૧૫મી ઑગસ્ટ એટલે દેશનો સ્વાતંત્ર્ય દિવસ. દેશ માટે આગવું યોગદાન આપવા માટે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિના હાથે વિવિધ મેડલ આપીને પોલીસ અને ફાયર તેમ જ હોમગાર્ડના જવાનોનું સન્માન કરાશે.
૧૫મી ઑગસ્ટના ગુરુવારે થનારા સન્માન કાર્યક્રમમાં ગુજરાતના ૧૩ પોલીસ કર્મચારીઓનું સન્માન કરવામાં આવશે. ગુજરાતના શ્રેષ્ઠ પોલીસ કામગીરી માટે ૧, પ્રશંસનીય કામગીરી માટે ૧૨ પોલીસ કર્મચારીઓનું સન્માન કરવામાં આવશે. ઉપરાંત ૧ ફાયર જવાન અને હોમગાર્ડના ૪ જવાનોનું પણ સન્માન કરવામાં આવશે.
ગાંધીનગર પોલીસ ભવનમાં સીઆઇડી ઇન્ટેલિજન્સ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા શૈલેષ દેવીપ્રસાદ રાવલને શ્રેષ્ઠ પોલીસ કામગીરી માટે રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત કરવામાં આવશે.
ઉપરાંત શબીર અલી સૈયદ કાઝી, ડીવાયએસપી, કચ્છ ગાંધીધામ,
દિલ ચાહતા હૈ કે પછી ઝિંદગીના મિલેગી દૌબારા જેવી બોલીવુડની ફિલ્મોની સ્ટોરીને પણ ટક્કર મારે એવી જીવતી વારતાં જીવવા જઇ રહ્યા છે સુરતના બે મિત્રો.
આ છે સંજય રામાણી, જેઓ તેમના મિત્ર સાથે ભારતના સીમાડાઓના ભ્રમણની બે વર્ષ લાંબી 25 હજાર કિ.મી.ની યાત્રાએ નીકળી રહ્યા છે. આ છે શતાબોર્તા નંદી, જેઓ તેમના મિત્ર સંજય રામાણી સાથે સાથે ભારતના સીમાડાઓના ભ્રમણની બે વર્ષ લાંબી 25 હજાર કિ.મી.ની યાત્રાએ નીકળી રહ્યા છે.
આ બે મિત્રોમાં એકનું નામ છે સંજય રામાણી અને બીજા મિત્ર છે સટાબોર્તા નન્દી. બન્ને વ્યવસાયે આર્કિટેક્ટ છે. બન્ને દેખાવે ઓલિયા ટાઇપ એટલે કે વાળ દાઢી અને બહુ ઓછા બૂટ-શૂટમાં જોવા મળે એવા. બન્ને ઇન્ટેન્સ નેચર લવર અને એટલે જ તેમણે એક જીવતી વારતાં જીવવાનો અવસર ઉભો કર્યો. આવતીકાલ તા.15મી ઓગસ્ટ 2019ને સ્વતંત્રતા પર્વથી આ બન્ને સુરતી મિત્રો એક જીવતી વારતાં જીવવા નીકળી પડશે.
વાત જાણે એમ છે સંજય રામાણી અને શતાબોર્તા નંદી બન્ને સુરતથી નીકળીને ભારતની તમામે તમામ સરહદો પછી ભલે એ સમુદ્રી કિનારે હોય, કોઇ દેશને અડીને આવેલી હોય કે પછી એ સરહદ હિમાલયમાં હોય, ઇનશોર્ટ ભારતની બોર્ડરની પરીક્રમા કરશે, આ પરીક્રમા કરતા તેમને બે વર્ષ જેટલો સમય નીકળી જશે. જીપ્સી જીપમાં તેઓ ભારતની સરહદોની અંદાજે 25 હજાર કિ.મી.ની પરીક્રમા કરશે.
શું કામ ભારતની પરીક્રમા કરશે બે સુરતી મિત્રો
સંજય રામાણી અને શતાબોર્તા નંદી ભારતીય સરહદોના સીમાડાઓ એટલા માટે ખૂંદવા જઇ રહ્યા છે કેમકે તેમણે ભારતમાં પર્યાવરણ જનજાગૃતિનો સંદેશ ફેલાવવો છે. તેમની આ યાત્રાનો હેતુ ભારતની સરહદોની માટી માંથી 300 રનિંગ મીટર લાંબા કેન્વાસ પર એક સોઇલ આર્ટ તૈયાર કરીને વિશ્વને સમર્પિત કરવાનો તેમનો પ્લાન છે. આ સોઇલ આર્ટ સંજય કે શતાબોર્તા નહીં દોરે પણ એ દોરશે ભારતીય સરહદો પર રહેતા ત્યાના લોકલ બાળકો, આ સોઇલ આર્ટમાં કલર હશે પણ એ કલર ભારતના સિમાડાઓની માટીના જ હશે. એવું લાગે છે કે વિશ્વનું આ સૌથી મોટું સોઇલ આર્ટને પણ આકાર આપવા માટે સંજય રામાણી અને શતાબોર્તા નંદી ભારત પરીક્રમણ પર નીકળી રહ્યા છે.
આ નકશા પરથી ખબર પડે છે કે સંજય રામાણી અને શતાબોર્તા નંદીના ભારત પરીક્રમણનો 25 હજાર રનિંગ કિ.મી. લાંબો રૂટ
સુરતના બે આર્કિટેક્ટ મિત્રો, સંજય રામાણી અને શતાબોર્તા નંદી તા.15મી ઓગસ્ટ 2019થી પર્યાવરણ જનજાગૃતિ અભિયાન અન્વયે વિશ્વનું સૌથી મોટું સોઇલ આર્ટ રચવા માટે ભારતના સીમાડાઓના ભ્રમણે નીકળી રહ્યા છે.સંજય રામાણી અને શતાબોર્તા નંદી, બે સુરતી મિત્રો ભારતની તમામ સરહદો પર ફરીને ત્યાના બાળકો પાસે 300 મીટર લાંબા કેન્વાસ પર ત્યાંની માટીથી જ આર્ટ દોરાવશે. આ 300 મીટર લાંબુ કેન્વાસ સુરતમાં તૈયાર કરાવાયું છે, આ કેન્વાસના હેન્ડલિંગ માટે ખાસ ટ્રેનિંગ લેવી પડી છે
15મી ઓગસ્ટ 2019ના રોજ ભારતની સરહદોની પરીક્રમા શરૂ કરશે
સંજય રામાણી અને શતાબોર્તા નંદી પર્યાવરણ જનજાગૃતિ માટે અને ભારતની પ્રત્યેક સરહદો પરની માટીમાંથી એક 300 મીટર લાંબુ વિશ્વનું સૌથી મોટું સોઇલ આર્ટ રચવા માટે તા.15મી ઓગસ્ટ 2019ને સ્વતંત્રતા દિવસે સુરતથી પ્રસ્થાન કરશે. તેઓ જીપ્સી ગાડી તેમની સાથે લઇ જઇ રહ્યા છે. યાત્રા દરમિયાન તેઓ સોશ્યલ મિડીયાથી બિલકુલ કટઓફ થઇ જશે. ફક્ત તેમના મોબાઇલ ફોન કાર્યરત રહશે.
Brief in English
A national art journey
– a ‘Parikrama’, that will bring awareness towards climate via soil art
painting, in the youth of India, and also to benefit numerous under-privileged
children in our country.
Two men carrying an empty canvas scroll of 300 metres are taking a 2 year
long parikrama of India, travelling 25000 kms through various
places.
Wherever they go, the children of those places will paint this
canvas with soil extracted from their local land.
This mega soil-artwork will spread global awareness on
Climate Conservation through Indian Art and Culture.
ગુજરાતની એડમિશન કમિટીએ આપેલા પ્રવેશનું એનાલિસીસ કરતા જાણવા મળે છે કે સરકારી મેડીકલ કોલેજ કે જ્યાં સૌથી સસ્તી ફી હોય છે ત્યાં પ્રવેશ મેળવવા માટે નિર્ધારિત મેરીટ મેળવવામાં છોકરીઓ આ વર્ષે નિષ્ફળ નિવડી છે.
સરકારી કોલેજોમાં 70 ટકા બેઠકો પર બોયઝ (મેલ), છોકરાઓને પ્રવેશ
સરકારી કોલેજોમાં ફક્ત 30 ટકા બેઠકો પર ગર્લ્સ (ફિમેલ), છોકરીઓને પ્રવેશ
કુલ 6 સરકારી કોલેજોમાં એમબીબીએસની 1265 બેઠકો (C.I.A. Live)
882 બોયઝ અને 383 ગર્લ્સને સરકારી એમબીબીએસની સીટ પર પ્રવેશ મળ્યો
સેમી ગવર્નમેન્ટ મેડીકલ કોલેજોની સ્થિતિ
અર્ધ સરકારી (સેમીગવર્ન્મેન્ટ) મેડીકલ કોલેજોમાં આ વખતે કુલ 1600 બેઠકો પર ગુજરાત સરકારની એડમિશન કમિટીએ પ્રવેશ ફાળવ્યા છે. જેમાં બોયઝ (મેલ) છોકરાઓની સંખ્યા 951 (59.43 ટકા) જ્યારે ગર્લ્સ (ફિમેલ), છોકરીઓની સંખ્યા 649 (40.56 ટકા) છે. (C.I.A. Live)
ગુજરાતમાં આવેલી મેડીકલ કોલેજોમાં તમામે તમામ બેઠકો પર પ્રવેશ અપાઈ ગયા બાદ સરકારની પ્રવેશ સમિતિએ ઘોષણા કરી દીધી છે કે એમ.બી.બી.એસ.માં પ્રવેશ કાર્યવાહી પૂર્ણ થઇ ચૂકી છે હવે એકપણ બેઠક ખાલી પડી નથી.
સૌથી ખર્ચાળ સેલ્ફ ફાઇનાન્સ મેડીકલ કોલેજોની સ્થિતિ
ગુજરાતમાં આવેલી સેલ્ફ ફાઇનાન્સ મેડીકલ કોલેજોની 1710 એમબીબીએસ બેઠકો પર પ્રવેશ ફાળવવામાં આવ્યા છે. જેમાંથી 52 ટકા એટલે કે 888 બેઠકો પર બોયઝ (મેલ) છોકરાઓને પ્રવેશ મળ્યા છે જ્યારે 48 ટકા એટલે કે 822 બેઠકો પર ગર્લ્સ (ફિમેલ) છોકરીઓને પ્રવેશ મળી શક્યા છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે સેલ્ફફાઇનાન્સ મેડીકલ કોલેજોમાંથી એમબીબીએસ કરવું એટલે ઓછામાં ઓછા રૂ.30લાખથી રૂ.80લાખ જેટલો ખર્ચ ફક્ત ફીનો થાય છે. (C.I.A. Live)
2019માં ગુજરાતની તમામ મેડીકલ કોલેજોમાં છોકરા-છોકરીઓની સંખ્યા
ગુગલ એનાલિટીક્સએ જાહેર કરેલા આંકડાઓ મુજબ ભારતીયો ગુગલ સર્ચ એન્જિન પર સૌથી વધુ જો કોઇને સર્ચ કરતા હોય તો એ એક વખતની પોર્ન સ્ટાર અને બાદમાં બોલિવુડની એક્ટ્રેસ બનેલી સન્ની લિયોની છે. સન્ની લિયોનીએ ગુગલ સર્ચમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સલમાન ખાનને પણ પાછળ પાડી દીધા છે.
ગુગલ એનાલિટીક્સએ જારી કરેલા રસપ્રદ આંકડાઓ મુજબ ગુગલ સર્ચ પર ભારતીયો જો સૌથી વધુ સર્ચ કોઇને કરતા હોય તો એ છેલ્લા એક વર્ષમાં સન્ની લિયોની છે. સન્ની લિયોની અને તેના વિડીયો માટે ભારતીયોએ કરોડો વખત ગુગલ સર્ચ કર્યું છે.
ગૂગલ ટ્રેડ એનાલિટિક્સ અનુસાર સન્ની સાથે જોડાયેલા મોટાભાગના સર્ચ વીડિયો સંબંધના છે. આ ઉપરાંત તેની બાયોપિક સિરિઝ પણ લોકો શોધી રહયા છે. સન્ની વિશે વધુ સર્ચ પૂર્વોત્તરના રાજય મણિપુર અને આસામમાંથી થાય છે. ટોચ પર બની રહેવા પર સન્ની લિયોનીએ કહયું હું આ સફળતાનો શ્રેય મારા ચાહકોને આપું છું. ગયા વર્ષ સૌથી વધુ સર્ચ થનારી હસ્તીઓની સૂચિમાં સન્ની લિયોની ન હતી. જયારે 2017માં મોસ્ટ સચર્ડ પર્સન હતી.
આશ્ચર્યની વાત એ છે કે ગુગલ સર્ચ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બીજા નંબરે આવે છે અને સલમાન ખાન ત્રીજા નંબરે છે ભારતીયોના સર્ચ લિસ્ટ પર.
ઓગસ્ટ 2019માં પૂરા થતા ચાલુ કેલેન્ડર વર્ષના અત્યાર સુધીના સમયગાળામાં ઇન્ડીયન સર્ચમાં પ્રથમ પાંચમાં ત્રણ સ્થાનો પર બોલીવુડની એક્ટ્રેસ છે, ટોપ ફાઇવમાં બીજા ક્રમે નરેન્દ્ર મોદી અને ત્રીજા ક્રમે સલમાન ખાન છે.
ઇન્ડિયા ગૂગલ સર્ચમાં આ વર્ષે ઓગસ્ટના પહેલા સપ્તાહ સુધી સૌથી વધુ સર્ચ થનાર જાણીતી હસ્તીઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન અને શાહરૂખ ખાનને પાછળ રાખીને બોલ્ડ હિરોઇન સન્ની લિયોની ટોચ સ્થાને છે.
દર વર્ષે સ્વતંત્રતા પર્વની પૂર્વ
સંધ્યાએ કેંદ્ર અને રાજ્ય સરકારો દ્વારા સાહસ, શૌર્ય માટે જુદાજુદા વીરતા
પુરસ્કારોની જાહેરાત કરવામાં આવે છે. આવી જ એક જાહેરાતના ભાગરૂપે કેન્દ્ર સરકારે
ભારતના નેશનલ હીરો બનેલા વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને વીર ચક્રથી
સન્માનિત કરવાની ઘોષણા કરી હતી છે. પુલવામા હુમલા બાદ પીઓકેમાં ત્રાસવાદી છાવણીઓ
પર ભારતની એરસ્ટ્રાઇક્સ વખતે વિંગ કમાન્ડર અભિનંદને એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાનના F-16 વિમાનને તોડી પાડ્યું હતું. અને તેમનું પણ વિમાન આ ઘર્ષણમાં તૂટી
પડ્યું હતું. તેઓ પાકિસ્તાનમાં યુદ્ધ કૈદી તરીકે ઝડપાઇ ગય હતા. એ સમયે તેમણે એક
ભારતીય સૈનિકની શાન વધારતા શૌર્યને પ્રદર્શિત કર્યું હતું.
એર સ્ટ્રાઈક બાદની કાર્યવાહી દરમિયાન
પાકિસ્તાને વિંગ કમાન્ડર અભિનંદનને કેદ કરી લીધા હતા, પણ ભારતના કુટનીતિ પ્રયાસો બાદ પાકિસ્તાને તેમને છોડવા માટે વિવશ
થવું પડ્યું હતું.
અભિનંદન સિવાય સ્ક્વૉડ્રન લીડર મિન્તી
અગ્રવાલને યુદ્ધ સેવા મેડલથી સન્માનિત કરાયા છે. મિન્તને આ પુરસ્કાર બાલાકોટ
એરસ્ટ્રાઈક બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે હવાઈ સંઘર્ષ દરમિયાન આપવામાં આવેલા
યોગદાન બદલ આપવામાં આવ્યો છે.
વેસ્ટ ઇન્ડિઝ સામેની પ્રથમ વન-ડે વરસાદને કારણે ધોવાઈ ગયા બાદ બીજી મૅચ જીતી લીધા બાદ ભારત આજે ત્રીજી અને છેલ્લી વન-ડે (સાંજે ૭.૦૦થી લાઇવ) રમશે જે જીતીને ભારતીયો ૨-૦થી વ્હાઇટવૉશ કરવા કોઈ કસર બાકી નહીં રાખે.
શિખર ધવન કૅરેબિયનો સામેની ટી-ટ્વેન્ટી સિરીઝમાં માત્ર ૧, ૨૩, અને ૩ રન બનાવી શક્યો હતો તેમ જ બીજી વન-ડેમાં બે રનમાં આઉટ થઈ ગયો હોવાથી હવે તેના પર આજે સફળ થવા માટે જોરદાર દબાણ રહેશે. એ ઉપરાંત, મિડલ-ઑર્ડરમાં રિષભ પંત તથા શ્રેયસ ઐયર વચ્ચે પણ સફળતા માટેની હરીફાઈ થશે. શ્રેયસે ગઈ વન-ડેમાં ૬૮ બૉલમાં ૭૧ રનના યોગદાનનો ઝમકદાર પર્ફોર્મન્સ નોંધાવ્યો હતો.
ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્સ ઓફ ઇન્ડિયા દ્વારા ગત મે 2019માં લેવામાં આવેલી ફાઉન્ડેશન અને ફાઇનલ્સ પરીક્ષાના પરીણામો આજે સાંજે ઇન્ટરનેટ પરથી જાહેર કરવામાં આવ્યા હતા.
સુરતના ખ્યાતનામ સી.એ. કોચ રવિ છાવછરીયા પાસેથી કોચિંગ લઇને આજરોજ તા.13મી ઓગસ્ટ 2019ના રોજ સી.એ. બનેલા દેશના ટોચના 50 સી.એ. પૈકી ડાબેથી ચેક્સ શર્ટમાં તનુજ રૂઇઆ જેમણે લાન્સર્સ આર્મી સ્કુલમાંથી ધો.12 પાસ કર્યું હતું જ્યારે બ્લ્યુ શર્ટમાં રત્નકલાકાર પરિવારમાંથી આવતા અને આશાદીપ સ્કુલમાંથી ધો.12 પાસ કરનાર યશ છોડવડીયા દ્રશ્યમાન છે.
સુરત સી.એ.નું હબ છે, આખા દેશમાંથી વિદ્યાર્થીઓ સી.એ. બનવા માટે સુરત આવી રહ્યા છે. સુરતમાં સી.એ.નું સૌથી બેસ્ટ કોચિંગ આપતા રવિ છાવછરીયાના અનેક વિદ્યાર્થીઓ આજે સી.એ. ફાઉન્ડેશન અને ફાઇનલ્સમાં પાસ થયા છે.
સી.એ. કોચિંગ ઇન્સ્ટિટ્યુટ ચલાવતા રવિ છાવછરીયાએ જણાવ્યું હતું કે તેમની પાસે કોચિંગ મેળવનાર ઉમેદવારો પૈકી બે સી.એ. ફાઇનલ્સ અને એક સી.એ. ફાઉન્ડેશનમાં દેશના ટોચના 50 વિદ્યાર્થીઓમાં સ્થાન પામ્યા છે.
સી.એ. ફાઇનલ્સમાં રવિ છાવછરીયા પાસે કોચિંગ લેનાર તનુજ રૂઇઆએ કુલ 562 માર્કસ હાંસલ કરીને આખા ભારતમાં 15મો ક્રમ મેળવ્યો છે જ્યારે વરાછા રોડ પર રત્નકલાકાર પરિવારના વિદ્યાર્થી યશ છોડવડીયાએ સી.એ. ફાઇનલ્સમાં 535 માર્કસ મેળવીને સમગ્ર દેશમાં 24મો ક્રમ હાંસલ કર્યો છે.
તનુજ રુઇઆ લાન્સર્સ આર્મી સ્કુલ ગુજરાત બોર્ડમાંથી ધો.12 કોમર્સ પાસ થયા હતા.
યશ છોડવડીયા નાના વરાછાની આશાદીપ ગ્રુપ ઓફ સ્કુલ્સમાંથી ધો.12 કોમર્સ પાસ થયા હતા.
સી.એ. ફાઉન્ડેશનમાં રવિ છાવછરીયાનું કોચિંગ મેળવનાર અનેક વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક પરીક્ષા પાસ કરી છે. આ પૈકી આદિત્ય સરાફએ 299 માર્કસ મેળવીને દેશભરમાં ટોપ 50 પૈકી 38મો ક્રમ હાંસલ કર્યો છે.
દેશમાં ઇલેક્ટ્રિક વાહનોને ગતિ મળે તે માટે મહાવિતરણ, ટાટા પાવર જેવી કંપનીઓ મુંબઇ સહિત ચાર મહત્ત્વનાં શહેરોમાં ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવામાં આવશે. પર્યાવરણને થતા નુકસાનમાં ઘટાડો થાય અને ઇંધણની પણ બચત થાય તે માટે ઇલેક્ટ્રિક વાહનોના વપરાશ માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું હોવાનું સંબંધિત અધિકારીએ જણાવ્યું હતું. મહાવિતરણ ૫૦૦ અને ટાટા કંપની દ્વારા ૩૦૦ વેહિકલ ચાર્જિંગ સ્ટેશન બનાવશે. પર્યાવરણને હાનિ ન પહોંચે અને ઇંધણની પણ બચત થાય તે માટે ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યામાં વધારો થાય તે માટે આ પગલું ઉઠાવવામાં આવી રહ્યું છે.
આવતા વર્ષના અંત સુધી વેગવાન ચાર્જિંગની સુવિધા આપનારા ૩૦૦ ચાર્જિંગ સ્ટેશન મુંબઇ સહિત પુણે, બૅંગ્લોર, દિલ્હી અને હૈદરાબાદ જેવાં પાંચ મહત્ત્વના શહેરોમાં ઊભાં કરાશે. પુણેમાં સાત સ્ટેશનો કાર્યરત કરવામાં આવ્યાં બાદ વધુ ૪૫ સ્ટેશનો બાંધવામાં આવશે. મુંબઇમાં હાલમાં ૪૨ ઇલેક્ટ્રિક વેહિકલ સુવિધાનાં કેન્દ્રો આવેલાં છે.
મહાવિતરણના ૫૦૦ સ્ટેશનના પ્રસ્તાવને મંજૂરી મળી હોવાથી મુંબઇમાં ચાર, થાણેમાં છ, નવી મુંબઇમાં ચાર, પનવેલમાં ચાર, મુંબઇ-પુણે એક્સપ્રેસ હાઇવેમાં ૧૨ એમ અન્ય સેન્ટર માટેના ઓર્ડર કૉન્ટ્રાક્ટરને આપવામાં આવ્યા છે. મહાવિતરણ આ પ્રકલ્પ માટે ૨.૫૦ લાખ રૂપિયાનો ખર્ચ કરશે. ઇલેક્ટ્રિક વેહિકલ ચાર્જ કરવા માટે ૪૫ મિનિટથી એક કલાક જેટલો સમય લાગે છે.
ઇલેક્ટ્રિક વેહિકલ ચાર્જિંગ સ્ટેશનના દર પ્રતિ યુનિટ છ રૂપિયાના ભાવે આકરવામાં આવે છે. તેમ જ રાત્રે ૧૦થી સવારે છ વાગ્યાના સમયગાળા દરમિયાન આ દરમાં એક રૂપિયા સુધીની વિશેષ છૂટ આપવામાં આવે છે.
ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્સ ઓફ ઇન્ડિયાએ
તેની વેબસાઇટ પર જાહેર કર્યું છે કે સી.એ. ફાઇનલ્સ જુનો અને નવો કોર્સ બન્ને તેમજ
સી.એ. ફાઉન્ડેશનની પરીક્ષાનું પરીણામ તા.13મી ઓગસ્ટ મંગળવારે સાંજે અથવા તો
મોડામાં મોડું તા.14મી ઓગસ્ટ 2019ના રોજ જાહેર કરી દેવામાં આવશે.
પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને તેમનું વ્યક્તિગત
પરીણામ ઇમેલ, વ્હોટ્સએપ, એસ.એસ.એસ. વગેરેથી મળી શકશે. આઇ.સી.એ.આઇ.ની બે વેબસાઇટ્સ
પરથી પણ પરીણામો જાણી શકાશે.
The Institute of Chartered Accountants of India (ICAI) is
likely to declare the Chartered Accountants Final Examination (Old course & New Course) and Foundation Examination
results either on Tuesday evening (August 13, 2019) or on Wednesday (August 14,
2019).
Along with the CA final and foundation results, the ICAI
will also release
the All India merit (up to the 50th Rank), which can be
accessed by candidates on the official websites – icaiexam.icai.org,
caresults.icai.org and icai.nic.in.
For accessing the result at the above mentioned websites the
candidate will have to enter his/her registration no. or PIN no. along with
his/her roll number.
The Final Examination (Old course & New Course) and
Foundation Examination were held in May-June 2019.
Candidates will also get the CA final and foundation results
on their registered e-mail IDs. To register their request, candidates should
visit the official website – icaiexam.icai.org. All those registering their
requests will be provided their results through email on the e-mail addresses
immediately after the declaration of the result.
Candidates can also pull in their Final Examination (Old
course & New Course) and Foundation Examination May-June 2019 results with
marks through SMS.
For getting results through SMS candidates should type:
i) For Final Examination result the following:-
Final Examination (Old Course)
CAFNLOLD (space) XXXXXX (Where XXXXXX is the six digit Final
examination roll number of the candidate), e.g. CAFNLOLD
000128
Final Examination (New Course)
CAFNLNEW (space) XXXXXX (Where XXXXXX is the six digit Final
examination roll number of the candidate), e.g. CAFNLNEW
000128
ii) For Foundation Examination result the following:-
CAFND (Space) XXXXXX (where XXXXXX is the six digit
Foundation Examination roll number of the candidate), e.g. CAFND
000171 and send the message to: 58888 – for all mobile
services.
નાણાકીય વર્ષનાં પહેલા ત્રિમાસિકગાળામાં દેશની સોનાની આયાત ગત સાસના સમાનગાળાના ૮.૪૫ અબજ ડૉલર સામે ૩૫.૫ ટકાથી વધીને ૧૧.૪૫ અબજ ડૉલરની સપાટીએ રહી હોવાથી ચાલુ ખાતાની ખાધ પણ દબાણ હેઠળ રહી હોવાનું વાણિજ્ય મંત્રાલયે એક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે.
સમીક્ષા હેઠળના સમયગાળામાં ચાલુ ખાતાની ખાધ અર્થાત્ નિકાસ અને આયાત વચ્ચેનો તફાવત જીડીપીના ૨.૧ ટકા અથવા તો ૫૭.૨ અબજ ડૉલરના સ્તરે રહી હતી. જે ગત સાલના સમાનગાળામાં જીડીપીના ૧.૮ ટકા અથવા તો ૪૮.૭ અબજ ડૉલરના સ્તરે રહી હતી. સોનાની આયાતમાં વધારો થતાં આ સમય દરમિયાન દેશની વેપારી ખાધ ગત સાલના સમાનગાળાના ૪૪.૯૪ અબજ ડૉલર સામે વધીને ૪૫.૯૬ અબજ ડૉલરની સપાટીએ રહી હતી. ગત જાન્યુઆરીથી જૂન સુધીમાં એકમાત્ર ફેબ્રુઆરી મહિનામાં સોનાની આયાતમાં અંદાજે ૧૧ ટકાનો ઘટાડો થયો હતો, આ સિવાય આયાતમાં દ્વિઅંકી સંખ્યામાં જ વૃદ્ધિ જોવા મળી છે. દેશમાં જ્વેલરી ઉદ્યોગની માગ સંતોષવા માટે વર્ષે અંદાજે ૮૦૦થી ૯૦૦ ટન સોનાની આયાત થાય છે. સોનાની આયાતની વેપારી ખાધ તેમ જ ચાલુ ખાતાની ખાધ પર નકારાત્મક અસર પડતી હોવાથી સરકારે આયાત નિયંત્રણમાં રાખવા માટે આ વર્ષનાં અંદાજપત્રમાં સોના પરની આયાત જકાત જે ૧૦ ટકા હતી તે વધારીને ૧૨.૫૦ ટકા કરી હતી. ઉદ્યોગનાં નિષ્ણાતોના મતાનુસાર ઊંચી આયાત જકાતને કારણે આ ક્ષેત્રનાં વેપારીઓ તેનાં ઉત્પાદનના એકમો પાડોશી દેશોમાં ખસેડે તેવી શક્યતા પ્રબળ બની છે. જોકે, જેમ્સ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે પણ આયાત જકાતમાં થયેલા વધારા સામે નારાજગી વ્યક્ત કરી છે. ગત નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં દેશની સોનાની આયાત મૂલ્યની દૃષ્ટિએ ત્રણ ટકા ઘટીને ૩.૨૮ અબજ ડૉલરની સપાટીએ રહી હતી.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.