ટ્ર – ગુજરાતમાંથી આશરે 500 કન્ટેઇનર (આશરે 9-10 હજાર ટન)ના સોદા થયા છે. ખુલ્લા બજારમાં આવક નથી ત્યારે નાફેડ ઉપર જ આશરો છે પરંતુ નાફેડ મગનું નામ મરી પાડતી નથી. નાફેડ ન વેંચે તો સોદા પૂરા કરવામાં મુશ્કેલી પડી જાય.
નાફેડ ન વેંચે તો નિકાસમાં માલ મોકલી શકાય તેમ નથી કારણ કે મોટાભાગનો સ્ટોક સંસ્થા પાસે છે. નાફેડ દ્વારા રાજસ્થાનમાં પણ મગફળી વેંચવામાં આવી રહી છે ત્યારે ગુજરાતમાં શા માટે વેચાણમાં વિલંબ કરાઈ રહ્યો છે તેવો સવાલ વેપારીઓ ઉઠાવી રહ્યા છે.
એક નિકાસકાર કહે છે, નાફેડ પાસે કુલ સ્ટોકમાંથી 20 ટકા ઝીણી મગફળી છે. મોટાભાગનો માલ બોલ્ડ અર્થાત જાડી મગફળીનો છે. ચીનની માગ સીધા ઉપયોગ માટે છે અને જાડો માલ મોકલી શકાય તેમ છે. જોકે ચીનમાં માલ મોકલવો હોય તો 15 મે પહેલા શિપમેન્ટ કરવા પડે તેમ છે. એ પછી ત્યાં માગ રહેતી હોતી નથી. સુદાન કટોકટીનો લાભ વહેલાસર લેવામાં આવે તો નાફેડના માલના સ્ટોક હળવા કરવામાં પણ સહાયતા મળશે અને મગફળી નિકાસ સાવ અટકેલી છે તે પણ સજીવન થશે.
ચીનમાં જાડા 40-50 કાઉન્ટમાં 1050 ડોલર અને 50-60 કાઉન્ટમાં 1000 ડોલરના ભાવથી સોદા થયા હોવાનું જાણવા મળ્યું છે. સુદાન ભારતની તુલનાએ 100-150 ડોલર સસ્તાં દાણા વેંચી રહ્યું હતું. જે અત્યારે હરીફાઇમાં નથી.
સૌરાષ્ટ્રના સીંગદાણામાં પીપાવાવ – મુંદ્રા પહોંચની શરતે જાડા દાણાનો ભાવ 50 – 60 કાઉન્ટમાં રૂ.66,000 પ્રતિ ટન હતો. 40-50માં રૂ. 67,000 હતો. બે દિવસમાં રૂ. 1000નો સુધારો થયો છે. ઝીણામાં ટીજે 80-90ના રૂ. 69,000 અને 50-60ના રૂ. 71,000 હતા. જાવા 80-90ના રૂ.70,000 અને 50-60ના રૂ. 72,000 હતા.
April 18, 2019
bangladesh.jpg
1min7080

એક વર્ષ પહેલાં અમલી બનાવવામાં આવેલી નવી ગૂડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ (જીએસટી)ની યંત્રણામાં દેશનાં એપરલ નિકાસકારોને એડ્જસ્ટ થતાં સમય લાગવાને કારણે ગત નાણાકીય વર્ષ 2018-19માં એપરલની નિકાસમાં 3.46 ટકાનો ઘટાડો થયો હોવાના અહેવાલ છે.

Workers sew plaid shirts on the production line of the Fashion Enterprise garment factory in Dhaka, Bangladesh, on Monday, April 29, 2013. Bangladesh authorities said they were accelerating rescue efforts at the factory complex that collapsed last week as hopes fade for more survivors after the nation’s biggest industrial disaster. The government has decided to constitute a panel to identify garment factories in the country at risk of collapse, cabinet secretary Hossain Bhuiyan told reporters on April 29. Photographer: Jeff Holt/Bloomberg

ગત નાણાકીય વર્ષ દેશની એપરલ નિકાસ આગલા વર્ષનાં 16.71 અબજ ડૉલર સામે ઘટીને 16.13 અબજ ડૉલરની સપાટીએ રહી હતી. જોકે, રૂપિયાના મૂલ્યની દૃષ્ટિએ નિકાસમાં 4.66 ટકાનો વધારો થયો હતો. જીએસટીની નવી યંત્રણા હેઠળ નિકાસકારોને મળતાં પ્રોત્સાહનોમાં અગાઉની વેરા યંત્રણાની સરખામણીમાં સાત ટકા જેટલો ઘટાડો થયો હતો. તેમ જ નિકાસકારોને નવી યંત્રણામાં એડ્જસ્ટ થતાં સમય લાગ્યો હોવાને કારણે નિકાસ પર વિપરીત અસર થઈ હોવાનું એપરલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે એક અહેવાલમાં જણાવ્યું હતું. જોકે, એકંદરે કૉટન યાર્ન સહિત કૉટન ટૅક્સ્ટાઈલની નિકાસમાં આગલા વર્ષની સરખામણીમાં અંદાજે 10 ટકા જેટલો વધારો થયો છે. તેમ જ કેન્દ્ર સરકારે એમ્બેડેડ ટૅક્સનાં રિઈમ્બર્સમેન્ટની જાહેરાત કર્યા બાદ માર્ચ મહિનામાં ઍપરલની નિકાસમાં પણ 15 ટકાનો ઉછાળો આવ્યો હતો. આમ આ વર્ષે એકંદરે નિકાસ પ્રોત્સાહિત થઈ હોવાનું ટેક્સપ્રોસિલે જણાવ્યું હતું.

April 18, 2019
Farmers-Suiciding.jpg
1min5650

લોકસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે ખેડૂતોની આત્મહત્યાના પ્રમાણમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. ચૂંટણીની આચારસંહિતા લાગુ થઈ ત્યારથી મરાઠવાડામાં 91 ખેડૂતે આત્મહત્યા કરી હોવાની માહિતી પ્રકાશમાં આવી હતી. ખેડૂતોનું જીવનધોરણ સુધારવા માટે લોનમાફીથી પેન્શન આપવા સુધીનાં આશ્ર્વાસનો પ્રચાર દરમિયાન નેતાઓ દ્વારા આપવામાં આવી રહ્યાં છે, પરંતુ આ જ સમયગાળા દરમિયાન આત્મહત્યા કરી રહેલા ખેડૂતો સંદર્ભે રાજકીય પક્ષો એક શબ્દ પણ ઉચ્ચારવા તૈયાર નથી. ચાલુ વર્ષે 1 જાન્યુઆરીથી 14 એપ્રિલ સુધીમાં 220 ખેડૂતે આત્મહત્યા કરી છે.

148 ખેડૂતને સરકારી મદદ આપવામાં આવી હોવા છતાં 54 પ્રકરણ અપાત્ર ઠર્યા હતા. 18 પ્રકરણની તપાસ ચાલી રહી છે. માત્ર માર્ચ મહિનામાં જ 69 ખેડૂતે આત્મહત્યા કરી હોઈ છેલ્લા પખવાડિયામાં અંદાજે બાવીસ ખેડૂતની આત્મહત્યાની ઘટના પ્રકાશમાં આવી હતી. દરમિયાન નાગઠાણે સ્થિત ખેડૂત ભિકાજી ઉર્ફે જગદીશ સંપત શેળકે (42)એ દેવાથી કંટાળી મંગળવારે બપોરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. શેળકેએ સાડાત્રણ લાખ રૂપિયાની લોન લીધી હતી.

લોનમાફીનો લાભ ન મળતાં છ ટકાને બદલે બાર ટકા વ્યાજદરે લોન ભરવાનો વારો આવતાં હતાશામાં શેળકેએ આત્મહત્યા કરી હોવાનું કહેવાય છે.

April 18, 2019
maharashtra_map.jpg
1min4990

દસમી માર્ચના લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થયા પછીના સમયગાળાથી અત્યાર સુધીમાં આચારસંહિતા ભંગ બદલ મહારાષ્ટ્ર રાજ્યમાં 15,000થી વધુ કેસ નોંધાયા હતા, જ્યારે 118.20 કરોડ રૂપિયાની માલમતા જપ્ત કરવામાં આવી હોવાનું અધિકારીએ બુધવારે જણાવ્યું હતું. મહારાષ્ટ્ર રાજ્યની પોલીસ, ઈન્કમ ટેક્સ સહિત એન્ફોર્સિંગ ડિપાર્ટમેન્ટ તરફથી રૂ. 45.47 કરોડના મૂલ્યની સોનાના દાગીના સહિતની અન્ય મૂલ્યવાન ચીજવસ્તુ જપ્ત કરી હતી, જ્યારે 22.05 કરોડનો દારૂ તથા રૂ. 6.30 કરોડનું ડ્રગ્સ પકડવામાં આવ્યું હોવાનું અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું. અલબત્ત, ચૂંટણીની આચારસંહિતાના ઉલ્લંઘન બદલ એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા કુલ 15,095 વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી, જેમાં સૌથી વધારે કેસ ગેરકાયદે દારૂના સંગ્રહ તથા હથિયાર રાખવાના કેસ હતા, એવું એડિશનલ ચીફ ઈલેક્ટ્રોલ ઑફિસર દિલીપ શિંદેએ જણાવ્યું હતું.

ગેરકાયદે વસ્તુઓ જપ્ત કરવામાં આવ્યા પછી આ બાબતમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. જો આ બધી વસ્તુ કાયદેસર હશે તો તેના મૂળ માલિકને પરત કરવામાં આવશે, નહીં તો તેમની સામે કેસ નોંધવામાં આવશે, એવું તેમણે જણાવ્યું હતું. મહારાષ્ટ્રના વિવિધ પોલીસ સ્ટેશનમાં ગેરકાયદે દારૂના વિતરણ તથા દારૂ રાખવાના 13,702થી વધુ કેસ નોંધાયા હતા, જ્યારે હથિયાર રાખવાના 602 જેટલા કેસ નોંધાયા હતા. એ સિવાયના બાકી કેસ ડ્રગ્સ તથા સોનું-રોકડના કેસ નોંધાયા હોવાનું વધુમાં જણાવ્યું હતું.

April 18, 2019
siddhu.jpg
1min14520

કોમવાદી કોમેન્ટ્સ કરીને આચારસંહિતાનો ભંગ કરવા બદલ કૉંગ્રેસના નેતા અને પંજાબના પ્રધાન નવજોતસિંહ સિદ્ધુ સામે બિહારમાં એફઆઇઆર નોંધવામાં આવી હતી.

મુખ્ય ચૂંટણીપંચ કાર્યાલયે જણાવ્યા અનુસાર ચૂંટણીપંચના ફ્લાઇંગ સ્ક્વોડની ફરિયાદના આધારે કટિહાર જિલ્લાના બારાસોઇ પોલીસ સ્ટેશનમાં સિદ્ધુ સામે એફઆઇઆર નોંધવામાં આવી હતી.

આ મામલે ઇસીઆઇને એક રિપોર્ટ પણ મોકલવામાં આવ્યો છે. આ અગાઉ ભાજપના રાજ્ય યુનિટના અધ્યક્ષ

દેવેશકુમાર સહિત ભાજપના નવ સભ્યના પ્રતિનિધિ મંડળે મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલયમાં જઇને આ મામલે એક આવેદન આપીને સિદ્ધુ સામે એફઆઇઆર કરવાની માગણી કરી હતી.

સિદ્ધુએ ચૂંટણી સભામાં મુસ્લિમોને તેઓ આ વિસ્તારમાં બહુમતીમાં હોવાથી એકજૂથ થઇને કૉંગ્રેસને મત આપે તો મોદી સરકારનું કામ તમામ થઇ જાયનું આહવાન કરીને ધર્મના નામે કૉંગ્રેસ માટે મત માગ્યા હતા.

April 18, 2019
bjp_vs_congress.jpg
1min4980

સામાન્ય સંજોગોમાં રાહુલ ગાંધીની જાહેરસભાઓમાં ‘ચોકીદાર ચોર હૈ’ના નારા ગાજતાં હોય છે, પરંતુ ગુજરાતમાં પાટણ લોકસભા મતવિસ્તારમાં પાટણમાં ભાજપની જનસસંપર્ક રેલી દરમિયાન ધસી આવેલા પાટીદાર યુવાનોએ જ ચોકીદર ચોર હૈ. ના નારા શરૂ કરી દેતા મામલો બિચક્યો હતો.

અનામત આંદોલન વખતે પાટણ જિલ્લાનું એપી સેન્ટર બનેલા અંબાજી નેળિયા ગામે ભાજપની જનસંપર્ક રેલીનો પાટીદાર યુવાનોએ વિરોધ કર્યો હતો. પાટીદાર યુવાનોએ ભાજપના પ્રદેશ મંત્રીની હાજરીમાં જ ચોકીદાર ચોર હૈ ના નારા લગાવ્યા હતા. પાટીદારાનો વિરોધનો આ વીડિયો વાઈરલ થયો છે. પાટણના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી માટે પાટણ લોકસભા બેઠકની જનસંપર્ક રેલી જ્યારે ગામના માર્ગ પરથી પસાર થઈ રહી હતી ત્યારે મોટી સંખ્યામાં પાટીદારોનું ટોળું આવી પહોચ્યું હતું અને તેમણે ભાજપની રેલીનો વિરોધ કર્યો હતો. એક તબક્કે વીડિયોમાં જોવા મળે છે કે સ્થાનિકો ભાજપના વાહનોને વિરોધ વચ્ચેથી આગળ લઈ જવાનો પ્રયાસ કરાવે છે. પાટીદાર અનામત આંદોલન વખતે પાટણમાં વિરોધનું એપી સેન્ટર રહ્યું હતું. લોકસભાની ચૂંટણી સમયે પણ પાટીદારોની નારાજગી જોવા મળી રહી છે.

April 18, 2019
modiinguj.jpg
1min6100

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પ્રચારના અંતિમ અઠવાડિયામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ ચૂંટણી સભાઓ યોજીની કૉંગ્રેસ અને રાહુલ ગાંધી તથા નહેરુ ખાનદાન પર આકરાં શાબ્દિક પ્રહારો કરીને આગામી 23મી એપ્રિલે ગુજરાતની 26 બેઠકોના યોજાનારા મતદાનમાં મોટા પાયે મતદાન કરીને ભલભલાની ગરમી કાઢી નાખવાની લોકોને અપીલ કરી હતી. તેમણે હિંમતનગર, સુરેન્દ્રનગર અને આણંદ એમ ત્રણેય ચૂંટણી સભાઓમાં પુલવામા, ઉરી તેમ જ એર સ્ટ્રાઇકના મુદ્દે કૉંગ્રેસ સામે આક્ષેપોનો મારો ચલાવ્યો હતો.

ઉત્તર ગુજરાતમા હિંમતનગરમાં પહેલી સભાને સંબોધતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, 23મી એપ્રિલે ગમે તેટલી ગરમી હોય પણ ગુજરાતીઓએ જંગી મતદાન કરીને ભલભલાની ગરમી કાઢી નાખવાની છે. વહેલી સવારથી જ મતદાન શરૂ થાય અને તડકો વધે તે પહેલાં મહત્તમ મતદાન કરજો. 2019ની ચૂંટણી ભારતના સન્માન અને સ્વાભિમાનની લડાઈ છે, ગુજરાતના ઉજ્જવળ ભવિષ્ય માટેની લડાઈ છે. આ ચૂંટણી કોણ જીતે અને કોણ હારે તેના માટે નથી તમારા સંતાનોનું ભવિષ્ય કેવું બને તેનો નિર્ણય આ ચૂંટણીમાં આપ સૌએ કરવાનો છે.

મોદીએ કૉંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યુ હતુ કે, ભૂતકાળમાં કૉંગ્રેસ દ્વારા ક્ધિનાખોરી રાખીને અમિતભાઈ શાહ સહિત અનેક પોલીસ અધિકારીઓ પર ખોટા કેસ કરીને તેમને જેલના સળિયા પાછળ ધકેલ્યા હતા. દસ વર્ષ સુધી ગુજરાતને ખેદાનમેદાન કરવા માટે જે કંઈ પણ થઈ શકે તે કૉંગ્રેસે કર્યું. શું આવા લોકોને દેશમાં રાજ કરવાની તક આપવી જોઈએ? જે લોકો જામીન પર બહાર છે, પાંચ વર્ષમાં આ ભ્રષ્ટ પરિવારને જેલના દરવાજા સુધી લઈ ગયો છું અને હવે બીજા પાંચ વર્ષ માટે આશીર્વાદ આપો તો આ પરીવારને જેલના સળિયા પાછળ જવાના દિવસો પણ આવી શકે છે. આજે કૉંગ્રેસ ગાલીબાજ થઈ ગઈ છે. જૂઠું બોલવું અને ગાળો આપવી એ કૉંગ્રેસનો રોજનો કાર્યક્રમ બની ગયો છે. હું જ્યારે ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે મને ગાળો આપવામાં કૉંગ્રેસે કોઈ કસર બાકી રાખી ન હતી.

2014માં ચાવાળો અને હવે આ વખતે ચોકીદાર ચોર છે તેવા શબ્દોનો ઉપયોગ કૉંગ્રેસ કરી રહી છે. જો ભૂલેચૂકે કૉંગ્રેસ આવશે તો ગુજરાતને ખેદાનમેદાન કરી દેશે. ચાર-ચાર પેઢીઓ નેહરુથી રાહુલ સુધી ગરીબી હટાવો…ગરીબી હટાવો…ના નારા આપી રહ્યા છે. કૉંગ્રેસ જ્યારે દેશમાંથી હટી જશે ત્યારે ગરીબી આપોઆપ હટી જશે. આજે ભારત વિશ્ર્વમાં સૌથી ઝડપથી વિકસી રહેલું અર્થતંત્ર છે. 2013માં ભારતનું અર્થતંત્ર વિશ્ર્વમાં અગિયારમાં નંબર પર હતું અને આજે ફક્ત પાંચ વર્ષના ટૂંકા ગાળામાં જ ભારતનું અર્થતંત્ર વિશ્ર્વમાં છઠ્ઠા સ્થાને પહોંચી ચૂક્યું છે. દુનિયાના પ્રથમ ત્રણ સૌથી મોટા અર્થતંત્રમાં પહોંચવાનું લક્ષ્ય ભારતીય જનતા પાર્ટીની સરકારે નિધાર્રિત કર્યું છે.