Alert Archives - Page 361 of 512 - CIA Live

May 14, 2019
saudi_fuji.jpg
1min5730
ઈરાનની ચીમકી બાદ અખાતમાં લશ્કરી હાજરી સુદૃઢ બનાવતું અમેરિકા
અખાતમાં પોતાના બે તેલ ટેન્કરોને ભાંગફોડિયા હુમલામાં નુકસાન થયાનું સાઉદી અરેબિયાએ આજે જણાવ્યુ હતું, બીજી તરફ અમેરિકા અને ઈરાન વચ્ચેની મડાગાંઠથી આ પ્રદેશમાં ઓલરેડી પ્રવર્તી રહેલો તનાવ વધુ તીવ્ર બની રહ્યો છે. અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પીઓએ મોસ્કોની તેમની આયોજિત મુલાકાત પડતી મૂકી સુધારેલા પ્રવાસ કાર્યક્રમ મુજબ ઈરાન સહિતની ‘તાકીદની બાબતે’ ફ્રેન્ચ, બ્રિટીશ અને જર્મન અધિકારીઓ સાથે ચર્ચા કરવા બ્રસેલ્સ જવાનું ગોઠવ્યા બાદ આ થયું છે.
આ ભયસૂચક હુમલાની તપાસની તહેરાને હાકલ કરી છે અને દરિયાઈ સુરક્ષા રોળી નાખવા વિદેશી ખેલાડીઓ ‘દુ:સાહસ’ આચરતા હોવા ચેતવણી આપી હતી. ઈરાનની કથિત ચીમકીઓના પ્રતિસાદરૂપે કેટલાક વ્યૂહાત્મક બી-પ2 બોમ્બર્સ તૈનાત કરવા સાથે અમેરિકાએ આ પ્રદેશમાં તેની લશ્કરી હાજરી ઓલરેડી સુદૃઢ બનાવી લીધી છે.
સંયુકત આરબ અમીરાત (યુએઈ)એ રવિવારે જણાવ્યુ હતું કે ફુજૈરાહ અમીરાત સામે વિવિધ દેશોના 4 વ્યાપારિક જહાજોને ભાંગફોડિયા કૃત્યના નિશાન બનાવાયા હતા. બે સાઉદી ટેન્કર અરબી અખાત ઓળંગવાના રસ્તે હતા ત્યારે યુએઈના સુવાંગ આર્થિક ઝોનમાં વિધ્વંસક હુમલાના નિશાન બનાવાયા હતા એમ જણાવી સાઉદી ઉર્જા મંત્રી ખાલિદ અલ-ફલીહે ઉમેર્યુ હતું કે આ બે ટેન્કરોને નોંધનીય નુકસાન’ થયું હતુ, પરંતુ કોઈ ખુવારી થઈ ન હતી તેમ તેલજથ્થો સમુદ્રમાં ફેલાયો (ઓઈલસ્પિલ) થયો નથી. બે પૈકી એક ટેન્કરમાં, અમેરિકી ગ્રાહકો માટે સાઉદી ઓઈલ ટેન્કરમાંથી ભરેલું ખનિજ તેલ હતું.
ઈરાન અવારનવાર એવી ચીમકી આપતું આવ્યુ છે કે અમેરિકા સાથેની તેની લશ્કરી અથડામણના સંજોગોમાં તે સામુદ્રધુની બંધ કરી દેશે.
યુએઈએ હુમલા માટેની જવાબદારી બદલ કોઈ પર આક્ષેપ કર્યો નથી, પરંતુ એવી ચેતવણી આપી હતી કે વ્યાપારિક કે મુલ્કી જહાજો પરના ભાંગફોડના કૃત્ય આચરવા અને જહાજ પરના લોકોના સલામતી માટે ખતરો સર્જાય એ ગંભીર બાબત છે. સાઉદી અરેબિયા,’ ઈરાક, યુએઈ, કુવૈત, કતાર અને ઈરાનની લગભગ તમામ તેલ નિકાસ-પ્રતિ દિન 1.પ કરોડ બેરલ-હોર્મઝની સામુદ્રધુનીમાંથી પસાર થતું હોય છે.
આજે ઈરાની વિદેશ મંત્રી સાથે સુષ્મા સ્વરાજની બેઠક
આજે રાતે ભારત આવી જનારા ઈરાની વિદેશ મંત્રી જાવાદ ઝરીફ આવતી કાલે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને મળશે. ઈરાનના ભારત સહિતના 8 તેલગ્રાહક દેશોને અમેરિકી પ્રતિબંધોમાંથી અપાયેલી મુકિતનો અંત આવ્યાની પશ્ચાદભૂમાં આ બેઠક યોજાઈ રહી છે. ભારત માટેની મુકિત તા. પહેલી મેએ પૂરી થવા સાથે ઈરાનમાંથી ભારતે તેલની આયાત કરવાનું નિષિદ્ધ બન્યું છે અન્યથા સરકારી કે ખાનગી માલિકીની કંપનીઓએ અમેરિકી પ્રતિબંધોનો સામનો કરવાનો રહેશે.
પુલવામામાંના હુમલા બાદ આતંકવાદ સામે લડવા બાબતે અમેરિકા ભારતની પડખે ઉભું રહ્યુ હોઈ ઈરાનના આતંકી નેટવર્કને રોળી નાખવાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિબદ્ધતામાં ભારત તરફથી ય પારસ્પરિકતાની અપેક્ષા રહે છે એમ વોશિંગ્ટને નવી દિલ્હીને જણાવી દીધું છે.
May 13, 2019
CIA_Live_Logo_New2.jpg
1min5950
જૂનાગઢમાં રાધારમણ ટેમ્પલની શાંતિપૂર્ણ રીતે ચૂંટણી યોજાઈ ગયા બાદ દેવપક્ષના એક સાધુ પર આચાર્યપક્ષના એક હરિભકતે કોઈ વાતે હુમલો કર્યાની ઘટના બનવા પામતાં બન્ને જૂથોના હરિભકતો આમને-સામને આવી જતા મામલો બિચકાયો હતો. આવા સમયે ટોળાને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કરતાં નાસભાગ મચી હતી. લાઠી ચાર્જ દરમિયાન અમુક ખાનગી ચેનલના કેમેરામેનને પણ હડફેટે લેવાતાં, સૌરાષ્ટ્ર-ગુજરાતના મીડિયા જગતમાં આ વાતના ઘેરા પડઘા પડયા છે. રાજ્યના ગૃહમંત્રી, જૂનાગઢના રેન્જ આઈજી તેમજ જિલ્લા પોલીસ વડાએ નિષ્પક્ષ તપાસના આદેશો આપી યોગ્ય કરવાની ખાતરી આપી હતી.
રાધારમણ ટેમ્પલ બોર્ડની ચૂંટણી યોજાઈ હતી. બોર્ડના 7 ટ્રસ્ટીઓની ર9 મતદાન મથકો ઉપર પોલીસ બંદોબસ્ત વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. ગૃહસ્થ વિભાગની ચાર બેઠક ઉપર 14 ઉમેદવારો મેદાનમાં હતાં. જેમા 27795 મતદારોમાંથી 12086 મતદારેએ મતદાન કરતાં 43.48 ટકા મતદાન નોંધાયું હતું.
જ્યારે સંત(ત્યાગી) વિભાગની બે બેઠકો ઉપર પાંચ ઉમેદવારો મેદાનમાં હતાં. જેમા 517 મતદારોમાંથી 282 મતદારોએ મતદાન કરતાં 54.55 ટકા મતદાન નોંધાયુ હતું. પાર્ષદ વિભાગની એક બેઠક ઉપર પાંચ ઉમેદવારો મેદાનમાં હતાં. જેમાં 236 મતદારોમાંથી 132 ઉમેદવારોએ મતદાન કરતાં 55.93 ટકા મતદાન નોંધાયું હતું. તમામ બેઠકો પર સરેરાશ 51.32 ટકા મતદાન નોંધાયું હતું. રવિવારે યોજાયેલી આ ચૂંટણીનું આજે સોમવારે મતગણતરી દરમિયાન પરિણામ જાહેર થશે.
શાંતિ રીતે પૂર્ણ થયેલી રાધારમણ ટેમ્પલ બોર્ડની ચૂંટણી બાદ’ દેવપક્ષના એક સાધુ પર આચાર્ય પક્ષના એક હરિભકતે હુમલો કરતાં પરિસ્થિતિને કાબુમાં લેવા, ટોળાને વિખેરવું જરૂરી હોય, ઉપસ્થિત પોલીસે લાઠીચાર્જ શરૂ કર્યો હતો. જે વાતમાં અમુક ખાનગી ચેનલના ફોટોગ્રાફરને પણ હડફેટે લેવાતાં મામલો વધુ તંગ બન્યો હતો. પોલીસે હુમલાખોર હરિભકતને પકડી લીધો હતો. પણ મીડિયાકર્મીને લાકડીઓ વિંઝવાની ભૂલ કરી બેસતાં આ વાતના રાજ્યભરમાં ઘેરા પડઘા પડયા છે.
લાઠીચાર્જના કવરેજ કરતાં ઈલોકટ્રોનિકસ મીડિયાના ફોટોગ્રાફરને સમજાવાતા, તેમણે પીઆઈ વાળાને ધક્કો મારતાં બંદોબસ્તમાં રહેલા પોલીસ કાફલાએ તેમના પર લાઠી વરસાદ વરસાવ્યો હતો. જેનો સખ્ત શબ્દોમાં વિરોધ અને કસુરવાર પોલીસમેનો પર પગલા ભરવાની મીડિયાજગતે માંગ કરી છે.
લાઠીચાર્જ બાબતે રાજ્યના ગૃહમંત્રી-આઈજી, જિલ્લાપોલીસ અધિકારીએ શું કહ્યું ?
રાધારમણ ટેમ્પલ બોર્ડની ચૂંટણી બાદ ચૂંટણી સ્થળે બિચકેલા મામલાની જાણ થતાંજ જિલ્લા પોલીસ વડા સૌરભસિંઘે ઘટના સ્થળે દોડી જઈને તટસ્થ તપાસની ખાતરી આપી હતી. જૂનાગઢ રેન્જ આઈજી શુભાષ ત્રિવેદીએ ઘટનાને કમનશીબ ગણાવી એસપીને તપાસનો આદેશ આપ્યો હતો. તેઓએ એવું પણ જણાવેલ કે, બનાવને તપાસી કસુરવારો સામે પગલા ભરાશે. આ તકે જિલ્લા પોલીસ’ વડાએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે લાઠીચાર્જની એક્ઝિકયુટીવ મેજિસ્ટ્રટેની મંજૂરી લેવી પડતી હોય છે. પણ સંજોગોને ધ્યાને લઈને પોલીસે આવા પગલાં ભરવાં પડતા હોય છે. જે વાત પાછળ કોઈને ટાર્ગેટ બનાવવાનો આશય હોતો નથી. બનાવ સમયે 3 ડિવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતનો કાફલો હાજર હોય, તમામના નિવેદનો લઈને વાસ્તવિકતાનો અભ્યાસ કરીને કસુરવારો સામે પગલા ભરવાની એસપી સૌરભસિંધે પત્રકારોને ખાતરી આપી હતી. દરમિયાન રાજ્યના ગૃહમંત્રીએ આ મીડિયા કર્મી પર કરાયેલા લાઠીચાર્જની તપાસના આદેશો આપ્યાની વિગતો મળી હતી.
May 12, 2019
mi-vs-csk-15th-match.jpg
1min13670

હૈદરાબાદના ગ્રાઉન્ડ ખાતે આજે તા.12મી મે 2019ની સાંજે ઇન્ડીયન પ્રિમીયર ક્રિકેટ લીગ 2019ની ફાઇનલ મેચ મહેન્દ્રસિંહ ધોનની ચેન્નઇ સુપર કિંગ્સ અને રોહિત શર્માની મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાશે.

દેશમાં લોકસભા અને આઈપીએલની ગરમાગરમી એક સાથે શરુ થઈ હતી. દેશવાસીઓએ લોકોસભાની ચૂંટણીના પરિમાણ માટે રાહ જોવી પડશે પણ આઈપીએલ 12ની સિઝનમાં બાદશાહ કોણ બનશે તેનો ફેંસલો આજે આવી જશે.

આશા અનુરુપ ચૈન્નાઈ અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમો ફાઈનલમાં પહોંચી છે. ચેન્નાઈ 8મી વખત ફાઈલનમાં પહોંચ્યું છે તો મુંબઈ ચોથી વખત ફાઈનલમાં જગ્યા બનાવી છે. બન્ને આ વખતે ત્રણ વખત જીત હાંસલ કરી છે. હવે જોવાનું એ છે કે, ચોથી વખત મેચ પર કોણ કબ્જો મેળવે છે.

May 12, 2019
cash.jpg
1min7720

સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી માહિતી હાલ ચાલી રહેલી લોકસભા ચૂંટણી 2019 દરમિયાન અત્યાર સુધી એટલે કે 6ઠ્ઠા તબક્કા અગાઉ સુધી રૂ. 812 કરોડની રોકડ ઉપરાંત દારૂ, ડ્રગ્સ, કિંમતી ધાતુ સહિત કુલ 3,370 કરોડની સંપત્તિ જપ્ત દેશ જુદા જુદા રાજયોમાંથી ચૂંટણી પંચ અને પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે. 2014 કરતાં રોકડ અને સંપત્તિની જપ્તી 2019ની ચૂંટણીમાં ડબલ થઈ છે.

પાંચ વર્ષ અગાઉ 2014ની લોકસભાની ચૂંટણી દરમિયાન જપ્ત કરવામાં આવેલી રોકડ અંગે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે 2014ની ચૂંટણીમાં 303.86 કરોડની રોકડ ઝડપાઈ હતી અને તે પૈકીની મોટાભાગની રકમ આધારભૂત પુરાવાઓ રજૂ કરાતાં એક મહિના બાદ પરત કરી દેવામાં આવી હતી. 2019ની ચૂંટણીમાં આ વખતે રોકડ, દારૂ, ડ્રગ્સ, સોના સહિતની કિંમતી ધાતુઓ અને અન્ય વસ્તુઓ સાથે કુલ 25 બિલિયનની સંપત્તિ જપ્ત થઈ છે જે 2014 કરતાં ડબલ છે.

2014માં ચૂંટણી સમયે અનેક કેસો કરવામાં આવ્યા હતા પરંતુ, એ પૈકી ફક્ત 3 કેસમાં વ્યકિતની ધરપકડ કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એન વી રમણ અને એમ એમ શાંતનાગૌદરની બૅન્ચે આ મામલે આઘાત વ્યક્ત કરતા કહ્યું હતું કે મતલબ તમે એવું કહેવા માગો છો કે સરકારે એ રકમ એક મહિનો સુરક્ષિત રાખી અને પછી પરત કરી દીધી

 

 

 

May 12, 2019
CEMENT.jpg
1min9470
  • રૂ.260નો ભાવ એક માસમાં વધી 365-370 થઇ ગયો
  • એક જ મહિનામાં સિમેન્ટના ભાવ 30થી 35 ટકા વધી ગયા
  • સમગ્ર ભારતમાં સૌથી વધુ સિમેન્ટ વપરાશ કરતા સુરત અને દક્ષિણ ગુજરાતમાં બાંધકામ ઉદ્યોગને મોટો ફટકો પડે તેવી સ્થિતિ, હજુ પણ ભાવ વધવાની શક્યતા
વિકાસનું માપદંડ ગણાતી સિમેન્ટના ભાવ આ વખતે છેલ્લા બે દાયકાની હાઇએસ્ટ સપાટીએ પહોંચી ચૂક્યા છે. હજુ એપ્રિલમાં રૂ.260 પ્રતિ ગુણે મળતી સિમેન્ટના ભાવ વિતેલા સપ્તાહે રૂ.360થી રૂ.370 સુધી પહોંચી ચૂક્યા હતા અને હજુ કહેવાય છે કે ચાલુ માસાંત સુધીમાં હજુ 10 ટકા જેટલો જંગી વધારો સિમેન્ટના ભાવમાં થાય છે. સમગ્ર ભારતમાં દક્ષિણ ગુજરાત ઝોન એવો છે જ્યાં હાલ સિમેન્ટનો સૌથી વધુ વપરાશ થઇ રહ્યો છે ત્યારે સિમેન્ટના ભાવમાં આવેલા આ તોતિંગ વધારાને કારણે બાંધકામ ઉદ્યોગને માઠી અસર પહોંચે તેમ છે. જે બિલ્ડરોએ બુકિંગ  કરી દીધા છે તેઓ કફોડી સ્થિતિમાં મૂકાય ગયા છે ક્યાં તો માર્જિન ઓછું થશે અગર તો તેમણે બાંધકામ થોડા સમય બંધ કરી દેવાની નોબત આવીને ઉભી છે.
બિલ્ડરો ક્યાં તો બુકિંગ ધારકો પાસે સિમેન્ટ ભાવ વધારો માંગશે ક્યાં તો બુકિંગ રદ કરી દેશે, બુકિંગ ધારકો પાસે પણ લડવા સિવાય કોઇ વિકલ્પ નહીં રહે, સિમેન્ટ ભાવ નજીકના ભવિષ્યમાં કાબૂમાં આવે તેવી પણ કોઇ સ્થિતિ દેખાતી નથી
ચૂંટણી પૂરી થયા પછી ગુજરાતમાં અચાનક લોકસમસ્યાઓ સપાટી પર આવી જવા પામી છે. પાણીની તંગીની તીવ્ર પરિસ્થિતિ એકાએક ચૂંટણી પછી ડોકાય અને હવે સિમેન્ટ કંપનીઓએ અભૂતપૂર્વ ભાવ વધારો ઝીકી દીધો છે. બિલ્ડર અગ્રણીઓનું કહેવું છે કે મોટા ભાગે હવે બિલ્ડરો થોડો સમય માટે બાંધકામ બંધ કરી દે તો નવાઇ નહીં કેમકે આમેય ઓછા માર્જિનથી બુકિંગ કર્યું હોય અને એમાં પણ સિમેન્ટના ભાવ એક જ મહિનામાં ત્રીસ-પાંત્રીસ ટકા જેટલા વધી જતાં બિલ્ડરો, બાંધકામ કરનારાઓની સ્થિતિ કફોડી થવા પામી છે.
સિમેન્ટના ભાવ વધારાને કારણે બિલ્ડરો અને બુકિંગ ધારકો વચ્ચે આગામી દિવસોમાં મોટી તકરાર જોવા મળે તેમ છે. મોટા ભાગની બાંધકામ સાઇટ્સ પર બિલ્ડરોએ બુકિંગ ધારકોને તેડાવવાનું શરૂ કરીને તેમને સિમેન્ટના ભાવથી વાકેફ કર્યા છે અને હવે બિલ્ડરો સિમેન્ટના ભાવ વધારો આપવા માટે બુકિંગ ધારકોને જણાવી રહ્યા છે. બીજી તરફ, બુકિંગ ધારકો એક પણ રૂપિયાનો વધારો આપવા સંમત નથી આવી સ્થિતિમાં ઘર્ષણ થવાની શક્યતાઓ નકારી શકાતી નથી. ક્યાં તો બિલ્ડર્સ સોદો ફોક કરી દેશે ક્યાં તો ગ્રાહકો તેની સામે કોર્ટમાં જાય તો નવાઇ નહીં.
રાજકોટ બિલ્ડર એસોસીએશન સિમેન્ટ કંપનીઓ સામે લડશે
સિમેન્ટ કંપનીઓ દ્વારા કરાયેલા આ ધરખમ ભાવ વધારા અંગે રાજકોટ બિલ્ડર એસોસિએશનના પ્રમુખ પરેશભાઇ ગજેરાએ મિડીયાકર્મીઓને કહ્યું હતું કે, ગુજરાત કક્ષાએ બિલ્ડર એસોસિએશન દ્વારા ગેરવ્યાજબી ભાવવધારા મુદ્દે મેઈલ મારફત જાણ કરવામાં આવી રહી છે. સિમેન્ટ કંપનીઓ દ્વારા મે મહિનાના અંત સુધીમાં ભાવ ઘટાડવામાં નહી આવે તો બિલ્ડર એસોસિએશન સિમેન્ટ કંપનીઓ સામે લડશે.
May 12, 2019
voting.jpg
1min5490

સાત રાજ્યોમાં મેનકા, અખિલેશ સહિતનાં 979 ઉમેદવારોના ભાવિનો ફેંસલો

લોકસભા ચૂંટણીનાં છઠ્ઠા તબક્કાનું આવતીકાલે 12મી મેનાં 7 રાજ્યોની 59 બેઠકો માટે મતદાન થશે. જેમાં 10.16 કરોડ મતદાતા કુલ 797 ઉમેદવારોનું ભાગ્ય નક્કી કરશે. આ તબક્કામાં ત્રિપુરાની 1 બેઠક ‘િત્રપુરા પશ્ચિમ’ માટે ફેરમતદાન કરવામાં આવશે. ત્રિપુરાની 29 વિધાનસભા બેઠક માટે 168 મતદાન કેન્દ્રો પર 11મી એપ્રિલનાં મતદાન થયું હતું. આ મતદાન રદ કરીને બીજીવાર કાલે
મતદાન થશે.
તા.12મી મે 2019ને આજે રવિવારે અભૂતપૂર્વ સુરક્ષા અને ભારે ઉત્સાહના માહોલમાં સવારે 7ના ટકોરે મતદાન શરૂ થયું હતું.’
છઠ્ઠા તબક્કામાં આશરે 10 કરોડ 16 લાખથી વધુ મતદારો ચૂંટણી મેદાનમાં રહેલા 979 ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરી રહ્યા છે’
શાંતિપૂર્ણરીતે’ મતદાન કરવા માટે એક લાખ 13 હજારથી વધારે મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. સાથે સાથે ત્રિપુરામાં પણ 168 મતદાન કેન્દ્ર સ્થાપિત કરવામાં આવ્યા છે.
આજે રવિવારે છઠ્ઠા તબક્કાની ચૂંટણીમાં બિહારમાં આઠ, ઉત્તરપ્રદેશમાં 14 સીટ પર મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં શરૂ થયું છે. દિલ્હીની તમામ સાતેય સીટ પર મતદાન નિર્વિધ્ને ચાલી રહ્યું છે.
બંગાળમાં આઠ સીટ પર મતદાન શરુ થયું છે. મધ્યપ્રદેશમાં આઠ સીટ પર મતદાન શાંતિપૂર્ણ રીતે શરૂ થયું છે.
બે તબક્કામાં હવે કુલ 118 સીટ પર મતદાન બાકી છે. આજે રવિવારે દિવસે 59 સીટ પર મતદાન થયા બાદ લોકસભાની કુલ 542 સીટ પૈકી 483 સીટ પર મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવશે.
ત્યારબાદ 19મી મેના દિવસે સાતમા અને અંતિમ તબક્કામાં મતદાન થશે.
હવે લોકસભાની ચૂંટણીની લાંબી પ્રક્રિયા પણ પૂર્ણ થવા આવી છે. લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં આવતીકાલે જે મહારથીના ભાવિનો ફેંસલો થનાર છે તેમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ, કેન્દ્રિય પ્રધાન મેનકા ગાંધી, ઉત્તરપ્રદેશ સરકારના પ્રધાન રીટા બહુગુણા તેમજ ભોજપુરી સુપરસ્ટાર’ દિનેશ લાલ નિરહુઆનો સમાવેશ થાય છે.’
May 11, 2019
urea_scam.jpg
1min699

સૌરાષ્ટ્રમાં કેશોદ, રાણાવાવ, ઉપલેટામાં ઓછા વજનની ઉઠેલી ફરિયાદો
ખાતરની થેલીઓનું વજન કરવાની પ્રક્રિયાનું વિડીયોગ્રાફી કરવા સરકારનો આદેશ
જેતપુરમાંથી ઓછા વજનવાળી ખાતરની થેલીઓ પકડાયા બાદ આ કૌભાંડ રાજ્યવ્યાપી બની જતાં સંબંધિતઓ દોડતાં થઇ ગયા છે. બીજી બાજુ શનિ અને રવિ એમ દિવસ રાજ્યભરનાં ખાતરનાં ડેપો અને વેચાણ કેન્દ્રો પર ખાતરનું વેચાણ બંધ કરવાનાં રાજ્ય સરકારે આદેશો આપ્યા છે. બે દિવસમાં પૂર્ણ તપાસ બાદ સોમવારથી પૂન: ખાતર વેચાણ શરૂ કરવાં સરકારે જણાવ્યું છે.
રાજ્યના મુખ્ય સચિવ ડો. જે. એન. સિંહે રાજ્યમાં ખાતરની થેલીઓમાં ઓછા વજન અંગેની બાબત ધ્યાનમાં આવતા જી.એસ.એફ.સી. અને જી.એન.એફ.સી.ના મેનાજિંગ ડિરેક્ટરને આ ખાતર વેચાણ રવિવાર સુધી બંધ રાખવા સુચના આપી છે.
રાજ્યની આ બે કંપનીઓના તમામ ડેપો અને વેચાણ કેન્દ્રો પર આ દરમ્યાન ખાતરના વજનની સંપૂર્ણ ચકાસણી’ વીડિયોગ્રાફી સાથે કરવાની સ્પષ્ટ સુચના પણ આપવામાં આવી છે. આ સમગ્ર પ્રકિયા સંતોષકારક રીતે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કર્યા બાદ જ સોમવારથી આ ખાતરનું વેચાણ ફરી શરૂ કરવાનો આદેશ મુખ્ય સચિવ જી.એસ.એફ.સી. અને જી.એસ. એન.સી.ને આપ્યા છે.
જામજોધપુર:
જામજોધપુરના ખેડૂત પુત્ર અને યુવા ધારાસભ્ય દ્વારા આજ રોજ કંપનીના વેચાણ કેન્દ્ર ડેપો પર રૂબરૂ જઇ જનતા અને ખેડૂતોને સાથે રાખી રેડ કરવામાં આવેલ અને ખાતરની બાચકીઓમાં ડેપો પર વજન કરતાં તમામ ખાતરની બાચકીઓમાં 200 ગ્રામથી માંડી 400 ગ્રામ વજન ઓછું બતાવવામાં આવેલ.
કેશોદ:
જૂનાગઢ, વંથલીમાં વજન બરાબર જણાવેલ પરંતુ કેશોદ ખાતર ડેપોમાં તપાસ કરતાં પાંચ બેગોમાં 300થી 580 ગ્રામ ખાતર ઓછું જણાયું હતું. આ અંગે ખેત નાયબ નિયામકએ’ ડેપો સંચાલકને નોટિસ પાઠવી, ખાતરના સેમ્પલ લઇ તપાસાર્થે સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
રાણાવાવ:
પોરબંદરના રાણાવાવ પોલીસ સ્ટેશન સામે આવેલા કિશાન સુવિદ્યા કેન્દ્ર ખાતે ખેતી અધિકારી અને ખેડૂત આગેવાનોની ઉપસ્થિતિમાં રોજકામ કરવામાં આવ્યું હતું જેમાં તપાસ કરવામાં આવતા ઓછું ખાતર જોવા મળ્યું હતું. રાણાવાવ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઇ ખીસ્તરીયા, બખરલાના ખેડૂત આવડાભાઇ ખુંટી, રાણાવાવના લખમણભાઇ દેવા વગેરેની ઉપસ્થિતીમાં રોજકામ કરવામાં આવતાં ડી.એ.ડી.માં પ00 ગ્રામ જેટલું ઓછું વજન જણાઇ આવ્યું હતું. એન.ટી.કે.માં 400 ગ્રામ જેટલું ઓછું વજન જણાયું હતું. 6 મહિના જુના સ્ટોકમાં પણ ઓછું વજન જણાયું હતું. ડી.એ.બી.ની 340 થેલી સ્ટોક નજરે ચડયો હતો જ્યારે એનપીકેની 80 થેલી પડી હતી. ખેડૂતોને 1 થેલી દીઠ 1પ રૂપિયાનું નુકશાન થયું હોવાનું જણાવાયું હતું અને તેનું રોજકામ પણ કરાયું હતું.
ઉપલેટામાં જનતા રેઇડ
ગુજરાતમાં પેક થેલીમાં રાસાયણિક ખાતર ઓછું ભરતી કરતા હોવાના અને ખેડૂતોને ઓછું ખાતર આપી કંપની દ્વારા છેતરપિંડીની ફરિયાદો ઉઠવા પામેલ છે. ત્યારે ઉપલેટામાં પણ છેતરપિંડી થતી હોવાની ફરિયાદો કોંગ્રેસ પાસે આવતા શહેર કોંગ્રેસના પ્રમુખ-કૃષ્ણકાંત ચોટાઇ, તાલુકા પંચાયતના પ્રમુખ લાબાભાઇ ડાંગર, રમણીકભાઇ લાડાણી, લખમણભાઇ ભોપાલા, કપીલભાઇ સોલંકી, કમલેશભાઇ વ્યાસ સહિતના કોંગ્રેસના આગેવાનો, કાળા નાલા પાસે આવેલ સરદાર ફર્ટિલાઇઝર્સના ડેપોએ ધસી ગયા હતા અને ખાતરની થેલીઓમાં ખાતર ઓછું હોવાની ફરિયાદો અંગે ડેપો ઉપર હાજર રહેલ મેનેજર પરમારને જાણ કરતાં તેઓએ આ થેલીઓ કંપનીમાંથી આવતી હોવાનું જણાવેલ હતું.
જામનગર:
જામનગરના રણજીત સાગર રોડ ઉપર આવેલા ખાતરના ડેપોમાં કોંગ્રેસના અગ્રણી અને લોકસભાની તાજેતરની ચૂંટણીમાં ઉમેદવાર મુળુભાઇ કંડોરિયા અને પાલભાઇ આંબલિયા સહિતના અગ્રણીઓએ ચેકિંગ કરાવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન ડીએપી ખાતરની ત્રણ બોરીમાં ઓછું વજન હોવાનું જણાયું હતું. જેમાં એક બોરીમાં 120 ગ્રામ, બીજી બોરીમાં 420 ગ્રામ અને ત્રીજી બોરીમાં 570 ગ્રામ વજન ઓછું હોવાનું માલૂમ પડયું હતું.
May 11, 2019
jkhighway.jpg
1min9770

રામબન જિલ્લામાં ભેખડો ધસી પડવાની નવેસરથી બનેલી ઘટનાને પગલે 3000 કરતા પણ વધારે વાહનો અટવાઈ ગયા હોવા વચ્ચે શુક્રવારે સતત બીજે દિવસે પણ જમ્મુ-કાશ્મીર નેશનલ હાઈવે વાહનોની અવરજવર માટે બંધ રાખવામાં આવ્યો હતો, એમ અધિકારીઓએ કહ્યું હતું.

હાઈવેસ્થિત ડિગડોલ વિસ્તારમાં કાટમાળ ખસેડવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે જ નવેસરથી ભેખડો ધસી પડવાની બનેલી ઘટનાને પગલે હાઈવે સતત બીજે દિવસે પણ વાહનવ્યવહાર માટે બંધ રાખવાની ફરજ પડી હતી, એમ તેમણે કહ્યું હતું.

ભેખડો ધસી પડવાને કારણે 2500 જેટલાં ભારે વાહનો તો 500 જેટલા હળવાં વાહનો હાઈવેના જુદા જુદા ભાગમાં અટવાઈ ગયા હતા.

કાટમાળ ખસેડવાના કામ માટે માણસો અને મશીનોને કામે લગાડવામાં આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું.

May 11, 2019
votingsign.jpg
1min4860

બારમીએ રવિવારે યોજાનારી લોકસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કાના મતદાનનું પ્રચારકાર્ય શુક્રવારે સાંજે 6.00 વાગે બંધ થયું હતું. છ રાજયોની અને દિલ્હીની 59 બેઠક માટે બારમીએ મતદાન થશે. ઉત્તર પ્રદેશની 14, હરિયાણાની 10, બિહાર, મધ્ય પ્રદેશ અને પશ્ર્ચિમ બંગાળની આઠ-આઠ બેઠક, દિલ્હીની સાત બેઠક અને ઝારખંડની ચાર બેઠક માટે મતદાન થશે. 2014માં 59માંથી ભાજપે 45, તૃણમૂલ કૉંગ્રેસે આઠ, કૉંગ્રેસે બે, સમાજવાદી પાર્ટી અને એલજેપીએ એક-એક બેઠક જીતી હતી.

દિલ્હીમાં કૉંગ્રેસના પીઢ નેતા શીલા દીક્ષિત, ઓલિમ્પિક બોક્સર વિજેન્દ્રસિંહ, કેન્દ્રીય પ્રધાન હર્ષવર્ધન, ક્રિકેટર ગૌતમ ગંભીર અને આમ આદમી પાર્ટીના આતિશી જેવા ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં નોંધાશે. ઉત્તર પ્રદેશમાં કેન્દ્રીય પ્રધાન મેનકા ગાંધી અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ મહત્ત્વના ઉમેદવાર છે.

ઉત્તર પ્રદેશમાં 2014માં ભાજપે 14માંથી 13 બેઠક કબજે કરી હતી. આઝમગઢમાં સમાજવાદી પાર્ટીના સ્થાપક મુલાયમસિંહ જીત્યા હતા.

હરિયાણામાં કેન્દ્રીય પ્રધાન કૃષ્ણપાલ ગુર્જર અને રાવ ઈંદ્રજિત સિંહ ફરી ચૂંટણી લડી રહ્યા છે.

ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રસિંહ હુડા ફરી વાર લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. 2014માં હરિયાણામાં ભાજપે આઠ બેઠક પર અને સાથી પક્ષ એમજેસીએ બે બેઠક પરથી ચૂંટણી લડી હતી, જેમાંથી ભાજપે સાત બેઠક જીતી હતી જયારે એમજેસી બંને બેઠક હારી ગયું હતું. આ બંને બેઠક પર આઇએનએલડી જીતી ગઈ હતી. કૉંગ્રેસે રોહતક પરથી હુડાના પુત્ર દીપેન્દ્ર સિંહને ફરી ઉમેદવારી આપી છે. પશ્ર્ચિમ બંગાળમાં આઠ બેઠક પર મતદાન થશે. તમામ આઠ બેઠક 2014માં ટીએમસીના કબજામાં હતી. ઝારખંડમાં ચાર, બિહારમાં આઠ, મધ્ય પ્રદેશમાં આઠ બેઠક પર મતદાન થશે. કેન્દ્રીય પ્રધાન રાધામોહન સિંહ બિહારમાંથી ચૂંટણી લડી રહ્યા છે. ભોપાલની બેઠક પર દિગ્વિજયસિંહ અને પ્રજ્ઞાસિંહ ઠાકુર વચ્ચેનો જંગ રસપ્રદ બની રહ્યો છે. 2014માં મધ્ય પ્રદેશની સાત બેઠક ભાજપ અને એક માત્ર ગુના બેઠક કૉંગ્રેસ જીતી શકી હતી. બિહારની આઠે આઠ બેઠક એનડીએ જીત્યું હતું.

May 10, 2019
surat_loksabha.png
1min7750

દાયકા પહેલાં આવેલી મંદીમાં ડેવલપરોએ 40 ટકા સુધી ઘટાડો કર્યો હતો : રેરા-જીએસટી અને ઊંચા પ્રીમિયમને કારણે માર્જિન ઘટી ગયું હોવાથી બિલ્ડરો પણ લાચાર

સુરત શહેર, અર્બન એરીયા તેમજ તેને અડીને આવેલા વિસ્તારોમાં હાલમાં બે લાખ જેટલી નવી મિલક્તો જેમાં સૌથી વધુ ફ્લેટ્સ છે, દુકાનો, ઓફિસ, રો હાઉસ, ગાળા ટાઇપ મકાનો વગેરે ખાલી પડ્યા હોવા છતાં તેના ભાવો ઘટતાં નથી. શહેરીજનોને પણ નવાઇ લાગી રહી છે કે પડ્યા પડ્યા મિલક્તો ખરાબ થઇ રહી છે, બાંધકામો સડી રહ્યા છે આમ છતાં બિલ્ડરો, ઓર્ગેનાઇઝરો મિલક્તોના ભાવ ઓછા કરીને વેચવા કેમ કાઢતા નથી. હાલ આ મુદ્દો લગભગ દરેક ધંધાદારી લોકોના સર્કલથી લઇને ફ્રેન્ડસ ગ્રુપોમાં ચર્ચાય રહ્યો છે.

દાયકા સવા દાયકા પહેલાં પણ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં જબરદસ્ત મંદી આવી હતી. એ વખતે જે રીતે નવી ખાલી મિલક્તોા ભાવમાં 40 ટકા જેવો જંગી ઘટાડો થયો હતો એવો આ વખતે થયો નથી. ફ્લેટના વેચાણમાં અત્યંત મંદી હોવા છતાં બિલ્ડરો ભાવમાં ઘટાડો કરવાને બદલે ફ્લેટો જાળવી રાખવાનું પસંદ કરી રહ્યા છે. આ પરિસ્થિતિને કારણે નાણાં લઇને બેઠેલા ઇન્વેસ્ટર્સ માથું ખંજવાળી રહ્યા છે કે તેમની પાસે સસ્તા ભાવે રોકાણની તક આવતી નથી. આવી સ્થિતિ છેલ્લા દોઢેક વર્ષથી સર્જાયેલી જોવા મળી રહી છે.

બિલ્ડરો અને ડેવલપર્સનું માર્જિન ઘટી રહ્યું છે

એક જાણીતી સંસ્થા દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં એવું જાણવા મળ્યું હતું કે રિયલ એસ્ટેટ માર્કેટ પર લગાવવામાં આવેલા ભારે વેરા અને પ્રીમિયમની ઊંચી રકમને કારણે ડેવલપરનું માર્જિન સતત ઘટી રહ્યું છે. આ બધાની વચ્ચે રિયલ એસ્ટેટ માર્કેટમાં ભારે સ્પર્ધા આવી ગઈ છે, ત્યારે ફક્ત આઠ ટકા જેવા નજીવા માર્જિનમાં ડેવલપરો ફ્લેટ વેચી રહ્યા છે અને તેથી જ ભાવમાં વધુ ઘટાડો કરવા તેઓ તૈયાર નથી.

ફાઇનાન્સ અને ઇન્ટરેસ્ટ કોસ્ટમાં વધારો, બિલ્ડરો લાઇન છોડીને અન્ય વેપારમાં નજર દોડાવી રહ્યા છે

2005થી ફાઈનાન્સ અને ઈન્ટરેસ્ટની કોસ્ટમાં અંદાજે આઠ ગણો વધારો થઈ ગયો છે,કેમ કે બિલ્ડરોને ધીમી ગતિએ થતા વેચાણને લઈને લાંબા ગાળાની લોન લેવી પડે છે. આ ઉપરાંત જમીનની કિંમતમાં નવ ગણો, મંજૂરીઓ પાછળ થતા ખર્ચમાં સાત ગણો અને ક્ધસ્ટ્રક્શન કોસ્ટમાં બમણો વધારો થતાં ડેવલપરનું માર્જિન સતત ઘટી રહ્યું છે. 2005માં એક પ્રોજેક્ટને પૂરો થતાં સરેરાશ ત્રણ વર્ષ લાગતા હતા, તેને સ્થાને હવે 6 વર્ષ લાગે છે. આ બધું મળીને પ્રોજેક્ટની 35 ટકા કિંમત થઈ જાય છે અને સૌથી મોટો ખર્ચ આ જ છે.

શહેરના મોટા ભાગના રિયલ એસ્ટેટના માંધાતાઓએ હવે બિલ્ડીંગ લાઇન પરચૂરણ લઇન થઇ ગયાનું માનીને પોતાની મૂડી મેન્યુફેક્ચરીંગ સેક્ટરમાં નાંખવાના આયોજન કર્યા હોવાનું જણાય આવે છે. બિલ્ડિંગ કન્સ્ટ્રકશનમાં કોસ્ટ વધી, મળતર ઘટ્યું અને નાના પ્લેયર્સ પણ આવી રહ્યા હોઇ હવે મોટા માંથા રિયલ એસ્ટેટમાંથી ખસી રહ્યા છે.

મિલક્તો પોતાની કિંમતે વેચવા માટે અનેક સ્કીમો બિલ્ડરોએ આપવી પડી રહી છે

આ બધા ઉપરાંત ડેવલપરો પ્રોપર્ટીની કિંમતની ચુકવણીમાં હપ્તા પાડીને આપે, ફ્લોર રાઈઝના હિસાબે વધારાની કિંમત ન વસૂલે, જીએસટી અને રજિસ્ટ્રેશન ફી ચુકવી આપે આ બધાને કારણે તેમના પર વધારાના 10-20 ટકા જેટલો બોજો પડી રહ્યો છે. અનેક ડેવલપરોએ તો તૈયાર પડેલા પોતાના ફ્લેટો વેચવા માટે 10-15 વર્ષના હપ્તાની સ્કીમ બનાવી આપી છે, જેથી તેમનું રોલિંગ અટકી ન પડે. આને કારણે પણ નફામાં કાપ મુકાઈ રહ્યો છે.

2005માં કોઈ પ્રોજેક્ટમાં ફ્લેટ બુક કરાવનારી વ્યક્તિ અને આજે એ જ પ્રોજેક્ટમાં ફ્લેટ ખરીદનારી વ્યક્તિ લગભગ સમાન કિંમત ચુકવી રહી છે તેના પરથી રિયલ એસ્ટેટ માર્કેટની હાલતનો અંદાજ આવે છે. જીએસટી અને સ્ટેમ્પ ડ્યૂટી ઉપરાંત રેરાએ પણ પ્રોપર્ટી માર્કેટ પર ગંભીર અસર કરી છે.