CIA ALERT

રમત જગત Archives - Page 14 of 42 - CIA Live

October 5, 2021
IPL_cia.jpg
1min404

આઈપીએલ ટી-૨૦ ટુર્નામેન્ટની આજે રમાનારી મૅચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મૅચમાં રસપ્રદ મુકાબલો જોવા મળશે.

મુંબઈ ઈન્ડિયન્સની ટીમ તેની ગાડી ફરી પાટે ચડાવવાના અને સ્પર્ધામાં ટકી રહેવાના છેલ્લા પ્રયાસ કરશે. પાંચ વખત ટુર્નામેન્ટની ચૅમ્પિયન રહેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમનું લક્ષ્ય વિજયની હેટ્રીક કરવાનું હશે. જો મુંબઈ ઈન્ડિયન્સની ટીમ એમ કરવામાં સફળ થશે તો તે ટુર્નામેન્ટના ૧૪ વર્ષના ઈતિહાસમાં પ્રથમ જ વાર હશે. 

બીજી તરફ રાજસ્થાન રોયલ્સની ટીમે યશસ્વી જયસ્વાલ અને શિવમ દુબેના શાનદાર બૅટિંગ પ્રદર્શનની મદદથી ચેન્નઈ સુપર કિંગ્સને આંચકાજનક પરાજય આપ્યો હોવાને કારણે તેનો આત્મવિશ્ર્વાસ આભને અડી રહ્યો છે. મંગળવારની મૅચમાં પરાજિત થનારી ટીમ ટુર્નામેન્ટની બહાર થઈ જશે.

September 28, 2021
IPL_cia.jpg
1min341

DC Vs KKR –

શારજાહ: અહીં રમાઈ રહેલી આઈપીએલ ટી-૨૦ ટુર્નામેન્ટમાં મંગળવારે દિલ્હી કૅપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે મુકાબલો જોવા મળશે. આ મૅચમાં વિજય મેળવીને દિલ્હી કૅપિટલ્સ પ્લૅ ઑફમાં પોતાનું સ્થાન નિશ્ર્ચિત કરી લેવાનો પ્રયાસ કરશે.

અહીંના શારજાહ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાનારી મૅચમાં કેકેઆરના ઈજાગ્રસ્ત ઑલરાઉન્ડર ઍન્ડ્રે રસેલની ટીમમાં ગેરહાજરી દિલ્હી કૅપિટલ્સના આ આશાવાદ માટેનું મોટું અને મહત્ત્વનું કારણ છે. 

આઈપીએલનું ટાઈટલ પ્રથમ જ વખત મેળવવા ઉત્સુક બનેલી દિલ્હી કૅપિટલ્સની ટીમે આ સિઝનમાં હજુ સુધી આક્રમક રમત દેખાડી છે. 

ગયા વરસે આઈપીએલની ફાઈનલમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે પરાજિત થયેલી દિલ્હી કૅપિટલ્સની ટીમ આ વખતે આક્રમક મૂડમાં છે અને ગયા વરસની સરખામણીએ વધુ સારું પ્રદર્શન કરવા સજ્જ હોવાનું જણાઈ રહ્યું છે. 

દિલ્હી કૅપિટલ્સને ૧૬ પૉઈન્ટ સાથે આઈપીએલ પૉઈન્ટ ટેબલમાં બીજું તો બે વખત આઈપીએલની વિજેતા કેકેઆર ટીમને ચોથું સ્થાન આપવામાં આવ્યું હતું. 

આઈપીએલ: આજે મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ટક્કર

અબુધાબી: અહીં રમાઈ રહેલી આઈપીએલ ટી-૨૦ ટુર્નામેન્ટની આ મૅચમાં મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ટક્કર જોવા મળશે. પરાજયની હેટ્રીક કરનાર મુંબઈ ઈન્ડિયન્સની ટીમ માટે તેના ટોચના બૅસ્ટમેનો ફૉર્મ મેળવી લે તે ખૂબ જ જરૂરી છે. યુએઈમાં આઈપીએલનો આરંભ થયા બાદ ત્રણે મૅચમાં પરાજય મેળવનારી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ માટે સમય હાથમાંથી સરી રહ્યો છે. 

૧૦ મૅચમાં આઠ પૉઈન્ટ સાથે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પૉઈન્ટ ટેબલમાં ગબડીને સાતમા સ્થાને પહોંચી ગઈ છે. આઈપીએલની પાંચ વખત ચૅમ્પિયન રહેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમે અત્યાર સુધીમાં ચેન્નઈ સુપર કિંગ્સ-સીએસકે, રોયલ ચેલેન્જર્સ બેંગલોર-આરસીબી અને કોલકાતા નાઈટ રાઈડર્સ-કેકેઆર સામેની મૅચમાં પરાજય મેળવ્યો છે.  કૅપ્ટન રોહિત શર્મા સહિત ટોચના બૅટ્સમેનોની નિષ્ફળતા મુંબઈ ઈન્ડિયન્સની ટીમ માટે ચિંતાનો વિષય છે. બીજી તરફ સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મૅચમાં વિજયી બનેલી પંજાબની ટીમને પૉઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને મૂકવામાં આવી છે. 

૧૦ મૅચમાં આઠ પૉઈન્ટ સાથે પંજાબ કિંગ્સને પણ હવેની મૅચ ગુમાવવાનું અને પૉઈન્ટ ટેબલમાં નીચે સરકવાનું પરવડે એમ નથી.

September 23, 2021
IPL_cia.jpg
1min325

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં અહીં 23/9/21 ગુરુવારે મુંબઈ ઇન્ડિયન્સની સામે કોલકાતા નાઇટ રાઇડર્સ ટકરાશે.

આઇપીએલની ગયા વખતની વિજેતા ટીમ મુંબઈ ઇન્ડિયન્સનો સુકાની રોહિત શર્મા પોતાની ટીમ માટે આ મૅચમાં પ્રેરણાદાયક બની રહેવાની આશા રખાય છે. મુંબઈ ઇન્ડિયન્સ ગયા રવિવારે રોહિત શર્મા અને સ્ટાર ઑલ-રાઉન્ડર હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં ચેન્નઇ સુપર કિંગ્સની સામેની મૅચમાં ૨૦ રને હારી ગઇ હતી. આ બન્ને ખેલાડીને તકેદારીના પગલાંના ભાગરૂપે રવિવારની મૅચમાં આરામ અપાયો હતો. આમ છતાં, મુખ્ય પ્રશિક્ષક મહેલા જયવર્દેનેએ જણાવ્યું હતું કે રોહિત શર્મા ગુરુવારની કોલકાતા નાઇટ રાઇડર્સ સામેની મૅચમાં રમવા માટે શારીરિક રીતે સુસજ્જ થઇ જશે.

કોલકાતા નાઇટ રાઇડર્સે આ લીગના બીજા તબક્કાની પ્રારંભિક મૅચમાં રોયલ ચૅલેન્જર્સ બેંગલોરને નવ વિકેટથી હરાવ્યું હતું.

મુંબઈ ઇન્ડિયન્સ આઠ પૉઇન્ટની સાથે ચોથા ક્રમે છે. ગયા વખતની વિજેતા આ ટીમે લીગ ટૅબલમાં આગળ આવવા માટે હવે વિજય મેળવવો જરૂરી છે. રોહિત શર્મા અત્યાર સુધી સારા ફૉર્મમાં રમી રહ્યો છે અને તે કોલકાતા નાઇટ રાઇડર્સની સામે પોતાનું આ ફૉર્મ જાળવી રાખે અને પોતાની ટીમમાં જુસ્સાનો સંચાર કરે એવી આશા છે.

આ ઉપરાંત, સૌરભ તિવારીની આક્રમક બૅટિંગ પણ ઉપયોગી થઇ શકે છે. તેણે ચેન્નઇ સુપર કિંગ્સ સામેની મૅચમાં અણનમ અડધી સદી કરી હતી. કોલકાતા નાઇટ રાઇડર્સે પોતાની અગાઉની મૅચ મોટા તફાવતથી જીતી હોવાથી તેને નવું જોમ મળ્યું છે.

September 21, 2021
IPL_cia.jpg
1min386

અહીં મંગળવારે રમાનારી આઈપીએલની રાજસ્થાન રોયલ્સ અને પંજાબ વચ્ચેની મૅચમાં બંને ટીમ પૉઈન્ટ ટેબલમાં મધ્યમ ક્રમમાં પોતાની સ્થિતિ સુધારવાના પ્રયાસ કરશે. 

છેલ્લી અમુક સિઝન દરમિયાન આ બંને ટીમનું રમત પ્રદર્શન નિરાશાજનક રહ્યું હોવાને કારણે બંને ટીમ પોતાની યોગ્યતા અને ખેલપ્રદર્શન સુધારવાના પ્રયાસ કરશે. આઈપીએલની છેલ્લી ૧૪ સિઝનથી પંજાબની ટીમમાં સ્થિરતા જોવા નથી મળી રહી. કૅપ્ટન અને કોચ સહિતના ખેલાડીઓની સંગીત ખુરશીની જેમ બદલી કરવામાં આવી રહી છે. 

પંજાબની ટીમના કૅપ્ટન કે. એલ. રાહુલની કસોટી થશે કેમ કે તે અનિલ કુંબલેના માર્ગદર્શન હેઠળ તે કેવી બૅટિંગ કરે છે તેના પર જ નહીં, પરંતુ ટીમનું નેતૃત્વ કઈ રીતે કરે છે તેના પર પણ લોકોની નજર હશે. કુંબલે પણ ટીમના કોચ તરીકે પોતાની ક્ષમતા પુરવાર કરવાના પ્રયાસ કરશે. જોકે, પંજાબની નબળી બૉલિંગ રાજસ્થાન રોયલ્સ માટે લાભકારક પુરવાર થશે. 

ટીમ: 
રાજસ્થાન રોયલ્સ: સંજુ સેમસન (કૅપ્ટન), લીઆમ લિવિંગસ્ટન, ઈવિન લૅવિસ, ડૅવિડ મિલર, ક્રિસ મૉરિસ, ઑશાન થૉમસ, મુસ્તફિઝુર રહેમાન, ટાબ્રૅઈઝ શામસી, ગ્લૅન ફિલિપ્સ, ચેતન સાકરિયા, રિયાન પરાગ, રાહુલ તેવાટિયા, આકાશસિંહ, અનુજ રાવત, કે. સી. કેરિઅપ્પા, યશસ્વી જયસ્વાલ, શિવમ દુબે, શ્રેયસ ગોપાલ, કાર્તિક ત્યાગી, મયંક માર્કન્ડે, જયદેવ ઉનડકટ, કુલદીપ યાદવ, મહિપાલ લોમરોર. 

પંજાબ કિંગ્સ: કે. એલ. રાહુલ (કૅપ્ટન), મયંક અગ્રવાલ, અર્શદીપસિંહ, ઈશાન પોરેલ, શાહરૂખ ખાન, મોહમ્મદ શમી, નાથન ઍલિસ, આદિલ રાશિદ, મુરુગન અશ્ર્વિન, હરપ્રીત બ્રાર, મૉસિસ હૅન્રિક્સ, ક્રિસ જૉર્ડાન, ઍડન માર્કરામ, મનદીપ સિંહ, દર્શન નાલકંડે, પ્રભસિમરનસિંહ, રવિ બિશ્ર્નોઈ, ઉત્કર્ષસિંહ, ફાબિઅન ઍલન, સૌરભકુમાર, જાલજ સક્સેના. 

September 20, 2021
IPL_cia.jpg
1min429

આ વર્ષે આઇપીએલના પહેલા તબક્કામાં સાતમાંથી પાંચ મેચમાં જીત મેળવનાર વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તેનું આ શાનદાર ફોર્મ જાળવી રાખવાના લક્ષ્ય સાથે સોમવારે રમાનાર મેચમાં કોલકતા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ મેદાને પડશે.

આરસીબી હાલ 10 પોઇન્ટ સાથે ત્રીજા નંબરે છે. આ સામે ઇયોન મોર્ગનના કપ્તાન પદ હેઠળની ટીમ કોલકતા નાઇટ રાઇડર્સ સાત મેચમાં ફક્ત બે જીત સાથે ચાર અંક ધરાવે છે અને સાતમા સ્થાને છે. પ્લેઓફ માટે કેકેઆરને બીજા તબક્કાના પ્રથમ મેચથી જ કરો યા મરોનો જંગ ખેલવો પડશે.

કોલકતાની ટીમને બીજા તબક્કાથી ભાગ્ય બદલાશે તેવી આશા છે. 2014માં આવી સ્થિતિમાં સતત નવ મેચ જીતીને ખિતાબ તેનાં નામે કર્યો હતો. ટીમના મેન્ટર ડેવિડ હસ્સીએ કહ્યંy છે કે યુએઇની બદલાયેલી પરિસ્થિતિમાં ટીમ સારાં પરિણામ હાંસલ કરશે. જો કે પહેલા મેચમાં જ કેકેઆરની રાહ કઠિન રહેશે. સામે મજબૂત આરસીબી છે. જેનો કેપ્ટન કોહલી વર્લ્ડ કપ બાદ સુકાન છોડવાની જાહેરાત કરી ચૂક્યો છે. તે હવે મોટી ઈનિંગો રમવા બેતાબ છે.

બન્ને ટીમ વચ્ચે આઇપીએલમાં 27 ટક્કર થઈ છે. જેમાં કેકેઆરે 14 અને આરસીબીએ 13 જીત મેળવી છે. આ સિઝનના પહેલા ભાગના મેચમાં કેકેઆરનો આરસીબી સામે 38 રને વિજય મેળવ્યો હતો. કેકેઆરને સુકાની ઇઓન મોર્ગન, યુવા શુભમન ગિલ, સ્ટાર આંદ્રે રસેલ, અનુભવી દિનેશ કાર્તિક અને શકિબ અલ હસન પાસેથી સારા દેખાવની આશા રહેશે. બીજી તરફ આરસીબીને સુકાની કોહલી, સ્ટાર ડિ’વિલિયર્સ, યુવા પડીકકલ અને ગ્લેન મેકસવેલ પાસેથી ધમાકેદાર ઇનિંગની આશા રહેશે. હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાઝ, જેમિસન અને ચહલ જેવા સારા બોલર બેંગ્લોરની ટીમને વધુ મજૂબત કરી રહ્યા છે. શ્રીલંકન સ્પિનર હસરંગા છૂપો રૂસ્તમ બની શકે છે.

September 18, 2021
engpak.jpg
1min490
PAK vs NZ: New Zealand Pull Out of Pakistan Limited-Overs Tour Over  "Security Alert" Just Before 1st ODI | Cricket News

સુરક્ષાના ખતરાને ધ્યાને રાખીને ન્યુઝીલેન્ડની ટીમે પાકિસ્તાનનો પ્રવાસ પહેલા વન ડેના પ્રારંભની ઠીક પહેલા જ રદ કર્યાંના ક્રિકેટ વિશ્વમાં ઘેરા પડધા પડયા છે. પાકિસ્તાનમાં લગભગ દોઢ દાયકા બાદ ક્રિકેટની વાપસી થઇ છે, જે ફરી ઘોંચમાં પડી શકે છે. પાકિસ્તાનની સુરક્ષા સ્થિતિ અને આતંકી ખતરાને ધ્યાને લઇને કોઇ મોટી ટીમ પાક.નો પ્રવાસ ખેડવાનું દુ:સાહસ કરશે નહીં.

ન્યુઝીલેન્ડનો પ્રવાસ રદ થયા બાદ હવે ઇંગ્લેન્ડની ટીમનો પણ પાક. પ્રવાસ ખતરામાં આવ્યો છે. ઇંગ્લેન્ડની ટીમે આવતા મહિને પાક. ધરતી પર શ્રેણી રમવાની છે. જે હવે લગભગ રદ થશે. તેવા રિપોર્ટ છે. આ મામલે ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ બોર્ડ (ઇસીબી) 48 કલાકમાં તેનો આખરી નિર્ણય લેશે તેવું જાણવા મળે છે.

ઇંગ્લેન્ડની ટીમે પાકિસ્તાનમાં બે મેચની ટી-20 શ્રેણી રમવાની છે. આ શ્રેણી ટી-20 વિશ્વ કપની તૈયારીના ભાગરૂપે આયોજિત થઇ છે. આ શ્રેણી આઇપીએલના પ્લેઓફ દરમિયાન રમાવાની છે. આ શ્રેણી રમવા માટે ઇંગ્લેન્ડની ટીમે તા. 9 ઓકટોબરે પાકિસ્તાન પહોંચવાનું છે. જ્યારે આઇપીએલના પ્લેઓફ મુકાબલા 10 ઓકટોબરથી શરૂ થઇ રહ્યા છે. આથી ઇંગ્લેન્ડના કેપ્ટન ઇયોન મોર્ગન સહિતના ખેલાડીઓની પ્લેઓફમાં હાજરી જોવા મળશે નહીં, તેવું અગાઉ જાહેર થયું હતું. હવે તેમાં ફેરફાર થઇ શકે છે. જો ઇંગ્લેન્ડનો પાક. પ્રવાસ રદ થશે તો આઇપીએલના પ્લેઓફમાં પણ ઇંગ્લીશ ખેલાડી રમતા જોવા મળશે. ઇંગ્લેન્ડનો પાક. પ્રવાસ રદ થશે તો આઇપીએલની ફ્રેંચાઇઝીઓને ફાયદો થશે. કારણ કે દરેક ટીમ સાથે ઇંગ્લેન્ડના સ્ટાર ખેલાડીઓ જોડાયા છે.

September 10, 2021
indiavsengland.jpeg
1min369

 ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ ટેસ્ટ મેચની શ્રેણીનો છેલ્લો ટેસ્ટ મેચ તા.10 સપ્ટેમ્બરને શુક્રવારથી બપોરે 3:30 (ભારતીય સમય) કલાકથી માંચેસ્ટરમાં રમાશે. શ્રેણીમાં ર-1થી સરસાઈ મેળવનાર ટીમ ઈન્ડિયા શ્રેણી કબ્જે કરવાના ઈરાદે ઉતરશે તો ઈંગ્લીશ ટીમ શ્રેણી પરાજયને ટાળવાના દબાણ હેઠળ રમશે. ભારતીય ટીમમાં વધતાં કોરોના સંક્રમણને ધ્યાને લઈ પાંચમો ટેસ્ટ રમાવા અંગે શંકા વ્યક્ત કરાઈ હતી જો કે હજુ સત્તાવાર નિર્ણય આવ્યો નથી.
ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર છે કે છેલ્લા ટેસ્ટ માટે ઝડપી બોલર મોહમ્મદ શમી ફિટ જાહેર થયો છે. જો કે રોહિત શર્મા અને ચેતેશ્વર પુજારા ઈજાનો સામનો કરી રહ્યો હોવાથી તેમના રમવા અંગે સસ્પેન્સ છવાયું છે.

September 7, 2021
england.jpg
1min334

ભારત અને ઈંગ્લૅન્ડ વચ્ચેની ચોથી ટૅસ્ટમાં ભારતનો ૧૫૭ રનથી વિજય થયો હતો. ભારતે ઓવલ મેદાન પર પચાસ વર્ષ પછી વિજય મેળવ્યો છે.

ફાસ્ટબૉલર જસપ્રીત બુમરાહ અને રવીન્દ્ર જાડેજાએ ઈંગ્લૅન્ડની ટીમના મધ્યમક્રમના બૅટ્સમેનોને પેવેલિયનભેગા કરીને ભારતનો વિજય નિશ્ર્ચિત કરી લીધો હતો. બીજી ઈનિગ્સમાં ૧૨૭ રન કરનારા રોહિત શર્માને ‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર કરાયો હતો. ૩૬૮ રનના વિજયી લક્ષ્યાંકને પાર પાડવા ઊતરેલી ઈંગ્લૅન્ડની ટીમ ૯૨.૨ ઑવરમાં ૨૧૦ રન બનાવીને પૅવેલિયનભેગી થઈ જતા ભારતનો ૧૫૭ રનથી વિજય થયો હતો.

ઈંગ્લૅન્ડની ટીમના બે વિકેટે ૧૩૨ રન થયા હતા અને મૅચનું પલડું કઈ બાજુએ નમશે તે કળી 
શકાતું નહોતું. જોકે, ત્યાર બાદ બુમરાહ અને જાડેજાની બૉલિંગ સામે ઘૂંટણ ટેકવી દીધા હતા અને માત્ર ૬૨ રનમાં વધુ છ વિકેટ ગુમાવી દીધી હતી. બુમરાહે ઑલી પૉપે (બે રન) અને જૉની બૅરિસ્ટો (શૂન્ય રન)ની વિકેટ તો જાડેજાએ હાસિબ હમીદ (૬૩ રન) અને મોઈન અલી (શૂન્ય રન)ની વિકેટ ઝડપી હતી. શાર્દૂલ ઠાકુરે જૉ રૂટ (૩૬ રન)ની ચાવીરૂપ વિકેટ ઝડપી હતી. 
ઉમેશ યાદવે ક્રિસ વૉક્સ (૧૮ રન), ક્રૅગ ઑવરટન (૧૦ રન) અને જૅમ્સ ઍન્ડરસન (બે રન)ની વિકેટ ઝડપી હતી. 

ચાના સમયે ઈંગ્લૅન્ડની ટીમ ૮૪.૧ ઑવરમાં આઠ વિકેટે ૧૯૩ રન બનાવી ઝઝૂમી રહી હતી. 
ભારત વતી ઉમેશ યાદવે ૬૦ રનમાં ત્રણ, બુમરાહ ૨૭ રનમાં બે, રવીન્દ્ર જાડેજા ૫૦ રનમાં બે અને શાર્દૂલ ઠાકુરે બાવીસ રનમાં બે વિકેટ ઝડપી હતી. 

ઈંગ્લૅન્ડ વતી બર્ન્સ (૫૦ રન), હાસિબ હમીદ (૬૩ રન), ડૅવિડ માલન (પાંચ રન), જૉ રૂટ (૩૬ રન), ઑલી પૉપે (બે રન), જૉની બૅરિસ્ટો (શૂન્ય રન), મોઈન અલી (શૂન્ય રન), વૉક્સ (૧૮ રન), ક્રૅગ ઑવરટન (૧૦ રન), ઑલી રૉબિન્સન (અણનમ ૧૦ રન) અને જૅમ્સ ઍન્ડરસને બે રન બનાવ્યા હતા. 

ભારત અને ઈંગ્લૅન્ડ વચ્ચેની પાંચમી અને અંતિમ ટૅસ્ટ માન્ચેસ્ટર ખાતે ૧૦ સપ્ટેમ્બરે શરૂ થશે.

September 6, 2021
indiavseng.jpg
1min298

ડીપ મીડલ ઓર્ડર બેટસમેનોના શાનદાર દેખાવને લીધે ભારતે ચોથા ટેસ્ટમાં વર્ચસ્વ જમાવીને ઇંગ્લેન્ડને ભીંસમાં લીધું છે. આજે મેચના ચોથા દિવસે ભારતનો બીજો દાવ 466 રને સમાપ્ત થયો હતો. આથી ઇંગ્લેન્ડને જીત માટે મુશ્કેલ 368 રનનું લક્ષ્યાંક મળ્યું છે.

આજે ભારત તરફથી છૂપા રૂસ્તમ શાર્દુલ ઠાકુર (60) અને વિકેટકીપર ઋષભ પંત (50)એ આકર્ષક અર્ધસદી ફટકારી હતી. આ બન્ને વચ્ચે સાતમી વિકેટમાં અતિ મહત્વની 100 રનની ભાગીદારી થઇ હતી. આથી ભારત બીજા દાવમાં 466 રનનો સંગીન સ્કોર કરીને ઇંગ્લેન્ડથી 367 રને આગળ થયું હતું. ભારતનો નવેમ્બર-2019 બાદ ટેસ્ટ ક્રિકેટમાં 400 પ્લસ સ્કોર પહેલીવાર થયો છે.

પહેલા દાવમાં આતશી અર્ધસદી કરનાર નવા ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરે બીજા દાવમાં પણ શાનદાર બેટિંગનો નજારો રજૂ કરીને અંગ્રેજ બોલરોની ધોલાઇ કરી હતી. ઠાકુરે 72 દડામાં 7 ચોકકા-1 છકકાથી સંગીન 60 રન કર્યા હતા. તો શ્રેણીમાં અત્યાર સુધી ફલોપ રહેનાર ઋષભ પંતે પણ અંતે હિર ઝળકાવ્યું હતું અને 106 દડામાં 4 ચોકકાથી પ0 રનની જવાબદારીભરી ઇનિંગ રમી હતી. આ બન્નેએ 100 રનની ભાગીદારી સાતમી વિકેટમાં કરીને ટીમ ઇન્ડિયાને ડ્રાઇવિંગ સીટ પર લાવી દીધી હતી. આ ઉપરાંત બુમરાહ (24) અને ઉમેશ (25) વચ્ચે નવમી વિકેટમાં 36 રનની ભાગીદારી થઇ હતી. ચાના સમય બાદ ભારત 148.2 ઓવરમાં 466 રને ઓલઆઉટ થયું હતું.

આ પહેલા આજે ચોથા દિવસે લંચ પહેલા કેપ્ટન કોહલી 44, રવીન્દ્ર 17 અને આઉટ ઓફ ફોર્મ રહાણે ઝીરોમાં આઉટ થયા હતા. ઇંગ્લેન્ડ તરફથી વોકસે 3 અને રોબિન્સન-મોઇને 2-2 વિકેટ લીધી હતી.

September 3, 2021
Ind-vs-Eng.jpg
1min355

અહીં રમાઈ રહેલી ભારત અને ઈંગ્લૅન્ડ વચ્ચેની ચોથી ટૅસ્ટના બીજે દિવસે ઈંગ્લૅન્ડની ટીમ ૮૪ ઑવરમાં ૨૯૦ રન બનાવીને ઑલઆઉટ થઈ ગઈ હતી.  આ સાથે જ ઈંગ્લૅન્ડની ટીમે ભારત પર ૯૯ રનની બઢત મેળવી લીધી હતી. 

ઈંગ્લૅન્ડની ટીમ વતી ૮૧ રન બનાવી પૉપ ટોપ સ્કૉરર રહ્યો હતો. 
વૉક્સે પચાસ રન બનાવ્યા હતા. મોઈન અલીએ ૩૫ રન અને જૉન બૅરિસ્ટોએ ૩૭ રન બનાવ્યા હતા. 

અગાઉ બીજે દિવસે ચાના સમયે ઑલી પૉપેના અણનમ ૭૪ રનની મદદથી ઈંગ્લૅન્ડની ટીમે સાત વિકેટે ૨૨૭ રન બનાવ્યા હતા.  અગાઉ ભારતે પ્રથમ ઈનિંગમાં વિરાટ કોહલી અને શાર્દૂલ ઠાકુરની અડધી સદીની મદદથી ૧૯૧ રન બનાવ્યા હતા. 

ચાના સમયે ઈંગ્લૅન્ડની ટીમે ૩૬ રનની બઢત મેળવી લીધી હતી. એક સમયે ઈંગ્લૅન્ડની ટીમ પાંચ વિકેટે ૬૨ રન બનાવી ઝઝૂમી રહી હતી. પૉપે અને જૉની બૅરિસ્ટો (૩૯ રન)એ ૮૯ રનની ભાગીદારી નોંધાવી હતી.

ભોજનના સમયે ઈંગ્લૅન્ડે પાંચ વિકેટે ૧૩૯ રન બનાવ્યા હતા.  ત્યાર બાદ પૉપે સાથે મોઈન અલી જોડાયો હતો અને બંનેએ સાતમી વિકેટની ભાગીદારીમાં ૭૧ રન નોંધાવ્યા હતા. 
ભારત વતી ઉમેશ યાદવે ૭૬ રનમાં ત્રણ વિકેટ અને જસપ્રીત બુમરાહે ૬૭ રનમાં બે વિકેટ, શાર્દૂલ ઠાકુરે ૫૪ રનમાં એક, મોહમ્મદ સિરાજે ૪૨ રનમાં એક અને રવીન્દ્ર જાડેજાએ ૩૬ રનમાં બે વિકેટ ઝડપી હતી. 

રમતના પ્રથમ કલાકમાં ઉમેશ યાદવે બે વિકેટ ઝડપી હતી. દિવસની પ્રથમ જ ઑવરમાં વિકેટ ઝડપી ઉમેશ યાદવે કારકિર્દીની ૧૫૦મી વિકેટ ઝડપી હતી.

India Vs England ચોથી ટૅસ્ટ: ભારત ઑલઆઉટ @191

લંડન રમાઈ રહેલી ભારત અને ઈંગ્લૅન્ડ વચ્ચેથી ચોથી ટૅસ્ટના પહેલા દિવસે ભારતની ટીમ ૬૧.૩ ઑવરમાં ૧૯૧ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. 

અગાઉ ચાના સમયે ભારતની ટીમ છ વિકેટે ૧૨૨ રન બનાવી ઝઝૂમી રહી હતી. 
ઈંગ્લૅન્ડના ફાસ્ટબૉલરો અને સ્વિન્ગ સામે ભારતીય ટીમ રીતસર  ઘૂંટણીયે પડી ગઈ હતી. 
ચાના સમયે રિષભ પંત (૪ રન) અને શાર્દૂલ ઠાકુર (૪ રન) બનાવીને રમતમાં હતા. 

ભારત વતી રોહિત શર્મા (૧૧ રન), કે. એલ. રાહુલ (૧૭ રન), ચેતેશ્ર્વર પૂજારા (૪ રન), વિરાટ કોહલી (૫૦ રન), રવીન્દ્ર જાડેજા (૧૦ રન) અને અજિંક્ય ર્હાણેએ (૧૪ રન), રિષભ પંત ( નવ રન), ઉમેશ યાદવ (૧૦ રન), મોહમ્મદ સિરાજ અણનમ એક રન અને શાર્દૂલે (૫૭ રન) બનાવ્યા હતા. 

ઈંગ્લૅન્ડ વતી જૅમ્સ ઍન્ડરસને ૪૧ રનમાં એક, ઑલી રૉબિનસને ૩૮ રનમાં ત્રણ, ક્રિસ વૉક્સે પંચાવન રનમાં ચાર અને ક્રૅગ ઑવરટને ૪૯ રનમાં એક વિકેટ ઝડપી હતી.