CIA ALERT

પ્રેરણાદાયી વાત Archives - Page 3 of 41 - CIA Live

July 26, 2024
medicine.jpg
1min196

રાજ્ય સરકાર દ્વારા એસેન્સિયલ ડ્રગ લીસ્ટને રીવાઈઝ કરીને જીવન રક્ષક આરોગ્ય દવાઓના એસેન્સિયલ ડ્રગ લીસ્ટ (EDL) 2024-25માં નવી 665 દવાનો ઉમેરો કર્યો છે. આ અગાઉ રાજ્ય સરકારના એસેન્સિયલ ડ્રગ લીસ્ટમાં 717 દવાઓ હતી, જે હવે વર્ષ 2024-25 માં વધીને 1382 થઇ છે.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે જીવન રક્ષક આરોગ્ય દવાઓના એસેન્સિયલ ડ્રગ લીસ્ટ (EDL) 2024-25માં નવી 665 દવાનો ઉમેરો કર્યો છે. અગાઉ રાજ્ય સરકારના એસેન્સિયલ ડ્રગ લીસ્ટમાં 717 દવાઓ હતી, જે હવે વર્ષ 2024-25 માં વધીને 1382 થઇ છે. રાજ્યના પ્રત્યેક દર્દીને શ્રેષ્ઠતમ સારવાર અને ગુણવત્તાયુક્ત દવાઓ ઉપલબ્ધ કરાવવી, એ જ અમારી સરકારની પ્રાથમિકતા છે. આ દવાઓ રાજ્યના ગ્રામીણ અને શહેરી વિસ્તારના સબ સેન્ટરથી લઈને સિવિલ હોસ્પિટલ સુધીના તમામ આરોગ્ય કેન્દ્રો ખાતે નિઃશુલ્ક ઉપલબ્ધ થશે.

રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે દવાઓની ખરીદી માટે એસેન્સિયલ ડ્રગ લીસ્ટને રીવાઈઝ કરવામાં આવે છે. આ વર્ષે નવી ઉમેરાયેલી દવાઓમાં કેન્સર, એન્ટી કેન્સર, એન્ટી ઇન્ફેક્શન, હ્યદય રોગ, ડાયાબીટીશ, બી.પી. તેમજ કીડનીના રોગ સાથે સંકળાયેલી જીવન રક્ષક દવાઓ ઉમેરાઇ છે.
પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારના એસેન્સિયલ ડ્રગ લીસ્ટમાં પ્રાથમિક ઉપચારની 308 દવાઓ, સેકન્ડરી ઉપચારની 495 દવાઓ અને ટર્સરી ઉપચારની 1349 દવાઓ ઉપરાંત સ્પેશીયલ ઉપચાર માટેની ૩૩ દવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ડ્રગ લીસ્ટમાં 543 ટેબ્લેટ, 331 ઇન્જેક્શન, 300 સર્જીકલ અને 208 અન્ય દવાઓનો સમાવેશ થાય છે.

વર્ષ ૨૦૨૨-૨૩ના ડ્રગ લીસ્ટમાં કાર્ડીઓ વેસ્ક્યુલરની 24 દવાઓ હતી, જે વર્ષ 2024-25માં વધીને 117 થઇ છે. તેવી જ રીતે એન્ટી ઇન્ફેક્ટીવની દવાઓ 120 થી વધીને 199, એન્ટી કેન્સરની 13થી વધીને 47, ન્યૂરોલોજીકલ અને સાઈકેટ્રીકની 52 થી વધીને 123, આમ કુલ 12 જેટલા રોગોની જીવન રક્ષક દવાઓમાં વધારો કરાયો છે.

July 24, 2024
nita-ambani-in-ioc.png
1min217
Paris Olympics: Nita M. Ambani re-elected unanimously as IOC Member for  second term - Weekly Voice

પૅરિસ 2024 ઑલિમ્પિક્સના (Paris Olympics 2024) ઉદ્ઘાટન સમારોહ પહેલા, ઇન્ટરનેશનલ ઑલિમ્પિક કમિટી (IOC) એ બુધવાર, 24 જુલાઈએ જાહેરાત કરી હતી કે ભારતના રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક નીતા મુકેશ અંબાણીને ભારત વતી IOC પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પૅરિસમાં 142માં IOC સત્રમાં નીતા અંબાણી100 ટકા મત સાથે સર્વસંમતિથી ફરી ચૂંટાયા બાદ નીતા અંબાણીએ કહ્યું, “આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક સમિતિના સભ્ય તરીકે ફરીથી ચૂંટાઈને હું ખૂબ જ ગૌરવ અનુભવું છું.

નીતા અંબાણીએ કહ્યું “હું રાષ્ટ્રપતિ બાક અને IOC ખાતેના મારા તમામ સાથીદારોનો મારા પ્રત્યે વિશ્વાસ દાખવવા બદલ આભાર માનું છું. આ પુનઃચૂંટણી માત્ર એક વ્યક્તિગત સીમાચિહ્નરૂપ નથી પણ વૈશ્વિક રમતગમતના ક્ષેત્રમાં ભારતના વધતા પ્રભાવની માન્યતા પણ છે. હું દરેક ભારતીય સાથે આનંદ અને ગર્વની આ ક્ષણ શૅર કરું છું અને ભારત અને સમગ્ર વિશ્વમાં ઑલિમ્પિક ચળવળને મજબૂત કરવાના અમારા પ્રયાસો ચાલુ રાખવા માટે ઉત્સુક છું.” નીતા અંબાણીનો (Paris Olympics 2024) પ્રથમ વખત 2016માં રિયો ડી જાનેરો ઑલિમ્પિક ગેમ્સમાં પરિચય થયો હતો. ત્યારથી તેઓ IOC માં જોડાનાર ભારતના પ્રથમ મહિલા બન્યા હતા અને તેમણે પહેલેથી જ આ એસોસિએશન માટે ખૂબ જ પ્રયત્નો કર્યા છે, તેમજ ભારતની રમતગમતની મહત્વાકાંક્ષાઓ અને ઑલિમ્પિક વિઝનની હિમાયત કરી છે.

તાજેતરમાં ઓક્ટોબર 2023 માં જ મુંબઈમાં 40 કરતાં વધુ વર્ષો બાદ પહેલું IOC સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની વિશ્વ સામે એક નવા, મહત્વાકાંક્ષી ભારતનું પ્રદર્શન (Paris Olympics 2024) કરવા માટે પ્રશંસા કરવામાં આવી હતી. રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન તરીકે નીતા અંબાણી લાખો ભારતીયોને સંસાધનો અને તકોથી સશક્ત કરવા માંગે છે. નીતા અંબાણીએ રમતગમત, શિક્ષણ, આરોગ્ય, કળા અને સંસ્કૃતિમાં વિવિધ પહેલોનું નેતૃત્વ કરે છે – આ તમામનો હેતુ સમગ્ર દેશમાં લોકોના જીવનને સુધારવાનો છે. રિલાયન્સ ફાઉન્ડેશન ભારતના રમતગમતના વિકાસને આગળ વધારવામાં મોખરે છે, તેના કાર્યક્રમો ભારતના 22.9 મિલિયનથી વધુ બાળકો અને યુવાનો સુધી પાયાના સ્તરથી લઈને ઉચ્ચ સ્તર સુધી પહોંચે છે.

સમગ્ર ભારતમાં વિવિધ પ્રકારની રમતોને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, ખાસ કરીને દૂરના વિસ્તારોમાં જ્યાં રમતગમત અને સાધનોની કોઈ પહોંચ્યા નથી. ભારતીય ઑલિમ્પિક એસોસિએશન (Paris Olympics 2024) (IOA) સાથે લાંબા ગાળાની ભાગીદારીના ભાગરૂપે, રિલાયન્સ ફાઉન્ડેશન આ ઉનાળામાં પૅરિસ ઓલિમ્પિક્સ 2024માં પ્રથમ ઈન્ડિયા હાઉસ ખોલી રહ્યું છે. ઈન્ડિયા હાઉસ એથ્લેટ્સ માટે `ઘરથી દૂર ઘર` હશે, જે જીતની ઉજવણી કરવાનું અને વિશ્વ સાથે ભારતની ઑલિમ્પિક સફર શૅર કરવાનું સ્થળ હશે. તે વૈશ્વિક રમતોમાં મોટી શક્તિ બનવાની, ઑલિમ્પિક્સમાં વધુ સફળતા મેળવવા અને ભવિષ્યમાં ગેમ્સની યજમાની તરફનો માર્ગ મોકળો કરવાની ભારતની મહત્વાકાંક્ષાઓને દર્શાવે છે.

July 19, 2024
અમુલખભાઈ-સવાણી.jpg
1min253
  • શહીદ જવાનોના પરિવારો માટે લોકો તરફથી મળી રહેલો સહયોગ
  • શાળાના બાળકો તથા મહિલાઓ પણ રાષ્ટ્રીયચેતનાના કાર્યમાં સહભાગી
  • કુલ ૩૦ પરિવારોને ૬૦ લાખની સહાય અર્પણ થનાર છે

દેશ માટે લડતા જવાનો વીરગતિ પામે ત્યારે તેના પરિવારોને સન્માન સાથે આર્થિક સહાય અર્પણ કરવા જય જવાન નાગરિક સમિતિ સુરતને લોકો તરફથી ઉમદા ભાવ સાથે સહયોગ મળી રહ્યો છે. શાળાના બાળકો, મહિલાઓ, તબીબો અને અગ્રણીઓ તરફથી દાનનો પ્રવાહ શરૂ થયો છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા ક્રમાંક ૨૭૨ ના બાળકોએ જન્મદિવસની ચોકલેટ ને બદલે શહીદ બોક્સમાં રકમ એકત્ર કરે છે. આજે એકત્ર કરેલી રકમ રૂપિયા રૂ. ૫૮,૦૦૦/- જય જવાન નાગરિક સમિતિ સુરતને અર્પણ કરવામાં આવે છે. શાળાના આચાર્ય મિતેશભાઈ પ્રજાપતિ, રાજેશભાઈ ધામેલીયા અને બાળકોએ આ રકમ જય જવાન નાગરિક સમિતિ સુરતના ટ્રસ્ટીશ્રી કાનજીભાઈ ભાલાળા તથા રમેશભાઈ વાઘાણી ને અર્પણ કરી છે. સનસીટી સ્કુલ તરફથી રૂ. ૧૦,૦૦૦/- દાન આજે શહીદોના પરિવાર માટે અર્પણ કર્યું.

દીકરીના જન્મ દિવસે ડો. અમુલખ સવાણીએ જવાનોના પરિવાર માટે રકમ અર્પણ કરી છે. દીકરી પાર્થી ને ૩૧ વર્ષ પુરા થતા તેની જન્મદિનની ઉજવણી ના ભાગરૂપે રૂ. ૩૧,૦૦૦/- જય જવાન નાગરિક સમિતિ સુરતના મનજીભાઈ વાઘાણીને અર્પણ કર્યા હતા.

ઘેર રાખડી બનાવી તેના વેચાણની આવક માંથી બચત કરી રૂપિયા ૫૦,૦૦0/- નો ચેક રેખાબેન ચતુરભાઈ કથીરીયાએ અર્પણ કર્યો છે. ઈનર વ્હીલ ક્લબ ઓફ સુરત ઇસ્ટના સેક્રેટરી શ્રીમતિ રેખાબેન તરફથી સરહદ ઉપર તૈનાત જવાનો માટે રાખડી મોકલવામાં આવનાર છે.

ભોળાદ ગામના તરુણભાઈ લક્ષ્મણભાઈ પરવડીયા તરફથી રૂ. ૧,૫૧,૦૦૦/- તથા રામદેવ રેયોનના શ્રી સુરેશભાઈ ઠુંમર તરફથી રૂપિયા ૧ લાખ, આટકોટના શ્રી અરજણભાઈ રામાણી તરફથી ૧ લાખ, અમદાવાદથી હરેશભાઈ નાગજીભાઈ રામાણી તરફથી રૂપિયા ૨ લાખ તેમજ ચતુરભાઈ નાગજીભાઈ ધાનાણી તરફથી રૂપિયા ૨૫૦૦૦/- અને શ્રીમતિ ચંદ્રિકાબેન અરવિંદભાઈ કાનાણી તરફથી રૂપિયા ૧૧૦૦૦/- જવાનોના પરિવારને આપવા માટે જય જવાન નાગરિક સમિતિને મળેલ છે. આ વર્ષે કુલ ૩૦ વિર જવાનોના પરિવારોને કુલ રૂ. ૬૦ લાખની સહાય અર્પણ કરવામાં આવનાર છે.

July 16, 2024
virat-kohli.jpg
1min190

૨૬ જુલાઈથી શરૂ થનાર પૅરિસ ઑલિમ્પિક્સ માટે વિરાટ કોહલીએ લગભગ એક મિનિટનો વિડિયો શૅર કરીને ભારતીય ખેલાડીઓને મોટિવેટ કર્યા છે. તેણે ભારતના રમતપ્રેમીઓને ૧૧૮ સભ્યોની ભારતીય ઑલિમ્પિક્સ ટીમને સમર્થન આપવાની હાકલ કરી છે, કારણ કે તેઓ ટોક્યો ઑલિમ્પિક્સના તેમના શ્રેષ્ઠ પ્રદર્શન (સાત મેડલ) કરતાં વધુ સારું પ્રદર્શન કરવા જઈ રહ્યા છે.

કિંગ કોહલીએ કહ્યું હતું કે ‘એક સમય હતો જ્યારે દુનિયા ભારતને સાપ અને હાથીઓના દેશ તરીકે જાણતી હતી, પરંતુ હવે એવું નથી. હવે આપણે વિશ્વની સૌથી મોટી લોકશાહી અને ડેટા ટેક્નૉલૉજીનું કેન્દ્ર છીએ. અમે ક્રિકેટ અને બૉલીવુડ, સ્ટાર્ટઅપ યુનિકૉર્ન અને ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા માટે જાણીતા છીએ. હવે આ મહાન દેશ માટે આગળ શું થશે? મહત્તમ ગોલ્ડ, સિલ્વર અને બ્રૉન્ઝ મેડલ. આપણાં ભાઈ-બહેનો મેડલ જીતવા પૅરિસ જઈ રહ્યાં છે. જ્યારે તેઓ ટ્રૅક ઍન્ડ ફીલ્ડ, કોર્ટ અથવા રિંગમાં ઊતરશે ત્યારે એક અબજથી વધુ ભારતીયો તેમને ઉત્સાહથી જોતા હશે. મારી સાથે તમે પણ એવા લોકોના ચહેરા યાદ કરજો જેઓ ગર્વથી તિરંગો ધ્વજ લહેરાવવાના દૃઢ નિશ્ચય સાથે પોડિયમની નજીક જશે. જય હિન્દ અને ભારતીય ટીમને શુભેચ્છાઓ.’

July 11, 2024
agniveer.jpg
1min217
xr:d:DAFsWZ_LRuQ:351,j:9068404731352087894,t:23102306

અગ્નિવીર સ્કીમને લઈ કેન્દ્ર સરકારે આજે સૌથી મોટી જાહેરાત કરી છે. આ યોજના અંગે વિપક્ષ દ્વારા તેને રદ કરવાની માગણી પણ કરી હતી, ત્યારે આજે કેન્દ્ર સરકારે સીઆઈએસએફ (CISF)ની ભરતીમાં 10 ટકા અનામત રાખવાનો નિર્ણય લીધો છે.

સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆઈએસએફ)માં 10 ટકા અનામત પૂર્વ અગ્નિવીર માટે રાખવામાં આવી છે. એની સાથે અગ્નિવીરોની શારીરિક પરીક્ષામાં પણ છૂટ આપવામાં આવી છે. કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆઈએસએફ)ના વડા નીના સિંહે કહ્યું છે કે એના અંગે તમામ તૈયારીઓ કરી લીધી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે કોંગ્રેસ સત્તામાં આવશે તો આ યોજનાને ખતમ કરવામાં આવશે.

ગૃહ મંત્રાલય વતી આજે જણાવવામાં આવ્યું છે કે અગ્નિવીરોને સીઆઈએસએફમાં નોકરી મળશે તેમ જ અગ્નિવીરો માટે દસ ટકા અનામત રાખવામાં આવશે. ફિઝિકલ ટેસ્ટમાં પૂર્વ અગ્નિવીરોને છૂટ મળશે, જ્યારે સીઆઈએસએફમાં દસ ટકા રિઝર્વેશન રહેશે.

14 જૂન, 2022માં આ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. અગ્નિપથ યોજનામાં 17થી 21 વર્ષના યુવાનોને ફક્ત ચાર વર્ષ માટે ભરતી કરવાની જોગવાઈ છે, જેમાં 25 ટકા અગ્નિવીરોને આગામી પંદર વર્ષ સુધી રાખવાની જોગવાઈ છે. જોકે, એમાં સુધારો કરીને સરકારે ઉંમર મર્યાદા વધારીને 23 વર્ષ કર્યા હતા. યોજના અન્વયે પૂર્વ અગ્નિવીરોની પહેલી બેચ માટે અપર એજ લિમિટમાં પાંચ વર્ષની છૂટ આપી હતી અને પછી બાકીની બેચ માટે ત્રણ વર્ષની છૂટ આપી છે.
અગ્નિવીર યોજના અન્વયે ચાર વર્ષના કોન્ટ્રકાટ પર યુવાનોને આર્મીમાં ભરતી કરવામાં આવે છે. ભરતી કર્યા પછી યુવાનોને સેલેરી પણ નિશ્ચિત હોય છે. ચાર વર્ષના સમયગાળા માટે સૈનિક તરીકે નિયમિત નોકરી રહે છે.

July 9, 2024
adani-logo.png
2min213

પેરિસ જતી ભારતીય ઓલિમ્પિક ટીમના હોંસલાની બુલંદીના પ્રચંડ સમર્થનના ભાગરુપે દેશકા ગીત એટ ઓલિમ્પિક્સ મુહિમ ફિલ્મ અંતર્ગત અગ્ર પ્રયોજક તરીકે અદાણી ગ્રૂપનું વચન 

પેરિસ ઓલિમ્પિક્સમાં ભારતના રાષ્ટ્રગાન સાંભળવાના સન્માનનું લક્ષ્ય સેવતા ભારતના ટોચના ચુનંદા એથ્લેટ્સને આ ફિલ્મ ઉજાગર કરે છે

અદાણી ગૃપ 2016થી અવિરત આંતરરાષ્ટ્રીય ખેલકૂદ રમતોત્સવની વિવિધ રમતોમાં રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરનારા 28થી વધુ એથ્લેટ્સને પ્રોત્સાહનના પોરસ પુરુ પાડતું આવ્યું છે.

રસજ્ઞો અદાણીની આ મુહિમ સોશ્યલ મીડિઆના વિવિધ પ્લેટફોર્મ

Youtube Link: https://youtu.be/O5Xl8D6DGAE:

અમદાવાદ, ૦૮ જુલાઇ ૨૦૨૪: 2024 ઓલિમ્પિક માટે ભારતીય ટીમ પેરિસ માટે ઉડાન ભરતા અગાઉ જીત મેળવવાના જુસ્સા સાથે સખ્ત પરિશ્રમ કરતા રહે છે, ત્યારે તેના મુખ્ય પ્રણેતા અદાણી ગૃપએ દેશકા ગીત એટ ઓલિમ્પિક્સ થીમ સાથેની મુહિમ દ્વારા રાષ્ટ્રના ચેમ્પિયનને તેહદીલથી સમર્થન આપવાનું વચન અભિવ્યક્ત કર્યું છે. જીત મેળવવા અને જીતનો જશ્ન મનાવવા રાષ્ટ્રગીત સાંભળવાના લક્ષ્યને હાંસલ કરવા સાથે તાલીમમાં કલાકો અને વર્ષો ગાળ્યા છે એવા એથ્લેટ્સની આસપાસ આ મુહિમ કેન્દ્રિત છે.

ભારતીય રમતવીરોના અવિરત સમર્પણ ભાવને આવરી લેતી પ્રેરણાદાયી ફિલ્મ દ્વારા સમર્થિત આ મુહિમ ફરી એકવાર મેદાને જંગમાં પ્રવેશી રહેલા ભારતના શ્રેષ્ઠ રમતવીરોને કેન્દ્રમાં રાખે છે ત્યારે રમત ગમતના ચાહકોમાં દેશદાઝની લાગણીને ફરી પ્રજ્વલિત કરે છે. પેરિસ જવાની તૈયારી કરી રહેલા ભારતની શિરમોર રમતવીરોની પ્રતિભા આ ફિલ્મમાં દર્શાવવામાં આવી છે. આ ખેલાડીઓનું લક્ષ્ય ટોક્યો ઓલિમ્પિક્સના મેડલ જીતવા અને સૌથી વધુ અપેક્ષિત  વિશ્વના ખેલકૂદ રમતોત્સવમાં રાષ્ટ્રગીત લલકારવાનું સન્માન હાંસલ કરવાનું છે. ઉલ્લેખનીય છે કે ગત ઓલિમ્પિકમાં ભારતે રેકોર્ડ 7 મેડલ જીત્યા હતા.

ભારતમાં રમતગમતની ઇકોસિસ્ટમના સ્તરને ઉંચે લઇ જવા અને વિકસિત કરવા માટે પ્રતિબદ્ધ અદાણી ગ્રૂપ સમગ્ર દેશમાં ખેલ જગતની સંસ્કૃતિને ઉત્તેજીત કરવા અને આગળ વધારવામાં યત્કિંચિત યોગદાન આપી રહ્યું  છે. અદાણી ગ્રૂપનો ઉદ્દેશ્ય પોતાના યોગદાન મારફત ભારતની આગામી પેઢીમાં રમતગમતના સંસ્કારોનું ઘડતર કરી તેઓમાં ચેમ્પિયન બનવાની જીંદાદીલી વિકસાવવાનો છે અને કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ અને ઓલિમ્પિક્સ જેવા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર ભારતનું પ્રતિનિધિત્વ કરવા તરફની તેઓની સફરમાં તેમને જૂસ્સો પુરો પાડવાનો  છે.

2016 થી અદાણી ગૃપએ બોક્સિંગ, કુસ્તી, ટેનિસ, ભાલા ફેંક, શૂટિંગ, દોડ, શોટપુટ, ઝડપી ચાલવું, તીરંદાજી જેવી અનેક રમતોમાં 28 થી વધુ રમતવીરોને પ્રોત્સાહિત કરી રહ્યું છે. તેની ફળશ્રુતિરુપે કોમનવેલ્થ ગેમ્સના સુવર્ણ ચંદ્રક વિજેતા કુસ્તીબાજો રવિ કુમાર દહિયા અને દીપક પુનિયા અને બોક્સર અમિત પંઘાલની પ્રતિભાઓ ઉભરી આવી છે. દહિયા અને પુનિયાએ 2020 ટોક્યો ઓલિમ્પિક તેમજ 2020 અને 2023 એશિયન ગેમ્સમાં પણ સિલ્વર મેડલ મેળવ્યા હતા. અદાણી ગ્રુપએ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય ટીમને પણ સ્પોન્સર કરી હતી. આ ગૃપ બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022 અને હેંગઝોઉ એશિયન ગેમ્સ 2022ની ટીમ સાથે ઓફિશ્યલ પાર્ટનર તરીકે પણ સંકળાયેલું હતું.

અદાણી સ્પોર્ટ્સલાઇન ખાતે આ ફિલ્મના લોન્ચિંગ પ્રસંગે સ્પોન્સર્ડ એથ્લેટ્સને શુભેચ્છાઓ પાઠવતા અદાણી સ્પોર્ટ્સલાઇનના CBO સંજય આદેસરાએ જણાવ્યું હતું કે અમને આશા છે કે પેેરીસ ઓલિમ્પિક્સમાં અગાઉ કરતાં પણ વધુ સફળતા મળશે. અમારા કાર્યક્રમો થકી અમે અમારા રમતવીરોને રમતગમતમાં સર્વોચ્ચ સ્તરે શ્રેષ્ઠતાની શોધમાં તમામ રીતે સમર્થન આપવા માટે કૃતનિશ્ચયી છીએ. અને જ્યારે તેઓ ટોચના પુરસ્કાર માટે સંઘર્ષ કરી રહ્યા હોય ત્યારે આપણે તેમનું નૈતિક સમર્થન કરી તેમને ઉત્સાહિત  અને પ્રોત્સાહિત કરવા જોઈએ.એમ તેમણે કહ્યું હતું.

X: https://x.com/gautam_adani/status/1810272468294099282?s=08

Instagram: https://www.instagram.com/reel/C9KTCJ8MkM4/

Facebook: https://www.facebook.com/AdaniSportsline/videos/877872410847946 ઉપર નિહાળી શકશે

July 3, 2024
shutterstock_1844916328-1280x690.jpg
1min225

૬ ખર્વ યેન એટલે કે ૯.૯ અબજ ડોલર મૂલ્યની નવી નોટો બજારમાં મુકી: ૧૦૦૦૦ યેનના નવી નોટો પર એક વ્યવસાયી શિબુસાવા એઇઇચુનું ચિત્ર

Banknotes The Benefits of Holography (Part 2) - Keesing Platform

ટોક્યોની નિહોનબાશિ સ્થિત બેંક ઓફ જાપાને ૨૦ વર્ષ પછી પહેલીવાર નવું ચલણ બહાર પાડયું છે. બેંક ઓફ જાપાનના ગર્વનર ઉએદા કાજુઓએ જણાવ્યું હતું કે બેંક પહેલા દિવસે ૧૬ ખર્વ યેન એટલે કે ૯.૯ અબજ ડોલર મૂલ્યની નવી નોટો બજારમાં બહાર પાડશે. કેન્દ્રી. બેંક દ્વારા નાણાકિય સંસ્થાનોને નવી નોટોના બંડલ સોપવામાં આવ્યા હતા.

૧૦૦૦૦ યેનના નવી નોટો પર એક વ્યવસાયી શિબુસાવા એઇઇચુનું ચિત્ર છે જેમને આધુનિક જાપાનની અર્થ વ્યવસ્થાના જનક માનવામાં આવે છે. તેમને જુદા જુદા ૫૦૦ જેટલા વ્યવસાયોની શરુઆત અને વિકાસ કર્યો હતો. ૫૦૦૦ યેનની નવી નોટો પર ત્સુદા ઉમેકોની તસ્વીર છે. જે શિક્ષણ જવા માટે વિદેશ જવાની મહિલાઓમાંની એક હતી. ૧૦૦૦ યેનની નવી નોટો પર કિતાસાતો શિબાસાબુરોનું ચિત્ર છે. કિતાસાતો એક જીવાણુ વિજ્ઞાાની હતા જે ટેટનસનો ઇલાજ શોધ્યો હતો.

જાપાનની ચલણી નોટોમાં નવીનત્તમ હોલોગ્રામ તકનીક સામેલ કરવામાં આવી છે.આથી નકલી નોટ બનાવવી શકય બનશે નહી.જાપાનના નેશનલ પ્રિન્ટિંગ બ્યૂરોના જણાવ્યા અનુસાર દુનિયામાં પહેલી વાર ચલણી નોટો પર હોલોગ્રામ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નોટોમાં થ્રીડી જોવા મળે છે જેનાથી સુરક્ષા ફિચર્સ મજબૂત બનશે. 

May 23, 2024
kiran-hospital.png
1min329

કિરણ હોસ્પિટલ સીનીયર સીટીઝન હેલ્થ કેર યોજના અંતર્ગત ભારત વડીલ વંદના-૨ કાર્યક્રમ  ૨૬ મે ૨૦૨૪ ના રોજ સાંજે ૩:00 કલાકે સ્થળ: કન્વેન્સન સેન્ટર સરસાણા ખાતે ૧૫ હજારની સીટીંગ વ્યવસ્થા સાથેના વિશાળ એસી ડોમમાં વડીલોના વંદન, સંગીત અને ભોજન સાથેનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. 

     કિરણ હોસ્પિટલના ચેરમેન પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ વધુમાં જણાવતા કહ્યું કે શહેરના વિકાસમાં સીનીયર સીટીઝનો નો મહત્વનો રોલ હોય છે તેથી વિકસિત દેશોમાં સીનીયર સીટીઝનો ને વિશેષ સુવિધાઓ અને આદર આપવામાં આવે છે. આપણા દેશમા આપણા સંસ્કાર અને સંસ્કૃતિ મુજબ વડીલોનું વિશેષ સ્થાન રહ્યું છે, પરંતુ સુવિધાઓ પૂરી પાડવામાં આપણે હજુ ઉણા ઉતરીએ છીએ. તેથી અમોએ કિરણ હોસ્પિટલ સીનીયર સીટીઝન હેલ્થકેર યોજના બનાવીને તે યોજના થકી સીનીયર સીટીઝનો ને હોસ્પિટલ તેમજ ઘર બેઠા આરોગ્ય સારવાર આપવા માટે અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. સીનીયર સીટીઝનો ને વિશેષ સુવિધાઓ આપવા માટે સીનીયર સીટીઝન કંટ્રોલ રૂમ પણ ઉભું કરવામાં આવ્યું છે.

     કિરણ હોસ્પિટલ સીનીયર સીટીઝન હેલ્થ કેર યોજનામા વિવિધ રાજ્યમાંથી આવીને સુરતમાં સ્થાયી થયેલા એવા ૧૫ હજાર સીનીયર સીટીઝનો મેમ્બર બન્યા છે. વિવિધ રાજ્યમાંથી આવેલા અને સુરતમાં સ્થાયી થયેલા એવા અમારા ૧૫ હજાર મેમ્બરો આ યોજના થી ખુબજ ખુશ છે.  દેશ વિદેશમાં રહેતા સીનીયર સીટીઝનના સંતાનો પણ અમને ખુશીના મેસેજ કરે છે અને તેઓ ખુશી વ્યક્ત કરે છે કે અમારા માત પિતાને અચાનક હોસ્પિટલની જરૂર પડે તેવા સમયે કિરણ હોસ્પિટલ તેમની સાથે છે તેથી અમારા માત-પિતાની બીમારી સમયે અમને ખાસ ચિંતા રહેતી નથી.  કિરણ હોસ્પિટલની પાછલા ૭ વર્ષમાં દેશ વિદેશના ૨૭ લાખથી વધારે લોકોએ સેવા લીધી છે.

     સુરતમાં રહેતા દરેક રાજ્યના લોકો કિરણ હોસ્પિટલ સીનીયર સીટીઝન હેલ્થકેર યોજના ના મેમ્બર બન્યા હોવાથી કાર્યક્રમ નું નામ “ભારત વડીલ વંદના” રાખવામા આવ્યું છે.  કાર્યક્રમમાં દરેક વડીલોનું પૂજન અને સ્વાગત કરવામાં આવશે, તથા વડીલો ભોજન સાથે સંગીત કાર્યક્રમ માણશે. આ ઉપરાંત જે માતાએ પોતાના સંતાનો ને કીડની, લીવર વગેરે અંગ આપીને પોતાના સંતાનને નવું જીવન આપ્યું છે તેવી માતાઓનું વિશેષ સન્માન કરવામાં આવશે.

March 18, 2024
CFC-2.jpeg
1min819

સુરત: :જેમ એન્ડ જ્વેલરી ઈન્ડસ્ટ્રી માટે દેશના પહેલા મેગા કોમન ફેસિલિટી સેન્ટરને મુંબઈના SEEPZ SEZમાં ખુલ્લો મૂકાયો છે. ભારત સરકારમાં વાણિજ્ય અને ઉદ્યોગ, ઉપભોક્તા બાબતો, ખાદ્યાન્ન તેમજ જાહેર વિતરણ તેમજ ટેક્સટાઈલ મંત્રી શ્રી પિયુષ ગોયલે મુંબઈના SEEPZ SEZમાં આવેલા ભારતના અગ્રણી મેગા કોમન ફેસિલીટી સેન્ટરના લોકાર્પણ સમારોહમાં હાજરી આપીને પ્રસંગને શોભાવ્યો હતો. ભારત રત્નમ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા પ્રમોટ કરવામાં આવેલું મેગા સીએફસી છે. GJEPC, SEEPZ SEZના સક્રિય સમર્થન સાથેઆ પ્રોજેક્ટનું સંચાલન કરે છે.  

આ મહત્વપૂર્ણ સમારોહમાં GJEPCના વાઈસ ચેરમેન શ્રી કિરીટ ભણસાલી, SEEPZ-SEZના ઝોનલ ડેવલપમેન્ટ કમિશનર, IRS શ્રી રાજેશ કુમાર મિશ્રા, ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના સંયુક્ત સચિવ IAS શ્રી વિપુલ બંસલ, ભારત રત્નમ મેગા CFCના વર્કિંગ ગ્રુપના હેડ શ્રી કોલિન શાહ અને SEEPZના સંયુક્ત ડેવલપમેન્ટ કમિશનર શ્રી સી.પી.એસ ચૌહાણે હાજરી આપી હતી.

ભારત રત્નમ- મેગા CFCનો હેતુ જેમ અને જ્વેલરી પ્રોડક્ટોના ઉત્પાદન અને ડિઝાઈન માટે ટેકો પૂરો પાડવાનો છે. તે વર્તમાન ગુણવત્તા, ઉત્પાદકતા, માનવબળની કુશળતા, ઘરેલુ R&D, ટેક્નોલોજીની પ્રગતિ તેમજ ખર્ચની હરિફાઈક્ષમતામાં વધારો કરશે. સ્કીલ ડેવલપમેન્ટ કોર્સ તેમજ ઈન્ડસ્ટ્રી માટે નિપુણ માનવબળને વિકસિત કરવા માટે તેમાં ટ્રેનિંગ સેન્ટરનો પણ સમાવેશ કરવામાં આવશે.  

પોતાના પ્રારંભિક સંબોધનમાં શ્રી ગોયલે જણાવ્યું હતું કે, “ભારત રત્નમ મેગા સીએફસી મેક ઈન ઈન્ડિયા અને ડિઝાઈન ઈન ઈન્ડિયાના નવા યુગની શરૂઆત કરે છે. તે ભારતના ખરા હીરા તરીકે ઉભર્યું છે અને પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપનો વધુ એક ચમકતો દાખલો છે. નોંધપાત્ર 14 મહિનામાં પૂર્ણ થયેલું આ સેન્ટર પોતાની વિશ્વ સ્તરની સવલતો સાથે ઉત્કૃષ્ટતાના પ્રકાશસ્તંભ તરીકે ઉભું છે અને ભારતના ભાવિ માટે સીમાચિહ્ન પૂરું પાડે છે. અત્યંત આકર્ષક ટ્રેનિંગ અને સ્કીલિંગ સેન્ટર 1600 જેટલા યુવાનોને તાલીમબદ્ધ કરશે, જેઓ દર વર્ષે માનવબળમાં જોડાશે. આ તમામ પહેલ ઉચ્ચ ગુણવત્તાની જ્વેલરીની મેડ ઈન ઈન્ડિયા બ્રાન્ડનું સર્જન કરવામાં મદદરૂપ થશે, જેના માટે આ દુનિયાને આકાંક્ષા અને ઈચ્છા હશે, તેમજ આ દુનિયા જેની તરફ જોશે. ભારત રત્નમ ઈનોવેશન, આર્થિક વૃદ્ધિ અને ટેક્નોલોજીની પ્રગતિને આગળ ધપાવવાની સરકારની પ્રતિબદ્ધતાનું પ્રતિક છે.”GJEPCના ચેરમેન, શ્રી વિપુલ શાહે જણાવ્યું હતું કે, “અમે જ્યારે ભારતરત્નમ-મેગા CFCનું ઉદ્ઘાટન કરી રહ્યા છીએ, ત્યારે આ અભૂતપૂર્વ પ્રોજેક્ટનું નેતૃત્વ કરવા બદલ હું શ્રી પિયુષ ગોયલનો હૃદયપૂર્વક આભાર માનું છું. તેમનું અવિરત સમર્પણ અને દૂરંદેશી નેતૃત્વ  આ પરિવર્તનકારી પહેલ ને ફળીભૂત કરવા માટે નિમિત્ત બની રહ્યું છે. તે અમારા ઉદ્યોગ માટે ગેમ ચેન્જર છે અને તે અમને 75 અબજ ડોલર ની નિકાસના લક્ષ્યાંક ને હાંસલ કરવામાં અને 2047 સુધીમાં વિકસિત ભારતના અમારા વિઝનને સાકાર કરવા તરફ પ્રેરિત કરશે.

March 18, 2024
WhatsApp-Image-2024-03-17-at-20.07.22-1280x853.jpeg
1min537

  • સુરત ડાયમંડ એસોસીએશન સંચાલિત RTSV હોસ્પિટલનો દશાબ્દી મહોત્સવ શાનદાર રીતે સંપન્ન
  • કિરણ-2 હોસ્પિટલ માટે દાતાઓએ મન મૂકીનો દાનનો ધોધ વહાવ્યો
  • ગુજરાતમાં સૌથી વધુ રાહત દરે તબીબી સેવા ઉપલબ્ધ કરાવવાની નેમ સાથે કિરણ-2 હોસ્પિટલને ઝડપભેર વિકસાવવાનો નિર્ધાર કરાયો

સુરત
સુરત ડાયમંડ એસોસીએશનની આરોગ્ય સમિતિ સંચાલિત આર.ટી.એસ.વી. ડાયમંડ હોસ્પિટલનો દશાબ્દી મહોત્સવ આજે રવિવારની સંધ્યાએ શાનદાર રીતે સંપન્ન થયો છે. હકડેઠઠ માનવ મેદની આ સમારોહમાં ઉમટી પડી હતી. ડાયમંડ હોસ્પિટલના આરંભથી જ દર્દીઓનો અત્યંત રાહતદરે તબીબી સેવાઓ પૂરી પાડવાનું શરૂ કરાયું હતું, આ પ્રકારે ગુજરાતમાં સૌથી વધુ રાહતદરે તબીબી સેવાઓ ઉપલબ્ધ કરાવવાની નેમ સાથે સંસ્થાની સૂચિત કિરણ-2 હોસ્પિટલને ઝડપભેર વિકસાવવાનો મક્કમ નિર્ધાર ડાયમંડ હોસ્પિટલના દશાબ્દી મહોત્સવમાં જાહેર મંચ પરથી વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આજે ડાયમંડ હોસ્પિટલના દશાબ્દી મહોત્સવ પ્રસંગે ડાયમંડ હોસ્પિટલમાં જ જન્મ લેનારી 400 દિકરીઓના પરિવારજનોને રૂ.1-1 લાખની કિંમતના બોન્ડ મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.

ડાયમંડ હોસ્પિટલના દશાબ્દી મહોત્સવના સમારોહમાં મહાનુભાવો ઉપસ્થિત થાય ત્યાં સુધીમાં કિરણ-2 હોસ્પિટલ માટે લાખો રૂપિયાનું નવું દાન દાતાઓએ મન મૂકીને જાહેર કર્યું હતું. દાતાઓએ કિરણ-2 હોસ્પિટલના નિર્માણમાં મન મૂકીને દાન આપવાની જાહેરાત કરી હતી. સમારોહમાં નવું દાન આપનારા દાતાઓનું જાહેર અભિવાદન કરવામાં આવ્યું હતું.
બરાબર સાંજે સાતના ટકોરે સમારોહના અધ્યક્ષ એવા કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રી શ્રીમનસુખભાઇ માંડવીયા, રાજ્યસભાના સભ્ય શ્રી ગોવિંદભાઇ ધોળકીયા, ગુજરાતના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઇ પાનશેરીયા, ભાજપાના પૂર્વ પ્રદેશ પ્રમુખ શ્રી જીતુભાઇ વાઘાણી, મેયર શ્રી દક્ષેશ માવાણી સહિતના આગેવાનોનું આગમન મંચ પર થયું હતું.

કેન્દ્રના આરોગ્ય મંત્રી ડો.મનસુખભાઇ માંડવીયાએ રાહતદરે તબીબી સેવા પૂરી પાડવી અને દિકરીઓના જન્મ માટે એક પણ રૂપિયો ચાર્જ નહીં લેવાની ડાયમંડ હોસ્પિટલની બાબતોને બિરદાવતા જણાવ્યું હતું કે આ પ્રકારની સેવાના ભેખધારી સંસ્થાઓની સમાજને તાતી જરૂરીયાત છે. તેમણે કિરણ-2 હોસ્પિટલ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
સમારોહને સંબોધતા શ્રી મનસુખભાઇ માંડવીયાએ કહ્યું કે 200 કરોડથી વધુની રાહત ડાયમંડ હોસ્પિટલ દ્વારા સામાન્ય મધ્યમવર્ગના લોકોને આપવામાં આવી એ બહુ મોટી વાત છે. સુરતની ધરતી નોખી ધરતી છે, આ કર્ણની ધરતી છે, આ ધરતી પર પૂણ્ય અને સેવા આ ધરતીની વિશેષતા છે. 25 વર્ષનો જાહેર જીવનનો અનુભવે છે, કદાચ સૌરાષ્ટ્રમાં ક્યારેય પૂર્ણ્ય દાન ન કર્યું હોય પરંતુ, સુરતની ધરતી પર આવી ગયા અને મંચ પર બેઠા એટલે દાન કરવાનું શરૂ કરી દે છે. પૂણ્ય દાન કરવું બીજાનો સહયોગ કરવો એ ભારતીય પરંપરા, ભારતીય સંસ્કૃતિ, જીવન શૈલીનો ભાગ છે. જરૂરીયાતમંદ લોકોને સહયોગ કરવો એ આપણા સંસ્કાર છે. તેમણે અમેરીકા અને ભારતના તબીબી ખર્ચના ઉદાહરણો રજૂ કર્યા હતા. તેમણે કહ્યું કે સુરતમાં 30 ચેરીટી હોસ્પિટલો છે, જેમાં 50 ટકા જેટલું કામ રાહત દરે કરવામાં આવે છે. અહીં સ્વાસ્થ્ય એ સેવા છે, ધંધો નથી. સંસ્કારએ ભારતની સભ્યતા છે. કોવીડ આવ્યો ત્યારે આખી દુનિયા સાથે વાતો થતી, દરેક દિવસે દુનિયા પૂછતી કે ભારતમાં કેવું છે, ભારતમાં ડોક્ટરો હોસ્પિટલમાં આવે છે, દુનિયામાં ડોક્ટરો અને નર્સો રજા પર હતા, આપણા દેશમાં કોવીડમાં રોગીઓની સેવા કરતા કેટલાય ડોક્ટરો પોતાના પ્રાણના ભોગે ફરજ બજાવતા રહ્યા. તેમણે સંસ્થાને 600 બેડની હોસ્પિટલ કરો એવી હાકલ સાથે કહ્યું કે આટલા બેડ થશે તો 50 સીટની મેડીકલ કોલેજને મંજૂરી આપવામાં આવશે. સી.પી.ભાઇ, દિનેશભાઇ નાવડીયા સહિત ડાયમંડ હોસ્પિટલ સાથે સંકળાયેલા, પ્રત્યક્ષ અપ્રત્યક્ષ સાથ સહકાર આપનારા તમામને અભિનંદન આપતા મનસુખભાઇ માંડવીયાએ પોતાનું વક્તવ્ય પૂર્ણ કર્યું હતું.

સુરત ડાયમંડ એસોસીએશન સંચાલિત આર.ટી.એસ.વી. ડાયમંડ હોસ્પિટલના દશાબ્દી મહોત્સવનું આયોજન જ્યાં કરવામાં આવ્યું હતું એ કિરણ-2 હોસ્પિટલ જ્યાં નિર્માણ પામવાની છે એ લોકશન (ગ્રાઉન્ડ) પર આજે દશાબ્દી મહોત્સવમાં હકડેઠઠ માનવ મેદની ઉમટી પડી હતી. સાંજે 5 કલાકથી જ લોકોનું ગ્રાઉન્ડ પર આગમન શરૂ થઇ ચૂક્યું હતું. મહાનુભાવોની પણ એન્ટ્રી એક પછી એક શરૂ થઇ હતી અને જોતજોતામાં પ્રેક્ષાગાર અને મંચ બન્નેની તમામ બેઠકો ફુલ થઇ ગઇ હતી.
સમારોહના આરંભે ડાયમંડ હોસ્પિટલના ચેરમેન સી.પી.વાનાણીએ મહાનુભાવોનું સ્વાગત કરતા ડાયમંડ હોસ્પિટલની અત્યાર સુધીની કામગીરીનો ચિતાર આપ્યો હતો. એવી જ રીતે સંસ્થાના ઉપપ્રમુખ કેશુભાઇ ગોટીએ 10 વર્ષમાં ડાયમંડ હોસ્પિટલે કેટલી રકમની રાહત આપી તેનો વિગતવાર ચિતાર આપ્યો હતો.

આ પ્રસંગે ડાયમંડ હોસ્પિટલને દાન આપનારા દાતાશ્રીઓ, જુદાજુદા કાર્યોમાં સહકાર આપનારા આગેવાનો તેમજ ડાયમંડ હોસ્પિટલમાં પોતાની સેવા આપી રહેલા તબીબોનું સન્માન કરવામાં આવ્યું હતું.

છેલ્લા 10 વર્ષમાં ડાયમંડ હોસ્પિટલમાં જન્મેલી દિકરીઓની દર વર્ષની નામાવલી અનુસાર મહાનુભાવોના હસ્તે લકી ડ્રો કરવામાં આવ્યો હતો. અને 2014થી 2023 સુધીના વર્ષમાં પ્રત્યેક વર્ષની એક દિકરીની ચીઠ્ઠી ઉપાડીને ઇનામી ડ્રો કરવામાં આવ્યો હતો.