મુવી મોહિત સૂરીની રોમેન્ટિક ફિલ્મ છે જે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. અહાન પાંડે (Ahaan Panday) અને અનિત પદ્દા (Aneet Padda) અભિનીત આ ફિલ્મ 18 જુલાઈ, 2025 ના રોજ રિલીઝ થઈ હતી અને ચોથા દિવસે એટલે કે સોમવારે પણ સારી કમાણી કરતી રહી હતી.
સૈયારા બોક્સ ઓફિસ કલેક્શન ડે 4 (Saiyaara Box Office Collection Day 4) સૈયારા એ પહેલા સોમવારે 22.50 કરોડ રૂપિયા કલેક્શન કર્યા છે. આ સાથે, ફિલ્મનું કુલ નેટ કલેક્શન 105.75 કરોડ રૂપિયા થઈ ગયું છે. સૈયારા એ અઠવાડિયાના દિવસોમાં પણ ડબલ ડિજિટમાં કમાણી કરી છે.
આ ફિલ્મ યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનાવવામાં આવી છે. યશ રાજ ફિલ્મ્સે ફિલ્મના બ્લોકબસ્ટર બોક્સ ઓફિસ કલેક્શન પર સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને દર્શકોનો આભાર માન્યો છે.
સૈયારાની સ્ટોરી વાણી (અનિત પદ્દા) અને ક્રિશ (અહાન પાંડે) ની લવસ્ટોરી પર આધારિત છે, જેમાં પ્રેમ, હાર્ટબ્રેક અને જીવનના પડકારો વિશે કહેવામાં આવ્યું છે. ફિલ્મનું સંગીત, ખાસ કરીને તેનું ટાઇટલ ટ્રેક, દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. યશ રાજ ફિલ્મ્સ દ્વારા નિર્મિત આ ફિલ્મને દર્શકો અને વિવેચકો તરફથી ખૂબ પ્રશંસા મળી રહી છે. સોમવારે, ફિલ્મનો હિન્દી ઓક્યુપન્સી 31.39% હતો, જેમાં સૌથી વધુ 58% દર્શકો જયપુરમાં તેને જોવા આવ્યા હતા.
સૈયારા એ અત્યાર સુધીમાં ચાર દિવસમાં 100 કરોડની કમાણી કરનારી ફિલ્મોની લિસ્ટમાં પણ પ્રવેશ કરી લીધો છે. આ રીતે, અહાન પાંડે બોલિવૂડના મોટા સુપરસ્ટાર્સની બરાબરી પર આવી ગયો છે. સક્કાનિલ્કના અહેવાલ મુજબ, અત્યાર સુધીમાં આ રેકોર્ડ 11 બોલિવૂડ ફિલ્મોના નામે નોંધાયેલો હતો. હવે ‘સૈયારા’ 12મી ફિલ્મ બની ગઈ છે. અત્યાર સુધીમાં આ યાદીમાં વોર, ભારત, ફાઇટર, પીકે, પદ્માવત, કલ્કી 2898 એડી, ગોલમાલ અગેન, ક્રિશ 3, રઈસ, હાઉસફુલ 5નો સમાવેશ થાય છે. હવે ‘સૈયારા’નું નામ પણ તેમાં જોડાઈ ગયું છે.
સૈયારા મુવીમાં સોશિયલ મીડિયા પર અહાન અને અનિતની કેમેસ્ટ્રીની પ્રશંસા થઈ રહી છે. ટ્રેડ નિષ્ણાતો કહે છે કે જો આ ગતિ ચાલુ રહેશે તો ‘સૈયારા’ 250-300 કરોડ સુધીની કમાણી કરી શકે છે. આ ફિલ્મ ફક્ત બોક્સ ઓફિસ પર જ નહીં પરંતુ દર્શકોના દિલ પર પણ રાજ કરી રહી છે.
SGCCI દ્વારા સરસાણા સ્થિત SIECC ખાતે તા. ૧૮થી ર૦ જુલાઇ ર૦રપ દરમ્યાન ‘વિવનીટ એકઝીબીશન– ર૦રપ’ યોજાશે
ચેમ્બર દ્વારા ‘વિવનીટ એકઝીબીશન’ થકી યાર્નમાંથી કાપડ બનાવતા સુરત સહિત દક્ષિણ ગુજરાતના વિવર્સ, નીટર્સ, ટેકનિકલ ટેક્ષ્ટાઇલ્સ અને ફેબ્રિક મેન્યુફેકચરર્સને બીટુબી પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે : ચેમ્બર પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસી
ભારતની મુખ્ય કાપડની મંડીઓ જેવી કે ઇન્દોર, કટક, જયપુર, પૂણે, બનારસ, ગ્વાલિયર, હૈદરાબાદ, બેંગ્લોર, મદ્રાસ, ચંડીગઢ, લુધિયાના, કોલકાતા, લખનઉ, ચેન્નાઇ, મુંબઇ અને દિલ્હીથી ફેબ્રિકસના જેન્યુન બાયર્સ પ્રદર્શનની મુલાકાત લેશે
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તા. ૧૮ થી ર૦ જુલાઇ ર૦રપ દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘વિવનીટ એકઝીબીશન– ર૦રપ’નું આયોજન કરવામાં આવ્યું છે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, આ એકઝીબીશન ચેમ્બર ઓફ કોમર્સનું અતિ મહત્વકાંક્ષી પ્રદર્શન છે, જેનો પ્રમુખ ઉદ્દેશ શહેરના વિવિંગ, નીટિંગ, નેરો ફેબ્રિકસ અને ટેકનિકલ ટેક્ષ્ટાઇલ જેવા ઉદ્યોગોને એક નવી દિશા અને ગતિ આપવાનો છે. ચેમ્બર દ્વારા ‘વિવનીટ એકઝીબીશન’ થકી યાર્નમાંથી કાપડ બનાવતા સુરત સહિત દક્ષિણ ગુજરાતના વિવર્સ, નીટર્સ, ટેકનિકલ ટેક્ષ્ટાઇલ્સ અને ફેબ્રિક મેન્યુફેકચરર્સને બીટુબી પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે. આ એકઝીબીશનને મળેલી સફળતાને પગલે આ વર્ષે વિવનીટ એકઝીબીશનનું ચોથું એડીશન યોજાઇ રહયું છે.
વિવનીટ એકઝીબીશનમાં હોસ્પિટલ કર્ટેન્સ (વોટર રિપેલન્ટ, એન્ટિ માઈક્રોબાયલ અને ફાયર રિટારડન્ટ)નું પ્રદર્શન કરવામાં આવશે. સુરતમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં અને ઓછા મેન્યુફેકચરર્સ દ્વારા આ પ્રોડકટ બનાવવામાં આવે છે. આ ઉપરાંત શાવર કર્ટેન્સ, ડ્રેપરીઝ બ્લેક–આઉટ અને વ્હાઇટ–આઉટ ફેબ્રિક, માઇક્રો ફાઇબર પોલિએસ્ટર ફેબ્રિક, માઇક્રો ફાઇબર બેડશીટ્સ, કમ્ફર્ટર ફેબ્રિક, માઇક્રો ફાઇબર ડ્યુવેટ ફેબ્રિક, માઇક્રો ફાઇબર ડ્યુવેટ્સ અને ડ્યુવેટ કવર્સ, પીલો કવર્સ, માઇક્રો ફાઇબર બેડસ્પ્રેડ, પ્લેટેડ માઇક્રો ફાઇબર બેડસ્કટ્ર્સ, ડિજીટલ પ્રિન્ટેડ બ્લેક આઉટ ફેબ્રિક અને અલ્ટ્રાસોનિક બ્લેકઆઉટ ફેબ્રિકનું પ્રદર્શન કરવામાં આવશે. આ બધી પ્રોડકટ સુરતમાં ઇન્ટીગ્રેટેડ અથવા કમ્પોઝીટ યુનિટ એટલે કે વિવિંગ, નીટિંગ અને સ્ટીચિંગની સુવિધા ધરાવનારા ઉદ્યોગકારો દ્વારા બનાવવામાં આવે છે.
આ ઉપરાંત વિસ્કોસ ફીલ સાથેનું ૧૦૦ ટકા પોલી ફેબ્રિક કે જેનો ઉપયોગ પુરુષો અને સ્ત્રીઓના વસ્ત્રો અને ડિજિટલ પ્રિન્ટ માટે થાય છે તેનું પણ પ્રદર્શન કરવામાં આવશે. તદુપરાંત પોલી ફલેકસનું મિશ્રિત ફલેકસો લિનન અને પોલી લિનન લુકવાળું ફેબ્રિક ક્રિસ્ટલ લિનન પણ પ્રદર્શિત કરવામાં આવશે.
ચેમ્બરના ઉપ પ્રમુખ શ્રી અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, ગત વર્ષે યોજાયેલા વિવનીટ એકઝીબીશનમાં એકઝીબીટર્સને છ મહિનામાં જ રૂપિયા ૪૦૦ કરોડથી વધુનો બિઝનેસ મળ્યો હતો. જો કે, આ વર્ષે ગત વર્ષની તુલનામાં વિશાળ એરિયામાં એકઝીબીશન યોજાઇ રહયું છે ત્યારે એકઝીબીટર્સને આશરે રૂપિયા પ૦૦ કરોડથી વધુનો બિઝનેસ મળશે એવી આશા સેવાઇ રહી છે. તેમણે વધુમાં કહયું કે, ટેક્ષ્ટાઇલ મેન્યુફેકચરર્સ અને કપડાનાં વેપારીઓ વચ્ચે મહત્વની કડી સાબિત થતા મોટા ગજાના બ્રોકર્સ પણ આ પ્રદર્શનમાં હાજર રહેવાના છે, આથી આ બ્રોકર્સને નવી વેરાયટીઓ અને કવોલિટીઓ આપવામાં આ એકઝીબીશન મહત્વનું પ્લેટફોર્મ પૂરુ પાડશે.
ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, વિવનીટ એકઝીબીશનનો ઉદ્ઘાટન સમારોહ શુક્રવાર, તા. ૧૮ જુલાઇ ર૦રપના રોજ સવારે ૧૦ઃ૦૦ કલાકે સેમિનાર હોલ– એ, સરસાણા ખાતે યોજાશે, જેમાં મુખ્ય મહેમાન તેમજ ઉદ્ઘાટક તરીકે ગુજરાત સરકારના ઇન્ડસ્ટ્રીઝ કમિશનર શ્રી સ્વરૂપ પી. (યબક) ઉપસ્થિત રહેશે અને તેમના હસ્તે વિવનીટ એક્ષ્પોનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ સમારોહમાં ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ગૃપ એકઝીકયુટીવ પ્રેસિડેન્ટ શ્રી મનમોહન સિંઘ અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે.
ચેમ્બરના માનદ્ મંત્રી શ્રી બિજલ જરીવાલા અને માનદ્ ખજાનચી સીએ મિતિષ મોદીએ જણાવ્યું હતું કે, સરસાણાના સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટરમાં ૧ લાખ ૧૬ હજાર સ્કવેર ફુટ એરિયામાં પીલરલેસ એસી હોલમાં યોજાનાર વિવનીટ એકઝીબીશનમાં સુરત ઉપરાંત નવસારી, મુંબઇ અને તમિલનાડુના કુલ ૧૧પ જેટલા એકઝીબીટર્સ ભાગ લેશે. આ એકઝીબીશનના માધ્યમથી તેઓ દેશભરના હોલસેલ ટ્રેડર્સ, રીટેલર્સ, ફેશન હાઉસિસ, ફેશન ડિઝાઇનર્સ, બ્રાન્ડ એપેરલ મેન્યુફેકચરર્સ, સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડકટ મેન્યુફેકચરર્સ અને માસ કન્ઝમ્પશન કરતા પ્રોડકટ મેન્યુફેકચરર્સની સાથે સીધા સંપર્કમાં આવી શકશે.
ચેમ્બરના ઓલ એકઝીબીશન ચેરમેન શ્રી કિરણ ઠુંમરે જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં ભાગ લેનારા મેન્યુફેકચરર્સ માટે આ વન સ્ટોપ શોપ એકઝીબીશન બની રહેશે કે જેમાં ઉત્પાદકો પોતાના વિવિધ ફેબ્રિકસના આધુનિક કલેકશન્સ જેવા કે પ્લેન, ટવીલ, સાટીન, એપેરલ, હોમ ફર્નિશીંગ, સિંગલ જર્સી, ડબલ જર્સી, નેટ્સ તથા રેપીયર જેકાર્ડથી બનેલી આઇટમ્સ જેવી કે ટોપ ડાયડ સાડી, ડાયબલ વિસ્કોસ સાડી, ડાયબલ નાયલોન સાડી, કર્ટન ફેબ્રિક, સોફા ફેબ્રિક, લુંગી ફેબ્રિક અને ટેકનિકલ ટેક્ષ્ટાઇલ્સ વિગેરે પ્રદર્શિત કરી શકશે. આ એકઝીબીશનમાં ભાગ લેનારા એકઝીબીટર્સ નવી પ્રોડકટને લોન્ચ કરી શકશે અને બ્રાન્ડ વિશે અવેરનેસ લાવવાની તક પણ ઝડપી શકશે. સાથે જ કોર્પોરેટ ઇમેજ ઉભી કરી શકશે અને નેટવર્કીંગ પણ ગોઠવી શકશે. તદુપરાંત પ્રોડકટ અને ટેકનોલોજીના માધ્યમથી નવી એપ્લીકેશન્સ અને સોલ્યુશન્સ મેળવી શકશે.
ચેમ્બરના ઓલ એકઝીબીશન કો–ચેરમેન શ્રી નિરવ માંડલેવાલાએ જણાવ્યું હતું કે, આ એકઝીબીશનમાં ગુજરાત જ નહીં પણ ભારતભરની મુખ્ય કાપડની મંડીઓ જેવી કે ઇન્દોર, કટક, જયપુર, પૂણે, બનારસ, ગ્વાલિયર, હૈદરાબાદ, બેંગ્લોર, મદ્રાસ, ચંડીગઢ, લુધિયાના, કોલકાતા, લખનઉ, ચેન્નાઇ, મુંબઇ અને દિલ્હીથી ફેબ્રિકસના મોટા ગજાના જેન્યુન બાયર્સને આમંત્રિત કરવામાં આવ્યા છે. આ પ્રદર્શન થકી એકઝીબીટર્સને વુવન, નીટેડ, ટેકનીકલ ટેકસટાઇલ્સ, ઇન્ડસ્ટ્રીયલ અને સ્પેશિયલ ફેબ્રિક મેન્યુફેકચરર્સને સમગ્ર ભારતમાંથી આ પ્રદર્શનને જોવા માટે આવનારા બાયર્સ સામે પોતાની પ્રોડકટ રજૂ કરવા માટે ઉત્તમ તક મળશે.
વિવનીટ એકઝીબીશન– ર૦રપના ચેરમેન શ્રી હરેશ પટેલે જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં ભાગ લેનારા એમ.એસ.એમ.ઇ. ઉદ્યોગકારોને ગુજરાત સરકાર તરફથી સબસિડીનો પણ લાભ મળશે. આ ઉપરાંત આ પ્રદર્શન થકી ઉદ્યોગકારો માટે ઉદ્યોગ – ધંધાની વિશાળ તકો ઉભી થશે. તદુપરાંત, ટેક્ષ્ટાઇલ પ્રોસેસર્સ એન્ડ એપેરલ મેન્યુફેકચરર્સ, ફેશન ડિઝાઇનર એન્ડ ફેબ્રિક બાઇંગ હાઉસિસ, બિઝનેસ લીડર્સ એન્ડ આંત્રપ્રિન્યોર્સ, ડિસીઝન મેકર્સ ફ્રોમ ગવર્નમેન્ટ, પ્રોડકટ ડેવલપમેન્ટ એકઝીકયુટીવ, સી.ઇ.ઓ., સિનિયર એકઝીકયુટીવ ફ્રોમ ઇન્ડસ્ટ્રી, ઓપરેશન / ટેકનિકલ – પરચેઝ મેનેજર, ઇન્વેસ્ટર્સ એન્ડ વેન્ચર કેપિટલાઇઝેશન, રીટેલર ઇન્ડસ્ટ્રી એસોસીએશન, એનજીઓ અને કન્સલ્ટન્ટને આ પ્રદર્શનમાંથી ઘણી બધી ઉપયોગી માહિતી મળી રહેશે.
સુરતઃ મહેસાણાના લોકસભા સાંસદ શ્રી હરીભાઈ પટેલે તાજેતરમાં જ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની મુલાકાત લઇ ચેમ્બરના ઓફિસ બેરર્સ તેમજ સુરતના ઉદ્યોગ સાહસિકો સાથે સંવાદ સાધી દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ ક્ષેત્રના વિવિધ પાસાઓ અંગે ચર્ચા વિચારણા કરી હતી.
આ મુલાકાત દરમિયાન સુરતના ટેક્ષ્ટાઇલ, ડાયમંડ, કેમિકલ, એન્જિનિયરિંગ, લોજિસ્ટિકસ અને સ્ટાર્ટ–અપ ક્ષેત્રમાં ચાલી રહેલા વિવિધ ડેવલપમેન્ટ, પડકારો તથા નવી તકો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ઉદ્યોગ સાહસિકોએ વિવિધ નીતિગત મુદ્દાઓ તથા કેન્દ્ર સરકારની યોજનાઓ વિષે પોતાનો અભિપ્રાય અને સૂચનો સાંસદશ્રી સમક્ષ રજૂ કર્યા હતા.
મહેસાણાના સાંસદ શ્રી હરીભાઈ પટેલે જણાવ્યું હતું કે, સુરતના ઉદ્યોગ સાહસિકોમાં કાર્યક્ષમતા અને નવીનતાનો સમન્વય છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા નાણાંકીય તેમજ ટેકનોલોજીકલ અને પોલિસી સપોર્ટના માધ્યમથી આવા ઉદ્યોગ કેન્દ્રોને વધુ મજબૂતી આપવા સતત પ્રયાસ ચાલી રહયા છે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસી, ઉપ પ્રમુખ શ્રી અશોક જીરાવાલા, માનદ્ મંત્રી શ્રી બિજલ જરીવાલા અને માનદ્ ખજાનચી સીએ મિતિષ મોદીએ સુરતના ઉદ્યોગ–ધંધાઓના ડેવલપમેન્ટથી તથા તેના માટે છેલ્લા ૮પ વર્ષથી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો અંગે સાંસદશ્રીને વાકેફ કર્યા હતા અને ચેમ્બર દ્વારા આવનારા સમયમાં આયોજિત વિવિધ કાર્યક્રમો તથા પહેલોમાં તેઓનું માર્ગદર્શન તથા સહયોગ મળતો રહે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
જુલાઈ 16 ના રોજ, રેતીના બિંદુથી દક્ષિણમાં, અલાસ્કાના અલેઉટીયન દ્વીપકલ્પના દરિયાકાંઠે એક શક્તિશાળી .3..3 ની તીવ્ર ભૂકંપ આવી, સુનામીની ચેતવણીને ઉત્તેજીત કરી, જેમાં દક્ષિણના દરિયાકાંઠાના 700 – માઇલના ભાગને સંક્ષિપ્તમાં ફેલાવ્યો, યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વે (યુએસજીએસ) નો અહેવાલ આપ્યો. ભૂકંપ સ્થાનિક સમય (2037 જીએમટી) લગભગ 12:37 વાગ્યે થયો હતો, તેનું કેન્દ્ર, એક નાના ટાપુ સમુદાય, રેતીના પોઇન્ટથી લગભગ 54 માઇલ (87 કિલોમીટર) દક્ષિણમાં સ્થિત હતું. સિસ્મિક ઘટનાના કેન્દ્રમાં પ્રમાણમાં છીછરા depth ંડાઈ 20.1 કિલોમીટર હતી.
એન્કોરેજની નેશનલ વેધર સર્વિસે દક્ષિણ અલાસ્કા અને ભૂકંપ પછી અલાસ્કા દ્વીપકલ્પ માટે સુનામીની ચેતવણી જારી કરી હતી, એક્સ પર પોસ્ટ કરીને, “અલાસ્કા દ્વીપકલ્પના વિસ્તારોથી યુનિમાક પાસ સુધીના અલાસ્કા દ્વીપકલ્પના વિસ્તારો માટે સુનામીની ચેતવણી આપવામાં આવી છે. શહેરો શામેલ છે. અસરો. “
જોકે ચેતવણી પછીથી એક સલાહકારમાં ડાઉનગ્રેડ કરવામાં આવી હતી, તેમ છતાં, ભૂકંપ 1958 ના કુખ્યાત લિટુયા ખાડી ઇવેન્ટની જેમ બીજા આપત્તિજનક “મેગાટાત્સુનામી” ના ભયને શાસન આપતો હતો, જ્યારે એક વિશાળ ભૂસ્ખલન પછી એક વિશાળ તરંગ 500 મીટરથી વધુનો વધારો થયો હતો.
ઈરાકમાંથી આગ લાગવાની ભયાવહ ઘટના બની છે. પૂર્વીય ઇરાકના અલ-કુટ શહેરમાં એક હાઇપરમાર્કેટમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આ આગના બનાવમાં પચાસ લોકોના મોત થયાં છે. આ સાથે જ સમાચાર મળી રહ્યા છે કે અલ-કુટમાં ફાઇવ ફ્લોરની એક બિલ્ડિંગમાં આગની પ્રચંડ જ્વાળાઓ જોવા મળી હતી. આ આગની ઘટના બન્યા બાદ ફાયર ટેંડર્સ દ્વારા તેને કાબૂમાં લેવાનો પ્રયાસ ચાલી રહ્યા છે.
જોકે, આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું ન હતું. આ ભીષણ આગની ઘટનાના વિડિયોઝ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. રિપોર્ટ પ્રમાણે સૌથી મોટા શોપિંગ સેન્ટરમાં લાગેલી આ આગમાં અત્યારસુધીમાં પચાસ લોકો કાળનો કોળિયો બની ગયાં છે. ત્યાંના રાજ્યપાલે જણાવ્યું છે કે તપાસના પ્રારંભિક તારણો ૪૮ કલાકમાં જાહેર કરવામાં આવશે.
ગુજરાતમાં નવરચિત 9 મહાનગરપાલિકાઓ માટે શહેરી વિકાસ વિભાગ દ્વારા સીમાંકનના આદેશો જાહેર કરવામાં આવ્યા હતા. મનપાના આસપાસના વિસ્તારને ભેળવી સીમાંકન જાહેર કરાયું હતું. રાજ્યના નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર, વાપી, મહેસાણા, આણંદ, ગાંધીધામ, મોરબી અને નડિયાદ સહિતના નવ શહેરોને હવે નગરપાલિકા તરીકે નહીં પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે નવી ઓળખ આપવામાં આવી છે.
50 ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે
આ તમામ મહાપાલિકાઓમાં દરેક માટે 13 વોર્ડ અને 52 કોર્પોરેટરની બેઠકો નક્કી કરવામાં આવી છે. શહેરી વિકાસ વિભાગના જણાવ્યા અનુસાર, નવી રચાયેલી મનપાઓમાં 50 ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે અને 27 ટકા બેઠકો અન્ય પછાત જાતિ (ઓબીસી) ઉમેદવારો માટે અનામત રાખવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નવી મહાનગરપાલિકા બનતા આ શહેરોની આજુબાજુના ગામડાઓ અને વધતા વિસ્તારને હવે શહેર હદમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. પરિણામે, વિકાસ યોજનાઓ વધુ ગતિથી અમલમાં આવી શકશે અને શહેરી વસાહતો માટે વધુ સારી જનસેવાઓ ઉપલબ્ધ બનશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ નવી મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે આગામી એક વર્ષની અંદર ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. નવી રચાયેલી 9 મનપા સહિત કુલ 15 મનપાની ચૂંટણી યોજાશે. ચૂંટણી અગાઉ સીમાંકનના આદેશો જારી થતા રાજકીય રીતે પણ ગરમાવો જોવા મળી શકે છે. આગામી સમયમાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી પ્રક્રિયા શરૂ કરાશે. આગામી દિવસોમાં વોર્ડની હદ અને ક્યા વોર્ડમાં કેટલી બેઠક અનામત રહેશે તેનું સત્તાવાર જાહેરનામું પ્રસિદ્વ કરી દેવામાં આવશે.
ગુજરાતમાં ત્રણ દાયકાથી વધુ સમયથી ભાજપ (ભારતીય જનતા પાર્ટી)નું એક હથ્થું શાસન છે, કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે. ગુજરાતના લોકોએ જેમને ખોબલે ખોબલે વોટ આપીને દિલ્હી મોકલ્યા છે તેવા 26માંથી 25 સાંસદ તેમને મળતા એક વર્ષના ફંડમાંથી માત્ર ચાર ટકાનો લોકોપયોગી કર્યો છે. સાંસદોને મળતા એમપીલેડ (મેમ્બર્સ ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ) ફંડના ઉપયોગનું વિશ્લેષણ કરવામાં આવ્યું ત્યારે આ ચોંકાવનારા આંકડા જોવા મળ્યા હતા, જેમાં 26 સાંસદે 254 કરોડમાંથી માંડ 10 કરોડ રુપિયા ખર્ચ્યાં છે.
મળતી વિગતો મુજબ ગુજરાતના 26 સાંસદોએ તેમને મળતા ફંડમાંથી માત્ર 4.2 ટકા જ બજેટ વાપર્યું છે. સાંસદો તેમને મળતા એમપીલેડ (મેમ્બર્સ ઓફ પાર્લામેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કિમ) ફંડમાંથી 95.8 ટકા ફંડ વાપરી શક્યા નથી, 14 મતક્ષેત્રમાં સંસદસભ્યોએ ભલામણ કરેલાં કામોમાંથી એક પણ કામ પૂર્ણ થયું નથી. એક તરફ મતદારો તેમના ચૂંટાયેલા સ્થાનિક સાંસદ સભ્ય પાસે વિકાસની અપેક્ષા અને આશા રાખી જુદાં જુદાં કામો કરવા અરજ કરતા હોય છે, ત્યારે હકીકત જોઈએ તો સાંસદો તેમને મળેલા ફંડના 95.8 ટકા ફંડ વાપરી શક્યા નથી. કુલ ફંડનું માત્ર 4.2 ટકા ફંડ જ વપરાયું છે.
ભરુચ લોકસભાના વિસ્તારમાં સૌથી વધુ ખર્ચાયા ભરુચ લોકસભા વિસ્તારમાં સૌથી વધુ એટલે કે 1.73 કરોડ રૂપિયા ખર્ચાયા છે, બીજા ક્રમે પાટણ સંસદીય ક્ષેત્રમાં 1.56 કરોડ ખર્ચાયા છે, જ્યારે ત્રીજા નંબરે સાબરકાંઠા સંસદીય મતક્ષેત્ર છે, જેમાં 1.08 કરોડનો ખર્ચ થયો છે. જો કે સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, 18મી લોકસભાને 1 વર્ષ પૂરું થયું, પણ અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, બનાસકાંઠા, છોટાઉદેપુર, ગાંધીનગર, અને નવસારી સંસદીય મતક્ષેત્રમાં એમપીલેડમાંથી હજુ સુધી કોઈ ખર્ચ કરવામાં આવ્યો નથી.
સંસદીય વિસ્તાર માટે વર્ષદીઠ પાંચ કરોડનું બજેટ એમપીલેડ ફંડ યોજના અંતર્ગત દરેક સંસદસભ્યનું બજેટ વર્ષદીઠ 5 કરોડ છે, એટલે કે દર વર્ષે સંસદસભ્ય તેમના મત વિસ્તારના 5 કરોડ સુધીનાં કામોની ભલામણ કરી શકે. ત્યાર બાદ જિલ્લા આયોજનમંડળ દ્વારા આ કામો જે-તે અમલીકરણ એજન્સીને સોંપવામાં આવે છે.
3823 કામ પૈકી માત્ર 93 કામો પૂર્ણ થયાં એમપીલેડ 2023ની ગાઈડલાઈન અનુસાર સંસદસભ્ય દ્વારા ભલામણ કરવામાં આવે, એના 45 દિવસમાં મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરવાની હોય છે, પરંતુ ઉપલબ્ધ વિગતો ચકાસતાં ભલામણ થયેલાં કુલ 3823 કામ પૈકી માત્ર 93 કામો પૂર્ણ થયાં છે, જ્યારે અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, બનાસકાંઠા, છોટાઉદેપુર, દાહોદ, ગાંધીનગર, જામનગર, જૂનાગઢ ખેડા, કચ્છ, નવસારી, પંચમહાલ, સુરેન્દ્રનગર, વલસાડ મતક્ષેત્રમાં હજુ સુધી એક પણ કામ પૂર્ણ થયું નથી. આમ 26 મત ક્ષેત્રોમાંથી 14 મતક્ષેત્રમાં એક વર્ષ દરમિયાન એક પણ કામ કરવામાં આવ્યું નથી.
જીજેઈપીસીએ જેમ્સ એન્ડ જ્વેલરીની નિકાસો વધારવા માટે 1.1 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર ધરાવતા સાઉદી અરેબિયાને લક્ષ્ય બનાવ્યું
સાઉદી અરેબિયામાં વર્લ્ડ જેમ એન્ડ જ્વેલરી ફેરનું લોન્ચિંગ કર્યું કિંગડમ ઓફ સાઉદી અરેબિયામાં સૌપ્રથમ સમર્પિત બીટુબી જેમ એન્ડ જ્વેલરી શૉ
ભારતમાં રત્નો અને ઝવેરાતોના વેપારની સર્વોચ્ચ સંસ્થા જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલે (જીજેઈપીસી) ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, રિયાધમાં ભારતના દૂતાવાસ, જેદ્દાહમાં ભારતની કોન્સ્યુલેટ જનરલ અને દુબઇ જ્વેલરી ગ્રુપના સહયોગથી 6 જુલાઇએ જેદ્દાહમાં અને 8 જુલાઈ 2025ના રોજ રિયાધમાં બે કર્ટન-રેઝર ઇવેન્ટ્સ દ્વારા સફળતાપૂર્વક SAJEX – The Saudi Arabia Jewellery Expositionનું લોન્ચિંગ કર્યું હતું.
આ બંને ઇવેન્ટ્સને ટોચના રિટેલર્સ, હોલસેલર્સ અને મેન્યુફેક્ચરર્સ સહિતના 280થી વધુ મુખ્ય સાઉદી હિતધારકો તરફથી ઉમળકાભેર પ્રતિસાદ મળ્યો હતો.
નિકાસ બજારોમાં વૈવિધ્ય લાવવા અને વણખેડાયેલી તકો ખોજવા માટેના તેના સતત પ્રયાસોનાભાગરૂપે જીજેઈપીસી 1.1 ટ્રિલિયન ડોલરનો જીડીપી ધરાવતા ગલ્ફના સૌથી મોટા અર્થતંત્ર સાઉદી અરેબિયાની વિકાસની સંભાવનાઓ અનલોક કરી રહી છે. 2024માં તેના જ્વેલરી માર્કેટનું કદ 4.56 અબજ યુએસ ડોલર હતું જે 2030 સુધીમાં વધીને 8.34 અબજ યુએસ ડોલર થવાની ધારણા છે. સાઉદી અરેબિયા સમકાલિન અને વૈભવી ઝવેરાતો માટેના મુખ્ય સ્થળ તરીકે ઝડપથી ઊભરીરહ્યું છે. યુવા, શહેરી વસ્તી અને ગતિશીલ રિટેલ માહોલ 18 કેરેટ અને 21 કેરેટ પ્લેન ગોલ્ડ, ડાયમંડ સ્ટડેડ જ્વેલરી તથા પ્રીમિયમ ડિઝાઇન આધારિત પ્રોડક્ટ્સ માટેની માંગમાં વધારો કરી રહ્યો છે. આના પરિપ્રેક્ષ્યમાં SAJEXભારત-સાઉદી અરેબિયા સંબંધોને મજબૂત બનાવવા તથા મધ્યપૂર્વ અને અન્ય પ્રદેશોમાં ભારતની જ્વેલરીની હાજરીને વિસ્તારવા માટે મહત્વનું વ્યૂહાત્મક પગલું છે.
SAJEX 2025 આઇકોનિક જેદાહ સુપરડોમ ખાતે 11થી 13 સપ્ટેમ્બર 2025 સુધી યોજાશે.
ધ વર્લ્ડ જેમ એન્ડ જ્વેલરી ફેર તરીકે સ્થિતSAJEX જ્વેલરી સેક્ટરમાં ભારત અને સાઉદી અરેબિયા વચ્ચેના લાંબા ગાળાના સંબંધોની શરૂઆત દર્શાવે છે. જ્વેલરી મેન્યુફેક્ચરિંગ માટેના ગ્લોબલ હબ ગણાતું ભારત આ પ્લેટફોર્મ પર તેની અદ્વિતીય કારીગરી, અત્યાધુનિક ડિઝાઇન અને ઉત્પાદનની નિપુણતાને ગર્વભેર દર્શાવશે. આ પ્લેટફોર્મ પરમાં ભારત, સાઉદી અરેબિયા, યુએઇ, તુર્કી, હોંગકોંગ અને લેબનોનના 250થી વધુ બુથોમાં 200થી વધુ અગ્રણી એક્ઝિબિટર્સ ભાગ લેશે. આ ઇવેન્ટમાં 2,000થી વધુ આંતરરાષ્ટ્રીય ખરીદદારો જોવા મળશે અને ડાયમંડ અને કલર્ડ જેમસ્ટોન-સ્ટડેડ જ્વેલરી, 18 કેરેટ, 21 કેરેટ અને 22 કેરેટ પ્લેન ગોલ્ડ જ્વેલરી, પ્લેટિનમ જ્વેલરી, પ્રેટ અને બ્રાઇડલ એમ બંનેમાં લેબ-ગ્રોન ડાયમંડ જ્વેલરી, ગિફ્ટિંગ કલેક્શન્સ તેમજ અત્યાધુનિક જ્વેલરી ટેક્નોલોજી રજૂ થશે.
SAJEX ને બધાથી અલગ બનાવે છે તેનું લાંબા ગાળાનું વિઝન જે કિંગડમના ઉભરતા બજાર માટે જ બનાવાયેલા ખાસ બીટુબી પ્લેટફોર્મ થકી સાઉદી રિટેલર્સ અને આંતરરાષ્ટ્રીય ઉત્પાદકો વચ્ચે કાયમી ભાગીદારી બનાવવા માટે છે. આ પ્રયાસના કેન્દ્રમાં વર્લ્ડ જ્વેલરી ઇન્વેસ્ટમેન્ટ ફોરમ છે જે જીજેઈપીસી અને સાઉદી અરેબિયાના રોકાણ મંત્રાલય દ્વારા સંયુક્તપણે આયોજિત છે. આ ઉચ્ચ સ્તરીય ફોરમ સરકારી અગ્રણીઓ, ગ્લોબલ બ્રાન્ડ્સ, રોકાણકારો અને ઉદ્યોગ નિષ્ણાંતોને સમગ્ર જ્વેલરી વેલ્યુ ચેઇનમાં વ્યૂહાત્મક તકો ખોજવા માટે સાથે લાવશે જે સાઉદી અરેબિયાને જ્વેલરી ડિઝાઇન, ઇનોવેશન અને ઇન્વેસ્ટમેન્ટ માટે ભવિષ્યનું હબ બનાવે છે.
જેદ્દાહ ખાતે SAJEXના કર્ટેન રેઝરમાં જેદ્દાહ ખાતે ભારતના કોન્સ્યુલ જનરલ શ્રી ફહાદ અહેમદ ખાન સુરી,જેદ્દાહ ચેમ્બર ઓફ કોમર્સના ફર્સ્ટ વાઇસ ચેરમેન એન્જિનિયર રઇદ ઇબ્રાહિમ અલમુદૈહીમઅને જેદ્દાહ જ્વેલરી એસોસિએશનના પ્રમુખ શ્રી શેખ અલી બતારફી અલ કિંદી, જીજેઈપીસી લીડરશિપ ટીમ સાથે ઉપસ્થિત રહ્યા હતા.
રિયાધ કાર્યક્રમમાં સાઉદી અરેબિયામાં ભારતના રાજદૂત મહામહિમ ડો. સુહેલ અજાઝ ખાન,રિયાધ ચેમ્બરના સેકન્ડ વાઇસ ચેરમેન શ્રી અજલાન સાદ અલાજલાન,એશિયન દેશો સાથે આંતરરાષ્ટ્રીય સંબંધોના નિયામક શ્રી ફલેહ જી. અલમુતૈરીઅને સુશ્રી મનુસ્મૃતિ, કાઉન્સેલર (આર્થિક અને વાણિજ્યબાબતો), જીજેઇપીસીના ચેરમેન શ્રી કિરીટ ભણસાલી,રાષ્ટ્રીય પ્રદર્શનોના કન્વીનર શ્રી નીરવ ભણસાલીઅને જીજેઈપીસીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી સબ્યસાચી રે ઉપસ્થિત રહ્યા હતા.
આ નવી જીજેઈપીસી પહેલ વિશે સાઉદી અરેબિયારાજ્યમાં ભારતના રાજદૂત ડો. સુહેલ એજાઝ ખાને જણાવ્યું હતું કેભારત અને સાઉદી અરેબિયા વ્યૂહાત્મક અને ઊંડા મૂળિયાવાળા સંબંધો ધરાવે છેઅને SAJEX આ વિકસતા બંધનને દર્શાવે છે. તે માત્ર ભારતની ડિઝાઇન શ્રેષ્ઠતાની ઉજવણી નથી પણ લક્ઝરી સેગમેન્ટમાં ઊંડા વ્યાપારી સહયોગનો પ્રવેશદ્વાર પણ છે. આ પહેલ દ્વિપક્ષીય ભાગીદારી માટે નવા માર્ગો ખોલે છે, કારીગરી દ્વારા સાંસ્કૃતિક આદાનપ્રદાનને આગળ ધપાવે છે અને સાઉદી અરેબિયાના વિઝન 2030 લક્ષ્યોમાં અર્થપૂર્ણ યોગદાન આપે છે. જવેલરી જેવા ઉચ્ચ-મૂલ્યવાળા ક્ષેત્રોમાં આર્થિક સંબંધોને મજબૂત બનાવવા તરફ આવા કેન્દ્રિત પ્રયાસો જોઈને આનંદ થાય છે.
જેદ્દાહમાં ભારતના કોન્સ્યુલ જનરલ શ્રી ફહાદ અહેમદ ખાન સુરીએ જણાવ્યું હતું કેSAJEX 2025 માત્ર એક પ્રદર્શન કરતાં વધુ છે. તે ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે વધતી ભાગીદારીનું પ્રતીક છે. ભારતના ઝવેરાત કારીગરીના વારસા અને લક્ઝરી રિટેલમાં સાઉદી અરેબિયાના વધતા વૈશ્વિક પ્રભાવ સાથે, આ પ્લેટફોર્મ એક જીવંત અને સહયોગી જ્વેલરી ઇકોસિસ્ટમ માટે મંચ તૈયાર કરે છે. કોન્સ્યુલેટ આ પહેલને સમર્થન આપતા ગર્વ અનુભવે છે જે ફક્ત દ્વિપક્ષીય વેપારને જ ગાઢ બનાવતી નથી પરંતુ સાંસ્કૃતિક અને વ્યાપારી તાલમેલની શક્તિનું પણ પ્રદર્શન કરે છે.
જીજેઈપીસીના ચેરમેન કિરીટ ભણસાલીએ જણાવ્યું હતું કેગતિશીલ વૈશ્વિક વેપાર વાતાવરણ વચ્ચે, SAJEX એ સાઉદી અરેબિયા જેવા ઉચ્ચ-સંભવિત બજારોમાં ભારતની જ્વેલરી એક્સપોર્ટને વિસ્તારવા તરફ એક સક્રિય પગલું છે. તેની વિકસતી લક્ઝરી રિટેલ ઇકોસિસ્ટમ, યુવા ગ્રાહકો અને ડિઝાઇન-આધારિત સોના અને હીરાના ઝવેરાત માટેની મજબૂત ભૂખ સાથે, કિંગડમ ભારતીય ઉત્પાદકો માટે એક ઉત્તેજક સીમા રજૂ કરે છે. SAJEX ભારત અને સાઉદી અરેબિયા વચ્ચે એક સહિયારી યાત્રાની શરૂઆત કરે છે અને બંને રાષ્ટ્રોને એક પ્રબળ શક્તિ તરીકે સ્થાન આપે છે.
ભારત જેમ્સ એન્ડ જ્વેલરીના અગ્રણી વૈશ્વિક સપ્લાયર તરીકે, વાર્ષિક 32 બિલિયન ડોલરની નિકાસ કરે છેઅને સાઉદી અરેબિયાનું જ્વેલરી માર્કેટ 2030 સુધીમાં લગભગ બમણું થઈને 8.34 બિલિયન યુએસ ડોલર થવાનો અંદાજ છે.આ ભાગીદારી ઉદ્યોગને ફરીથી આકાર આપવા અને સમગ્ર પ્રદેશ અને તેનાથી આગળ સહયોગ, નવીનતા અને વૃદ્ધિ માટે નવા માપદંડો સ્થાપિત કરવા માટે તૈયાર છે.
SAJEX 2025ની ખાસિયતોઃ
તારીખ અને સ્થળ: 11થી 13 સપ્ટેમ્બર 2025, જેદ્દાહ સુપરડોમ
સહભાગીઓ: 250થી વધુ બૂથ પર 200થી વધુ અગ્રણી પ્રદર્શકો
ખરીદદારો: 2,000 થી વધુ આંતરરાષ્ટ્રીય વેપાર ખરીદદારોની અપેક્ષા છે
પ્રોડક્ટ રેન્જ: ડાયમંડ અને કલર્ડ જેમસ્ટોન-સ્ટડેડ જ્વેલરી, 18 કેરેટ, 21 કેરેટ અને 22 કેરેટ પ્લેન ગોલ્ડ જ્વેલરી, પ્લેટિનમ જ્વેલરી, પ્રેટ અને બ્રાઇડલ બંનેમાં લેબ-ગ્રોન ડાયમંડ જ્વેલરી, ગિફ્ટિંગ કલેક્શન્સ અને જ્વેલરી ટેકનોલોજી
સુવિધાઓ: નોલેજ ટૉક્સ, ડિઝાઇન એટેલિયર, ક્યુરેટેડ નેટવર્કિંગ, સ્ટ્રેટેજિક ટાઇ-અપ્સ, વર્લ્ડ જ્વેલરી ઇન્વેસ્ટમેન્ટ ફોરમ SAJEX એક ગેમ-ચેન્જર બનવાની અપેક્ષા છે, ફક્ત એક ટ્રેડ પ્લેટફોર્મ તરીકે જ નહીં, પરંતુ વૈશ્વિક સહયોગ, નવીનતા અને રોકાણ દ્વારા રાજ્યના જેમ અને જ્વેલરી ઉદ્યોગને પરિવર્તિત કરવા માટે ઉત્પ્રેરક તરીકે.
છેલ્લા 74 વર્ષથી સુરત જ નહીં પણ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગુણવત્તા યુક્ત દુધ પ્રોડક્ટસ સપ્લાય કરતી સુમુલ ડેરી હવે દક્ષિ ગુજરાતવાસીઓ માટે શુદ્ધતાનું પ્રતિક બની ચૂકી છે. અહીં સુમુલ ડેરીની સમગ્ર દૂધ સપ્લાયની ચેઇન છે, જે વપરાશકર્તાઓને ગેરેન્ટી આપે છે કે સુમુલનું દૂધ ક્યારેય સહેજ પણ ઉતરતી ગુણવત્તાનું નહીં હોય.
વર્લ્ડ નંબર ખેલાડી જેનિક સિનરે ઈતિહાસ રચી દેતાં પહેલીવાર વિમ્બલડન મેન્સ સિંગલ્સની ફાઈનલમાં વિજયી થઈ ટ્રોફી જીતી લીધી. સિનરે ગ્રાસકોર્ટ પર સતત બે વર્ષ સુધી ખિતાબ જીતનારા સ્પેનના કાર્લોસ અલ્કારાઝને ત્રણ કલાક ચાલેલી ફાઈનલમાં 4-6, 6-4, 6-4, 6-4 થી હરાવીને ખિતાબ જીત્યો હતો.
સિનરે તેની કારકિર્દીનો આ ચોથો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીત્યો હતો. 148 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર કોઈ ઈટાલિયન ખેલાડી વિમ્બલડનનું ટાઈટલ જીત્યો હતો. આ સાથે સિનરે ગત મહિને ફ્રેન્ચ ઓપનની ફાઈનલમાં અલ્કારાઝ સામેની હારનો હિસાબ ચૂકતે કરી દીધો.
પહેલીવાર આવું થયું
બંને વચ્ચેની ફાઈનલ મેચ એટલા માટે પણ રસપ્રદ હતી કેમ કે પહેલીવાર વિમ્બલડન મેન્સ ફાઈનલમાં બે એવા ખેલાડી સામ-સામે રમી રહ્યા હતા જેમનો જન્મ 2000ની સાલ બાદ થયું હતું. ફાઇનલની શરૂઆત અલ્કારાઝે આક્રમક અંદાજમાં કરી હતી અને પ્રથમ સેટ 6-4થી જીતી લીધો હતો. જોકે પછી તે એક પણ સેટ ન જીતી શક્યો.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.