CIA ALERT

પ્રેરણાદાયી વાત Archives - Page 3 of 40 - CIA Live

July 11, 2024
agniveer.jpg
1min196
xr:d:DAFsWZ_LRuQ:351,j:9068404731352087894,t:23102306

અગ્નિવીર સ્કીમને લઈ કેન્દ્ર સરકારે આજે સૌથી મોટી જાહેરાત કરી છે. આ યોજના અંગે વિપક્ષ દ્વારા તેને રદ કરવાની માગણી પણ કરી હતી, ત્યારે આજે કેન્દ્ર સરકારે સીઆઈએસએફ (CISF)ની ભરતીમાં 10 ટકા અનામત રાખવાનો નિર્ણય લીધો છે.

સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆઈએસએફ)માં 10 ટકા અનામત પૂર્વ અગ્નિવીર માટે રાખવામાં આવી છે. એની સાથે અગ્નિવીરોની શારીરિક પરીક્ષામાં પણ છૂટ આપવામાં આવી છે. કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆઈએસએફ)ના વડા નીના સિંહે કહ્યું છે કે એના અંગે તમામ તૈયારીઓ કરી લીધી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે કોંગ્રેસ સત્તામાં આવશે તો આ યોજનાને ખતમ કરવામાં આવશે.

ગૃહ મંત્રાલય વતી આજે જણાવવામાં આવ્યું છે કે અગ્નિવીરોને સીઆઈએસએફમાં નોકરી મળશે તેમ જ અગ્નિવીરો માટે દસ ટકા અનામત રાખવામાં આવશે. ફિઝિકલ ટેસ્ટમાં પૂર્વ અગ્નિવીરોને છૂટ મળશે, જ્યારે સીઆઈએસએફમાં દસ ટકા રિઝર્વેશન રહેશે.

14 જૂન, 2022માં આ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. અગ્નિપથ યોજનામાં 17થી 21 વર્ષના યુવાનોને ફક્ત ચાર વર્ષ માટે ભરતી કરવાની જોગવાઈ છે, જેમાં 25 ટકા અગ્નિવીરોને આગામી પંદર વર્ષ સુધી રાખવાની જોગવાઈ છે. જોકે, એમાં સુધારો કરીને સરકારે ઉંમર મર્યાદા વધારીને 23 વર્ષ કર્યા હતા. યોજના અન્વયે પૂર્વ અગ્નિવીરોની પહેલી બેચ માટે અપર એજ લિમિટમાં પાંચ વર્ષની છૂટ આપી હતી અને પછી બાકીની બેચ માટે ત્રણ વર્ષની છૂટ આપી છે.
અગ્નિવીર યોજના અન્વયે ચાર વર્ષના કોન્ટ્રકાટ પર યુવાનોને આર્મીમાં ભરતી કરવામાં આવે છે. ભરતી કર્યા પછી યુવાનોને સેલેરી પણ નિશ્ચિત હોય છે. ચાર વર્ષના સમયગાળા માટે સૈનિક તરીકે નિયમિત નોકરી રહે છે.

July 9, 2024
adani-logo.png
2min206

પેરિસ જતી ભારતીય ઓલિમ્પિક ટીમના હોંસલાની બુલંદીના પ્રચંડ સમર્થનના ભાગરુપે દેશકા ગીત એટ ઓલિમ્પિક્સ મુહિમ ફિલ્મ અંતર્ગત અગ્ર પ્રયોજક તરીકે અદાણી ગ્રૂપનું વચન 

પેરિસ ઓલિમ્પિક્સમાં ભારતના રાષ્ટ્રગાન સાંભળવાના સન્માનનું લક્ષ્ય સેવતા ભારતના ટોચના ચુનંદા એથ્લેટ્સને આ ફિલ્મ ઉજાગર કરે છે

અદાણી ગૃપ 2016થી અવિરત આંતરરાષ્ટ્રીય ખેલકૂદ રમતોત્સવની વિવિધ રમતોમાં રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરનારા 28થી વધુ એથ્લેટ્સને પ્રોત્સાહનના પોરસ પુરુ પાડતું આવ્યું છે.

રસજ્ઞો અદાણીની આ મુહિમ સોશ્યલ મીડિઆના વિવિધ પ્લેટફોર્મ

Youtube Link: https://youtu.be/O5Xl8D6DGAE:

અમદાવાદ, ૦૮ જુલાઇ ૨૦૨૪: 2024 ઓલિમ્પિક માટે ભારતીય ટીમ પેરિસ માટે ઉડાન ભરતા અગાઉ જીત મેળવવાના જુસ્સા સાથે સખ્ત પરિશ્રમ કરતા રહે છે, ત્યારે તેના મુખ્ય પ્રણેતા અદાણી ગૃપએ દેશકા ગીત એટ ઓલિમ્પિક્સ થીમ સાથેની મુહિમ દ્વારા રાષ્ટ્રના ચેમ્પિયનને તેહદીલથી સમર્થન આપવાનું વચન અભિવ્યક્ત કર્યું છે. જીત મેળવવા અને જીતનો જશ્ન મનાવવા રાષ્ટ્રગીત સાંભળવાના લક્ષ્યને હાંસલ કરવા સાથે તાલીમમાં કલાકો અને વર્ષો ગાળ્યા છે એવા એથ્લેટ્સની આસપાસ આ મુહિમ કેન્દ્રિત છે.

ભારતીય રમતવીરોના અવિરત સમર્પણ ભાવને આવરી લેતી પ્રેરણાદાયી ફિલ્મ દ્વારા સમર્થિત આ મુહિમ ફરી એકવાર મેદાને જંગમાં પ્રવેશી રહેલા ભારતના શ્રેષ્ઠ રમતવીરોને કેન્દ્રમાં રાખે છે ત્યારે રમત ગમતના ચાહકોમાં દેશદાઝની લાગણીને ફરી પ્રજ્વલિત કરે છે. પેરિસ જવાની તૈયારી કરી રહેલા ભારતની શિરમોર રમતવીરોની પ્રતિભા આ ફિલ્મમાં દર્શાવવામાં આવી છે. આ ખેલાડીઓનું લક્ષ્ય ટોક્યો ઓલિમ્પિક્સના મેડલ જીતવા અને સૌથી વધુ અપેક્ષિત  વિશ્વના ખેલકૂદ રમતોત્સવમાં રાષ્ટ્રગીત લલકારવાનું સન્માન હાંસલ કરવાનું છે. ઉલ્લેખનીય છે કે ગત ઓલિમ્પિકમાં ભારતે રેકોર્ડ 7 મેડલ જીત્યા હતા.

ભારતમાં રમતગમતની ઇકોસિસ્ટમના સ્તરને ઉંચે લઇ જવા અને વિકસિત કરવા માટે પ્રતિબદ્ધ અદાણી ગ્રૂપ સમગ્ર દેશમાં ખેલ જગતની સંસ્કૃતિને ઉત્તેજીત કરવા અને આગળ વધારવામાં યત્કિંચિત યોગદાન આપી રહ્યું  છે. અદાણી ગ્રૂપનો ઉદ્દેશ્ય પોતાના યોગદાન મારફત ભારતની આગામી પેઢીમાં રમતગમતના સંસ્કારોનું ઘડતર કરી તેઓમાં ચેમ્પિયન બનવાની જીંદાદીલી વિકસાવવાનો છે અને કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ અને ઓલિમ્પિક્સ જેવા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર ભારતનું પ્રતિનિધિત્વ કરવા તરફની તેઓની સફરમાં તેમને જૂસ્સો પુરો પાડવાનો  છે.

2016 થી અદાણી ગૃપએ બોક્સિંગ, કુસ્તી, ટેનિસ, ભાલા ફેંક, શૂટિંગ, દોડ, શોટપુટ, ઝડપી ચાલવું, તીરંદાજી જેવી અનેક રમતોમાં 28 થી વધુ રમતવીરોને પ્રોત્સાહિત કરી રહ્યું છે. તેની ફળશ્રુતિરુપે કોમનવેલ્થ ગેમ્સના સુવર્ણ ચંદ્રક વિજેતા કુસ્તીબાજો રવિ કુમાર દહિયા અને દીપક પુનિયા અને બોક્સર અમિત પંઘાલની પ્રતિભાઓ ઉભરી આવી છે. દહિયા અને પુનિયાએ 2020 ટોક્યો ઓલિમ્પિક તેમજ 2020 અને 2023 એશિયન ગેમ્સમાં પણ સિલ્વર મેડલ મેળવ્યા હતા. અદાણી ગ્રુપએ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય ટીમને પણ સ્પોન્સર કરી હતી. આ ગૃપ બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ 2022 અને હેંગઝોઉ એશિયન ગેમ્સ 2022ની ટીમ સાથે ઓફિશ્યલ પાર્ટનર તરીકે પણ સંકળાયેલું હતું.

અદાણી સ્પોર્ટ્સલાઇન ખાતે આ ફિલ્મના લોન્ચિંગ પ્રસંગે સ્પોન્સર્ડ એથ્લેટ્સને શુભેચ્છાઓ પાઠવતા અદાણી સ્પોર્ટ્સલાઇનના CBO સંજય આદેસરાએ જણાવ્યું હતું કે અમને આશા છે કે પેેરીસ ઓલિમ્પિક્સમાં અગાઉ કરતાં પણ વધુ સફળતા મળશે. અમારા કાર્યક્રમો થકી અમે અમારા રમતવીરોને રમતગમતમાં સર્વોચ્ચ સ્તરે શ્રેષ્ઠતાની શોધમાં તમામ રીતે સમર્થન આપવા માટે કૃતનિશ્ચયી છીએ. અને જ્યારે તેઓ ટોચના પુરસ્કાર માટે સંઘર્ષ કરી રહ્યા હોય ત્યારે આપણે તેમનું નૈતિક સમર્થન કરી તેમને ઉત્સાહિત  અને પ્રોત્સાહિત કરવા જોઈએ.એમ તેમણે કહ્યું હતું.

X: https://x.com/gautam_adani/status/1810272468294099282?s=08

Instagram: https://www.instagram.com/reel/C9KTCJ8MkM4/

Facebook: https://www.facebook.com/AdaniSportsline/videos/877872410847946 ઉપર નિહાળી શકશે

July 3, 2024
shutterstock_1844916328-1280x690.jpg
1min212

૬ ખર્વ યેન એટલે કે ૯.૯ અબજ ડોલર મૂલ્યની નવી નોટો બજારમાં મુકી: ૧૦૦૦૦ યેનના નવી નોટો પર એક વ્યવસાયી શિબુસાવા એઇઇચુનું ચિત્ર

Banknotes The Benefits of Holography (Part 2) - Keesing Platform

ટોક્યોની નિહોનબાશિ સ્થિત બેંક ઓફ જાપાને ૨૦ વર્ષ પછી પહેલીવાર નવું ચલણ બહાર પાડયું છે. બેંક ઓફ જાપાનના ગર્વનર ઉએદા કાજુઓએ જણાવ્યું હતું કે બેંક પહેલા દિવસે ૧૬ ખર્વ યેન એટલે કે ૯.૯ અબજ ડોલર મૂલ્યની નવી નોટો બજારમાં બહાર પાડશે. કેન્દ્રી. બેંક દ્વારા નાણાકિય સંસ્થાનોને નવી નોટોના બંડલ સોપવામાં આવ્યા હતા.

૧૦૦૦૦ યેનના નવી નોટો પર એક વ્યવસાયી શિબુસાવા એઇઇચુનું ચિત્ર છે જેમને આધુનિક જાપાનની અર્થ વ્યવસ્થાના જનક માનવામાં આવે છે. તેમને જુદા જુદા ૫૦૦ જેટલા વ્યવસાયોની શરુઆત અને વિકાસ કર્યો હતો. ૫૦૦૦ યેનની નવી નોટો પર ત્સુદા ઉમેકોની તસ્વીર છે. જે શિક્ષણ જવા માટે વિદેશ જવાની મહિલાઓમાંની એક હતી. ૧૦૦૦ યેનની નવી નોટો પર કિતાસાતો શિબાસાબુરોનું ચિત્ર છે. કિતાસાતો એક જીવાણુ વિજ્ઞાાની હતા જે ટેટનસનો ઇલાજ શોધ્યો હતો.

જાપાનની ચલણી નોટોમાં નવીનત્તમ હોલોગ્રામ તકનીક સામેલ કરવામાં આવી છે.આથી નકલી નોટ બનાવવી શકય બનશે નહી.જાપાનના નેશનલ પ્રિન્ટિંગ બ્યૂરોના જણાવ્યા અનુસાર દુનિયામાં પહેલી વાર ચલણી નોટો પર હોલોગ્રામ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નોટોમાં થ્રીડી જોવા મળે છે જેનાથી સુરક્ષા ફિચર્સ મજબૂત બનશે. 

May 23, 2024
kiran-hospital.png
1min287

કિરણ હોસ્પિટલ સીનીયર સીટીઝન હેલ્થ કેર યોજના અંતર્ગત ભારત વડીલ વંદના-૨ કાર્યક્રમ  ૨૬ મે ૨૦૨૪ ના રોજ સાંજે ૩:00 કલાકે સ્થળ: કન્વેન્સન સેન્ટર સરસાણા ખાતે ૧૫ હજારની સીટીંગ વ્યવસ્થા સાથેના વિશાળ એસી ડોમમાં વડીલોના વંદન, સંગીત અને ભોજન સાથેનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. 

     કિરણ હોસ્પિટલના ચેરમેન પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ વધુમાં જણાવતા કહ્યું કે શહેરના વિકાસમાં સીનીયર સીટીઝનો નો મહત્વનો રોલ હોય છે તેથી વિકસિત દેશોમાં સીનીયર સીટીઝનો ને વિશેષ સુવિધાઓ અને આદર આપવામાં આવે છે. આપણા દેશમા આપણા સંસ્કાર અને સંસ્કૃતિ મુજબ વડીલોનું વિશેષ સ્થાન રહ્યું છે, પરંતુ સુવિધાઓ પૂરી પાડવામાં આપણે હજુ ઉણા ઉતરીએ છીએ. તેથી અમોએ કિરણ હોસ્પિટલ સીનીયર સીટીઝન હેલ્થકેર યોજના બનાવીને તે યોજના થકી સીનીયર સીટીઝનો ને હોસ્પિટલ તેમજ ઘર બેઠા આરોગ્ય સારવાર આપવા માટે અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. સીનીયર સીટીઝનો ને વિશેષ સુવિધાઓ આપવા માટે સીનીયર સીટીઝન કંટ્રોલ રૂમ પણ ઉભું કરવામાં આવ્યું છે.

     કિરણ હોસ્પિટલ સીનીયર સીટીઝન હેલ્થ કેર યોજનામા વિવિધ રાજ્યમાંથી આવીને સુરતમાં સ્થાયી થયેલા એવા ૧૫ હજાર સીનીયર સીટીઝનો મેમ્બર બન્યા છે. વિવિધ રાજ્યમાંથી આવેલા અને સુરતમાં સ્થાયી થયેલા એવા અમારા ૧૫ હજાર મેમ્બરો આ યોજના થી ખુબજ ખુશ છે.  દેશ વિદેશમાં રહેતા સીનીયર સીટીઝનના સંતાનો પણ અમને ખુશીના મેસેજ કરે છે અને તેઓ ખુશી વ્યક્ત કરે છે કે અમારા માત પિતાને અચાનક હોસ્પિટલની જરૂર પડે તેવા સમયે કિરણ હોસ્પિટલ તેમની સાથે છે તેથી અમારા માત-પિતાની બીમારી સમયે અમને ખાસ ચિંતા રહેતી નથી.  કિરણ હોસ્પિટલની પાછલા ૭ વર્ષમાં દેશ વિદેશના ૨૭ લાખથી વધારે લોકોએ સેવા લીધી છે.

     સુરતમાં રહેતા દરેક રાજ્યના લોકો કિરણ હોસ્પિટલ સીનીયર સીટીઝન હેલ્થકેર યોજના ના મેમ્બર બન્યા હોવાથી કાર્યક્રમ નું નામ “ભારત વડીલ વંદના” રાખવામા આવ્યું છે.  કાર્યક્રમમાં દરેક વડીલોનું પૂજન અને સ્વાગત કરવામાં આવશે, તથા વડીલો ભોજન સાથે સંગીત કાર્યક્રમ માણશે. આ ઉપરાંત જે માતાએ પોતાના સંતાનો ને કીડની, લીવર વગેરે અંગ આપીને પોતાના સંતાનને નવું જીવન આપ્યું છે તેવી માતાઓનું વિશેષ સન્માન કરવામાં આવશે.

March 18, 2024
CFC-2.jpeg
1min812

સુરત: :જેમ એન્ડ જ્વેલરી ઈન્ડસ્ટ્રી માટે દેશના પહેલા મેગા કોમન ફેસિલિટી સેન્ટરને મુંબઈના SEEPZ SEZમાં ખુલ્લો મૂકાયો છે. ભારત સરકારમાં વાણિજ્ય અને ઉદ્યોગ, ઉપભોક્તા બાબતો, ખાદ્યાન્ન તેમજ જાહેર વિતરણ તેમજ ટેક્સટાઈલ મંત્રી શ્રી પિયુષ ગોયલે મુંબઈના SEEPZ SEZમાં આવેલા ભારતના અગ્રણી મેગા કોમન ફેસિલીટી સેન્ટરના લોકાર્પણ સમારોહમાં હાજરી આપીને પ્રસંગને શોભાવ્યો હતો. ભારત રત્નમ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા પ્રમોટ કરવામાં આવેલું મેગા સીએફસી છે. GJEPC, SEEPZ SEZના સક્રિય સમર્થન સાથેઆ પ્રોજેક્ટનું સંચાલન કરે છે.  

આ મહત્વપૂર્ણ સમારોહમાં GJEPCના વાઈસ ચેરમેન શ્રી કિરીટ ભણસાલી, SEEPZ-SEZના ઝોનલ ડેવલપમેન્ટ કમિશનર, IRS શ્રી રાજેશ કુમાર મિશ્રા, ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના સંયુક્ત સચિવ IAS શ્રી વિપુલ બંસલ, ભારત રત્નમ મેગા CFCના વર્કિંગ ગ્રુપના હેડ શ્રી કોલિન શાહ અને SEEPZના સંયુક્ત ડેવલપમેન્ટ કમિશનર શ્રી સી.પી.એસ ચૌહાણે હાજરી આપી હતી.

ભારત રત્નમ- મેગા CFCનો હેતુ જેમ અને જ્વેલરી પ્રોડક્ટોના ઉત્પાદન અને ડિઝાઈન માટે ટેકો પૂરો પાડવાનો છે. તે વર્તમાન ગુણવત્તા, ઉત્પાદકતા, માનવબળની કુશળતા, ઘરેલુ R&D, ટેક્નોલોજીની પ્રગતિ તેમજ ખર્ચની હરિફાઈક્ષમતામાં વધારો કરશે. સ્કીલ ડેવલપમેન્ટ કોર્સ તેમજ ઈન્ડસ્ટ્રી માટે નિપુણ માનવબળને વિકસિત કરવા માટે તેમાં ટ્રેનિંગ સેન્ટરનો પણ સમાવેશ કરવામાં આવશે.  

પોતાના પ્રારંભિક સંબોધનમાં શ્રી ગોયલે જણાવ્યું હતું કે, “ભારત રત્નમ મેગા સીએફસી મેક ઈન ઈન્ડિયા અને ડિઝાઈન ઈન ઈન્ડિયાના નવા યુગની શરૂઆત કરે છે. તે ભારતના ખરા હીરા તરીકે ઉભર્યું છે અને પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપનો વધુ એક ચમકતો દાખલો છે. નોંધપાત્ર 14 મહિનામાં પૂર્ણ થયેલું આ સેન્ટર પોતાની વિશ્વ સ્તરની સવલતો સાથે ઉત્કૃષ્ટતાના પ્રકાશસ્તંભ તરીકે ઉભું છે અને ભારતના ભાવિ માટે સીમાચિહ્ન પૂરું પાડે છે. અત્યંત આકર્ષક ટ્રેનિંગ અને સ્કીલિંગ સેન્ટર 1600 જેટલા યુવાનોને તાલીમબદ્ધ કરશે, જેઓ દર વર્ષે માનવબળમાં જોડાશે. આ તમામ પહેલ ઉચ્ચ ગુણવત્તાની જ્વેલરીની મેડ ઈન ઈન્ડિયા બ્રાન્ડનું સર્જન કરવામાં મદદરૂપ થશે, જેના માટે આ દુનિયાને આકાંક્ષા અને ઈચ્છા હશે, તેમજ આ દુનિયા જેની તરફ જોશે. ભારત રત્નમ ઈનોવેશન, આર્થિક વૃદ્ધિ અને ટેક્નોલોજીની પ્રગતિને આગળ ધપાવવાની સરકારની પ્રતિબદ્ધતાનું પ્રતિક છે.”GJEPCના ચેરમેન, શ્રી વિપુલ શાહે જણાવ્યું હતું કે, “અમે જ્યારે ભારતરત્નમ-મેગા CFCનું ઉદ્ઘાટન કરી રહ્યા છીએ, ત્યારે આ અભૂતપૂર્વ પ્રોજેક્ટનું નેતૃત્વ કરવા બદલ હું શ્રી પિયુષ ગોયલનો હૃદયપૂર્વક આભાર માનું છું. તેમનું અવિરત સમર્પણ અને દૂરંદેશી નેતૃત્વ  આ પરિવર્તનકારી પહેલ ને ફળીભૂત કરવા માટે નિમિત્ત બની રહ્યું છે. તે અમારા ઉદ્યોગ માટે ગેમ ચેન્જર છે અને તે અમને 75 અબજ ડોલર ની નિકાસના લક્ષ્યાંક ને હાંસલ કરવામાં અને 2047 સુધીમાં વિકસિત ભારતના અમારા વિઝનને સાકાર કરવા તરફ પ્રેરિત કરશે.

March 18, 2024
WhatsApp-Image-2024-03-17-at-20.07.22-1280x853.jpeg
1min522

  • સુરત ડાયમંડ એસોસીએશન સંચાલિત RTSV હોસ્પિટલનો દશાબ્દી મહોત્સવ શાનદાર રીતે સંપન્ન
  • કિરણ-2 હોસ્પિટલ માટે દાતાઓએ મન મૂકીનો દાનનો ધોધ વહાવ્યો
  • ગુજરાતમાં સૌથી વધુ રાહત દરે તબીબી સેવા ઉપલબ્ધ કરાવવાની નેમ સાથે કિરણ-2 હોસ્પિટલને ઝડપભેર વિકસાવવાનો નિર્ધાર કરાયો

સુરત
સુરત ડાયમંડ એસોસીએશનની આરોગ્ય સમિતિ સંચાલિત આર.ટી.એસ.વી. ડાયમંડ હોસ્પિટલનો દશાબ્દી મહોત્સવ આજે રવિવારની સંધ્યાએ શાનદાર રીતે સંપન્ન થયો છે. હકડેઠઠ માનવ મેદની આ સમારોહમાં ઉમટી પડી હતી. ડાયમંડ હોસ્પિટલના આરંભથી જ દર્દીઓનો અત્યંત રાહતદરે તબીબી સેવાઓ પૂરી પાડવાનું શરૂ કરાયું હતું, આ પ્રકારે ગુજરાતમાં સૌથી વધુ રાહતદરે તબીબી સેવાઓ ઉપલબ્ધ કરાવવાની નેમ સાથે સંસ્થાની સૂચિત કિરણ-2 હોસ્પિટલને ઝડપભેર વિકસાવવાનો મક્કમ નિર્ધાર ડાયમંડ હોસ્પિટલના દશાબ્દી મહોત્સવમાં જાહેર મંચ પરથી વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આજે ડાયમંડ હોસ્પિટલના દશાબ્દી મહોત્સવ પ્રસંગે ડાયમંડ હોસ્પિટલમાં જ જન્મ લેનારી 400 દિકરીઓના પરિવારજનોને રૂ.1-1 લાખની કિંમતના બોન્ડ મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.

ડાયમંડ હોસ્પિટલના દશાબ્દી મહોત્સવના સમારોહમાં મહાનુભાવો ઉપસ્થિત થાય ત્યાં સુધીમાં કિરણ-2 હોસ્પિટલ માટે લાખો રૂપિયાનું નવું દાન દાતાઓએ મન મૂકીને જાહેર કર્યું હતું. દાતાઓએ કિરણ-2 હોસ્પિટલના નિર્માણમાં મન મૂકીને દાન આપવાની જાહેરાત કરી હતી. સમારોહમાં નવું દાન આપનારા દાતાઓનું જાહેર અભિવાદન કરવામાં આવ્યું હતું.
બરાબર સાંજે સાતના ટકોરે સમારોહના અધ્યક્ષ એવા કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રી શ્રીમનસુખભાઇ માંડવીયા, રાજ્યસભાના સભ્ય શ્રી ગોવિંદભાઇ ધોળકીયા, ગુજરાતના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઇ પાનશેરીયા, ભાજપાના પૂર્વ પ્રદેશ પ્રમુખ શ્રી જીતુભાઇ વાઘાણી, મેયર શ્રી દક્ષેશ માવાણી સહિતના આગેવાનોનું આગમન મંચ પર થયું હતું.

કેન્દ્રના આરોગ્ય મંત્રી ડો.મનસુખભાઇ માંડવીયાએ રાહતદરે તબીબી સેવા પૂરી પાડવી અને દિકરીઓના જન્મ માટે એક પણ રૂપિયો ચાર્જ નહીં લેવાની ડાયમંડ હોસ્પિટલની બાબતોને બિરદાવતા જણાવ્યું હતું કે આ પ્રકારની સેવાના ભેખધારી સંસ્થાઓની સમાજને તાતી જરૂરીયાત છે. તેમણે કિરણ-2 હોસ્પિટલ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
સમારોહને સંબોધતા શ્રી મનસુખભાઇ માંડવીયાએ કહ્યું કે 200 કરોડથી વધુની રાહત ડાયમંડ હોસ્પિટલ દ્વારા સામાન્ય મધ્યમવર્ગના લોકોને આપવામાં આવી એ બહુ મોટી વાત છે. સુરતની ધરતી નોખી ધરતી છે, આ કર્ણની ધરતી છે, આ ધરતી પર પૂણ્ય અને સેવા આ ધરતીની વિશેષતા છે. 25 વર્ષનો જાહેર જીવનનો અનુભવે છે, કદાચ સૌરાષ્ટ્રમાં ક્યારેય પૂર્ણ્ય દાન ન કર્યું હોય પરંતુ, સુરતની ધરતી પર આવી ગયા અને મંચ પર બેઠા એટલે દાન કરવાનું શરૂ કરી દે છે. પૂણ્ય દાન કરવું બીજાનો સહયોગ કરવો એ ભારતીય પરંપરા, ભારતીય સંસ્કૃતિ, જીવન શૈલીનો ભાગ છે. જરૂરીયાતમંદ લોકોને સહયોગ કરવો એ આપણા સંસ્કાર છે. તેમણે અમેરીકા અને ભારતના તબીબી ખર્ચના ઉદાહરણો રજૂ કર્યા હતા. તેમણે કહ્યું કે સુરતમાં 30 ચેરીટી હોસ્પિટલો છે, જેમાં 50 ટકા જેટલું કામ રાહત દરે કરવામાં આવે છે. અહીં સ્વાસ્થ્ય એ સેવા છે, ધંધો નથી. સંસ્કારએ ભારતની સભ્યતા છે. કોવીડ આવ્યો ત્યારે આખી દુનિયા સાથે વાતો થતી, દરેક દિવસે દુનિયા પૂછતી કે ભારતમાં કેવું છે, ભારતમાં ડોક્ટરો હોસ્પિટલમાં આવે છે, દુનિયામાં ડોક્ટરો અને નર્સો રજા પર હતા, આપણા દેશમાં કોવીડમાં રોગીઓની સેવા કરતા કેટલાય ડોક્ટરો પોતાના પ્રાણના ભોગે ફરજ બજાવતા રહ્યા. તેમણે સંસ્થાને 600 બેડની હોસ્પિટલ કરો એવી હાકલ સાથે કહ્યું કે આટલા બેડ થશે તો 50 સીટની મેડીકલ કોલેજને મંજૂરી આપવામાં આવશે. સી.પી.ભાઇ, દિનેશભાઇ નાવડીયા સહિત ડાયમંડ હોસ્પિટલ સાથે સંકળાયેલા, પ્રત્યક્ષ અપ્રત્યક્ષ સાથ સહકાર આપનારા તમામને અભિનંદન આપતા મનસુખભાઇ માંડવીયાએ પોતાનું વક્તવ્ય પૂર્ણ કર્યું હતું.

સુરત ડાયમંડ એસોસીએશન સંચાલિત આર.ટી.એસ.વી. ડાયમંડ હોસ્પિટલના દશાબ્દી મહોત્સવનું આયોજન જ્યાં કરવામાં આવ્યું હતું એ કિરણ-2 હોસ્પિટલ જ્યાં નિર્માણ પામવાની છે એ લોકશન (ગ્રાઉન્ડ) પર આજે દશાબ્દી મહોત્સવમાં હકડેઠઠ માનવ મેદની ઉમટી પડી હતી. સાંજે 5 કલાકથી જ લોકોનું ગ્રાઉન્ડ પર આગમન શરૂ થઇ ચૂક્યું હતું. મહાનુભાવોની પણ એન્ટ્રી એક પછી એક શરૂ થઇ હતી અને જોતજોતામાં પ્રેક્ષાગાર અને મંચ બન્નેની તમામ બેઠકો ફુલ થઇ ગઇ હતી.
સમારોહના આરંભે ડાયમંડ હોસ્પિટલના ચેરમેન સી.પી.વાનાણીએ મહાનુભાવોનું સ્વાગત કરતા ડાયમંડ હોસ્પિટલની અત્યાર સુધીની કામગીરીનો ચિતાર આપ્યો હતો. એવી જ રીતે સંસ્થાના ઉપપ્રમુખ કેશુભાઇ ગોટીએ 10 વર્ષમાં ડાયમંડ હોસ્પિટલે કેટલી રકમની રાહત આપી તેનો વિગતવાર ચિતાર આપ્યો હતો.

આ પ્રસંગે ડાયમંડ હોસ્પિટલને દાન આપનારા દાતાશ્રીઓ, જુદાજુદા કાર્યોમાં સહકાર આપનારા આગેવાનો તેમજ ડાયમંડ હોસ્પિટલમાં પોતાની સેવા આપી રહેલા તબીબોનું સન્માન કરવામાં આવ્યું હતું.

છેલ્લા 10 વર્ષમાં ડાયમંડ હોસ્પિટલમાં જન્મેલી દિકરીઓની દર વર્ષની નામાવલી અનુસાર મહાનુભાવોના હસ્તે લકી ડ્રો કરવામાં આવ્યો હતો. અને 2014થી 2023 સુધીના વર્ષમાં પ્રત્યેક વર્ષની એક દિકરીની ચીઠ્ઠી ઉપાડીને ઇનામી ડ્રો કરવામાં આવ્યો હતો.

March 15, 2024
kiran-hospital.png
1min546

વર્ષે 40,000થી વધુ વિદ્યાર્થીઓને મોબાઇલ અને ડ્રગ્સના દુષણથી થતી મુશ્કેલીઓ અને કોઇપણ વ્યક્તિને હેલ્થ ઇમરજન્સીમાં કેવી રીતે મદદ કરવી તે અંગેનું નોલેજ શેરીંગ કરાશે

Kiran Hospital - About Us

ધો.8થી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ડ્રગ્સથી દૂર રહે, મોબાઇલના વ્યસની ન બને અને ઇમરજન્સીમાં દર્દીને કેવી રીતે ટ્રીટ કરી શકાય તેનાથી વાકેફ કરાશે

કિરણ હોસ્પીટલ દ્વારા સુરત શહેરની તમામ સ્કુલો તથા કોલેજોના ધો.8થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ હેલ્થકેર નોલેજ અભિયાનનો આરંભ આગામી શનિવારે સવારે 10 કલાકે કિરણ હોસ્પિટલના ઓડીટોરીયમ ખાતે શિક્ષણ મંત્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવશે.

કિરણ હોસ્પીટલ દ્વારા સુરત શહેરની તમામ સ્કુલો તથા કોલેજોના ધો.8થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ હેલ્થકેર નોલેજ અભિયાનનો આરંભ આગામી શનિવારે સવારે 10 કલાકે કિરણ હોસ્પિટલના ઓડીટોરીયમ ખાતે શિક્ષણ મંત્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવશે.વધુ માહિતી આપતા કિરણ હોસ્પિટલના ચેરમેન મથુર સવાણી અને અગ્રણી શાળા સંચાલક સવજીભાઇ પટેલ સહિત અન્યોએ જણાવ્યું હતું કે આ એક એવું અભિયાન છે જેમાં કિરણ હોસ્પિટલ ખાતે દર શનિવારે તેના ઓડીટોરીયમમાં જુદી જુદી શાળાના 350 વિદ્યાર્થીઓના એક એવા બે સેશનમાં તબીબો વિદ્યાર્થીઓને હેલ્થકેરના આજીવન જરૂરી પાઠ ભણાવશે. જેમાં હાલમાં સુરતમાં વધી રહેલા ડ્રગ્સના દુષણને કારણે થતી સમસ્યાઓ, મોબાઇલના વધુ પડતા ઉપયોગને કારણે થતી મુશ્કેલીઓ ઉપરાંત આસપાસમાં કોઇક વ્યક્તિની તબિયત અચાનક બગડે તો ક્વીક રિસ્પોન્સ સ્વરૂપે શું કરવું અને શું ન કરવું તે અંગેનું નોલેજ શેરીંગ કિરણ હોસ્પિટલના તબીબો દ્વારા કરવામાં આવશે. કન્યા છાત્રાઓ માટે મહિલા તબીબો તેમના પ્રશ્નોનું નિરાકરણ તેમજ ખોટી માન્યતાઓ કે ભ્રમણાઓથી ગેરમાર્ગે ન દોરવાવા અંગે માહિતગાર કરશે.આ કાર્યક્રમમાં નિરંતર રીતે દશ શનિવારે બે સેશનમાં જારી રહેશે. સુરત શહેર જિલ્લા કે બહારગામની કોઇપણ શાળા તેમના વિદ્યાર્થીઓ માટે આ નોલેજ શેરીંગ સેશન ઓનલાઇન બુક કરાવી શકશે.

January 17, 2024
Bharat-Ratnam-CFC-1.jpg
1min359

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 16/01/2024 મુંબઇના સ્પેશયલ ઇકોનોમિક ઝોનમાં નિર્માણ પામેલા હીરા ઉદ્યોગ માટે અત્યંત આવશ્યક કોમન ફેસેલિટી સેન્ટર ભારત રત્નમ્ નું વર્ચ્યુઅલી ઉદઘાટન કર્યું હતું. હીરા ઉદ્યોગ માટે જરૂરી તમામે તમામ ટેસ્ટીંગથી લઇને ટ્રેનિંગ સુધીની સુવિધાઓ, મેટલ પ્રિન્ટર સુધીની ફેસેલિટી ઉપલબ્ધ બનાવવામાં આવી છે.

સુરતના અનેક હીરા ઉદ્યોગકારોએ જણાવ્યું કે મુંબઇ સીએફસીને કારણે હીરા ઉદ્યોગની અનેક મહત્વની પ્રક્રિયાઓ સચોટ રીતે અને ઝડપથી પૂર્ણ કરી શકાશે.ભારત રત્નમ મેગા કોમન ફેસેલિટી સેન્ટર ફોર જેમ એન્ડ જ્વેલરીની કલ્પના જીજેઈપીસી દ્વારા કરવામાં આવી હતી. જીજેઇપીસી અને નેશનલ પ્રોડકટીવીટી કાઉન્સિલ દ્વારા ફિઝિબિલિટી સ્ટડી અને પ્રોજેક્ટ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. પ્રોજેક્ટ રિપોર્ટ મિનિસ્ટ્રી ઓફ કોમર્સ દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો અને એસઈઈપીઝેડ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું. પ્રોજેક્ટ નું અમલીકરણ એસઈઈપીઝેડ ઓથોરિટી સાથે જીજેઈપીસી દ્વારા નામાંકિત મેગા સીએફસી સમિતિ હેઠળ કરવામાં આવ્યુંહ તું. જીજેઈપીસી એ ભારત રત્નમ મેગા સીએફસી ચલાવવા અને તેનું  સંચાલન કરવા માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે.”ભારત રત્નમ મેગા સીએફસી એ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, જીજેઈપીસી ઈન્ડિયા અને એસઈઈપીઝેડ સેઝ ઓથોરિટી દ્વારા દેશમાંથી નિકાસ કરવા માટે પ્રમોટ કરાયેલ એક સામાજિક-આર્થિક પ્રોજેક્ટ છે.જીજેઈપીસી ના ચેરમેન વિપુલ શાહે જણાવ્યું હતું કે, મેગા કોમન ફેસેલિટી સેન્ટરને કારણે હીરા ઝવેરાતનું નિકાસ લક્ષ્ય ને 7 બિલિયન ડોલર થી બમણું એટલે કે 15 બિલિયન ડોલર કરવાની ઉદ્યોગની યોજના માટે ગેમચેન્જર પુરવાર થશે, ભવિષ્યમાં આ જ નિકાસ 30 બિલિયન ડોલર સુધી પણ પહોંચાડી શકાશે.

December 30, 2023
sri-ram.jpg
1min672

આજે ઉત્તર પ્રદેશના અયોધ્યા ખાતે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવી હાકલ કરી છે કે આખું વિશ્વ તા.22મી જાન્યુઆરીની રાહ જોઇ રહ્યું છે. તેમણે 22 જાન્યુઆરીના રોજ પ્રતીક્ષિત કાર્યક્રમ માટે અયોધ્યામાં પ્રવાસ ન કરવા લોકોને વિનંતી કરી, ભારપૂર્વક જણાવ્યું કે મંદિરના નગરમાં ઐતિહાસિક દિવસે ફક્ત આમંત્રિત વ્યક્તિઓએ જ હાજરી આપવી જોઈએ. તા.22મી જાન્યુઆરીએ અયોધ્યા ખાતે રામ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાય રહ્યો છે.

PM Modi inaugurates new airport in Ayodhya ahead of Ram Temple consecration  on Jan 22 - India Today

પીએમ નરેન્દ્ર મોદીએ તમામ નાગરિકોને આગામી તા.22 જાન્યુઆરીએ તેમના ઘરોને દીવાઓથી પ્રકાશિત કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. “આ ઐતિહાસિક ક્ષણ ખૂબ જ સદભાગ્યે આપણા જીવનમાં આવી છે. આપણે દેશ માટે એક નવો સંકલ્પ કરવાનો છે અને પોતાને નવી ઉર્જાથી ભરવાનો છે. આ માટે, હું તમામ 140 કરોડ દેશવાસીઓને વિનંતી કરું છું કે તેઓ 22 જાન્યુઆરીએ તેમના ઘરોમાં શ્રી રામ જ્યોતિ પ્રગટાવે અને દીપાવલી ઉજવે, ”પીએમે કહ્યું.

વધુમાં, તેમણે સ્વચ્છતા અને પવિત્રતા જાળવવા માટેના સામૂહિક પ્રયાસને પ્રોત્સાહન આપતા, 14 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી સમગ્ર દેશમાં તીર્થસ્થળો અને મંદિરોમાં સ્વચ્છતા અભિયાન ચલાવવાનું આહ્વાન કર્યું હતું.

રામ લાલાને પાકું ઘર અપાયુંઃ પીએમ મોદી

પીએમ મોદીએ રામ લાલાના નિવાસસ્થાનને તંબુમાંથી કાયમી માળખામાં રૂપાંતરિત કરવાનો ઉલ્લેખ કરીને રાષ્ટ્રના વિકાસ માટે વારસાની જાળવણીનું મહત્વ નોંધ્યું હતું. “રામ લાલા એક તંબુમાં હતા, આજે પાકું ઘર માત્ર રામ લાલાને જ નહીં પરંતુ દેશના ચાર કરોડ ગરીબોને પણ આપવામાં આવ્યું છે. ભારતને વિકસિત દેશ બનાવવાની ઝુંબેશને અયોધ્યાથી નવી ઉર્જા મળી રહી છે.” .

“આજે, અહીં રૂ. 15 હજાર કરોડથી વધુના વિકાસ કાર્યોનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ માળખાકીય સુવિધાઓને લગતા કામો ફરી એકવાર દેશના નકશા પર ગૌરવ સાથે આધુનિક અયોધ્યાની સ્થાપના કરશે. આજનો ભારત તેના તીર્થસ્થળોને સુંદર બનાવી રહ્યું છે. અને ડિજિટલ ટેક્નોલોજીની દુનિયામાં પણ ડૂબી ગયો છે,” તેમણે ઉમેર્યું.

દિવસની શરૂઆતમાં, PM એ સુધારેલ અયોધ્યા રેલ્વે સ્ટેશન, અમૃત ભારત ટ્રેનોનું ઉદ્ઘાટન કર્યું અને ચાલુ વિકાસ પહેલના ભાગ રૂપે વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી.

રામ મંદિર રામ જન્મભૂમિના આદરણીય સ્થળ પર છે, જે ભગવાન રામનું જન્મસ્થળ માનવામાં આવે છે. આ જગ્યા પર પહેલા બાબરી મસ્જિદનો કબજો હતો. 2019 માં, ભારતની સર્વોચ્ચ અદાલતે સર્વસંમતિથી ચુકાદો આપ્યો, મંદિરના નિર્માણ માટે હિન્દુઓને વિવાદિત જમીન આપી. આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ASI) ના અહેવાલથી પ્રભાવિત થયેલો નિર્ણય, તોડી પાડવામાં આવેલી બાબરી મસ્જિદની નીચે બિન-ઈસ્લામિક માળખું હોવાનું સૂચવે છે.

5 ઓગસ્ટ, 2020 ના રોજ, એક સમારોહમાં રામ મંદિરના નિર્માણની શરૂઆત કરવામાં આવી હતી, જેનું સંચાલન પીએમ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. ચાલુ બાંધકામની દેખરેખ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ કરે છે.

October 27, 2023
Cia_business_news-1280x936.jpg
1min518

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

અમેરીકામાં યોજાઇ રહેલી ગ્લોબલ મિલેટ્સ મીટમાં ઉપસ્થિત રહેનારા 100થી વધુ દેશોના ડેલિગેટ્સ માટે અમેરીકાના ન્યુયોર્ક સ્થિત ઇન્ડીયન એમ્બેસીએ સુરતની અતુલ બેકરીને 2 હજાર કિલો (2 ટન) મિલેટ્સ બિસ્કીટનો ઓર્ડર આપ્યો હતો, સુરતના ઇચ્છાપોર ખાતે મેન્યુફેક્ચરીંગ યુનિટ ધરાવતી અતુલ બેકરીએ આ ઓર્ડર સફળતાપૂર્વક ડિસ્પેચ પણ કરી લીધો છે.

સમગ્ર વિશ્વમાં સૌથી વધુ ન્યુટ્રીશીયસ ધાન તરીકે ખ્યાતિ પામી રહેલા મિલેટ્સની ગ્લોબલ મિલેટ્સ મીટ અમેરીકામાં યોજાઇ રહી છે. ભારતમાં બાજરી, જુવાર, રાગી તેમજ જુદા જુદા પ્રકારના ફાઇબર યુક્ત ઑટ્સનો સમાવેશ શ્રીઅન્ન એટલે કે મિલેટ્સમાં થાય છે. મિલેટ્સને વધુ પ્રચલિત બનાવવા તેમજ બાળકો નાનપણથી જ મિલેટ્સ આધારીત વાનગીઓ આરોગે તે માટે મિલેટ્સમાંથી અવનવી વેરાઇટીઝ બની રહી છે.

અમેરીકામાં યોજાઇ રહેલી વર્લ્ડ મિલેટ્સ મીટ્સમાં ઉપસ્થિત રહેનારા જુદા જુદા દેશોના ડેલિગેટ્સમાં મિલેટ્સ બેઝ વેરાઇટીની વહેંચણી કરવા માટે સુરતની બેકરીને ન્યુયોર્ક સ્થિત ઇન્ડીયન એમ્બેસી તરફથી 2 હજાર ટન મિલેટ્સ બિસ્કીટ સપ્લાય કરવાનો ઓર્ડર મળ્યો હતો.

સુરતમાં બિસ્કીટ બનાવીને અમેરીકામાં સપ્લાય કરનાર જાણિતી અતુલ બેકરીના ઑનર અતુલ વેકરીયાએ જણાવ્યું હતું કે મિલેટ્સ બિસ્કીટની વેરાઇટી તેમણે પહેલીવાર જ ઉત્પાદન કર્યું હતું અને ભારતમાં હજુ એકેય પેકેટ વેચાયું નથી અને 2000 કિલોનો માલ અમેરીકામાં સપ્લાય કરી દીધો છે. બાજરી, રાગી, ઓટ્સ અને શક્ય એટલી કુદરતી સાધન સામગ્રીમાંથી મિલેટ્સના બિસ્કીટ તૈયાર કર્યા હતા, તેના સેમ્પલિંગ અમેરીકાની ચુસ્ત કડકાઇભરી પ્રક્રિયામાંથી પસાર થયા અને એ પછી તેમણે ઓર્ડર સપ્લાય કર્યો છે.