CIA ALERT

ટ્રેન્ડિંગ Archives - CIA Live

October 18, 2025
image-15.png
1min42

ગુજરાતના નવા મંત્રીમંડળની રચના સાથે જ રાજ્યના રાજકીય ચિત્રમાં અનેક રસપ્રદ પાસાઓ ઉભરી આવ્યા છે. સરેરાશ 55 વર્ષની વય અને 11 કરોડની સરેરાશ સંપત્તિ ધરાવતું આ મંત્રીમંડળ અનુભવ અને સમૃદ્ધિનું પ્રતિક છે, પરંતુ તેની અંદર રહેલી વિવિધતા ગુજરાતના રાજકારણની જટિલતાને પણ દર્શાવે છે.

સૌથી સંપત્તિવાન મંત્રી કોણ?

સંપત્તિમાં જમીન-આસમાનનો તફાવત આ મંત્રીમંડળમાં એક તરફ કરોડોમાં આળોટતા મંત્રીઓ છે, તો બીજી તરફ સામાન્ય આર્થિક પૃષ્ઠભૂમિમાંથી આવતા ચહેરાઓ પણ છે. મંત્રીમંડળના સૌથી ધનિક સભ્ય તરીકે રીવાબા જાડેજા 97 કરોડથી વધુની સંપત્તિ સાથે ટોચ પર છે. ત્યારબાદ પરષોત્તમ સોલંકી 43.52 કરોડ) અને પ્રફુલ પાનસેરિયા (19.70 કરોડ) જેવા કરોડપતિ મંત્રીઓ છે.

જોકે, આ સિક્કાની બીજી બાજુ પણ છે. જયરામ ગામિત (47 લાખ) અને સ્વરૂપસિંહ ઠાકોર (91 લાખ) જેવા મંત્રીઓ પણ છે, જેમની સંપત્તિ એક કરોડથી પણ ઓછી છે. આ આંકડા દર્શાવે છે કે મંત્રીમંડળમાં આર્થિક રીતે ભયંકર અસમાનતા છે, જે ગુજરાતના રાજકારણમાં ધનબળના વધતા પ્રભાવ અને પાયાના કાર્યકરોની ભાગીદારી વચ્ચેના સંતુલનને રજૂ કરે છે.

સૌથી યુવા મંત્રી કોણ?

અનુભવ અને યુવા જોશનો સમન્વય મંત્રીમંડળની સરેરાશ ઉંમર 55 વર્ષ છે, જે દર્શાવે છે કે સરકાર ચલાવવામાં અનુભવી નેતાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. 74 વર્ષીય કનુ દેસાઈ જેવા વરિષ્ઠ નેતાઓ સરકારને સ્થિરતા અને માર્ગદર્શન આપશે. તો બીજી તરફ, રીવાબા જાડેજા (35 વર્ષ) અને હર્ષ સંઘવી (37 વર્ષ) જેવા યુવા ચહેરાઓ નવી પેઢીની ઉર્જા અને દ્રષ્ટિકોણનું પ્રતિનિધિત્વ કરે છે. આ મિશ્રણ સરકાર માટે એક જ સમયે અનુભવનો લાભ લેવા અને ભવિષ્ય માટે નવી નેતાગીરી તૈયાર કરવાની રણનીતિનો સંકેત આપે છે.

કોણ કેટલું ભણેલું

શિક્ષણનું વૈવિધ્યસભર ચિત્ર શૈક્ષણિક લાયકાતની દ્રષ્ટિએ પણ મંત્રીમંડળમાં વિવિધતા જોવા મળે છે. એક તરફ મનીષા વકીલ (PhD) અને પ્રદ્યુમન વાજા (MBBS) જેવા ઉચ્ચ શિક્ષિત મંત્રીઓ છે, તો બીજી તરફ નરેશ પટેલ અને સ્વરૂપસિંહ ઠાકોર જેવા 10 પાસ થયેલા મંત્રીઓ પણ છે. આ દર્શાવે છે કે રાજકારણમાં સફળ થવા માટે માત્ર શૈક્ષણિક ડિગ્રી જ નહીં, પરંતુ જનતા સાથેનું જોડાણ અને રાજકીય કુનેહ પણ એટલી જ મહત્વની છે.

આમ, ગુજરાતનું નવું મંત્રીમંડળ સંપત્તિ, વય અને શિક્ષણના મામલે એક અત્યંત વૈવિધ્યસભર જૂથ છે. આ ‘મિની ગુજરાત’ સરકાર સામે રાજ્યના વિકાસને આગળ ધપાવવાનો અને જનતાની અપેક્ષાઓ પર ખરા ઉતરવાનો મોટો પડકાર રહેશે. આગામી સમય જ બતાવશે કે આ વિવિધતા સરકાર માટે તાકાત બને છે કે નબળાઈ.

June 7, 2023
biparjoy-image.jpeg
2min9141

Date: 7/6/23ના રોજ IMD વિભાગની આગાહી મુજબ વાવાઝોડું બુલેટીન

IMD ની આગાહી મુજબ હાલ દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં ડીપ્રેશનની સ્થિતિ સર્જાયેલી છે. જેનું લોકેશન પોરબંદરથી ૧૧૬૦ કી.મી.ના અંતરે દક્ષિણમાં છે. આ વાવાઝોડું દરિયામાં હાલ ઉતર દિશામાં ગતિ કરી રહ્યુ છે, જે આગળ જતાં Cycloneમાં પરીવર્તીત થઈ શકે.

વાવાઝોડાંની હાલમાં ક્યાં અસર?

હાલ તેની અસર કર્ણાટક, ગોઆ, મહારાષ્ટ્ર પર થઈ શકે. તેનું મોનીટરીંગ થઈ રહ્યું છે. આમ છતાં, માછીમારો માટે સલાહ છે કે અરબ સાગરમાં ન જાય તેમજ દરીયામાં ગયેલા માછીમારો કાંઠે પરત આવી જાય.

9/10 જૂનના રોજ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં અસર થઇ શકે તેવી આગાહી

તા. ૯ જુન અને ૧૦ જુનના રોજ સુરત જીલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં દરીયાકાંઠે ૩૦-૪૦ કી.મી./કલાક ની ઝડપે પવન ફૂંકાય શકે છે. હળવો વરસાદ તેમજ વીજળી પડવાની ઘટના બની શકે છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતના બંદરો પર સિગ્નલ નં-૨ જાહેર કરવામાં આવેલ છે. IMDની આગાહી અને સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર તરફથી મળતી રહેતી અદ્યતન સૂચનાઓથી જીલ્લાના વહીવટીતંત્રને માહિતગાર કરવામાં આવી રહ્યા છે, સબંધિત જીલ્લા કક્ષાના અને તાલુકા કક્ષાના અધિકારી સાહેબશ્રીઓને પોતાના વિભાગ અંગેના સાવચેતીના પર્યાપ્ત પગલા લેવા વિનંતી છે. વરસાદના કારણે અનાજના ગોડાઉનમાં રહેલ અનાજ ન બગડે તે માટે પુરવઠા વિભાગને વિનંતી છે.

સુરત કલેક્ટરેટના કન્ટ્રોલ રૂમને મળેલો સંદેશો

The cyclonic storm “Biparjoy” (pronounced as “Biporjoy”) over eastcentral and adjoining southeast Arabian Sea moved nearly northwards with a speed of 2 kmph during last 6 hours, intensified into a severe cyclonic storm and lay centered at 0530 hours IST of 07th June, 2023 over the same region near latitude 12.6°N and longitude 66.1 °E, about 890 km west-southwest of Goa, 1000 km southwest of Mumbai, 1070 km south-southwest of Porbandar and 1370 km south of Karachi. It is likely to move nearly northwards during next 24 hours and intensify into a very severe cyclonic storm. It would then move north-northwestwards during subsequent 3 days.

February 18, 2023
SOMNATH_MAHADEV.jpg
1min728

ગુજરાત સહિત દેશભરમાં આજે મહાશિવરાત્રીના પર્વની ઉજવણી થઈ રહી છે. આજે વહેલી સવારથી શિવના મંદિરોમાં શિવ ભક્તોની ભીડ જોવા મળી હતી. આજે શિવ મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે. દેશના પ્રમુખ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. સોમનાથ, મહાકાલેશ્વર અને રામેશ્વરમાં ભક્તોનુ ઘોડાપુર ઉમટ્યુ છે. આ ઉપરાંત જૂનાગઢના ભવનાથમાં ભક્તો સાથે સાધુ-સંતોનો મેળાવડો. સાંજે ભવનાથમાં ભવ્ય રવેડી નિકળશે. ભવનાથમાં પરંપરાગત રવેડી બાદ સાધુ-સંતોના મૃગીકુંડમાં સ્નાન બાદ મહાશિવરાત્રિ મેળો પૂર્ણ થશે. મહાશિવરાત્રીના કારણે સોમનાથ મંદિર સહિત સમગ્ર સોરઠ પંથકમાં ભક્તિભાવ વાતાવરણ બની રહેશે.

February 3, 2023
Cia_business_news-1280x936.jpg
1min676

ગુજરાત ડેરી કો-ઓપરેટિવ અમૂલે તાત્કાલિક અસરથી મુંબઇ સહિત દેશના અન્ય રાજ્યોમાં દૂધ બનાવટો પર ભાવ વધારો લાગૂ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં હજુ ભાવ વધારાનો અમલ અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી. તાજા દૂધ પર રૂ. 3/લિટર સુધીના વધારાની જાહેરાત કરી છે. ગુજરાતમાં આ સમાચાર આજે તા.3 ફેબ્રુઆરીએ ભારે વાઇરલ થયા છે. લોકોમાં એવી ચર્ચા છે કે હાલ મુંબઇમાં ભાવ વધાર્યા છે પણ ટૂંક સમયમાં ગુજરાતમાં પણ ભાવ વધારાશે.

અમૂલ ગુજરાતમાં સૌથી મોટી ડેરી ગણાય છે અને અમૂલના ભાવ વધારા બાદ હવે ગુજરાતની નાની ડેરીઓ પણ પોતાના દૂધના ભાવ વધારશે અને સમગ્ર ગુજરાતની જનતાને હવે દૂધના ભાવોમાં તોતીંગ વધારો સહન કરવો પડે એ દિવસો દૂર નથી.

આ રિવિઝન પછી, અમૂલ ગોલ્ડની કિંમત 66 રૂપિયા પ્રતિ લિટર, અમૂલ તાઝાની કિંમત 54 રૂપિયા પ્રતિ 1 લિટર અને અમૂલ ગાયનું દૂધ 56 રૂપિયા પ્રતિ લિટર અને અમૂલ A2 ભેંસના દૂધની કિંમત હવે 70 રૂપિયા પ્રતિ લિટર થશે. ગુરુવારે એક નિવેદન.

અમૂલે છેલ્લે ઓક્ટોબરમાં તેના ભાવમાં 2 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો હતો.

અમૂલ દૂધની જુદી જુદી પ્રોડક્ટના ભાવો હવે આ મુજબ રહેશે

November 9, 2022
election_coverage-1280x1047.jpg
3min466

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ તો ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેનો ત્રિપાંખિયો જંગ નિશ્ચિત છે.પરંતુ આ ત્રણ નેશનલ પાર્ટી ઉપરાંત પણ અનેક સ્ટેટલેવલના અને સ્થાનિક પક્ષો પણ ચૂંટણીમાં ઝંપલાવતા પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો માટેની ચૂંટણીમાં તમામ પક્ષો -અપક્ષો મળીને કુલ ૩૯ રાજકીય પક્ષોના ઉમેદવારો છે.૩૯ પક્ષોના કુલ ૭૮૮ ઉમેદવારોમાં ૭૦ મહિલા ઉમેદવારો છે. જ્યારે કુલ ઉમેદવારોમાં ૩૩૯ અપક્ષ ઉમેદવારો છે.

ચૂંટણી પંચ દ્વારા આજે પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો માટેની ચૂંટણી માટે વિવિધ પક્ષો-ઉમેદવારોની વિગતો જાહેર કરી છે.જેમાં વિવિધ રાજકીય પક્ષોની યાદી પણ જાહેર કરવામા આવી છે.ભારતીય જનતા પક્ષ-ભાજપ ઉપરાંત પાર્ટીમાં ભારતીય નામના ઉલ્લેખ સાથે અન્ય પાંચ પક્ષો પણ છે. ગુજરાતની વિધાનસભા ચૂંટણીના ઈતિહાસમાં સામ્યવાદી પક્ષનો એક જ ઉમેદવાર (સ્વ.બટુક વોરા) જીત્યા છે. પરંતુ દરેક ચૂંટણી પક્ષની માફક સામ્યવાદી પક્ષના ચાર ફિરકા મેદાનમાં છે.તેઓએ ૧૦ ઉમેદવાર ઉભા રાખ્યા છે. પ્રથમ તબક્કાની ચૂંટણીમાં નેશનલ,સ્ટેલ લેવલ અને લોકલ પાર્ટી સહિતની ૩૯ રાજકીય પાર્ટીઓ છે.જેમાં ભાજપ,કોંગ્રેસ, આપ,બીએસપી, સીપીઆઈ, સીપીઆઈ-એમ, એઆઈએમઆઈએમ, સહિતના પક્ષો છે જ્યારે અન્ય સ્થાનિક પક્ષો છે.

ભાજપ,કોંગ્રેસ અને આપ પાર્ટી બાદ સૌથી વધુ ૫૭ ઉમેદવારો બીએસપી દ્વારા અને ૧૪ ઉમેદવારો ભારતીય ટ્રાયબલ પાર્ટી દ્વારા ઉભા રાખવામા આવ્યા છે.જ્યારે અન્ય પક્ષો દ્વારા ૧૦ ઓછા અને ઘણા પક્ષોએ તો માંડ એકથીત્રણ ઉમેદવાર જ ઉબા રાખ્યા છે. કુલ પક્ષોમાં ઈન્ડિપેન્ડન્ટ તરીકે ૩૩૯ ઉમેદવારો છે.જેમાં ૩૫ મહિલાઓ છે અને ૩૦૪ પુરુષો છે.મહત્વનું છે કે પ્રથમ તબક્કામાં ભાજપના ૮૯ ઉમેદવારોમાં ૯ મહિલા ઉમેદવાર અને કોંગ્રેસના ૮૯ ઉમેદવારોમાં છ મહિલા ઉમેદવારો તેમજ આપના ૮૮ ઉમેદવારોમા પાંચ મહિલા ઉમેદવારો છે. મહત્વનું છે કે ગત ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં બંને તબક્કામાં કુલ મળીને ૬૫ રાજકીય પક્ષો હતા અને ગત ચૂંટમીમાં જે કેટલાક પક્ષો હતા તે હવે આ વખતે ચૂંટણીમાં મેદાનમાં નથી. ગત ચૂંટણીમાં કુલ ૧૮૨ બેઠકો સામે જ્યાં ૧૮૨૮ ઉમેદવારો હતા ત્યારે આ વખતે પ્રથમ તબક્કામાં ૮૯ બેઠકો સામે ૭૮૮ ઉમેદવારો મુજબ પ્રતિ બેઠકે સરેરાશ ૯થી ઓછા ઉમેદવારો લડી રહ્યા છે.

10/11/22: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે BJPના ઉમેદવારોની પહેલી યાદી : વાંચો અહીં

ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની પહેલી સત્તાવાર યાદી આજે તા.10મી નવેમ્બરે સવારે જાહેર કરવામાં આવી હતી. આ ઉમેદવારોની ઉમેદવારીપત્રક ભરવા માટે જણાવી દેવામાં આવ્યું છે.

૧ અબડાસા – પ્રધુમનસિંહ જાડેજા
૨ માંડવી – અનીરૂધ્ધ દવે
૩ ભૂજ – કેશુભાઈ પટેલ
૪ અંજાર – ત્રિકમ છાંગા (માસ્તર)
૫ ગાંધીધામ – માલતી મહેશ્વરી
૬ રાપર – વિરેન્દ્રસિંહ જાડેજા

૨૨ વિસનગર – ઋષિકેશ પટેલ
૨૯ ખેડબ્રહ્મા અશ્વીન કોટવાલ
૩૬ ગાંધીનગર દક્ષિણ – અલ્પેશ ઠાકોર
૩૯ વિરમગામ – હાર્દીક પટેલ

૬૦ દસાડા- પી.કે. પરમાર
૬૧ લીંબડી- કિરીટસિંહ રાણા (રિપિટ)
૬૨ વઢવાણ- જિજ્ઞા પંડ્યા
૬૩ ચોટીલા – શામજી ચૌહાણ
૬૪ ધાંગધ્રા- પ્રકાશ વરમોરા

૬૫ મોરબી- કાંતિ અમૃતિયા
૬૬ ટંકારા – દુર્લભજી
૬૭ વાંકાનેર – જીતુ સોમાણી

૬૮ રાજકોટ પુર્વ ઉદય કાનગડ
૬૯ રાજકોટ પશ્ચીમ ડો. દર્શીતા શાહ
૭૦ રાજકોટ દક્ષિણ – રમેશ ટિલાળા
૭૧ રાજકોટ ગ્રામ્ય – ભાનુંબેન બાબરીયા

૭૩ ગોંડલ- ગીતાબા જાડેજા (રિપિટ)
૭૪ જેતપુર – જયેશ રાદડીયા

૭૬ કાલાવાડ – મેઘજી ચાવડા
૭૭ જામનગર ગ્રામ્ય – રાઘવજી પટેલ

૭૯ જામનગર દક્ષિણ – રીવાબા જાડેજા
૮૦ જામજોધપુરથી ચિમન સાપરિયા

૮૩ પોરબંદર – બાબુ બોખરીયા
૮૬ જુનાગઢ – સંજય કોરડીયા
૮૭ વિસાવદર – હર્ષદ રિબડીયા

૯૦ સોમનાથ – માનસીંહ પરમાર
૯૨ કોડીનાર – ડો. પ્રધુમન વાજા

૯૪ ધારી- જે વી કાકડીયા
૯૫ અમરેલી- કૌશિક વેકરીયા
૯૭ સાવરકુંડલા – મહેશ કશવાલા
૯૮ રાજુલા – હિરા સોલંકી

૧૦૬ ગઢડા- શંભુનાથ મહારાજ (Ex.MP)

૧૫૦ જંબુસર – ડી કે સ્વામી
૧૫૧ વાગરા – અરુણસિંહ રાણા
૧૫૨ ઝઘડિયા – રિતેશ વસાવા
૧૫૩ ભરૂચ – રમેશ મિસ્ત્રી
૧૫૪ અંકલેશ્વર ઇશ્વર પટેલ

૧૫૯ સુરત ઇસ્ટ – અરવિંદ રાણા
૧૬૦ સુરત નોર્થ – કાંતિ બલ્લર
૧૬૧ વરાછા રોડ – કિશોર કાનાણી
૧૬૨ કારંજ – પ્રવીણ ગોધારી
૧૬૩ લિંબાયત – સંગીતા પાટીલ
૧૬૪ ઉધના – મનુભાઈ પટેલ
૧૬૫ મજુરા – હર્ષ સંઘવી
૧૬૬ કતારગામ – વીનું ભાઈ મોરડીયા
૧૬૭ સુરત વેસ્ટ – પુર્ણેશ મોદી

૧૬૯ બારડોલી- ઇશ્વર પરમાર રિપિટ

૧૭૪ જલાલપોર – આર.સી. પટેલ
૧૭૫ નવસારી – રાકેશ દેસાઈ

૧૭૯ વલસાડ – ભરત પટેલ રીપીટ
૧૮૦ પારડી – કનુ દેસાઈ રીપીટ
૧૮૧ કપરાડા – જિતુ ચૌધરી રીપીટ

9/11/22: BJP દ્વારા આજથી સુરતની ટેક્ષટાઇલ માર્કેટોમાં અગ્રેસર ગુજરાત કેમ્પેન

ગુજરાત ભાજપ દ્વારા અગ્રેસર ગુજરાત કાર્યક્રમ લોન્ચ કરાયો છે. આ કાર્યક્રમ હેઠળ 2022ની ચૂંટણીનું સંકલ્પ પત્ર રજૂ કરતા પહેલા લોકોના વિચારો જાણવામાં આવશે. આવતી કાલે ટેકસટાઇલ માર્કેટમાં Date 9/11/22 કેમ્પઇન શરૂ કરવામાં આવશે.

આ અંગે સુરત ભાજપ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના નેતાઓએ જણાવ્યું હતું કે, 2022ની ચૂંટણીનું સંકલ્પ પત્ર રજૂ કરતા પહેલા લોકોના વિચારો જાણવા આ કાર્યક્રમ છે. ગુજરાતની જનતાના સપનાનું ગુજરાત બનાવવાનો પ્રયાસ છે. લોકો દ્વારા મળેલા સૂચનોને સંકલ્પ પત્રમાં સમાવીશું.

અગ્રેસર ગુજરાતની વેબસાઈટ અને મોબાઈલ નંબર પર પોતાનો અભિપ્રાય અને સૂચન આપી શકે છે. જ્યાં લોકોની અવરજવર વધારે હોય તેવી જગ્યાએ આ સુચનપેટીઓ મુકાશે તે સૂચન પણ ધ્યાનમાં લેવામાં આવશે. સુરતની દરેક વિધાનસભા દીઠ 50 જેટલી સૂચન પેટીઓ મુકવામાં આવશે. જેમાંથી ગુજરાતના નાગરિકોના અભિપ્રાય, તેમના સૂચનો, તેમની લાગણીઓ જાણવામાં આવશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નરેન્દ્રનાથ પાંડે સુરત આવી રહ્યા છે તેઓ પણ જોડાશે. ભાજપના નેતા ગિરિરાજ સિંહ પણ સુરત આવશે તે સચિન વિસ્તારમાં આ કેમ્પઇનમાં ભાગ લેશે.

September 2, 2022
SOMNATH_MAHADEV.jpg
1min711

ગુજરાતમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ દાદાના લાઇવ દર્શન અમારા વાચકો કરી શકે તે માટે આ લિંક કાયમી ધોરણે અહીં શેર કરવામાં આવી છે.

August 31, 2022
siddhivinayak_Mumbai.jpg
1min593

દેશભરમાં આજે 31મી ઓગસ્ટ બુધવારથી ગણેશ ઉત્સવનો શુભારંભ થયો છે. કોરોના મહામારીના બે વર્ષ બાદ કોઇ પણ પ્રકારના પ્રતિબંધ અને અંકુશ વગર આ વખત ગણેશ મહોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવા માટે લોકો ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. તેમાંય સુરત, ગુજરાત સમેત પશ્ચિમ ભારતમાં મહારાષ્ટ્રના મુંબઇ, પૂણે, નાગપુર સહિતના વિસ્તારોમાં ગણેશોત્સવની ભારે ધૂમ છે.

સીઆઇએ લાઇવ વેબસાઇટ તેમના વાચકો માટે મુંબઇના પ્રભાદેવી સ્થિત સિદ્ધિ વિનાયક ગણપતિ બાપ્પાના દર્શન ઘરે બેઠા કરી શકે તે માટે અહીં લાઇવ દર્શનની વ્યવસ્થા કરી છે.

મુંબઇના પ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિરની મહિમા અપરંપાર છે. આ ગણેશ ઉત્સવ દરમિયન તમે ઘરબેઠાં દરરોજ મુંબઇના પ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિરના દર્શનનો કરો…

સિદ્ધિ વિનાયક મંદિરના Live દર્શન..