CIA ALERT

Blog - Page 86 of 695 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
July 3, 2024
open-247.jpg
2min601

રિટેલ ક્ષેત્રે રાતના શોપિંગને કારણે જે ક્રાંતિ આવી રહી છે એની વાત માંડવી છે. એ પણ નોંધવું કે રાતનું શોપિંગ ગ્રાહકો માટે તો નહીં, પરંતુ રિટેલર્સ અને અર્થતંત્ર માટે લાભદાયી છે.

CBRE Retail - 24/7 Retail real estate services

રિટેલ માર્કેટ ૨૪ કલાક ચાલુ રાખવા અંગે આ કોન્સેપ્ટ અમલમાં મૂકવાના પ્રારંભિક તબક્કે ઘણા વાદવિવાદ અને મતમતાંતર સર્જાયા હતા. હવે જોકે કેટલાંક રાજ્યોએ નાઇટ લાઇફવાળો આ કોન્સેપ્ટ અપનાવી લીધો છે અને એક અભ્યાસ અનુસાર તેની વપરાશ પર સીધી અસર જોવા મળી રહી છે.

દેશમાં અત્યાર સુધી સાત રાજ્યમાં રિટેલ માર્કેટ ૨૪ કલાક ઓપન રાખવાની પરવાનગી આપવામાં આવી છે. તેમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, હરિયાણા અને નવી દિલ્હી સામેલ છે. મધ્ય પ્રદેશના ભોપાલમાં તેની અનુમતિ આપવાની વાતચીત ચાલી રહી છે.

ઉપરોક્ત અભ્યાસ અનુસાર રાતના શોપિંગ પાછળ લોકો ૬૦ ટકા વધુ ખર્ચ કરી રહ્યા છે અને તે ઉપરાંત ખરીદી પણ અંદાજે ૩૦ ટકા વધી જાય છે. ક્ધઝમ્પશન અથવા તો ખરીદી કે વેચાણ વધવાનું કારણ એ છે કે લોકોને રોજનું કામ પૂર્ણ કર્યા બાદ શોપિંગ કરવા માટે વધારાનો સમય મળે છે.

ખરીદી કર્યા બાદ ઓફિસ કે ઘરે જવા સંદર્ભના સમયની મર્યાદા ન રહેવાથી નિરાંતે અને વધુ સમય શોપિંગમાં ગાળે છે. એક રિસર્ચ રિપોર્ટ અનુસાર અભ્યાસમાં એવું જાણવા મળ્યું કે રાત્રે ૧૦ વાગ્યાથી લઇને સવારે ૪ વાગ્યા વચ્ચે કરવામાં આવેલી શોપિંગ માટે કુલ પેમેન્ટ એક વર્ષમાં ૬૦ ટકા વધી ગયું હતું.

ખાસ કરીને ક્વિક-કોમર્સ, ફૂડ-બેવરેજ અને મોબિલિટી જેવા સેગમેન્ટમાં આ વૃદ્ધિ સૌથી વધુ જોવા મળી છે. જે રાજ્યોમાં મોડી રાત સુધી શોપિંગની છૂટ છે, ત્યાંનાં નાનાં શહેરોમાં આ ટ્રેન્ડ તેજીથી વધી રહ્યો છે, જે આ સેગમેન્ટમાં ક્રાંતિ આવી રહી હોવાના સંકેત આપે છે.

હવે આધુનિકવાદ સાથે યુવાઓના હાથમાં અગાઉની પેઢી કરતાં અનેક ગણી વધુ નાણાછૂટ રહેતી હોવાથી એવું જોવા મળ્યું છે કે મોડી રાત્રે ખરીદી કરવામાં યુવાઓની ભાગીદારી સૌથી વધુ જોવા મળી હતી. લગભગ બે તૃતીયાંશ લેટ નાઇટ શોપર્સ મિલેનિયલ્સ (૨૮-૪૩ વર્ષ) અને ઝેન-જી(૧૪-૩૪ વર્ષ) શ્રેણીના છે.

એ પણ નોંધવું રહ્યું કે તેમાં અડધાથી વધુ હિસ્સો મહિલાઓનો છે. રિપોર્ટ અનુસાર દેશમાં ઇન-હાઉસ પાર્ટી આપવાનું ચલણ વધી રહ્યું છે. તેનાથી લેટ નાઇટ રિટેલ સેગમેન્ટને વેગ મળી રહ્યો છે. ખાસ કરીને વીકેન્ડમાં આ ટ્રેન્ડ વધુ જોવા મળી રહ્યો છે.

રિપોર્ટ અનુસાર પાછલા એક વર્ષમાં મોડી રાત્રે થતી ખરીદી અંદાજે ૩૦ ટકા વધી છે. તે ઉપરાંત સરેરાશ ઓર્ડર મૂલ્યમાં પણ લગભગ ૧૦ ટકાનો વધારો જોવા મળ્યો છે. આનો અર્થ એ થયો કે લોકો રાત્રે વધુ ખરીદીની સાથે સાથે દરેક ખરીદી પર વધુ ખર્ચ પણ કરી રહ્યા છે.

આ ટ્રેન્ડને કારણે ઘરાકોનું અંગત બજેટ ભલે બગડે, પરંતુ એક તરફ તેને કારણે રિટેલર્સનું વેચાણ અને નફો વધે છે અને બીજી તરફ તેનાથી સીધા કે આડકતરા કરવેરાની પ્રાપ્તિમાં વધારો થવાથી સરકારની કમાણી પણ વધી રહી છે.

આ બાબત ધ્યાનમાં રાખતાં અન્ય રાજ્યો પણ આ મોડલ અપનાવવાનું સક્રિયપણે વિચારી રહ્યાં હોવાનું જાણવા મળ્યુું છે, જેમાં મધ્ય પ્રદેશ પણ સામેલ છે.

આ ટ્રેન્ડ ગ્રાહકોના બદલાતા વર્તનને જ દર્શાવતો નથી, પરંતુ સાથે જ ૨૪ કલાકની ઇકોનોમીની માગ સાથે તાલમેલ સાધવા તત્પર હોય તેવા બિઝનેસ માટે પણ મજબૂત આર્થિક તક તરીકે ઊભર્યો છે. દેશનાં મોટા ભાગનાં રાજ્યો હવે આ મોડલ અપનાવવા માટે આતુર હોવાથી દેશના રિટેલ સેગમેન્ટમાં ક્રાંતિ આવશે અને અર્થતંત્રના વિકાસમાં આ સેગમેન્ટનો ફાળો વધશે.

અનેક રાજ્ય સરકારો દ્વારા દુકાનો તેમ જ શોપિંગ સેન્ટર્સ ચોવીસ કલાક ઓપન રાખવાની અનુમતિ આપવાના નિર્ણયથી ગ્રાહકો માટેની સુવિધામાં વધારો થઇ રહ્યો છે. બીજી તરફ વેપારીઓના બિઝનેસમાં પણ વૃદ્ધિ નોંધાઇ રહી છે. બિઝનેસ ચોવીસ કલાક ચાલુ રાખવા માટે તેમને નવા કર્મચારીઓની ભરતી કરવાની જરૂરિયાત વર્તાઇ રહી છે. તેનો અર્થ છે કે રોજગારીની નવી તકોનું પણ સર્જન થઇ રહ્યું છે.

આપણે આખી કથાનો સારાંશ જોઇએ તો ચોવીસ કલાક રિટેલ સેગમેન્ટ ધમધમતું રહેશે તો વપરાશી માગમાં વધારો થશે, જે અર્થતંત્રને વિકાસ સાધવામાં મદદ કરશે. રિટેલર્સનાં વેચાણ અને નફામાં વધારો થશે, જ્યારે ગ્રાહકોને સમયના બંધન વગરની ખરીદીના એક નવા અનુભવ અને સવલતનો લાભ મળશે.

*ભારતનો રિટેલ ઉદ્યોગ ૨૦૧૯-૨૦૩૦ દરમિયાન નવ ટકાના દરે વૃદ્ધિ પામવાનો અંદાજ છે, જે ૨૦૧૯માં ૭૭૯ અબજ ડોલરથી વધીને ૧,૪૦૭ અબજ ડોલરના સ્તરે પહોંચશે.
*ભારતના રિટેલ ટ્રેડિંગ સેકટરમાં એપ્રિલ ૨૦૦૦થી ૨૦૨૩ ડિસેમ્બર દરમિયાનના સમયગાળામાં ૪.૫૬ અબજ અમેરિકન ડોલરનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ નોંધાયું છે.
*ભારતનો રિટેલ સેકટર દેશના જીડીપીમાં ૧૦ ટકા અને ૩.૫૦ કરોડથી મોટા શ્રમબળમાં લગભગ આઠ ટકા જેટલું યોગદાન આપે છે. એક અહેવાલ અનુસાર ૨૦૩૦ સુધીમાં રિટેલ ઇન્ડસ્ટ્રી ૨૫૦ લાખ લોકોને નવો રોજગાર આપશે.

July 3, 2024
reliance-foundation.jpg
4min802

રિલાયન્સ ફાઉન્ડેશનનાં ચેરપર્સન નીતા અંબાણીની પહેલ હેઠળ સ્વદેશ એક એવું પ્રદર્શન છે જેના થકી તમે આપણી અનેક હસ્તકલાઓનો પરિચય મેળવી શકશો. નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના પરિસરમાં વિવિધ હસ્તકલાઓ, તેની કારીગરી અને સાથે તેના કારીગરો જોવા મળે છે અને તેઓ જે પણ કામ કરે છે, જે પણ ચીજોનું ઉત્પાદન કરે છે તે ત્યાં સ્વદેશ સ્ટોરમાંથી અને એક્ઝિબિટમાંથી ખરીદી પણ શકાય છે.  તાજેતરમાં જ ભારતની સાત એવી હસ્તકલાઓના એક્સપર્ટ્સ કારીગરો NMACCના પરિસરમાં ગોઠવાયા છે કે જેમાંથી દરેકને વિશે જાણવું કોઇપણ ભારતીય માટે ગર્વની વાત થઇ પડે.  ગોંદ કલા, બાલુચારી સાડીઓ, અજરખ, હાથે રચાતી કલમકારી, લોંગપી પોટરી અને કાશ્મીરી જાજમોનું વણાટકામ, ગુત્તાપુસાલુ ઘરેણાંની બનાવટ જેવી નવી કાલકારી આ ઉનાળે NMACCની મહેમાન બની છે. તમે કલાકારો સાથે વાત કરો ત્યારે તેમના સમૃદ્ધ વારસાની ચમક તેમની આંખોમાં પણ દેખાઇ આવે છે. અહીં આવનારા કલાકારોને રાષ્ટ્રીય સન્માનથી પણ પુરસ્કૃત કરાયા છે કારણકે તેમણે પોતાના કલાત્મક વારસાને પેઢી દર પેઢી જીવંત રાખી લોકો સુધી પહોંચાડ્યો છે. 

સ્વદેશ સ્ટોરમાં આ તમામ હસ્તકલાનાં ઉત્પાદનોનું વેચાણ થાય છે
ગોંદ કલા – મધ્ય પ્રદેશ - રંગોના ઉઘાડથી રચાતી વાર્તાઓ તમને ગોંદ પેઇન્ટિંગ્ઝમાં જોવા મળે છે, ગોંદ પ્રજા જે સર્જન કરે તે જ ગોંદ કલા. લોકકથાઓથી માંડીને આપણાં પુરાણોની વાર્તાઓ તો સાથે કુદરતી સૌંદર્ય ગોંદ ચિત્રોમાં જોવા મળે છે. 

ગોંદ કલા – મધ્ય પ્રદેશ – રંગોના ઉઘાડથી રચાતી વાર્તાઓ તમને ગોંદ પેઇન્ટિંગ્ઝમાં જોવા મળે છે, ગોંદ પ્રજા જે સર્જન કરે તે જ ગોંદ કલા. લોકકથાઓથી માંડીને આપણાં પુરાણોની વાર્તાઓ તો સાથે કુદરતી સૌંદર્ય ગોંદ ચિત્રોમાં જોવા મળે છે. 

ડોટ અને લાઇન વર્કના ઉપયોગથી ઝીણું ચિત્રકામ કરવામાં આવે છે. ગોંદ ચિત્રો ચારકોલ, ગાયનું છાણ, છોડનાં રસ વગેરેનાં રેગોમાંથી બનાવાતા અને તે સ્ત્રીઓ ચિતરતી હવે તો તેમાં એક્રેલિક અને વૉટર કલરનો પણ ઉપયોગ થાય છે. 

ડોટ અને લાઇન વર્કના ઉપયોગથી ઝીણું ચિત્રકામ કરવામાં આવે છે. ગોંદ ચિત્રો ચારકોલ, ગાયનું છાણ, છોડનાં રસ વગેરેનાં રેગોમાંથી બનાવાતા અને તે સ્ત્રીઓ ચિતરતી હવે તો તેમાં એક્રેલિક અને વૉટર કલરનો પણ ઉપયોગ થાય છે. 

બાલુચારી સાડી - પશ્ચિમ બંગાળ- લગભગ 500 વર્ષ પહેલાં બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના બલુચર ગામમાં જન્મેલા કલાકાર બાલુચારી સાડી શાળ પર વણતાં વણતાં તેની કથા માંડે છે. રામાયણથી માંડીને મહાભારતની વાર્તાઓ આ સાડીના પાલવમાં અને બોર્ડરમાં વણી લેવાય છે. નવાબો અને યુરોપિયન આકૃતિઓ પણ બાલુચારી સાડીઓમાં જોવા મળે છે.  બાલુચારી સાડીઓ પશ્ચિમ બંગાળના વિષ્ણુપુર અને મુર્શિદાબાદમાં બનાવાની શરૂ થઇ. 1965થી, બનારસમાં પણ બાલુચારી સાડીઓનું ઉત્પાદન થવા લાગ્યું. નવાબ મુર્શીદ અલી ખાન 18મી સદીમાં બલુચારી સાડીની કળાને ઢાકાથી મુર્શિદાબાદ લાવ્યા. તેણે તેનો ઘણો પ્રચાર કર્યો. બાદમાં, બલુચર ગામ ગંગા નદીના પૂરમાં ડૂબી ગયા પછી, આ કલા બાંકુરા જિલ્લાના વિષ્ણુપુર પહોંચી હતી.

બાલુચારી સાડી – પશ્ચિમ બંગાળ- લગભગ 500 વર્ષ પહેલાં બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના બલુચર ગામમાં જન્મેલા કલાકાર બાલુચારી સાડી શાળ પર વણતાં વણતાં તેની કથા માંડે છે. રામાયણથી માંડીને મહાભારતની વાર્તાઓ આ સાડીના પાલવમાં અને બોર્ડરમાં વણી લેવાય છે. નવાબો અને યુરોપિયન આકૃતિઓ પણ બાલુચારી સાડીઓમાં જોવા મળે છે.  બાલુચારી સાડીઓ પશ્ચિમ બંગાળના વિષ્ણુપુર અને મુર્શિદાબાદમાં બનાવાની શરૂ થઇ. 1965થી, બનારસમાં પણ બાલુચારી સાડીઓનું ઉત્પાદન થવા લાગ્યું. નવાબ મુર્શીદ અલી ખાન 18મી સદીમાં બલુચારી સાડીની કળાને ઢાકાથી મુર્શિદાબાદ લાવ્યા. તેણે તેનો ઘણો પ્રચાર કર્યો. બાદમાં, બલુચર ગામ ગંગા નદીના પૂરમાં ડૂબી ગયા પછી, આ કલા બાંકુરા જિલ્લાના વિષ્ણુપુર પહોંચી હતી.

આ સાડીઓ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. આ સાડીઓ પર મહાભારત અને રામાયણના દ્રશ્યો સિવાય અન્ય ઘણા દ્રશ્યો ભરતકામ દ્વારા કોતરવામાં આવ્યા છે. એક બાલુચારી સાડી બનાવવામાં ઓછામાં ઓછું એક અઠવાડિયું અને વધુમાં વધુ ચાર મહિનાનો સમય લાગી શકે છે અને તે બનાવવા માટે બે જણ કામે લાગતા હોય છે. તેના પાલવ અને બોર્ડરમાં ચોરસ આકારમાં વાર્તા રચાય છે. બંગાળી લગ્નોમાં બલૂચરી સાડી બહુ અગત્યની ગણાય છે. 

આ સાડીઓ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. આ સાડીઓ પર મહાભારત અને રામાયણના દ્રશ્યો સિવાય અન્ય ઘણા દ્રશ્યો ભરતકામ દ્વારા કોતરવામાં આવ્યા છે. એક બાલુચારી સાડી બનાવવામાં ઓછામાં ઓછું એક અઠવાડિયું અને વધુમાં વધુ ચાર મહિનાનો સમય લાગી શકે છે અને તે બનાવવા માટે બે જણ કામે લાગતા હોય છે. તેના પાલવ અને બોર્ડરમાં ચોરસ આકારમાં વાર્તા રચાય છે. બંગાળી લગ્નોમાં બલૂચરી સાડી બહુ અગત્યની ગણાય છે. 

ગુટ્ટાપુસાલુ જ્વેલરી - આંધ્ર પ્રદેશ અને તેલંગાણા- તેલુગુમાં ગુટ્ટાનો અર્થ થાય છે

ગુટ્ટાપુસાલુ જ્વેલરી – આંધ્ર પ્રદેશ અને તેલંગાણા– તેલુગુમાં ગુટ્ટાનો અર્થ થાય છે “નાની માછલીનું જુથ અથવા ગુછ્છો”, અને પુસાલુનો અર્થ “માળા” થાય છે. ગુટ્ટાપુસાલુ ઘરેણાંની કળા ભારતમાં દક્ષિણી કિનારે માછીમારીની નજીકના વિસ્તારોમાં ખડી થઇ. મોતીનાં ગુછ્છા દર્શાવતા પુસાલુ એટલે મણકાથી એટલા સરસ ઘરેણાં બનાવાય છે કે ન પુછો વાત. અમુક મોતી સાવ ઝીણાં હોય છે. કોરોમંડળના કિનારે પર્લ ફિશરીઝમાં પાકતા તાજા પાણીનાં મોતીઓનાં ગુછ્છાને લાલ, લીલા અને સફેદ રત્નોથી સજાવાય છે અને આ ઘરેણાં એકદમ શાહી લાગે છે. ઝીણાં મોતીઓ ઘરેણાંની કિનારી બને છે અને તેની શોભામાં અભિવૃધ્ધી કરે છે. 

શ્રીકાલહસ્તી કલમકારી - આંધ્ર પ્રદેશ અને તેલંગાણા - આપણે ત્યાં જે પ્રકારે ગરમી પડે છે એ જોઇને સરસ કોટનનાં પરિધાન પહેરવાનું જ ગમે. કલમકારીથી આપણે અજાણ નથી પણ શું તમે જાણો છો કે કલમકારીની વિવિધ તકનીકોમાંથી શ્રીકાલહસ્તી કલમકારી જેમાં રંગોનો પણ ઉપયોગ થાય છે અને હાથેથી કલામ એટલે કે પેન વાપરીને ઝીણું ચિત્રકામ કરાય છે તેની ફાઇનલ પ્રોડક્ટ બને તે પહેલાં દસથી વધારે સ્ટેપ્સમાંથી આખું વસ્ત્ર પસાર થતું હોય છે. આંધ્રપ્રદેશના તિરુપતિ જિલ્લામાં કલમથી કાપડ પર રચાતો જાદુ એટલે કલમકારી. મંદિરની સજાવટથી માંડીને સાડીઓ અને દુપટ્ટાઓ સુધી કલમકારી પ્રસરેલી છે. દરેક પાત્રને અલગ રંગથી દર્શાવવામાં આવે છે ખાસ કરીને જ્યારે માણસો કે ઇશ્વરનાં ચિત્રો દોરવામાં આવે. કલમકારી બસ્સો વર્ષ પુરાણી કળા છે. જે વ્યક્તિએ આ કળા શોધી હતી તેણે પોતાના પરિવાર સિવાયનાં લોકોને પણ આ કળા શીખવી. કલમનો ઉપયોગ વાંસથી ચિત્ર બનાવવા માટે અને રંગ ભરવા માટે કરાય છે. બધા જ રંગો કુદરતી હોય છે અને કાપડ પર એક જ તત્વની જુદી જુદી અસરો લાવવા તેને અલગ અલગ મિશ્રણોમાં બોળવામાં આવે છે. ફટકડીથી માંડીને ગળીનાં પાંદડાના બ્લોક્સ તેના રંગ બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે. તેમાં ધાર્મિક વાર્તાઓ અને લોક કથાઓને ઉત્પાદનોમાં વણી લેવાય છે. 

શ્રીકાલહસ્તી કલમકારી – આંધ્ર પ્રદેશ અને તેલંગાણા – આપણે ત્યાં જે પ્રકારે ગરમી પડે છે એ જોઇને સરસ કોટનનાં પરિધાન પહેરવાનું જ ગમે. કલમકારીથી આપણે અજાણ નથી પણ શું તમે જાણો છો કે કલમકારીની વિવિધ તકનીકોમાંથી શ્રીકાલહસ્તી કલમકારી જેમાં રંગોનો પણ ઉપયોગ થાય છે અને હાથેથી કલામ એટલે કે પેન વાપરીને ઝીણું ચિત્રકામ કરાય છે તેની ફાઇનલ પ્રોડક્ટ બને તે પહેલાં દસથી વધારે સ્ટેપ્સમાંથી આખું વસ્ત્ર પસાર થતું હોય છે. આંધ્રપ્રદેશના તિરુપતિ જિલ્લામાં કલમથી કાપડ પર રચાતો જાદુ એટલે કલમકારી. મંદિરની સજાવટથી માંડીને સાડીઓ અને દુપટ્ટાઓ સુધી કલમકારી પ્રસરેલી છે. દરેક પાત્રને અલગ રંગથી દર્શાવવામાં આવે છે ખાસ કરીને જ્યારે માણસો કે ઇશ્વરનાં ચિત્રો દોરવામાં આવે. કલમકારી બસ્સો વર્ષ પુરાણી કળા છે. જે વ્યક્તિએ આ કળા શોધી હતી તેણે પોતાના પરિવાર સિવાયનાં લોકોને પણ આ કળા શીખવી. 
કલમનો ઉપયોગ વાંસથી ચિત્ર બનાવવા માટે અને રંગ ભરવા માટે કરાય છે. બધા જ રંગો કુદરતી હોય છે અને કાપડ પર એક જ તત્વની જુદી જુદી અસરો લાવવા તેને અલગ અલગ મિશ્રણોમાં બોળવામાં આવે છે. ફટકડીથી માંડીને ગળીનાં પાંદડાના બ્લોક્સ તેના રંગ બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે. તેમાં ધાર્મિક વાર્તાઓ અને લોક કથાઓને ઉત્પાદનોમાં વણી લેવાય છે. 

હેન્ડ બ્લોક પ્રિન્ટ અજરખ – ગુજરાત - અજરખનો અરબીમાં અર્થ થાય છે વાદળી- નીલો રંગ અને અજરખની બનાવટોમાં આ રંગ, ઇન્ડિગો સૌથી વધુ જોવા મળે છે. આજે પણ આ જટિલ બ્લોક પ્રિટીંગની આ હસ્તકલાનાં ઉત્પાદનો બહુ લોકપ્રિય છે. કિરમજી અને વાદળી રંગો અજરખમાં સૌથી વધુ જોવા મળે છે. તેના બ્લોક્સ પણ હાથે જ બનાવવામાં આવે છે.

હેન્ડ બ્લોક પ્રિન્ટ અજરખ – ગુજરાત – અજરખનો અરબીમાં અર્થ થાય છે વાદળી- નીલો રંગ અને અજરખની બનાવટોમાં આ રંગ, ઇન્ડિગો સૌથી વધુ જોવા મળે છે. આજે પણ આ જટિલ બ્લોક પ્રિટીંગની આ હસ્તકલાનાં ઉત્પાદનો બહુ લોકપ્રિય છે. કિરમજી અને વાદળી રંગો અજરખમાં સૌથી વધુ જોવા મળે છે. તેના બ્લોક્સ પણ હાથે જ બનાવવામાં આવે છે.

ખત્રી સમુદાય અજરખ હસ્તકલાનો વારસો ધરાવે છે અને ફુલ પત્તી, વેલ અને પ્રાણીઓને અજરખની ભાતમાં દર્શાવવામાં આવે છે. આખી પ્રક્રિયા સોળ પગલાંની છે અને આ કલા બે હજાર વર્ષ જુની છે. તેના રંગો બનાવવામાં વનસ્પતિ, ખનીજ, છોડનાં મૂળિયાં વગેરેનો ઉપયોગ કરાય છે. 

ખત્રી સમુદાય અજરખ હસ્તકલાનો વારસો ધરાવે છે અને ફુલ પત્તી, વેલ અને પ્રાણીઓને અજરખની ભાતમાં દર્શાવવામાં આવે છે. આખી પ્રક્રિયા સોળ પગલાંની છે અને આ કલા બે હજાર વર્ષ જુની છે. તેના રંગો બનાવવામાં વનસ્પતિ, ખનીજ, છોડનાં મૂળિયાં વગેરેનો ઉપયોગ કરાય છે. 

લોંગપી પોટરી - મણિપુર - મણિપુરની લોંગપી પૉટરી માટીકામની અઘરી રીત છે. કાળી માટીને લોંગપી હેમલેઇ અથવા પથ્થરની માટી તરીકે ઓળખવામાં આવે છે અને મણીપુરમાં લોંગપીને પીસીને બારીક કરી દેવાય છે. આદિવાસી મહિલાઓ ખડકો અને પથ્થરોની ટુકડી કરીને ગામમાં લાવે અને અને પછી તેને પીસી નાખે છે, તેમાં માટી ભેળવવામાં આવે. કાળો રંગ આ પૉટરીની લાક્ષણિકતા છે અને માટીનાં આ વાસણોને સ્વાસ્થ્ય માટે પણ સારા ગણાય છે. તેમાં ખાવાનું રાંધી પણ શકાય છે અને પીરસી પણ શકાય છે. મજાની વાત છે કે આ પૉટરી બનાવવામાં ચાકડાનો ઉપયોગ જ નથી થતો. 

લોંગપી પોટરી – મણિપુર – મણિપુરની લોંગપી પૉટરી માટીકામની અઘરી રીત છે. કાળી માટીને લોંગપી હેમલેઇ અથવા પથ્થરની માટી તરીકે ઓળખવામાં આવે છે અને મણીપુરમાં લોંગપીને પીસીને બારીક કરી દેવાય છે. આદિવાસી મહિલાઓ ખડકો અને પથ્થરોની ટુકડી કરીને ગામમાં લાવે અને અને પછી તેને પીસી નાખે છે, તેમાં માટી ભેળવવામાં આવે. કાળો રંગ આ પૉટરીની લાક્ષણિકતા છે અને માટીનાં આ વાસણોને સ્વાસ્થ્ય માટે પણ સારા ગણાય છે. તેમાં ખાવાનું રાંધી પણ શકાય છે અને પીરસી પણ શકાય છે. મજાની વાત છે કે આ પૉટરી બનાવવામાં ચાકડાનો ઉપયોગ જ નથી થતો. 

કાલ બાફી અને સોઝની એમ્બ્રોઇડરી (કાશ્મીર) - સોઝની અને કાલ બાફી કાશ્મરની ઓળખ છે. ઝીણું કામ એવી રીતે થાય છે કે એ જોવા બેસશો તો ચોંકી જશો. સોઝનીનું ઝીણું સોય કામ પાંચ ટાકા પ્રતિ સેન્ટીમીટરથી માંડીને 500 ટાંકા પ્રતિ સેન્ટિમીટર સુધી બદલાઇ શકે છે. કાશ્મીરનું સૌંદર્ય તેના વેલ પત્તાની ભાતમાં વર્તાઇ આવે છે. સોઝની ભરતકામ પશ્મીના શાલ અને જેકેટ્સમાં બહુ પ્રચલિત છે.

કાલ બાફી અને સોઝની એમ્બ્રોઇડરી (કાશ્મીર) – સોઝની અને કાલ બાફી કાશ્મરની ઓળખ છે. ઝીણું કામ એવી રીતે થાય છે કે એ જોવા બેસશો તો ચોંકી જશો. સોઝનીનું ઝીણું સોય કામ પાંચ ટાકા પ્રતિ સેન્ટીમીટરથી માંડીને 500 ટાંકા પ્રતિ સેન્ટિમીટર સુધી બદલાઇ શકે છે. કાશ્મીરનું સૌંદર્ય તેના વેલ પત્તાની ભાતમાં વર્તાઇ આવે છે. સોઝની ભરતકામ પશ્મીના શાલ અને જેકેટ્સમાં બહુ પ્રચલિત છે.

કાલ બાફી તો છેક પંદરમી સદીથી ચાલી આવતી હસ્તકળા છે અને તેનાથી બેનલી જાજમનાં ઉઘડતા રંગો તેની ખાસિયત છે. પર્શિયન અને મધ્ય એશિયાની જાજમોથી પ્રેરિત આ ડિઝાઇન્સ જાજરમાન લાગે છે. તે ઊન અને સિલ્ક યાર્ન બંન્નેમાં તૈયાર થાય છે અને કાશ્મીરી કારીગરો પેઢી દર પેઢીથી આ કળામાં પારંગત થતા આવ્યા છે. રિલાયન્સ ફાઉન્ડેશનનાં ચેર પર્સન નીતા અંબાણીએ સ્વદેશની પહેલ હેઠળ ભારતીય કલાઓને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાની અનોખી પહેલ ઉપાડી છે જે ખરેખર પ્રશંસનીય છે. 

કાલ બાફી તો છેક પંદરમી સદીથી ચાલી આવતી હસ્તકળા છે અને તેનાથી બેનલી જાજમનાં ઉઘડતા રંગો તેની ખાસિયત છે. પર્શિયન અને મધ્ય એશિયાની જાજમોથી પ્રેરિત આ ડિઝાઇન્સ જાજરમાન લાગે છે. તે ઊન અને સિલ્ક યાર્ન બંન્નેમાં તૈયાર થાય છે અને કાશ્મીરી કારીગરો પેઢી દર પેઢીથી આ કળામાં પારંગત થતા આવ્યા છે. રિલાયન્સ ફાઉન્ડેશનનાં ચેર પર્સન નીતા અંબાણીએ સ્વદેશની પહેલ હેઠળ ભારતીય કલાઓને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાની અનોખી પહેલ ઉપાડી છે જે ખરેખર પ્રશંસનીય છે. 

July 3, 2024
ayurveda.jpg
1min506

જેટલા પણ કેસ આપણે જોઈએ છીએ કે તેમને આયુર્વેદિક દવાઓ લેવાને કારણે તકલીફ થઈ તો એમાંના મોટા ભાગના કેસમાં ભૂલ આયુર્વેદશાસ્ત્ર કે દવાઓની બિલકુલ નથી, પરંતુ એના અનિયંત્રિત ઉપયોગની હોય છે

લોકોને લાગે છે કે આયુર્વેદિક દવાની કોઈ આડઅસર નથી હોતી, પરંતુ એવું નથી. આડઅસર દરેક વસ્તુની હોય છે. આયુર્વેદિક દવાની પણ હોય જ છે. આ દવાઓ ડૉક્ટરની સલાહ વગર જો તમે લઈ લેશો તો તકલીફ થવાની જ છે. આથી દવાઓ પર હળદરના ગુણોયુક્ત એવું વાંચીને બેફિકર થઈને લઈ ન લેવી. આ પ્રકારની દવાઓનું સેવન ન કરવાનું હોય ત્યારે કરો તો શરીરમાં પિત્તની વૃદ્ધિ થાય છે. એટલું જ નહીં, લોહીમાં શુગરનું પ્રમાણ જરૂર કરતાં ઘણું નીચે જઈ શકે છે. ત્રિભુવન કીર્તિ નામની દવા શરદી અને તાવ આવે ત્યારે લેવાતી હોય છે, પરંતુ એ પિત્ત પ્રકૃતિ ધરાવતી વ્યક્તિને ફાયદા કરતાં નુકસાન વધુ કરે છે. વિષતિંદુકાદી વટીથી ચક્કર આવવા જેવી સાઇડ-ઇફેક્ટ સામાન્ય છે. જેને સંધિવાત હોય એવી વ્યક્તિ જો ગુગ્ગુલ દવા લે તો તકલીફ થાય છે. તેમને મહારાસ્નાદી કવાથ પણ ન અપાય. તમાકુ કે કપૂરનો ઉપયોગ જે દવાઓમાં થતો હોય એ દવાઓ ખાવાથી હૃદયની ગતિમાં તકલીફ આવી શકે છે. અભ્યંગ તેલથી બનતી ઔષધિની આડઅસરો ઘણી ગંભીર પણ હોઈ શકે છે. આસવ અરિષ્ટને લાંબો સમય સુધી લેવામાં આવે કે એને લેતી વખતે સાવધાની ન રાખીએ તો એ લિવર પર આડઅસર કરે છે એવા કેસ ઘણા જોવા મળે છે. 

અલગ-અલગ પ્રકારની ભસ્મોના સેવનથી કિડની પર અસર થાય છે.

જેટલા પણ કેસ આપણે જોઈએ છીએ કે તેમને આયુર્વેદિક દવાઓ લેવાને કારણે તકલીફ થઈ તો એમાંના મોટા ભાગના કેસમાં ભૂલ આયુર્વેદશાસ્ત્ર કે દવાઓની બિલકુલ નથી, પરંતુ એના અનિયંત્રિત ઉપયોગની હોય છે. આયુર્વેદશાસ્ત્રમાં દરેક ઔષધિને વધુમાં વધુ કેટલો સમય લઈ શકાય, ઔષધિ કેટલો સમય કામ કરશે, કેટલા સમયમાં અને કઈ રીતે બગડી જશે એ બધું જ લખ્યું છે. જો દવાઓને ખોટી રીતે રાખવામાં આવે તો એમાં કીડા થઈ જાય કે એ ફુગાય પણ જઈ શકે છે. આવા સંજોગોમાં ધ્યાન ન રાખીએ તો નુકસાન થવાનું જ છે.

પંચકર્મ વૈદ્ય દ્વારા જ થવું જોઈએ. જો વૈદ્યની હાજરી વગર કોઈ પણ અણઘડ માણસ એ કરે તો ભસ્તી, વિરેચન અને નસ્યના પ્રયોગો ઘટક પણ સાબિત થઈ જતા હોય છે. સમાજમાં એવા કેસ સાંભળવા મળતા જ હોય છે. આ બધું હું એટલે નથી કહી રહ્યો કે તમે ડરી જાઓ; પરંતુ આજકાલ જે ખુદ જ પંડિત બની ગયા છે, વગર ભણ્યે ડૉક્ટરની ડિગ્રી ધરાવે છે અને ઇન્ટરનેટ પર સર્ચ કરીને ઇલાજ શરૂ કરી દે છે એ બધી જ પરિસ્થિતિથી ચેતવવા માટે આ કહી રહ્યો છું.

July 3, 2024
shutterstock_1844916328-1280x690.jpg
1min358

૬ ખર્વ યેન એટલે કે ૯.૯ અબજ ડોલર મૂલ્યની નવી નોટો બજારમાં મુકી: ૧૦૦૦૦ યેનના નવી નોટો પર એક વ્યવસાયી શિબુસાવા એઇઇચુનું ચિત્ર

Banknotes The Benefits of Holography (Part 2) - Keesing Platform

ટોક્યોની નિહોનબાશિ સ્થિત બેંક ઓફ જાપાને ૨૦ વર્ષ પછી પહેલીવાર નવું ચલણ બહાર પાડયું છે. બેંક ઓફ જાપાનના ગર્વનર ઉએદા કાજુઓએ જણાવ્યું હતું કે બેંક પહેલા દિવસે ૧૬ ખર્વ યેન એટલે કે ૯.૯ અબજ ડોલર મૂલ્યની નવી નોટો બજારમાં બહાર પાડશે. કેન્દ્રી. બેંક દ્વારા નાણાકિય સંસ્થાનોને નવી નોટોના બંડલ સોપવામાં આવ્યા હતા.

૧૦૦૦૦ યેનના નવી નોટો પર એક વ્યવસાયી શિબુસાવા એઇઇચુનું ચિત્ર છે જેમને આધુનિક જાપાનની અર્થ વ્યવસ્થાના જનક માનવામાં આવે છે. તેમને જુદા જુદા ૫૦૦ જેટલા વ્યવસાયોની શરુઆત અને વિકાસ કર્યો હતો. ૫૦૦૦ યેનની નવી નોટો પર ત્સુદા ઉમેકોની તસ્વીર છે. જે શિક્ષણ જવા માટે વિદેશ જવાની મહિલાઓમાંની એક હતી. ૧૦૦૦ યેનની નવી નોટો પર કિતાસાતો શિબાસાબુરોનું ચિત્ર છે. કિતાસાતો એક જીવાણુ વિજ્ઞાાની હતા જે ટેટનસનો ઇલાજ શોધ્યો હતો.

જાપાનની ચલણી નોટોમાં નવીનત્તમ હોલોગ્રામ તકનીક સામેલ કરવામાં આવી છે.આથી નકલી નોટ બનાવવી શકય બનશે નહી.જાપાનના નેશનલ પ્રિન્ટિંગ બ્યૂરોના જણાવ્યા અનુસાર દુનિયામાં પહેલી વાર ચલણી નોટો પર હોલોગ્રામ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નોટોમાં થ્રીડી જોવા મળે છે જેનાથી સુરક્ષા ફિચર્સ મજબૂત બનશે. 

July 3, 2024
green-lab-cia-sgcci.jpeg
1min293

ચેમ્બરના પ્રતિનિધિ મંડળે લેબમાં બનતા ડાયમંડથી લઇને સંપૂર્ણ જ્વેલરી બનવા સુધીની તેમજ કવોલિટી ચેક સુધીની સમગ્ર પ્રક્રિયા વિશે વિસ્તૃત જાણકારી મેળવી

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના માનદ્‌ મંત્રી શ્રી નિરવ માંડલેવાલા અને માનદ્‌ ખજાનચી શ્રી મૃણાલ શુકલની આગેવાનીમાં ચેમ્બરના ગૃપ ચેરમેનો શ્રી દીપક કુમાર શેઠવાલા, ડો. અનિલ સરાવગી અને શ્રી ભાવેશ ટેલર તથા ચેમ્બરની ઇન્ડસ્ટ્રીયલ ટુર કમિટીના કો–ચેરમેન શ્રી અમિત શાહ સહિત ૪પથી વધુ સભ્યોના પ્રતિનિધિ મંડળે બુધવાર, તા. ૩ જુલાઇ, ર૦ર૪ના રોજ ઇચ્છાપોર ખાતે ગુજરાત હીરા બુર્સમાં આવેલા ગ્રીન લેબ ડાયમંડ્‌સ LLPની ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ લીધી હતી.

ગ્રીન લેબ ડાયમંડ્‌સ LLPના પાયોનિયર શ્રી મુકેશ પટેલ અને શ્રી જિતેશ પટેલ તથા ડિરેકટર શ્રી સ્મીત પટેલે ચેમ્બરના પ્રતિનિધિ મંડળને આવકાર્યું હતું. શ્રી સ્મીત પટેલે લેબમાં ચોકકસ પ્રકારના પ્રેશરમાં બનતા લેબગ્રોન ડાયમંડથી લઇને સંપૂર્ણ જ્વેલરી બનાવવાની પ્રક્રિયા વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે પાયાથી લઇને કવોલિટી ચેક સુધીની પ્રોસેસની સમજણ આપી હતી. સાથે જ તેમણે કંપનીની ત્રણ દાયકાની સફર અંગે જાણકારી માહિતી આપી હતી. રીયલ ડાયમંડમાંથી લેબ ગ્રોન ડાયમંડમાં ઝંપલાવવા પાછળના તારણો વિશે પણ તેમણે વિસ્તૃત માહિતી આપી હતી.

ચેમ્બરના પ્રતિનિધિ મંડળે ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ દરમ્યાન ગ્રીન લેબ ડાયમંડ્‌સ LLP ખાતે મિટીંગ પણ કરી હતી. જેમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના માનદ્‌ મંત્રી શ્રી નિરવ માંડલેવાલાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. જ્યારે ચેમ્બરના ગૃપ ચેરમેન શ્રી ભાવેશ ટેલરે સર્વેનો આભાર માન્યો હતો.

July 3, 2024
image-1.jpeg
1min273

યૂન ૨૦૨૨માં રાષ્ટ્રપતિ બન્યા પછી તેઓ અલોકપ્રિય રહયા છે. મહાભિયોગ માટે સંસદમાં બે તૃતિયાંશ બહુમતિ હોવી જરુરી છે

સિઓલ,૧ જૂલાઇ,૨૦૨૪,સોમવાર દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન વિરુધના મહાભિયોગની ઓનલાઇન અરજીમાં ૮.૧૧ લાખથી વધુ લોકોએ હસ્તાક્ષર કર્યા છે. સંસદની વેબસાઇટ પર ૨૦ જૂનથી જે મહાભિયોગની કાર્યવાહી શરુ થઇ છે. વેબસાઇટ પર લોકો ઓનલાઇન અરજી કરે છે તેમાં ખૂબજ વિલંબ થતો હોવાની ફરિયાદો પણ ઉઠી છે. ૪ કલાક સુધી વેબસાઇટ પર એરર મેસેજ આવતો હતો. ૩૦ હજારથી વધુ લોકોને વેબસાઇટ ખોલવામાં મુશ્કેલી પડી હતી.  આ અંગે દક્ષિણ કોરિયાની સંસદના સ્પીકર વૂ વૂન શિકે વેબસાઇટ પરની ટેકનિકલ સમસ્યા ઝડપથી દૂર કરવાનું આશ્વાસન આપ્યું છે.

૩૦ જૂનના રોજ એક નિવેદનમાં સ્પીકર વૂએ અવરોધ માટે માફી માંગી અને સંસદ જનતા માટે સંવૈધાનિક અધિકારના રક્ષણ માટે યોગ્ય પગલા ભરશે.  અરજીમાં એવી માંગ કરવામાં આવી છે કે યૂએન પદ પર લાયક નથી એવો કાયદો બનવો જોઇએ. રાષ્ટ્રપતિ પર ઉત્તર કોરિયા સાથે યુદ્ધ ભડકાવવાનો આરોપ મુકયો છે. જાપાનને નાશ પાંમેલા ફુકુશિમા પરમાણુ ઉર્જા સંયંત્રને રેડિયોએકટિવ પાણી છોડતું અટકાવી શકયા નથી. આથી સ્વાસ્થ્ય સંબધી જોખમ ઉભું થયું છે. 

યૂન ૨૦૨૨માં રાષ્ટ્રપતિ બન્યા પછી તેઓ અલોકપ્રિય રહયા છે. દક્ષિણ કોરિયામાં સર્વોચ્ચ રાષ્ટ્રપતિ પદ પર મહાભિયોગ કોઇ નવાઇની વાત નથી. ૨૦૦૪માં રો હ્ય્યૂન અને ૨૦૧૭માં પાર્ક ગ્યૂવ હાઇ પદ પરથી ઉતરી જવું પડયું હતું.પાર્કને કોર્ટે પદ પરથી હટાવ્યા હતા પરંતુ ત્યાર પછી ફરી પદ સંભાળી લીધું હતું. દક્ષિણ કોરિયાની સંસદમાં બે તૃતિયાંશ બહુમતિ સાથે રાષ્ટપતિ વિરુધ મહાભિયોગ લાવી શકાય છે. 

July 3, 2024
image.jpeg
1min260

કેન્દ્ર સરકારે તાજેતરમાં કર્મચારી પેન્શન યોજના, 1995માં ફેરફાર કર્યા છે. નવા નિયમો હેઠળ, હવે એવા કર્મચારીઓ પણ પોતાનો પીએફ ઉપાડી શકશે કે, જેઓએ છ મહિનાથી ઓછા સમય સુધી યોગદાન આપ્યું હોય. આ ફેરફારથી દેશભરના સાત લાખથી વધુ ઈપીએસ (EPS) સભ્યોને લાભ થશે. અગાઉ, ઉપાડ લાભો ફક્ત તે કર્મચારીઓને જ ઉપલબ્ધ હતો, જેમણે ઓછામાં ઓછા 6 મહિના માટે યોગદાન આપ્યું હતું. આ નિયમના કારણે છ મહિનાથી ઓછા સમયમાં (પ્રિ-મેચ્યોર) આ સ્કીમ બંધ કરાવનાર ઈપીએસ સભ્યોને નુકસાન થતુ હતું. પરંતુ હવે તમામને ઈપીએસ ઉપાડનો લાભ મળશે.

નવા નિયમમાં ફેરફાર

સંશોધિત નિયમો અનુસાર, હવે ઉપાડના લાભો સેવાના પૂર્ણ થયેલા મહિનાઓની સંખ્યા અને EPS યોગદાનના પગારના આધારે નક્કી કરવામાં આવશે. જેમાં કોષ્ટક Dમાં કરાયેલા ફેરફારો સમાવિષ્ટ છે, અગાઉ 6 મહિના કરતાં ઓછું યોગદાન આપરનારા લોકો માટે ફ્રેક્શનલ સર્વિસ પિરિયડ્સની અવગણના કરવામાં આવી હતી. શ્રમ અને રોજગાર મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ સુધારો તમામ ઈપીએસ સભ્યો, સેવાના સમયગાળાને ધ્યાનમાં લીધા વિના, યોજનામાંથી દૂર થવા પર યોગ્ય વળતર આપવાની ખાતરી આપે છે.

અગાઉ, ઘણા ઈપીએસ સભ્યો પેન્શન પાત્રતા માટે નિર્ધારિત 10 વર્ષની યોગદાન સેવા પૂર્ણ કર્યા પહેલા જ યોજના છોડી દેતા હતા. આ સભ્યોને હવે ઉપાડની જોગવાઈઓનો લાભ મળશે. જે કર્મચારીઓએ તાજેતરમાં નોકરી છોડી દીધી છે અથવા 6 મહિનાના યોગદાન બાદ નોકરી છોડવાનું વિચારી રહ્યા છે તેઓએ નવા નિયમો હેઠળ ઉપાડ લાભો માટેની તેમની પાત્રતા ચકાસવી જોઈએ. તેઓ તેમના એમ્પ્લોયરનો સંપર્ક કરી શકે છે અથવા દાવાની પ્રક્રિયા અને ક્લેમ સંબંધિત જરૂરી માહિતી માટે EPFO વેબસાઈટની મુલાકાત લઈ શકે છે.

કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, કોષ્ટક Dના સરળીકરણના કારણે આ સ્કીમ હેઠળ 23 લાખથી વધુ કર્મચારીઓને લાભ મળશે. દરવર્ષે 95 લાખથી વધુ ઈપીએસ સભ્યો પેન્શન માટે 10 વર્ષનું ફરિજ્યાત યોગદાન આપ્યા વિના જ સ્કીમ બંધ કરાવી રહ્યા છે.

July 3, 2024
sensex_green.jpg
1min234

ભારતીય શેરબજારમાં અવિરત તેજીનો દોર સતત જળવાઈ રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી રોજ નવી રેકોર્ડ ટોચ બનાવી આગેકૂચ કરી રહ્યા છે. છેલ્લા એક માસમાં સેન્સેક્સે 4.60 ટકા ઉછળી 80000નું ઐતિહાસિક લેવલ ક્રોસ કર્યું છે. નિફ્ટી પણ 25000 તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે.

India Surpasses Hong Kong, Emerges as the World's Fourth Largest Stock  Market by Market Capitalization

ગત 3 મેના રોજ સેન્સેક્સ 76468 પોઈન્ટ હતો, આજે તે 3518 પોઈન્ટ વધી 79986.80ના સ્તરે બંધ રહ્યો છે. જે ગઈકાલના બંધ સામે 545.35 પોઈન્ટ ઉછાળો દર્શાવે છે. નિફ્ટી પણ 24309.15ની રેકોર્ડ ટોચ નોંધાવ્યા બાદ અંતે 162.65 પોઈન્ટ ઉછળી 24286.50 પર બંધ રહ્યો હતો. આજે રોકાણકારોની મૂડીમાં 3.3 લાખ કરોડની વૃદ્ધિ સાથે બીએસઈ માર્કેટ કેપ 445.49 લાખ કરોડ થઈ હતી.

ભારતીય બેન્કોની ગ્રોસ એનપીએ 12 વર્ષના તળિયે પહોંચી છે, બેલેન્સશીટમાં પણ સુધારો થવાથી બેન્કિંગ અને ફાઈનાન્સિયલ સર્વિસિઝ સેગમેન્ટના શેર્સમાં બમ્પર તેજી જોવા મળી છે. આ ટ્રેન્ડ આગામી થોડા સમય સુધી જળવાઈ રહેવાનો સંકેત માર્કેટ નિષ્ણાતો આપી રહ્યા છે.

વૈશ્વિક મોરચે ફુગાવામાં ઘટાડો, વ્યાજદરમાં ઘટાડાની અસર

વૈશ્વિક સ્તરે વિશ્વની મહાસત્તા ધરાવતા અમેરિકી ફેડ રિઝર્વે ફુગાવાનો દર કેલેન્ડર વર્ષ 2025ના અંત સુધી 2 ટકાના સ્તરે સ્થિર થવાનો સંકેત આપ્યો છે. જેની સકારાત્મક અસરો જોવા મળી છે. તેમજ આ સ્પ્ટેમ્બરથી ફેડ દ્વારા વ્યાજદરમાં ઘટાડો શરૂ થવાનો આશાવાદ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.

બજેટ અંગે સકારાત્મક અભિગમ

આ મહિનાના અંતિમ સપ્તાહમાં જાહેર થનારા બજેટ 2024-25માં નવી સરકાર તમામ ક્ષેત્રો માટે સકારાત્મક જાહેરાતો કરશે તેવી શક્યતા છે. જેમાં મધ્યમવર્ગને ફોકસમાં રાખી ટેક્સમાં સુધારા, ઈન્ફ્રા ક્ષેત્રે તેની યોજનાઓને વેગ ઉપરાંત પીએલઆઈ સ્કીમનું વિસ્તરણ જેવી બાબતો સમાવિષ્ટ છે.

આર્થિક સ્થિતિ મજબૂત

દેશની આર્થિક સ્થિતિ મજબૂત બની રહી છે. જૂનમાં મજબૂત જીએસટી કલેક્શન, મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ ઈન્ડેક્સ જૂનમાં 58.3 રહેતાં તેમજ જૂન ત્રિમાસિકમાં કોર્પોરેટ્સ દ્વારા આકર્ષક પરિણામો જારી થવાની શક્યતા સહિત તમામ આર્થિક પરિબળો પોઝિટીવ છે. આરબીઆઈએ જૂન ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ 7.3 ટકાના દરે મજબૂત નોંધાવાનો સંકેત આપ્યો છે.

July 3, 2024
bholebaba.png
1min288
Who is Hathras Bhole Baba? Whose Satsang Took Life of 116 People | Republic  World

હાથરસમાં ભોલે બાબાના સત્સંગમાં નાસભાગને કારણે 122 લોકોના મોત થયા હતા. હજુ પણ ઘણાં લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ દરમિયાન જેમના સત્સંગમાં દુર્ઘટના થઇ એ ભોલે બાબા ઉર્ફે નારાયણ સાકર હરિનું ઘટના અંગે પ્રથમ નિવેદન સામે આવ્યું છે. ભોલે બાબાએ એક નિવેદન જારી કરીને આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને દાવો કર્યો છે કે નાસભાગ અસામાજિક અને તોફાની તત્ત્વો દ્વારા કરાઈ હતી અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી માગણી કરી હતી.

નારાયણ સાકર હરિ ઉર્ફે ભોલે બાબાએ તેમના વકીલ દ્વારા એક નિવેદન જારી કરીને કહ્યું કે, અમે મૃતકોના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ અને ઘાયલોની ઝડપથી સ્વસ્થતા માટે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ ડૉ. એ.પી. સિંહને નાસભાગ મચાવનારા અસામાજિક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે. હું 2 જુલાઈના રોજ હાથરસના ફુલારી ગામ, સિકંદરરાવ ખાતે આયોજિત સત્સંગમાં દુર્ઘટના થઇ એ પહેલા જ સત્સંગમાંથી નીકળી ગયો હતો.

80 હજાર લોકોની હાજરીની મંજૂરી લેવાઈ હતી 

આ ઘટના સિકંદરારાઉ વિસ્તારના ફૂલરાઈ ગામમાં માનવ મંગલ મિલન સદભાવના સમિતિએ 150 વીઘાના ખુલ્લા મેદાનમાં સત્સંગનું આયોજન કર્યું હતું. પોલીસ એફઆઈઆર મુજબ, કાર્યક્રમમાં 80 હજાર લોકોની હાજરી માટે પરવાનગી લેવામાં આવી હતી અને ત્રણ ગણી વધુ એટલે કે 2.5 લાખ લોકોની ભીડ એકઠી થઈ હતી. વ્યવસ્થા પણ બાબાના સેવકો અને આયોજક સમિતિ સાથે સંકળાયેલા લોકો સંભાળે છે. માત્ર 40 પોલીસ કર્મચારીઓ ઘટનાસ્થળે હતા. 

કોના પર એફઆઈઆર થઈ?

આ ઘટનાના મુખ્ય આરોપી ઓર્ગેનાઈઝર અને સેવાદાર દેવપ્રકાશ મધુકર છે. તે સિકંદરારાઉનો રહેવાસી છે. તેમજ તેના વિરુદ્ધ  ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 105, 110, 126 (2), 223, 238 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. સવાલ એ છે કે આ અકસ્માત માટે જવાબદાર કોણ? 80 હજારની પરવાનગીમાં 2.5 લાખ લોકો કેવી રીતે આવ્યા? શું વહીવટીતંત્રને આ બાબતની જાણ ન હતી? 

શું હતું કારણ?

એફઆઈઆર અનુસાર, કથિત રીતે ભોલે બાબા બપોરે 2 વાગ્યે તેમની કારમાં ત્યાંથી નીકળી રહ્યા હતા ત્યારે નાસભાગ મચી ગઈ હતી. જ્યાં જ્યાં બાબાની કાર પસાર થતી હતી ત્યાં તેમના અનુયાયીઓ ધૂળ એકઠી કરવા લાગ્યા હતા. થોડી જ વારમાં, લાખોની બેકાબૂ ભીડમાં નાસભાગ મચી ગઇ હતી અને ઘણા લોકો કચડાયા હતા જેમાં 121 લોકોના મોત તેમજ અન્યા ઘણા ઘાયલ થયા હતા. 

સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો મામલો 

હાથરસમાં થયેલી નાસભાગને લઈને સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની દેખરેખ હેઠળ 5 સભ્યોની નિષ્ણાત સમિતિ દ્વારા તપાસ કરાવવાની વિનંતી કરવામાં આવી છે. અલ્લાહાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને પણ અરજી મોકલીને સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી છે.

July 3, 2024
kejri.jpg
1min247

કથિત એક્સાઈઝ પોલિસી કૌભાંડમાં સીબીઆઈ દ્વારા નોંધાયેલા કેસમાં જામીન મેળવવા માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે દિલ્હી હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજકની સીબીઆઈ દ્વારા 26 જૂને તિહાર જેલમાંથી ધરપકડ કરવામાં આવી હતી, જ્યાં તેઓ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા નોંધાયેલા મની લોન્ડરિંગ કેસમાં હજુ સુધી ન્યાયિક કસ્ટડીમાં છે. જોકે,  કેજરીવાલે CBI કેસમાં પોતાની ધરપકડને હાઈકોર્ટમાં પડકારી છે.

CBI તપાસ ચાલુ છે, તેની આડમાં મને પરેશાન કરાઈ રહ્યો છે

કેજરીવાલે જામીન માટે દાખલ કરેલી અરજીમાં CBI સામે કેટલાક મોટા દાવા કર્યા છે. જેમા તેમણે કહ્યું છે કે, ‘એપ્રિલ 2023માં જ્યારે મને બોલાવવામાં આવ્યો, ત્યારે મેં સીબીઆઈને સંપૂર્ણ સહયોગ આપ્યો હતો. મારી ધરપકડ સંપૂર્ણપણે ગેરકાયદે અને ગેરબંધારણીય છે. રિમાન્ડ ઓર્ડર સ્પષ્ટપણે નિયમિત છે, જેના કારણે ધરપકડ અને કાર્યવાહીની સમગ્ર પ્રક્રિયાને અસર થઈ રહી છે. CBI તપાસ ચાલુ છે, તેની આડમાં મને સતત હેરાન-પરેશાન કરી રહી છે.”

આ અરજીમાં કેજરીવાલે તેનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, “આ ગંભીર નિરાશા અને ચિંતાનો વિષય છે. તપાસ તો પહેલાથી જ પૂરી થઈ ગઈ છે, મારી ધરપકડનો આધાર બની શકે તેવી સામગ્રી પહેલેથી જ એકત્રિત કરી લેવામાં આવી છે. સીબીઆઈ જેવી મુખ્ય તપાસ એજન્સી કાયદાની પ્રક્રિયા સાથે ચેડાં ન કરી શકે અને સીબીઆઈએ કોઈપણ જાતના પૂર્વગ્રહ અથવા એકતરફી અભિગમની ધારણાને દૂર કરી નિષ્પક્ષતા સાથે કામ કરવું જોઈએ. આ સ્પષ્ટ રીતે હેરાનગતિ છે. સીબીઆઈનું વર્તન સ્પષ્ટ રીતે દ્વેષભાવથી ભરેલું છે. મારી સ્વતંત્રતાને મનમાની અને લાપરવાઈથી છીનવી લીધી છે.”

આ મને મુક્ત થવા પર રોકવાનો પ્રયાસ થઈ રહ્યો છે

કેજરીવાલે પોતાની વિરુદ્ધના પુરાવા અંગે અરજીમાં કહ્યું છે કે, ‘એ વાત સ્પષ્ટ છે કે મને હેરાન કરાઈ રહ્યો છે. તેમજ જે પુરાવાના આધારે મારી ધરપકડ કરવામાં આવી છે, તે પેહલેથી જ રેકોર્ડ પર છે, અને આ કેસ નોંધાયાના 1 વર્ષ અને 10 મહિના પછી પણ આવા પુરાવા એકત્ર કર્યાના ઘણાં મહિનાઓ પછી ધરપકડનો પ્રશ્ન માત્ર કાયદાકીય રીતે સ્વીકાર્ય નથી, એટલે સ્પષ્ટપણે આ દ્વેષભાવપૂર્વક થઈ રહ્યું છે. ધરપકડનો સમય મારી કસ્ટડીમાંથી મુક્તિને રોકવા, ટાળવા અને અટકાવવાના પ્રયાસ થઈ દર્શાવે છે. કારણ કે PMLA કેસમાં મને નિયમિત જામીન આપવામાં આવ્યા છે.

CBIનો ઉદ્દેશ્ય કેજરીવાલની સ્વતંત્રતા છીનવી લેવાનો છે

અરજીમાં કેજરીવાલે CBI જે પુરાવા પર કામ કરી રહી છે તે અંગે કહ્યું કે, મને કલમ 41(1)(b)(in) ના દરેક સિદ્ધાંતો CRPCની સાથે સાથે ધરપકડની આવશ્યકતાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે, અને માત્ર દંડાત્મક કેદ આપવામાં આવી છે, તેમનો ઉદ્દેશ્ય મારી સ્વતંત્રતા છીનવી લેવાનો છે,અને મનમાની કરીને આ રીતે કેદ કરવામાં આવ્યો છે. સીબીઆઈ દ્વારા જે રેકોર્ડ પર આધાર રાખીને કામ કરી રહી છે, તેના પર એક નજર કરશો તો જાણવા મળશે કે, જે કથિત પુરાવાનો કાર્યવાહી માટે આધાર રાખે છે, તે ઘણા વર્ષો પહેલા સામે આવી ચુક્યા હતા. જેના આધારે ઘણા આરોપીઓના નામ જાહેર કરવામાં આવ્યા હતા.

CBI દ્વારા હેરાનગતિ અને ત્રાસ આપવામાં આવે છે: કેજરીવાલનો દાવો

દિલ્હી હાઈકોર્ટ સમક્ષ પોતાની જામીન અરજીમાં અરવિંદ કેજરીવાલે દાવો કર્યો છે કે, CBI દ્વારા હેરાન અને ત્રાસ આપવામાં આવે છે. અને એજન્સીનું વર્તન સ્પષ્ટ રીતે દુર્ભાવનાપૂર્ણ છે. CBI ચાલુ તપાસ ચાલુ છેની આડમાં તેમને સતત હેરાન કરી રહી છે.આ ગંભીર નિરાશા અને ચિંતાનો વિષય છે. તપાસ તો પહેલાથી જ પૂરી થઈ ગઈ છે, તેમની ધરપકડનો આધાર બની શકે તેવી સામગ્રી પહેલેથી જ એકત્રિત કરી લેવામાં આવી છે. કેજરીવાલ વધુ જણાવે છે કે, સીબીઆઈ જેવી મુખ્ય તપાસ એજન્સી કાયદાની પ્રક્રિયા સાથે ચેડા  ન કરી શકે અને સીબીઆઈએ કોઈપણ જાતના પૂર્વગ્રહ અથવા એકતરફી અભિગમની ધારણાને દૂર કરી નિષ્પક્ષતા સાથે કામ કરવું જોઈ, આ સ્પષ્ટ રીતે હેરાનગતિ છે.