Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
પૅરિસ 2024 ઑલિમ્પિક્સના (Paris Olympics 2024) ઉદ્ઘાટન સમારોહ પહેલા, ઇન્ટરનેશનલ ઑલિમ્પિક કમિટી (IOC) એ બુધવાર, 24 જુલાઈએ જાહેરાત કરી હતી કે ભારતના રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક નીતા મુકેશ અંબાણીને ભારત વતી IOC પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પૅરિસમાં 142માં IOC સત્રમાં નીતા અંબાણી100 ટકા મત સાથે સર્વસંમતિથી ફરી ચૂંટાયા બાદ નીતા અંબાણીએ કહ્યું, “આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક સમિતિના સભ્ય તરીકે ફરીથી ચૂંટાઈને હું ખૂબ જ ગૌરવ અનુભવું છું.
નીતા અંબાણીએ કહ્યું “હું રાષ્ટ્રપતિ બાક અને IOC ખાતેના મારા તમામ સાથીદારોનો મારા પ્રત્યે વિશ્વાસ દાખવવા બદલ આભાર માનું છું. આ પુનઃચૂંટણી માત્ર એક વ્યક્તિગત સીમાચિહ્નરૂપ નથી પણ વૈશ્વિક રમતગમતના ક્ષેત્રમાં ભારતના વધતા પ્રભાવની માન્યતા પણ છે. હું દરેક ભારતીય સાથે આનંદ અને ગર્વની આ ક્ષણ શૅર કરું છું અને ભારત અને સમગ્ર વિશ્વમાં ઑલિમ્પિક ચળવળને મજબૂત કરવાના અમારા પ્રયાસો ચાલુ રાખવા માટે ઉત્સુક છું.” નીતા અંબાણીનો (Paris Olympics 2024) પ્રથમ વખત 2016માં રિયો ડી જાનેરો ઑલિમ્પિક ગેમ્સમાં પરિચય થયો હતો. ત્યારથી તેઓ IOC માં જોડાનાર ભારતના પ્રથમ મહિલા બન્યા હતા અને તેમણે પહેલેથી જ આ એસોસિએશન માટે ખૂબ જ પ્રયત્નો કર્યા છે, તેમજ ભારતની રમતગમતની મહત્વાકાંક્ષાઓ અને ઑલિમ્પિક વિઝનની હિમાયત કરી છે.
તાજેતરમાં ઓક્ટોબર 2023 માં જ મુંબઈમાં 40 કરતાં વધુ વર્ષો બાદ પહેલું IOC સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની વિશ્વ સામે એક નવા, મહત્વાકાંક્ષી ભારતનું પ્રદર્શન (Paris Olympics 2024) કરવા માટે પ્રશંસા કરવામાં આવી હતી. રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન તરીકે નીતા અંબાણી લાખો ભારતીયોને સંસાધનો અને તકોથી સશક્ત કરવા માંગે છે. નીતા અંબાણીએ રમતગમત, શિક્ષણ, આરોગ્ય, કળા અને સંસ્કૃતિમાં વિવિધ પહેલોનું નેતૃત્વ કરે છે – આ તમામનો હેતુ સમગ્ર દેશમાં લોકોના જીવનને સુધારવાનો છે. રિલાયન્સ ફાઉન્ડેશન ભારતના રમતગમતના વિકાસને આગળ વધારવામાં મોખરે છે, તેના કાર્યક્રમો ભારતના 22.9 મિલિયનથી વધુ બાળકો અને યુવાનો સુધી પાયાના સ્તરથી લઈને ઉચ્ચ સ્તર સુધી પહોંચે છે.
સમગ્ર ભારતમાં વિવિધ પ્રકારની રમતોને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, ખાસ કરીને દૂરના વિસ્તારોમાં જ્યાં રમતગમત અને સાધનોની કોઈ પહોંચ્યા નથી. ભારતીય ઑલિમ્પિક એસોસિએશન (Paris Olympics 2024) (IOA) સાથે લાંબા ગાળાની ભાગીદારીના ભાગરૂપે, રિલાયન્સ ફાઉન્ડેશન આ ઉનાળામાં પૅરિસ ઓલિમ્પિક્સ 2024માં પ્રથમ ઈન્ડિયા હાઉસ ખોલી રહ્યું છે. ઈન્ડિયા હાઉસ એથ્લેટ્સ માટે `ઘરથી દૂર ઘર` હશે, જે જીતની ઉજવણી કરવાનું અને વિશ્વ સાથે ભારતની ઑલિમ્પિક સફર શૅર કરવાનું સ્થળ હશે. તે વૈશ્વિક રમતોમાં મોટી શક્તિ બનવાની, ઑલિમ્પિક્સમાં વધુ સફળતા મેળવવા અને ભવિષ્યમાં ગેમ્સની યજમાની તરફનો માર્ગ મોકળો કરવાની ભારતની મહત્વાકાંક્ષાઓને દર્શાવે છે.
અમિતાભ બચ્ચન હવે બારમી ઑગસ્ટથી ‘કૌન બનેગા કરોડપતિ 16’ લઈને આવી રહ્યા છે. ‘કૌન બનેગા કરોડપતિ 15’નો અંત થયો હતો ત્યારે અમિતાભ બચ્ચને જે રીતે શોને અલવિદા કહ્યું હતું એનાથી લાગી રહ્યું હતું કે તેઓ આ શોને ફરી હોસ્ટ નહીં કરે. જોકે તેઓ નવી સીઝન લઈને આવી રહ્યા છે. તેમ જ આ સીઝનની ટૅગલાઇન છે ‘ઝિંદગી હૈ, હર મોડ પર સવાલ પૂછેગી, જવાબ તો દેના હોગા.’
આ શો ખૂબ જ પ્રચલિત છે. આ શોની છેલ્લી સીઝનમાં જે નિયમો હતા એ જ નિયમો આ સીઝનમાં પણ જોવા મળશે. બદલાવ થવાના ચાન્સિસ ખૂબ જ ઓછા છે. જોકે એ શું હશે એ તો શો શરૂ થયા બાદ જ ખબર પડશે.
રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે ૩૧ જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ ૫૫ ટકા નોંધાયો છે. સરદાર સરોવરમાં હાલમાં ૧,૮૩,૭૨૪ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૫૫ ટકા જેટલો જળસંગ્રહ જ્યારે આ સિવાય રાજ્યના કુલ ૨૦૬ જળાશયોમાં ૨,૨૩,૬૮૫ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૩૯.૯૩ ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે તેમ, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.
આજે સવારે ૮.૦૦ કલાકના અહેવાલ મુજબ રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે આઠ જળાશયોમાં ૧૫ હજાર ક્યુસેકથી વધુ પાણીની આવક નોંધાઈ છે. જેમાં દમણગંગામાં ૫૧,૭૮૬ ક્યુસેક, ઉકાઈમાં ૩૧,૨૦૬ ક્યુસેક, રાણા ખીરસરામાં ૨૩,૬૫૬ ક્યુસેક, વેણુ-૨માં ૧૮,૯૦૬ ક્યુસેક, ઉમિયાસાગરમાં ૧૮,૪૬૮ ક્યુસેક, ઓઝત-વિઅર(વંથલી)માં ૧૬,૦૨૪ ક્યુસેક, ઓઝત-વિઅરમાં ૧૫,૨૫૬ ક્યુસેક તથા સરદાર સરોવરમાં ૧૩,૪૧૯ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. આ સિવાય રાજ્યના ૨૯ ડેમ ૭૦ ટકાથી ૧૦૦ ટકા ભરાતા એલર્ટ અપાયું છે. આ ઉપરાંત સરદાર સરોવર સહિત ૧૯ ડેમ ૫૦ થી ૭૦ ટકા ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે જ્યારે ૫૦ ડેમ ૨૫થી ૫૦ ટકા ભરાયા છે.
આ ઉપરાંત સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૪૬.૪૦ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩માં ૪૨.૫૫ ટકા,મધ્ય ગુજરાતના ૧૭માં ૩૫.૧૦, કચ્છના ૨૦માં ૩૨.૩૬ તથા ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૨૬.૫૦ ટકા પાણીનો સંગ્રહ થયો છે તેમ, જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.
નાણા મંત્રીનિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટ 2024-25માં મધ્યમવર્ગને રાહત આપી છે. સીતારમણે નવા ટેક્સ રેજિમને પ્રોત્સાહન આપતાં તેના ટેક્સ સ્લેબમાં ફેરફારો કર્યા છે. તેમજ સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં પણ રૂ. 25 હજાર સુધીનો વધારો કર્યો છે.
આ વખતના બજેટમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન મર્યાદા રૂ. 50000થી વધારી રૂ. 75000 કરાઈ છે. તે અંતર્ગત નવા કર માળખામાં રૂ. ત્રણ લાખ સુધીની આવક પર અગાઉની જેમ શૂન્ય ટેક્સ છે. જો કે, 5 ટકાના સ્લેબની આવકમાં ફેરફાર કર્યો છે. હવે 3થી 7 લાખ સુધીની આવક પર 5 ટકા ટેક્સ ચૂકવવો પડશે. આ પહેલા રૂ. 6 લાખ સુધીની આવક પર 5 ટકા ટેક્સ ભરવાનો આવતો હતો.
આ સિવાય રૂ. 10 લાખ સુધીની આવક 10 ટકા ટેક્સ લાગુ કરાયો છે. અગાઉ રૂ. 10 લાખની આવક ધરાવતા લોકો 15 ટકા ટેક્સ ચૂકવતા હતા. જો કે, હાઈ નેટવર્થ ધરાવતા વર્ગ અર્થાત 15 ટકા ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નથી કરાયો, પરંતુ તેમને ડિડક્શનનો લાભ મળશે.
75000નું સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ મળશે
નવા કર માળખા પ્રમાણે, રૂ. ત્રણ લાખથી સાત લાખ સુધીની આવક પર 5 ટકા ટેક્સ ચૂકવાતો હતો. જો કે, આટલી રકમ પર સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ લેતાં કરદાતાઓએ 7.75 લાખ સુધીની આવક પર 5 ટકા જ ટેક્સ ચૂકવવો પડશે. સ્ટાન્ડર્ડ ડિડક્શન એટલે ટેક્સનું ભારણ ઘટાડવા સરકાર દ્વારા અપાતી છૂટછાટ. તેમાં વિવિધ ખર્ચ ઉપરાંત કરદાતા સીધો રૂ. 75 હજાર સુધીની કપાતનો લાભ લઈ શકે છે.
નવા ટેક્સ રેજિમમાં મધ્યમવર્ગને થશે બચત
નવા ટેક્સ રેજિમમાં કરાયેલા ફેરફારોના પગલે 5 ટકા ટેક્સ ચૂકવતાં કરદાતાને રૂ. 28600, 10 ટકા ટેક્સ ચૂકવતા કરદાતાને રૂ. 14300, 15 ટકા ટેક્સ ચૂકવતા કરદાતાને રૂ. 15600 તેમજ 20થી 30 ટકા ટેક્સ ચૂકવતા કરદાતાને રૂ. 18200નો લાભ થશે.
10.75 લાખની આવક પર થશે આટલો ફાયદો
જે કરદાતાની આવક રૂ. 10.75 લાખ હશે, તે અગાઉ રૂ. 66300 ટેક્સ ચૂકવતા. જો કે નવા કર માળખા હેઠળ 10 ટકા ટેક્સ રેટ સાથે રૂ. 52000 ચૂકવવા પડશે. એટલે કે તેમને રૂ. 14300નો લાભ થશે.
12.75 લાખની આવક પર મળશે 15600નો લાભ
રૂ. 10થી 12 લાખની આવક ધરાવતા કરદાતા માટે 15 ટકા ટેક્સ લાગુ કરાયો છે. જે કરદાતાની આવક રૂ. 12.75 લાખ હશે, તેમણે આ સ્લેબ હેઠળ ટેક્સ ચૂકવવાનો રહેશે, જે અગાઉના માળખા પ્રમાણે રૂ. 98,800 ચૂકવવાનો થતો હતો. એટલે કે આ આંકડો ઘટીને હવે રૂ. 83200 થશે, જેમાં કરદાતાઓને રૂ. 15600ની બચતન લાભ મળશે.
રૂ. 15.75 લાખ આવક પર રૂ. 18200નો લાભ
નવા ફેરફાર પ્રમાણે ચોથા સ્લેબ હેઠળ રૂ. 12થી 15 લાખ સુધીની આવક પર 20 ટકા ટેક્સ ચૂકવવાનો રહેશે. તેમાં સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ લઈને રૂ. 15.75 લાખ સુધીની આવક પર ચૂકવવા પાત્ર ટેક્સ રૂ. 1,63,800 થાય છે. હવે આ આંકડો ઘટીને રૂ. 1,45,600 થશે. એટલે કે તેમાં રૂ. 18,200નો લાભ મળશે.
રૂ. 18.75 લાખની આવક પર પણ ટેક્સનો લાભ
આ રૂ. 18 લાખથી વધુ આવક પર ટેક્સેબલ આવક રૂ. 2,57,400 હતી. જે ઘટી 2,39,200 થશે. આમ આટલી આવક ધરાવનારાને રૂ. 18,200ની બચત થશે.
વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવાની નેમ પણ અર્થવ્યવસ્થા માટે મજબુત બજેટને બદલે મજબૂર બજેટ
“વિકસિત ભારત” ના સ્વપ્નને સાકાર કરવાની નેમ પણ અર્થવ્યવસ્થા માટે “મજબુત બજેટ” ને બદલે ‘મજબૂર બજેટ” — સીએ. મીતિશ મોદી
૩.૦ મોદી સરકારમાં નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીથારમને આજે સંસદમાં સતત સાતમી વખત કેન્દ્રીય અંદાજપત્ર રજૂ કરીને ઈતિહાસ સર્જ્યો છે. વચગાળાના બજેટ પછી લોકસભાની ચૂંટણી અને પરિણામો પછી આજે નાણામંત્રીશ્રીએ રોજગારી, સ્કીલીંગ, એમ.એસ.એમ.ઈ. એકમો અને મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખી પ્રધાનમંત્રીશ્રીનું પાંચ વિવિધ સ્કીમોવાળું પેકેજને સમાવેશ કરતું સામાન્ય બજેટ મુક્યું. આવનારા પાંચ વર્ષોમાં ૨ લાખ કરોડનાં ખર્ચાને પરિણામે ૪.૧ કરોડ યુવા વર્ગને આ પાંચ વિવિધ સ્કીમોનો લાભ થશે, એવો આશાવાદ દર્શાવ્યો છે. સમગ્ર બજેટને જોતાં, નાણામંત્રીશ્રીએ નવ પાયાના સ્તંભોને અગ્રીમતા આપતું “વિકસિત ભારત”નું સ્વપ્ન સાકાર કરવાના પ્રયાસરૂપે વિવિધ જોગવાઈઓ અને દરખાસ્તો સાથે અંદાજપત્ર રજુ કર્યું છે.
છેલ્લાં ત્રણ મહિનામાં જ્યારે વ્યક્તિગત ઇન્કમટેક્ષ અને કોર્પોરેટ ટેક્ષનું કલેક્શન વિક્રમી દરે વધ્યું હોય અને પરિણામે રાજકોષિય ખાધ ઘટાડવામાં રાહત મળી હોય ત્યારે દેશનો મધ્યમ વર્ગનો સામાન્ય નાગરિક આ અંદાજપત્રમાં મોંઘવારી, રોજગારીની ઉમદા તકો, આરોગ્યની નિશુલ્ક સવલતો, રહેઠાણની સમસ્યાઓ વગેરે સળગતા પ્રશ્નો માટે ખુબ જ આશાવાદી હતો, પરંતુ અંતે નિરાશા સાંપડી છે.
ભારતમાં દેશની આર્થિક વ્યવસ્થાનો મુખ્ય આધાર ખેતીક્ષેત્ર રહ્યું છે. ખેતીક્ષેત્રના વિકાસને જેટલી અગ્રિમતા આપવામાં આવે તેટલી ઝડપથી અન્ય ક્ષેત્રો અને દેશની અર્થવ્યવસ્થા મજબુત બને. નાણામંત્રીશ્રીએ આજના બજેટમાં “કુદરતી ખેતી”ને ભાર મુકીને આવનાર બે વર્ષમાં એક કરોડ જેટલા ખેડૂતોને લાભ મળશે, એવી દરખાસ્ત મૂકી છે. તે ઉપરાંત, સહકારી સંસ્થાઓ અને સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપી ખેતપેદાશોનું એકત્રીકરણ, સ્ટોરેજ અને માર્કેટિંગને પ્રોત્સાહન આપી વેજીટેબલ ઉત્પાદન અને સપ્લાય ચેઈન વિકસાવવા જાહેર કર્યું છે. આ સાથે સહકારી ક્ષેત્રને વધુ મજબુત કરવા “રાષ્ટ્રીય સહકાર પોલીસી” અમલમાં લાવી ગ્રામીણ અર્થવ્યવસ્થાને મજબુત કરી રોજગારની તકો ઉભી કરવા ૧.૫૨ લાખ કરોડની ફાળવણી કરી છે. ખેતી ક્ષેત્રને વિકસાવવા રજુ કરેલી દરખાસ્તો આવકારદાયક છે, પરંતુ સંપુર્ણતઃ સંતોષકારક નથી. આજે રજુ કરેલા અંદાજપત્રમાં, ઓર્ગેનિક ઇન્સ્યુરેન્સ સબસીડીમાં વધારો, કોલ્ડ સ્ટોરેજ તેમજ ઉત્પાદન અને વિતરણ માટેની માળખાગત સુવિધાઓ માટે વધુ ફાળવણી ન કરતાં ખેતીક્ષેત્રે અને ખાસ કરીને, સહકારની ક્ષેત્રને અન્યાય થયેલો ફલિત થાય છે. ખેતીક્ષેત્રને પ્રોત્સાહિત કરવા ટ્રેક્ટરો અને ખેતીના સાધનો પર હાલમાં ૧૨ ટકા જી.એસ.ટી. અને જંતુનાશક દવાઓ ઉપર ૧૮ ટકા જી.એસ.ટી. નાબૂદ કરી હોત તો જી.એસ.ટી. મુક્ત ખેતી વ્યવસ્થા કરી પ્રધાનમંત્રીના ખેડૂતોના આવકને બમણી કરવાના સ્વપ્નને સાકાર કરવા આ અંદાજપત્ર મારફતે સાનુકુળતા ઉભી થઇ શકી હોત. તે ઉપરાંત, વર્ષ ૨૦૦૬-૦૭ માં પાક લોન સ્કીમની મર્યાદામાં વધારો કરતી દરખાસ્ત ન દેખાતા પાક ધિરાણ પર વ્યાજનો બોજ એ સહન કરવાનો રેહશે. કોવીડ સમય દરમિયાન સ્મોલ સ્કેલ ઇન્ડ અને ફર્ટીલાઈઝર ઇન્ડસ્ટ્રી પર સબસીડી બંધ કરવામાં આવી હતી, જેને પરિણામે ખાદ્યની કિમતો આસમાન પર પહુંચી છે. આ બજેટમાં નાણામંત્રીશ્રીએ સબસીડી પુનઃ ચાલુ કરવાની કોઈ દરખાસ્ત ન મુકતા ખેતીક્ષેત્રનો વિકાસ રૂંધાશે.
નાણામંત્રીશ્રીએ પોતાની અંદાજપત્રની રજુઆતમાં બિહાર, અન્ધ્રાપ્રદેશ, હિમાચલ પ્રદેશ જેવા રાજ્યો માટે ૨૬૦૦૦ કરોડ અને પાવર પ્લાન્ટ અર્થે ૨૧૪૦૦ કરોડની ફાળવણી કરતી જાહેરાત કરી છે. પ્રથમ દ્રષ્ટીએ જોતા ફલિત થાય છે કે ૩.૦ મોદી સરકારે અન્ય રાજકીય પક્ષો સાથે જોડાણ આવશ્યક બનતાં વિકાસશીલ અને ગતિશીલ અર્થવ્યવસ્થાની મજબૂતાઈને બાજુએ મુકીને “મજબૂર બજેટ” રજૂ કરવાની નોબત આવી છે. અલબત્ત, એમ્પ્લોયમેન્ટ બોન્ડ ઇન્સેન્ટીવને અગ્રિમતા ભવિષ્યમાં સાનુકુળ વિકાસ સર્જે એવી જણાય છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ વધારાના ત્રણ કરોડ ઘરો આપવાની દરખાસ્ત ગમે એવી છે. પરંતુ, રીઅલ એસ્ટેટ ઇન્ડસ્ત્રીને ઉદ્યોગનો દરજ્જો આપતો કોઈ દરખાસ્ત આ બજેટમાં જણાતી નથી. સરકાર એકબાજુ સામાન્ય લોકોને આવાસ સસ્તાદરે મળે એવી વાતો કરે છે પરંતુ રીઅલ એસ્ટેટ સેકટરને ઉદ્યોગનો દરજ્જો ન મળતા જમીનો મોંઘી બને છે અને પરિણામે, સામાન્ય ગરીબ નાગરિકોને માટે મકાન લેવું કઠિન બન્યું છે. હાલમાં, હોઉંસિંગ લોન પર વ્યાજ ડીડકશન લીમીટ ૨ લાખ છે તે વધારીને ૫ લાખ સુધી કરી હોત તો રીઅલ એસ્ટેટ સેકટરને પ્રોત્સાહન મળ્યું હોત. ઇન્કમટેક્ષ કાયદાને લગતી દરખાસ્તોને જોતાં અમુક રાહતો જેવી કે નવા કર માળખામાં સ્લેબમાં સાનુકૂળ ફેરફારો, પગારદાર અને પેન્શનરોને સ્ટાન્ડર્ડ ડીડકશનની મર્યાદા રૂ.૫૦૦૦૦/- થી વધારીને રૂ.૭૫૦૦૦/-, ફેમિલી પેન્શન ફંડફાળાની મર્યાદા રૂ. ૧૫૦૦૦/- થી વધારીને રૂ. ૨૫૦૦૦/-, ટી.ડી.એસ.ના વિવિધ દરોમાં ઘટાડો, દરોડાના આકારણી કેસોની મર્યાદા ઘટાડીને છ વર્ષની દરખાસ્ત, ભાગીદારોને ચુકવાતા પગારની મજરે મળવાપાત્ર રકમની મર્યાદામાં વધારો વગેરે નાના કરદાતાઓને “ફિલગુડ” ની લાગણી પ્રેરે છે.
પરંતુ ટેક્ષટાઈલ ગેઇન ટેક્ષનો બોજ વધારો ખાસ કરીને, શેર-સિક્યુરીટીઝ, અને ફંડોને રોકાણો અને તેનાં વેચાણના વ્યવહારો કરનારા કરદાતાઓ માટે અસહ્ય બનશે.
સુક્ષ્મ, નાના અને મધ્યમ કદના એકમોને લગતા ઘણાં સુધારાઓ આવકારદાયક છે. જેવી કે ક્રેડીટ ગેરંટી સ્કીમ હેઠળ અરજદાર એકમ દીઠ રૂ.૧૦૦ કરોડની ફાળવણી, ટર્ન ઓવર કે મિલ્કતોની મર્યાદા ધ્યાનમાં લીધા વગર સ્કીમ હેઠળ મળનારા લાભો, સીડબી (SIDBI) દ્વારા સીધો જ ક્રેડીટ લાભ વગેરે એમ.એસ.એમ.ઈ. એકમોના વિકાસમાં સહાયરૂપ રેહશે, એવું માની શકાય. પરંતુ ઇન્કમ ટેક્ષ કાયદાની કલમ ૪૩બી માં ગતવર્ષે આવેલા સુધારાને કારણે ટેક્ષટાઈલ ઉદ્યોગને ખુબ જ મોટી હાલાકી ભોગવવી પડેલ છે. વેપાર, ધંધા અને ઉદ્યોગને કારણે ઉભી થયેલી મુશ્કેલીઓ “ઈઝ ઓફ ડુઈંગ બિઝિનેસ્સ” ના ખ્યાલથી વિરુદ્ધ છે અને તેથી આવી આકરી જોગવાઈઓ નાબૂદ કરવા જોઈએ એવી રજુઆત અનેક સ્તરેથી કરવામાં આવી છે. કમનસીબે, આ બજેટમાં નાણામંત્રીશ્રીએ કોઈ સાનુકુળ સુધારો કરતી દરખાસ્ત મૂકી નથી. વૈકલ્પિક રીતે, નાણામંત્રીશ્રીએ એમ.એસ.એમ.ઈ. ડેવેલોપમેન્ટ એક્ટ, ૨૦૦૬ માં સુધારો કરી ૪૫ દિવસમાં ચુકવણી કરવાના નિયમને લગતા ઝઘડાઓ દૂર કરવા એક “ઓનલાઈન ડિસ્પુટ રેસોલ્યુશન સ્કીમ” શરુ કરતી દરખાસ્ત મુકવી જોઈતી હતી પરંતુ આ બાબતે ઉદ્યોગ જગતમાં ભારે નિરાશા સાંપડી છે. એમ.એસ.એમ.ઈ. એક્ટ અને ઇન્કમ ટેક્ષની આકરી જોગવાઈઓને લીધે વેપારી અને ઉદ્યોગકારોને આર.બી.આઈ.ના બેઝ દરના ત્રણ ગણા દરે મોડી કરેલી ચુકવણી પર વ્યાજ ભોગવવી પડે છે. એમ.એસ.એમ.ઈ.ને પ્રોત્સાહિત કરવા માટે દેશમાં “સેન્ટર્સ ઓફ એક્ષલેન્સ” ચાલુ કરવાની જોગવાઈ જો લાવી હોત તો એક્ષ્પોર્ટસને વધુ પ્રોત્સાહન મળી શકે તેમ છે.
પાછલા બજેટમાં ટેક્ષ સ્ટ્રકચરમાં વૈકલ્પિક બે કર માળખા દાખલ કરીને કોઈ ડીડકશન મળ્યા નથી. સામાન્ય કરદાતાને આવા કર માળખાને બદલે કરપાત્ર આવકમાંથી વધુ ડીડકશન મળે એવી દરખાસ્ત આવે તો વ્યક્તિગત કરબોજ ઓછો થાય. હાઉસિંગ રોકાણ બાબતે ટેક્ષમાંથી લાભ દરેક કરદાતા મેળવી શકતો નથી અને તેથી જ કરબોજ ઘટવાને બદલે પ્રમાણસર વધ્યો છે. તેથી આ બજેટમાં કરપાત્ર આવકમાંથી કરદાતાને વિવિધ ડીડકશન રીતે રાહત મળવાની દરખાસ્તો વધુ લાભકારક અને આવકારદાયક બન્યો હોત. ફેસલેસ એસેસમેન્ટ અને અપીલની નવી જોગવાઈઓ દાખલ કરી હોવા છતાં બિનજરૂરી હેરાનગતિરૂપ ટેક્ષ ડિમાન્ડ અને તેની રિકવરીનો ભોગ સામાન્ય કરદાતા બન્યો છે. આવા ટેક્ષ ટેરરિઝમમાંથી સામાન્ય કરદાતાને મુક્ત કરી “ઈઝ ઓફ ડુઈંગ બિઝિનેસ્સ” ના સરકારના ખ્યાલને ટેકો આપતી દરખાસ્ત ન આવતા વેપારીઓ ઉદ્યોગકારો અને સામાન્ય કરદાતા મુકપ્રેક્ષક બન્યો છે. — સીએ. મીતિશ મોદી
જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC), જેમ્સ એન્ડ જ્વેલરી માટે ભારતની સર્વોચ્ચ વેપાર સંસ્થા GJEPC એ નાણા પ્રધાન શ્રીમતી Nirmala Sitaraman દ્વારા રજૂ કરાયેલ વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 3.0 સરકારના પ્રથમ કેન્દ્રીય બજેટને આવકાર્યું હતું. નિર્મલા સીતારમણ સાતમી ઐતિહાસિક વખત રજૂ કરેલું બજેટ સ્વદેશી રત્ન અને ઝવેરાત ઉદ્યોગ માટે ગેમ ચેન્જર તરીકે પુરવાર થશે.
જીજેઇપીસીએ પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે નાણામંત્રીએ સ્વીકાર્યું કે ભારત હીરા કટીંગ અને પોલિશિંગ ઉત્પાદનમાં વિશ્વમાં અગ્રેસર છે, જે દસ લાખથી વધુ કુશળ કામદારોને રોજગારી આપે છે. GJEPCએ જણાવ્યું હતું કે રફ ડાયમંડ ટ્રેડિંગ પર ઇક્વલાઇઝેશન લેવી નાબૂદ અને સલામત હાર્બર ટેક્સની જાહેરાતથી ભારતનો વિકાસ સૌથી મોટા રફ ડાયમંડ ટ્રેડિંગ સેન્ટર તરીકે જોવા મળશે કારણ કે તમામ વિદેશી માઇનિંગ કંપનીઓ હવે ભારતમાં ડાયમંડ કટિંગ અને મેન્યુફેક્ચરિંગ કંપનીઓને સીધા રફ ડાયમંડનું વેચાણ વેપાર કરશે. આમ નાના ઉત્પાદકોને હીરાની હરાજીમાં ભાગ લેવા માટે વિદેશ પ્રવાસની જરૂર વગર ડાયમંડ ખાણ કંપનીઓ પાસેથી સીધા ભારતમાં કાચા હીરાના જથ્થાની ખરીદીનો ઍક્સેસ મળશે.
GJEPC રફ હીરાના વેચાણ પર 2% ઇક્વલાઇઝેશન લેવી (EL)માંથી ડાયમંડ સેક્ટરને બાકાત રાખવાના નાણાંમત્રીના નિર્ણયને આવકારે છે. આ હીરા ઉદ્યોગમાં ભારતનું નેતૃત્વ જાળવી રાખવામાં અને ઓપરેશનલ ટકાઉપણું સુનિશ્ચિત કરવામાં મદદ કરશે. સામાન અથવા સેવાઓના ઈ-કોમર્સ સપ્લાય માટે વિચારણાના 2 ટકાના દરે ઇક્વલાઇઝેશન લેવી હવે 1લી ઓગસ્ટ, 2024ના રોજ અથવા તે પછી લાગુ થશે નહીં.
વિદેશી ડાયમંડ માઇનિંગ કંપનીઓ દ્વારા સ્પેશિયલ નોટિફાઇડ ઝોન (SNZs)માં હીરાના વેચાણ પરના કર વેરા નિયમોને સરળ બનાવવાની GJEPCની લાંબા સમયથી ચાલતી ભલામણને નાણાં મંત્રી દ્વારા સ્વીકારવામાં આવી છે અને અમારા હીરા ઉત્પાદકો દ્વારા રફ હીરાની ઓનલાઈન બિડિંગ માટે સમાનતા વસૂલાત નાબૂદ કરવામાં આવે છે તે ગેમ ચેન્જર છે.
GJEPC દેશમાં રફ હીરાનું વેચાણ કરતી વિદેશી ખાણકામ કંપનીઓ માટે સલામત હાર્બર રેટ પ્રદાન કરવા અને સમાનીકરણ વસૂલાત નાબૂદ કરવાના સરકારના પ્રસ્તાવને આવકારે છે. આનાથી ભારત બેલ્જિયમ અને દુબઈ જેવા વૈશ્વિક વ્યાપારી કેન્દ્રો સાથે સમાન સ્તર પર આવશે. આ રત્ન અને ઝવેરાત ક્ષેત્રના વિકાસને વધુ પ્રોત્સાહન આપશે. સર્વોચ્ચ વેપાર સંસ્થા તરીકે, GJEPC તે જ માંગે છે અને આ બાબતે બજેટ પૂર્વે ઘણી ભલામણો કરી છે.
નાણાં મંત્રીએ બજેટમાં જાહેરાત કરી છે કે SEZs દ્વારા સંચાલન કરવા માટે હકદાર એન્ટિટીઝના વિસ્તારને વિસ્તૃત કરશે. SEZ ની સ્થાપના મુખ્ય ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી કે રફ હીરાની પ્રાપ્તિમાં કાર્યક્ષમતા ઊભી કરીને વિદેશી હીરાની ખાણકામ કરતી કંપનીઓને આવા SEZs દ્વારા ભારતીય ઉત્પાદકોને તેમની પેદાશો સીધા વેચવાની મંજૂરી આપીને રફ હીરાની સરળ ઉપલબ્ધતા મળી શકે. બેલ્જિયમ અને દુબઈ જેવા દેશોમાં વેચાણની મંજૂરી છે, જ્યારે દુબઈમાં પ્રદર્શિત રફ હીરાના વેચાણ પર કોઈ સીધો કર નથી અને બેલ્જિયમમાં વેચાણ પર 0.187% ટર્નઓવર ટેક્સ છે. GJPEC એ જયપુરમાં રફ રત્ન માટે SEZ ની સ્થાપનાની દરખાસ્ત કરી છે. મુંબઈ અને સુરતમાં આ SEZ સાથે, કાચા માલની ઉપલબ્ધતાના નિર્ણાયક મુદ્દામાં ઘણી રાહત થશે.
GJEPC એ દેશમાં સોના અને કિંમતી ધાતુના દાગીનામાં સ્થાનિક મૂલ્યવૃદ્ધિ વધારવા માટે સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને 6% અને પ્લેટિનમ પર 6.4% કરવાની નાણાં મંત્રીની દરખાસ્તને બિરદાવી છે. ભારતના હીરા અને ઝવેરાત ઉદ્યોગ સોના, હીરા, ચાંદી અને રંગીન રત્નો સહિત તેના કાચા માલ માટે આયાત પર ભારે આધાર રાખે છે. આ સામગ્રીને દેશમાં લાવવામાં આવે છે અને વિશ્વભરમાં નિકાસ કરવામાં આવે તે પહેલાં તેને કટીંગ અને પોલિશ કરવામાં આવે છે અથવા ફિનિશ્ડ જ્વેલરીમાં રૂપાંતરિત કરવામાં આવે છે. સર્વોચ્ચ સંસ્થા તરીકે, GJEPC નિકાસને વધારવા માટે તેની પ્રી-બજેટ ભલામણોમાં આ ઘટાડાની માંગ કરી રહી હતી. સોના, ચાંદી અને પ્લેટિનમની ડ્યુટીમાં ઘટાડો સુનિશ્ચિત કરશે કે લગભગ રૂ. 982.16 કરોડ રિલીઝ થઈ શકે છે જેના પરિણામે નિકાસકારોના હાથમાં વધુ કાર્યકારી મૂડી આવશે. આ સ્થાનિક સ્તરે જ્વેલરીની વધેલી માંગને કારણે ઉત્પાદનના વિકાસમાં મદદ કરશે અને વધુ કાર્યકારી મૂડી (2 વર્ષના મધ્યમ ગાળામાં US$11 બિલિયનમાંથી ઓછામાં ઓછા US$2 બિલિયન) સાથે સોનાના આભૂષણોની અણઉપયોગી નિકાસ સંભવિતતાનો અહેસાસ થશે.
એફએમએ સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા, વૈશ્વિક સ્પર્ધાત્મકતા વધારવા માટે કર માળખાને તર્કસંગત બનાવવાના સરકારના પ્રયાસો પર પ્રકાશ પાડ્યો. જન વિશ્વાસ બિલનું સંસ્કરણ 2.0 વ્યવસાય કરવાની સરળતાને વધારશે.
જેમ અને જ્વેલરી ઉદ્યોગમાં MSME અને કારીગરો/કારીગરો ઈ-કોમર્સ નિકાસ હબનો લાભ મેળવશે, જે એક છત નીચે વેપાર અને નિકાસ સંબંધિત સેવાઓની સુવિધા માટે જાહેર ખાનગી ભાગીદારીમાં સ્થાપિત કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય બજારોમાં તેમના ઉત્પાદનોનું વેચાણ કરવા માટે, આ હબ, સીમલેસ રેગ્યુલેટરી અને લોજિસ્ટિક માળખા હેઠળ, એક છત હેઠળ વેપાર અને નિકાસ સંબંધિત સેવાઓને સુવિધા આપશે. કારીગરો અને કારીગરોને PM વિશ્વકર્મા, PM સ્વનિધિ, રાષ્ટ્રીય આજીવિકા મિશન અને સ્ટેન્ડ-અપ ઈન્ડિયા જેવી યોજનાઓને આગળ વધારવાનો લાભ મળશે.
રાજ્ય સરકાર સાથે મળીને ઔદ્યોગિક પાર્કની સ્થાપના કાઉન્સિલ દ્વારા નવી મુંબઈમાં વિકસાવવામાં આવી રહેલા પાર્ક ઉપરાંત દેશભરમાં જેમ એન્ડ જ્વેલરી પાર્કના વિકાસને પ્રોત્સાહન આપશે. ઔદ્યોગિક કામદારો માટે રહેઠાણ જેવા ડોર્મ સાથેના ભાડાના આવાસના સંદર્ભમાં એફએમની દરખાસ્ત PPP મોડમાં આવકાર્ય છે.
એફએમએ જણાવ્યું હતું કે વિદેશી પ્રત્યક્ષ રોકાણો (FDIs) માટે નિયમો અને માન્યતા તેમના પ્રવાહને સરળ બનાવવા માટે સરળ બનાવવામાં આવશે. આ પગલાનો હેતુ વિદેશી રોકાણ માટે રૂપિયાના ઉપયોગને પ્રાથમિકતા આપવા અને પ્રોત્સાહન આપવાનો છે. એફએમના કેન્દ્રીય બજેટે દર્શાવ્યું હતું કે સરકાર ભારતીય રૂપિયાને વિશ્વની વૈકલ્પિક અનામત ચલણ બનાવવાનું લક્ષ્ય ધરાવે છે.
MSMEs દ્વારા શ્રમ-સઘન ઉત્પાદન પર બજેટનો ભાર – જે રત્ન અને ઝવેરાત ઉદ્યોગનો 80% ભાગ ધરાવે છે – તેમને વૈશ્વિક સ્તરે વૃદ્ધિ અને સ્પર્ધા કરવામાં મદદ કરશે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ક્રેડિટ ગેરંટી સ્કીમ MSMEsને મશીનરી અને સાધનોના આધુનિકીકરણ માટે પ્રોત્સાહન આપશે.
સરકારે રોજગાર સાથે જોડાયેલ કૌશલ્ય પર મોટો દબાણ આપ્યું છે અને તેનાથી સ્વદેશી રત્ન અને ઝવેરાત ઉદ્યોગના 5 મિલિયનથી વધુ કર્મચારીઓને ફાયદો થશે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં રોજગાર સર્જનને પ્રથમ વખતના કર્મચારીઓની રોજગાર સાથે જોડાયેલી સ્કીમ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવશે. અમે આશા રાખીએ છીએ કે કર્મચારીઓમાં વધુ મહિલાઓ માટે સરકારનું પગલું અને મહિલા કામદારો માટે જાહેર કરાયેલ પહેલો વધુ મહિલાઓને જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગમાં જોડાવા માટે પ્રેરણા આપશે.
ખાસ કરીને પૂર્વ ભારતમાં હાલના અને નવા ઔદ્યોગિક કોરિડોર પર સરકારનું ધ્યાન GJEPCને નિકાસ માટે નવા જેમ અને જ્વેલરી ક્લસ્ટરોને પ્રોત્સાહન આપવામાં મદદ કરશે.
રૂ.ની ફાળવણી 5 વર્ષના સમયગાળા માટે 4.1 કરોડ યુવાનો માટે રોજગાર અને કૌશલ્યની સુવિધા માટે 2 લાખ કરોડ રૂપિયા ભારતીય જેમ અને જ્વેલરી ઉદ્યોગના 5 મિલિયનથી વધુ શ્રમ દળમાં નવા કામદારોને લાભ થશે. નવા પ્રવેશકારો માટે ડાયરેક્ટ બેનિફિટ સ્કીમ વધુ યુવાનોને જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરશે.
નાણાપ્રધાનનું બજેટ મુખ્યત્વે ભૂમિ, શ્રમ, મૂડી અને ઉદ્યોગસાહસિકતા માટેના આર્થિક સુધારાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેથી રોજગારમાં વધારો થાય, ખાસ કરીને જેમ્સ અને જ્વેલરી જેવા ભારતમાં શ્રમ સઘન ક્ષેત્રો માટે. આ કામદારો અને કારીગરોના કૌશલ્ય વિકાસ માટે પ્રોત્સાહનો અને રોકાણ સાથે મળીને ખરેખર આપણા ક્ષેત્રને પુષ્કળ પ્રોત્સાહન આપશે.
ઉત્પાદન અને સેવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા સહિતની 9 પ્રાથમિકતાઓ મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતને મદદ કરશે.
ભારતના કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે તા.૨૩ જુલાઈ ૨૦૨૪ના રોજ વર્ષ ૨૦૨૪નું વાર્ષિક બજેટની જાહેરાત કરી હતી. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ બજેટને આવકારતા જણાવ્યું હતું કે, બજેટ સમાજલક્ષી છે તથા આત્મનિર્ભર ભારતની દિશામાં લઈ જવાની ઝુંબેશ તરફ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાત ધંધા-ઉદ્યોગની સાથે જ હોર્ટિકલ્ચરનું પણ છે, ત્યારે સરકાર દ્વારા એગ્રીકલ્ચરનું ઉત્પાદન વધારવા માટે બાગાયતી ખેતીમાં ઉપયોગ થતાં ૧૦૯ હાયઈલ્ડીંગ વેરાયટી સીડ ખેડૂતોને આપવાની જાહેરાત કરી છે. તથા કઠોળ અને તેલબીજમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે વિશેષ સ્કીમ આપવામાં આવી છે.
દેશના વિવિધ શહેરોમાં ઈ-કોમર્સ એક્ષ્પોર્ટ હબ પીપીપીના ધોરણે શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ચેમ્બર દ્વારા અગાઉ નાના-શહેરોમાં પીપીપીના ધોરણે એક્ષ્પોર્ટ હબ બને તે માટે માંગણી કરવામાં આવી હતી, જે આ બજેટમાં પૂર્ણ થઈ છે તેમ જણાવ્યું હતું.
તેમણે સરકાર શ્રીએ પડકારજનક સ્થિતીમાં વર્ષ ૨૦૨૪-૨૫માં ફુગાવો દર ૪% થી ઓછો કરવાનો પ્રયત્ન આવકારદાયક ગણાવ્યો હતો. તેમણે નાણાકીય ખાદ્યને ૪.૯% સુધી રાખવાની અને વર્ષ ૨૦૨૬ સુધી ૪% થી ઓછો કરવાનો પ્રયત્નની પણ પ્રશંસા કરી હતી. MSME ઉદ્યોગકારો માટે કરવામાં આવેલ ક્રેડીટ ગેરેન્ટી સ્કીમ પ્લાન્ટ અને મશીનરી ખરીદી કરવા માટે રૂ. ૧૦૦ કરોડ સુધીનું ક્રેડીટ ગેરેન્ટી ફંડ શરૂ કરવાની જાહેરાત કરી હતી. હવે MSME ઉદ્યોગકારોને લોનનું ક્રેડિટ એસેસમેન્ટ એસેસ્ટ બેઝ્ડ નહીં પણ ડિજિટલ ફૂટપ્રિન્ટના એસેસમેન્ટ પર કરવામાં આવશે. માંદા પડેલ ઉદ્યોગોને પણ લોન મળી રહે તેવી જાહેરાત કરવામાં આવી છે.
આ બજેટમાં રોજગારલક્ષી ઘણી યોજનાઓની વાત કરવામાં આવી છે. કૌશલ્ય વિકાસ હેઠળ પણ અનેક જાહેરાતો કરવામાં આવી છે. પાંચ વર્ષમાં ૨૦ લાખ યુવાનોને કૌશલ્ય વિકાસ પ્રોજેક્ટમાં જોડવામાં આવશે. જેમ કે, ઉચ્ચ શિક્ષણ માટે રૂ. ૧૦ લાખ સુધીની લોન અને મોર્ડન શિક્ષણ માટે રૂ. ૭.૫ લાખ સુધીની લોન આપવાની અને ૩% વ્યાજ છૂટની પણ વાત કરવામાં આવી છે. જેથી ભારતની યુવા પેઢી જ્ઞાનની સાથે કૌશલ્યપૂર્ણ બને. ભારત વિવિધ ક્ષેત્રમાં મેન્યુફેક્ચરીંગ હબ બન્યું છે, દેશમાં અત્યાધુનિક મશીનરીઓનું નિર્માણ અને ઉપયોગ થઈ રહ્યો છે. ત્યારે ભારતીય યુવા પેઢી વધુ કૌશલ્યવાન બનશે તો ઉત્પાદનમાં વધુ વૃદ્ધિ થઈ શકશે.
દેશમાં નેશનલ ઈન્ડસ્ટ્રિયલ કોરીડોર હેઠળ ૧૨ ઈન્ડસ્ટ્રિયલ પાર્ક બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે ડીએમઆઈસી સુરતમાંથી પસાર થાય છે, ત્યારે એક ઈન્ડસ્ટ્રિયલ પાર્ક સુરતને મળે અને તે ઉપરાંત દેશની ૧૦૦ સિટીમાં ૧૦૦ ઈન્ડસ્ટ્રિયલ પાર્ક પ્લગ એન્ડ પ્લે હેઠળ લાવવામાં આવશે. તેમાંથી કેટલાક દક્ષિણ ગુજરાતને આપવામાં આવે તેવી તેમણે આશા વ્યક્ત કરી હતી.
બજેટમાં ક્રિટિકલ મિનરલ્સ મિશનની જાહેરાત કરવામાં આવી છે. જે હેઠળ કેટલાક મિનરલ્સ માટે ફરજિયાત રિસાયકલિંગ, રિયુઝની પોલિસી લાવવામાં આવશે. જેમ પ્લાસ્ટિકમાં EPR છે, તેમજ મિનરલમાં પણ EPR પ્રોવિઝન લાવવાની જાહેરાત કરાઈ છે. વિદેશોમાં પણ આવા ક્રિટિકલ મિનરલ્સની માઈન્સ હાંસલ કરવા માટે સરકાર સ્પેશિયલ ફંડ આપશે. આ પગલાંથી ક્રિટિકલ મિનરલ્સમાં આત્મનિર્ભરતા આવશે. સાથે જ આયાતમાં પણ ઘટાડો થવાની સંભાવના છે તેમ ચેમ્બર પ્રમુખે જણાવ્યું હતું.
ભારતની એનર્જી સિક્યુરિટી માટે પ્લબ સ્ટોરેજ પ્રોજેક્ટની સ્પેશિયલ સ્કીમ લાવવામાં આવશે. જેથી સોલાર ઈન્ડસ્ટ્રીને લાભ મળશે. સ્મોલ મોડ્યુલર ન્યુક્લિયર રિએક્ટર્સ જે ભારત સરકાર પ્રાઈવેટ કંપનીઓ સાથે મળીને સંશોધન કરશે.
એનર્જી એફિસિન્સીના ટારગેટ પણ નવી પોલિસી દ્વારા નિર્ધારિત થશે તથા એ થકી ભારતમાં કાર્બન ટ્રેડિંગ માર્કેટ ઊભું કરવામાં આવશે. સરકાર દ્વારા માળખાગત સુવિધાઓ માટે ૧૧.૧૧ લાખ કરોડ ફાળવવામાં આવ્યા છે. જેનાથી ભારતીય અર્થવ્યવસ્થાને મોટો બુસ્ટ મળવાની સંભાવના છે. તથા રાજ્ય સરકારોને ઈન્ફ્રા ડેવલપમેન્ટ માટે રૂ. ૧.૫૦ લાખ કરોડ સુધીની ઈન્ટરેસ્ટ ફ્રી લોન કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે, જેથી રાજ્યોના માળખાકીય સુવિધાઓમાં વધારો થશે તથા માળખાકીય સુવિધાઓના પ્રોજેક્ટ હાથ ધરવા માટે પ્રાઈવેટ સેક્ટરની કંપનીઓને વાયબિલીટી ગેફ ફંડીંગ સરકાર દ્વારા આપવામાં આવશે. ગ્રામીણ વિસ્તારમાં આવેલી જમીનો માટે આધાર બેઝ્ડ રેકોર્ડ સિસ્ટમ બનાવવામાં આવશે તથા સમગ્ર દેશની જમીન માટે લેન્ડ રેજિસ્ટ્રી બનાવવામાં આવશે. બજેટમાં એક્વાટીક એનિમલ્સ માટેના ખાદ્યાન્ન પરની કસ્ટમ ડ્યુટી નાબૂદ કરવામાં આવી છે. જેથી એક્વાટીક ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉદ્યોગકારોને લાભ મળશે.
ચેમ્બર પ્રમુખે જણાવ્યું કે, બજેટ પર્સનલ ઈનકમ ટેક્સમાં સ્ટાર્ડન્ડ ડિડક્શનની મર્યાદા રૂ. ૫૦ હજારથી રૂ. ૭૫ હજાર કરવામાં આવી, જે ઘણી ઓછી છે. જેના થકી પગારદાર વર્ગને વાર્ષિક ૧૭,૫૦૦નો ફાયદો થવાની સંભાવના છે. જેને ઓછામાં ઓછી રૂ.૧ લાખ કરવાની જરૂર હતી. શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ ૧૫% થી વધારી ૨૦% કરાયું છે. લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ પણ ૧૦% થી વધારી ૧૨.૫% ટકા કરવામાં આવ્યું છે. તથા સિક્યુરિટી ટ્રાન્જેક્શન ટેક્સમાં પણ વધારો કરવામાં આવ્યો છે. એકંદરે બજેટ ખેડૂતલક્ષી, મહિલાલક્ષી લાગે છે પણ ટેક્ષ્ટાઈલ ઉદ્યોગકારો માટે કોઈ ખાસ જાહેરાત કરવામાં આવેલ નથી. પરંતુ આગામી સમયમાં ટેક્ષ્ટાઈલ સંબંધિત નવી પોલિસીઓની જાહેરાત થાય તેવા અમે આશાવાદી છીએ.
ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૪નું વાર્ષિક બજેટ સમતોલ અને તમામ વર્ગોને ધ્યાને રાખીને બનાવવામાં આવેલું દૂરંદેશી બજેટ. બજેટમાં સ્ત્રી સશક્તિકરણને ધ્યાનમાં રાખીને મહિલાઓ અને યુવતીઓ માટે ખાસ રૂ. ૩ લાખ કરોડની ફાળવણી વિવિધ યોજનાઓ માટે કરવામાં આવી છે. જેથી મહિલા આંત્રપ્રિન્યોર્સનો અને સમાજનો વિકાસ થશે તથા સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહન મળશે. ૧૦૦ શહેરોમાં સ્ટ્રીટ માર્કેટ શરૂ કરવામાં આવશે. જેથી નવી રોજગારી નિર્માણ થશે. પીએમ સૂર્ય ઘર યોજનાને પ્રોત્સાહન આપવાની જોગવાઈ કરાઈ છે. જેથી સોલાર ઈન્ડસ્ટ્રીને લાભ થશે. ફિસ્કલ ડેફીસટ ઘટાડવાનો સંકલ્પ એટલે રાજકોષીય ખાદ્ય ઘટાડવાનો સંકલ્પ આવકારદાયક છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ૧૦૦ શહેરોમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની સ્થાપનાની જોગવાઈના કારણે શહેરોની સફાઈ અને આરોગ્યમાં ખૂબ સુધારાઓ થશે. પીએમ આવાસ યોજનામાં ૩ કરોડ ઘરોની જોગવાઈના કારણે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોનું પોતાના ઘરનું સપનું સાકાર કરવામાં મદદરૂપ થશે. શિક્ષણ, રોજગાર અને સ્કીલ ડેવલપમેન્ટમાં રૂ. ૧.૪૮ લાખ કરોડની જોગવાઈ કરવામાં આવતાં દેશના રૂ. ૪ કરોડ ૧૦ લાખ યુવાનોને તેનો લાભ મળશે.
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રેસિડેન્ટ વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે એકંદરે બજેટની જોગવાઇઓ અત્યંત ફાયદાકારક છે. ભારતના ખેડૂતોથી લઇને યુવાઓ માટેની જોગવાઇ ન્યુ ઇન્ડિયાના ઘડતર માટે અત્યંત ઉપયોગી નિવડશે. હીરા ઝવેરાત ઉદ્યોગ માટે કેટલીક જોગવાઇઓ સારી કરવામાં આવી છે. હીરા ઉદ્યોગની ઇક્વિલાઇઝેશન લેવીની વર્ષો જૂની માગણી સંતોષાય છે જે આવકારદાયક છે. તેમણે કહ્યું કે ટેક્ષટાઇલ ઉદ્યોગ માટે ચેમ્બર તરફથી જે રજૂઆતો થઇ છે તે સંતોષાઇ નથી પરંતુ, અમને આશા છે કે આગામી દિવસોમાં એ બાબતે પણ ઇન્ડસ્ટ્રી ફ્રેન્ડલી પોલિસીની જોગવાઇ કરવામાં આવશે.
ફેડરેશન ઓફ ગુજરાત વીવર્સ એસોસીએશન ફોગવાના પ્રેસિડેન્ડ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે ટેક્ષટાઇલ ઉદ્યોગ માટે આજના બજેટમાં એક પણ મહત્વની જોગવાઇ કરવામાં આવી નથી. અમારી સૌથી મોટી માગણી હતી કે વીવીંગ, નીટીંગ જેવા નાના કારખાનેદારો માટે ઇન્વેસ્ટમેન્ટ સબસિડીની એ-ટફ અગર તો તેના જેવી કોઇ સ્કીમ જાહેર કરવામાં આવે જેથી કરીને ઉદ્યોગમાં નવું મુડીરોકાણ આવે પરંતુ, એ માગણી સતત બીજા વર્ષે નકારી કાઢવામાં આવી છે. આ ઉપરાંત પણ અનેક માગણીઓ સ્વીકારાઇ નથી એટલે ઉદ્યોગકારોમાં નિરાશાજનક માહોલ છે.
સચિન ઇન્ડસ્ટ્રીયલ કો.ઓ. સોસાયટીના સેક્રેટરી મયુર ગોળવાલાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા આજે બજેટ જાહેર કરવામાં આવ્યું જેમાં કેન્દ્રીય ટેક્સટાઇલ પોલિસી 2024 જાહેર થવાની હોવાથી કેન્દ્રીય બજેટમાં ટેક્સટાઇલની જાહેરાત થઈ નથી એ થઈ શકે છે અને ગુજરાત સરકારની નવી ટેક્સટાઇલ પોલીસી પણ ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે પરંતુ દેશમાં બે-રોજગારીના મુદ્દે જે સરકારીશ્રીએ મુદ્રા લોન ઉપર દસ લાખ થી 20 લાખ સુધીની મર્યાદા વધારી અને સાથે સાથે એક કરોડ યુવાનો માટે જોબ ની જાહેરાત કરી છે જે દેશના યુવાનો માટે આનંદના સમાચાર છે. અને ઇન્કમટેક્સ સ્લેબ ત્રણ થી છ લાખ ઉપર પાંચ ટકા ટેક્સ ભરવાનો હતો તેને વધારીને ત્રણ થી સાત લાખ રૂપિયાનો સ્લેબ જે કર્યો તે આવકાર્ય છે.
નાણામંત્રી શ્રીમતી નિર્મલા સિથારમને 2024-2025 નું બજેટ સંસદમાં રજૂ કર્યો આ બજેટમાં કૃષિ ક્ષેત્રમાં મોટી રકમ ફાળવી તેમજ મહિલાઓ માટે ઉદ્યમી માં પણ 3 લાખ કરોડની જોગવાઈ કરી તે આવકારદાયક છે. મુદ્રા લોનમાં પણ 10 લાખ સીમા વધારીને 20 લાખ કર્યા તે પણ આવકારદાયક છે તેનાથી નાના ઉદ્યોમોને ઘણો લાભ મળશે. ઇન્ડસ્ટ્રીઝ માટે પણ સારી જોગવાઈ કરી છે તેનાથી યુવાનોને રોજગારી તક સારી ઉભી થશે તે ખૂબ આવકારદાયક છે. ઇન્કમ ટેક્સમાં જે ફેરફાર કર્યો તે ખૂબ જ આવકારદાયક છે. વ્યાપારીઓ પેન્શન માટે તેમજ GST ના કાનૂનમાં સુધારા માટે કોઈ માગણી સ્વીકારાય નથી.
એક 90 વર્ષ પરંપરા કે જે અપ્રતિમ છે નિષ્પક્ષ નિષ્પક્ષ દરરોજ, વહેલી તકે, એક ગતિશીલ સંપાદકીય ટીમ અને ડિસ્ટ્રીબ્યુટર અને બિઝનેસ એસોસિએટ્સનું એક શક્તિશાળી નેટવર્ક, દરરોજ નવ દાયકા જૂની પરંપરા આપે છે. એવી પરંપરા કે જે વિચારો, માહિતી અને સીધા પત્રકારત્વના એક વિશિષ્ટ સંશ્લેષણ છે. દરેક વાર્તામાં અપ્રતિમ અધિકૃતતા અને તટસ્થતાનો સમાવેશ થાય છે, વાચકોને સૌથી વધુ જાણકાર અને વિશ્લેષણાત્મક સમાચાર કવરેજ સાથે સમર્થન આપવું.