CIA ALERT

પ્રેરણાદાયી વાત Archives - Page 19 of 42 - CIA Live

February 3, 2020
ca_ravi-1280x939.jpg
5min9510

कठिन माने जाते C.A. फाउन्डेशन कोर्स को रवि छावछरीया की कोचिंग आसान बना देती है

इन्स्टिट्युट ओफ चार्टर्ड अकाउन्टन्ट ऑफ इन्डिया ने आज दि.3 फरवरी 2020 को C.A. फाउन्डेशन एवं इन्टरमिडीएट के परीणामो की घोषणा की. जैसे ही वेबसाइट पर परिणामो की घोषणा हूई सूरत से रिपोर्ट आनी शुरु हो गई थी कि सूरत के छात्रोने पूरे देश में अपना परचम लहराया है.

चार्टर्ड अकाउन्टन्सी कोर्स को रिस्ट्रक्चर करने के बाद ऐसा माना जा रहा है की C.A. फर्स्ट स्टेज यानी फाउन्डेशन की पढाई कठिन हूई है. पहले फाउन्डेशन कोर्स के बदले सी.पी.टी. की परीक्षा ली जा रही थी. सी.पी.टी. की परीक्षा कुल 200 मार्कस की हो रही थी. परंतु, नए कोर्स के गठन के बाद अमल में लाए गए सी.ए. फाउन्डेशन की परीक्षा 400 मार्कस की हो रही है. पूरे देश में एैसी मान्यता फैली हूई है की सी.ए. फाउन्डेशन अति कठिन बन गया है.

आज सी.ए. फाउन्डेश कोर्स का पहला परीणाम आया और इसमें सूरत में सी.ए. कोर्स की प्राईवेट कोचिंग करवा रहे रवि छावछरीया के छात्रो ने विक्रम सर्जक परीणाम हांसिल कीए है.

सी.आई.ए. न्युज से बात करते हूए सी.ए. रवि छावछरीया ने कहा की उनकी कोंचिंग पा रहे 27 छात्रो ने सी.ए. फाउन्डेशन कोर्स में इन्डिया लेवल पर टोप-50 में रेन्क हांसिल कीए है. कोइ नीजी इन्स्टिट्यूट के इतने छात्रो ने इन्डीया टोप कीया हो ऐसा पहले कभी रिकोर्ड नहीं हूआ.

सूरत के रवि छावछरीया के इन छात्रो ने C.A. फाउन्डेशन कोर्स में इन्डिया टोप-50 में रेन्क हांसिल कीया

Name Rank in India Marks
Kanishka Ladia 10 354
Harshi Sadhani 18 346
Shreya Beriwala 19 345
Priya Shah 22 342
Krishna Agrawal 26 338
Shreya Bansal 28 336
Avi Agrawal 30 334
Ujjwala Modi 30 334
Gaurav Asawa 30 334
Pallav Bhandari 31 333
Tithi Shah 32 332
Anushka Bothra 32 332
Khushi Doshi 37 325
Amisha Bhansali 38 326
Khushi Jindal 38 326
Nilesh Bazari 41 323
Vandan Jain 42 322
Sourabh Agarwal 42 322
Piyush Kejriwal 43 321
Khushi Vyas 44 320
Gopal Bansal 44 320
Pari Motani 46 318
Divyam Sakadsariya 46 318
Ritika Agarwal 47 317
Ishan Jajodia 48 316
Harshita Iyer 50 314
Raksha Agarwal 50 314

टोप रेन्कर छात्रो ने कहा, रवि सर की कोचिंग C.A. की पढाई आसान बना देती है

सी.ए. फाइन्डेशन के परीणाम घोषित होने के बाद सेलिब्रेशन के लिए रवि छावछरीया के क्लासीस पर पहोंचे छात्रो को जब पूछा गया की पूरे देश में सी.ए. फाउन्डेशन को कठिन माना जाता है, आप सब ने इतनी अधिक मात्रामां इन्डिया टोप रेन्क कैसे हांसिल कीया. तब सभी छात्रो ने एक ही बात कही की रवि सर (छावछरीया) की कोचिंग ही हमें कठिन से कठिन पाठ्यक्रम को आसान कर देती है.

सी.ए. इन्टरमिडीएट परीक्षा में भी रवि छावछरीया के छात्रो ने इन्डिया टोप-50 में रेन्क पाए

सी.ए. फाउन्डेशन के साथ साथ आज इन्स्टिट्युट ने इन्टरमिडीएट परीक्षा के परीणामो का ऐलान कीया. इन्टरमिडीएट में भी सूरत के रवि छावछरीया के निम्नदर्शित छात्रो ने टॉप कीया है.

  • आकाश बोथरा – ऑल इन्डिया रेन्क 12
  • राहूल गोयल – ऑल इन्डिया रेन्क 31
  • प्रिया भैया – ऑल इन्डिया रेन्क 34
  • फेनिल रामाणी – ऑल इन्डिया रेन्क 43
  • हर्षित चंडूका – ऑल इन्डिया रेन्क 43
February 2, 2020
education_budget.jpg
1min5100

નિર્મલા સીતારામણે શિક્ષણ ક્ષેત્રને પ્રાધાન્ય આપવા માટે ઘણી મોટી જાહેરાતો કરી છે. જેમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ, મેડિકલ કોલેજ,ઓનલાઇન કોર્સ અને ઇન્ટર્નશિપ પર ભાર

શિક્ષણ ક્ષેત્રને મળ્યાં રૂ.99,300 કરોડ

બજેટ 2020માં નાણામંત્રી નિર્મલા સીતારામણે શિક્ષા ક્ષેત્ર માટે નાણાંકીય વર્ષ 2020-21 માટે રૂ.99,300 કરોડમની જાહેરાત કરી છે. આ રકમ ગત વર્ષ 2019-20થી આશરે પાંચ કરોડ વધુ છે. ગતવર્ષ 2019-20માં શિક્ષણ ક્ષેત્રને રૂ.94,853 કરોડ આપ્યા હતા. બજેટમાં કહેવામાં આવ્યું છે કે માર્ચ 2021 સુધી 150 ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ શરુ કરવામાં આવે. આ સંસ્થાઓમાં સ્કિલ્ડ પ્રશિક્ષણ આપવામાં આવશે. પોતાના બજેટ ભાષણમાં નાણામંત્રીએ જણાવ્યું હતું કે ક્વોલિટી એજ્યુકેશન માટે ડિગ્રી લેવલ ઓનલાઇન સ્કીમ શરુ થશે.

નેશનલ પોલીસ યુનિર્વસિટી ખુલશે 

નાણામંત્રીએ પોતાનાં બજેટ ભાષણમાં નેશનલ પોલીસ યુનિર્વસિટી અને નેશનલ ફોરેન્સિક યુનિર્વસિટી બનાવવા અને તેના માટે ફંડ આપવાની જાહેરાત કરી હતી. તેઓએ કહ્યું હતું કે આ સંસ્થાનોમાં સાયબર ફોરેન્સિક ભણાવવામાં આવશે. નિર્મલા સીતારામણે જણાવ્યું હતું કે હવે ઓનલાઇન ડિગ્રી લેવલ પ્રોગ્રામ ચલાવવામાં આવશે. આ ઉપરાંત સરકાર એક પ્રોગ્રામ શરુ કરશે જેમાં શહેરી કારખાનાઓ નવા ઇજનેરોને એક વર્ષ માટે ઇન્ટર્નશિપની આપશે જેથી ઇન્ટર્ન પણ શીખી શકશે તેમજ કારખાનાઓના કામકાજમાં મદદ મળી રહે.

ઉચ્ચ શિક્ષણ વધારવા માટે દુનિયાભરના છાત્રોને ભારત તરફ આકર્ષવા સુવિધા દેવામાં આવશે,અને ભારતના છાત્રોને પણ એશિયા,આફ્રિકા અને અન્ય દેશોમાં મોકલવામાં આવશે.રાષ્ટ્રિય પુલિસ વિશ્વવિદ્યાલય,ન્યાયિક વિજ્ઞાન વિશ્વવિદ્યાલય બનાવાનો પ્રસ્તાવ રખાયો છે.ડોક્ટરો માટે બ્રિજ પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે જેથી પ્રિક્ટીસ કરતા ડોક્ટોને  પ્રોફેશનલ બાબતનોની જાણકારી મળે. નાણામંત્રીના જણાવ્યા અનુસાર જિલ્લા હોસ્પિટલોમાં મેડિકલ કોલેજો સ્થાપવાની પણ યોજના છે.

  • સ્ટડી ઇન ઇન્ડિયા કાર્યક્રમની ઘોષણા
  • નેશનલ ફોરેન્સિક યુનિવર્સિટીની જોગવાઇ
  • તમામ ઇન્ફ્રા એજન્સીઓ સ્ટાર્ટઅપમાં યુવાઓની ભાગીદારી સુનિશ્વિત કરશે.
  • કૌશલ વિકાસ માટે 3,000 કરોડ રૂપિયાની જોગવાઇ
February 1, 2020
DICGC.jpg
1min5030

PMC બેંકના સંકટને જોતા ડિપોઝિટ કવરને વધારે કરવાથી બેંક ખાતા ધારકોને મોટી રાહત મળી છે. આ મામલે નાણામંત્રીએ ઉમ્મીદ કરતા વધારે આપ્યું. હવે બેંકમાં તમારી સુરક્ષિત રકમ 1 લાખથી વધીને 5 લાખ રૂપિયા હશે.

અત્યાર સુધી DICGC એક્ટ 1961 અંતર્ગત એક લાખ રૂપિયા સુધીની જમા રકમ પર ઈન્શ્યોરન્સ કવર છે અને જો બેંક ડૂબી જાય તો આ લિમિટથી આગળની જમા રકમ પાછી મળવાની ગેરેન્ટી નથી. આ વળતર નક્કી કરાયું તેને 25 વર્ષથી વધારે સમય થઈ ચૂક્યો છે.

બજેટમાં સરકારે તમારા બેંકની ડિપોઝિટને લઈને મોટી જાહેરાત કરી છે. બેંકમાં જમા રકમ પર તમને હવે 5 લાખ રૂપિયા સુધીની ગેરેન્ટી મળશે. એટલે કે બેંકમાં તમારા 5 લાખ રૂપિયા બિલકુલ સેફ રહેશે. બેંકોમાં પૈસા જમા કરાવનારા લોકો માટે ઈન્શ્યોરન્સ કવર 1 લાખથી વધારીને 5 લાખ રૂપિયા કરી દેવાયું છે. જો બેંક ડૂબશે તો તમારી 5 લાખ રૂપિયા સુધીની જમા રકમ તમને પાછી મળી જશે.

પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેંક (PMC) સાથે જોડાયેલા મામલામાં સરકાર અને RBIને ટીકાનો સામનો કરવો પડ્યો હતો. પાછલા વર્ષે સપ્ટેમ્બરમાં PMC બેંકનું કામકાજ બંધ થઈ ગયું. જેનાથી હજારો ગ્રાહકોના પૈસા ફસાઈ ગયા હતા.

ડિપોઝિટ કવર વધારવાનો મુદ્દો ફાઈનાન્શિયલ રિઝોલ્યૂશન એન્ડ ડિપોઝિટ ઈન્શ્યોરન્સ બિલ સમક્ષ ઉઠ્યો હતો, જે પાછલી સરકારે 2017માં રજૂ કર્યો હતો. જોકે આગામી વર્ષે બિલ સંસદમાંથી પાછું લઈ લેવાયું. ક્રોસ કન્ટ્રી ડિપોઝિટ ઈન્શ્યોરન્સ કવરેજ લિમિટના ડેટાથી માલુમ પડે છે કે ભારતમાં ડિપોઝિટ ઈન્શ્યોરન્સ કવરેજ 1508 ડોલર છે, જ્યારે અમેરિકામાં આ 250,000 ડોલર્સ અને બ્રિટનમાં 111,143 ડોલર છે.

બજેટમાં ડિપોઝિટ ઈન્શ્યોરન્સ વધારવાની જાહેરાત બાદ બેંકબાજાર ડોટ કોમના સીઈઓ આદિલ શેટ્ટીએ તેનું સ્વાગત કર્યું. તેમણે કહ્યું, આ ડિપોઝિટર સેન્ટીમેન્ટને બૂસ્ટ કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. આ જાહેરાતથી ખાસ કરીને સીનિયર સીટિઝન્સને ફાયદો મળશે, જે ઘડપણમાં ડિપોઝિટના વ્યાજ પર નિર્ભર રહે છે.

January 26, 2020
padma-1280x717.jpg
1min11270

દેશના ત્રણ નેતા – અરુણ જેટલી, સુષમા સ્વરાજ અને જ્યોર્જ ફર્નાન્ડિસને મરણોત્તર પદ્મવિભૂષણ આપવાની પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ જાહેરાત કરાઇ હતી.

શાહબુદ્દીન રાઠોડ અને સરિતા જોશીને પદ્મશ્રી માટે પસંદ કરાયા હતા.

બૉક્સર મેરી કોમ અને મૉરિશસના ભૂતપૂર્વ વડા પ્રધાન અનિરુદ્ધ જગન્નાથને પદ્મવિભૂષણથી સન્માનિત કરાશે.

ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન મનોહર પર્રિકર, ઉદ્યોગપતિઓ આનંદ મહિન્દ્રા અને વેણુ શ્રીનિવાસન, બૅડમિન્ટન ખેલાડી પી. વી. સિંધુ, નાગાલેન્ડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એસ. સી. જામીર તેમ જ જમ્મુ અને કાશ્મીરના રાજકારણી મુઝફ્ફર હુસૈન બૈગને પદ્મભૂષણ અપાશે.

ક્રિકેટર ઝહીર ખાન, હોકી ખેલાડી રાણી રામપાલ અને શૂટર જિતુ રાયને પદ્મશ્રી એનાયત કરાશે. ફિલ્મજગતના કરણ જોહર, એકતા કપૂર, કંગના રણૌતનું પણ

પદ્મશ્રીથી સન્માન થશે.

શાસ્ત્રીય ગાયક છન્નુલાલ મિશ્રાને પદ્મવિભૂષણ અને ગાયક સુરેશ વાડકરને પદ્મશ્રી એનાયત કરાશે.

પદ્મભૂષણ માટે આર્કિટેક્ટ બાળકૃષ્ણ દોશીને સન્માનિત કરાશે.

ડૉ. ગુરદીપ સિંહને મૅડિસિન માટે અને ગફુરભાઇ એમ. બિલખિયાને વ્યાપાર અને ઉદ્યોગ માટે આ સન્માન પ્રાપ્ત થયું છે.

સાહિત્ય અને શિક્ષણ માટે એચ. એમ. દેસાઇને, વિજ્ઞાન અને ઇજનેરી માટે સુધીર જૈન, કળા માટે યઝદી નશીરવાન કરંજિયા, સાહિત્ય અને શિક્ષણ માટે નારાયણ જે. જોશી કારાયાલ, એસ. પી. કોઠારી અને શાહબુદ્દીન રાઠોડને તેમ જ કલા માટે સરિતા જોશીને પદ્મશ્રી માટે પસંદ કરાયા છે.

નોકરી ડૉટ કૉમના સ્થાપક સંજીવ બિખાચંદાની, ઉદ્યોગપતિ ભરત ગોયંકા અને ટેક્નૉલૉજી ક્ષેત્રના અગ્રણી નેમનાથ જૈનને પદ્મશ્રીથી સન્માનિત કરાશે.

પદ્મવિભૂષણ ૭, પદ્મભૂષણ ૧૬, પદ્મશ્રી માટે ૧૧૮ જણને પસંદ કરાયા છે.

January 20, 2020
mumbai-marathon-website-1280x720.jpg
1min5610

ઇથોપિયાના પાટનગર ઍડિસ અબાબાથી આવેલો બાવીસ વર્ષનો દોડવીર દેરારા હુરિસા પહેલી જ વાર મુંબઈ મૅરેથોનમાં દોડવા આવ્યો હતો અને તેણે અહીંની પોણાબે દાયકા જૂની રેસના રેકૉર્ડ સાથે ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. દેરારાએ ૧૭મી ટાટા મુંબઈ મૅરેથોનમાં ગઈ કાલે ફુલ મૅરેથોન (૪૨.૧૯૫ કિલોમીટર)માં ૨ કલાક, ૦૮ મિનિટ, ૦૯ સેક્ધડના ટાઇમિંગ સાથે ચૅમ્પિયનપદ મેળવી લીધું હતું.

વધુ નવાઈની વાત એ છે કે તે ઍડિસ અબાબાથી મુંબઈ આવી રહ્યો હતો એ મુસાફરી દરમિયાન તેના મૅરેથોન માટેના સ્પેશિયલ શૂઝ ગુમ થઈ ગયા હતા. તેણે આ જ મૅરેથોનમાં પોતાની સાથે દોડનારા મિત્ર પાસેથી ઉછીના શૂઝ લીધા હતા અને ગઈ કાલે દોડીને મોખરાનું સ્થાન મેળવ્યું હતું. ખુદ તેણે રેસ જીતી લીધા પછી આ જાણકારી આપતા કહ્યું હતું કે ‘હું ઍડિસ અબાબાથી મુંબઈ આવી રહ્યો હતો ત્યારે મુસાફરી દરમિયાન મારા શૂઝ ખોવાઈ ગયા હતા. મારી પાસે નવા શૂઝ ખરીદવા વધુ સમય નહોતો એટલે મેં મારા મિત્ર અબ્રાહમ ગિરમા (જે ખુદ મુંબઈની આ રેસમાં સ્પર્ધક હતો) પાસેથી શૂઝ લીધા હતા. એ શૂઝ મેં અહીં મૅરેથોનમાં પહેલી જ વાર અજમાવ્યા હતા અને એ પહેરીને રેસ જીતી લીધી. હું ઇનામીરકમને ધ્યાનમાં રાખીને નહીં, પણ રેસ જીતવાના આશયથી જ દોડ્યો હતો. જોકે, હવે આટલી મોટી રકમ મળી છે એટલે કંઈક તો પ્લાનિંગ કરીશ જ.’

વિજેતા બનવા બદલ તેને ૪૫,૦૦૦ ડૉલર (અંદાજે ૩૨ લાખ રૂપિયા)નું મુખ્ય ઇનામ મળ્યું જ હતું, અહીંની મૅરેથોનના નવા વિક્રમ સાથે રેસ જીતી હોવાથી તેને ૧૫,૦૦૦ ડૉલર (૧૧ લાખ રૂપિયા)નું બોનસ પ્રાઇઝ પણ આપવામાં આવ્યું હતું. એ રીતે, તેને કુલ ૪૩ લાખ રૂપિયા મળ્યા હતા.

હુરિસાનું એકંદરે આ બીજું મેડલ છે. તે ૨૦૧૭ની સાલમાં તુર્કીની હાફ મૅરેથોન જીત્યો હતો.

બીજી આશ્ર્ચર્યની બાબત એ છે કે તે થોડા વર્ષોની આખી કરિયરમાં જેટલી ઇનામીરકમ જીત્યો હતો એનાથી ઘણી વધુ રકમ ગઈ કાલે મુંબઈમાં એક દિવસમાં જીતી લીધી હતી.

મહિલાઓની ફુલ મૅરેથોન (૪૨.૧૯૫ કિલોમીટર) ઇથોપિયાની અમેન બેરિસોએ ૨ કલાક, ૨૪ મિનિટ, ૫૧ સેક્ધડના ટાઇમિંગ સાથે જીતી લીધી હતી. તે ૧૫ મહિના સુધી ઈજાને કારણે રનિંગ ટ્રૅકથી દૂર રહ્યા બાદ અહીં દોડી હતી અને ગોલ્ડ મેડલ જીતી ગઈ હતી. તે ૨૦૧૯ની મુંબઈ મૅરેથોનમાં નહોતી દોડી એટલે તેની ક્ષમતા વિશે નિષ્ણાતો અજાણ હતા. જોકે, તેણે મુંબઈ મૅરેથોનમાં સેક્ધડ-ફાસ્ટેસ્ટ ટાઇમિંગ સાથે વિજય મેળવ્યો હતો.

January 20, 2020
parixapecharcha.jpg
1min5320

પરીક્ષાનો હાઉ દૂર કરવા સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ સાથે ‘પરીક્ષા પે ચર્ચા’ કરશે. આ કાર્યક્રમમાં પહેલીવાર ૫૦ દિવ્યાંગ વિદ્યાર્થીઓને સામેલ કરવામાં આવ્યા છે. સવારે ૧૧ વાગ્યાથી શરૂ થનારા આ કાર્યક્રમમાં સમગ્ર દેશમાંથી અંદાજે બે હજાર વિદ્યાર્થી અને શિક્ષકો ઉપસ્થિત રહેશે.  

દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં વડાપ્રધાન દ્વારા સોમવારે પરીક્ષા પે ચર્ચા કરવામાં આવશે. જેમાં સમગ્ર દેશમાંથી બે હજાર વિદ્યાર્થી અને શિક્ષકો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની પસંદગી એક નિબંધ સ્પર્ધા દ્વારા કરવામાં આવી છે. જેના માટે વિદ્યાર્થીઓએ દોઢ હજાર શબ્દનો નિબંધ અને તેની સાથે વડાપ્રધાનને પુછવાના પ્રશ્નોની વિગત લખી મોકલી હતી. સમગ્ર દેશમાંથી ૨.૬ લાખ જેટલા નિબંધો મળ્યા હતા અને તેમાંથી ૧૦૫૦ જેટલા વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. 

ગુજરાતમાંથી ૨૯૬૨૩ વિદ્યાર્થીઓએ નિબંધ લખીને મોકલ્યા હતા. જેમાંથી ૪૨ જેટલા વિદ્યાર્થીઓને પસંદ કરાયા છે અને તેઓ કાર્યક્રમમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચી ગયા હોવાનું પણ જાણવા મળે છે. ગુજરાતમાંથી જવાહર નવોદય વિદ્યાલય, કેન્દ્રીય વિદ્યાલય, સરકારી સ્કૂલો અને ગ્રાન્ટેડ સ્કૂલના ૪૨ વિદ્યાર્થીઓ સાથે પાંચ શિક્ષકો પણ દિલ્હી ગયા હોવાનું જાણવા મળે છે. કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે પરીક્ષાનો તણાવ દૂર કરવા સંવાદ કરશે.

January 18, 2020
hindi-1280x707.png
1min4900

અમેરિકા ખાતેની ભારતીય ઍમ્બેસી હિંદીના ક્લાસ ચલાવતી હોવાને કારણે અમેરિકામાં નવ લાખથી વધુ લોકો હિંદી બોલે છે, એવી માહિતી ટોચના ભારતીય રાજદૂતે આપી હતી.

ભારતીય દૂતાવાસમાં વિશ્ર્વ હિંદી દિવસની ઉજવણી દરમિયાન અમિત કુમારે કહ્યું હતું કે એ જાણીને ખુશી થાય છે કે અમેરિકામાં હિંદી ભાષા મોટા પાયે બોલવામાં અને શીખવવામાં આવે છે.

અમેરિકાની ઘણી સ્કૂલમાં હિંદી શીખવવામાં આવે છે. અમેરિકન કમ્યુનિટી સર્વેના આંકડામાં જણાવવામાં આવ્યું છે કે અમેરિકાના નવ લાખથી વધુ લોકો હિંદી બોલે છે

ભારત વિશ્ર્વનો એક મહત્ત્વનો દેશ બનીને ઊભર્યો છે, તેથી દુનિયાભરના લોકોને હિંદી ભાષા શીખવામાં રસ જાગ્યો છે.

જે લોકો ભારતમાં ફરવા માટે કે વેપારધંધા માટે આવે છે, તે લોકોને હિંદી શીખવાથી ભારતના લોકોના દિલ અને દિમાગ જીતવાનો મોકો મળે છે, એમ અમિતકુમારે જણાવ્યું હતું.

એમણે પોતાનો જ ચીની ભાષા શીખવાનો અનુભવ ટાંકીને કહ્યું હતું કે સ્થાનિક ભાષા શીખવાથી ઘણાં દ્વાર ખૂલી જાય છે.

વિવિધ દેશના લોકોને છેલ્લા બે વર્ષથી ભારતીય રાજદૂતાલય નિ:શુલ્ક હિંદી શીખવી રહ્યું છે.

January 16, 2020
CIA_Live_Logo_New2.jpg
2min6220

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

આજકાલ બોર્ડના વિદ્યાર્થીઓ હોય કે કોલેજીયન ડગલેને પગલે તેમને ઇન્સ્પિરેશન જોઇએ છે, નાની નાની વાતમાં સહારો જોઇએ છે, મા-બાપ પણ એવા છે કે કોઇ તકલીફ પડવા દેતા નથી અને મોટે ભાગે કમ્ફર્ટ ઝોનમાં ઉછરેલા દિકરા-દિકરીઓ સરવાળે કશું કરી શકતા નથી. અહીં એવા યુવાઓની વાત કરવી છે કે જેમનું જીવન કઠણાઈઓથી ભરેલું હતું આમ છતાં તેમણે તેમના જીવનની કઠણાઇઓને ક્યારેય હાવી થવા દીધી નહીં બલ્કે કઠણાઇઓને જ સીડી બનાવીને સિદ્ધીના એવા શિખર સર કર્યા કે જેને જોઇને દુનિયા દંગ રહી ગઇ છે અને આજીવન દંગ રહેશે.

અહીં વાત કરી રહ્યો છું ચાર્ટર્ડ અકાઉન્ટન્સી સર્ટિફિકેશનના આજે તા.16મી જાન્યુઆરી 2020ના રોજ જાહેર થયેલા ફાઇનલ્સના પરીણામોની. સૂરતમાંથી અનેક વિદ્યાર્થીઓ પાસ થઇને તેમના નામની આગળ સી.એ. આવતીકાલથી લગાડી દેશે. પરંતુ, અહીં એવા રિયલ હીરોઝની વાત કરી રહ્યો છું જેમનું જીવન કઠણાઇઓથી ભરેલું છે અને તેમણે જે સિદ્ધીં હાંસલ કરી છે એ કોઇ નાની સૂની નથી પણ એકલે હાથે પહાડ ખોદવા સમાન છે.

ગણેશ પાટીલના પિતા 2011માં પરીવારને છોડી જતા રહ્યા, આ વાતને જિજ્ઞેશે હાવી થવા દીધી નહીં

ઉધનાની સનગ્રેસ સ્કુલમાં ભણેલો ગણેશ પાટીલ કે જેના પિતા 2001માં પરિવારને ત્યજીને ચાલ્યા ગયા હતા, એ ગણેશ પાટીલ આજે 2020માં સી.એ બની ગયો છે.

ઉધનાની સનગ્રેસ સ્કુલમાંથી ધો.12 કોમર્સ ગુજરાતી મિડીયમમાં પાસ કરનાર ગણેશ પાટીલ મૂળ મહારાષ્ટ્રના ધૂલિયાના અમલનેરના પરિવારમાંથી આવે છે. ગણેશ પાટીલના પિતા 2001માં તેમના પરિવારને છોડીને જતા રહ્યા હતા. ગણેશ પાટીલની માતા અલકાબેન પાટીલ ઘરે સિલાઇ કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી હતી. ધો.12 પાસ કર્યા પછી ગણેશ પાટીલને એક મિત્રએ કહ્યું કે સી.એ. કોચિંગમાં જોડાઇ જા. ગણેશ પાસે એટલી ફી ન હતી કે તે પ્રાઇવેટ કોચિંગ ક્લાસની ફી ભરી શકે. આમ છતાં ગણેશ પાટીલ ઘોડદોડ રોડ પર સી.એ. કોચિંગ ઇન્સ્ટીટ્યૂટ ચલાવતા રવિ છાવછરીયા પાસે ગયા. પોતાની આર્થિક સ્થિતિ અંગે નિખાલસતાથી વાત કરી.

રવિ છાવછરીયાએ ગણેશ પાટીલને બિલકુલ ફ્રી ઓફ ચાર્જ કોચિંગની વ્યવસ્થા તો કરી આપી પણ સાથે જ તેને પાર્ટ ટાઇમ નોકરી પણ આપી.

ગણેશ પાટીલે કહ્યું કે પિતા અમને છોડી ગયા એ વાતનું ઝનૂન એટલું હતું કે કંઇક કરી જ દેખાડવું છે. 2012માં સી.એ. કોચિંગમાં જોડાયા બાદ કોઇ વ્હીકલ ન હતું. રોજ 24 કિ.મી. સાઇકલ પર ડીંડોલી પોતાના ઘરેથી નીકળીને ઘોડદોડ રોડ પર રવિ છાવછરીયાને ત્યાં કોચિંગમાં આવે, ત્યાં કોચિંગ લે અને પછી ત્યાં જ પાર્ટ ટાઇમ નોકરી કરતો ગણેશ બે વખત સી.એ.ની પરીક્ષામાં નાપાસ પણ થયો. પણ હાર માને એ બીજા ગણેશ પાટીલ નહીં. એણે પ્રયત્નો છોડ્યા નહીં અને આજે 2020માં ગણેશ પાટીલના નામની આગળ સી.એ. જેવો મહત્વની ડિગ્રી જોડાઇ ચૂકી છે.

રીક્ષા ચાલકનો દિકરોએ સી.એ. બનીને દુનિયાને બતાવી દીધું

રીક્ષા ચાલક ધર્મેશભાઇ રાણાનો દિકરો મોનિશ રાણાએ જીવનની કઠિણાઇને જ પોતાની શક્તિ બનાવીને સી.એ. ડિગ્રી મેળવી લીધી

ઉધના રોડ પર રહેતા અને રીક્ષા ચલાવતા ધર્મેશભાઇના પુત્ર મોનિશ રાણા કે જેણે ઉધનાની આર.એન. નાયક સ્કુલમાંથી ધો.12 પાસ કર્યું. પિતા રીક્ષા ચાલક હોવાથી પરીવારમાં આર્થિક સંકડામણ અનુભવવા છતાં મોનિશ રાણાએ નક્કી કર્યું કે એ સી.એ. બનીને દેખાડશે. મોનિશ રાણા ભલે વીસ વર્ષના હોય પરંતુ, તેમનામાં મેચ્યોરિટી 45 વર્ષના નિવડેલા બિઝનેસમેનને પણ શરમાવે તેવી જોવા મળી. મોનિશ રાણાએ કહ્યું કે પિતા અને પરિવારની તકલીફોને લીધે ક્યારેય નાસીપાસ ન થયો ઉલ્ટાનું કંઇક કરી દેખાડવાની ઉત્કંઠા તીવ્ર બની અને સી.એ. કોચિંગ રવિ છાવછરીયા પાસે લીધું. એસ.પી.બી. ઇંગ્લિશ મિડીયમમાંથી બી.કોમ. ડિસ્ટીંકશન સાથે પાસ કરનાર મોનિશ રાણા આજે સી.એ. બની ગયો છે અને એને કોઇ નાનમ નથી લાગતી કે તેના પિતા રીક્ષા ચલાવે છે.

લીલાબા સ્કુલની ધો.12માં ગુજરાત ફર્સ્ટ બોનીશા મોદીએ હાંસલ કર્યો સી.એ.માં આખા દેશમાં 39મો રેન્ક

2015માં સૂરતની લીલાબા કન્યાશાળા આખા રાજ્યમાં ફેમસ થઇ ગઇ હતી. ધો.12 સામાન્ય પ્રવાહના પરીણામમાં લીલાબા કન્યાશાળાની વિદ્યાર્થિની બોનિશા મોદીએ એટલા માર્કસ મેળવ્યા કે એટલા ગુજરાતના 7 લાખ વિદ્યાર્થીઓમાંથી અન્ય કોઇ મેળવી શક્યું નહી. બોનીશા મોદી સમગ્ર ગુજરાતમાં ફર્સ્ટ હતી. આ સિદ્ધિનું સહેજ પણ અભિમાન કર્યા વગર બોનીશા મોદીએ નક્કી કર્યું કે એ સી.એ. બનીને દેખાડશે અને આજે સી.એ.ના પરીણામમાં બોનીશા મોદીએ સમગ્ર દેશમાં 39મો રેન્ક હાંસલ કરીને સૂરતનું નામ રોશન કર્યું છે.

લીલાબા કન્યાશાળા કોઇ હાઇફાઇ સ્કુલ નથી. ગરીબ અને મધ્યવર્ગીય પરિવારોની દિકરીઓને ધો.12 કોમર્સ સુધીનું શિક્ષણ આપતી આ સંસ્થાના સુકાની એવા આચાર્યા શ્રીમતી બિનીતાબેન ત્રિવેદી અને સ્કુલ મેનેજમેન્ટ એટલી નિષ્ઠાપૂર્વક કામ કરે છે કે તેમનું પરીણામ બોનીશા મોદી જેવી દિકરીઓની ઝળહળતી કારકિર્દીના સ્વરૂપમાં પ્રત્યક્ષ પણે અનુભવી શકાય છે.

દર વર્ષની જેમ રવિ છાવછરીયાના કોચિંગ ઇન્સ્ટીટ્યૂટ્સના સૌથી વધુ ટોપર્સ

January 15, 2020
nanes.jpg
1min7820

ધો.12 ના વિદ્યાર્થીઓ માટે ખરેખર પ્રેરણાદાયી અને જીવતી વારતાં

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

હાલ સમગ્ર વિશ્વ જેને પ્રેરણાસ્ત્રોત ગણી રહ્યું છે એ ગુગલના સી.ઇ.ઓ. સુંદર પીચાઇ સ્વયં કોને પ્રેરણામૂર્તિ માને છે એ જાણવું ખરેખર અનેક યુવાઓના જીવનને હકારાત્મક દિશા તરફ પ્રયાણનો રોડમેપ બની શકે તેમ છે. ખાસ કરીને હાલમાં ધો.12માં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે તો ચોક્કસ જ પ્રેરણાદાયી છે.

ભારત-અમેરિકન બિઝનેસ એક્ઝિક્યૂટિવ અને મલ્ટિનેશનલ ટેક્નોલૉજી કંપની ગૂગલની સબસિડિયરી આલ્ફાબેટ ઇન્કોર્પોરેટેડના ચીફ એક્ઝિક્યૂટિવ ઑફિસર (સીઇઓ) સુંદર પિચાઇએ તાજેતરમાં સરાફિના નૅન્સ નામની મહિલાની ખૂબ પ્રશંસા કરી હતી અને તેને ‘પ્રેરણારૂપ’ તરીકે ઓળખાવી હતી. પિચાઇએ ઍસ્ટ્રોફિઝિક્સની આ વિદ્યાર્થી-મહિલાની પોસ્ટ ટ્વિટર પર રીટ્વીટ કરી એ પાછળનું તેમનું કારણ ખૂબ જ તાર્કિક છે. નૅન્સ આ ટ્વીટને લીધે આ માઇક્રો-બ્લોગિંગ સાઇટ પર છવાઈ ગઈ છે.

તેણે તાજેતરમાં ટ્વીટ કર્યું હતું કે ‘ચાર વર્ષ પહેલાં ક્વૉન્ટમ ફિઝિક્સની પરીક્ષામાં મને ઝીરો મળ્યો હતો અને એને પગલે મેં ભૌતિકશાસ્ત્રના વિષયમાં ભણવાનું સાવ છોડી દેવાનું વિચાર્યું હતું. જોકે, અચાનક જ એક દિવસ મારામાં કોણ જાણે હિંમત આવી ગઈ હતી અને મેં નક્કી કર્યું કે જો ક્વૉન્ટમ ફિઝિક્સમાં ઝીરો આવી શકે તો અથાક મહેનતથી ખૂબ જ સારા માર્ક કેમ ન આવી શકે? મેં મને આ સવાલ વારંવાર પૂછ્યો હતો અને પોતાને ખૂબ સમજાવી હતી.’

૨૬ વર્ષીય નૅન્સની મહેનત ફળી હતી. અત્યારે સ્થિતિ એ છે કે તે ઍસ્ટ્રોફિઝિક્સ પીએચડી પ્રોગ્રામમાં સૌથી ઉપલા સ્તરે પહોંચી ગઈ છે અને પોતે બે લેખ પણ પ્રકાશિત કર્યા છે. છેવટે નૅન્સે પોતાના ટ્વીટમાં નેટિઝન્સના હૃદયને સ્પર્શી જાય એવા સલાહરૂપી નિવેદનો લખ્યા છે જે અહીં પ્રસ્તુત છે:

‘૪ વર્ષ પહેલાં ક્વૉન્ટમ ફિઝિક્સની એક્ઝામમાં હું સારા માર્કની આશા રાખીને બેઠી હતી, પરંતુ મને ઝીરો મળ્યો હતો. આ શૂન્યથી હું ખૂબ ડઘાઈ ગઈ હતી અને મારા કરિયર તથા ભવિષ્ય વિશે ચિંતામાં પણ મુકાઈ ગઈ હતી. મારે ફિઝિક્સ છોડી દેવું જોઈએ એવું મને લાગી રહ્યું હોવાથી હું મારા પ્રોફેસરને મળી હતી. આજે સ્થિતિ એ છે કે હું ઍસ્ટ્રોફિઝિક્સ પીએચડી પ્રોગ્રામમાં છેક ટોચના સ્તર સુધી પહોંચી ગઈ છું અને મેં બે પેપર પણ પ્રકાશિત કર્યા છે. જો કોઈ વિષય તમને ખૂબ કઠિન લાગે અને એમાં તમને ખૂબ નબળો ગ્રેડ મળે તો એ નબળા ગ્રેડનો અર્થ એવો નથી કે તમે એ વિષય માટે લાયક નથી.’ સુંદર પિચાઈએ નૅન્સના આ વિધાનોવાળી પોસ્ટને રીટ્વીટ કરીને નૅન્સ માટે લખ્યું હતું, ‘વાહ! શું સુંદર વાત કરી આ મહિલાએ. તેના વિચારો કેટલા બધા પ્રેરણારૂપ છે.’

સુંદર પિચાઈનું આ એક વાક્ય ઘણું કહી જાય છે. તેમની એક લાઇનની પ્રશંસા નૅન્સની સમગ્ર વિચારધારા અને પ્રેરણાસ્ત્રોત પર પ્રકાશ પાડી જાય છે. વળતી પ્રતિક્રિયામાં નૅન્સે સુંદર પિચાઈનો આભાર માનતા ટ્વીટમાં લખ્યું છે કે ‘ખૂબ ખૂબ આભાર. તમે પ્રશંસાના જે બે શબ્દો લખ્યા એ મારા માટે અખૂટ છે.’

તાજેતરમાં એક દિવસમાં નૅન્સના ઝીરો માર્કવાળા ટ્વીટને ૬૦,૦૦૦ લાઇક્સ મળ્યા હતા. નૅન્સે પોતાના વિચારોને વખાણવા બદલ નેટિઝન્સનો પણ આભાર માન્યો હતો.

અમેરિકન યુવતીની ટ્વીટ

અમેરીકન યુવતિ નેન્સના ટ્વીટને ગુગલ સી.ઇ.ઓ. સુંદર પિચઇએ આ રીતે રીટ્વીટ કર્યું

January 15, 2020
yoga.png
1min4690

સરકારી સંસ્થાઓ કર્મચારીઓ રિફ્રેશ થાય અને એમનો સ્ટ્રેસ ઓછો થાય એ માટે ખાસ પાંચ મિનિટમાં થઇ શકે એવા આસનોની જોવગવાઇ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં આ યોગાસનો કરવા માટે એમને પાંચ મિનિટનો યોગ બ્રેક અથવા વાય બ્રેક આપવામાં આવશે.

આયુષ મંત્રાલયે મોરારજી દેસાઇ રાષ્ટ્રીય યોગ સંસ્થા મારફત વિકસિત કરાયેલા યોગાસનો કરવા માટે પ્રયોગાત્મક ધોરણે વાય બ્રેક હાલ આયુષ મંત્રાલયમાં સોમવારથી શરૂ કરવામાં આવ્યો છે.

ટાટા કેમિકલ્સ, ઍક્સિસ બૅંક સહિત ૧૫ જેટલી સંસ્થા અને કંપનીએ આ માટે રસ દાખવ્યો હોવાની વાત આયુષ મંત્રાલયે જણાવી હતી. આ માટે બુકલેટ છાપવામાં આવી છે અને યોગ્ય રીતે આસન કરી શકાય એ માટે ફિલ્મ પણ બનાવવામાં આવી છે. મંત્રાલય કોર્પોરેટ સેક્ટરને આ માટે બધી રીતે મદદ કરશે.

યોગ બ્રેકમાં પાંચ મિનિટમાં કરી શકાય એવા કેટલાક યોગાસનોનો દસેક નિષ્ણાતો દ્વારા વિચારપૂર્વક સમાવેશ કરવામાં આવ્યો છે.

મંત્રાલયે જણાવ્યું હતું કે યોગા બ્રેક એ યોગ શીખવા માટેનો કોર્સ નથી, પણ એમાં ટૂંકમાં કેટલીક પ્રાથમિક કસરતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.