ટેક ન્યુઝ Archives - Page 13 of 19 - CIA Live

March 4, 2020
crypto.jpg
2min14110

ભારતના અર્થતંત્રને ક્રિપ્ટો કરન્સીનો વેપાર મોટી અસર કરી શકે, રિઝર્વ બેંકના 2018નો સરક્યુલર રદ

આજરોજ તા.4 માર્ચ 2020ને બુધવારે સવારે સુપ્રીમ કોર્ટે ક્રિપ્ટો કરન્સી અંગે થયેલી એક રિટ પીટીશનની સુનવણી દરમિયાન ભારતમાં બેંકોને ક્રિપ્ટો કરન્સીનો વેપાર કરવા દેવા સંદર્ભની છૂટ આપી છે. ઇન્ટરનેટ એન્ડ મોબાઇલ એસોસીએશન ઓફ ઇન્ડિયા દ્વારા ક્રિપ્ટો કરન્સી સંદર્ભે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 2018માં જારી કરવામાં આવેલા એક સરક્યુલરને સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કરવામાં આવ્યો હતો.

આજે બુધવારે સવારે સુપ્રીમ કોર્ટમાં થયેલા હિયરિંગ દરમિયાન સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે ક્રિપ્ટો કરન્સીના વેપારને મંજૂરી આપવામાં આવે છે.

રિઝર્વ બેંક દ્વારા 2018માં ક્રિપ્ટો કરન્સી (વર્ચ્યુઅલ કરન્સી) સંદર્ભે એવો સરક્યુલર જારી કરવામાં આવ્યો હતે કે આ કરન્સીના કારોબારમાં ગ્રાહકોના હિતોનું રક્ષણ, માર્કેટ ઇન્ટેગ્રિટી તેમજ મની લોન્ડરીંગ જેવા દુષણો પ્રવર્તી રહ્યા હોઇ, ક્રિપ્ટો કરન્સીનો વેપાર ભારતમાં પ્રતિબંધિત કરવામાં આવે છે. આ મતલબના સરક્યુલરને સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કરવામાં આવ્યો હતો. જેના હિયરીંગમાં સુપ્રીમ કોર્ટે ક્રિપ્ટો કરન્સીના ટ્રેડિંગને એલાવ કરતું રૂલિંગ આજરોજ તા.4 માર્ચ 2020ને બુધવારે સવારે યોજાયેલી સુનવણી દરમિયાન આપ્યું હોવાનું વિશ્વસનીય મિડીયા સ્ત્રોત દ્વારા જાણવા મળ્યું છે.

SC allows crypto currency trading

The Supreme Court on Wednesday allowed a plea challenging the Reserve Bank of India’s (RBI’s) 2018 circular which barred banks from trading in cryptocurrencies. “Trading in cryptocurrencies now will be allowed,” the top court noted.

In April 2018, the RBI had issued a circular barring banking and financial services from dealing in virtual currency or cryptocurrency such as Bitcoin, most valued crypto currency in the world.

Cryptocurrencies are digital currencies in which encryption techniques are used to regulate the generation of currency units and verify the transfer of funds, operating independently of a central bank.

The RBI had stated that virtual currencies (VCs) (cryptocurrencies and crypto assets) “raise concerns of consumer protection, market integrity and money laundering.” In view of the associated risks, banks were asked not to deal with crypto-related businesses.

This circular was challenged by an industry group Internet and Mobile Association of India (IMAI) before the SC.

March 3, 2020
gisat1-1280x720.jpeg
1min4870

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઈસરો) પાંચમી માર્ચે દેશનો પહેલો જિયો ઈમેજિંગ ઉપગ્રહ લોન્ચ કરશે. જીએસએલવી-એફ10ની મદદથી આ ઉપગ્રહને લોન્ચ કરવામાં આવશે.
આ ઉપગ્રહ ભારતીય મહાદ્વીપ પર નજર રાખવાની સાથે કૃષિ, મોસમવિજ્ઞાન, આપત્તિઓ અને અન્ય વૈજ્ઞાનિક ક્ષેત્રોમાં દેશને આગળ લઈ જશે. આ સેટેલાઈટ રિયલ ટાઈમમાં ઘણી ઝડપથી તસવીરો દેવામાં સક્ષમ છે.

લોન્ચિંગ માટે સતીશ ધવન સ્પેસ સેન્ટર, શ્રીહરિકોટાના બીજા લોન્ચિંગ પેડનો ઉપયોગ કરવામાં આવશે. લોન્ચિંગનો સંભવિત સમય સવારે 5.43નો રાખવામાં આવ્યો છે.

ઇસરો અનુસાર જે રોકેટથી લોન્ચિંગ થશે તે જીએસએલવી-એફ-10ની ઊંચાઇ સેટેલાઇટ અને લોન્ચિંગ વ્હીકલ મળીને આશરે 16 માળની ઇમારત જેટલી ઊંચી છે. સમગ્ર લોન્ચિંગ વ્હીકલનું વજન આશરે 4,20,300 કિલોગ્રામ આસપાસ છે.

March 3, 2020
modi-1280x720.jpg
1min4080

સોશિયલ મીડિયાએ જેમની રાજનીતિને એક નવી જ દિશા આપી અને જેમણે સોશિયલ મીડિયાને શત્ર બનાવીને ભારતીય રાજકારણમાં એક નવા યુગનો આરંભ કરાવ્યો તેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એક ચોંકાવનારી વાત કરતાં ટ્વિટર ઉપર લખ્યું હતું કે, તેઓ હવે ફેસબૂક, ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયાને અલવિદા કરવા વિચારી રહ્યા છે. મોદીએ આ સંભાવના વ્યક્ત કરવા સાથે જ તેમનાં ચાહકો અને સમર્થકોમાં આઘાતની લાગણી ફરી વળી હતી.

તેમણે 2 માર્ચે ટ્વિટર ઉપર લખ્યું હતું કે, આ રવિવારથી હું ફેસબૂક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા છોડવાનું વિચારું છે. તેમણે સાથે એમ પણ ઉમેર્યુ હતું કે, તેઓ પોસ્ટ કરતાં રહેશે. તેમણે આ જાણકારી પોતાનાં વ્યક્તિગત ટ્વિટર હેન્ડલ ઉપરથી આપી હતી. તેમણે આ ટ્વિટર કર્યાની ગણતરીની મિનિટોમાં જ તે 10000થી વધુ વખત રિટ્વિટ થઈ ગયું હતું. લોકો તેમને પોતાનાં નિર્ણય ઉપર ફેરવિચાર કરવાં અપીલો કરવાં લાગ્યા હતાં.

મોદી સોશિયલ મીડિયા ઉપર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા વૈશ્વિક નેતાઓ પૈકી એક છે. તેઓ પત્રકાર પરિષદ યોજીને લોકો સુધી પહોંચવાને બદલે સોશિયલ મીડિયાથી લોકોનાં સીધા સંપર્કમાં રહેવાનું પસંદ કરે છે. મન કી બાત રેડિયો કાર્યક્રમ પણ તેમનાં આ અભિગમનો જ એક હિસ્સો છે.

February 29, 2020
gst.jpg
1min6150

GST હેલ્પડેસ્કનો હાલનો નંબર 0120- 24888999 બંધ

ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ નેટવર્ક (GSTN)એ જીએસટી હેલ્પડેસ્ક (GST Helpdesk) માટે એક નવો ટોલ ફ્રી નંબર (Toll Free Number) શરૂ કર્યો છે. આ નંબર પર વર્ષભર એટલે કે 365 દિવસ ઓનલાઈન GST રિટર્ન ભરવાને લગતાં સવાલોના જવાબ મેળવી શકશો.

GST Helpdesk has become multi-lingual. We are supporting 12 languages at Toll Free number – 1800 103 4786 (from 9AM to 9PM, 7 days a week). Existing contact number will no longer be available to connect with GST Helpdesk

GSTN દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તેણે GST હેલ્પડેસ્કને વધુ સારું બનાવ્યું છે. આ સાથે જ ટેક્સપેયર્સની સુવિધાને ધ્યાનમાં રાખીને નવાં ફીચર્સ લોન્ચ કરવામાં આવ્યાં છે. GSTNએ એમ પણ જણાવ્યું છે કે, નવો ટોલ ફ્રી નંબર જારી કર્યા પછી GST હેલ્પડેસ્કનો હાલનો નંબર 0120- 24888999 બંધ કરાયો છે.

GST હેલ્પડેસ્કને એક દિવસમાં સરેરાશ 8,000થી 10,000 ફોન કોલ્સ મળે છે.

GST હેલ્પડેસ્ક માટે નવો ટોલ ફ્રી નંબર 1800-103-4786

નાણામંત્રી નિર્મલા સીતારામણે સામાન્ય બજેટમાં ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST) રીટર્નને લઈને કહ્યું હતું કે, જીએસટી રીટર્નની પ્રક્રિયા સરળ થઈ જશે. એક સરળ નવી રીટર્ન સિસ્ટમ 1 એપ્રિલ 2020થી શરૂ કરવામાં આવશે.

  • GSTNએ GST હેલ્પડેસ્ક માટે નવો ટોલ ફ્રી નંબર 1800-103-4786 શરૂ કર્યો છે.
  • આ નંબર પર ઇનડાયરેક્ટ ટેક્સ સાથે જોડાયેલા સવાલો અથવા સમસ્યાના સમાધાન માટે સંપર્ક કરી શકશો.
  • આ ટોલ ફ્રી નંબર 365 દિવસ કામ કરશે. આ નંબર પર સવારે 9 વાગ્યાથી લઇને રાત્રે 9 વાગ્યા સુધીમાં ગમે તે સમયે ફોન કરી શકાશે.
  • આ હેલ્પડેસ્ક પર હવે 10 નવી ભાષાઓમાં જાણકારી મેળવી શકાશે. અત્યાર સુધી GST હેલ્પડેસ્ક પર ફક્ત હિન્દી અને અંગ્રેજીમાં જ માહિતી મળતી હતી.
  • હવે બંગાળી, મરાઠી, તેલેગુ, તમિળ, ગુજરાતી, કન્નડ, ઓડિશા, મલયાલમ, પંજાબી અને આસામી ભાષાઓમાં પણ GST હેલ્પડેસ્ક એજન્ટ સાથે વાત કરી શકાશે.
February 16, 2020
adhar-pan-cardfeature.jpg
1min4690

આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે આધાર સાથે લિંક નહિ કરાયેલા પરમૅનન્ટ ઍકાઉન્ટ નંબર (પૅન) ૨૦૨૦ની ૩૧મી માર્ચથી બંધ થશે.

આધાર અને પરમૅનન્ટ ઍકાઉન્ટ નંબર (પૅન)ને લિંક કરવાની મહેતલ અગાઉ અનેક વખત લંબાવાઇ હતી. હવે નવી મહેતલ ૨૦૨૦ની ૩૧મી માર્ચ જાહેર કરાઇ છે. દેશમાં ૨૦૨૦ની ૨૭મી જાન્યુઆરી સુધી અંદાજે ૩૦.૭૫ કરોડ પરમૅનન્ટ ઍકાઉન્ટ નંબર (પૅન)ને આધાર સાથે લિંક કરાયા હતા.

આમ છતાં, હજી આશરે ૧૭.૫૮ કરોડ પરમૅનન્ટ ઍકાઉન્ટ નંબરને ૧૨ આંકડાના બાયૉમેટ્રિક આઇડી સાથે લિંક કરવાના બાકી છે.

સૅન્ટ્રલ બૉર્ડ ઑફ ડિરૅક્ટ ટૅક્સીસ (સીબીડીટી)એ જણાવ્યું હતું કે જે વ્યક્તિને ૨૦૧૭ની પહેલી જુલાઇ સુધીમાં જે લોકોને પરમૅનન્ટ ઍકાઉન્ટ નંબર અપાયા હતા તેઓને કલમ ૧૩૯એએના પેટા વિભાગ (૨) હેઠળ આધાર ક્રમાંકની સાથે લિંક નહિ કરાય તો ૨૦૨૦ની ૩૧મી માર્ચ પછી તે બંધ થઇ જશે.

સૅન્ટ્રલ બૉર્ડ ઑફ ડિરૅક્ટ ટૅક્સીસે આવકવેરાના સંબંધિત નિયમમાં સુધારા કરીને તેમાં કલમ ૧૧૪એએએનો ઉમેરો કર્યો હતો.

જાહેરનામામાં જણાવાયું હતું કે જે વ્યક્તિના પરમૅનન્ટ ઍકાઉન્ટ નંબર બંધ થઇ જશે તેણે પરિણામ ભોગવવા પડશે.

યુનિક આઇડૅન્ટિફિકૅશન ઑથૉરિટી ઑફ ઇન્ડિયા દેશના નાગરિકોને આધાર આપે છે અને આવકવેરા વિભાગ અક્ષર તેમ જ આંકડા ભેગા ધરાવતો ક્રમાંક આપે છે.

February 15, 2020
bs6.jpg
1min4290

સુપ્રીમ કોર્ટે ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડિલર્સ (એફએડીએ)ની અરજીને ફગાવતા ફરી એક વખત કહ્યું છે કે દેશમાં બીએસ-4 વાહનનું વેચાણ 31 માર્ચ સુધી જ થઈ શકશે. કંપનીઓએ એપ્રિલના અંત સુધી બીએસ-4 વાહનો વેંચવાની મંજૂરી માગી હતી. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે કોર્ટ તરફથી 30 એપ્રિલ સુધીનો સમય આપવામાં આવે તો સ્ટોકમાં રહેલા બીએસ-4 વાહન વેંચી શકાશે. જો કે સુપ્રીમ કોર્ટે રાહત આપવાનો ઈનકાર કરી દીધો છે.’ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આગામી એક એપ્રિલથી બીએસ-6 અનિવાર્ય છે.

સુપ્રીમ કોર્ટે ઓક્ટોબર 2018મા ચુકાદો આપ્યો હતો કે 31 માર્ચ 2020 બાદ બીએસ4 વાહનોના રજીસ્ટ્રેશન અને વેંચાણ ઉપર રોક લાગશે. આ આદેશ સામે ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડિલર્સે (એફએડીએ) અરજી દાખલ કરી હતી અને સમયમર્યાદા એક મહિનો લંબાવવા માટેની માગણી કરી હતી.

February 14, 2020
CIA_Live_Logo_New2.jpg
1min13840

Whats App પર હાર્ટ ઇમોજી મોકલતા પહેલા તેના અર્થ જાણી લેજો : જો જો ક્યાંક આંધળે બહેરુંના કૂટાય જાય

આજે 14મી ફેબ્રુઆરી વેલેન્ટાઇન્સ ડે ના દિવસે સૌથી વધારે આ પ્રેમનું કહેવાતું પર્વ ઉજવાશે તો એ સોશ્યલ મિડીયા માધ્યમ હશે અને એમાં પણ વ્હોટ્સએપ પર સૌથી વધુ વેલેન્ટાઇન્સના મેસેજીસની આપ-લે થશે.

સોશ્યલ મિડીયામાં આજકાલ જુદા જુદા ઇમોજી એ લાગણી પ્રદર્શિત કરવાની લેંગ્વેજ બની ચૂક્યા છે. આજે તા.14મી ફેબ્રુઆરી વેલેન્ટાઇન્સ ઉજવાય રહ્યો છે ત્યારે વ્હોટ્સએપના ઇમોજીસના ઇનબિલ્ટ ફિચરમાં જુદા જુદા રંગના હાર્ટસ ઉપલબ્ધ છે.

હજારો વ્હોટ્સએપ યુઝર્સ હાર્ટ ઇમોજીને હ્રદયનો સિમ્બોલ સમજીને તેને આડેધડ વગર વિચાર્યે સેન્ડ કરી રહ્યા છે. હકીકતમાં વ્હોટ્સ એપ ઇમોજી ખાસ કરીને હાર્ટ શેપના ઇમોજીના અર્થો જુદા જુદા છે.

ઉદાહરણ તરીકે લઇએ તો આછા લાઇટ જાંબલી રંગના હાર્ટ ઇમોજીનો અર્થ સેક્સ્યુઅલ એટ્રેક્શન થાય છે, હવે યુઝર્સ જાણ્યા વિચાર્યા વગર આ ઇમોજીને આડેધડ શેર કરી રહ્યા છે. સામે વાળી વ્યક્તિ હાર્ટ ઇમોજીના કલર્સ અનુસાર તેના અર્થ જાણતા હોય તો સ્વાભાવિક છે કે રોંગ નંબર લાગે અને આંધળે બહેરું કૂટાય, તમારી સાથે પણ આવું ન થાય તે માટે ખાસ પહેલા જાણી લો કે વ્હોટ્સ એપમાં જે રંગનું હાર્ટ છે તેનો શું અર્થ થાય.

અહીં નેટવર્ક18ના ક્રિએટિવ ડિપાર્ટમેન્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલા આ મજેદાર અને માહિતીસભર ડોક્યુમેન્ટને આપની સમક્ષ રજૂ કરી રહ્યા છીએ.

With Thanks : From The tweeter Handle of Tv18.com
February 7, 2020
income_tax.png
1min4430

વા વિકલ્પ પ્રમાણે ચૂકવવાપાત્ર ટેક્સની રકમ ગણી શકાય તે માટે આવકવેરા વિભાગે ઈ-કેલક્યુલેટર લૉન્ચ કર્યું છે. આવકવેરા વિભાગની અધિકૃત ઈ-ફાઈલિંગ, વેબસાઈટ પર કેલક્યુલેટર ‘હોસ્ટ’ કરવામાં આવ્યું છે. સામાન્ય નાગરિક (સાઠ વર્ષથી ઓછી વય), વરિષ્ઠ નાગરિક (૬૦-૭૯ વર્ષ), તમામ સ્ત્રોતથી થનારી વાર્ષિક આવક પોર્ટલમાં પંચ કરી શકે છે. પાત્ર ડિડકસન (કપાત) અને એકઝેમ્પશન (રાહત) પણ પંચ કરી તેમની કરપાત્ર રકમ જોઈ શકે છે. આ પછી નવો વિકલ્પ સ્વીકારવો કે કપાત, રાહતવાળો જૂનો વિકલ્પ ચાલુ રાખવો તે બાબતમાં કરદાતાઓ નિર્ણય લઈ શકે છે.

હાલમાં વ્યક્તિગત કરદાતાઓને ૫૦,૦૦૦ રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડકશન મળે છે અને વિવિધ બચત યોજનાઓમાં ૧.૫ લાખ રૂપિયા સુધીની બચત કરી શકે છે. નવા વિકલ્પ પ્રમાણે ૨.૫ લાખથી પાંચ લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર પાંચ ટકા ટેક્સ લાગુ પડે છે. પાંચ લાખથી સાડા સાત લાખ રૂપિયા પર ૧૦ ટકા, સાડા સાતથી દસ લાખ રૂપિયા પર ૧૫ ટકા, દસ લાખથી સાડા બાર લાખ રૂપિયા પર ૨૦ ટકા, સાડા બાર લાખ રૂપિયાથી પંદર લાખ રૂપિયા સુધી ૨૫ ટકા અને પંદર લાખથી વધુ આવક પર ૩૦ ટકા ટેક્સ ચૂકવવો પડશે.

ઈ-કેલક્યુલેટરમાં બંને વિકલ્પની સરખામણી કરતો કોઠો ધરાવે છે.

इनकम टैक्स विभाग ने नए टैक्स स्लैब के अनुसार अपने टैक्स का आकलन करने और कितना टैक्स देना होगा इसके जोड़ घटाव के लिए ई-कैलकुलेटर लॉन्च किया है। इस कैलकुलेटर के लिए आपको कही जाने की जरूरत नहीं है क्योंकि यह इनकम टैक्स की साइट पर ही उपलब्ध है। यह कैलकुलेटर और टेबल आपको इनकम टैक्स विभाग की आधिकारिक ई-फाइलिंग वेबसाइट https://www.incometaxindiaefiling.gov.in पर मिल जाएगा। जिसके जरिए आप आराम से अपनी इनकम और टैक्स का जोड़ घटाव कर सकते हैं।

विभाग के अधिकारियों की माने तो इस कैलकुलेटर के जरिए बजट में हुए एलान के मुताबिक जिन लोगों ने नई व्यवस्था को चुना है उनको बिना डिडक्शन और छूट के अपना आईटीआर फाइल करने में मदद मिलेगी। इस कैलकुलेटर में कई ऑप्शन दिए गए हैं। जिसको आपको भरना होगा और फिर इनकम कैलकुलेट होकर आएगी। इसमें पहला ऑप्शन उम्र का है जिसमें तीन कैटेगिरी दी गई है। जिसमें अलग-अलग स्लैब में आने वाले टैक्सपेयर्स इलेक्ट्रॉनिक इनकम टैक्स रिटर्न को फाइल करने के लिए कर सकते हैं

पहला 60 साल से नीचे और दूसरा 60 से 70 साल के बीच और तीसरा 79 साल से उपर। इसके बाद दूसरे नंबर पर अनुमानित वार्षिक आय का ऑप्शन दिया गया है। इसके बाद तीसरा ऑप्शन है कम: छूट / कटौती। इतना करने के बाद आपको कम्पेयर वाले बटन पर क्लिक करना होगा। उसके बाद सब कुछ आपके सामने डिस्प्ले हो जाएगा।

टैक्स स्लैब में हुए हैं बदलाव
वित्त मंत्री निर्मला सीतारमण ने शनिवार को वित्त वर्ष 2020-21 का बजट पेश करते हुए टैक्स स्लैब में बदलाव किए हैं। नई कर व्यवस्था में 2.5 लाख तक की आय पर कोई टैक्स नहीं लगेगा। 2.5 लाख से 5 लाख तक की आय पर 5 फीसदी टैक्स लगेगा। 5 से 7.5 लाख तक आय पर 10 फीसदी का टैक्स लगेगा। पहले 10 फीसदी का स्लैब नहीं था। 7.5 लाख से 10 लाख की आय पर 15 फीसदी टैक्स होगा। 10 लाख से 12.5 लाख की आय पर 20 फीसदी टैक्स होगा। नई टैक्स व्यवस्था के तहत इसमें कोई डिडक्शन शामिल नहीं होगा, जो डिडक्शन लेना चाहते हैं वो पुरानी दरों से टैक्स दे सकते हैं। यानी कि टैक्सपेयर्स के लिए वैकल्पिक व्यवस्था होगी। यह नए स्लैब तब लागू होंगे, जब टैक्सपेयर अपने दूसरे एक्जेम्पशन यानी दूसरे छूट या लाभ को छोड़ेगा।

February 7, 2020
Christina-Koch_updates.jpg
1min7090

આંતરરાષ્ટ્રીય અવકાશ મથક ખાતે લગભગ એક વર્ષ જેટલો લાંબો સમય રહીને ગુરુવારે પૃથ્વી પર પાછી ફરેલી ‘નાસા’ની ક્રિસ્ટીના કૉચે મહિલા અવકાશયાત્રીનો સૌથી વધુ સમય અવકાશમાં રહેવાનો વિક્રમ તોડ્યો હતો.

યુરોપની સ્પેસ એજન્સીની લૂકા પારમિટાનો અને રશિયાની ઍલેકઝાન્ડર સ્કવૉટ્સોવ સાથે અવકાશમાં ૩૨૮ દિવસ રહ્યા બાદ ક્રિસ્ટીનાએ ગુરુવારે કઝાખસ્તાનમાં ઉતરાણ કર્યું હતું.

ક્રિસ્ટીના ગયા વર્ષની ૧૪મી માર્ચે અવકાશમાં ગઈ હતી.

રશિયાના રાસ્કોસ્મોસ સ્પેસ એજન્સીના વડા ડીમિત્રી રૉગોઝીને કહ્યું હતું કે અવકાશયાત્રીઓએ સફળતાપૂર્વક પૃથ્વી પર ઉતરાણ કર્યું હતું અને તમામનું આરોગ્ય સારું છે.

૪૧ વર્ષની ક્રિસ્ટીનાનો જન્મ અમેરિકાના મિશિગનમાં થયો હતો અને તે ઍન્જિનિયર છે.

ક્રિસ્ટીનાએ અગાઉ અવકાશમાં ૨૮૯ દિવસ રહેવાનાં પૅગી વ્હિટસને ૨૮ ડિસેમ્બર ૨૦૧૯ના નોંધાવેલા વિક્રમને તોડ્યો હતો.

પૃથ્વી પર પાછાં ફરવાનો સાડાત્રણ કલાકનો પ્રવાસ શરૂ કરતા અગાઉ પત્રકારોને આપેલી મુલાકાતમાં તેણે કહ્યું હતું કે તે માઈક્રોગ્રૅવિટીનો અનુભવ ગુમાવશે.

ત્રણ વખત અવકાશયાત્રા કરનાર ૫૯ વર્ષની વ્હિટસનને ક્રિસ્ટીનાને તેણે તેની માર્ગદર્શિકા અને આદર્શ લેખાવી હતી.

સમાનવ મંગળ મિશનને ધ્યાનમાં લેતાં ક્રિસ્ટીનાનો મૅડિકલ ડૅટા વૈજ્ઞાનિકો-ખાસ કરીને ‘નાસા’ માટે ખૂબ જ મૂલ્યવાન પુરવાર થશે.

February 6, 2020
WeChat-1.jpg
1min9660

575 લોકોનો ભોગ લઇ ચૂકેલા અને વિશ્વના 27 દેશોને ભરડામાં લેનાર કોરોના વાઇરસથી બચવા માટે હજુ સુધી કોઇ અસરકારક દવા વિકસાવી શકાઇ નથી પરંતુ, ચીનના ટેક્નોલોજીસ્ટસએ ભેગા મળીને એવી મોબાઇલ એપ્લિકેશન જરૂર વિકસાવી છે કે જે માહિતી આપે છે કે મોબાઇલ યુઝરની આસપાસ કોરોના વાઇરસગ્રસ્ત લોકો છે કે કેમ, કયા વિસ્તારમાં જવું ને કયા વિસ્તારમાં ન જવું. ત્યાં સુધી કોરોના વાઇરસને ટ્રેક કરે છે કે વાઇરસગ્રસ્ત એપ યુઝર નજીક હોય તો તેનું એક્ઝેટ લોકેશન પણ દર્શાવે છે.

ચીનના વુહાનથી 27 દેશો સુધી ફેલાયેલા મહાવિનાશક ‘કોરોના વાઇરસ’થી બચવા માટે ચાઇનીઝ નાગરિકો હવે વાઇરસ ટ્રૅકિંગ ઍપ્સ વિકસાવી છે.

ચીનની ‘ક્વૉન્ટ અર્બન’ નામની ડેટા મેપિંગ કંપની ‘વીચેટ’ નામની ચેટિંગ ઍપ્લિકેશને ખાસ મિની પ્રોગ્રામ તૈયાર કર્યા છે. આ પ્રોગ્રામ યુઝરને જાણ કરે છે કે આસપાસના કયા વિસ્તારમાં કોરોના વાઇરસના ચેપનો ભોગ બનેલા લોકો છે જેથી યુઝર્સ વધુ કાળજી લઈ શકે અથવા તો ત્યાં જવાનું ટાળી શકે.

ચેટિંગ ઍપ ‘વી ચેટ’એ ‘એપિડેમિક સિચ્યુએશન’ નામનો પ્રોગ્રામ તૈયાર કર્યો છે જે શેન્ઝેન અને ગ્વાંગઝુના દક્ષિણ તરફના વિસ્તારોને આવરી લે છે, જ્યારે ‘કવાંટઅર્બન’નો બ્રાઉઝર આધારિત નકશા પર તૈયાર થયેલો પ્રોગ્રામ એ પ્રોવિન્સનાં અન્ય નવ શહેરોને આવરી લે છે. આ બન્ને પ્લૅટફૉર્મ પર જઈને યુઝર જાણી શકે છે કે પોતાની આસપાસ કયો વિસ્તાર કોરોના વાઇરસથી અસરગ્રસ્ત છે. એ વિસ્તારથી યુઝરનું એક્ઝેક્ટ અંતર પણ દર્શાવવામાં આવે છે જેથી યુઝર એનાથી દૂર જઈને વાઇરસથી બચી શકે અથવા તો અલગ રૂટ પસંદ કરી શકે.