CIA ALERT

આધ્યાત્મિક Archives - Page 17 of 36 - CIA Live

August 7, 2020
dwarka_temple.jpg
1min6860

ઇતિહાસમાં પહેલી વખત એ ઘટના બનશે કે જન્માષ્ટમીના પવિત્ર તહેવારમાં જ વિશ્વપ્રસિદ્ધ કૃષ્ણમંદિર, દ્વારકાના દ્વાર લોકો માટે બંધ રહેશે. કોરોના વાયરસનો ચેપ ન ફેલાય તે માટે જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ચાર દિવસ દ્વારકા મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ભારતનો સૌથી મોટો જન્માષ્ટમીનો ઉત્સવ આવી રહ્યો છે ત્યારે ભગવાન કૃષ્ણના ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે, આ વખતે કૃષ્ણ જન્મના ઉત્સવો રદ છે. તેવામાં ગુજરાતના સુપ્રસિદ્ધ દ્વારકા મંદિરને પણ જન્માષ્ટમીના ઉત્સવ દરમિયાન બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દ્વારાકાનું મંદિર જન્માષ્ટમીના ચાર દિવસ 10થી 13 ઓગસ્ટ દરમિયાન બંધ રહેશે.

મંદિરમાં ભક્તોની ભીડ ન ઉમટે તેના કારણે દ્વારકા મંદિરને ચાર દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો મંદિર ખુલ્લુ રાખવામાં આવે તો ભક્તોની ભીડ ઉમટે અને તેનાથી કોરોનાના ચેપનું જોખમ વધી જાય તેને ધ્યાનમાં રાખતા જિલ્લા કલેક્ટરે આ નિર્ણય લીધો છે. તેથી 10થી 13 ઓગસ્ટ દરમિયાન દ્વારકા મંદિર બંધ રહેશે.

દ્વારકા મંદિર ભક્તો માટે બંધ રાખવામાં આવ્યું છે પરંતુ મંદિરમાં નિયમિત રીતે પૂજા-આરતી થતી રહેશે. જોકે, ભક્તો માટે રાહતની વાત એ છે કે મંદિરની અંદર થનારી આરતીનું સોશિયલ મીડિયા પર લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે. આ ભક્તો સોશિયલ મીડિયા પર આરતીનો લાભ લઈ શકશે.

August 5, 2020
ayodhya-7.jpg
1min4790

અયોધ્યામાં બનનારા ભવ્ય રામમંદિરનું પાંચમી ઑગસ્ટ, બુધવારે ભૂમિપૂજન થવાનું છે. આ પ્રસંગે યોજાનારા કાર્યક્રમમાં મંચ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબહેન પટેલ, રાજ્યના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહનરાવ ભાગવત હાજર રહેશે.

અયોધ્યા નગરીને દિવાળીના જેવો મોટો તહેવાર હોય એ રીતે સજાવવામાં આવી છે. મહાનુભાવોની હાજરી અને માત્ર દેશના જ નહિ, પરંતુ વિશ્ર્વભરના હિંદુઓ માટે આ એક મહત્ત્વનો પ્રસંગ હોવાથી સુરક્ષા વ્યવસ્થા પણ બહુ વધારાઇ છે.

શ્રી રામ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા ભૂમિપૂજનનો સમય બપોરે ૧૨ વાગ્યાને ૪૪ મિનિટ અને ૮ સેકંડથી લઇને ૧૨ વાગ્યાને ૪૪ મિનિટ અને ૪૦ સેકંડ સુધીનો ૩૨ સેકંડનો રાખવામાં આવ્યો છે.

રામમંદિર નિર્માણ માટે અનુષ્ઠાન (ધાર્મિક વિધિ) સોમવારે શરૂ કરાઇ હતી. રામમંદિરના ભૂમિપૂજન માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક મહાનુભાવને આમંત્રણ અપાયું છે.

ગણેશપૂજન, રામ-અર્ચના, સરયૂ નદીના પૂજન જેવા કાર્યક્રમ તો સતત ચાલુ જ છે. મોદીની મુલાકાતને ધ્યાનમાં રાખીને હનુમાનગઢી મંદિર ખાતે સલામતીની ખાસ વ્યવસ્થા કરાઇ છે. અયોધ્યામાં ઠેરઠેર ઇમારતોને પીળો રંગ કરાયો છે અને મંદિરો, ઉપરાંત ઘરોમાં તોરણ બાંધવામાં આવ્યા છે. દેશની વિવિધ નદીનું જળ અને પવિત્ર સ્થળોની માટી અયોધ્યા લાવવામાં આવી છે. અહીં આ પ્રસંગે ૧૧ લાખ દીવડા પ્રગટાવવામાં આવનાર છે. દેશભરમાં બુધવારે અનેક સ્થળે રામધૂન, ભજન, યજ્ઞના કાર્યક્રમ પણ રખાયા છે. શ્રી રામ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના

સભ્યો અને અન્ય સંતોએ આસપાસના વિવિધ મંદિરમાં જઇને દર્શન કરવાનું અને જરૂરી તૈયારીને આખરી ઓપ આપવાનું શરૂ કરી દીધું હતું.

શ્રી રામ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયે જણાવ્યું હતું કે રામજન્મભૂમિ પરિસરમાં વિષ્ણુસહસ્રનામની આહુતિ બે વખત અપાઇ હતી. ભગવાન રામ અને હનુમાનજીના નામે આહુતિ આપવી જરૂરી હતી.

અયોધ્યા ખાતે ગંગા સહિતની અનેક નદીના જળ અને માટી લાવવામાં આવી રહી છે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે સોમવારે ભૂમિપૂજનના સ્થળની મુલાકાત લઇને થઇ રહેલી તૈયારીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે હનુમાનગઢી મંદિરની પણ મુલાકાત લીધી અનેે વરિષ્ઠ વહીવટી અધિકારીઓને જરૂરી સલાહ-સૂચન કર્યા હતા.

અયોધ્યાના રેલવે સ્ટેશનને પણ રામમંદિર જેવો જ આકાર આપવાનો નિર્ણય લેવાયો હતો. ગુજરાતના બીએપીએસના મહંત સ્વામી અને સારસાના અવિચલદાસજી સહિત સાત સંતોને આ ભૂમિપૂજન માટે આમંત્રણ અપાયું છે. અમેરિકાના ટાઇમ સ્ક્વૅરના વિશાળ સ્ક્રીન સહિતના અનેક વિદેશમાં અયોધ્યાના રામમંદિરના ભૂમિપૂજનનું પ્રસારણ થવાનું છે.

યોગી આદિત્યનાથની સાથે સોમવારે એડિશનલ ચીફ સેક્રેટરી (ગૃહ) અવનીશકુમાર અવસ્થી, અયોધ્યા જિલ્લાના મેજિસ્ટ્રેટ અંજુકામુર ઝા અને ડીઆઇજી દીપકકુમારે પણ ભૂમિપૂજનના સ્થળની મુલાકાત લીધી હતી.

અયોધ્યામાં રામમંદિરના પાંચમી ઑગસ્ટે થનારા ભૂમિપૂજનની પહેલાં શ્રી રામ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય વિમલેન્દ્ર મોહન મિશ્રા અને અન્ય સભ્યોએ મંદિરોમાં પૂજા કરી હતી. હરિદ્વારમાં ગંગા નદીનું પવિત્ર જળ લઇને મહંત રવીન્દ્ર પુરી અને અન્ય સંતો અયોધ્યા માટે રવાના થયા હતા. ભૂમિપૂજનને ધ્યાનમાં રાખીને પ્રસાદ તરીકે એક લાખ લાડુના પેકેટ તૈયાર કરવાનો પણ ઑર્ડર અપાઇ ગયો હતો. દેશમાં અનેક સ્થળે રામમંદિરો અને અન્ય ઘણાં સ્થળે પ્રસાદના વિતરણની વ્યવસ્થા પણ કરાઇ છે. 

August 3, 2020
charri_mubarak.jpg
1min5530

કોરોનાને કારણે આ વર્ષે અમરનાથ યાત્રા સ્થગિત કરી દેવામાં આવી હતી, પરંતુ યાત્રાના પ્રતીક સમી પવિત્ર છડી મુબારકને અમરનાથની ગુફામાં ત્રીજી ઑગસ્ટના શ્રાવણ પૂર્ણિમાના દિવસે જરૂર સ્થાપિત કરવામાં આવશે જેથી યાત્રાને સાંકેતિકરૂપે સંપન્ન કરી શકાય.

એક વીડિયો સંદેશમાં મહંત દીપેન્દ્ર ગિરિએ જણાવ્યું કે પવિત્ર છડી મુબારક ૩ ઑગસ્ટના શ્રાવણી પૂર્ણિમાના રોજ શ્રી અમરનાથ ગુફામાં પહોંચશે અને ત્યાં બધા ધાર્મિક અનુષ્ઠાન વૈદિક મંત્ર અને પૂજા અર્ચના સાથે સંપન્ન કરવામાં આવશે. ત્યાર બાદ ભગવાન આશુતોષ (ભગવાન શિવના અનેક નામમાંનું એક નામ) પાસે કોરોનાથી મુક્તિ અપાવવા માટે પ્રાર્થના કરવામાં આવશે. મહંત દીપેન્દ્ર ગિરિએ વીડિયો સંદેશમાં યાત્રાની પ્રાચીન પરંપરા અને ઇતિહાસથી પણ માહિતગાર કરાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે આ યાત્રા લગભગ દોઢસો વર્ષ જૂની છે. પ્રશાસન તરફથી કરવામાં આવી રહેલી તૈયારીમાં હેલિકોપ્ટરથી આશરે બે ડઝન લોકોને ગુફા સુધી લઇ જવાનો પ્રબંધ કરવામાં આવી રહ્યો છે. ગુફાનું પવિત્ર શિવલિંગ પીગળીને હવે માત્ર દોઢ ફૂટ રહી ગયું છે. આ વખતે યાત્રા માટે તૈયારી તો કરવામાં આવી હતી, પરંતુ કોરોનાના કેસો વધી જવાને કારણે યાત્રા સ્થગિત કરી દેવામાં આવી હતી.

August 3, 2020
ram_mandir02.jpg
1min5490

अयोध्या में राम मंदिर के लिए होने वाले भूमि पूजन कार्यक्रम की शुरुआत आज से हो गई है. आज गणपति पूजन है. वहीं, भूमि पूजन की तैयारियां जोर शोर से चल रही हैं. सीएम योगी आदित्यनाथ आज भूमि पूजन की तैयारियों का जायजा लेने अयोध्या जाएंगे. भूमि पूजन से जुड़ी पल-पल की अपडेट्स

3 August अयोध्या में राम मंदिर भूमि पूजन का कार्यक्रम आज से शुरू हो गया है. फिलहाल भूमि पूजन वाली जगह पर भगवान श्री गणेश का पूजन किया जा रहा है. ये पूजन दोपहर एक बजे तक चलेगा.

અયોધ્યામાં રામમંદિરના ભવ્ય ભૂમિપૂજન સમારોહનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. સમગ્ર અયોધ્યાએ જાણે નવા વાઘા સજ્યા છે. સમારોહમાં લગભગ 200 આમંત્રિત સામેલ થશે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા તૈયાર કરાયેલું પીળા રંગનું આમંત્રણ કાર્ડ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂમિપૂજન કરશે પણ આ સમારોહ સંપૂર્ણપણે ધાર્મિક હશે અને વડાપ્રધાન કોઈ સરકારી એલાન કરશે નહીં એમ સૂત્રો કહે છે.

યોધ્યામાં દિવાળી જેવો માહોલ છે. ભક્તો માટે એક લાખ લાડુ તૈયાર કરાયા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભૂમિપૂજન કાર્યક્રમ સંપૂર્ણપણે ધાર્મિક હશે. આ કાર્યક્રમ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે યોજ્યો છે અને વડાપ્રધાનને આમંત્રિત કર્યા છે. આમ, મોદી ભૂમિપૂજન સધી જ ખુદને સીમિત રાખશે.

મોદી અયોધ્યા પહોંચીને સૌથી પહેલાં હનુમાનગઢીમાં દર્શન-પૂજન કરશે. એસપીજીની ટીમ અને પ્રશાસનિક અધિકારીઓ અગાઉથી હનુમાનગઢી પહોંચી ગયા છે અને સુરક્ષા તૈયારીઓની સમીક્ષા કરી છે. ભૂમિપૂજન કાર્યક્રમની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે ભગવાન શ્રી રામ માટે ખાસ પોશાક પણ તૈયાર કરાયો છે. રામદલ સેવા ટ્રસ્ટના અધ્યક્ષ પંડિત કલ્કિરામ નવા પોશાક સીવડાવી લાવ્યા છે.

July 25, 2020
chardham.jpg
1min7720

પવિત્ર શ્રાણવ માસના આરંભ સાથે જ ભારતભરમાં ધાર્મિક તહેવારોની સીઝન શરૂ થઇ છે અ ે તેમાં પણ સોનામાં સુગંધ ભળે એમ ઉત્તરાખંડ રાજ્ય સરકારે પવિત્ર ચારધામ યાત્રા માટેના દરવાજા અનલૉક કરી દીધા છે.

ઉત્તરાખંડ સરકારે શ્રદ્ધાળુઓ માટે ઉત્તર કાશીના ગંગોત્રી, યમનોત્રી, કેદારનાથ અને બદ્રિનાથ સ્થિત ચાર ધામના યાત્રાળુઓ માટે ખુલ્લી મૂકી દીધી છે. શરત એટલી જ છે કે યાત્રાએ જવા માંગતા દરેક શ્રદ્ધાળુએ ઉત્તરાખંડ આગમનના 72 કલાક અગાઉ કરવામાં આવેલા કોવિડ 19નો ટેસ્ટ નો નેગેટીવ રિપોર્ટ સાથે રાખવાનો રહેશે. કોરોના નેગેટીવ ટેસ્ટ સર્ટીફાઇડ વ્યક્તિઓને જ ચારધામ યાત્રા માટે ઓનલાઈન મંજૂરી મળી જશે.

ઉત્તરાખંડ રાજ્ય સરકારની શરત છે કે પહેલા 7 દિવસ હોટેલમાં કોરોન્ટાઇન રહેવું પડશે

ચારધામ દેવસ્થાનમ પ્રબંધન બોર્ડના સીઈઓ રવિનાથ રમણે કહ્યું કે શ્રદ્ધાળુએ ટેસ્ટ રિપોર્ટ પોતાની સાથે આવે ત્યારે લાવવાનો રહેશે. ઉત્તરાખંડમાં બહારથી આવતા શ્રદ્ધાળુઓ માટે આઈસીએમઆર દ્વારા અધિકૃત લેબમાંથી ટેસ્ટ કરાવવાનો રહેશે. યાત્રા દરમિયાન ફોટો આઈડી સાથે રાખવાનો રહેશે. જે શ્રદ્ધાળુ 72 કલાક પહેલા ટેસ્ટ નહીં કરાવે અને ચારધામ યાત્રા કરવા માંગતા હોય તેમને પ્રથમ 7 દિવસ પોતાના ખર્ચે હોટલમાં કોરેન્ટાઈન થવું પડશે ત્યારબાદ જ દર્શન થશે.


July 20, 2020
kuber.jpg
1min5870

વડોદરા જિલ્લા વહિવટી તંત્રની હદમાં આવતા કરનાળી સ્થિત કુબેર ભંડારી મંદિર તા.31મી જુલાઇ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. શ્રાવણ માસમાં અહીં ભારે ભીડ થતી હોઇ, તા.19મી જુલાઇએ જિલ્લા કલેક્ટરેટના અધિકારીઓએ મંદિરની મુલાકાત લઇને આજે તા.20મી જુલાઇથી આતા.૩૧મી સુધી મંદીરના દર્શન બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

વડોદરા જિલ્લાના કરનાળી સ્થિત કુબેર ભંડારી ભગવાનના દર્શન માટે અમાસ નું  મહત્વ રહેલું છે. દેશવ્યાપી લોકડાઉનનાને કારણે છેલ્લા ચાર મહિના પછી અમાસના દર્શન બંધ હતા. હવે  શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે ત્યારે દર્શનનો લાભ ભાવિક ભક્તોને મળી રહે તે માટે કવાયત શરૂ કરી દેવામાં આવી હતી.  

અમાસ અને શ્રાવણ મહિના ને ધ્યાનમાં રાખીને કુબેર ભંડારી ટ્રસ્ટ’ના સંચાલકોએ રાજ્ય સરકાર ની ગાઈડ લાઈન પ્રમાણે જરૂરી તમામ વ્યવસ્થા નું આયોજન કર્યું હતું. 

પણ રાજ્ય સરકારની સૂચનાને ધ્યાનમાં રાખી કુબેર ભંડારી દર્શના ટ્રસ્ટી મંડળ તાત્કાલિક તેનો અમલ શરૂ કર્યો હતો.  આજથી મંદિરના દ્વાર તારીખ ૩૧ જુલાઈ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો.  આજે અમાસની પૂર્વે દર્શન માટે આવતા અનેક ભાવિક ભક્તો રાજ્ય સરકારના અચાનક નિર્ણયને કારણે મંદિરે દર્શન કર્યા સિવાય ડેલીએ હાથ દઇ પરત ફરવાનો વારો આવ્યો હતો.

કુબેર ભંડારી ટ્રસ્ટના વ્યવસ્થાપક રજનીભાઈ પંડ્યા જણાવ્યું છે કે રાજ્ય સરકારની સૂચના પ્રમાણે આવતીકાલે અમાસના દર્શન અને શ્રાવણ મહિના દરમિયાન રાજ્ય સરકારની સૂચના પ્રમાણે તારીખ ૩૧ જુલાઈ સુધી કુબેર ભંડારી મંદિર ભાવિક ભક્તો માટે દર્શન બંધ રાખવામાં આવ્યા છે તેમજ પૂજા વિધિ કે પછી અન્ય ધાર્મિક વિધિ પણ મંદિર ખાતે કરવામાં આવશે નહીં સાથે સાથે ધર્મશાળા અને ભંડારો પણ બંધ રહેશે.

July 18, 2020
somnath_temple-1280x720.jpg
1min5490

બાર જ્યોર્તિલિંગ પૈકીના એક અને ગુજરાતના સૌરાષ્ટ્ર ખાતે આવેલા સોમનાથ મહાદેવ મંદિરનું સંચાલન કરી રહેલા સોમનાથ ટ્રસ્ટે આગામી સપ્તાહથી શરૂ થઇ રહેલા પવિત્ર શ્રાવણ મહિનામાં ભાવિકોની ઉમટતી ભીડને જોતા મંદિરના સમય તેમજ દર્શન વ્યવસ્થામાં ફેરફાર કર્યા છે. દૂર દૂરથી દર્શનાર્થે જતા લોકોએ ફેરફારો ધ્યાનમાં લઇને તેમની યાત્રાનું આયોજન કરવું.

  • શ્રાવણ મહિનામાં સવારે 6.00 કલાકે મંદિર ખોલવામાં આવશે.
  • શનિવાર, રવિવાર તેમજ સોમવારે સમયમાં વધારો કરવામાં આવશે.
  • શ્રાવણ મહિનો હોવાના કારણે રાતે 9.15 સુધી મંદિર ખુલ્લું રાખવામાં આવશે.
  • બહારથી આવતા શ્રદ્ધાળુઓ પણ સરળતાથી દર્શન કરી શકે તે માટે દર્શન વ્યવસ્થા તેમજ સમય વધારવાનો નિર્ણય લેવાયો હોવાનું સોમનાથ ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા જણાવાયું હતું.

July 5, 2020
anarnath2020.jpg
2min7650

આ વખતના બાબા અમરનાથના સૌપ્રથમ દર્શન કરો

તા.5 જુલાઇ 2020ના રોજ ગુરુપૂર્ણિમાના દિવસે સવારે અમરનાથ બાબાની બર્ફાની ગુફા ખાતે સૌપ્રથમ આરતી સાથે અમરનાથયાત્રાને ઔપચરિક રીતે શરુ કરવામાં આવી હતી. આ તસવીર બાબા અમરનાથની આરતી વખતની સૌથી પહેલી તસ્વીર છે.

વિશ્વભરમાં જેના લાખો નહીં પણ કરોડો ચાહકો છે એ ભારતની શીખર યાત્રા ગણાતી બાબા બર્ફાની, અમરનાથ યાત્રામાં આ વખતે કોવીડ-19ના કારણે જઇ નહીં શકાય એવી સ્થિતિ હોઇ, બાબા અમરનાથ યાત્રા મેનેજમેન્ટએ ભાવિકો માટે એક નવો રસ્તો કાઢ્યો છે અને એ રસ્તો ઘરે બેઠા જ ઓનલાઇન બાબા અમરનાથની લાઇવ આરતીનો લહાવો માણવાનો છે.

ગુરુપૂર્ણિમા એટલે કે આજરોજ તા.5મી જુલાઇથી ઘરે બેઠા જ બાબા બર્ફાનીના દર્શન કરી શકાય એ માટે પવિત્ર ગુફામાં સવાર-સાંજ દિવ્ય આરતીની શરૂઆત થઈ છે. જેનું પહેલીવાર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું છે.

શ્રદ્ધાળુઓ ઘરે બેઠા જ દૂરદર્શન પર પવિત્ર હિમલિંગના દર્શન કરી શકે છે. દૂરદર્શન પર સવારે 6 વાગ્યે અને સાંજે 7 વાગ્યે આરતીનું લાઈવ પ્રસારણ થશે. શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડે દૂરદર્શન સાથે મળીને આ માટેની વ્યવસ્થા કરી છે. આ માટેની પૂરતી તૈયારીઓ પણ કરી દેવાઈ છે.

કોરોના વાયરસના પગલે અમરનાથ યાત્રા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે રોજ માત્ર 500 ભક્તોને જમ્મૂના રોડ પરથી જવા દેવાશે. યાત્રા માટે કઠુઆના લખનપુરમાં ભક્તોનો ટેસ્ટ થશે. ટેસ્ટ બાદ જ તેમને આગળ મોકલાશે. વયોવૃદ્ધ લોકોને યાત્રા માટેની અનુમતિ નથી. યાત્રાના માર્ગ પર સુરક્ષાદળો તહેનાત કરી દેવાયા છે.

દૂરદર્શન પર લાઇવ આરતીનું પ્રસારણ કરવામાં આવશે. રોજ સવારે 6થી 6.30 અને સાંજે 5થી 5.30 સુધી પ્રસારણ

Baba Amarnath Aarti will be telecast live on Doordarshan this year every morning and evening. This will be the first time that the aarti will be telecast live. Earlier, recorded videos and visuals were seen. The devotees will be able to watch it from 6:00 am to 6:30 am and 5:00 pm to 5:30 pm daily starting July 6, 2020. \

ગુરુપૂર્ણિમાએ શિરડીવાલે સાઇ બાબાના પ્રત્યક્ષ દર્શન કરો

સાઇબાબાને કરોડો ભાવિકોએ પોતાના આદ્યગુરુ માન્યા છે, માની રહ્યા છે. આ તમામ ભાવિકો આજે પૂર્ણિમાએ દર્શનાર્થે જઇ શક્યા નથી. તેમના માટે અહીં આજે તા.5મી જુલાઇ 2020ને ગુરુપૂર્ણિમાએ સવારે 10 વાગ્યે સાઇબાબાના દર્શનની તસ્વીરો અહીં રજૂ કરી છે.
સાઇબાબાને કરોડો ભાવિકોએ પોતાના આદ્યગુરુ માન્યા છે, માની રહ્યા છે. આ તમામ ભાવિકો આજે પૂર્ણિમાએ દર્શનાર્થે જઇ શક્યા નથી. તેમના માટે અહીં આજે તા.5મી જુલાઇ 2020ને ગુરુપૂર્ણિમાએ સવારે 10 વાગ્યે સાઇબાબાના દર્શનની તસ્વીરો અહીં રજૂ કરી છે.
July 4, 2020
penumbral-eclipse-1593172380.jpg
2min5890

આવતીકાલ તા.5 જુલાઇને રવિવારે ખગોળીય તખ્તા પર ચાલુ વર્ષનું ત્રીજું ચંદ્ર ગ્રહણ આકાર પામશે. રવિવાર તા.5મી જુલાઇએ ગુરૂપૂર્ણિમા અવસર છે જે ભારતમાં રંગેચંગે ઉજવાશે પરંતુ, ચંદ્ર ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી આથી વિધ્વાનો, પંડિતોએ રવિવારના ચંદ્ર ગ્રહણ દરમિયાન સૂતકના નિયમો માનવા ભાવિકોને ના પાડી છે. ચંદ્ર ગ્રહણ ભારતીય સમય અનુસાર સવારે 8 વાગીને 37 મિનિટે શરૂ થશે અને 11 વાગીને 22 મિનિટે પૂરું થશે.

5 જુલાઇ રવિવારે ચાલુ વર્ષનું ત્રીજું ચંદ્ર ગ્રહણ લાગવાનું છે. એક મહિનાની અંદર આવતું આ ત્રીજું ગ્રહણ છે. આ ગ્રહણ વાસ્તવિક ચંદ્ર ગ્રહણ ન થતાં એક ઉપછાયા ચંદ્ર ગ્રહણ હશે. ઉપછાયા ચંદ્ર ગ્રહણને ધાર્મિક રીતે વધારે માન્યતા આપવામાં નથી આવતી. 5 જુલાઇના લાગનારું આ ઉપછાયા ચંદ્ર ગ્રહણ સવારે 8 વાગ્યે 37 મિનિટે શરૂ થશે જે 11 વાગીને 22 મિનિટે પૂરું થશે.

ભારતમાં નહીં દેખાય ચંદ્રગ્રહણ

તા.5મી જુલાઇનું ચંદ્રગ્રહણ ભારતમાં નહીં દેખાય. આ ચંદ્ર ગ્રહણ અમેરિકા, દક્ષિણ-પશ્ચિમ યૂરોપ અને આફ્રિકાના અમુક ભાગમાં દેખાશે. આ ગ્રહણ ભારતમાં નહીં જોવા મળે. ગ્રહણ કાળમાં ચંદ્ર ક્યાંયથી પણ કપાયેલું નહીં પણ સંપૂર્ણ આકારમાં દેખાશે. ગ્રહણ કાળ દરમિયાન ચંદ્રમાઁ ધનુ રાશિમાં હશે.

5 જુલાઇના લાગનારું આ ગ્રહણ ઉપછાયા ચંદ્ર ગ્રહણ હશે. શાસ્ત્રોમાં ઉપછાયા ચંદ્ર ગ્રહણને ગ્રહણ માનવામાં નથી આવતું, તેથી આ દિવસે કોઇપણ કાર્ય પર પ્રતિબંધ પણ નહીં હોય. જો કે, જ્યોતિષવિદ કેટલીક સાવચેતીઓ રાખવાની સલાહ આપે છે. આ ગ્રહણ ધનુ રાશિમાં પૂર્વાષાઠા નક્ષત્ર દરમિયાન, શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિના લાગશે. ખાસ વાત એ છે કે આ દિવસે ગુરૂપૂર્ણિમા પણ છે. આ ઉપછાયા ચંદ્રગ્રહણને ધનુર્ધારી ચંદ્રગ્રહણ પણ કહેવામાં આવે છે.

5 જુલાઇના લાગનારું ચંદ્ર ગ્રહણ એક મહિનામાં લાગનારું ત્રીજું ગ્રહણ હશે. 5 જૂનના ચંદ્ર ગ્રહણ હતું, 21 જૂને સૂર્ય ગ્રહણ હતું અને હવે ફરી 5 જુલાઇના ચંદ્ર ગ્રહણ લાગવાનું છે.

ચંદ્ર ગ્રહણ સવારે 8 વાગીને 37 મિનિટે શરૂ થશે અને 11 વાગીને 22 મિનિટે પૂરું થશે

उपच्छाया चंद्र ग्रहण की शुरुआत 5 जून की रात 11 बजकर 16 मिनट से हो जायेगी और इसकी समाप्ति 6 जून की रात 2 बजकर 32 मिनट के करीब होगी। जबकि रात 12 बजकर 54 मिनट पर ये ग्रहण अपने पूर्ण प्रभाव में होगा।

चंद्र ग्रहण भी सूर्य ग्रहण की तरह ही एक खगोलीय घटना है। वैज्ञानिक रूप से ये जितना महत्वपूर्ण माना गया है उतना ही महत्वपूर्ण ये धार्मिक व ज्योतिषीय दृष्टि से भी है। चंद्रमा पर धरती की छाया पड़ने से चंद्र ग्रहण लगता है। लेकिन 5 जून को लगने वाला ग्रहण उपच्छाया चंद्र ग्रहण होगा। ये ग्रहण भारत, यूरोप, अफ्रीक, एशिया और ऑस्ट्रेलिया में दिखाई देग। उपच्छाया चंद्र ग्रहण होने के कारण सूतक काल का प्रभाव कम रहेगा। ज्योतिष में उपच्छाया को ग्रहण का दर्जा नहीं दिया गया है। जिस कारण इसका सूतक काल भी नहीं माना जाता। ये ग्रहण वृश्चिक राशि और ज्येष्ठा नक्षत्र में लगने जा रहा है। जो भारत में भी दिखाई देगा। जानिए इस ग्रहण के बारे में पूरी डिटेल…

ग्रहण का समय: उपच्छाया चंद्र ग्रहण की शुरुआत 5 जून की रात 11 बजकर 16 मिनट से हो जायेगी और इसकी समाप्ति 6 जून 2.32 AM के करीब होगी। जबकि रात 12 बजकर 54 मिनट पर ये ग्रहण अपने पूर्ण प्रभाव में होगा। चंद्र ग्रहण का सूतक ग्रहण लगने से 9 घंटे पहले शुरू हो जाता है।

चंद्र ग्रहण और उपच्छाया चंद्र ग्रहण में अंतर? इससे पहले इसी साल 10 जनवरी को भी उपच्छाया चंद्र ग्रहण लगा था और अब 5 जून को ज्येष्ठ पूर्णिमा के दिन लगने वाला ग्रहण भी ऐसा ही होगा। चंद्र ग्रहण तब माना जाता है जब पृथ्वी सूर्य और चंद्रमा के बीच में आ जाती है और धरती की पूर्ण या आंशिक छाया चांद पर पड़ती है। इससे चांद का बिंब काला पड़ जाता है। इसे खुली आंखों से देखा जा सकता है।

तो वहीं उपच्छाया चंद्र ग्रहण देखने में सामान्य पूर्णिमा के चांद की तरह ही नजर आएगा। जिसमें अंतर कर पाना मुश्किल होगा। बता दें कि ग्रहण लगने से पहले चंद्रमा पृथ्वी की उपच्छाया में प्रवेश करता है जिसे चंद्र मालिन्य कहते हैं अंग्रेजी में इसको (Penumbra) कहते हैं। इसके बाद चांद पृथ्वी की वास्तविक छाया यानी भूभा (Umbra) में प्रवेश करता है। जब ऐसा होता है तब ही वास्तविक ग्रहण होता है। लेकिन कई बार चंद्रमा धरती की उपच्छाया में प्रवेश करके बिना भूभा में जाए ही बाहर निकल कर आ जाता है। इसलिए उपच्छाया के समय चंद्रमा का बिंब केवल धुंधला पड़ता है, काला नहीं। इस धुंधलापन को सामान्य रूप से देखा भी नहीं जा सकता है। इसलिए चंद्र मालिन्य मात्र होने की वजह से ही इसे उपछाया चंद्र ग्रहण कहते हैं ना कि चंद्र ग्रहण।


July 2, 2020
ambikaniketan1.jpg
2min9230

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

કોવીડ-19ના ફેલાય રહેલા સંક્રમણની સામે સુરતવાસીઓ પૈકી કેટલાક લોકો ભારે બેદરકારી દાખવી રહ્યા છે જેને લઇને સુરતમાં દિનપ્રતિદિન કોરોના કેસોની સંખ્યા સતત વધી રહી છે. અનેક ગણ્યમાન્ય વ્યક્તિઓ, સેલિબ્રિટીઓ, રાજકીય નેતાઓ અપીલ કરી ચૂક્યા છે કે કોવીડ 19માં ગાઇડલાઇનનું પાલન કરવામાં આવે. પણ હજુ 25 ટકા લોકો માસ્ક વગર, સૂચનાઓનું પાલન કર્યા વગર બેધકડ ફરી રહ્યા છે.

બેદરકાર સુરતીઓએ હવે સમજવું પડશે

બેદરકાર રહેલા સુરતીઓ હવે સમજવું પડશે. સુરતમાં બિરાજમાન અને વિશ્વવિખ્યાત અંબિકાનિકેતન મંદિરમાં બિરાજમાન મા અંબાએ પણ આજે માસ્ક ધારણ કરવો પડ્યો છે. સુરતવાસીઓને સમજાવવા માટે આજે અંબિકાનિકેતન ટ્રસ્ટના મેનેજમેન્ટ દ્વારા નિર્ણય લઇને માં અંબાને માસ્ક પરિધાન કરાવવામાં આવ્યો હતો.

સુરતમાં અંબિકાનિકેતન મંદિરમાં બિરાજમાન મા અંબાના કરોડો ભક્તો છે. માં અંબાને ખુબ માને છે. અબાલવૃદ્ધોમાં માં અંબા માનીતા છે. કોવીડ 19નું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે લોકો ખાસ તકેદારી રાખે, બિનજરૂરી ફર્યા ન કરે, માસ્ક પહેરે, વારેઘડીયા હાથ ધુએ વગેરે કાળજી રાખે એ માટે અંબિકાનિકેતન ટ્રસ્ટએ અપીલ કરી છે.

અંબિકાનિકેતન ટ્રસ્ટના ઓફિશ્યલ ફેસબુક હેન્ડલ પર આ સ્ટેટસ તા.2 જુલાઇ 2020ના રોજ અપડેટ કરવામાં આવ્યું હતું

Ambikaniketantrust यांनी वर पोस्ट केले गुरुवार, २ जुलै, २०२०

અંબિકાનિકેતન મંદિર અચોક્કસ મુદત માટે બંધ