CIA ALERT

ટેક ન્યુઝ Archives - Page 19 of 21 - CIA Live

August 2, 2019
airtel.png
1min3391

ટેલિકોમ સેકટરમાં સર્જાયેલી તીર્વ સ્પર્ધાને કારણે ભારતી એરટેલે નાણાકીય વર્ષ ૨૦૨૦ના પ્રથમ ક્વાર્ટરમાં રૂ. ૨૮૬૬ કરોડની ખોટ નોંધાવી છે.ગયા વર્ષે સમાન સમયગાળામાં કંપનીએ રૂ. ૯૭ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. કંપનીની રેવન્યૂ રૂ. ૧૯,૭૯૯ કરોડ સામે ૪.૭ ટકાના વધારા સાથે રૂ. ૨૦,૭૩૮ કરોડ નોંધાઇ હતી. 

ઈન્ફોસિસનુ રોમાનિયામાં સાયબર સેન્ટર

મુંબઇ: એક્સચેન્જને રેગ્યુલેટરી નોટમાં આપેલી માહિતી અનુસાર ઈન્ફોસિસ લિ.એ એક્સચેન્જને રેગ્યુલેટરી નોટમાં જણાવ્યું છે કે કંપનીએ બુકારેસ્ટ, રોમાનિયામાં અત્યાધુનિક સાયબર ડિફેન્સ સેન્ટર શરૂ કર્યો છે. 

સિપ્લા, એલ્વોટેક વચ્ચે ભાગીદારી કરાર

મુંબઇ: સિપ્લાની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી સિપ્લા ગલ્ફ એફઝેડ એલએલસી અને એલ્વોટેકે ‘એવીટી૦૨’ના વેપારીકરણ માટે ભાગીદારી કરાર કર્યા છે. ‘એવીટી૦૨’ રુમેટોઈડ આર્થરાઈટિસ, એન્કાયલોઝિંગ સ્પોન્ડિલાઈટિસ, પ્લેક્યુ પીસોરાઈસિસ સિહતના રોગોના ઉપચાર માટે વપરાય છે. 

સ્ટર્લિંગ એન્ડ વિલ્સનની ઓએફએસ

મુંબઇ: ગ્લોબલ સોલાર ઇપીસી કંપની સ્ટર્લિંગ એન્ડ વિલ્સન સોલાર લિમિટેડ રૂ. ૩૧૨૫ કરોડના ભરણાં મારફત પ્રમોટર્સ સ્ટેકની ઓફર ફોર સેલ (ઓએફએસ) છઠી ઓગસ્ટે લાવી રહી છે, જે આઠમી ઓગસ્ટે બંધ થશે. ફ્લોર પ્રાઇસ રૂ. ૭૭૫ અને કેપ પ્રાઇસ રૂ. ૭૮૦ નક્કી થઇ છે. લઘુત્તમ બિડ ૧૯ શેરની છે. 

જિંદાલ સ્ટીલ એન્ડ પાવરની સીએસઆર

મુંબઈ: જિંદાલ સ્ટીલ એન્ડ પાવર લિ.ની સીએસઆર પાંખ જેએસપીએલ ફાઉન્ડેશનની રાષ્ટ્રીય સ્વયં સિદ્ધ સન્માનની ત્રીજી આવૃત્તિ માટે પશ્ર્ચિમ ભારતમાંથી રાષ્ટ્રીય સ્તરના પુરસ્કાર માટે આવેલી કુલ ૧૦૬માંથી ૬૦ એન્ટ્રીની અને પશ્ર્ચિમ ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે ૧૦ વ્યક્તિગત અને ૧૦ સંસ્થાની પસંદગી કરી છે.

પીએનબી હાઉસિંગે આઈએફસી પાસેથી ભંડોળ એકત્ર કર્યું

મુંબઇ: પીએનબી હાઉસિંગ ફાઈનાન્સ લિ.એ જણાવ્યું છે કે કંપનીએ એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટમાં ખરીદદારને ધિરાણ આપવા માટે ઈન્ટરનેશનલ ફાઈનાન્સ કોર્પોરેશન (આઈએફસી – વૈશ્વિક બેન્ક ગ્રુપની સભ્ય) પાસેથી ૧૦ કરોડ ડોલર એકત્ર કર્યા છે. 

ચેન્નાઈ પેટ્રોલિયમ કોર્પોરેશનની ચોખ્ખી ખોટ રૂ.૨૩૩.૪૧ કરોડ

મુંબઇ: ચેન્નાઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિ.ને ૩૦ જૂન, ૨૦૧૯ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ.૨૩૩.૪૧ કરોડની ચોખ્ખી ખોટ થઈ છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ.૧૫૬.૦૨ કરોડનો નફો થયો હતો. કંપનીની કુલ આવક રૂ.૧૨,૭૩૮.૨૯ કરોડ થઈ છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ.૧૨,૩૬૩.૮૧ કરોડ થઈ હતી. 

નવ કંપનીના સર્કિટ ફિલ્ટરમાં ફેરફાર

મુંબઇ: ૩૧ જુલાઈ, ૨૦૧૯થી અહીં જણાવેલી નવ કંપનીના સર્કીટ ફિલ્ટરમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વિમટા લેબ્સ લિ., બિંદાલ એક્સપોર્ટ લિ., પટેલ ઈન્ટીગ્રેટેડ લોજિસ્ટિક્સ લિ., સિમ્પલેક્સ કાસ્ટિંગ્સ લિ. અને આરસીઆઈ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ ટેક્નોલોજીસ લિ.ને દસ ટકાનું સર્કીટ ફિલ્ટર લાગુ પડશે. એમટી એડ્યુકેર લિ. અને જીસીએમ કેપિટલ એડવાઈઝર્સ લિ.ને પાંચ ટકાનું સર્કીટ ફિલ્ટર લાગુ પડશે. શ્રીવત્સા ફાઈનાન્સ એન્ડ લીઝિંગ લિ. અને ગ્રેસેલ્સ એજ્યુકેશન લિ.ને બે ટકાનું સર્કીટ ફિલ્ટર લાગુ પડશે. 

July 30, 2019
truecaller.png
2min6360

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

Truecaller મોબાઇલ એપ જેવી એપ વાપરતા હોવ તો ચેતી જજો, આમેય Truecaller મોબાઇલ એપ ડાઉનલોડ થવાને કારણે તમારા મોબાઇલ ફોનનો ડેટા એક્સેસ કંપનીને મળી જાય છે પરંતુ, આજે Truecaller મોબાઇલ એપ યુઝર્સ સાથે જે થયું એ મોટા ખતરાની ઘંટડી સમાન હતું. આવો જાણો શું થયું હતું.

Truecaller મોબાઇલ એપના વપરાશકર્તા આજે સવારે અચાનક જ આશ્ચર્યમાં મૂકાય ગયા હતા કેમકે Truecaller પરથી એક એવો મેસેજ પાસ કરવામાં આવ્યો હતો જેમાં આઇ.સી.આઇ.સી.આઇ. બેંકની યુપીઆઇ સર્વિસનું રજિસ્ટ્રેશન ઓટોમેટિકલી શરૂ થઇ જતું હતું. Truecaller યુઝર આઇ.સી.આઇ.સી.આઇ. બેંકના કસ્ટમર હોય કે ન હોય, આવી પ્રોસેસ શરૂ થ જતા યુઝર્સને એવી પણ શંકા ગઇ કે તેઓ સાઇબર ક્રાઇમનો શિકાર તો નથી બની રહ્યા ને. બીજી તરફ Truecaller યુઝર્સ કે જેઓ આઇ.સી.આઇ.સી.આઇ. બેંક અકાઉન્ટ હોલ્ડર છે તેમની તો મુશ્કેલીનો પાર જ ન રહ્યો. કેમકે તેમણે કોઇપણ પ્રકારની સર્વિસ એક્ટિવેટ કરાવી ન હોવા છતાં આઇ.સી.આઇ.સી.આઇ. યુપીઆઇ રજિસ્ટ્રેશન શરૂ થવા માંડતા અનેક લોકોએ પોતાનો ફોન પણ સ્વીચ ઓફ કરી દીધો હતો.

જેમનું આઇ.સી.આઇ.સી.આઇ. બેંકમાં અકાઉન્ટ હોય અને જેમનું ન હોય બન્ને પ્રકારના ટ્રુ કોલર એપ યુઝર્સને આવો મેસેજ મળતા સ્વાભાવિક છેકે તમામને પોતાની સાથે છેતરપીંડી થઇ રહ્યાની અનુભૂતિ થઇ હતી. કોઇપણ પ્રકારની કન્સેન્ટ વગર મોબાઇલમાં ઓટોમેટિકલી આઇ.સી.આઇ.સી.આઇ. યુપીઆઇ રજિસ્ટ્રેશન કેવી રીતે સંભવ છે.

ભારતમાં આ પ્રકારે હજારો નહીં પણ લાખો Truecaller યુઝર્સ આજે તા.30મી જુલાઇ 2019ની સવારે આ પ્રકારની મુશ્કેલીમાં મૂકાય ગયા હતા.

તપાસ કરાતાં જાણવા મળ્યું કે Truecaller યુઝર્સને આઇ.સી.આઇ.સી.આઇ. યુપીઆઇ સર્વિસ રજિસ્ટ્રેશનનો આવો મેસેજ એક વાઇરસને કારણે મળ્યો હતો. Truecaller કંપનીના સત્તાવાળાઓએ આવું થવા બદલ અને યુઝર્સને પડેલી મુશ્કેલી બદલ માફી માંગી હતી.

Truecaller કંપનીએ આ પ્રકારે દિલગીરી વ્યક્ત કરતો સંદેશો પાઠવ્યો છે.

Official statement by Truecaller:

“We have discovered a bug in the latest update of Truecaller that affected the payments feature, which automatically triggered a registration post updating to the version. This was a bug and we have discontinued this version of the app so no other users will be affected. We’re sorry about this version not passing our quality standards. We’ve taken quick steps to fix the issue, and already rolled out a fix in a new version. For the users already affected, the new version with the fix will be available shortly, however, in the meanwhile they can choose to manually deregister through the overflow menu in the app.” In 2017, Truecaller had announced a partnership with ICICI Bank to allow users to instantly create UPI ID, send money to any UPI ID or a mobile number registered with the BHIM app. It also enables users to recharge their mobile number from within the Truecaller app itself. This partnership made TruecallerICICI Bank platform among one of India’s largest mobile payment platforms.

July 1, 2019
paytm.jpeg
1min16200

Jayesh Brahmbhatt 98253 44944

અત્યાર સુધી પોતાના પ્લેટફોર્મ પરથી જુદી જુદી સર્વિસ કે પ્રોડક્ટસ માટે પેમેન્ટ કરતા ગ્રાહકો પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ પોતે ભોગવતી આવેલી પેટીએમ કંપની હવે આજથી જ એટલે કે તા.1લી જુલાઇ 2019થી પોતાના ગ્રાહકો પાસેથી આ ચાર્જ વસુલ કરશે. એટલે કે હવેથી પેટીએમ મારફતે કોઇ વસ્તુ, પ્રોડક્ટ કે સેવા માટે પેમેંટ કરવા સાથે વધારાની રકમ ચાર્જ ગણો કે ટેક્સ એ ગ્રાહકોએ ચૂકવવો પડશે. દરેક ટ્રાન્ઝેક્શનની એક કોસ્ટ હોય છે, Paytm હવે આ કોસ્ટ ગ્રાહકો પાસે રિકવર કરવાની કોશિશ કરી રહ્યું છે. તેણે જણાવ્યું કે આ વધારાના ચાર્જ સોમવારથી લાગુ પડશે.

સોફ્ટ બેન્ક અને અલીબાબા ગૃપ પાસેથી ઈન્વેસ્ટમેન્ટ મેળનવારી Paytm અત્યાર સુધી આ ચાર્જનો બોજો પોતે ઊઠાવી રહી હતી. પોતાના પ્લેટફોર્મથી થનારા પેમેન્ટ માટે તે એક્સ્ટ્રા રકમ ચાર્જ નહતી કરતી.

આજથી તા. 1 જુલાઈ 2019થી અમલમાં આવતા આ સંદર્ભના ડેવલપમેન્ટમાં Paytm મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR)નું ભારણ ગ્રાહકો પાસેથી વસુલવાનું શરૂ કરી દીધું છે.

એમ.ડી.આર. શું છે

મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એ જે તે બેન્ક અને કાર્ડ કંપનીઓ ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે MDR લે છે એના કહેવાય છે. પેટીએમ ન તો બેંક છે ન તો કાર્ડ કંપની, પેટીએમ ફક્ત પેમેન્ટ પ્લેટફોર્મ પૂરું પાડે છે. એટલે તેના દ્વારા પેમેન્ટ કરવા માટે ગ્રાહકોએ ક્યાં તો બેંક ક્યાં તો કાર્ડ કંપનીનો સહારો મેળવવો પડે છે.

કેટલો ચાર્જ લાગશે

પેટીએમ દ્વારા હવેથી જો ક્રેડિટ કાર્ડના માધ્યમથી પેમેન્ટ કરવામાં આવશે તો 1 ટકા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ, ડેબિટ કાર્ડથી 0.9 ટકા અને નેટ બેન્કિંગ તથા યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસના માધ્યમથી ટ્રાન્ઝેક્શન પર 12થી 15 રૂપિયા સુધી ચાર્જ લાગશે. આ ચાર્જ ડિજિટલ પેમેન્ટના દરેક પ્રકાર પર લાગુ પડશે. જેમાં વોલેટ ટોપ અપ કરાવવાથી માંડીને યુટિલિટી બિલ અથવા સ્કૂલ ફી પેમેન્ટ કે પિક્ચરની ટિકિટ માટેના પેમેન્ટ ટ્રાન્ઝેક્શન્સ સમેતની બાબતો આવરી લેવામાં આવી છે.

 

 

June 28, 2019
whatsapp.jpg
1min4600

વ્હોટ્સએપે તેના પેમેન્ટ બિઝનેસ માટે ભારતમાં ડેટા સ્ટોરેજ ફેસિલિટી સ્થાપી હોવાની વિગતો વિશ્વસનીય સૂત્રો પાસેથી જાણવા મળી છે. ગ્રાહકોની પ્રાઇવેસી સાથે કોઇ સમાધાન નહીં એવા સૂત્ર સાથે અગાઉ ભારત સરકારને ડેટા સંગ્રહની ચોખ્ખી ના પાડી દેનાર વિશ્વની સૌથી મોટી સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક વ્હોટ્સ એપ એ ભારતમાં પેમેન્ટ બિઝનેસ માટે ડેટા સંગ્રહ કરવાની સરકારની ગાઇડલાઇનનું પાલન કરવા માટે ભઆરતમાં જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કર્યું હોવાનું જાણવા મળે છે.

ફેસબૂકની માલિકીના મેસેજિંગ એપ દ્વારા હવે ભારતમાં ડિજિટલ પેમેન્ટ સર્વિસને લોકો માટે સત્તાવાર રીતે ગમે ત્યારે લોંચ કરવામાં આવશે એમ મનાય છે. ભારતના બેન્કિંગ રેગ્યુલેટર માટે આ બાબત સિદ્ધિ સમાન છે કેમકે, તેમણે એ નિયમ બનાવ્યો છે કે ગ્લોબલ પેમેન્ટ કંપનીઓએ ભારતના યુઝર્સનો ટ્રાન્ઝેક્શન ડેટા ભારતમાં જ સ્ટોર કરવો પડશે, આ નિયમ વ્હોટ્સ એપ જેવી કંપનીના સંચાલકો પાસે પળાવ્યો છે.

એવું માનવામાં આવે છે કે વ્હોટ્સએપ આઇસીઆઇસીઆઇ બેન્કની સાથે તેના યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ આધારિત સર્વિસ ટૂંક સમયમાં લોંચ કરી શકે છે. એ પછી તબકકાવાર એક્સિસ બેન્ક, એચડીએફસી બેન્ક અને એસબીઆઇ સાથેની સર્વિસ પણ શરૂ કરવામાં આવશે.

આરબીઆઇના નોર્મ્સ પ્રમાણે પેમેન્ટ કંપનીઓએ સૌથી પહેલાં ભારતમાં ડેટા સ્ટોરેજ ફેસિલિટી સ્થાપવી પડશે અને ત્યાર બાદ સેન્ટ્રલ બેન્કને ઓડિટ રિપોર્ટ આપવો પડશે. 6 એપ્રિલ 2018ના રોજ આરબીઆઇએ એક નોટમાં જણાવ્યું હતું કે, “તમામ સિસ્ટમ પ્રોવાઇડર્સે એ સુનિશ્ચિત કરવાનું છે કે પેમેન્ટ સિસ્ટમને લગતો તમામ ડેટા ભારતીય સિસ્ટમમાં જ સંગ્રહ કરવાનો રહેશે.”

આ ઓડિટ ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (સીઇઆરટી) દ્વારા નીમેલા ઓડિટર્સ દ્વારા થવો જોઈએ.

વ્હોટ્સએપે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ICICI સાથે ભાગીદારીમાં પેમેન્ટ ફીચર શરૂ કરવા પ્રયાસ કર્યો હતો પરંતુ તેને બિટા સર્વિસ પૂરતો મર્યાદિત રખાયો હતો. ભારત બહાર પ્રોસેસ થતા તમામ ડોમેસ્ટિક ડેટાને 24 કલાકની અંદર ભારત લાવીને તેને લોકલ સ્તરે સ્ટોર કરવાનો રહેશે.ચાલુ વર્ષે ઓનલાઇન રિટેલ કંપની એમેઝોને પણ ડેટા લોકલાઇઝેશનની માર્ગદર્શિકાનું પાલન કર્યું હતું અને યુપીઆઇ આધારિત પેમેન્ટ સર્વિસ શરૂ કરી હતી.

June 28, 2019
instagram.jpg
1min4930
એમેઝોન, અલીબાબા સહિતની કંપનીઓને જોખમ : ઈન્સ્ટાગ્રામના પ્રમુખ મુસેરીએ કરી જાહેરાત
ઓનલાઈન બિઝનેસમાં વર્તમાન સમયે એમેઝોનનો દબદબો છે પરંતુ 10 લાખ વૈશ્વિક યુઝર્સ ધરાવતા ઇન્સ્ટાગ્રામના ઇ બિઝનેસમાં પ્રવેશની એમેઝોન ઉપર જોખમ આવી શકે છે. ઇન્સ્ટાગ્રામના નવા પ્રમુખ એડમ મૂસેરીએ કહ્યું છે કે ઇન્સ્ટાગ્રામને ઇ કોમર્સ ક્ષેત્રે જોડવા માટેની વિચારણા ચાલી રહી છે. ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં કારભાર સંભાળનારા મૂસેરીએ સાર્વજનિક રીતે કહ્યું છે કે, તેમની યોજના ઇન્સ્ટાગ્રામને દુકાનદારો, વિક્રેતા અને યુઝર્સને મોટાપાયે જોડવાની છે.
મૂસેરી ઇન્સ્ટાગ્રામને ફોટો શેરિંગ પ્લેટફોર્મમાંથી સેલ્સ પોર્ટલમાં બદલવાની યોજના અંગે વિચારી રહ્યા છે. વર્તમાન સમયમાં ઇ કોમર્સનો વેપાર પ્રતિવર્ષ વૃદ્ધિ પામી રહ્યો છે અને ડિજિટલ કોમર્સ 360ના કહેવા પ્રમાણે 2018માં ઇ કોમર્સથી વૈશ્વિક વેચાણ વધીને 2.86 ટ્રિલિયન થઈ ગયું હતું.
જો કે હજી સુધી ઇ કોમર્સનાં ક્ષેત્રમાં માત્ર ગણીગાંઠી કંપનીઓનો જ દબદબો છે. જેમાં ચીનની અલીબાબા અને જેડી ડોટ કોમ, અમેરિકાની એમેઝોન, ઇબે અને વોલમાર્ટ છે. ઇન્સ્ટાગ્રામે ડાયરેક્ટ સેલ્સનો પાયલોટ પ્રોગ્રામ માર્ચ મહિનામાં શરૂ કર્યો હતો પણ ત્યારે માત્ર 20 બ્રાન્ડ સુધી જ સિમિત હતો. આ બ્રાન્ડમાં ઝારા, બરબેરી, મિશેલ કોર્સ, નાઈકી, એડિડાસ, પ્રાડા વગેરે હતી.
June 27, 2019
dron.jpg
1min11350

શહેરમાં અષાઢી બીજને દિવસે એટલે કે, આગામી તા. 4થી જુલાઈએ નીકળનારી 142મી રથયાત્રાને હવે ગણતરીના જ દિવસ બાકી છે ત્યારે શહેર પોલીસ પણ રથયાત્રાના માહોલમાં આવી પ્રિ-એકશન પ્લાન પોલીસે ઘડી કાઢ્યો હતો.

રથયાત્રાના રૂટ પર પોલીસે કોમ્બિંગ, પેટ્રોલિંગની સાથે સંવેદનશીલ વિસ્તાર ગણાતા એવા દરિયાપુર, કાલુપુર ફ્રુટ માર્કેટ અને દિલ્લી દરવાજા ખાતે વધુ સીસીટીવી કેમેરા લગાવી તૈયારીઓ શરૂ કરી દીધી હતી. તેમજ શહેરના રૂટપર ફલેગ માર્ચ યોજી આખરી ઓપ આપ્યો હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરની ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને અગાઉથી જ પોલીસ એકશનમાં આવી જતી હોય છે. જૂના પોલીસ અધિકારીઓ કે જેમણે રથયાત્રાનો બંદોબસ્ત કર્યો હોય તેવા અધિકારીઓનું લિસ્ટ પણ તૈયાર કરી દેવાતું હોય છે. અને સાથે થોડા દિવસો પહેલા જ કોમ્બિંગ, પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે.

પોલીસે દરિયાપુર, કાલુપુર ફ્રુટ માર્કેટ અને દિલ્લી દરવાજા ખાતે વધુ સીસીટીવી કેમેરા લગાવી તૈયારીઓ શરૂ કરી દીધી હતી. આ ઉપરાંત સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલીંગ અને કોમ્બિંગ પણ કરવામાં આવી રહ્યું છે.

મહત્વનું છે કે આ વખતે પોલીસ સુરક્ષા માટે સૌથી વધુ ડ્રોનનો ઉપયોગ કરશે. શહેરના દરિયાપુર, શાહપુર અને દિલ્લી દરવાજા તે સંવેદનશીલ વિસ્તારમાંના એક ગણાય છે. જેને લઇને પહેલા તો આ વિસ્તારમાં 100થી વધુ કેમેરા લગાવવામાં આવ્યા હતા. આ કેમેરા હાઇ રિઝોલ્યુશનવાળા મુવેબલ સીસીટીવી કેમેરા છે. આ તમામ કેમેરાનું મોનિટરીંગ ત્રણ જગ્યાએ થશે.

June 19, 2019
bitcoin_1.jpg
1min5410

ચાર હજાર કરોડના બિટકનેક્ટ કૌભાંડમાં સંડોવાયેલા આરોપી સતીષ કુંભાણી અને સુરેશ ગોરસિયાના સાત દિવસના રિમાન્ડ દરમિયાન સીઆઇડી ક્રાઇમની તપાસમાં ૧૫.૭૩ કરોડના બિટકોઇન જપ્ત કરવામાં આવ્યા હતા. જ્યારે આરોપી કુંભાણીએ અમેરિકાની કંપની પાસેથી બિટકનેક્ટ ટોડ કોમનું ડોમેન ખરીદ્યું હોવાની વાત પણ સપાટી પર આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર બિટકોઇનના નામે હજારો લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલા સતીશ કુરજી કુંભાણી અને સુરેશ ગોરધન ગોરસિયા હાલ સીઆઈડી ક્રાઇમની ટીમ પાસે રિમાન્ડ તળે હોઈ જેની પાસેથી ૨૬૦ બિટકોઇન પોલીસને હાથ લાગ્યા હતા અત્યારની કિંમત પ્રમાણે એક કોઇનની કિંમત રૂ. ૬ લાખ ૫ હજાર ગણવામાં આવે છે.

આ રીતે કુલ રૂ. ૧૫ કરોડ ૭૩ લાખની કિંમતના કોઇન કબજે કર્યા હતા. આ ઉપરાંત સતીશ કુંભાણી પાસેથી રૂ. ૩ લાખની કિંમતની એક કાર તેમજ સુરેશ ગોરસિયા પાસેથી રૂ. ૧ લાખની કિંમતનું બુલેટ પણ પોલીસે કબજે કર્યું હતું. જ્યારે સીઆઇડી ક્રાઇમે સતીશ કુંભાણીના ઘરેથી ત્રણ લેપટોપ, એક ઓલ ઇન વન સિસ્ટમ અને ચાર પેન ડ્રાઇવ કબજે કર્યા હતા. જેની તપાસ કરી તો તેમાંથી બિટકોઇનની જેમ જ અન્ય કોઇનો બિટકોઇન કેશ, પીઅર કોઇન, નોવા કોઇન, બીસીસી કોઇન અને મલ્ટિબિટ કોઇનના ડેસ્કટોપ વોલેટ મળી આવ્યાં હતાં.

કરોડોના ક્રિપ્ટોકરન્સીના કૌભાંડકારો સુરતના સતીશ કુંભાણીની ટોળકીએ માત્ર ગુજરાત કે ભારતમાં નહીં પણ દુનિયાના ૧૧ દેશોમાં કૌભાંડ કર્યું હતું. જેથી અમેરિકાની એફબીઆઈએ પણ તપાસ શરૂ કરી છે. આ ટોળકીએ અમેરિકા, જાપાન, દુબઈ સહિતના ૧૧ દેશોમાં કૌભાંડ કર્યું હતું. સુરતના સતીશ કુંભાણી, દિવ્યેશ દરજી, સુરેશ ગોરસિયા, ધવલ માવાણીએ બિટકોઇનના નામે ૨૦૧૬ના વર્ષમાં કૌભાંડનો પ્રારંભ કર્યો અને છેક અમેરિકા સુધી પહોંચી ગયું હતું. જ્યારે હાલમાં સતીશ અને સુરેશ પોલીસ રિમાન્ડ હેઠળ છે અને દિવ્યેશ દરજી અને ધવલ માવાણી હજુ નાસતા ફરે છે. દરમિયાન વિશ્ર્વવ્યાપી આ કૌભાંડ સંદર્ભે ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ કુલ સાત ગુના નોંધાયા હતા અને સીઆઇડી ક્રાઇમ વડા તપાસ કરી રહી છે.

June 16, 2019
metro.jpeg
1min4600

વન નેશન, વન કાર્ડ પ્રોજેક્ટ ઉપર કામ કરી રહી છે કેન્દ્ર સરકાર
મેટ્રોમાં મુસાફરી કરનારા લોકો માટે ટૂંક સમયમાં ખુશખબરી આવી શકે છે. સરકાર એક એવું સ્માર્ટ કાર્ડ લાવવા ઉપર વિચારણા કરી રહી છે જેનો ઉપયોગ દેશની તમામ મેટ્રો માટે ઉપયોગ કરી શકાશે. આ સ્માર્ટ કાર્ડનો ઉપયોગ સીમિત યાત્રીઓ માટે જ હશે. અન્ય શહેરમાં મેટ્રો કાર્ડનો ઉપયોગ કરવા માટે મુસાફરે માત્ર કાર્ડ કાઉન્ટર ઉપરથી રિચાર્જ કરાવવાનું રહેશે.
કેન્દ્ર સરકારે થોડા દિવસ અગાઉ જ વન નેશન વન કાર્ડની યોજના લોન્ચ કરી છે. જેના મારફતે દેશમાં કોઈપણ પરિવહન સુવિધાનો ઉપયોગ કરી શકાય છે. જો કે આ કાર્ય જારી કરાવવા માટે કેવાઈસી પ્રક્રિયા અનિવાર્ય રહેશે અને અલગ અલગ બેન્કમાંથી જ કાર્ડ મેળવી શકાશે. મેટ્રો કાર્ડ એક રીતે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ જેવું જ હશે.
એક અંદાજ મુજબ કાર્ડ આગામી 6 મહિનામાં લોન્ચ કરવામાં આવશે. વન નેશન વન કાર્ડના પ્રોજેક્ટ સંબંધિત એક અધિકારીના કહેવા પ્રમાણે એવા લોકો જે થોડા સમય માટે ભારત આવ્યા હોય અથવા તો કોઈ શહેરમાં રોકાવાનો સમય ઓછો હોય તેવા લોકોને કાર્ડ મળશે નહી. કેવાઈસી પ્રક્રિયા પુરી કર્યા વિના કાર્ડ જારી કરવામાં આવશે નહી. આવા લોકો માટે એક વૈકલ્પિક કાર્ડની વ્યવસ્થા કરવામાં આવશે. જેના માટે પાસપોર્ટ અને આધારકાર્ડ ફરજીયાત રહેશે.
June 14, 2019
jeeadv.png
1min7610

જયેશ બ્રહ્મભટ્ટ

ભારતમાં એન્જિનિયરિંગની સૌથી સર્વોચ્ચ સંસ્થા ગણાતી આઇ.આઇ.ટી. તેમજ એન.આઇ.ટી. જેવી સંસ્થાઓમાં પ્રવેશ માટે લેવામાં આવતી JEE એડવાન્સ પરીક્ષાના આજે જાહેર થયેલા પરીણામની ગણતરીની મિનિટોમાં જ આ સંસ્થાની ત્રણક જેટલી વેબસાઇટ ખોટકાય જવા પામી હતી.

પરીક્ષા સત્તાધીશોએ આજે તા.14મી જુનની સવારે એવી જાહેરાત કરી હતી કે JEE એડવાન્સ 2019નું પરીણામ જાહેર થઈ ચૂક્યું છે. હજુ વિદ્યાર્થીઓ પરીણામ જુએ એટલી વારમાં તો રિઝલ્ટની સત્તાવાર વેબસાઇટ ક્રેશ થઇ જવા પામી હતી. વેબસાઇટ ખૂલતી ન હોવાની ફરીયાદો દેશવ્યાપી ધોરણે ઉપસ્થિત થતાં જેઇઇ એડવાન્સ સત્તાધીશોએ અન્ય વૈકલ્પિક વેબસાઇટ પર પરીણામ જોવાની જાહેરાત કરી હતી. એ વેબસાઇટ પર પણ પરીણામ આજે સાંજે 4 વાગ્યા સુધી જોઇ શકાતા ન હતા.

આઇ.આઇ.ટી. (ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી) જેવી ભારતની સર્વોચ્ચ સંસ્થાની વેબસાઇટમાં આવા ધાંધીયા થાય એ સમગ્ર દેશ માટે નીચા જોણું છે. ભારતીયો તો આ બાબત જાણે છે પરંતુ, વિશ્વભરમાં આજે ભારતની ફજેતી થવા પામી હતી.

JEE એડવાન્સની પરીણામની વિગતો આ મુજબ છે.

 

June 14, 2019
vayu11.jpg
1min5630
  • ગીરનાર પર્વત ઉપર દુકાનોના છાપરાં, બાંકડા ઉડયા : પાલિતાણામાં દીવાલ પડતાં એક મૃત્યુ
  • ઉત્તર ગુજરાતના શણગાલ ગામે 2પ મકાનોના છાપરાં ઉડયા : ચાર પશુના મૃત્યુ
  • વેરાવળમાં 14 હોડી ડૂબી, પાંચ ફીશીંગ બોટને નુકસાન : જામનગરમાં 182 વીજ ફીડરને અસર
સૌરાષ્ટ્રના સાગરતટે વિનાશક વાવાઝોડું વાયુ ત્રાટકવાનું હતું પણ સદ્દનસીબે ભયાનક તબાહી ટળી ગઈ છે છતાં ચક્રાવાતની અસરના કારણે અનેક જગ્યાએ, ખાસ કરીને દરિયાકાંઠા વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થયા છે, થાંભલા ઊડયા હતા. દરિયામાં પ્રચંડ મોજાં ઊછળ્યા હતા. કોડીનાર, મૂળ દ્વારકા, માઢ બંદરમાં 30 જેટલા મકાનો ધરાશાયી થયા હતા અને અમુક મકાનોમાં દરિયાના પાણી ઘૂસી ગયા હતા. પોરબંદરમાં ભૂતેશ્વર મહાદેવનું મંદિર પડી ગયું હતું તો માધવપુરમાં મોબાઈલનો ટાવર પડી ગયો હતો. વેરાવળમાં 14 જેટલી બોટ ડૂબી ગઈ હતી. વાવાઝોડાંની દિશા બદલાઈ છે પણ ખતરો ટળ્યો નથી, તેવી હવામાન વિભાગની ચેતવણી બાદ સ્થળાંતર કરાયેલા લોકોનો આશરો યથાવત્ રાખવામાં આવ્યો છે અને ફૂડ પેકેટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. વાવાઝોડાં અને વરસાદની સ્થિતિ વચ્ચે અનેક જગ્યાએ પ્રસુતાઓને ડિલીવરી કરાવવામાં આવી હતી.
સૌરાષ્ટ્રનો ચિતાર જોઈએ તો, મોરબીના અહેવાલ મુજબ, દરિયા વિસ્તારના 16 ગામોના 8600 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. પ1 આશ્રયસ્થાઓ કાર્યરત કરાયા છે અને ફૂડ પેકેટ પણ આપવામાં આવ્યા છે. ભાવનગરના મહુવામાં તંત્ર દ્વારા શાળા નંબર પમાં સ્થળાંતરીત થયેલા નાગરિકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્ય મંત્રી વિભાવરીબેન દવેએ આ સ્થળની મુલાકાત લઈ ઘટતું કરવા સૂચના આપી હતી અને વ્યવસ્થા કરી હતી. પોરબંદરના અહેવાલ મુજબ, અહીં વાવાઝોડાંના પગલે 1પ થી 20 ફૂટ ઊંચા મોજાં ઉછળ્યા હતા. ચોપાટીને કોર્ડન કરી લેવાઈ હતી. પીજીવીસીએલની 93 ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. પોલીસે હોટેલ, ગેસ્ટ હાઉસ ખાલી કરાવ્યા હતા. ભારે પવનના કારણે 2પ પીલાણ (નાની હોડી) ગૂમ થઈ ગઈ હતી જ્યારે એક ફીશીંગ બોટ તૂટી ગઈ હતી. પોરબંદરમાં સ્થળાંતર કરાયેલા 40 હજાર લોકોને આરોગ્ય વિષયક સુવિધા આપવામાં આવી રહી છે. માળીયા હાટીનામાં અનેક સ્થળે વૃક્ષ પડયા હતા અને દિવસભર ઝાપટાં વરસ્યા હતા. ભાવનગર નજીક ઘાંઘળી ગામે પાંચ વીજ પોલ ધરાશાયી થતાં અંધારપટ છવાયો હતો. કોડીનારના માઢ ગામે દરિયાના પાણી ઘરમાં ઘૂસી ગયા હતા તે વાતથી મંત્રી ભૂપેન્દ્રસિંહ જાડેજાને વાકેફ કરવામાં આવ્યા હતા અને તેમણે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. તળાજામાં મેમણ સમાજના લોકોએ ગરીબ વિસ્તારોમાં ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું. દરિયા કિનારે આવેલા દીવમાં વૃક્ષો પડયા હતા અને પોલીસે ગોઠવેલા બેરીકેડ ઉડયા હતા. દીવમાં એનડીઆરએફની પાંચ ટીમ તૈનાત હતી. જેતપુરમાં એસટી બસના તમામ રૂટ બંધ કરી દેવાતાં મુસાફરો રઝળ્યા હતા. ડોળાસા વિસ્તારમાં વાવાઝોડાંની સામાન્ય અસર થઈ હતી અને વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. બોટાદમાં સુસવાટા સાથે વરસાદ વરસ્યો હતો. ફાડર મેલડી માતાજીના મંદિર પાસે બે વૃક્ષ પડી ગયા હતા.
વેરાવળથી મળતા અહેવાલ મુજબ, વેરાવળ બંદર પર લાંગરેલી માંગરોળની ત્રણ, વેરાવળની બે ફીશીંગ બોટોના એન્ક તૂટી જઈ મોટા પથ્થર સાથે અથડાતાં પાંચેય બોટને નુકસાન થયું છે. નાની મોટી 3પ હોડીઓ પણ તોફાની દરિયાની ઝપટે ચડી ગઈ હતી. 62 બોટોને રેસ્કયૂ કરીને બચાવી લેવાઈ હતી. બોટ એસોસિએશનના તુલસીભાઈ ગોહેલે જણાવ્યું હતું કે, બંદરના ઈસ્ટર્ન બેક વોટર વિસ્તારમાં દરિયા કિનારા નજીક 70 જેટલી બોટો લાંગરવામાં આવી હતી. પણ પ્રચંડ પવન અને મોજાંના કારણે બોટને નુકસાન થવાની ભીતિ હોવાથી 62 બોટને બચાવી લેવામાં આવી હતી. 14 બોટ તો સંપૂર્ણ ડૂબી ગઈ છે. આ બોટના કારણે માછીમારોને અંદાજે 1.40 કરોડનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. જૂનાગઢના અહેવાલ મુજબ, માંગરોળના માળીયામાં 32 હજાર લોકોનું સ્થળાંતર કરાયું હતું જ્યારે 2પ હજાર ફૂડ પેકેટનું વિતરણ કરાયું હતું. વાવાઝોડાંની અસર વિસરાવા લાગતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
તાલાલાના અહેવાલ અનુસાર, ભારે પવનના કારણે અનેક વિસ્તારમાં વૃક્ષો અને થાંભલા ધરાશાયી થઈ ગયા હતા. પ0 વીજકર્મીઓનો સ્ટાફ તૈનાત હતો. આજે તાલાલાના યાર્ડમાં કેસર કેરીની હરાજી બંધ રાખવામાં આવી હતી.
જામનગરથી મળતા અહેવાલ અનુસાર, જામનગર અને દેવભૂમિ દ‰વારકા જિલ્લાના કેટલાંક વિસ્તારોમાં ગઈકાલે બપોરે ભારે પવન સાથે વરસાદના કારણે બંને જિલ્લાના 182 જેટલાં વીજ ફિડરોને અસર થઈ હતી અને વીજ પૂરવઠો ખોરવાયો હતો.મોડી રાત્રી સુધીમાં મોટાભાગના વીજ ફિડરોને ચાલુ કરી દેવાયાં હતાં. ગઈકાલે બપોરે અડધી કલાક સુધી ચાલુ રહેલા તોફાની વરસાદના કારણે શહેરના જુદા-જુદા વિસ્તારોમાં અનેક નાના-મોટા વૃક્ષો તૂટી પડયાં હોવાના 38 જેટલાં કોલ ફાયર બ્રિગેડ શાખાને મળ્યાં હતાં.36 જેટલાં ફાયરમેનો સાથેની 6 ટૂકડીઓ દ‰વારા મોડી રાત્રે 2-00 વાગા સુધીમાં આ તૂટી પડેલા વૃક્ષોને માર્ગ પરથી ખસેડી લેવાની કાર્યવાહી કરી તમામ 38 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો હતો. જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ‰વારા સંભવિત વાવાઝોડાના પગલે એલર્ટ બન્યું છે.કોઈ ખાના ખરાબી અથવા જાનમાલની નુકશાની થાય નહીં તે માટેના તમામ ચાંપતા પગલાં ભરવામાં આવી રહયાં છે.જેના ભાગરૂપે જામનગર’ જિલ્લાના નિચાણવાળા વિસ્તારમાં વસવાટ કરતા લોકોને’ સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.ગઈકાલ સવારથી જ વહીવટી તંત્રની ટીમ દ‰વારા લોકોનું સ્થળાંતર શરૂ કરી દેવાયું હતું અને આજે વહેલી સવાર સુધીમાં જિલ્લાના કુલ 17907 વ્યકિતનું સ્થળાંતર કરી લેવાયું છે.
ઉત્તર ગુજરાતના પ્રાંતીજમાં વાવાઝોડાં સાથે વરસાદ ત્રાટક્યો હતો. અહીં અમીનપુરા ટેકરા વિસ્તારમાં રહેતા કનુભાઈ રાવજીભાઈ વાઘેલાને ઘરના સમારકામ દરમિયાન પતરું ઊડીને વાગી જતાં તેમનું મૃત્યુ થયું હતું. તાલુકામાં ખેતીના પાકને પણ વ્યાપક નુકસાન થયું છે. બાયડ તાલુકાના શણગાલ ગામે 2પ થી વધારે મકાનોના છાપરાં ઊડી ગયા હતા. આ બનાવમાં ચાર પશુઓના મૃત્યુ પણ થયા છે. ધોરાજીમાં લશ્કરના પ1 જવાનો બે દિવસથી ખડેપગે છે. ધોરાજી અને કંડોરણા વિસ્તારમાં ઝુંપડાંમા રહેતા લોકોને તાકીદથી ખસેડવામાં આવ્યા હતા અને 3પ00 જેટલા લોકો માટે ફૂડ પેકેટની વ્યવ્સથા કરવામાં આવી હતી.
વીરપુર (જલારામ)થી મળતા અહેવાલ અનુસાર, 2પ0 જેટલા અસરગ્રસ્તોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. જેતપુર તાલુકાના નવ ગામોના 600 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. ઊર્જામંત્રી સૌરભભાઈ પટેલ વીરપુર આવ્યા હતા અને સ્થિતિની સમીક્ષા કરી હતી. દ્વારકાના અહેવાલ મુજબ, અહીં ઊંચા મોજાં ઊછળ્યા હતા અને વીજ પુરવઠો ઠપ્પ થઈ ગયો હતો.
કેશોદથી મળતા સમાચાર મુજબ, સવારથી પવન સાથે વરસાદ હતો અને ભારે પવનથી વેરાવળ રોડ ઉપર આવેલા દ્વારકાધીશ મારકેટની અગાસીમાં લગાવેલું હોર્ડિંગ કડડભૂસ થતાં લોકોમાં ભય ફેલાયો હતો. આ ઉપરાંત ચારચોક વિસ્તારમાં આવેલી મારકેટમાં બાથરૂમની દિવાલ નીચે પડતાં બાઈકનો ભુક્કો બોલી ગયો હતો. વાંકાનેરના પ્રતિનિધિના જણાવ્યા અનુસાર, તંત્રે વાવાઝોડાં સામે રક્ષણ મેળવવા તૈયારી કરી હતી અને વૃક્ષોની મોટી ડાળીઓ કાપી હતી પણ કાપેલા ઝાડની ડાળીઓ એક છત ઉપર રાખવામાં આવી હતી. જો વાવાઝોડું ફૂંકાત તો છત ઉપર રાખેલી ડાળીઓ ઊડીને અન્યોને ઈજા કરત. ખાંભાના અહેવાલ અનુસાર, ભારે પવન અને વરસાદ વચ્ચે અનેક સ્થળોએ વૃક્ષ ધરાશાયી થયા હતા. ખાંભા-ઊના સ્ટેટ હાઈ વછે પર 60 વર્ષ જૂનું પીપરનું વૃક્ષ ધરાશાયી થતાં ટ્રાફીક જામ થયો હતો. અને આખો દિવસ વિજ પુરવઠો ખોરવાયેલો રહ્યો હતો.
રાણાવાવમાં ખોજાબેન્કની બાજુમાં આવેલી હઝરત બાબા જાહેરશાપીરની દરગાહમાં વૃક્ષ ધરાશાયી થયું હતું અને વૃક્ષના કારણે દિવાલ પણ પડી હતી. ચોરવાડમાં પણ વીજ પુરવઠો ખોરવાયો હતો અને 300નું સ્થળાંતર થયું હતું. જવાહર ચાવડાએ ચારવાડ બંદરની મુલાકાત લીધી હતી.
જૂનાગઢમાં ગીરનાર પર્વત ઉપર આવેલી દુકાનોના છાપરાં ઉડયા હતા અને પ્રવાસીઓને બેસવાના બાંકડા પણ ઉડયા હતા. ટંકારાથી જાણવા મળ્યા મુજબ, અહીં સ્થળાંતરીત કરાયેલા લોકોને કન્યા શાળામાં આશરો અપાયો હતો. ટંકારામાં આર્ય વિદ્યાલય તથા ટંકારાના પૂર્વ સરપંચ ધર્મેન્દ્ર ત્રિવેદી દ્વારા સ્થળાંતરીત લોકોને રસ-પુરીના જમણ આપવામાં આવ્યા હતા. મીતાણા ગામે વીજ થાંભલા પડયા હતા. સલાયામાં ઝુંપડપટ્ટીના લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા. 90 જેટલા અગરીયાઓને પણ ખસેડવામાં આવ્યા છે. મોરબીના નવાગામે બે થાંભલા પડી ગયા હતા તો જામકંડોરણામાં 748 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. કોડીનાર નજીક 30 મકાનો તો ધરાશાયી થયા હતા પણ મોટલ પીપળો પણ તૂટી પડયો હતો.
પાલિતાણામાં તળેટી રોડ ઉપર ખીમત વિહાર ધર્મશાળામાં ચણતર કામ ચાલુ હતું ત્યારે સાતમા માળેથી દિવાલનો ભાગ બાજુમાં આવેલા મકાન ઉપર પડતાં સુતેલા બે વ્યક્તિ ઉપર પડયો હતો જેમાંથી એકનું મૃત્યુ થયું છે. ભાવનગરમાં ત્રણ સ્થળે વૃક્ષો ધરાશાયી થયા હતા. ખંભાળીયાના અહેવાલ મુજબ, દ્વારકા જિલ્લાના 194 ગામોમાંથી પપ હજાર લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. દ્વારકામાં 100 વર્ષ જૂનો વડલો ધરાશાયી થયો છે. માંગરોળમાં 100થી 120 કિ.મીની ઝડપે પવન ફૂંકાયો હતો. જેના કારણે વરસાદ વરસ્યો હતો અને અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. દરિયામાં જોરદાર મોજાં ઊછળ્યા હતા. માધવપરુમાં બંધ વાયરલેસ ટાવર ધરાશાયી થયો હતો. ઊનામાં 20 ફૂટ ઊંચા મોજાં ઉછળ્યા હતા. અનેક વૃક્ષો તૂટી પડયા હતા. ભાવનગરના શિપ બ્રકીંગ યાર્ડના ચાર હજાર મજૂરોને ગુજરાત મેરીટાઈમ બોર્ડના ટ્રનીંગ સેન્ટર કોલોનીમાં આશરો આપવામાં આવ્યો છે.