Alert Archives - Page 350 of 511 - CIA Live

June 20, 2019
sanjiv_bhatt-1280x869.jpg
1min6860

1990ના જામજોધપુર કસ્ટોડિયલ ડેથ કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા જામનગર સેસન્સ કોર્ટે ફટકારી છે. સનદી અધિકારીઓના વર્ગમાં આ મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો છે. આ જ કેસમાં જામનગરની સેશન્સ કોર્ટે આ કેસના આરોપી સંજીવ ભટ્ટની સાથે પ્રવીણસિંહ ઝાલાને પણ આજીવન કેદની સજા ફટકારી છે.

સમગ્ર કેસની વિગત એવી છે કે 1990માં થયેલા રમખાણ દરમિયાન સૌરાષ્ટ્રના જામજોધપુર પોલીસે 132 લોકોને માર માર્યો હતો, જેમાં પ્રભુદાસ વિઠ્ઠલાણી નમના શખ્સનું પોલીસ કસ્ટડીમાં મોત થયું હતું.

જામજોધપુરમાં લઘુમતી કોમની મિલકતોને આગચંપી કરાઈ હતી. તે વખતે સંજીવ ભટ્ટે મોટી સંખ્યામાં લોકોની અટકાયત કરી હતી, અને તેમને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં લઈ જવાયા હતા. ફરિયાદ મુજબ સંજીવ ભટ્ટે અટકાયતીઓને ફટકારવાનો ઓર્ડર આપ્યો હતો, જેમાં કેટલાક લોકોને ગંભીર ઈજા પહોંચી હતી.

મૃતક પ્રભુદાસ વિઠ્ઠલાણીના પરિવારજનોએ આ મામલે તત્કાલિન એએસપી સંજીવ ભટ્ટ તેમજ છ અન્યો સામે ફરિયાદ નોંધાવી હતી. આ મામલે વિવાદ વકરતા તત્કાલિક ચીમનભાઈ પટેલની સરકારે કેસને સીઆઈડી ક્રાઈમને ટ્રાન્સફર કર્યો હતો. સંજીવ ભટ્ટ સામે પણ ખાતાકીય કાર્યવાહીનો આદેશ અપાયો હતો. 1996માં સીઆઈડીએ તપાસ પૂર્ણ કરી સંજીવ ભટ્ટ સામે ચાર્જશીટ ફાઈલ કરવા પરવાનગી માગી હતી, જેનો સરકારે ઈનકાર કર્યો હતો.

 

June 20, 2019
jin_ping_korea.jpg
1min8900

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ બે દિવસ માટે ઉત્તર કોરિયાની ઐતિહાસિક મુલાકાતે પહોંચ્યા છે. ગુરુવારે જિનપિંગ પ્યોંગયાંગ પહોંચ્યા હતા. જિનપિંગ છેલ્લા 14 વર્ષમાં ઉત્તર કોરિયાની મુલાકાત લેનારા સૌપ્રથમ રાષ્ટ્રપતિ બન્યા છે. જિનપિંગ અહીં ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન સાથે મુલાકાત કરશે. આ બન્ને નેતાઓની મુલાકાત ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. અમેરિકા દ્વારા ઉત્તર કોરિયા પરના પ્રતિબંધો તેમજ નિશસ્ત્રીકરણના દબાણને લઈને નિષ્ફળ પ્રયાસો બાદ ઉત્તર કોરિયાએ હવે ચીન સાથે સંબંધો સુધારવા હાથ લંબાવ્યો છે.

અગાઉ શિતયુદ્ધના ગાળા દરમિયાન પ્યોંગયાંગ દ્વારા પરમાણુ કરારના ઉલ્લંઘનો અને બેઈજિંગ દ્વારા સંયુક્ત રાષ્ટ્રસંઘમાં પ્રતિબંધોને સતત ટેકો આપવાથી બન્ને રાષ્ટ્રો વચ્ચેના સંબંધોમાં કડવાશ જોવા મળતી હતી જો કે જિનપિંગ અને કિમ જોંગ હવે આ સંબંધોને નવી દિશા આપવા પ્રયાસ કરે તેવી શક્યતા છે. ચીન હવે પ્રતિબંધોને હળવા કરવા સમર્થન કરી રહ્યું છે જ્યારે કિમ જોંગે છેલ્લા કટેલાક વર્ષોમાં ચારથી વધુ વખત ચીનની મુલાકાત લીધી હતી.

જિનપિંગ ગુરુવારે સવારે તેમના પત્ની પેંગ લિયુઆન, વિદેશ મંત્રી વાંગ યી અને અન્ય અધિકારીઓ સાથે પ્યોંગયાંગ પહોંચ્યા હતા. પ્યોંગયાંગમાં ઠેરઠેર જિનપિંગનું સ્વાગત કરવા ચીનના રાષ્ટ્રધ્વજ લગાવવામાં આવ્યા હતા તેમજ રસ્તા પર લોકોએ હરોળબદ્ધ ઊભા રહી તેમને આવકાર્યા હતા.

નિશસ્ત્રીકરણ મામલે કિમ જોંગ અને ટ્રમ્પની બેઠક અગાઉ જ શિ જિનપિંગની ઉત્તર કોરિયાની મુલાકાત ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. આ પ્રતિકરૂપ મુલાકાત હોવાથી સંયુક્ત નિવેદન જાહેર કરવામાં આવશે નહીં. આ ઉપરાંત ઉત્તર કોરિયાએ મીડિયા કવરેજ પર પણ આકરા નિયંત્રણો લાદ્યા છે. પ્યોંગયાંગમાં રહેલા આંતરાષ્ટ્રીય પત્રકારોને આ મુલાકાત કવર કરવા મનાઈ ફરમાવી છે. આ મુલાકાતને કવર કરવા આમંત્રિત વિદેશી મીડિયાના પ્રતિનિધિઓને વિઝા પણ મળ્યા નહતા. જ્યારે શી જિનપિંગ સાથેના ચાઈનીઝ મીડિયાનો કાફલો પણ સિમિત રખાયો છે.

ઉત્તર કોરિયાના મિસાઈલ પરિક્ષણોને લઈને અમેરિકા સાથે મતભેદો યથાવત છે ત્યારે કિમ જોંગ દ્વારા હવે અમેરિકાના પ્રતિસ્પર્ધી દેશો રશિયા અને ચીન સાથે સંબંધો સુધારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અગાઉ એપ્રિલમાં કિમ જોંગે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સાથે મુલાકાત કરી હતી.

June 20, 2019
oil.jpg
1min5360

ચોમાસાની અને તહેવારોની સિઝન નજીક આવી છે, તેમ ખાવાના તેલના ભાવમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. બે દિવસમાં સિંગતેલના ભાવમાં ૪૦ રૂપિયાનો વધારો નોંધાયો હતો. ૪૦ રૂપિયાના વધારા સાથે સિંગતેલના ડબ્બાનો ભાવ ૧૮૧૦ રૂપિયાએ પહોંચ્યો હતો. સિંગતેલના ભાવમાં ફરી ઉછાળો જોવા મળ્યો હતો.

બે દિવસમાં એક ડબ્બે રૂપિયા ૪૦નો વધારો જોવા મળ્યો હતો. આ માટે વાવેતરના દાણાની માગમાં વધારો થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. માગમાં વધારો થવાની સાથે દાણાંના ભાવમાં પણ વધારો થયો હતો. તો બીજી તરફ, કપાસિયા તેલમાં પણ ૧૦ રૂપિયાનો ભાવવધારો નોંધાયો હતો. કપાસિયા તેલના ડબ્બાનો ભાવ ૧૨૭૦ રૂપિયે પહોંચ્યો હતો.

હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે, જેથી માર્કેટમાં અને ઘરોમાં તળેલી વાનગીઓની ડિમાન્ડ વધુ રહેશે. સાથે જ ભજિયાનું વેચાણ ચોમાસામાં વધી જાય છે. તો બીજી તરફ, હવે શ્રાવણ મહિનો નજીક હોઈ વિવિધ તહેવારો શરૂ થશે. જેને કારણે તળેલી વાનગીઓ અને ફરસાણની ડિમાન્ડ વધુ રહેશે ત્યારે વધી રહેલી આ મોંઘવારીમાં તેલના વધતા ભાવ ગૃહિણીનું બજેટ તથા ગરીબોના તહેવારોને પર પણ અસર કરી શકે છે.

June 19, 2019
CIA_Live_Logo_New2.jpg
1min8880

જયેશ બ્રહ્મભટ્ટ

મોદી સરકારે સમગ્ર દેશમાં ઉજળીયાતો (બિન અનામત કેટેગરી)માં શિક્ષણ અને રોજગારમાં આખા દેશમાં 10 ટકા રિઝર્વેશન આપવાના કરેલા ઠરાવની પહેલી અસર ગુજરાતના ડિગ્રી એન્જિનિયરિંગ પ્રવેશ કાર્યવાહી પર જોવા મળી છે. ગુજરાતમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સંલગ્ન ડિગ્રી ઇજનેરી કોલેજોમાં હાલ પ્રવેશ કાર્યવાહી ચાલી રહી છે અને તેના ભાગરૂપે આજે મોક રાઉન્ડનું એડમિશન લિસ્ટ જાહેર કરાયું હતું.

ગુજરાતના ડિગ્રી એન્જિનિયરિંગ એડમિશન પ્રક્રિયામાં ઉજળીયાતો માટે 10 ટકા રિઝર્વેશન સુપરહીટ પુરવાર થયું છે અને ડિમાન્ડવાળી કોલેજોમાં ઓપન કેટેગરીમાં જે પ્રવેશ અટક્યા હતા અથવા જે લેવલ પર પાછલા વર્ષોમાં ઓપન કેટેગરીમાં પ્રવેશ અટકતા હતા તેનાથી નોંધપાત્ર કહી શકાય એટલા ઓછા મેરીટે પણ ઉજળીયાત વર્ગના વિદ્યાર્થીઓને 10 ટકા રિઝર્વેશન સીટ પર પ્રવેશ મળ્યા છે.

દાખલા તરીકે ગુજરાતની એન્જિનિયરિંગ કોલેજોમાં ગાંધીનગર ખાતે આવેલી પી.ડી.પી.યુ. (પંડીત દિન દયાળ ઉપાધ્યાય પેટ્રોલિયમ યુનિવર્સિટી) ખ્તાયનામ કહેવાય અને આઇ.આઇ.ટી. કે એન.આઇ.ટી.ને સમકક્ષ કહેવાય છે. આ કોલેજમાં મિકેનિકલ બ્રાન્ચમાં ઓપન કેટેગરીમાં પહેલો પ્રવેશ 1281 મેરીટ રેન્કથી શરૂ થયો અને અંતિમ પ્રવેશ 4901 રેન્ક પર અટક્યો હતો. હવે ઉજળીયાતો માટેની જ ઇડબલ્યુએસ કેટેગરીમાં પહેલો પ્રવેશ 5282 રેન્કથી શરૂ થયો અને અંતિમ પ્રવેશ 6098 રેન્ક પર અપાયો. આમ ઉજળીયાતો માટે જ્યાં 5200 રેન્ક પર પ્રવેશ અટકી જતા હતા ત્યાં છેક 6100 રેન્ક સુધી ઉજળીયાતોને પ્રવેશ મળી શક્યા હતા.

ડિગ્રી એન્જિનિયરિંગ ઉપરાંત મેડીકલમાં તો ઇડબલ્યુએસ કેટેગરી માટે ખાસ નવી બેઠકો વધારવામાં આવી રહી છે. આ સિવાયની બ્રાન્ચ કે અભ્યાસક્રમોમાં પણ ઓપન કેટેગરી (બિન અનામત) વર્ગને 10 ટકા રિઝર્વેશનથી ફાયદા પુરવાર થઇ રહ્યા છે.

આ પ્રકારે ડિગ્રી ઇજનેરીની દરેક કોલેજમાં ઉજળીયાતોને અનામત આપવા માટે ઉભી કરાયેલી ઇડબલ્યુએસ કેટેગરીથી બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને ખાસ્સો ફાયદો જોવા મળ્યો છે.

June 19, 2019
CIA_Live_Logo_New2.jpg
1min11180

જયેશ બ્રહ્મભટ્ટ

સુરતમાં શિક્ષણના નામે રીતસરનો વેપાર કરી રહેલા ભગવાન મહાવીર એજ્યુકેશન ફાઉન્ડેશનના સંચાલકોની ધંધાદારી પ્રવૃત્તિઓ હવે વાલીઓ વિદ્યાર્થીઓ પારખી ગયા છે. એક સાથે ત્રણ ત્રણ ડિગ્રી ઇજનેરી કોલેજો ચલાવતા ભગવાન મહાવીર ગ્રુપના સંચાલકોની ત્રણયે કોલેજોમાં મોક રાઉન્ડમાં જ જંગી સંખ્યામાં સીટો ખાલી પડી રહી છે.

ભગવાન અરીહંત ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી, ભઘવાન મહાવીર કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી અને મહાવીર સ્વામી કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી એમ ત્રણેય કોલેજો મળીને સ્ટેટ ક્વોટામાં કુલ 1637 ડિગ્રી ઇજનેરીની સીટો પ્રવેશ માટે રજૂ કરવામાં આવી હતી. જેમાંથી પ્રવેશાર્થીઓએ ફક્ત 280 (ફક્ત 17 ટકા) બેઠકો પર પ્રવેશ ચોઇશ આપી છે.

એડમિશન કમિટીએ આપેલી વિગતો મુજબ ભગવાન મહાવીર ગ્રુપની ત્રણેય ડિગ્રી ઇજનેરી કોલેજોમાં કુલ 1357  બેઠકો (83 ટકા) મોક રાઉન્ડમાં જ ખાલી પડી રહેવા પામી છે.

ડિગ્રી ઇજનેરી કોલેજોના વિદ્યાર્થીઓને પૂરતી સુવિધા તો દૂરની વાત પરંતુ, પ્રયોગ માટે લેબોરેટરી, લાઇબ્રેરી, કમ્પ્યૂટર લેબ જેવી માળખાગત સુવિધાઓ નહીં આપતા સંચાલકો ફક્ત રૂપિયા ઉસેટવામાં જ રચ્યા પચ્યા રહે છે. એ તો ઠીક પરંતુ, કોલેજોમાં અધ્યાપકોને પૂરો પગાર પણ નહીં ચૂકવતા હોવાની ફરીયાદો ભૂતકાળમાં ઉઠી ચૂકી છે.

અત્યાર સુધી પ્રવેશાર્થીઓ અજાણતામાં ભગવાન મહાવીર ગ્રુપની કોલેજોમાં પ્રવેશ મેળવી લેતા હતા, પરંતુ, હવે ભગવાન મહાવીર ગ્રુપના સંચાલકોની પ્રવૃતિઓ જગજાહેર થઇ ચૂકી હોઇ, વિદ્યાર્થીઓ આ સંસ્થાની કોલેજોને જાકારો આપી રહ્યા છે.

ભગવાન અરીહંત ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીમાં કુલ બેઠકોની સામે ખાલી રહેલી બેઠકોની માહિતી

ભગવાન મહાવીર ડિગ્રી ઇજનેરી કોલેજમાં કુલ બેઠકોની સામે ખાલી રહેલી બેઠકોની માહિતી

મહાવીર સ્વામી કોલેજ ઓફ એન્જિનયિરંગ એન્ડ ટેકનોલોજીમાં કુલ બેઠકોની સામે ખાલી રહેલી બેઠકોની માહિતી

ભગવાન મહાવીર અને મહાવીર સ્વામી ડિગ્રી ઇજનેરી કોલેજમાં મિકેનિકલ એન્જિનયરિંગ બ્રાંચ તો એવી છે જેમાં એકેય વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે ચોઇશ આપી નથી એટલે કે ઇચ્છા દર્શાવી નથી. તમામ 71 બેઠકો મોક રાઉન્ડમાં જ ખાલી પડી રહેવા પામી છે.

આ તો હજુ મોક રાઉન્ડનું પરીણામ છે, હજુ પણ એવા પ્રવેશાર્થીઓ હશે જેઓ એક્ચ્યુઅલ રાઉન્ડમાં સુરતના ભગવાન મહાવીર ગ્રુપની કોલેજોની ચોઇશ કાઢીને સુરત કે રાજ્યની અન્ય ઇજનેરી કોલેજોમાં પ્રવેશ મેળવશે.

June 19, 2019
ed_logo.jpg
1min12160

સુરતસ્થિત કંપની અને તેના પ્રમોટરોએ કરેલી બૅંક લૉન છેતરપિંડી અને મનીલૉન્ડરિંગને લગતા કેસને મામલે ઍન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ-ઈડીએ મંગળવારે અંદાજે રૂ.૧૬૧૦ કરોડનું મૂલ્ય ધરાવતા છ હજાર કરતા પણ વધુ વાહનો ટાંચમાં લીધાં હતાં.

ઈડીએ સિદ્ધિવિનાયક લૉજિસ્ટીક લિ. અને તેના ડિરેક્ટર રૂપચંદ બેઈદ વિરુદ્ધ પ્રિવેન્શન ઑફ મનીલૉન્ડરિંગ ઍક્ટ અંતર્ગત મિલકતને ટાંચમાં લેવાનો કામચલાઉ આદેશ બહાર પાડ્યો હતો.

બૅંક ઑફ મહારાષ્ટ્રમાં કાળાનાણાં ધોળા કરવાને લગતા રૂ.૮૩૬.૨૯ કરોડની લૉન છેતરપિંડીમાં ભજવેલી કથિત ભૂમિકા બદલ એજન્સીએ અગાઉ પણ બેઈદની ધરપકડ કરી હતી. આદેશને પગલે રૂ.૧૬૦૯.૭૮ કરોડનું મૂલ્ય ધરાવતા ૬૧૭૦ વાહન ટાંચમાં લેવામાં આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું.

એ જ પ્રમાણે એજન્સીએ જૂન ૨૦૧૭માં કંપનીની રૂ.૧૯ કરોડની મિલકત ટાંચમાં લીધી હતી. સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલા એફઆઈઆરને આધારે ઈડીએ કંપની વિરુદ્ધ મનીલૉન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો.

June 18, 2019
sudico_logo.png
1min6100

જયેશ બ્રહ્મભટ્ટ

સુરત ડિસ્ટ્રીક્ટ કો. ઓપરેટિવ બેંકના કરન્ટ ખાતેદારો હાલ બેંકની કાર્યવાહીથી ધૂંઆપૂંઆ બની ગયા છે. આવું થવાના કારણની તપાસ કરાતાં જાણવા મળ્યું કે સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેંકે તેની તમામ શાખાઓમાં કરન્ટ ખાતું ધરાવતા ખાતેદારો પાસેથી એમની અન્ય બેંકના ખાતામાં ચાલતી લોન, ઓવરડ્રાફ્ટ કે અન્ય દેવાની વિગતો મંગાવી છે અને બેંક દ્વારા ખાતેદારો પાસેથી રોજેરોજ આ માહિતીની ઉઘરાણી કરવામાં આવતી હોવાથી કરન્ટ ખાતેદારોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.

સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેંક શું કહે છે

સી.આઇ.એ. લાઇવ એ જ્યારે સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેંકના અધિકારીઓ અને પદાધિકારીઓને આ અંગે સવાલ કર્યો ત્યારે આધિકારીક રીતે બેંકના સૂત્રોએ જણાવ્યું કે બેંકીંગ કાર્યવાહીના ભાગરૂપે કરન્ટ ખાતેદારો પાસે આ માહિતી મંગાવવામાં આવી રહી છે. કોઇપણ બેંકમાં જ્યારે કરન્ટ ખાતું ખોલાવવામાં આવે ત્યારે ખાતેદાર પાસેથી તેમના અન્ય બેંક ખાતાની લોન, ઓવરડ્રાફ્ટ કે અન્ય દેવા અંગેનું ડેકલેરેશન લેવામાં આવે છે, આ પ્રોસેસ સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેંકે હાલમાં હાથ ધરી છે.

કેટલાક એવા ખાતેદારો હોય છે જેઓ અન્ય બેંકોમાંથી લોન કે ઓવરડ્રાફ્ટ લઇ, ડિફોલ્ટર બન્યા પછી ફંડ ટ્રાન્સફર કરીને અન્ય બેંકનું ખાતું ચલાવતા હોય છે આવી પ્રવૃતિ પર રોક લગાડવા માટે વિગતો માંગવામાં આવી રહી છે.

કરન્ટ ખાતેદારોની ફરીયાદ શું છે?

સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેંકના કરન્ટ ખાતેદારોએ જણાવ્યું હતું કે અન્ય બેંકની બ્રાન્ચમાં લોન હોય કે ઓવરડ્રાફ્ટ હોય તેની સાથે ડિસ્ટ્રીક્ટ બેંકને શું લેવા દેવા?,

કરન્ટ ખાતેદારો લોન કે ઓવરડ્રાફ્ટ માંગે ત્યારે તેની પાસે દેવાની વિગતો માંગી શકાય પરંતુ, કરન્ટ ખાતુ યોગ્ય રીતે ચાલતું હોય ત્યારે બેંકને ગ્રાહકના અન્ય ખાતાની વિગતોની આવશ્યકતા કેમ પડે?

એક એવી પણ દલીલ છે કે જો ગ્રાહક પોતાના અન્ય બેંકના ખાતા કે તેના લોન-ઓવરડ્રાફ્ટની વિગતો છુપાવે તો બેંક શું કરી શકે?

એવી જ રીતે બેંકને અન્ય બેંકના લોન અને ઓવરડ્રાફ્ટ અંગેનું ડેકલેરેશન આપ્યા બાદ ખાતેદારોએ બીજી બેંકોમાંથી લોન કે ઓવરડ્રાફ્ટ લીધા હોય તેવા સંજોગોમાં સુરત ડિસ્ટ્રીક્ટ બેંક શું કરશે ?

આમ, કરન્ટ ખાતેદારોનું કહેવું છે કે બેંકે કોઇ ભેદી કારણોસર કરન્ટ ખાતેદારોના અન્ય બેંકના દેવા અંગેની વિગતો મંગાવી છે. ઘણાં ખાતેદારોએ બેંકની આ પ્રવૃત્તિને શંકાસ્પદ ગણાવી છે.

વિવાદ કેમ ઉપસ્થિત થયો?

સુરત ડિસ્ટ્રીક્ટ બેંક અને કરન્ટ ખાતેદારો વચ્ચે વિવાદ ઉપસ્થિત થવાનું કારણ એ છે કે શહેરમાં સેંકડો બેંકો ચાલી રહી છે પણ ફક્ત સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓ. બેંક દ્વારા જ કોઇપણ ચોક્કસ કારણ કે નોટિસ આપ્યા વગર કરન્ટ ખાતેદારો પાસે તેમના અન્ય બેંકોના લોન-ઓવરડ્રાફ્ટ કે અન્ય દેવાની વિગતો મંગાવી છે. પરીણામે ખાતેદારોમાં એવી શંકા છે કે જો રિઝર્વ બેંકે આદેશ કર્યો હોય તો અન્ય બેંકો કેમ આવી માહિતી મંગાવતી નથી અને ફક્ત સુરત ડિસ્ટ્રીક્ટ બેંક જ કેમ આવી પ્રાઇવેટ માહિતી બેંક ખાતેદારો પાસે મંગાવી રહી છે.

June 18, 2019
rain.jpeg
1min11910

rain6

વાયુની ઇફેક્ટ કહો કે ચોમાસું બેસી ગયું એમ કહો પણ ગુજરાતમાં અમદાવાદ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદની હેલીથી લોકોમાં ઠંડકની લાગણી પ્રસરી છે. આજે તા.18મીએ સવારથી જ અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ શરૂ થયાના અહેવાલો મળ્યા હતા. અમદાવાદ શહેરના નવરંગપુરા, પાલડી, શ્યામલ, વેજલપુર, એસજી હાઈવે, વાડજ સહિતના વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે.

વાયુ વાવાઝોડાંની અસરને કારણે કચ્છ, સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતમાં પણ સાર્વત્રિક રીતે આજે મંગળવાર સવારથી જ વરસાદી માહોલ સર્જાયો છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સવારથી અત્યારસુધી બે ઈંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે. પાટણમાં પણ સવારથી વરસાદ પડી રહ્યો છે.

કચ્છ જિલ્લામાં પણ આજે ધોધમાર વરસાદની હવામાન ખાતાએ આગાહી કરી છે. વાયુની અસરને કારણે કચ્છમાં દસેક ઈંચ જેટલો વરસાદ પડવાની શક્યતા છે. વાયુ હવે પહેલા જેવું ઘાતક નથી રહ્યું, અને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ચૂક્યું છે, ત્યારે તેની અસર હેઠળ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છે.

 

June 18, 2019
world_cup_logo.png
1min6580

પોતાના કેટલાક ખેલાડીની ઈજાની સમસ્યામાં રહેતું ઈંગ્લેન્ડ વર્લ્ડ કપમાં મંગળવારે અહીં નીચલા ક્રમના પણ જુસ્સાભર્યા અફઘાનિસ્તાન સામે રમાનારી મેચમાં પોતાના શ્રેષ્ઠ સંગઠનને રમવા મેદાનમાં ઉતારવાનો પ્રયત્ન કરશે. એક પણ મેચ ન જીતનાર અફઘાનિસ્તાનની છાપ ડાર્ક હૉર્સ (અણધારી રીતે જીતી શકે એવી ટીમ) તરીકેની છે. ઈંગ્લેન્ડની ટીમ તેના ખેલાડીઓની ફિટનેસ બાબતે ચિંતામાં છે અને તેમાં કેપ્ટન ઈયોન મોર્ગનનો ઉમેરો થયો છે. ઓપનિંગ બેટ્સમેન જેસન રોયે પણ પગના સ્નાયુની પીડાના કારણે તે મેચમાંથી ખસી જવું પડ્યું હતું અને તે મંગળવારે તથા શુક્રવારે શ્રીલંકા સામેની બે મેચમાં રમી શકનાર નથી. “ટીમના બે ખેલાડી ઈજાના કારણે બાકાત થઈ જવામાં ચિંતા ઉપજાવે છે, પણ ગભરાટ અમુભવવાનું જરૂરી નથી.

June 17, 2019
dr.jpg
1min983

સમગ્ર દેશમાં હડતાળ પર ઉતરેલા તબીબોને કારણે પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનરજી પર ભારતમાં જ નહીં પણ વિશ્વભરમાં માછલાં ધોવાય રહ્યા હતા. ચોમેરથી પ્રેશર વધતા આખરે અડગ વલણ અપનાવનાર મમતા બેનરજીએ તબીબો સામે ઝુંકવું પડ્યું છે. પશ્ચિમ બંગાળનું મુખ્યમંત્રી મમતા બેનરજીની પ્રદર્શન કરનારા ડોક્ટરો સાથેની તાકીદની બેઠક યોજી હતી.જેમાં મમતા બેનરજીએ માંગણી સ્વીકારી હતી કે પશ્ચિમ બંગાળની દરેક હોસ્પિટલમાં નોડલ ઓફિસર મુકવામાં આવશે.

રેસિડેન્ટ ડોક્ટરો મમતા બેનરજીના આ નિર્ણયથી ખુશ છે તેવું તેમણે જણાવ્યું હતું.

કોલકાત્તાના NRS મેડિકલ કોલેજમાં જૂનિયર ડોક્ટર્સ સાથે મારઝૂડના વિરોધમાં 17 જૂનથી એક દિવસ માટે ડોક્ટરો દેશવ્યાપી હડતાળ પર ઉતરી ગયા હતા. પશ્ચિમ બંગાળમાં ઉદભવેલી આ સમસ્યાએ આજે દેશભરમાં તબીબી સેવાઓને ખોરવી નાંખી છે.

દેશમાં ડોક્ટર્સના સૌથી મોટા સંગઠન IMA એ સમર્થન આપતા આજની તબીબોની હડતાળ ભારતભરમાં જડબેસલાક બની હતી.

તબીબોની હડતાળનું પ્રેશર સીધું જ મમતા બેનરજી પર પડ્યું હતું અને ડોક્ટર્સ વિરુદ્ધ સખત વલણ ધરાવનાર પશ્ચિમ બંગાળની મમતા બેનરજી સરકારે પીછેહઠ કરવાનો સમય આવ્યો છે. દેશભરમાં ડોક્ટર્સની સુરક્ષા મામલે વિરોધ થતા મમતા બેનરજી સરકાર પર ચોતરફથી દબાણ વધ્યું હતું. જેના કારણે સોમવારના રોજ તેઓએ હડતાળને ખતમ કરવા માટે તમામ શરતોને માનતા મીડિયાની સામે જ ડોક્ટર્સના પ્રતિનિધિમંડળને મળવા રાજી થયા હતા.