CIA ALERT

Alert Archives - Page 361 of 518 - CIA Live

June 6, 2019
sensex_down.jpg
1min5310

તા.6 જુન 2019ના રોજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપો રેટમાં બેઝીસ પોઇન્ટનો ઘટાડો કર્યાના નકારાત્મક પ્રત્યાઘાત શેરબજાર પર વર્તાયા હતા. બપોરે શેરબજારના ઇન્ડેક્ષ એવા ગગડ્યા હતા કે સેન્સેક્સમાં 500 પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો. IT શેરોને બાદ કરતાં તમામ સ્કેટોરલ ઈન્ડાઈસિસ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.

રિઝર્વ બેંકે ભરેલા પગલાં શેરબજારને અનુકૂળ રહ્યા નહીં અને ગુરુવાર તા.6 જુન 2019ના રોજ બપોરે શેરબજારમાં ઓઈલ-ગેસ, રિયલ્ટી, કેપિટલ ગૂડ્ઝ શેરોમાં ધૂમ વેચવાલી જોવા મળી હતી.

RBIએ રેપો રેટમાં કરેલો 0.25 ટકાનો ઘટાડો અપૂરતો લાગતાં શેરબજારમાં નિરાશા જોવા મળી હતી. રોકાણકારો નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓના વધુ એક ડિફોલ્ટને કારણે ભારે વ્યથિત થયા છે.

તા.6 જુન 2019ને ગુરુવારે બપોરે સવા બે વાગ્યે BSE સેન્સેક્સ 528.10 પોઈન્ટ્સ ગગડીને 39,555.44 પોઈન્ટ્સ નોંધાયો હતો. એવી જ રીતે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ 174.50 પોઈન્ટ્સના ઘટાડા સાથે 11847.15 પોઈન્ટ્સની સપાટી સતત નેગેટીવ ટ્રેન્ડ કરી રહ્યો હતો. BSE મિ઼ડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 1.66 ટકા અને 1.53 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા.

June 6, 2019
Gandhinagar-Gujarat.jpg
1min6470

લોકસભા ચૂંટણી 2019 માં વિજયી થનારા ભાજપના ચાર ધારાસભ્યોએ આજરોજ તા.6 જુન 2019ના રોજ ગુજરાત લેજિસ્લેટિવ એસેમ્બલીના મેમ્બર પદેથી પોતાનું રાજીનામું વિધાનસભા અધ્યક્ષ ને સુપરત કર્યું છે. ધારાસભ્ય અને સંસદ સભ્ય પૈકી કોઇ એક સભ્ય તરીકે રહી શકાય એવા નિયમ અંતર્ગત ધારાસભ્ય પદેથી ભાજપના ચારેય નેતાએ રાજીનામું આપી દેતા હવે ગુજરાત વિધાનસભામાં ભાજપાનું સંખ્યાબળ 100નું થયું છે.

રતનસિંહ ચૌહાણ પંચમહાલ બેઠક પરથી, હસમુખ પટેલ અમદાવાદ પશ્ચિમ, પરબત પટેલ બનાસકાંઠા અને ભરતસિંહ ડાભી પાટણ લોકસભા બેઠક પરથી વિજય બનતા તેમણે પોતાની વિધાનસભા બેઠકો  ધારાસભ્ય પદેથી રાજીનામું આપનારા ભાજપાના નેતાઓમાં પરબત પટેલ, હસમુખ પટેલ, રતનસિંહ રાઠોડ અને ભરતસિંહ ડાભીનો સમાવેશ થાય છે.

હવે ગુજરાતમાં ખાલી પડેલી વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે અને એ પછી રાજ્યસભાના સાંસદની બેઠક માટેની ચૂંટણીઓ યોજાશે.

 

June 6, 2019
rbi.jpeg
1min18660

વિશ્વની સૌથી મોટી કેશલેસ ઇકોનોમી બની રહેલા ભારતના બેંકીંગ ગ્રાહકોને સૌથી મોટો ફાયદો થવા જઇ રહ્યો છે. ગુરુવાર તા.6 જુન 2019ના રોજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એવો નિર્ણય કર્યો છે કે આર.ટી.જી.એસ. RTGS (Real Time Gross Settlement System) અને નેફ્ટ NEFT (National Electronic Funds Transfer) જેવા ઓનલાઇન ટ્રાન્સફરના વ્યવહારો પરનો ચાર્જ કાઢીને આ સેવાઓ બિલકુલ નિશુલ્ક કરી દેવામાં આવે. ભારતની તમામ બેંકોએ આ ફાયદો તેમના ગ્રાહકોને સીધો જ આપવો પડશે. આગામી દિવસોમાં આ અંગે રિઝર્વ બેંક બેંકોને સીધી સૂચના આપશે.

ભારતીય ગ્રાહકો બેંકીંગ વ્યવહારો ખાસ કરીને ફંડ ટ્રાન્સફરનો વધુને વધુ ઉપયોગ કરતા થાય એ હેતુથી રિઝર્વ બેંકે એ નિર્ણય લીધો છે.

આ ઉપરાંત રિઝર્વ બેંક દ્વારા એ.ટી.એમ. ATM (Automated Teller Machines) ના વ્યવહારોમાં ઇન્ટરચેન્જ ફી સ્ટ્રક્ચરને રિવ્યુ કરવા માટેની પણ કમિટીની રચના કરવામાં આવી છે. ભારતમાં ATM (Automated Teller Machines)ની સેવાઓનો વ્યાપ વિસ્તાર વધ્યો છે. ગ્રાહકો સંતોષકારક રીતે અને પહેલા કરતા વધુ પ્રમાણમાં આ સુવિધાનો ઉપયોગ કરી રહ્યા છે, પરીણામે બેંકોના કામના ભારણમાં પણ ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં એ.ટી.એમ. ATM (Automated Teller Machines)ના ચાર્જિસ અને ફીના પ્રવર્તમાન દરોને રિવ્યુ કરવા ખાસ કરીને ઘટાડવા માટે નિર્ણય લેવાય તે માટે કમિટી બનાવવામાં આવી છે.

રિઝર્વ બેંક દ્વારા ચાલુ નાણાંકીય વર્ષમાં ત્રીજી વખત રેપો રેટમાં કપાત કરવામાં આવતા હવે પછીના દિવસોમાં તેની અસર રૂપે બેંક ધિરાણ સસ્તા દરે મળવાના શરૂ થશે. રિઝર્વ બેંકએ આે તા.6 જુન 2019ના રોજ રેપો રેટમાં 25 બેઝીસ પોઇન્ટનો ઘટાડો કરીને દર 5.75 પહોંચાડ્યો છે.

June 6, 2019
electionbond.jpg
1min12230
ચૂંટણીમાં 60 હજાર કરોડના અધધધ ખર્ચના અહેવાલ,
ભાજપ-કોંગ્રેસ સહિતના’ પક્ષોએ પંચને હજી સુધી ભંડોળની વિગત આપી નથી
ભારતમાં લોકસભાની ચૂંટણીમાં અધધધ રૂા. 60,000 કરોડના ખર્ચના હેવાલે દેશમાં એક ચર્ચા જગાવી દીધી છે. આ 60,000 કરોડ પૈકી 45 ટકા ખર્ચ તો એકલા ભાજપે કર્યો હોવાનો અંદાજ મીડિયા હેવાલોમાં દર્શાવાઇ રહ્યો છે. હવે એવી વાત પણ બહાર આવી છે કે, ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ ચૂંટણી દરમ્યાન એકત્ર કરેલા ભંડોળની રકમની વિગત હજી સુધી ચૂંટણીપંચને આપી નથી.
ચૂંટણીપંચના સૂત્રોને ટાંકીને એક મીડિયા હેવાલમાં જણાવાયું હતું કે, કોઇપણ મુખ્ય રાજકીય પક્ષે મળેલા દાન અને ફંડની વિગત પૂરી પાડી નથી. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ તમામ રાજકીય પક્ષોએ’ 30 મે સુધી ચૂંટણીપંચને’ ભંડોળની રકમની વિગત આપી દેવાની હતી.
ઉલ્લેખનીય છે કે, ચૂંટણી સુધારાને લઇને કાર્યરત બિનસરકારી સંગઠન એસોસીએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) દ્વારા’ ચૂંટણી બોન્ડના વેચાણ પર રોક લગાવવા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરાઇ છે. આ અરજીની સુનાવણી દરમ્યાન અદાલતે રાજકીય પક્ષોને 30 મે સુધી તમામ વિગતો ચૂંટણીપંચને આપી દેવા આદેશ કર્યો હતો પણ હજી સુધી કોઇ રાજકીય પક્ષે એ આદેશનું પાલન કર્યું નથી.
સરકાર ચૂંટણી બોન્ડ આપનારાઓના નામ ખાનગી રાખવાના પક્ષમાં છે, જ્યારે ચૂંટણીપંચ આ નામો જાહેર કરવાના પક્ષમાં છે. એપ્રિલમાં આ મામલાની સુનાવણી દરમ્યાન એટર્ની જનરલ કે. કે. વેણુગોપાલે કહ્યું હતું કે, રાજકીય પક્ષોને નાણાં ક્યાંથી મળે છે એ જાણવાનો અધિકાર મતદારોને નથી.’
June 6, 2019
world-bank.jpg
1min5550

વર્લ્ડ બૅંકે આગાહી કરી છે કે આગામી ત્રણ વર્ષમાં ભારતના અર્થતંત્રનો 7.5 ટકાના દરથી વિકાસ થશે. મંગળવારે વર્લ્ડ બૅંકે જાહેર કરેલા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, નાણાકીય વર્ષ 2018-19માં ભારતનો આર્થિક વૃદ્ધિદર 7.2 ટકા હતો. ચીનનો આર્થિક વૃદ્ધિદર 2018માં 6.6 ટકા હતો જે 2019માં ઘટીને 6.1 ટકા અને 2020માં ઘટીને 6 ટકા થવાનો વર્લ્ડ બૅંકે અંદાજ મૂકયો છે.

વિશ્ર્વમાં સૌથી વધુ ઝડપથી અર્થતંત્રોમાં ભારત પોતાનો પ્રથમ ક્રમ જાળવી રાખશે. 2021માં ચીનનો વૃદ્ધિદર 6 ટકા અને ભારતનો 7.5 ટકા રહેશે તેવો વર્લ્ડ બૅંકના અહેવાલમાં અંદાજ મૂકવામાં આવ્યો છે. 2018-19ના ચોથા કવાર્ટરમાં ભારતનો આર્થિક વૃદ્ધિદર 5.8 ટકા હતો જે છેલ્લાં પાંચ વર્ષનો સૌથી ઓછો વૃદ્ધિદર છે. અર્થતંત્રના વિકાસદરમાં ઘટાડો થવા પાછળ સીએસઓ કૃષિ અને મેન્યુફેકચરિંગ ક્ષેત્રમાં થયેલી પીછેહઠને જવાબદાર માને છે.

ધિરાણ વૃદ્ધિ અને વ્યાજદર હળવા કરવાની નીતિ અપનાવવાથી ખાનગી ખપત અને રોકાણને લાભ થશે, તેવું વર્લ્ડ બૅંકના અહેવાલમાં ધ્યાન દોરવામાં આવ્યું છે. ભારતના શહેરી વિસ્તારોમાં ધિરાણ વૃદ્ધિ થવાથી ખપત વધી હતી, જયારે કૃષિ ઊપજોના ભાવ નીચે રહેવાથી ગ્રામીણ ખપત ઘટી હતી તેવું અહેવામાં કહેવામાં આવ્યું છે.

ઉત્પાદન ક્ષેત્રમાં ઝડપી વૃદ્ધિદર વ્યાપક રહ્યો હતો. સર્વિસ ક્ષેત્ર અને કૃષિ પ્રવૃત્તિમાં ઘટાડો નોંધાયો હતો, જયારે ઔદ્યોગિક ક્ષેત્રમાં વૃદ્ધિદર વધુ રહ્યો હતો.

વેપાર, હૉટેલ, ટ્રાન્સપોર્ટેશન અને કમ્યુનિકેશન પ્રવૃત્તિમાં ધીમી રહી હોવાથી સર્વિસ ક્ષેત્ર ઠંડું રહ્યું હતું. કેપિટલ ગુડ્સની માગ વધુ રહી હોવાથી મેન્યુફેકચરિંગ ક્ષેત્ર, બાંધકામ ક્ષેત્રમાં તેજી જોવા મળી હોવાથી ઔદ્યોગિક ક્ષેત્રમાં ઉછાળો નોંધાયો હતો.

નાણાપ્રધાન નિર્મલા સીતારામન નરેન્દ્ર મોદી 2.0 સરકારનું બજેટ પાંચમી જુલાઈએ રજૂ કરશે. નાણાપ્રધાન આર્થિક સુધારાઓને વેગ આપશે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.

June 5, 2019
neet.jpeg
1min39630

નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ આજે તા.5મી જુન 2019ના રોજ સવારે મેડીકલ અને ડેન્ટલ કોલેજોમાં પ્રવેશ માટેની પરીક્ષા નીટ 2019નું પરીણામ જાહેર કર્યું હતું.

નીટ 2019નું સરેરાશ રાષ્ટ્રીય પરીણામમાં પરીક્ષા આપનારા કુલ 100 ટકા પૈકી 56.27 ટકા વિદ્યાર્થીઓ ક્વોલિફાય થઇ ગયા છે. ક્વોલિફાય થવું એટલે મેડીકલ ડેન્ટલ કોલેજોમાં પ્રવેશ માટેની લઘુત્તમ લાયકાત (નીચામાં નીચું પરીણામ) હાંસલ કરવું.

નીટ 2019માં ગુજરાતની વાત કરીએ તો ગુજરાતનું પરીણામ સરેરાશ રાષ્ટ્રીય પરીણામ કરતા પણ 11 ટકા નીચું આવ્યું છે. ગુજરાતમાંથી 75889 વિદ્યાર્થીઓએ નીટ 2019 પરીક્ષા આપી હતી, જેમાંથી 35177 પરીક્ષાર્થીઓ ક્વોલિફાય થવામાં સફળ થયા છે. 45.09 ટકા ગુજ્જુ વિદ્યાર્થીઓ મેડીકલ અને ડેન્ટલ કોલેજોમાં પ્રવેશ માટેની લઘુત્તમ લાયકાત મેળવી શક્યા છે.

અનેક ગુજરાતીઓનું ડોક્ટર બનવાનું સપનું રોળાય ગયું, હજારો વિદ્યાર્થીઓ એક વર્ષ ડ્રોપ લઇને નીટ 2020 આપશે

  • રાજસ્થાન, દિલ્હી, હરીયાણાનું પરીણામ અવ્વલ દરજ્જાનું 
  • મહારાષ્ટ્રનું પરીણામ ગુજરાતથી પણ ઓછું ફક્ત 39 ટકા

નીટ 2019નું રાજ્યવાર પરીણામ આ મુજબ છે.

Details of NEET Results 2019

દેશભરના ટોપ 50 પરીણામ ધરાવતા વિદ્યાર્થીઓની માહિતી

 

June 5, 2019
eid.jpg
1min6450

દેશભરમાં  આજે બુધવારે, તા.5મી જુન 2019ના રોજ ઈદનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. તા.4 જુન મંગળવારની પૂર્વ સંધ્યાએ ઈદનો ચાંદ દેખાયો હતો અને અનેક સ્થળોએ ચાંદ દેખાયો હોવાની ગવાહી મળતા આજે ભારતભરમાં ઇદ ઉલ ફિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે. મુસ્લિમ બિરાદરો, પરિવારોમાં હર્ષોલ્લાસભેર ઇદની ઉજવણી થઇ રહી છે.

Eid ul fitr 2019 માટે છબી પરિણામ

આજે સવારથી જ અલ્લાહની બંદગી, નમાઝ અદા કર્યા બાદ મુસ્લિમ બિરાદરો એકબીજાને ગળે મળીને શુભેચ્છાઓ પાઠવતા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

મસ્જિદોમાં આજે ઇદની નમાઝ દરમિયાન શાંતિ અને સમૃદ્ધિની દુઆ માગવામાં આવી રહી છે.

વર્ષમાં બે વખત ઈદ મનાવવામાં આવે છે. આ ઈદને ઈદ-ઉલ-ફિત્ર ના નામથી ઓળખવામાં આવે છે જ્યારે બીજી ઈદ ઈદ-ઉલ-અઝહા અથવા બકરીઇદ ગણાય છે.

રમઝાનનો મુકદ્દસ માસ ખતમ થયા બાદ ઈદ-ઉલ-ફિત્ર મનાવવામાં આવે છે. આ દિવસે મીઠાં પકવાન અને ખાસ કરીને સેવૈયા બનાવવામાં આવે છે. સાઉદી અરબમાં એક દિવસ પહેલા જ ચાંદ દેખાયો હતો. ત્યાં 4 જૂનના રોજ ઈદ ઉજવવામાં આવી હતી.

June 5, 2019
surat_police.jpg
1min6350

સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનમાં આરોપીનાં મોત બાદ પોલીસબેડામાં ચકચાર મચી જવા પામી છે. કસ્ટોડિયલ ડેથનાં તમામ આઠ આરોપીઓ ફરાર થઈ ગયા હતા જેઓ હજુ સુધી પોલીસ પકડમાં આવી શક્યા નથી. તો આટલા દિવસો વીતી ગયા હોવા છતાં આરોપીઓની ધરપકડ ન થતાં લોકો આ મામલે પોલીસ પર સવાલો ઉઠાવી રહ્યા છે. તો કસ્ટોડિયલ ડેથ બાદ સુરત પોલીસ કમિશનરે તમામ પોલીસ સ્ટેશનો માટે એક મહત્ત્વનો નિર્ણય લીધો હતો.

કસ્ટોડિયલ ડેથ મામલે સુરતના પોલીસ કમિશનર સતીષ શર્માએ આદેશ કર્યો હતો કે, કોઈપણ પોલીસ સ્ટેશનમાં આરોપીઓની ધરપકડ વગર લોકઅપમાં નહીં રાખી શકવામાં આવે અને જો આરોપીને ધરપકડ વગર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવશે તો તે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત સતીષ શર્માએ આદેશ કર્યો હતો કે, પોલીસ સ્ટેશનમાં એલઆઈબીના માણસો સિવાયના તમામ પોલીસ કર્મચારીઓ યુનિફોર્મમાં જ નોકરી કરશે. સાથે જ તમામ પોલીસ સ્ટેશનોમાં હવે પીઆઈ દ્વારા નોકરી વહેંચણી કરવામાં આવશે. સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનમાં ઓમપ્રકાશ પાંડેના મોત બાદ પીઆઈ ખીલેરી સહિત તેના સ્ટાફના આઠ કર્મીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરાઈ છે.

June 5, 2019
rain.jpeg
1min5630

ભારતીય વેધશાળાની આગાહી મુજબ દેશમાં ચોમાસું થોડું વિલંબિત થવાની સંભાવના છે. ચોમાસું હવે સાતમી જૂને બેસવાની સંભાવના છે. શનિવારે પ્રાઇવેટ વેધશાળા, સ્કાયમેટે પણ ચોમાસું શરૂ થવાની સંભવિત તારીખ 4 જૂનથી બદલીને 7 જૂન કરી હતી. ગયા મહિને વેધશાળાએ જણાવ્યું હતું કે કેરળમાં 6ઠ્ઠી જૂને ચોમાસું બેસવાની સંભાવના છે. જોકે, એ તારીખમાં ચાર દિવસનો ઘટાડો કે વધારો થવાની શક્યતા પણ બતાવાઈ હતી. ભૂમિ વિજ્ઞાન ખાતાના પ્રધાન હર્ષ વર્ધને થોડા દિવસ પહેલાં સંકેત આપ્યો હતોે કે કેરળમાં ચોમાસું છ કે સાતમી જૂને બેસશે.

June 5, 2019
world_cup_logo.png
1min6300

વન-ડેના રૅન્કિંગમાં ભારત ભલે નંબર-વન નથી, પરંતુ નંબર-ટૂ પર રહીને પણ વિરાટસેનાનો પ્રભાવ નંબર-વન જેવો જ છે અને આ સાવજો આજે વર્લ્ડ કપમાં પ્રથમ પડકાર ફેંકશે. પહેલી બન્ને લીગ મૅચ હારી ચૂકેલી સાઉથ આફ્રિકાની હતાશ અને અનેક ઘાયલ ખેલાડીઓની ગેરહાજરીને લીધે નબળી પડી ચૂકેલી ટીમ સાથે આજે ટીમ ઇન્ડિયા બાથ ભીડશે. ભારત-સાઉથ આફ્રિકા વચ્ચેનો મુકાબલો આજે ભારતીય સમય મુજબ બપોરે 3.00 વાગ્યે શરૂ થશે.

આજે રમઝાન ઇદનો પવિત્ર તહેવાર છે અને ટીમ ઇન્ડિયા આજે જીતીને રાષ્ટ્રને ‘ઇદની ભેટ’ આપશે તો માત્ર ભારતીય ક્રિકેટરોમાં જ નહીં, પણ સમગ્ર રાષ્ટ્રના કરોડો ક્રિકેટપ્રેમીઓમાં અનેરો રોમાંચ આવી જશે. આજે ભારત જીત સાથે ખાતું ખોલાવશે એમાં કોઈ શંકા ન હોઈ શકે, કારણકે આ ટીમ પાસે વન-ડે જગતના બે અવ્વલ દરજ્જાના ખેલાડીઓ છે. વિરાટ કોહલી બૅટિંગના રૅન્કિંગમાં મોખરે છે, જ્યારે બોલિંગમાં આપણો ઉત્સાહી અને રોમાંચક જસપ્રીત બુમરાહ સર્વોચ્ચ સ્થાને છે. બૅટિંગમાં રોહિત શર્મા બીજી રૅન્ક ધરાવે છે એટલે ફૅફ ડુ પ્લેસીની ટીમ વન-ડેમાં સૌથી વધુ ત્રણ વખત ડબલ સેન્ચુરી ફટકારી ચૂકેલા આ મુંબઈકરને પણ અન્ડર-એસ્ટિમેટ કરવાની જરાય ભૂલ નહીં કરે.

1999ના વર્લ્ડ કપમાં ભારત પોતાની પહેલી જ મૅચ સાઉથ આફ્રિકા સામે રમેલું અને એમાં જૅક કૅલિસના 96 રનને કારણે ભારત હારી ગયું હતું. જોકે, આજે તેમની પાસે કોઈ કૅલિસ તો નથી, પણ ફૅફ ડુ પ્લેસી તેમ જ જેપી ડુમિની, હાશિમ અમલા, ક્વિન્ટન ડી’કૉક જેવા ટોચના બૅટ્સમેનોથી ભારતે ચેતવું પડશે.