CIA ALERT

ટેક ન્યુઝ Archives - Page 4 of 19 - CIA Live

February 24, 2022
cia_edu-1280x925.jpg
7min566

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

ધો.11-12 સાયન્સ અને કોલેજોના પહેલા વર્ષમાં અભ્યાસ કરતા અને ભવિષ્યમાં પ્યોર સાયન્સ ક્ષેત્રે કારકિર્દી ઘડવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે કેન્દ્ર સરકાર કિશોર વૈજ્ઞાનિક પ્રોત્સાહન યોજના ચલાવી રહી છે. વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે સ્કોલરશીપ મળે તે માટે કેવીપીવાય નામની એપ્ટીટ્યુડ ટેસ્ટ દર વર્ષે લેવામાં આવે છે. 2021માં કોવીડ પેન્ડેમિકના સંજોગોવસાત્ નહીં લઇ શકાયેલી કેવીપીવાય પરીક્ષા હવે આગામી તા.22મી મે 2022ના રોજ લેવાની જાહેરાત કરવામાં આવી છે.

અગાઉ કેવીપીવાય 2021ની પરીક્ષા તા.9મી જાન્યુઆરી 2022ના રોજ લેવાનાર હતી પરંતુ, એ સમયે કોવીડ-19ની ત્રીજી લહેરમાં ભારતમાં સૌથી વધુ કેસો મળી રહ્યા હોઇ, આ પરીક્ષા મુલતવી રાખવામાં આવી હતી. હવે આ પરીક્ષા 22મી મેએ લેવાની જાહેરાત કરવામાં આવી છે.

આ પરીક્ષા માટેના રજિસ્ટ્રેશન ગત સપ્ટેમ્બર 2021માં જ પૂરા થઇ ચૂક્યા છે. જેમણે સપ્ટેમ્બર 2021 સુધીમાં કેવીપીવાય પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે તે વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકશે.

સુરત શહેરમાં પણ લેવાશે કેવીપીવાય પરીક્ષા

સુરત શહેરને પણ આ વર્ષે પરીક્ષા કેન્દ્ર આપવામાં આવ્યું છે. અત્યાર સુધી સુરતમાંથી પરીક્ષા આપવા ઇચ્છતા હજારો વિદ્યાર્થીઓએ વડોદરા કે અમદાવાદ સુધી પરીક્ષા આપવા જવું પડતું હતું. પરંતુ હવેથી સુરત શહેરમાં જ કેવીપીવાય પરીક્ષા લેવામાં આવશે.

પરીક્ષા કેન્દ્રોની માહિતી નીચે અંગ્રેજી આર્ટીકલ સાથે આપવામાં આવી છે.

Kishore Vaigyanik Protsahan Yojana (KVPY) Aptitude Test 2021 will be held on May 22, 2022.

Due to the Covid-19 pandemic situation in India, and the subsequent restrictions and weekend curfew in many states, the KVPY-Aptitude Test 2021 was postponed. Earlier, the KVPY 2021 was scheduled to be held on January 9, 2022. The exam was postponed in the larger interest of the students.

Aptitude Test: Candidates meeting the eligibility criteria for various streams, will be called for aptitude test conducted both in Hindi and English at different centers across the country on Sunday, the 9th January 2022.

KVPY 2021: Admit Card
Students may download the admit card for the aptitude test from the website from the first week of May 2022.


Empowerment initiative in the KVPY Fellowship Program:

A certain number of additional fellowships exclusively for the students belonging to SC/ST community under the various streams as stated above will be operated.

About KVPY

The Kishore Vaigyanik Protsahan Yojana (KVPY) is an on-going National Program of Fellowship in Basic Sciences, initiated and funded by the Department of Science and Technology, Government of India, to attract exceptionally highly motivated students for pursuing basic science courses and research career in science.

The objective of the program is to identify students with talent and aptitude for research; help them realize their academic potential; encourage them to take up research careers in Science, and ensure the growth of the best scientific minds for research and development in the country.

Selection of the students is made from those studying in XI standard to 1st year of any undergraduate Program in Basic Sciences namely B.Sc./B.S./B.Stat./B.Math./Int. M.Sc./M.S. in Mathematics, Physics, Chemistry and Biology having aptitude for scientific research. Special groups / Committees are set up at IISc to screen the applications and conduct an aptitude test at various centres in the country. Based on the performance in the aptitude test, short-listed students are called for an interview which is the final stage of the selection procedure. For receiving a fellowship, both aptitude test and interview marks are considered.

KVPY Aptitude Test 2022 will be held in the following cities across India:

East & North East: 
Bhagalpur, Muzaffarpur, Patna (Bihar), Bhilai nagar, Bilaspur, Raipur  (Chhattisgarh), Bokaro, Dhanbad, Jamshedpur, Ranchi (Jharkhand), Berhampur, Bhubaneshwar,  Cuttack, Rourkela, Sambalpur (Orissa), Naharlagun (Arunachal Pradesh), Dibrugarh, Guwahati, Silchar, Tezpur (Assam), Imphal (Manipur), Shillong (Meghalaya), Agarthala (Tripura), Asansol, Burdwan, Durgapur, Hoogly, Kalyani, Kolkata, Siliguri (West Bengal)
North: 
Chandigarh (Chandigarh), New Delhi (Delhi), Ambala, Faridabad, Gurugram, Hisar, Karnal, Kurukshetra,  Rohtak, Sonipat (Haryana), Jammu (Jammu & Kashmir), Amritsar, Bhatinda, Jalandhar, Ludhiana, Mohali, Patiala (Punjab), Ajmer,  Bikaner, Jaipur, Jodhpur, Sikar, Udaipur (Rajasthan),  Agra, Bareilly, Ghaziabad, Gorakhpur, Jhansi, Kanpur, Lucknow, Meerut, Moradabad, Noida, Prayagraj, Varanasi (Uttar Pradesh), Dehradun, Haldwani, Roorkee (Uttarakhand)
South: 
Kurnool, Rajahmundry, Tirupathi, Vijayawada, Visakhapatnam (Andhra Pradesh), Belagavi, Bengaluru, Bidar, Chikkaballapura, Chikkamangaluru,  Davanagere, Hassan, Hubballi/Dharwad, Kalaburagi,  Mangaluru, Mysuru, Puttur, Shivamogga, Udupi, (Karnataka), Hyderabad, Warangal (Telangana), Alappuzha, Ernakulam, Idukki, Kannur, Kasaragod, Kollam, Kottayam, Kozhikode, Malappuram,  Pathanamthitta, Palakkad, Thiruvananthapuram, Thrissur (Kerala), Puducherry (Puducherry), Chennai, Coimbatore, Kanchipuram, Madurai, Nagercoil, Salem, Tiruchirappalli, Tirunelveli, Vellore (Tamil Nadu)
West & Central: 
Madgoan, Panaji (Goa), Ahamedabad, Anand, Gandhinagar, Rajkot, Surat, Vadodra (Gujarat), Bhopal, Gwalior, Indore, Jabalpur, Ujjain (Madhya Pradesh), Amaravati, Aurangabad, Jalgaon, Kolhapur, Mumbai, Nagpur, Nashik, Navi Mumbai, Pune, Thane (Maharashtra)
January 26, 2022
sat_test.jpg
1min1198

અમેરીકન કોલેજ એસોસીએશન દ્વારા તાજેતરમાં પુનઃડિઝાઇન કરાયેલી SAT (પરીક્ષા) ટૂંકી હશે એટલું જ નહીં પણ તેનો વ્યાપ વિસ્તાર વધારતા તેમાં વિષયોની વધુ વૈવિધ્યસભર શ્રેણીને આવરી લેવામાં આવ્યા છે. સેટ પરીક્ષામાં હવે સમગ્ર ગણિત વિભાગના પ્રશ્નો એટેન્ડ કરવા માટે પરીક્ષાર્થીઓને પરીક્ષા ખંડમાં કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવા માટે મંજૂરી આપવામાં આવશે. સેટ પરીક્ષાનું સંચાલન કરતી અમેરીકી કૉલેજ બોર્ડે તા.25 જાન્યુઆરી 2021ના રોજ આ જાહેરાત સાથે એવી પણ જાહેરાત કરી હતી કે તેના (એસ.એ.ટી.) સ્યુટ ઑફ એસેસમેન્ટને ડિજિટલ રીતે ઑફર કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને હવે પાંચની જગ્યાએ સાત તકો આપવામાં આવશે.

SAT એ અમેરીકામાં કૉલેજ પ્રવેશ માટે વ્યાપકપણે ઉપયોગમાં લેવાતી પ્રમાણભૂત પરીક્ષા છે. વર્તમાન SAT ને ડિજિટલ પ્લેટફોર્મ પર મૂકવા ઉપરાંત – નવી પદ્ધતિ અનુસાર SAT સરળતાથી લઇ શકાય, સેટ પરીક્ષા સરળતાથી આપી શકાય તેવી બનાવવામાં આવી છે. આજની જનરેશનના વિદ્યાર્થીઓ માટે નવી સેટ પરીક્ષા વ્યવસ્થા વધુ સુસંગત હશે. નવી વ્યવસ્થા મુજબ સેટ ટેસ્ટ ટૂંકી હશે. અત્યાર સુધી સેટ પરીક્ષાની અવધી ત્રણ કલાકની હતી પણ હવે નવા ફેરફારો મુજબ સેટ 3 કલાકને બદલે લગભગ 2 જ કલાકમાં પૂરી થઇ જશે.

વિષયોની વધુ વૈવિધ્યસભર શ્રેણીને આવરી લેતા ટૂંકા વાંચન ફકરાઓ હશે અને હવે સમગ્ર ગણિત વિભાગ માટે કેલ્ક્યુલેટરને મંજૂરી આપવામાં આવશે. કૉલેજ બોર્ડ અનુસાર, પરિણામો ઝડપથી જનરેટ થશે, જ્યાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અઠવાડિયાના બદલે દિવસોમાં સ્કોર પ્રાપ્ત થશે. યુએસ માર્કેટ સાથે સંરેખિત કરીને આખા વર્ષ દરમિયાન આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે પાંચને બદલે હવે SAT લેવાની સાત તકો છે.

સમગ્ર બોર્ડમાં પરીક્ષાને વધુ સુલભ બનાવવાનો ઉદ્દેશ્ય છે, કારણ કે વિદ્યાર્થીઓ પાસે સમગ્ર વર્ષ દરમિયાન પરીક્ષા આપવા અને તેઓ હાંસલ કરી શકે તેવો શ્રેષ્ઠ સ્કોર મેળવવા માટે વધુ વિકલ્પો હશે.

SATની નવી પદ્ધતિ અમેરીકામાં 202 માં આંતર રાષ્ટ્રીય સ્તરે 2024 માં લોંચ કરવામાં આવશે. નવી પરીક્ષા પદ્ધતિ મહદઅંશે ડિજિટલ રીતે જ લેવામાં આવશે. કૉલેજ બોર્ડના જણાવ્યા અનુસાર, “વિદ્યાર્થીઓને હવે વર્ચ્યુઅલ લનિંગનો ખાસ્સો અનુભવ છે અને તેની આદત પણ પડી ગઇ છે, ઓનલાઇન લર્નિંગ, ટેસ્ટીંગમાં વિદ્યાર્થીઓને ફાવટ આવી ગઇ હોવાથી હવે પછી સેટનું નવું સ્વરૂપ પણ ડિજિટલ જ કરી દેવાનો નિર્ણય કરાયો છે.

કોરોના પેન્ડેમિક બાદથી વિશ્વભરની શાળાઓમાં શિક્ષણ આપવાની પદ્ધતિ ટેક્નોલોજી પર આધારિત બની ચૂકી છે આથી સેટ ટેસ્ટ ડિજિટલ થવા સાથે વધુ સુરક્ષિત બનશે, કારણ કે દરેક વિદ્યાર્થી એક અનન્ય કસોટી મેળવશે અને જવાબો શેર કરવા વ્યવહારીક રીતે અશક્ય હશે. 80% વિદ્યાર્થીઓએ કસોટી ઓછી તણાવપૂર્ણ હોવાનું જણાયું હતું અને 100% શિક્ષકોએ નવા ફોર્મેટ સાથે સકારાત્મક અનુભવ હોવાનું જણાવ્યું હતું.

December 12, 2021
narendra-modi-twitter.jpg
1min668

વણઓળખાયેલા હેકરે શનિવારે મધરાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વેરીફાઇડ (સત્તાવાર) ટ્વીટર હેન્ડલ હેક કરી દઇને તેના પર બિટકોઇનને ભારતમાં સત્તાવાર મંજૂરી આપી દેવાઇ હોવાનું ટ્વીટ પણ કરી દીધું હતું. જોકે બે જ મિનિટમાં અકાઉન્ટને રિકવર કરી દેવામાં આવ્યું હોવાનું સત્તાવાર રીતે જણાવાયું હતું.

રવિવારે (12 ડિસેમ્બર) સવારે 2.11 વાગ્યે @narendramodi તરફથી સ્પામ Tweet કરવામાં આવ્યું હતું.. Tweet માં કહેવામાં આવ્યું છે કે, ‘ભારતે બિટકોઈનને સત્તાવાર રીતે કાનૂની સ્વીકૃતિ આપી દીધી છે. સરકારે અધિકૃત રીતે 500 BTC ખરીદ્યા છે અને તે દેશના તમામ નાગરિકોને તેનું વિતરણ કરી રહી છે. ભારત જલ્દી કરો…… ભવિષ્ય આજે આવી ગયું છે!’

Hackers Posted this message

The hackers posted one tweet and a scam link from the handle.

જો કે, આ Tweet બે મિનિટમાં જ ડિલીટ થઈ ગયું. બીજી Tweet સવારે 2.14 કલાકે આવી હતી, જે પ્રથમ Tweetની નકલ હતી. આ Tweet પણ તરત જ ડિલીટ થઈ ગયું. PMOએ Tweet કરીને જાણકારી આપી કે મોદીનું એકાઉન્ટ થોડા સમય માટે હેક થયું છે. PMO દ્વારા સૂચના આપવામાં આવી હતી કે આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલ કોઈપણ Tweet ને ‘ઈગ્નોર’ કરવામાં આવે.

આ રીતે ભારતના વડાપ્રધાનનું સત્તાવાર ટ્વીટર હેન્ડલ હેક કરીને બિટકોઇન અંગે જે સંદેશાઓ પ્રસારિત કરવામાં આવ્યા તે અત્યંત ગંભીર બાબત છે અને પીએમઓ દ્વારા આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

November 30, 2021
whatsapp.jpg
1min657

દરોડાના કેસમાં કે દરોડાના કેસમાં અપીલ કરનારાઓના કેસમાં આવકવેરા અધિકારીઓએ વોટ્સ અપ પર ચલણી નોટ્સ મોકલીને તે ચલણી નોટ લઈ આવનાર મારફતે આંગડિયા પેઢી મારફતે લાંચના પૈસા મંગાવી લેવાની મોડસ ઓપરેન્ડી અપનાવી હોવાનું આવકવેરા ખાતા સાથે સંકળાયેલા અધિકારીઓનું જ કહેવું છે.

દરોડા પાડનારા વિભાગમાં બહુ જ મોટું કરપ્શન ચાલતું હોવાથી દરોડા અંગેની વિગતો પણ અધકચરી જ જાહેર કરવામાં આવતી હોવાનું ધ્યાનમાં આવી રહ્યું છે. ટ્રાન્સફર ઓફ ડેવલપમેન્ટ રાઈટના કૌભાંડમાં સંડોવાયેલા અને તાજેતરના ભૂતકાળમાં જ દરોડા હેઠળ આવેલા એક ડેવલપરે તગડું બિનહિસાબી નાણું એકત્રિત કર્યું હોવા છતાં તેનો કેસને બહુ જ સિફતથી દબાવી દેવામાં આવ્યો છે.

કરદાતાઓના અન્ય એસેસમેન્ટ પેસલૅસ થાય છે. પરંતુ દરોડાના કેસમાં કરવામાં આવતી આકારણીના કિસ્સાઓમાં કે પછી ટ્રાન્સફર પ્રાઈસિંગના કેસોમાં આજની તારીખે પણ એસેસમેન્ટ માટે ફેસ ટુ ફેસ મિટિંગ થાય છે. આ પ્રકારના કિસ્સાઓમાં આવકવેરા અધિકારીઓ સીધી લાંચ લેતા નથી. તેઓ જે તે આંગડિયાને એક ચલણી નોટનો ફોટો મોકલી દે છે.

આ ફોટાવાળી ચલણી નોટ જે વ્યક્તિ લઈને આવે તેને કંઈપણ પૂછ્યા વિના જે નક્કી થયેલી હોય તે રકમ આપી દેવાની હોય છે. આ રકમ આપતી વખતે આંગડિયા પેઢીના માણસો જે ચલણી નોટનો ફોટો મોકલવામાં આવ્યો હોય છે ત ે ચલણી નોટ પોતાના હાથમાં લઈ લે છે. જેથી કરીને કોઈ બીજીવાર પૈસા લેવા આવી શકે જ નહિ. 

ટ્રાન્સફર પ્રાઈસિંગમાં પણ કંપનીઓ ઓછો નફો બતાવવા માટે જાતજાતના ખેલ કરે છે. તેમના કેસની આકારણી પણ ફેસ ટુ ફેસ જ થાય છે. તેમની સાથે જે અધિકારીઓને પનારો પડે છે તે અધિકારીઓને ટ્રેપ થઈ જવાનો ભય લાગે છે. તેથી તેઓ પોતાના હાથમાં કરપ્શનના નાણાં એટલે કે લાંચરૂશ્વતના નાણાં લેતા જ નથી.

તેઓ તેમના કોઈ માણસને મોકલીને આંગડિયા પેઢી મારફતે તે નાણાં મેળવી છે. અમદાવાદના અધિકારીઓ જયપુર, મુંબઈ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મધ્ય પ્રદેશના કોઈ શહેરમાંની આંગડિયા પેઢીએ પોતાના માણસોને મોકલીને કરપ્શન મની કલેક્ટ કરાવે છે. પરિણામે તેમને સીધી લાંચ લીધી હોવાનું પ્રસ્થાપિત થતું નથી. 

તેથી જ દરોડા પાડવાના વિભાગમાં નોકરી કરવાની તક મળ્યા પછી તેમાંથી તેમની ટ્રાન્સફર ન થાય તે માટે સંબંધિત અધિકારીઓ પોતાની તમામ ક્ષમતાને તથા તમામ ઓળખને કામે લગાડી લેતા હોય છે. તાજેતરના મહિનાઓમાં અમદાવાદના એક અધિકારીની મધ્ય પ્રદેશમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ અધિકારીએ તેની તમામ ઓળખને કામે લગાવી લઈન ેતેની ટ્રાન્સફર 48 કલાકમાં જ રદ કરાવી લીધી હતી.

November 15, 2021
income-tax-filing.jpg
1min373

આવકવેરા વિભાગે રવિવારે Dt.14/11/21 જણાવ્યું હતું કે કરદાતાઓ ઈ-ફાઇલિંગ પોર્ટલ પર હવે પોતાનું નવું ઍન્યુઅલ ઇન્ફર્મેશન સ્ટેટમેન્ટ (એઆઇએસ) જોઇ શકશે, જેમાં વ્યાજ, ડિવિડન્ડ, શૅર અને મ્યુચ્યુઅલ ફંડની લેવેચ અને વિદેશથી રેમિટન્સ જેવી વધારાની બાબતો પણ ઉમેરવામાં આવી છે. 

આવકવેરા વિભાગે ગયા મહિને કરદાતાના ફોર્મ 26ASમાં ઉપર જણાવ્યા 
અનુસારની વધારાની મોટી રકમની નાણાકીય લેવડદેવડની વિગતોનો ઉમેરો કર્યો હતો. 
ફોર્મ ૨૬એએસ એ વાર્ષિક સંયુક્ત ટૅક્સ સ્ટેટમેન્ટ છે અને આવકવેરાની વૅબસાઇટ પરથી કરદાતા પોતાના પૅન નંબરના આધારે એ જોઇ શકે છે. 

આઇટી વિભાગે ટ્વિટર પર જણાવ્યું હતું કે ઈ-ફાઇલિંગ પોર્ટલ પર હવે સરળતાથી એઆઇએસને જોઇ અને પીડીએફ, સીએસવી તથા યુસોન (મશીન વાંચી શકે એવી ફોર્મેટ)માં ડાઉનલોડ કરી શકાશે. એ માટે ઇન્કમટેક્સ ડોટ ગોવ ડોટ ઇન સાઇટ પર જઇને સર્વિસીઝ ટૅબ નીચેની એઆઇએસ લિંક પર ક્લિક કરવાની રહેશે.

November 10, 2021
itr.jpg
1min415

વર્ષ ૨૦૨૦-૨૧ના નાણાંકીય વર્ષ માટે અત્યાર સુધીમાં ૨.૩૮ કરોડ કરતાં પણ વધુ આઈટી રિટર્ન ફાઈલ થયા હોવાનું આવકવેરા ખાતાએ મંગળવારે 9/11/21 કહ્યું હતું. આમાંથી અંદાજે ૧.૬૮ કરોડ આઈટી રિટર્નનું પ્રોસેસિંગ કરી દેવામાં આવ્યું છે અને ૬૪ લાખ કરતાં પણ વધુ લોકોને આવકવેરાનું રિફંડ આપી દેવામાં આવ્યું છે.  

વર્ષ ૨૦૨૧-૨૨ માટે આવકવેરા ખાતાના ઈ-ફાઈલિંગ પૉર્ટલ પર ૨.૩૮ કરોડ કરતા પણ વધુ આઈટીઆર ફાઈલ કરવામાં આવ્યા હોવાનું આવકવેરા ખાતાએ ટ્વીટર પરના સંદેશામાં જણાવ્યું હતું. આવકવેરા ખાતાએ કરદાતાઓને વર્ષ ૨૦૨૦-૨૧નું આઈટીઆર ઈ-પોર્ટલ પર જલદી ફાઈલ કરવાની વિનંતી કરી છે. સરકારે વર્ષ ૨૦૨૦-૨૧નું આઈટીઆર ફાઈલ કરવાની મુદત બે વખત લંબાવી હતી. વ્યક્તિગત કરદાતા માટે આઈટીઆર ફાઈલ કરવાની અંતિમ તારીખ ૩૧ ડિસેમ્બર છે. 

November 8, 2021
demonitaisan.jpg
1min602

પ્લાસ્ટિક કાર્ડસ, નેટ બૅંકિંગ અને યુનાઈટેડ પેમેન્ટસ ઈન્ટરફેસ વડે ડિજિટલ પેમેન્ટસના પ્રમાણમાં ધૂમ વધારો થયો છે. ઑક્ટોબર મહિનામાં યુપીઆઈ (યુનાઈટેડ પેમેન્ટસ ઈન્ટરફેસ) દ્વારા કુલ ૪૨૧ કરોડ ટ્રાન્ઝેકશન્સ થયા હતા. મૂલ્યની દૃષ્ટિએ ઑક્ટોબર મહિનામાં રૂપિયા ૭.૭૨ લાખ કરોડ અથવા ૧૦૦ અબજ ડોલરથી વધુના ટ્રાન્ઝેકશન્સ થયા હતા. વર્ષ ૨૦૧૬માં યુપીઆઈની શરૂઆત કરવામાં આવી હતી.

૮મી નવેમ્બર-૨૦૧૬ તારીખે વડા પ્રધાન મોદીએ રૂા. ૧૦૦૦ અને ૫૦૦ની બેન્ક નૉટ રદ થયેલી જાહેર કરી હતી. કાળાં નાણાનો પ્રવાહ ઘટાડવા અને ડિજિટલ પેમેન્ટસને ઉત્તેજન આપવા નૉટબંધી જાહેર કરવામાં આવી હતી. પાછલા પાંચ વર્ષમાં ડિજિટલ પેમેન્ટસનું ચલણ તો વધ્યું પણ રોકડનો ઉપયોગ હજુ ધીમી ગતિએ વધી રહ્યો છે. ૪ નવેમ્બર-૨૦૧૯ તારીખે નૉટસ ઈન સર્ક્યુલેશન (એનઆઈસી) એટલે કે રૂા. ૧૭.૭૪ લાખ કરોડ મૂલ્યની ચલણ નૉટ વપરાશમાં હતી. જે ૨૯ ઑક્ટબર-૨૦૨૧ તારીખે વધીને રૂા. ૨૯.૧૭ લાખ કરોડ થઈ હતી, તેવું આરબીઆઈ ડેટા જણાવે છે.

૩૦ ઑક્ટબર-૨૦૨૦ તારીખે રૂા. ૨૬.૮૮ લાખ કરોડ મૂલ્યની ચલણી નૉટ સર્ક્યુલેશનમાં હતી. નૉટબંધી અગાઉ ઑક્ટોબર-૨૦૧૪થી ઑક્ટોબર-૨૦૧૬ના સમયગાળા દરમિયાન એનઆઈસી (ચલણી નૉટનું પ્રમાણ)ના સરેરાશ વૃદ્ધિદર ૧૪.૫૧ ટકા હતો. ૨૦૧૯-૨૦ દરમિયાન મૂલ્ય અને સંખ્યાની દૃષ્ટિએ અનુક્રમે ૧૪.૭ ટકા અને ૬.૬ ટકા વૃદ્ધિદર નોંધાયો હતો. ૨૦૨૦-૨૧ દરમિયાન આ જ વૃદ્ધિદર અનુક્રમે ૧૬.૮ ટકા અને ૭.૨ ટકા હતો.

October 29, 2021
meta.jpg
1min387
Meta or Facebook? Twitter users make fun of rebranding of social media  platform, Technology News | wionews.com

દુનિયાભરમાં ફેલાયેલા અને સૌથી વિશાળ સોશિયલ મીડિયા નેટવર્કમાં ટોચ પર રહેલા ફેસબૂકનું નામ બદલવામાં આવશે. ફેસબૂકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે કહ્યું છે કે ભવિષ્યમાં ડિજિટલ રૂપમાં થઈ રહેલા ફેરફારોને જોડવાના પ્રયાસ હેઠળ કંપનીને હવે નવા નામ ‘Meta’થી ઓળખવામાં આવશે. ઝુકરબર્ગે ફેસબુક ફોલોઅર્સને ‘મેટાવર્સ’ કહેવામાં છે.

ફેસબૂકના સીઈઓ ઝુકરબર્ગે કહ્યું કે, “હાલના સમયમાં અમારી બ્રાન્ડ ચોક્કસ રીતે એક પ્રોડક્ટ સાથે જોડાયેલી છે, પરંતુ તેના લીધે આજના સમયની બાબતોને તેમાં સાંકળવી મુશ્કેલ છે.” એટલે કે નામ બદલાવાની સાથે તેમાં કેટલાક નવી બાબતોનો પણ સમાવેશ કરવામાં આવશે.

ઝુકરબર્ગે કહ્યું કે અમને આશા છે કે આગામી દાયકાની અંદર ‘મેટાવર્સ’ એક અબજ લોકો સુધી પહોંચી જશે. તેમનું કહેવું છે કે ‘મેટાવર્સ’ એક એવું પ્લેટફોર્મ હશે જેના પર લોકો સંવાદ કરશે અન્ય કાર્યો પણ કરી શકાશે. તેમને આશા છે કે આ એક એવું નવું પ્લેટફોર્મ હશે જે ક્રિએટર્સ માટે ‘લાખો’ નોકરીઓનું સર્જન કરશે.

આ જાહેરાત એવા સમયે કરાઈ છે કે જ્યારે ફેસબૂક અસ્તિત્વ સામે સંકટનો સામનો કરી રહ્યું છે. ફેસબૂક પેપર્સમાં ખુલાસા પછી તેને દુનિયાના ઘણાં ભાગોમાં લેજિસ્લેટિવ અને રેગ્યુલેટરી સ્ક્રૂટિનીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે અહીં સવાલ એ થઈ રહ્યો છે કે શું નામ બદલવાથી ફેસબૂક પર જે સંકટના વાદળો ઘેરાયા છે તેનાથી છૂટકારો મળી શકશે કે પછી સંકટમાં આગામી દિવસમાં વધારો થવાની સંભાવના વધી રહી છે. હવે આ તમામ બાબતો પરથી આગામી સમયમાં જ પરદો હટી શકશે.

October 18, 2021
e_shram.jpg
1min493

ઈ-શ્રમ પોર્ટલ ઉપર શ્રમિકોનું રજીસ્ટ્રેશન ચાર કરોડને પાર કરી ગયું છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે રવિવારે જાણકારી જારી કરી હતી. પોર્ટલ શરૂ થયાના બે મહિનાથી પણ ઓછા સમયમાં ચાર કરોડ લોકો પોર્ટલ સાથે જોડાયા છે. આ પોર્ટલ પ્રવાસી શ્રમિકો, નિર્માણ શ્રમિકો વગેરેનો પહેલો નેશનલ ડેટાબેઝ છે.

પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન મારફતે શ્રમિકો વિભિન્ન સામાજીક સુરક્ષા અને રોજગાર યોજનાઓનો લાભ ઉઠાવી શકે છે.’ શ્રમ મંત્રાલયે નિવેદનમાં કહ્યું છે કે, નિર્માણ, કપડા, મેન્યુફેક્ચરિંગ, મત્સ્ય પાલન, સડકો ઉપર રેકડી લગાડતા, ઘરનું કામકાજ કરતા, કૃષિ સંલગ્ન અને અન્ય ક્ષેત્રના શ્રમિકો પોર્ટલ ઉપર નોંધણી કરાવી રહ્યા છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ઘણા ક્ષેત્રોના પ્રવાસી શ્રમિકોએ પણ પોર્ટલ ઉપર નોંધણીમાં ઉત્સાહ બતાવ્યો છે. નવા આંકડા પ્રમાણે 4.07′ કરોડ શ્રમિકોએ નોંધણી કરાવી છે. જેમાં 50.02 ટકા મહિલાઓ અને 49.98 ટકા પુરૂષ કામદાર છે. આંકડા અનુસાર ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, બિહાર અને મધ્યપ્રદેશ તરફથી સૌથી વધારે નોંધણી થઈ રહી છે. જો કે નાના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી રજીસ્ટ્રેશન ખૂબ ઓછું છે.

October 17, 2021
bitcoin_1.jpg
1min379

દુનિયાની’ સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બિટકોઇનની કિંમત શનિવારે 62,000 ડોલર સુધી પહોંચી ગઈ હતી. અંદાજિત 6 મહિનામાં પહેલી વખત કિંમત 62,000નાં સ્તરે પહોંચી છે.

માનવામાં આવે છે કે અમેરિકી નિયામક આગામી અમુક દિવસમાં દેશના પહેલા બિટકોઇન એક્સચેન્જ ટ્રેડેડ ફંડને મંજૂરી આપી શકે છે. આ આશાએ બિટકોઇનની કિંમતમાં સતત તેજી આવી રહી છે અને પોતાના રેકોર્ડ સ્તરે પહોંચી છે. એપ્રિલનાં મધ્યમાં બિટકોઇનની કિંમત 65,000 ડોલર પાસે પહોંચી હતી.

‘ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ વઝીરએક્સના કહેવા પ્રમાણે બપોર બાદ 3.67 ટકાનો ઉછાળો આવ્યો હતો અને બિટકોઇન ઉપર 61,720 ડોલર એટલે કે 47,90,152 રૂપિયા ઉપર ટ્રેડ થયો હતો. દુનિયાની બીજી સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી ઈથર પણ 0.24 ટકાની તેજી સાથે 3836 રૂપિયા ઉપર ટ્રેડ કરી રહી હતી. આવી જ રીતે અન્ય ક્રિપ્ટોકરન્સીમાં પણ તેજી જોવા મળી હતી. ક્રિપ્ટોકરન્સીના રોકાણકારોને અમેરિકામાં પહેલા બિટકોઇન ઇટીએફની મંજૂરીની રાહ છે. જેને ડિજિટલ એસેટ્સના મેઇનસ્ટ્રીમ એડોપ્શનની દિશામાં આગળ વધારવામાં આવેલું પગલું ગણવામાં આવી રહ્યું છે.’