CIA ALERT

ટેક ન્યુઝ Archives - Page 13 of 20 - CIA Live

June 13, 2020
gst.jpg
1min5570

જીએસટી (ગુડ્સ ઍન્ડ સર્વિસીઝ ટેક્સ) કાઉન્સિલની શુક્રવારે મળેલી બેઠકમાં જીએસટી રિટર્ન્સ ફાઇલિંગના વિલંબ કરનારાઓ માટે મોટી રાહતની જાહેરાત કરવામાં આવી હતી.

પાંચ કરોડ રૂપિયા સુધીનું ટર્નઓવર ધરાવતા નાના કરદાતાઓએ ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ મહિનાના જીએસટી રિટર્ન્સ મોડા ભર્યા હશે તો એના પર તેમણે અડધું એટલે કે 9 ટકા વ્યાજ ભરવું પડશે. જીએસટી કાઉન્સિલે શુક્રવારે આવા કરદાતાઓ માટેના આ વ્યાજના દરને 18 ટકાથી અડધોઅડધ ઘટાડીને 9 ટકા કરી નાખ્યો હતો. જોકે, તેમના આ રિટર્ન્સ સપ્ટેમ્બર 2020 સુધીમાં નોંધાઈ ગયા હોવા જોઈશે.

એ ઉપરાંત, મે તેમ જ જૂન અને જુલાઈ માટેના રિટર્ન્સ નોંધાવવા માટેની આખરી તારીખ (કોઈ પણ વ્યાજ કે લેટ-ફી વગર) સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે.

‘જે રજિસ્ટર્ડ એન્ટિટીઓએ જુલાઈ 2017થી જાન્યુઆરી 2020 વચ્ચેની શૂન્ય જવાબદારી સાથેના જીએસટી રિટર્ન્સ મોડેથી નોંધાવ્યા હશે તેમની પાસેથી કંઈ પણ લેટ-ફી નહીં લેવામાં આવે’, એવું પણ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું.

કાઉન્સિલની મિટિંગ બાદ પત્રકારોને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે અન્યો માટેના માસિક સેલ્સ રિટર્ન ન નોંધાવવા વિશેની લેટ-ફી જુલાઈ 2017થી જાન્યુઆરી 2020ના સમયગાળા માટે ઘટાડીને મહત્તમ 500 રૂપિયા કરવામાં આવી છે.

આડકતરા વેરા સંબંધિત નિર્ણયો લેતી સર્વોત્તમ સંસ્થા જીએસટી કાઉન્સિલમાં શુક્રવારે કૉવિડ-19ની મહામારીની પડેલી અસર બાબતમાં ચર્ચા થઈ હતી, એવું કહીને સીતારમણે ઉમેર્યું હતું કે ‘કાઉન્સિલની મિટિંગમાં જીએસટીની આવકને ઇન્વર્ટેડ ડ્યૂટીના માળખાની થયેલી વિપરીત અસર બાબતમાં ચર્ચા થઈ હતી. પગરખાં, ખાતર અને ટેક્સટાઇલ્સમાં જકાતના દરમાં સુધારો કરવા સંબંધમાં પણ પૅનલ વિચારે છે. પાન મસાલા પરના કરવેરા વિશે જીએસટી કાઉન્સિલની આગામી રાબેતામુજબની બેઠકમાં ચર્ચા થશે એવી આશા છે.

દરમિયાન, રાજ્યની વળતરની જરૂરિયાતોના મુદ્દે ખાસ ચર્ચા કરવા જુલાઈમાં વિશિષ્ટ બેઠક યોજાવાની છે.

June 11, 2020
online-class-1.jpg
1min13620

સમગ્ર દેશમાં કોવીડ-19ને કારણે ઉદભવેલી સ્થિતિમાં 2020-21નું શૈક્ષણિક વર્ષ શરૂ થઇ ચૂક્યું છે અને ફિઝિકલ ક્લાસીસ શક્ય ન હોઇ, સમગ્ર દેશમાં હાલ શાળાકીય શિક્ષણ ઓનલાઇન કે ટેલિવિઝન મારફતે શરૂ કરાવવામાં આવી રહ્યું છે. પરંતુ, કર્ણાટક સરકારે બાળમંદિરો તેમજ ધો.1થી 5માં કોઇપણ પ્રકારના ઓનલાઇન ક્લાસીસ પર પ્રતિબંધ લાદી દીધો છે. કર્ણાટક સરકારે જણાવ્યું છે કે રાજ્યમાં કોઇપણ બોર્ડ સાથે સંલગ્ન કોઇપણ શાળાઓ ધો.5 સુધીના બાળકોને ઓનલાઇન એજ્યુકેશન આપી શકશે નહીં.

આ પહેલા નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેન્ટલ હેલ્થ એન્ડ ન્યૂરોસાયન્સએ સબમીટ કરેલી રિપોર્ટમાં જણાવ્યું હતું કે આવા વર્ચ્યુઅલ ક્લાસ 6 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે સારા નથી.

કર્ણાટકના પ્રાઈમરી એન્ડ સેકન્ડરી શિક્ષણ મંત્રી એસ. સુરેશ કુમારે જણાવ્યું હતું કે ‘પ્રી-પ્રાઈમરી અને પ્રાઈમરી (પાંચમાં ધોરણ સુધી) ક્લાસ ઓનલાઈન ન લેવા જોઈએ. આવા ક્લાસને ક્લાસરૂમ અભ્યાસની બદલી શકાતા નથી અને તેનાથી બાળકોની ઉંમર માનસિક સ્વાસ્થયને નુકસાનકર્તા નિવડી શકે છે.

પ્રાઈવેટ સ્કૂલો ઓનલાઈન ભણાવવા માટે કોઈ ફી નહીં લઈ શકે. જોકે પહેલાથી રેકોર્ડ કરેલા ક્લાસ ચલાવવાની મંજૂરી છે. બેંગલુરુમાં શિક્ષા એક્સપર્ટ્સ સાથેની મીટિંગ બાદ સુરેશ કુમારે સ્પષ્ટતા કરી હતી કે, આ દરમિયાન ધોરણ 6 થી 10 સુધીના ઓનલાઈન ક્લાસ ચલાવવા માટે મંજૂરી આપવામાં આવી છે.

Latest on This Web

June 6, 2020
amul.jpg
1min6330

સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વીટરે તા.5મી જુને ભારતની સૌથી મોટી દુધ ઉપ્તાદક સંસ્થા અમૂલના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર બેન લાદી દીધો હતો. અમૂલએ ટ્વીટર પર એક્ઝીટ ધ ડ્રેગન એવી પોસ્ટ મૂકતા ટ્વીટરએ આ પગલું ભર્યું હતું.

ટ્વિટર પર અમૂલના નવા ‘એક્ઝિટ ધ ડ્રેગન’ સ્લોગન સાથેની ક્રિએટિવ એડ જે ચાઈનિઝ પ્રોડક્ટના બહિષ્કાને સમર્થન આપે છે. જેને લઈને ટ્વિટરે આ પગલું ભર્યું હતું.

ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ના ઉચ્ચ પદાધિકારી પણ ટ્વિટરની કોઈ પણ સૂચના વગરની ચેતવણીથી હેરાની અનુભવી રહ્યા છે.

June 1, 2020
income_tax.png
1min4370

નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ માટે ઇન્કમ ટૅક્સ રિટર્ન્સ ભરવાના ફોર્મ્સ આયકર વિભાગે જાહેર કર્યા છે.

સેન્ટ્રલ બૉર્ડ ઑફ ડાઇરેક્ટ ટેક્સીસે એસેસમેન્ટ ઇયર ૨૦૨૦-૨૧ માટે સહજ (આઇટીઆર-૧), ફોર્મ આઇટીઆર-૨, ફોર્મ આઇટીઆર-૩, ફોર્મ સુગમ (આઇટીઆર-૪), ફોર્મ આઇટીઆર-૫, ફોર્મ આઇટીઆર-૬, ફોર્મ આઇટીઆર-૭ અને ફોર્મ આઇટીઆર-વી જાહેર કર્યા છે.

૨૦૧૯-૨૦નું આવકવેરા રિટર્ન ભરવા માટે સરકારે નવા ફોર્મ જારી કર્યા છે જે મુજબ વ્યક્તિના કરંટ એકાઉન્ટમાં એક કરોડથી વધુ રૂપિયા જમા હોય તેમણે અને જેમના બાર મહિનાનું વીજળીનું બિલ એક લાખ રૂપિયાથી વધારે હોય તેમણે આ અલગ ફોર્મમાં રિટર્ન ફાઇલ કરવા પડશે. નવા આઇટીઆર ફોર્મ્સમાં કરદાતાઓએ ખાસ ઊંચા ખર્ચની વિગતો આપવી પડશે. તેમના કરંટ એકાઉન્ટમાં એક કરોડ રૂપિયાથી વધુ રકમ હોય, વિદેશ પ્રવાસ પર બે લાખ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો હોય અથવા વર્ષભરમાં વીજળીના બિલ પેટે એક લાખ રૂપિયાથી વધુ રકમ ભરી હોય તેમણે એની વિગતો ફોર્મમાં આપવી પડશે. આ વર્ષે આઇટીઆર-૧માં કરદાતાઓએ પોતાનો પાસપોર્ટ નંબર (જો કોઇ હોય તો) આપવો પડશે.

May 5, 2020
aicte_logo.png
2min17830

ભારતમાં AICTE એ 49 ઓનલાઇન કોર્સ શરૂ કર્યા : કોલેજીયન, હાઉસવાઇફ, ધંધાર્થી કોઇપણ વ્યક્તિ માટે લૉકડાઉનમાં સૌથી પ્રોડક્ટીવ કામ નિવડશે

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

હાલમાં લૉકડાઉન 3.0 સમગ્ર ભારતીયો માટે કંટાળાજનક પુરવાર થઇ રહ્યું છે. કોલેજીયનથી લઇને હાઉસવાઇફ તેમજ ધંધાર્થીઓ તમામ માટે સમય કેવી રીતે પસાર કરવો એ કામ હવે મહામુશ્કેલ બન્યું છે. એવા સંજોગોમાં ભારતમાં ટેકનિકલ અભ્યાસક્રમોનું સંચાલન કરતી ભારત સરકારની ઓટોનોમસ સંસ્થા ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન AICTE દ્વારા લૉકડાઉનમાં મોડે મોડે પણ 49 ઓનલાઇન કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. આ 49 કોર્સ એક એકથી ચઢીયાતા છે.

કરીયર કાઉન્સિલર હોવાના નાતે લેખકે ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન AICTE દ્વારા શરૂ કરવામાં આવેલા ઓનલાઇન ફ્રી કોર્સનું લિસ્ટ તેમજ સ્ટ્રક્ચરનો અભ્યાસ કર્યો છે અને આ કોર્સ હાલના લૉકડાઉનમાં સૌથી પ્રોડક્ટીવ કામ બની રહે એવા શક્તિશાળી અને સ્કીલ ડેવલપમેન્ટ કરે એવા છે.

કોલેજીયન, હાઉસવાઇફ, નોકરીયાત, ધંધાર્થી કોઇપણ જોડાઇ શકે એવા પણ કોર્સ

ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન AICTE ના ઓનલાઇન કોર્સની યાદીમાં એવા પણ કોર્સ છે જેમાં કોઇપણ વ્યક્તિ જોડાઇ શકે છે. જેમકે હાલ ડિજીટલ માર્કેટિંગનો જમાનો છે અને ડિજિટલ માર્કેટિંગ ઘરે બેઠા કે મોબાઇલ ફોનથી પણ થઇ શકે છે. કેટલીક ટેકનિકલ ટીપ્સ મળી જાય એટલે કોઇપણ વ્યક્તિ પદ્ધતિસર આ કામ કરી શકે છે. આના સમેત મશીન લર્નિંગ વગેરે કોર્સ એટલા પાવરફુલ છે કે જો રસ પડી જાય તો જીવનભર આ કોર્સ રૂપિયા રળી આપે એવી સ્કીલનું આરોપણ કરી શકે તેમ છે.

ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન AICTE જાહેર કરેલા કોર્સની યાદી માટે નીચેની લિંક ક્લીક કરો

https://www.aicte-india.org/sites/default/files/Free%20ELIS%20Products%20Poster.pdf.pdf

April 13, 2020
coronaindiarobo.jpg
1min4660

કોરોના વાઇરસને નાથવા માટે ભારતમાં સૅનિટાઇઝીંગ માટે ખાસ પ્રકારના ડ્રોન, આઇસોલેશન વૉર્ડ માટે દવાનો છંટકાવ કરવા અને ખોરાક તથા દવાઓ પહોંચાડવા માટે ખાસ રોબોટ્સ, ઓછી કિંમતના વૅન્ટિલેટર, દૂરથી દર્દીની તપાસ કરી શકાય એવા ખાસ પ્રકારના સ્ટેથૉસ્કોપ, ચલણી નૉટ, કરિયાણું અને અન્ય દરેક વસ્તુને સૅનિટાઇઝ કરવા માટે યુવી ટેક્નોલોજીયુક્ત ખાસ પ્રકારની પેટી વગેરે જેવી નવતર વસ્તુઓનો આવિષ્કાર કરવા જેવા કેટલાક સારા કામો પણ થઇ રહ્યા છે.

દેશમાં કોરોના વાઇરસ ફેલાવા સાથે લોકોએ પોતાની સર્જનાત્મકતાને દોડતી કરી છે. અન્ય જે નવતર વસ્તુઓની શોધ થઇ છે, એમાં હૉસ્પિટલમાં વાપરી શકાય એવું ખાસ ચેપ ન લાગે એવું ખાસ કાપડ, સસ્તા દરની કોરોના વાઇરસ કિટ, કોરોના વાઇરસગ્રસ્ત દર્દીને અલગ રાખવા માટે આઇસોલેશન પોડ, પરંપરાગત ઑક્સિજન માસ્કને બદલે વાપરી શકાય એવા બબલ હેલ્મેટ અને સામાજિક અંતર ઘટતા આપોઆપ ઍલાર્મ વાગે એવું પેન્ડન્ટનો સમાવેશ થાય છે.

આઇઆઇટી અને આઇઆઇએસસીએ ‘ગો કોરોના ગો’ અને કોન્ટેક્ટ શોધી કાઢવા માટે ‘સંપર્ક-ઓ-મીટર’ ઍપ્સ, કોરોના વાઇરસગ્રસ્ત રોગી સાથે સંપર્કમાં આવ્યા બાદ ભયની સ્થિતિની સમીક્ષા અને કોઇ વ્યક્તિએ ક્વોરન્ટાઇનમાં ગયા બાદ એ નિયમનો ભંગ કર્યો હોય તો એને પ્રશાસન શોધી શકે એ માટેની ઍપ અને અન્ય કામ લાગે એવી મોબાઇલ ઍપ્સ તૈયાર કરી છે.

કોરોના વાઇરસની રસી વિકસાવવા માટે દેશની વીસથી વધુ ટેક્નિકલ અને સાયન્ટિફિક સંસ્થાઓ મથી રહી છે.

દેશની પ્રખ્યાત આઇઆઇટીઓમાં આ મહારોગનો સામનો કરવા માટે નવતર શોધ કરી શકાય એ માટે કોવિડ-૧૯ માટેના ખાસ રિસર્ચ સેન્ટર શરૂ કરાયા છે.

આઇઆઇટી, ગુવાહાટીએ કોરોના વાઇરસનો સામનો કરવા માટે વિવિધ પ્રકારના ડ્રોન બનાવવામાં આગેવાની કરી છે. અહીંના એક જૂથે મોટા વિસ્તારને આવરીને ત્યાં દવાનો છંટકાવ થઇ શકે એવા ડ્રોન બનાવ્યા છે, તો બીજા જૂથે ઇન્ફ્રારેડ કૅમેરા ફિટ કરેલા ડ્રોન બનાવ્યા છે, જે દ્વારા મોટા પ્રમાણમાં લોકોના જૂથની માનવ સહાયતા વગર સ્ક્રીનિંગ થઇ શકે છે અને એમાંથી કોરોના-૧૯ની શંકાસ્પદ વ્યક્તિને અલગ તારવી શકાય છે. સુરક્ષા કર્મચારી દ્વારા લોકોના જૂથને ચોક્કસ નિર્દેશ આપી શકાય એ માટે આ ડ્રોનમાં લાઉડસ્પીકર પણ ગોઠવવામાં આવ્યું છે.

અન્ય એક જૂથે એવા રોબોટ્સ બનાવ્યા છે કે જેનો ઉપયોગ કોરોનાગ્રસ્ત દર્દીને દવાઓ અને ખોરાક આપવામાં તથા ત્યાંથી જંતુયુક્ત કચરો સાફ કરવામાં કરી શકાય એમ છે.

April 8, 2020
slownet.jpg
1min4900

લૉકડાઉનને સફળ બનાવવા માટે ઇન્ટરનેટ સ્પીડ સૌથી નિર્ણાયક પરીબળો પૈકીની એક

કોરોનાનો વધતો વ્યાપ વિસ્તાર ઘટાડવા આખે-આખી દુનિયાના અબજો લોકો ચાર દિવાલોની વચ્ચે આવી ગયા છે. પોતાના ઘરમાં જ સમય પસાર કરવા માટે અબજો લોકોનો સમય પસાર કરવાનો સહારો ઈન્ટરનેટ બન્યું છે. અબજો લોકો દિવસ રાત, વણથંભી રીતે ઇન્ટરનેટ પર સતત કંઈક ને કંઈક સર્ચ કરી જ રહ્યા છે.

લૉકડાઉનને કારણે ભારત સમેત વિશ્વભરમાં ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર કંપનીઓ પર સ્લો ઇન્ટરનેટની ફરીયાદોનું એઠલું દબાણ વધી રહ્યું છે કે કેટલીક કંપનીઓએ સ્ટીરીયોટાઇપ જવાબો આપવા માંડ્યા છે તકલીફ તો રહેવાની જ.

ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર કંપનીની જેટલી ક્ષમતા છે તેટલી ક્ષમતા અનુસાર યુઝર્સ નેટનો રાઉન્ડ ધક્લોક ઉપયોગ કરી રહ્યા છે. સ્વાભાવિક છે કે બધાની સ્લો નેટની ફરીયાદ હોય જ.

જો તમે કોઇ પણ પ્રકારે સ્લો નેટની ફરીયાદથી પીડીત હોવ તો કંપનીને ફરીયાદ કરવા પહેલા પોતાના કાબૂ હેઠળની કેટલીક પરિસ્થિતિને ક્રોસ વેરીફાય કરી લેવી. આટલું કરવાથી સંભવ છે કે તમારા ઘરે નેટની સ્પીડ સ્લો છે એ તેની કાર્યક્ષમતા અનુસાર કામ કરી શકે.

યુકેની સરકારે એવું નિવેદન આપ્યું છે કે કોરોના સામે બાથ ભીડવી હશે તો સ્પીડવાળી ઈન્ટરનેટ સેવા તેમાં સૌથી મહત્ત્વનો ભાગ ભજવશે અને એટલે જ ત્યાંના નિષ્ણાતોએ ઘરે બેઠાં બેઠાં કામ કરનારા લોકો માટે જો ઈન્ટરનેટની સ્પીડ સ્લો હોય તો તેને બહેતર બનાવવા માટે કેટલીક ટિપ્સ આપી છે જે તમારી ઈન્ટરનેટની સ્પીડ બહુ વધુ તો નહીં પણ થોડી ઘણી સુધારવામાં ચોક્કસ મદદરૂપ થઈ શકે.

  • ફ્લોરિંગ, દીવાલ કે અન્ય ઉપકરણો જેવી બાબતો વાઈફાઈના સિગ્નલમાં અવરોધો ઊભા કરી શકે છે એટલે હંમેશાં તમારું રાઉટર એવી જગ્યાએ રાખો કે જ્યાં આવા કોઈ અવરોધો ના હોય. ટેબલ કે પછી શેલ્ફ એ રાઉટર મૂકવા માટેની એકદમ પરફેક્ટ જગ્યા છે.
  • કોર્ડલેસ ફોન, હેલોજન લાઈટ્સ, લાઈટનો પ્રકાશ ઓછો-વધુ કરવા માટેની ડીમર સ્વિચ, મ્યુઝિક સિસ્ટમ કે પછી કોમ્પ્યુટર સ્પીકર્સ, ટીવી અને મોનિટર જેવાં ઉપકરણો પણ રાઉટરને સિગ્નલ મેળવવામાં અવરોધરૂપ થાય છે એટલે આ બધી વસ્તુઓથી રાઉટરને હંમેશાં દૂર રાખો જેથી સિગ્નલ બરાબર મળે અને તમારી સ્પીડ જળવાઈ રહે.
  • રાઉટરને વારંવાર ચાલુ-બંધ કરવાને કારણે પણ ઈન્ટરનેટની સ્પીડ પર અસર જોવા મળે છે, એટલે રાઉટરને વારંવાર ચાલુ-બંધ કરવાનું ટાળો.
  • જો તમે ઘરેથી કામ કરી રહ્યા હોવ અને સતત વિડિયો કોલ કે કોન્ફરન્સ ચાલી રહી હોય એવા સમયે જો વિડિયોની જરૂર ના હોય તો વિડિયો ઓફ કરીને માત્ર ઓડિયો જ ચાલુ રાખો. આને કારણે ઓછી સ્પીડમાં પણ તમારી વાત-ચીત ખૂબ જ સારી રીતે થશે.
  • બેસ્ટ ક્વૉલિટીની બ્રોડ બેન્ડની સ્પીડ માટે તમારા કોમ્પ્યુટરને રાઉટર કનેક્ટ કરવાને બદલે વાઈ-ફાઈને બદલે અર્થનેટ કેબલનો ઉપયોગ કરો.
  • શક્ય હોય ત્યારે ટેલિફોન એક્સ્ટેન્શન કોર્ડનો ઉપયોગ કરવાનું ટાળો, કારણ કે આ કોર્ડના અવરોધને કારણે ઈન્ટરનેટની સ્પીડ ઘટી જાય છે.
  • માઈક્રોવેવ ઓવનના ઉપયોગને કારણે પણ વાઈફાઈની સ્પીડ ઘટી જાય છે, પરિણામે વિડિયો કોલ કરતી વખતે કે પછી હાઈ ડેફિનેશન વિડિયો જોવા હોય ત્યારે કે પછી ઓફિસનું મહત્ત્વનું કામ ઓનલાઈન કરતી વખતે માઈક્રોવેવ ઓવનનો ઉપયોગ કરવાનું ટાળો.
  • તમને જે ફિલ્મો જોવી હોય, વિડિયો જોવા હોય તે પહેલાંથી જ શક્ય હોય તો ડાઉનલોડ કરીને રાખો, જેથી તમે જ્યારે ફિલ્મ જોઈ રહ્યા હોવ ત્યારે કે કોઈ મહત્ત્વનું કામ કરી રહ્યા હોવ એ સમયે કોઈ પણ પ્રકારનો અવરોધ ઊભો ના થાય.
  • મોબાઈલ નેટવર્કની માગણીમાં સતત વધારો થઈ રહ્યો છે એવા સમયે જો શક્ય હોય અને ઘરમાં લેન્ડલાઈનની વ્યવસ્થા હોય તો લેન્ડલાઈનનો વધુમાં વધુ ઉપયોગ કરવાનું રાખો.
  • ફોન કરવા માટે વાઈ-ફાઈ કોલિંગ સુવિધાનો ઉપયોગ કરો અને વોટ્સએપ કોલ, ફેસ ટાઈમ, સ્કાઈપ સહિત અન્ય સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સના માધ્યમથી પણ ઓડિયો કોલ કરી શકાય છે એટલે આને કારણે મોબાઈલ નેટવર્ક પર પડનારો દબાણમાં ઘટાડો થશે.
  • કોઈ એક ચોક્કસ સ્થળે એક જ સમયે એક સાથે કેટલા લોકો ઈન્ટરનેટ વાપરી રહ્યા છે તેના પર પણ સ્પીડનો આધાર રહેલો છે એટલે જે ડિવાઈસની જરૂર ના હોય તો એ ડિવાઈસને વાઈફાઈથી ડિસકનેક્ટ કરી નાખો.
  • ઘણી વખત ટેબ્લેટ, સ્માર્ટફોનની સ્ક્રીન બંધ હોય તો પણ બેકગ્રાઉન્ડમાં એપ્સ ચાલુ જ હોય છે. એટલે જ્યારે પણ તમે ઓનલાઈન કોઈ મહત્ત્વનું કામ કરી રહ્યા હોવ ત્યારે આ મોબાઈલ, ટેબ્લેટમાંથી વાઈફાઈ ડિસકનેક્ટ કરી નાખો જેથી તમારા લેપટોપ કે ડેસ્કટોપ પર ઈન્ટરનેટની સારી સ્પીડ મળશે.

લોકડાઉનના સમયગાળા દરમિયાન અનેક કંપનીઓને ઈન્ટરનેટની સ્પીડ ઓછી થઈ જાય અને તેને કારણે નાગરિકોને ત્રાસ ન થાય એ માટે અલગ અલગ પ્રયાસો અને ઉપાય યોજનાઓ શરૂ કરી છે. ઈન્ટરનેટ સેવા પૂરી પાડનારી કંપનીઓ પરનું દબાણ ઓછું થાય એ માટે નેટફ્લિક્સ, ફેસબુક, યુટ્યુબ જેવા સ્ટ્રીમિંગ પ્લેટફોર્મેને પણ વિડિયોની ક્વોલિટી ઓછી કરી નાખી છે. એટલે આ પ્લેટફોર્મ પર તમને એચડીને બદલે એસડી ક્વૉલિટીના વિડિયો જોવા મળશે. જ્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો એક સાથે વિડિયો જોવા લાગે છે ત્યારે વિડિયોની ગુણવત્તાને થોડી નબળી કરીને ઈન્ટરનેટની સ્પીડ ચોક્કસપણે જ વધારી શકાય એમ છે.

March 25, 2020
CIA_Live_Logo_New2.jpg
1min11550

લૉકડાઉનમાં ઘરની બહાર ગયા વગર મિટીંગ-સિટીંગ, પાર્ટી બધું થાય : લૉકડાઉનનો અફલાતૂન વિકલ્પ

જયેશ બ્રહ્મભટ્ટ 982563 44944

અમે આપના સુધી ઓથેન્ટિક સમાચારો પહોંચાડવા નિષ્ઠાપૂર્વક પ્રયાસો કરી રહ્યા છીએ, કોઇપણ સંજોગોમાં અમે વાચકોને એજ્યુકેટ કરતા રહીશું.

ભારતમાં 21 દિવસનું લૉકડાઉનનો કડકાઇથી અમલ શરૂ થઇ ચૂક્યો છે. એક જવાબદાર નાગરીક તરીકે આપણે લૉકડાઉનને સન્માન આપીને ઘરે રહેવું જોઇએ. આ એક કઠીન કામ છે. આપણે મિત્રો સાથે, પારિવારીક સભ્યો સાથે, સોસાયટીઓ અડોશી-પાડોશીઓ સાથે કે બિઝનેસ ફર્મ હોય તો કર્મચારીઓ, કલીગ્સ, સહકર્મચારીઓ સાથે એવી રીતે સંકળાયેલા હોય છે કે દિવસમાં બે-પાંચ વખત ના મળીએ તો માનસિક સ્થિતિ ખરાબ થાય ત્યાં સુધીની અસર જોવા મળે છે.

વિકસિત દેશોના બુદ્ધિજીવીઓએ લૉકડાઉનમાં પણ મિત્રો, ફેમિલી મેમ્બસ, કર્મચારીઓ, સહ કર્મચારીઓ, ગ્રુપ્સ વગેરેને સતત મળતા રહેવાનો ઓનલાઇન તોડ શોધી કાઢ્યો છે. Zoom Cloud એપ એ વિડીયો કોન્ફરન્સિંગની એવી એપ છે કે જેને ડાઉનલોડ કરીને એક વ્યક્તિ પોતાના મનપસંદ કોન્ટેક્ટસના ઇમેલ થકી તેમની સાથે વિડીયો કોન્ફરન્સિંગથી લાઇવ વાતચીતો કરી શકે છે.

હાલમાં જ્યારે લૉકડાઉન છે અને લોકો પાસે સમય પાસ કરવા માટે કોઇ કામ નથી હોતું, ઘરે બેઠા બોર થતા હોય ત્યારે Zoom Cloud એપ એક વ્યક્તિને તેના મિત્રો, દૂર રહેતા પરિવારના સભ્યો, સાથી કર્મચારીઓ, એક જ સોસાયટી કે એપાર્ટમેન્ટમાં રહેતા અન્ય મેમ્બર્સ સાથે ગમે તેટલી વખત મિટીંગ, સિટીંગ, કોન્ફરન્સ, ગપશપ, પાર્ટી વગેરે બધું જ કરી શકે છે.

Zoom Cloud એપ ડાઉનલોડ કર્યા પછી

Zoom Cloud એપ તમારા મોબાઇલમાં ડાઉનલોડ કર્યા પછી યુઝરે સૌથી પહેલા તેમના ઇમેઇલ થકી રજિસ્ટ્રેશન કરાવવાનું રહે છે. રજિસ્ટ્રેશન કરાવ્યા પછી તેઓ બીજા યુઝર્સ, મિત્રો, ફેમિલી, ફ્રેન્ડસ્, કર્મચારીઓ વગેરેને ઇમેલ થકી ઇન્વાઇટ પણ કરી શકે છે અને તેમને જોઇન કરવા માટે લિંક પર મોકલી શકે છે. પોતાના કોન્ટેક્ટસને Zoom Cloud એપમાં આવ્યા બાદ મિટીંગ રૂમ્સમાં જઇને લાઇવ વિડીયો કોન્ફરન્સિંગથી સંપર્કમાં રહી શકાય છે.

કોરોનાથી બચવાનું છે ત્યારે વિશ્વના વિકસીત દેશોમાં આ એપ ધૂમ મચાવી રહી છે

હાલ કોરોના પેન્ડેમિકને આગળ વધતો અટકાવવા માટે સોશ્યલ ડિસ્ટન્સિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે Zoom Cloud એપ એવું માધ્યમ બન્યું છે જે કોઇને પણ મળ્યા વગર એક સમૂહને, એક ગ્રુપને એક જ સ્ક્રીન પર ભેગા કરી આપે છે. મેમ્બર્સ ધારે ત્યારે તેની સાથે ગમે તેટલી વાતો કરી શકે છે.

March 6, 2020
phone-pay-image-1.jpg
1min4920

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ખાનગી ક્ષેત્રની યસ બેન્ક પર લાદેલા કડક નિયંત્રણો બાદ ફાઇનાન્સિયલ ટેક્નલોજી કંપની PhonePe ની સેવાઓ પણ ભારત તેમજ વિદેશોમાં ખોરવાઇ જવાના અહેવાલો અને ફરીયાદો ઉપસ્થિત થઇ છે. પેમેન્ટ રીસીવ અને પેમેન્ટ કરવા માટે PhonePe ની સેવાઓ નિયમિત લેતા ગ્રાહકો મુશ્કેલીમાં મૂકાઇ ગયા હતા. મોટા ભાગના ગ્રાહકોને એ વાતની ખબર ન હતી કે યસ બેંક એ PhonePe ની પાર્ટનર કંપની છે અને તેના પર લદાયેલા નિયંત્રણોને કારણે PhonePe ની સેવાઓને ભારે અસર પહોંચી છે.

યસ બેન્ક પર લાગેલ રોક બાદ ડિજિટલ પેમેન્ટ સર્વિસનું મુખ્ય પ્લેટફોર્મ યૂનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI)આધારિત લેવડદેવડ અટકી ગઈ છે અને તેનાથી બેન્કનાં સૌથી મોટા પેમેન્ટ પાર્ટનર PhonePe ખરાબ રીતે સંકટમાં ફસાઈ છે. 

PhonePeના CEO સમીર નિગમે ટ્વિટર પર ગ્રાહકોને જણાવ્યું છે કે લાંબી અડચણ બદલ અમે દિલગીરી વ્યક્ત કરીએ છીએ. અમારી પાર્ટનર બેન્ક પર RBIએ પ્રતિબંધ લગાડી દીધા છે. તેઓએ કહ્યું હતું કે અમારી સમગ્ર ટીમે રાત દરમિયાન સેવાઓ ચાલુ રાખવા માટે કામ કર્યું છે. અમને આશા છે કે તે ટૂંક સમયમાં ઠીક થઇ જશે.

એક ફાઇનાન્સિયલ ટેક્નોલોજી કંપનીએ જણાવ્યું હતું કે કંઈપણ હોય, આ એક લેવડદેવડ કરે છે જેને કારણે બેંકે કામ બંધ કરવું પડ્યું છે. 

https://twitter.com/_sameernigam/status/1235735713166942208

ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)એ નાણાંકીય કટોકટીને પગલે ખાનગી બેન્ક, યસ બેન્કના ખાતેદારોને એક મહિના સુધી 50 હજારથી વધુની રકમના ઉપાડ પર પ્રતિબંધ મૂકી દીધો છે. પરિણામે બેન્કના અંદાજે 2.50 લાખથી વધુ ડીપોઝીટરોના 2.50 લાખ કરોડથી વધુ નાંણાં સલવાઈ ગયા છે. આ સાથે આરબીઆઈએ તાત્કાલીક અસરથી યસ બેન્કના બોર્ડને સુપરસીડ કરી દીધું છે. કેન્દ્ર સરકાર સાથે વાટાઘાટો કર્યા પછી આરબીઆઈએ યસ બેન્કને ઉગારવા આ પગલું લીધું હતું.

March 4, 2020
crypto.jpg
2min14520

ભારતના અર્થતંત્રને ક્રિપ્ટો કરન્સીનો વેપાર મોટી અસર કરી શકે, રિઝર્વ બેંકના 2018નો સરક્યુલર રદ

આજરોજ તા.4 માર્ચ 2020ને બુધવારે સવારે સુપ્રીમ કોર્ટે ક્રિપ્ટો કરન્સી અંગે થયેલી એક રિટ પીટીશનની સુનવણી દરમિયાન ભારતમાં બેંકોને ક્રિપ્ટો કરન્સીનો વેપાર કરવા દેવા સંદર્ભની છૂટ આપી છે. ઇન્ટરનેટ એન્ડ મોબાઇલ એસોસીએશન ઓફ ઇન્ડિયા દ્વારા ક્રિપ્ટો કરન્સી સંદર્ભે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 2018માં જારી કરવામાં આવેલા એક સરક્યુલરને સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કરવામાં આવ્યો હતો.

આજે બુધવારે સવારે સુપ્રીમ કોર્ટમાં થયેલા હિયરિંગ દરમિયાન સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે ક્રિપ્ટો કરન્સીના વેપારને મંજૂરી આપવામાં આવે છે.

રિઝર્વ બેંક દ્વારા 2018માં ક્રિપ્ટો કરન્સી (વર્ચ્યુઅલ કરન્સી) સંદર્ભે એવો સરક્યુલર જારી કરવામાં આવ્યો હતે કે આ કરન્સીના કારોબારમાં ગ્રાહકોના હિતોનું રક્ષણ, માર્કેટ ઇન્ટેગ્રિટી તેમજ મની લોન્ડરીંગ જેવા દુષણો પ્રવર્તી રહ્યા હોઇ, ક્રિપ્ટો કરન્સીનો વેપાર ભારતમાં પ્રતિબંધિત કરવામાં આવે છે. આ મતલબના સરક્યુલરને સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કરવામાં આવ્યો હતો. જેના હિયરીંગમાં સુપ્રીમ કોર્ટે ક્રિપ્ટો કરન્સીના ટ્રેડિંગને એલાવ કરતું રૂલિંગ આજરોજ તા.4 માર્ચ 2020ને બુધવારે સવારે યોજાયેલી સુનવણી દરમિયાન આપ્યું હોવાનું વિશ્વસનીય મિડીયા સ્ત્રોત દ્વારા જાણવા મળ્યું છે.

SC allows crypto currency trading

The Supreme Court on Wednesday allowed a plea challenging the Reserve Bank of India’s (RBI’s) 2018 circular which barred banks from trading in cryptocurrencies. “Trading in cryptocurrencies now will be allowed,” the top court noted.

In April 2018, the RBI had issued a circular barring banking and financial services from dealing in virtual currency or cryptocurrency such as Bitcoin, most valued crypto currency in the world.

Cryptocurrencies are digital currencies in which encryption techniques are used to regulate the generation of currency units and verify the transfer of funds, operating independently of a central bank.

The RBI had stated that virtual currencies (VCs) (cryptocurrencies and crypto assets) “raise concerns of consumer protection, market integrity and money laundering.” In view of the associated risks, banks were asked not to deal with crypto-related businesses.

This circular was challenged by an industry group Internet and Mobile Association of India (IMAI) before the SC.