CIA ALERT

Alert Archives - Page 344 of 511 - CIA Live

July 8, 2019
hd-kumaraswamy.jpg
1min5400

kumaraswamy

કર્ણાટકમાં રાજકીય સંકટ થતાં સીએમ કુમારસ્વામી અમેરિકાથી તાત્કાલિક દોડી આવ્યા હતા

કર્ણાટકમાં અગાઉ કોંગ્રેસના 21 મંત્રીઓએ રાજીનામાં ધરી દીધા બાદ આજે તા.8મી જુલાઇ 2019ના રોજ જેડીએસના તમામ મંત્રીઓએ પણ રાજીનામા આપી દેતા કર્ણાટકમાં રાજકીય સંકટ વધુ ઘેરાઈ રહ્યું છે.

કર્ણાટકમાં શનિવારે કોંગ્રેસના મંત્રીઓએ રાજીનામાં આપ્યા બાદ રાજકીય સંકટ શરુ થયું હતું. જેના કારણે અમેરિકાના પ્રવાસે રહેલા કુમારસ્વામીએ તાત્કાલિક પોતાનો પ્રવાસ ટૂંકાવીને પરત ફરવું પડ્યું હતું. કોંગ્રેસના નારાજ ધારાસભ્યોની માગ છે કે કુમારસ્વામી તેમને વિશ્વાસમાં લીધા વિના જ મહત્વના નિર્ણયો લઈ રહ્યા છે, અને તેમને હટાવી પૂર્વ સીએમ સિદ્ધારમૈયાને ફરી સીએમ પદ સોંપવામાં આવે.

કોંગ્રેસના સિનિયર નેતાઓ તા.8મી જુલાઇના રોજ સાંજે સાત વાગ્યે દિલ્હીમાં કર્ણાટકની સ્થિતિ અંગે બેઠક કરી હતી પરંતુ, તે પરીણામ વિહોણી બની રહી હોવાનું જાણવા મળ્યું છે.

કર્ણાટકના સીએમે પોતાના સત્તાવાર ટ્વીટર હેન્ડલ પર જણાવ્યું છે કે જલ્દીથી કેબિનેટનું રિશફલ કરવામાં આવશે.

 

July 8, 2019
sensex_down.jpg
1min12910

બોમ્બે સ્ટોક એક્સચેન્જના ઇન્ડેસીસ સેન્સેક્સમાં આજે 800 પોઇન્ટનો તોતિંગ ઘટાડો થતા શેરબજારમાં કામ કરતા લોકોમાં ફફડાટ મચી ગયો છે. એમા પણ છેલ્લા બે સેશનમાં જ રોકાણકારોની ₹5 લાખ કરોડની સંપત્તિનું જંગી ધોવાણ થઈ ગયો હોવાથી હવે શેરબજારની આ ચાલ અનેક લોકો માટે મરણતોલ ફટકા સમાન નિવડે એમ મનાય છે.

મુંબઈ શેરબજારમાં સાર્વત્રિક વેચવાલી જોવા મળી હતી. આજે દિવસ દરમિયાન BSE સેન્સેક્સ ઉપરમાં 39,476.38 અને નીચામાં 38,605.48 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 792.82 પોઈન્ટ્સ અથવા 2.01 ટકા ઘટીને 38,720.57 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી ઉપરમાં 11,771.90અને નીચામાં 11,523.30 પોઈન્ટ્સ વચ્ચે ટ્રેડ થયા બાદ 252.55 પોઈન્ટ્સ અથવા 2.14 ટકાના ધોવાણ સાથે 11558.60 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 1.99 ટકા અને 2.46 ટકા ઘટીને બંધ રહ્યા હતા.

આજે કેપિટલ ગૂડ્ઝ, રિયલટી, પાવર, ઓટો, બેન્ક તેમજ ઓઈલ-ગેસ શેરોમાં ધૂમ વેચવાલી જોવા મળી હતી. આજે તમામ સેક્ટોરલ ઈન્ડાઇસિસ રેડ ઝોનમાં બંધ રહ્યા હતા.

July 8, 2019
Harsh_shangvi.jpg
1min13490

જયેશ બ્રહ્મભટ્ટ

ગઇ તા.21મી જુન 2019ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમેત કેન્દ્ર સરકારના બધા મંત્રીઓ, સમગ્ર ભાજપાના નેતાઓ યોગ દિવસના જુદા જુદા કાર્યક્રમોમાં વ્યસ્ત હતા ત્યારે સુરત મજૂરાના ભાજપના ધારાસભ્ય ફાયર બ્રાન્ડ ગણાતા હર્ષ સંઘવી એકાએક નવી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને તેમને ત્યાં તંત્રવાહકોની કામગીરીથી સંતોષ ન થતા જાહેરમાં સિવિલ હોસ્પિટલના કર્મચારીને ધમકી આપી હતી કે ટાંટીયા તોડાવી નાંખીશ.

આ રહ્યો વિડીયો જેમાં મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ નવી સિવિલ હોસ્પિટલમાં ટાંટીયા તોડાવી નાંખવાની ધમકી આપી હતી

મધ્યપ્રદેશના આકાશ કૈલાશ વિજય વર્ગીય પ્રકરણ બાદ મહારાષ્ટ્રમાં નીતિશ નારાયણ રાણે પ્રકરણ અને હર્ષ સંઘવીની ધમકી વચ્ચે રહેલું સામ્ય અને આવી ઘટનાઓ પરત્વે ખુદ નરેન્દ્ર મોદીની નારાજગીને જોતા હર્ષ સંઘવીને કેટલાક હિતુચ્છુઓએ સમગ્ર ઘટના અંગેની માહિતી દિલ્હી સ્થિત બીજેપી હાઇકમાન્ડના નેતાઓ સુધી પહોંચાડીને આ મામલામાં શિસ્તભંગના પગલાં ભરવા માટે રજૂઆતો કરી છે.

જોવાનું એ રહે છે કે નરેન્દ્ર મોદીના ખાસ મનાતા હર્ષ સંઘવી સામે ભાજપા આગામી દિવસોમાં કેવું વલણ અપનાવે છે.

હર્ષ સંઘવી પોતાના આવા આક્રમક વલણ માટે જાણીતા છે, અગાઉ તાપી નદીના શુદ્ધીકરણના મુદ્દે તેમણે સ્થાનિક અધિકારીઓને આ જ પ્રકારે લબડધક્કે ચઢાવી ચૂક્યા છે.

(With Thanks From the Facebook wall of Parul Mahadik, courtesy TV-9 Gujarati.)

આ ધમકી 15 દિવસે નવી દિલ્હી સ્થિત ભાજપા હાઇકમાન્ડ સુધી પહોંચી છે અથવા પહોંચાડવામાં આવી છે.

બન્યું એવું કે થોડા દિવસ અગાઉ મધ્યપ્રદેશ ભાજપાના કૈલાશ વિજય વર્ગીયના દિકરા આકાશએ ત્યાના લોકલ અધિકારીને કોઇક મુદ્દા પર બેટ વડા ફટકાર્યા હતા એ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા અને ખુદ નરેન્દ્ર મોદીએ આવી ઘટનાઓ ભાજપાની છબી બગાડતી હોવાની ટકોર કરીને આવા નેતાઓને પાર્ટીમાંથી હાંકી કાઢવાની હાકલ કરી હતી.

કૈલાશ વિજયવર્ગીય પુત્ર માટે છબી પરિણામ

ભાજપાના મધ્યપ્રદેશ એકમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટકોરને પગલે આકાશ વિજય વર્ગીયને નોટિસ ફટકારી છે અને આ ઘટના પછી લાઇમલાઇટમાં રહેતા મધ્યપ્રદેશના નેતા વિજય વર્ગીય હાલ કોર્નર કરી દેવાયા છે.

એ પછી મહારાષ્ટ્રમાં પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણેના પુત્ર નીતિશ નારાયણ રાણે કે જે પોતે પણ ધારાસભ્ય છે એણે બિસ્માર માર્ગના મુદ્દે સ્થાનિક અધિકારીને કાદવથી નવડાવીને જાહેરમાં અપમાનિત કર્યા. આ ઘટના બાદ નીતિશ રાણેએ જેલવાસ ભોગવવાનો વખત આવ્યો હતો.

નિતીશ રાણે માટે છબી પરિણામ

 

 

July 8, 2019
weather-forecast.jpg
1min11340
Satellite

સોમવાર, તા.8મી જુલાઇએ સવારે 8 વાગ્યાથી શરૂ થતા આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ભારે વરસાદ થાય તેવી સેટેલાઇટ ઇમેજને સહારે રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે. વલસાડ, નવસારી, સુરત, તાપી, નર્મદા, ભરુચ, વડોદરા, ડાંગ, દાહોદમાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ સિવાય સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દીવ પંથકમાં પણ છૂટો છવાયો વરસાદ થઈ શકે છે.

દક્ષિણ ગુજરાતમાં આમેય છેલ્લા 48 કલાક દરમિયાન વાપી, ઉમરગામ, ડાંગ વગેરે વિસ્તારમાં વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી દીધી છે. હવે મંગળ અને બુધવારના આગામી દિવસોમાં પણ દક્ષિણ ગુજરાતમાં તોફાની વરસાદની સંભાવના દેખાઈ રહી છે.

July 8, 2019
Damanganga01.jpg
1min12610

દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદના પગલે દમણગંગા નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. ઉપરવાસમાંથી પાણી છોડાતા નદી બે કાંઠે વહેવા લાગતા રૌદ્ર રૂપ ધારણ કર્યુ હતું. છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા દક્ષિણ ગુજરાત પર મહેરબાન થતા મધુવન ડેમ ઓવર ફ્લો થતા ડેમના સાત દરવાજા ખોલવામાં આવતા બે લાખ ક્યૂસેક પાણીની આવક થઈ હતી.

daman ganga flood માટે છબી પરિણામ

વાપીના ઉપરવાસ કપરાડા અને ઉમરગામમાં વરસાદના પગલે નદી નાળા બે કાંઠે વહી રહ્યા હતા. દમણગંગાના કિનારે આવતા ગામો અને સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીના લોકોને કાંઠા વિસ્તારથી સલામત સ્થળે ખસી જવાની ફરજ પડી હતી. નદીએ ભયજનક સ્થિતિ વટાવતા તંત્રએ એનડીઆરએફની એક ટીમ તહેનાત રાખી હોવાનું જાણવા મળ્યું હતું.

July 7, 2019
CIA_Live_Logo_New2.jpg
1min6530

જયેશ બ્રહ્મભટ્ટ

ગુજરાતના સૌથી નબળા શિક્ષણ મંત્રી નિવડેલા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના રાજમાં શિક્ષણ ક્ષેત્રના બદમાશ અધિકારીઓ બિન્ધાસ્ત પણે કેવી રમતો રમી જાણે છે તેનો તાજો દાખલો અહીં રજૂ કરી રહ્યો છું.

ગુજરાતમાં જ નહીં દેશમાં મેડીકલ અને ડેન્ટલ એડમિશન પ્રક્રિયા પારદર્શી બનાવવા માટે સુપ્રીમ કોર્ટ થી લઇને કાઉન્સિલો પણ કાર્યરત છે આવી સ્થિતિમાં ગુજરાતના શિક્ષણમાં ઉલ્ટી ગંગા વહી રહી છે. હાલમાં મેડીકલ અને ડેન્ટલ કોર્સના પહેલા વર્ષમાં પ્રવેશની પ્રક્રિયા ચાલી રહી છે. ગુજરાત સરકારે રચેલી પ્રવેશ કમિટીએ ચૂપચાપ પ્રવેશાર્થીઓ પાસે ચોઇશ ફિલિંગ શરૂ કરાવી દીધું છે.

મેડીકલ-પેરામેડિકલ પ્રવેશ સમિતિના અધિકારીઓઓ એ માહિતી દબાવી રાખી છે કે મેડીકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથીમાં કયા અનામત વર્ગના પ્રવેશાર્થીઓ માટે કેટલી સીટ્સ ઉપલબ્ધ છે?, આ માહિતી આપ્યા વગર પ્રવેશ સમિતિ કહે છે કે કાળજીપૂર્વક ચોઇશ ફિલિંગ કરવું, આવું ધુપ્પલ ફક્ત ગુજરાતમાં જ શક્ય બની શકે

આ લખાઇ રહ્યું છે ત્યારે તા.7મી જુલાઇ સવારે 10 વાગ્યે લેવાયેલા એડમિશન કમિટીની વેબસાઇટની સ્ક્રીન શોટ પરની સૂચના ઘણું બધું કહી જાય છે. એડમિશન કમિટીએ વેબસાઇટ પર જણાવ્યું છે કે હાલમાં ચોઇશ ફિલિંગ ચાલુ છે અને પ્રવેશાર્થીઓએ તા.8મી જુલાઇ 2019 સુધીમાં ચોઇશ ફિલિંગ પૂરું કરવું.

હવે સવાલ એ થાય છે કે મેડીકલ એડમિશન કમિટી કોઇપણ પ્રકારના સીટ મેટ્રીક્સ જાહેર કર્યા વગર પ્રવેશાર્થીઓ પાસે ચોઇશ ફિલિંગ કરાવી જ કેવી રીતે શકે.

સીટ મેટ્રીક્સ એટલે જુદા જુદા અનામત વર્ગના વિદ્યાર્થીઓ, ઓપન કેટેગરીના વિદ્યાર્થીઓને કેટલી સીટસ મળે છે. આ વખતે ઇડબલ્યુએસ કેટેગરી નવી ઉમેરવામાં આવી છે. કેટલી મેડીકલ કોલેજોમાં ઇડબલ્યુએસ છે અને કેટલી મેડીકલ કોલેજોમાં નથી એ અંગે કોઇ જ માહિતી પ્રવેશાર્થીઓ પાસે નથી. એક તરફ પ્રવેશ કમિટી એવું કહે છે કે વિદ્યાર્થીઓએ કાળજીપૂર્વક ચોઇશ ફિલિંગ કરવું અને બીજી તરફ, જેના થકી ચોઇશ ફિલિંગ ચોકસાઇથી કરી શકાય એ સીટ મેટ્રીક્સની જ વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

મેડીકલ એડમિશન કમિટીની વેબસાઇટ પર તા.7મી જુલાઇએ સવારે 10 વાગ્યે લેવામાં આવેલા સ્ક્રીન શોટની આ ઇમેજ ઘણું બધું કહી જાય છે. સીટ મેટ્રીક્સ જાહેર કર્યું નથી અને ચોઇશ ફિલિંગ પ્રક્રિયા આ સમયે જારી છે

સૌથી નબળા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહના રાજમાં આ પ્રકારે વાલીઓ વિદ્યાર્થીઓને અંધારામાં રાખીને કહેવાતી પારદર્શક પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રવેશ કમિટી અને સરકાર સાથે સંકળાયેલા કેટલાક ભેજાબાજ અધિકારીઓએ તરકટ રચીને મેડીકલ ડેન્ટલમાં સીટ મેટ્રીક્સ જાહેર થવા દીધું નથી. આવું કરવા પાછળ તેમનો આશય શું હોઇ શકે એ તપાસનો વિષય બન્યો છે.

વાલીઓ અને વિદ્યાર્થીઓ પ્રવેશ કાર્યવાહી અંગે કોઇ ઝાઝી ગતાગમ નથી હોતી પરીણામે જ્યાં  બાંયો ચઢાવવાની છે, તેઓ શાંતિથી બેસી રહે છે અને બિનજરૂરી મુદ્દાઓ પર આંદોલનો છેડી રહ્યા છે.

July 7, 2019
world_semis-1280x720.jpg
1min4950
INDvNZ

ક્રિકેટ વર્લ્ડકપ 2019ની અંતિમ લીગની અંતિમ મેચમાં દક્ષિણ આફ્રીકા અને ઓસ્ટ્રેલિયાની 10 રનથી હરાવ્યું છે. આ મેચના પરિણામ બાદ સેમિફાઈનલમાં કઈ ટીમો આમને સામને આવશે તે નિશ્ચિત થઈ ગયું છે. ભારતીય ટીમ 15 અંકો સાથે ટોપ પર આવી ગઈ છે, એટલે કે ભારત હવે સેમિફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે રહશે. જ્યારે નંબર બે પર રહેલી ઓસ્ટ્રેલિયાની ટક્કર ત્રણ નંબર પર રહેલી ઈંગ્લેન્ડ સામે થશે.

9 જુલાઈએ ભારત અને ન્યુઝીલેન્ડ

11 જુલાઈએ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડની ટક્કર 11 જુલાઈએ બીજી સેમિફાઈનલમાં બર્મિઘમમાં થવાની છે. ઓસ્ટ્રેલિયા નવ મેચમાંથી 7 મેચ જીત્યું છે જ્યારે 2માં તેની હાર થઈ છે, યજમાન ઈંગ્લેન્ડને 9 મેચમાંથી 6 મેચમાં જીત મળી છે જ્યારે 3 મેચમાં હાર થઈ છે.

July 6, 2019
sarita_gayakwad.jpg
1min5770

દક્ષિણ ગુજરાતના આદિવાસી જિલ્લામાંથી વૈશ્વિક સ્તરની એથ્લિટ બનેલી યુવતિ, સરિતા ગાયકવાડે યુરોપ એથ્લેટિક ચેમ્પિયનશીપમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. સરિતાએ 400 મીટરની દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો. તેણે આ દોડ માત્ર 54.21 સેકન્ડમાં જ પૂર્ણ કરી હતી.

સરીતા ગાયકવાડ ડાંગના નાના અમથા કરાંડીઆંબા ગામમાં જન્મીને ત્યાં જ ઉછરી છે. એથ્લેટિક્સ ખાસ કરીને દોડવામાં તેની પારંગતતાને પગલે સમગ્ર ગુજરાતમાં લોકોએ તેને ડાંગ એક્સપ્રેસનું બિરુદ આપ્યું છે.

સરીતા ગાયકવાડ એ 2018માં એશિયન ગેમ્સમાં 4X400ની રીલે ઈવેન્ટમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. ડાંગના એવા ગામ જ્યાં પ્રાથમિક સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી ત્યાંથી સરિતા ગાયકવાડ એ પોતાની સફરની શરૂઆત કરી હતી.

સરિતના ગામમાં વાહન વ્યવહાર પણ નથી. ગામથી ચાર થી પાંચ કિમી દૂર ચાલીએ ત્યારે બસ મળે છે. મોબાઈલ ફોનના ટાવર મેળવવા માટે નજીકના પહાડ પર જવું પડે છે. ત્યારે તમે વિચારી શકો છો કે તેના માટે આ સફર કેટલી કઠિન રહી હશે. પરંતુ આ તમામ અડચણોને પાર કરીને સરિતા દેશને ગૌરવ અપાવી રહી છે. સરિતાના માતા પિતાએ તેની સફળતામાં મોટો ભાગ ભજવ્યો છે. તેમના પિતા ખેત મજૂર તરીકે કામ કરે છે. અને તેઓ દીકરીની સફળતાથી ખૂબ જ ખુશ છે.

સરિતના કોચએ કહ્યું હતું કે, સરિતાએ શૂઝ વગર દોડ લગાવી છે. અને જીતી પણ છે. તેને પહેલા શૂઝ સાથે દોડવું ફાવતું જ નહોતું. પરંતુ બાદમાં તેણે શૂઝ સાથે પ્રેક્ટિસ કરવાની શરૂઆત કરી અને તેને સફળતા મળતી ગઈ. નડિયાદમાં તાલિમ લીધા બાદ તેને પટિયાલામાં નેશનલ કેમ્પમાં જવા મળ્યું અને બાદમાં તેણે જે સિદ્ધીઓ મેળવી તે ખરેખર બિરદાવવા લાયક છે. અત્યાર સુધી તેણે અનેક મેડલ્સ જીત્યા છે. અને હવે તેના ખાતામાં વધુ એક મેડલ મેળવ્યો છે. અને તેની આ દોડ યથાવત રહેશે.

July 6, 2019
world_cup_logo.png
1min7370

૧૨મા વર્લ્ડ કપમાં આજે ભારત એની આખરી લીગ મૅચ રમશે જેમાં એનો મુકાબલો (બપોરે ૩.૦૦થી લાઇવ) પાડોશી રાષ્ટ્ર શ્રીલંકાની ટીમ સાથેે થશે. આજની બીજી અને અંતિમ લીગ મૅચ (સાંજે ૬.૦૦થી લાઇવ) ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે.

જો ભારત આજે શ્રીલંકા સામે જીતશે તો પૉઇન્ટ્સ-ટેબલમાં નંબર વન થઈ જશે અને સેમી ફાઇનલમાં એની ટક્કર ચોથા નંબરના ન્યૂ ઝીલૅન્ડ સાથે થશે.

ભારતની મૅચના આરંભના ત્રણ કલાક બાદ જે મૅચ શરૂ થશે એમાં જો ઍરોન ફિન્ચના નેતૃત્વ હેઠળની ઑસ્ટ્રેલિયાની ટીમ ફૅફ ડુ પ્લેસીના સુકાન હેઠળની સાઉથ આફ્રિકાની ટીમ સામે હારી જશે તો જ ભારતને ટેબલમાં અવ્વલ થવા મળશે. જોકે, એ પહેલાં ભારતે શ્રીલંકાને હરાવ્યું હોવું જોઈશે.

જો પૉઇન્ટ્સ-ટેબલમાં ભારત નંબર વન થઈ જશે તો સેમી ફાઇનલમાં ન્યૂ ઝીલૅન્ડ સામે રમશે અને બીજા નંબર પર ઉતરી જનાર ઑસ્ટ્રેલિયાએ ત્રીજા નંબરના કટ્ટર હરીફ અને વર્લ્ડ કપમાં ચૅમ્પિયન બનવા માટે ફેવરિટ ગણાતા ઇંગ્લૅન્ડ વિરુદ્ધ રમવું પડશે. ભારતીયોને તો કિવીઓ સામે જીતવું આસાન બનશે, પણ કાંગારુંઓએ બ્રિટિશરોને હરાવવા લોઢાના ચણા ચાવવા પડશે.ઉ

July 6, 2019
Mumbai_airport_runway.jpg
1min6040

મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો મેઈન રનવે 88 કલાકે શરૂ થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

સ્પાઈસ જેટનું વિમાન મેઈન એરપોર્ટ પર સ્કીડ થયા પછી એરપોર્ટનો મુખ્ય રનવે બંધ કરવામાં આવ્યો હતો, જેમાં મુંબઈમાં પડેલા ભારે વરસાદને કારણે મુંબઈ એરપોર્ટની ફ્લાઈટ્સની સર્વિસને અસર થઈ હતી. શુક્રવારે બપોરના સાડાત્રણ વાગ્યાના સુમારે સ્પાઈસ જેટના વિમાનને મુખ્ય રનવે પરથી બાજુમાં કરવામાં આવ્યું હતું.

ગયા અઠવાડિયાથી શરૂ થયેલા ભારે વરસાદ વચ્ચે સ્પાઈસ જેટનું વિમાન ઓવરશૂટ થયું હતું, પરંતુ તેમાં કોઈ પ્રવાસીને જાનહાનિ થઈ નહોતી. વિમાન ઓવરશૂટ થયા પછી સ્પાઈસ જેટ તથા એરપોર્ટ ઓથોરિટી દ્વારા વિમાનને રનવે પરથી હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. એર ઈન્ડિયાની ડિસેબલ્ડ એરક્રાફટ રિકવરી કિટ (ડાર્ક) તથા એન્જિનિયર્સ તથા ટેક્નિશિયનની મદદથી સ્પાઈસ જેટના પ્લેનને રનવે પરથી લઈ જવાની કામગીરી કરવામાં આવી હતી. ગુરુવારે સાંજના સ્પાઈસ જેટ વિમાનને કાદવમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી, પરંતુ વિમાનનું ગિયરબોક્સ તૂટવાથી રનવે પરથી બહાર કરી શક્યા નહોતા, પરિણામે આખરે શુક્રવારે બપોરના સાડાત્રણ વાગ્યે રનવે પરથી બહાર કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે રનવે બંધ થવાથી લગભગ 350 જેટલી ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી, જ્યારે અનેક ફ્લાઈટ્સની સર્વિસ મોડી પડી હતી, જેમાં છેલ્લા એર ઈન્ડિયાની મુંબઈ-નેવાર્ક ફ્લાઈટ લગભગ 11 કલાક મોડી પડતા પ્રવાસીઓને હાલાકી પડી હતી.