ભારતનો ૧૯ વર્ષીય ટૅલન્ટેટ ટેસ્ટ-ઓપનર પૃથ્વી શૉ ડોપ-ટેસ્ટમાં ફેઇલ જતાં ક્રિકેટ બોર્ડે તેના રમવા પર આઠ મહિનાનો (૨૦૧૯ની ૧૬ માર્ચથી ૧૫ નવેમ્બર સુધીનો) પ્રતિબંધ મૂક્યો છે. તેના પરના પ્રતિબંધને સાડાચાર મહિના થઈ ગયા છે અને હવે ફક્ત સાડાત્રણ મહિના બાકી છે. જોકે, તે સાઉથ આફ્રિકા સામેની શ્રેણીમાં અને બંગલાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં નહીં રમી શકે.
પૃથ્વીએ ફેબ્રુઆરીમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ટી-ટ્વેન્ટી ટુર્નામેન્ટ દરમિયાન ક્રિકેટ બોર્ડના તપાસકારોને ડોપ-ટેસ્ટિંગ પ્રોગ્રામ હેઠળ યુરિન સૅમ્પલ આપ્યું હતું જેમાં ટર્બ્યુટલાઇન નામનું દ્રવ્ય હોવાનું રિપોર્ટમાં આવ્યું હતું. વિશ્ર્વસ્તરના સ્પોર્ટ્સ ક્ષેત્રે આ દ્રવ્ય પ્રતિબંધિત છે, પરંતુ એ કેટલાક કફ સિરપમાં વપરાય છે અને પૃથ્વીએ કફ થતાં અજાણતાં ટર્બ્યુટલાઇનના સમાવેશવાળું સિરપ પીધું હતું. તે ઈજાની સારવાર પણ લઈ રહ્યો હતો.
૧૯ વર્ષીય ઓપનરે અજાણતાં પ્રતિબંધિત ટર્બ્યુટલાઇન લીધું હતું
પૃથ્વીએ ક્રિકેટ બોર્ડને ખુલાસામાં કહ્યું હતું કે તેણે પર્ફોર્મન્સ સુધારવાના હેતુથી નહીં, પણ કફમાંથી મુક્તિ મેળવવા આ સિરપ પીધું હતું. પૃથ્વીએ આ ‘લાપરવાહી’ કબૂલી લીધી હોવાના અભિગમને બોર્ડે આવકાર્યો છે. જોકે, નિયમ મુજબ તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પૃથ્વીની સાથે બીજા બે ડોમેસ્ટિક પ્લેયરો અક્ષય દુલારવર (વિદર્ભ) તથા દિવ્ય ગજરાજ (રાજસ્થાન)થી પણ ડોપિંગને લગતા નિયમોનો ભંગ થયો છે.
Book about Consumer Protection and gavel in a court.
લોકસભાએ મંગળવારે ગ્રાહક સુરક્ષા ખરડા, ૨૦૧૮ને પસાર કર્યો હતો. આ ખરડો રાજ્યસભામાં પસાર થયા તે પછી ગ્રાહક સુરક્ષા ધારા, ૧૯૮૬નું સ્થાન લેશે.
ગ્રાહક સુરક્ષા ખરડા, ૨૦૧૮માં ગ્રાહકો ખામીવાળા માલસામાન કે સેવાની વધુ સારી રીતે ફરિયાદ કરી શકે એવી જોગવાઇ છે.
કેન્દ્રના અન્ન અને ગ્રાહકોની બાબતોને લગતા ખાતાના પ્રધાન રામવિલાસ પાસવાને જણાવ્યું હતું કે ખરડાનો હેતુ ગ્રાહકોની ફરિયાદ જલદી ઉકેલવાનો છે.
લોકસભામાં વિપક્ષે રજૂ કરેલા બધા સુધારા નકારી કઢાયા તે પછી આ ખરડો પસાર કરાયો હતો.
રાજ્યભામાં ગયા વર્ષના ડિસેમ્બરમાં આ ખરડો પસાર થઇ નહોતો શક્યો અને તેથી તેની મુદત પૂરી થઇ ગઇ હતી. હવે આ નવો ખરડો ફરી રાજ્યસભામાં મોકલાશે.
ગ્રાહક સુરક્ષા ખરડા, ૨૦૧૮માં ગ્રાહકોના અધિકારોનું રક્ષણ કરવા કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા સત્તામંડળ રચવાની પણ જોગવાઇ છે.
નવા ખરડામાં ખામીવાળા માલસામાનને પાછો લેવાની અને તેનું પૂરું રિફંડ આપવાની પણ જોગવાઇ છે.
પાસવાને જણાવ્યું હતું કે ગેરમાર્ગે દોરતી જાહેરખબરો આપનારાઓ સામે પગલાં લેવાની આ ખરડામાં જોગવાઇ છે.ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના સાંસદ રાજીવપ્રતાપ રુડીએ વીજળી પુરવઠો ખંડિત થાય અને કૉલ ડ્રૉપ કરાય તો એવા સંજોગમાં પણ ગ્રાહકોને લાભ આપતી જોગવાઇનો આ ખરડામાં સમાવેશ કરવાની માગણી કરી હતી.
કૉંગ્રેસ, દ્રમુક, બસપ સહિતના વિપક્ષોએ આ ખરડાનો વિરોધ કર્યો હતો.
તા.30મી જુલાઇ 2019નો દિવસ સુરતીઓને હંમેશા યાદ રહેશે. સુરતમાં મધરાતથી શરૂ થયેલો વરસાદ આખો દિવસ ઝરમરીયા અને ક્યારે ઝાપટા સાથે સુરતીઓને ભીંજવી રહ્યો હતો. એવામાં શહેરના મેયર ડો.જગદીશ પટેલ પણ પોતાને રોકી શક્યા ન હતા અને તેઓ પહોંચ્યા હતા, વિયર કમ કોઝ-વે ખાતે. આમ તો રાહદારીઓ માટે કોઝવે બંધ કરાયો હતો. પરંતુ, મેયર ડો. જગદીશ પટેલએ નિરીક્ષણ કરવા માટે ખુદ કોઝવે પરથી ફરી વળેલા પાણીમાં પહોંચ્યા હતા. એ વેળાની તસ્વીર. કોઇપણ શોખીન સુરતીને આ જ રીતે પાણી વચ્ચે જવાનું મન થાય એ સાહજિક અને સ્વાભાવિક છે. આમેય આજે તા.30મી જુલાઇને મંગળવારને શોખીન સુરતીઓએ કામધંધા છોડીને વરસાદને જ માણ્યો છે
તા.30મી જુલાઇ 2019નો દિવસ સુરતીઓ માટે એવો માહોલ લઇને આવ્યો હતો કે જેની સુરતીઓ દર ચોમાસે રાહ જોતા હોય છે. આજે આખો દિવસ વરસાદી માહોલ એટલે સુરતીઓને જાણો હિલ સ્ટેશન નો અનુભવ કરાવતા હોય. હજારો શોખીન સુરતીઓ જાણે આજનો દિવસ પાછો ન આવવાનો હોય એ રીતે કામકાજથી અળગા રહ્યા હતા. ભૂસા, ભજીયા, ફાફડાની જયાફત ઉડાડવા માટે સુરતીઓને બહાનું જોઇતું હોય અને આજના વરસાદભર્યા દિવસ જેવું બહાનું એટલે સોનામાં સુગંધ ભળે.
તા.30મી જુલાઇ 2019ના રોજ સાંજે સુરત શહેરના મેયર ડો. જગદીશ પટેલ વરસાદી માહોલ વચ્ચે વિયર કમ કોઝવે પર પહોંચ્યા હતા. રાંદેર અને સિંગણપોરને જોડતા કોઝવે પરથી પાણી ફરી વળતા વાહનચાલકો, રાહદારીઓ માટે કોઝવે બંધ કરાયો હતો. મેયર નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા, એ વેળાએ સુરતના સિનિયર જર્નલિસ્ટ વીટીવીના સુરતના પ્રતિનિધિ શ્રી શૈલેષભાઇ ત્રિવેદી અને વીટીવીના ક્રુએ કોઝવે પર જ તેમનો ઇન્ટરવ્યુ લીધો હતો.
વધુમાં સુરતમાં વરસાદી માહોલ વચ્ચે સારા સમાચાર એ પણ આવ્યા કે એક કરોડથી પણ વધુ લોકોના પીવાના પાણીના એકમાત્ર સ્ત્રોત ઉકાઇ ડેમમાં પાણીની સપાટીમાં પાંચ ફૂટનો વધારો જોવા મળ્યો છે. આજરોજ મંગળવાર સવારથી આ ડિસ્ચાર્જમાં ઘટાડો કરીને હથનુરના 11 ગેટ બંધ કરવામાં આવ્યા છે. હાલ 30 ગેટમાંથી કુલ 75 હજાર ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જ્યારે ઊકાઈ ડેમાં 86 હજાર ક્યૂસેકની આવક સાથે ડેમની સપાટીમાં સડસડાટ પાંચ ફૂટનો વધારો નોંધાયો છે.
મંગળવાર, તા.30મી જુલાઇએ બપોરે 1 કલાકો સપાટી 285.12 ફૂટ નોંધાઈ છે. ઊકાઈમાં 86,725 ક્યુસેકની આવક સામે માત્ર 600 ક્યુસેક ડિસ્ચાર્જ થઈ રહ્યો છે. ગત બે દવિસમાં ઊકાઈની સપાટીમાં પાંચ ફૂટ જેટલો વધારો નોંધાયો છે અને આગામી બે-ત્રણ દિવસ સુધી ઊકાઈમાં પાણીની આવક ચાલુ હોવાથી ડેમની સપાટીમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની આબરૂના ધજાગરા ઉડાડતી ઘટના મોડે મોડે પ્રકાશમાં આવી છે. ગુજરાત બોર્ડે એન.સી.ઇ.આર.ટી.ના વિદ્યાર્થીઓને તાજેતરમાં લીધેલી પૂરક પરીક્ષામાં હાથથી લખેલા પ્રશ્નપત્રો આપતા મોટો વિવાદ થયો છે.
બુદ્ધિજીવીઓ અને આચાર્યો એ તો બોર્ડની આ હરકતને તેની વિશ્વસનીયતા જોખમમાં મૂકવાનું પગલું ગણાવ્યું છે. મળતી માહિતી મુજબ એન.સી.ઇ.આર.ટી.નો સિલેબસ ભણાવવાની બાબત ગુજરાત બોર્ડના પાઇલોટ પ્રોજેક્ટમાં સમાવિષ્ટ છે અને તેના મર્યાદિત વિદ્યાર્થીઓ માટે તાજેતરમાં પૂરક પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં બોર્ડ દ્વારા હાથથી લખેલા પ્રશ્નપત્રો આપવામાં આવ્યા હતા.
પ્રશ્નપત્રોની ઇમેજ અમને આ મુજબ મળી હતી
આ પ્રકારના હાથી લખેલા પ્રશ્નપત્રો આપવામાં આવતા વિદ્યાર્થીઓ ડઘાઇ જવા પામ્યા હતા. બોર્ડના કેટલાક અધિકારીઓએ એવો વાહિયાત ખુલાસો કર્યો હતો કે પરીક્ષાર્થીઓની સંખ્યા સાવ ઓછી હોવાથી પ્રશ્નપત્રો ટાઇપ કરાયેલા ન હતા.
જાણકારો અને આચાર્યો કહે છે કે ભલે એક પરીક્ષાર્થી કેમ ન હોય બોર્ડે પ્રશ્નપત્ર તો ઠીકઠાક આપવું જોઇએ. એન.સી.ઇ.આર.ટી.ની પરીક્ષામાં જે હાથથી લખેલા પ્રશ્નપત્ર આપવામાં આવ્યા હતા તેમાં ભૂલો પણ અનેક હતી. એવું જણાય આવ્યું હતું કે આ પરીક્ષા લેવામાં બોર્ડના અધિકારીઓએ નકરી વેઠ જ ઉતારી હતી.
આ પ્રકારના હાથથી લખેલા પ્રશ્નપત્રો અને ભૂલભરેલા પ્રશ્નપત્રો મળવાના કારણે ખુદ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પણ ડઘાઇ જવા પામ્યા છે. હવે તો સ્કુલો પણ પોતાની પરીક્ષા પ્રિન્ટેડ અને સુવાચ્ય અક્ષરોવાળા પ્રશ્નપત્રોથી લેતી હોય છે ત્યારે બોર્ડએ અધોગતિ કરી હોય તેવું આ ઘટના પરથી જણાય આવે છે.
Truecaller મોબાઇલ
એપ જેવી એપ વાપરતા હોવ તો ચેતી જજો, આમેય Truecaller મોબાઇલ
એપ ડાઉનલોડ થવાને કારણે તમારા મોબાઇલ ફોનનો ડેટા એક્સેસ કંપનીને મળી જાય છે પરંતુ,
આજે Truecaller મોબાઇલ એપ યુઝર્સ સાથે જે થયું એ મોટા ખતરાની
ઘંટડી સમાન હતું. આવો જાણો શું થયું હતું.
Truecaller મોબાઇલ એપના વપરાશકર્તા આજે સવારે અચાનક જ આશ્ચર્યમાં મૂકાય ગયા હતા કેમકે Truecaller પરથી એક એવો મેસેજ પાસ કરવામાં આવ્યો હતો જેમાં આઇ.સી.આઇ.સી.આઇ. બેંકની યુપીઆઇ સર્વિસનું રજિસ્ટ્રેશન ઓટોમેટિકલી શરૂ થઇ જતું હતું. Truecaller યુઝર આઇ.સી.આઇ.સી.આઇ. બેંકના કસ્ટમર હોય કે ન હોય, આવી પ્રોસેસ શરૂ થ જતા યુઝર્સને એવી પણ શંકા ગઇ કે તેઓ સાઇબર ક્રાઇમનો શિકાર તો નથી બની રહ્યા ને. બીજી તરફ Truecaller યુઝર્સ કે જેઓ આઇ.સી.આઇ.સી.આઇ. બેંક અકાઉન્ટ હોલ્ડર છે તેમની તો મુશ્કેલીનો પાર જ ન રહ્યો. કેમકે તેમણે કોઇપણ પ્રકારની સર્વિસ એક્ટિવેટ કરાવી ન હોવા છતાં આઇ.સી.આઇ.સી.આઇ. યુપીઆઇ રજિસ્ટ્રેશન શરૂ થવા માંડતા અનેક લોકોએ પોતાનો ફોન પણ સ્વીચ ઓફ કરી દીધો હતો.
જેમનું આઇ.સી.આઇ.સી.આઇ. બેંકમાં અકાઉન્ટ
હોય અને જેમનું ન હોય બન્ને પ્રકારના ટ્રુ કોલર એપ યુઝર્સને આવો મેસેજ મળતા
સ્વાભાવિક છેકે તમામને પોતાની સાથે છેતરપીંડી થઇ રહ્યાની અનુભૂતિ થઇ હતી. કોઇપણ
પ્રકારની કન્સેન્ટ વગર મોબાઇલમાં ઓટોમેટિકલી આઇ.સી.આઇ.સી.આઇ. યુપીઆઇ રજિસ્ટ્રેશન
કેવી રીતે સંભવ છે.
ભારતમાં આ પ્રકારે હજારો નહીં પણ લાખો Truecaller યુઝર્સ
આજે તા.30મી જુલાઇ 2019ની સવારે આ પ્રકારની મુશ્કેલીમાં મૂકાય ગયા હતા.
તપાસ કરાતાં જાણવા મળ્યું કે Truecaller
યુઝર્સને આઇ.સી.આઇ.સી.આઇ. યુપીઆઇ સર્વિસ રજિસ્ટ્રેશનનો આવો મેસેજ એક વાઇરસને કારણે
મળ્યો હતો. Truecaller કંપનીના સત્તાવાળાઓએ આવું થવા બદલ અને યુઝર્સને
પડેલી મુશ્કેલી બદલ માફી માંગી હતી.
Truecaller કંપનીએ આ પ્રકારે દિલગીરી વ્યક્ત કરતો સંદેશો પાઠવ્યો છે.
Official statement by Truecaller:
“We have discovered a bug in the
latest update of Truecaller that affected the payments feature, which
automatically triggered a registration post updating to the version. This was a
bug and we have discontinued this version of the app so no other users will be
affected. We’re sorry about this version not passing our quality standards.
We’ve taken quick steps to fix the issue, and already rolled out a fix in a new
version. For the users already affected, the new version with the fix will be
available shortly, however, in the meanwhile they can choose to manually deregister
through the overflow menu in the app.” In 2017, Truecaller had announced a
partnership with ICICI Bank to allow users to instantly create UPI ID, send
money to any UPI ID or a mobile number registered with the BHIM app. It also
enables users to recharge their mobile number from within the Truecaller app
itself. This partnership made TruecallerICICI Bank platform among one of
India’s largest mobile payment platforms.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ગત માર્ચ 2019માં લેવામાં આવેલી એસ.એસ.સી. ધો.10ની પરીક્ષામાં એક-બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓનું આખું વર્ષ ન બગડે એ હેતુથી તેમની પૂરક પરીક્ષા જુલાઇ માસમાં લેવાની પરંપરા છે.
ચાલુ મહિનામાં લેવામાં આવેલી આ પૂરક પરીક્ષાનું ધો.10 એસ.એસ.સી.નું પરીણામ ફક્ત 9.4 ટકા આવ્યું છે. આમાં પણ ગુજરાતી માધ્યમની સ્કુલોનું પરીણામ ફક્ત 8 ટકા છે.
ધો.10ની પૂરક પરીક્ષાના પરીણામ અંગે ગુજરાત બોર્ડે આ મુજબ વિગતો જાહેર કરી હતી.
58 હજારથી વધુ નાપાસ યુવાઓ ભણશે કે ઉઠી જશે?
સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે કુલ 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. જેમાંથી 75,362 વિદ્યાર્થીઓએ જુલાઇ 2019ની પરીક્ષા આપવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જ્યારે પરીક્ષા શરૂ થઇ ત્યારે ફક્ત 64,814 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને આજે જ્યારે પરીણામ આવ્યું ત્યારે ફક્ત 6063 વિદ્યાર્થીઓ જ પાસ થઇ શક્યા છે. હવે સવાલ એ ઉપસ્થિત થાય છે કે 58 હજારથી વધુ નાપાસ વિદ્યાર્થીઓ ભણશે કે નહીં ભણે
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ તેના ફિક્સ્ડ ડિપોઝીટના વ્યાજદરમાં ઘટાડો કર્યો હતો. નવા વ્યાજદર પહેલી ઓગસ્ટથી અમલમાં આવશે. બેન્કના જણાવ્યા મુજબ, ઘટતા જતા વ્યાજદર અને સરપ્લસ લિક્વિડીટીના કારણે આ નિર્ણય કરવામાં આવ્યો છે. બેન્કે લાંબા ગાળાની ફિક્સ્ડ ડિપોઝીટમાં રીટેલ સેગમેન્ટમાં ૨૦ બેઝીસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે, જયારે બલ્ક સેગ્મેન્ટમાં ૩૫ બેઝીસ પોઈન્ટ ઘટાડ્યા છે. તેવી જ રીતે ૧૭૯ દિવસ કે તેથી ઓછા સમય માટેની ડીપોઝીટમાં ૫૦-૭૫ બેઝીસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે.
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા રેપો રેટમાં ઘટાડાના પગલે ઘણી સરકારી અને ખાનગી બેન્કોએ ફિક્સ્ડ ડિપોઝીટના વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. આ મહિનામાં અગાઉ એચડીએફસી, એક્ઝિસ બેન્ક, કોટક મહિન્દ્ર, પંજાબ નેશનલ બેન્ક અને બેન્ક ઓફ બરોડાએ પણ પોતાના ફિક્સ્ડ ડિપોઝીટના વ્યાજ દરમાં ઘટાડો કર્યો હતો. ચાલુ વર્ષે રિઝર્વ બેન્કે અત્યાર સુધીમાં ૭૫ બેઝીસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે.
‘એક થા ટાયગરથી ટાયગર ઝિંદા હૈ’ કંઇક આ રીતે વડા પ્રધાન મોદીએ દેશના વાઘ સંવર્ધનની વાત વર્ણવી હતી. લેટેસ્ટ આંકડા મુજબ દેશમાં વાઘની વસતીમાં ૩૩ ટકાનો વધારો થયો છે.
વડા પ્રધાન મોદીએ બોલીવૂડ હીરો સલમાન ખાનની બે ફિલ્મના નામ ટાંકીને દેશમાં વાઘની સંખ્યામાં થયેલો વધારો જણાવ્યો હતો. ૨૦૧૪માં વાઘની સંખ્યા ૨,૨૨૬ હતી જે ૨,૦૧૮માં વધીને ૨,૯૬૭ થઇ છે.
‘આ ઘટના સાથે સંકળાયેલા તમામ લોકોને હું જણાવવા માગું છું કે એક થા ટાયગરથી આપણી જે કથા શરૂ થઇ હતી તે હવે ટાયગર જિંદા હૈ સુધી પહોંચી છે અને આ કથા અહીં અટકવી નહીં જોઇએ. વાઘોનું સંરક્ષણ ચાલુ જ રહેવું જોઇએ,’ એમ મોદીએ જણાવ્યું હતું.
વિકાસ વર્સિસ પર્યાવરણની જાળવણી એ અંગેની ચર્ચા અંગે બોલતા મોદીએ જણાવ્યું હતું કે બંને વચ્ચે સંતુલન જાળવવું જોઇએ.
આશરે ૩,૦૦૦ વાઘની સાથે ભારત દુનિયામાં વાઘની સલામતી અને મોટા રહેઠાણમાંના એક તરીકે ઊભરી આવ્યું છે. દેશના વાઘ સંરક્ષણની કવાયતમાં સામેલ તમામ લોકોની તેમણે પ્રશંસા કરી હતી. ‘નવ વર્ષ પહેલાં રશિયાના સેંટ પિટર્સબર્ગ ખાતે એમ નક્કી કરવામાં આવ્યું હતું કે ૨૦૨૨ સુધીમાં વાઘની વસતી ડબલ થવી જોઇએ. આપણે આ લક્ષ્યાંક ચાર વર્ષ વહેલો પાર પાડ્યો છે. સંકલ્પથી સિદ્ધિનું આ સૌથી પ્રેરક ઉદાહરણ છે,’ એમ મોદીએ જણાવ્યું હતું. ૨૦૧૪માં રક્ષિત વિસ્તારોની સંખ્યા ૬૯૨ હતી જે વધીને ૨૦૧૯માં ૮૬૦ થઇ છે એમ જણાવતા પોતાની અંતિમ ટિપ્પણીમાં મોદીએ ફરીથી બોલીવૂડ ગીતનો આશરો લઇને જણાવ્યું હતું કે ‘બાગોમેં બહાર આઇ ના બદલે હવે આપણે કહી શકીશું કે બાગો (વાઘ)મેં બહાર આઇ.
ગેરકાયદેસર સ્કીમોમાં નાણાં રોકનારા ડિપોઝિટરોને તેમની રકમ પાછી મળી શકે તે માટે સંસદે સોમવારે એક વિધેયક પસાર કર્યું હતું. ‘બેનિંગ ઓફ અનરેગ્યુલેટેડ ડિપોઝિટ સ્કીમ્સ બીલ’ ૨૦૧૯ સોમવારે પસાર થયું હતું, જેણે આ અંગે અગાઉ બહાર પડાયેલા વટહુકમનું સ્થાન લીધું છે. ૨૪મી જુલાઈ ૨૦૧૯ તારીખે લોકસભાએ અને સોમવારે રાજ્યસભાએ વિધેયક પસાર કર્યું હતું. જેનાથી પોન્ઝી સ્કીમ્સથી ભોળા રોકાણકારો બચી શકશે.
પોન્ઝી સ્કીમના નાણાં જપ્ત કરવામાં આવે તે પછી તેના પર પ્રથમ હક ડિપોઝિટરોનો રહેશે. ડિફોલ્ટ કરનારી સંસ્થાઓની સંપત્તિ પર ટાંચ મૂકીને ડિપોઝિટરોના નાણાં તેમને પાછા આપી શકાશે તેવી યંત્રણા ઘડવામાં આવશે. ડિપોઝિટ લેનારા સાચા ધંધાર્થીઓ અથવા સગા અથવા મિત્રો પાસેથી નાણાં ઉધાર લેનારાઓને કોઈ તકલીફ પડશે નહીં તેની વિધેયકમાં તકેદારી રાખવામાં આવી છે.
ગેરકાયદેસર ડિપોઝિટ સ્કીમ પ્રમોટ કરવી, સંચાલન કરવું, જાહેરાત આપવી અથવા ડિપોઝિટ સ્વીકારવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને કાયદા ઘડી શકશે તેવી સત્તા વિધેયકમાં આપવામાં આવી છે. તેમ રાજ્યકક્ષાના નાણાપ્રધાન અનુરાગસિંહ ઠાકુરે કહ્યું હતું. તેમણે કહ્યું કે, ૯૭૮ કેસની નોંધ લેવામાં આવી છે, જેમાંથી ૩૨૬ પશ્ર્ચિમ બંગાળમાં છે.નિયમનકારી છીંડાઓનો લાભ લઈ અને કડક વહીવટી પગલાંના અભાવને કારણે ગેરકાયદેસર ડિપોઝિટ લેવાનું દૂષણ દેશમાં ફૂલ્યુફાલ્યું છે, જેમાં ગરીબો અને ભોળા લોકો પોતાના નાણાં ગુમાવી રહ્યા છે. ગેરકાયદેસર ડિપોઝિટ સ્કીમ પર પ્રતિબંધ મૂકી શકાય તેવી સર્વગ્રાહી યંત્રણા પૂરી પાડવાનો વિધેયકનો ઉદ્દેશ્ય છે. નિયમનકારી માળખા પ્રમાણે ડિપોઝિટ લેવાનું ચાલુ રહી શકશે.
એનસીપીના પ્રદેશાધ્યક્ષ જયંત પાટીલે આક્ષેપ કર્યો હતો કે ભાજપ એનસીપીના નેતાઓની પાછળ પડી ગઈ છે તે સાચો ઠરતો જણાઈ રહ્યો છે. મળતી માહિતી મુજબ એનસીપીના ૪૭ નગરસેવક ભાજપમાં પ્રવેશ કરવાની તૈયારી કરી રહ્યા છે. એનસીપીના નવી મુંબઈના નેતા ગણેશ નાઈક અને તેમના પુત્ર સંદીપ નાઈકે પણ કૂદકો મારવાનો નિર્ણય લીધો છે અને ૪૭ નગરસેવક સાથે તેઓ ભગવો ધારણ કરશે, તેમ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. એનસીપીના નેતા મંદા મ્હાત્રે એનસીપીમાંથી ભાજપમાં ૨૦૧૪માં જોડાયા હતા, પરંતુ ગણેશ નાઈકના જોરને લીધે નવી મુંબઈની મહાનગરપાલિકા એનસીપી સાચવી શકી હતી. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં સમગ્ર નવી મુંબઈમાં શિવસેનાએ સારો દેખાવ કર્યો અને જો આમ જ રહ્યું તો નાઈકનું અસ્તિત્વ નહીં ટકે તેમ જણાઈ રહ્યું હતું. આથી નવી મુંબઈનો ગઢ પોતાના હાથમાં સચવાઈ રહે તે માટે નાઈક અને નગરસેવકો એક-બે દિવસમાં ભાજપમાં જોડાઈ તેમ માનવામાં આવે છે.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.