CIA ALERT

Blog - Page 699 of 709 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
May 26, 2018
ark-deck-bar_625x300_1527268946821.jpg
1min13260

મુંબઈના સમુદ્રમાં ફ્લોટિંગ ક્રૂઝ રેસ્ટોરાંએ શુક્રવારે જળસમાધિ લીધી હતી. જોકે ક્રૂઝ પરના તમામ કામદારોને બચાવી લેવામાં આવતાં જાનહાનિ ટળી હતી.

બાંદ્રા-વરલી સી લિંક પાસે એઆરકે ડેક બાર નામની ફ્લોટિંગ ક્રૂઝ રેસ્ટોરાં શુક્રવારે બપોરે સમુદ્રમાં ડૂબી હતી. બપોરે બે વાગ્યાને સુમારે સમુદ્રનું પાણી ક્રૂઝમાં

ભરાયું હતું. હાઇટાઇડને કારણે બાંદ્રા જેટ્ટી ખાતે લાગેલું એન્કર છટકી ગયું હતું અને ક્રૂઝ સમુદ્રમાં જતી રહી હતી. પથ્થર સાથે અથડાતાં ક્રૂઝનો નીચેનો ભાગ તૂટ્યો હતો અને તેમાં પાણી ભરાવા લાગ્યું હતું. ક્રૂઝમાં

પાણી ભરાઇ જવાને કારણે ક્રૂઝનો અડધો ભાગ નમી ગયો હતો.

ક્રૂઝના કેપ્ટન ઇરફાન ઇસ્માઇલ શિરગાંવકરે ક્રૂઝ પર હાજર ૧૩ કામદારને લાઇફ બોટની મદદથી કિનારે પહોંચાડ્યા હતા, જેને કારણે જાનહાનિ થઇ નહોતી. આ ઘટનાને પગલે મુંબઈ મેરિટાઇમ અને અગ્નિશમન દળના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

May 26, 2018
bombayrain.jpg
1min11450

ચોમાસું આ વર્ષે જલદી દાખલ થવાનું હોઈ કરોડો રૂપિયા ખર્ચીને પણ નાળાસફાઈના કામ સમાધાનકારક નહીં હોવાને કારણે આ વર્ષે પણ ચોમાસામાં મુંબઈ પાણીમાં ડૂબવાની ભારોભાર શક્યતા છે. સ્થાયી સમિતિની બેઠકમાં વિરોધપક્ષે નાળાસફાઈના કામ અંગે અસંતોષ વ્યકત કરી ચોમાસામાં પાણી ભરાશે એવા આરોપ કર્યા હતા ત્યારે આ આરોપનું ખંડન નહીં કરતા સુધરાઈ પ્રશાસને અપ્રત્યક્ષ રીતે માન્ય કર્યું હતું. એટલું જ નહીં પણ દાદર, હિંદમાતા પરિસરમાં આ વર્ષે પણ પાણી ભરાશે તેથી લોકોને ત્રાસ સહન કરવો પડશે એવી કબૂલાત પણ પાલિકાના અધિકારીઓએ કરી છે. કરોડો રૂપિયા ખર્ચીને પણ મુંબઈ પાણીમાં ડૂબશે એમ મનાય રહ્યું છે.

નાળામાંથી કાઢવામાં આવેલો ગાળ મુંબઈની બહાર નાખવામાં આવતા હોવાનું પ્રશાસન તરફથી કહેવામાં આવી રહ્યું છે પણ હકીકતમાં કાંજુરમાર્ગ અને મુલુંડ ડમ્પિંગ ગ્રાઉન્ડમાં તેને નાખવામાં આવતો હોવાનો આરોપ વિરોધપક્ષ નેતા રવિ રાજાએ કર્યો હતો. મુંબઈ પાણીમાં ડૂબશે નહીં એવુ આશ્ર્વાસન પણ તેમણે પ્રશાસન પાસેથી માગ્યું હતું.

ચોમાસું જલદી બેસવાનું હોવા છતાં મુંબઈના નાળાઓની સફાઈ હજી સુધી થઈ નથી. અનેક ઠેકાણે મોટા નાળામાંથી કચરો કાઢવામાં આવ્યો નથી. નાળાસફાઈના કામ છેલ્લા તબક્કામાં છે છતાં નાળાઓમાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા હોવાનો આરોપ પણ નગરસેવકોએ કર્યો હતો. તો ‘ઈ ’વોર્ડમાં બે દિવસ પહેલા જ નાળાસફાઈનું કામ ચાલુ કરવામાં આવ્યું હોવાનો આરોપ સમાજવાદી પાર્ટીના નેતાએ કર્યો હતો. એક તરફ વિરોધપક્ષ આક્રમક થઈ ગયો હતો ત્યારે અનેક ઉપાય યોજના અમલમાં લાવ્યા બાદ પણ આ વર્ષે પણ હિંદમાતા પાણીમાં ડૂબશે એવી કબૂલાત પ્રસાસને કરતા સત્તાધારી શિવસેનાને નીચાજોણું થયું હતું.

અગાઉ મુંબઈમાં થોડો પણ વરસાદ પડતો તો દાદર-હિંદમાતા વિસ્તારમાં કમર સુધી પાણી ભરાઈ જતા હતા. ગયા વર્ષે બ્રિટાનિયા પંપિંગ સ્ટેશન ચાલુ કરવામાં આવ્યું હતું છતાં ત્યાં ગયા વર્ષે ચોમાસામાં ઘૂંટણભેર પાણી ભરાયા હતા. ગયા વર્ષ દરમિયાન પાલિકાએ અનેક ઉપાયયોજના અમલમાં મૂકી હતી. અંગ્રેજોના જમાનાની જમીનની નીચે આવેલી વરસાદી પાણીનો નિકાલ કરનારી સ્ટ્રોર્મ વોટર ડ્રેનેજ લાઈનમાં મોટા મોટા ઝાડના મૂળિયાને કારણે અડચણો આવી રહી છે અને તેના પર ઉપાયયોજના કરવામાં આવી રહી છે છતાં પાણી ભરાવાની શકયતા નકારી શકાય નહીં, તેથી હજી થોડો વખત લોકોને ત્રાસ સહન કરવો પડશે એવું સ્ટ્રોર્મ વોટર ડ્રેનેજ ખાતાના ચીફ ઍન્જિનિયર વિદ્યાધર ખંડકરે કહ્યું હતું નાળાસફાઈનું કામ જોરદાર ચાલી રહ્યું હોવા છતાં નાળાની ઉપર તથા તેની આજુબાજુ આવેલી ઝૂંપડપટ્ટીમાં રહેલા લોકો દ્વારા ફરી નાળામાં કચરો ફેંકવામાં આવતો હોય છે.
ક્લીનઅપ માર્શલને નાળા પર નજર રાખવા બાબતે પાલિકા વિચાર કરી રહી છે. ઠેર ઠેર કચરો ફેંકનારા પર નજર રાખવા માટે તહેનાત કરવામાં આવેલ ક્લીનઅપ માર્શલ દ્વારા લોકો પાસેથી ખોટી રીતે પૈસા વસૂલ કરવામાં આવતા હોવાના આરોપને કારણે પાલિકાની ક્લીનઅપ માર્શલની યોજના ભારે વિવાદાસ્પદ બની હતી. તેને પગલે થોડા સમય માટે આ યોજનાને બંધ કરવામાં આવ્યા બાદ ફરી ક્લીનઅપ માર્શલને તહેનાત કરવામાં આવ્યા હતા. હવે કચરો કરનારાને પકડવાની સાથે જ નાળામાં કચરો નાખનારા પર પણ નજર રાખવા ક્લીનઅપ માર્શલ બાબત પાલિકા વિચારાધીન હોવાનું કહેવાય છે.
ચોમાસા દરમિયાન મધ્ય રેલવેના સૌથી વધુ પાણી ભરાતા સ્ટેશન એટલે કે કુર્લા અને સાયન ખાતે વધારે ક્ષમતા ધરાવતા પાણી ફેંકનારા પંપ બેસાડવામાં આવશે, એવું મધ્ય રેલવેના સાધનોએ જણાવ્યું હતું.

દર વર્ષે લગભગ મધ્ય રેલવેના કુર્લા અને સાયન ખાતે ભારે વરસાદમાં ટ્રેકમાં પાણી ભરાતું હોય છે અને આ પાણી ટ્રેકમાંથી બહાર ફેંકવા માટે મધ્ય રેલવે દ્વારા પંપ બેસાડવામાં આવે છે. આ વર્ષે ૧૦૦૦ હૉર્સ પાવર (એચપી)ની ક્ષમતા ધરાવતા પંપ મધ્ય રેલવે દ્વારા બેસાડવામાં આવશે. જેથી ટ્રેકમાંથી પાણી ખૂબ જ ઝડપથી બહાર કાઢી શકાશે, એવું મધ્ય રેલવેના ડિવિઝનલ રેલવે મેનેજર (ડીઆરએમ) એસ. કે. પંકજે જણાવ્યું હતું. ૧૦૦૦ એચપીના પંપ ઉપરાંત મધ્ય રેલવેની ૪૨ જગ્યા પર ૩૨ એચપીના પંપ બેસાડવામાં આવશે. આ ઉપરાંત સુધરાઈ દ્વારા પણ ૧૬ ઠેકાણે પંપ બેસાડવામાં આવશે. ગયા વર્ષે મધ્ય રેલવે દ્વારા ૧૨ એચપીના ૨૭ પંપ બેસાડવામાં આવ્યા હતા.

આ ઉપરાંત મધ્ય રેલવે દ્વારા હવામાન ખાતા સાથે પણ સતત સંપર્કમાં રહીને ભારે વરસાદની માહિતી લેવામાં આવશે. આ વર્ષે રેલવે દ્વારા નાળા સફાઈ માટે જેસીબીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને કુલ ૮૦,૦૦૦ ક્યુબિક મીટરનો કચરો કાઢવામાં આવ્યો હતો, એવું પંકજે વધુમાં જણાવ્યું હતું.

રૂ. ૬૦ લાખના ખર્ચે ‘ઉત્કૃષ્ટ’ પ્રોજેક્ટ હેઠળ મધ્ય રેલવે દ્વારા ડેક્કન ક્વીન, એલટીટી-મડગાંવ ડબલડેકર ઍક્સ્પ્રેસને અપગ્રેડ કરવામાં આવશે. ડેક્કન ક્વીનનું અપગ્રેડેશન ઑગસ્ટ, ૨૦૧૮ અને એલટીટી-મડગાંવ ડબલડેકર ઍક્સ્પ્રેસનું કામ ડિસેમ્બર સુધી પૂરું કરવામાં આવશે.

May 26, 2018
drcongo_boat_accident_640-nc-2.jpg
1min12040

અંતરિયાળ વાયવ્ય દિશામાં ડેમોક્રેટીક રિપબ્લિક ઑફ કૉંગો (ડીઆરસી)માં એક નદીમાં થયેલા બોટ અકસ્માતમાં ૫૦ જણના મોત થયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

ત્શુપા પ્રાંતના વાઇસ ગવર્નર રિચાર્ડ બોયો લુકાના જણાવ્યા મુજબ આ અકસ્માત બુધવારે રાતે મોમ્બોયો નદીમાં થયો હતો. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ અમને ગુરુવાર સુધીમાં ૪૯ મૃતદેહ મળ્યા હતા. એક લાપતા છે. આ બોટમાં પેસેન્જરો ઉપરાંત માલનો મોટો જથ્થો હતો.

બોટ મોન્કોટો શહેરથી માબાંદાકા (ઇક્વેટીયર પ્રાંત) જઇ રહી હતી. બોટ ડૂબવાનું કારણ જાણી શકાયું નથી. તેમ જ લાપતા પેસેન્જરની સંખ્યાની પણ હજી સુધી ખબર પડી નથી, એવું બોયોએ જણાવ્યું હતું. અલબત્ત, તેમણે એવું કહ્યું હતું કે આ બોટ રાતે ટ્રાવેલ કરતી હતી અને સરકારી સલામતી પગલાં સંદર્ભમાં કંઇક ગેરકાનૂની હતું અને
બોટમાં લાઇટો ન હતી.

ડીઆરસીની નદીઓમાં આ પ્રકારની ઘટનાઓ સામાન્ય છે. ખખડધજ બોટો, વધુ સંખ્યાથી પેસેન્જરો તથા માલ ભરવો, સલામતીના પગલાંનો સદંતર અભાવને કારણે અકસ્માતો સર્જાતા રહે છે.

May 25, 2018
Rera-India.png
1min14590

રિયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) એક્ટ (રેરા) આઝાદી પછી ભારતમાં બાંધકામ ક્ષેત્રમાં સૌથી મોટો સુધારો માનવામાં આવી રહ્યો છે. દેશમાં પ્રથમ વખત રિયલ એસ્ટેટ ક્ષેત્રે કોઈ નિયમનતંત્ર આવ્યું અને મોટા ભાગના નિષ્ણાતો માને છે કે આ કાયદો ગ્રાહકોને પઝેશન સહિતના મુદ્દે રક્ષણ મળતું થઇ ગયું છે. એકંદરે રિયલ એસ્ટેટ ક્ષેત્રને ઓર્ગેનાઇઝ્ડ બનાવશે તથા સમય જતાં ઉદ્યોગમાં વોલ્યુમમાં વૃદ્ધિ થશે અને ઉદ્યોગ માટે ભંડોળના નવા માર્ગ પણ ખૂલી રહ્યા છે.

ગુજરાત સહિત મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, બિહાર, ચંદીગઢ અને ઓડિશાએ રેરાના નિયમો નક્કી કરી દીધા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ગુજરાતમાં સોમવારે રેરાના કમિશનરની નિમણૂક થઇ ચૂકી છે અને ત્યાર બાદ હાલના તમામ ચાલુ પ્રોજેક્ટ્સનું તેમાં રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે. રેરાના અમલ સાથે રિયલ એસ્ટેટમાં લોકપ્રિય ‘પ્રિ-લોન્ચ’ સિસ્ટમનો અંત આવવા પામ્યો છે.

રાજ્યોએ 1ઓક્ટોબર 2017 પહેલાં નિયમો નોટિફાઇ કરવાના હતા પરંતુ અનેક રાજ્યોએ હજી સુધી નિયમો બનાવ્યા નથી. ક્રેડાઇના નેશનલ પ્રેસિડન્ટ જક્ષય શાહે જણાવ્યું હતું કે, કેટલાંક રાજ્યોએ હજુ સુધી નિયમો નોટિફાઇ નથી કર્યા, પરંતુ સરકાર સાથેની અમારી વાટાઘાટ દરમિયાન એ સુનિશ્ચિત થયું છે કે તે રાજ્યો આગળ વધી રહ્યાં છે અને અમને અપેક્ષા છે કે આ રાજ્યોમાં ફાઇનલ નિયમો નોટિફાઇ થશે અને રેગ્યુલેટરની પણ નિમણૂક ટૂંક સમયમાં થશે.મધ્યપ્રદેશે રેગ્યુલેટરી ઓથોરિટીની નિમણૂક કરી છે, જ્યારે કેરળ,
રાજસ્થાન, મહારાષ્ટ્ર, પંજાબ અને મિઝોરમે વચગાળાના રેગ્યુલેટરની નિમણૂક કરી દીધી છે.

કેટલાક નિષ્ણાતો માને છે કે રેરાના અમલના કારણે રિયલ એસ્ટેટમાં ભાવવધારો જોવા મળશે. ક્રેડાઇના એક હોદ્દેદારે જણાવ્યું હતું કે, પ્રોજેક્ટ માટે તમામ મંજૂરીઓ મળ્યા બાદ જ વેચાણ ચાલુ કરી શકાશે અને ‘પ્રિ-લોન્ચ’ બંધ થશે. તેના કારણે ડેવલપરોએ વધુ નાણાંનું રોકાણ કરવું પડશે. બિલ્ડરે પ્રોજેક્ટમાં ગ્રાહકો પાસેથી મળતાં નાણાં પૈકી 70 ટકા નાણાં એક અલગ એકાઉન્ટમાં રાખવા પડશે તેથી એકંદરે નવા પ્રોજેક્ટની સંખ્યા પણ ઘટશે અને શરૂઆતમાં સપ્લાય ઘટવાના કારણે પણ ભાવમાં વધારો જોવા મળશે.

રેરાના કારણે ગ્રાહકોને સૌથી મોટો લાભ એ થશે કે ડેવલપરોએ પઝેશન માટે આપેલા વચનને વળગી રહેવું પડશે અને જો તેમાં વિલંબ થશે તો પ્રત્યેક મહિને ગ્રાહકને વ્યાજ ચૂકવવું પડશે. બિલ્ડરોએ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ, લીગલ ટાઇટલ ડીડ સહિતના દસ્તાવેજો સાથે રેરા ઓથોરિટીમાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને તેના આધારે તેમને પ્રોજેક્ટ દીઠ રજિસ્ટ્રેશન નંબર આપવામાં આવશે.

રજિસ્ટ્રેશન થયા પહેલાં ડેવલપર કોઈ પણ પ્રકારે પોતાના પ્રોજેક્ટની જાહેરાત નહીં કરી શકે અને ગ્રાહકોને પ્લોટ કે મકાન જોવા માટે આમંત્રણ પણ નહીં આપી શકે. દરેક એડ્વર્ટાઇઝમેન્ટમાં ડેવલપરે રેરા રજિસ્ટ્રેશન નંબરનો ઉલ્લેખ કરવાનો રહેશે. નિયમનતંત્ર એક વેબસાઇટ પણ બનાવશે અને તેમાં તેની પાસે રજિસ્ટર્ડ થયેલા તમામ પ્રોજેક્ટની માહિતી લોકોને મળશે.

રેરાનો અમલ થયા બાદ પઝેશનના સમયપાલનની ચુસ્તતા ઉપરાંત પાંચ વર્ષ સુધી બાંધકામની ગુણવત્તા માટે પણ ડેવલપર બંધાયેલા રહેશે. પ્રોજેક્ટ પૂર્ણ થયાનાં પાંચ વર્ષ સુધીમાં સ્ટ્રક્ચરલ કે અન્ય કામમાં કોઈ પણ ખામી હોય તો ગ્રાહકો ડેવલપરને જાણ કરી શકશે અને ડેવલપરે 30 દિવસમાં કોઈ વધારાનાં નાણાં વસૂલ્યા વગર તેનો ઉકેલ લાવવાનો રહેશે.

રિયલ્ટી નિષ્ણાતોના જણાવ્યા મુજબ, સમય જતાં ઉદ્યોગમાં પારદર્શિતા વધવાથી ભંડોળના વધારે વિકલ્પો ઉપલબ્ધ બનશે અને ગ્રાહકોને રક્ષણ મળવાથી મકાનોની માંગ વધશે.

May 25, 2018
rera.jpg
1min11060

ઘર ખરીદનારાઓ માટે વ્યક્તિગત લોનની માંગમાં જ વધારો નથી થયો પરંતુ ડેવલપર્સની લોન પણ વધી છે. રેરાના રક્ષણ સાથે ધિરાણકારો હવે બિલ્ડર્સને લોન આપવા માટે વધુ સારી સ્થિતિમાં છે.

1 જુલાઈ 2017થી મહારાષ્ટ્ર અને ગુજરાત સહિતનાં રાજ્યોમાં રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ (એક્ટ) લાગુ થયો છે. રિયલ એસ્ટેટ સેક્ટર હાલમાં રેરા, જીએસટી તથા બ્લેકમની સામેનાં પગલાં, ભાવ અને નરમાઈની અસરનો સામનો કરે છે.

રિયલ એસ્ટેટ ડેવલપરને ફાઇનાન્સ કરવામાં એનબીએફસી અને એચએફસીનો બજારહિસ્સો વધીને 60 ટકા થઈ ગયો છે. ચાર વર્ષ અગાઉ રિયલ્ટીને ફાઇનાન્સ કરવામાં આ સંસ્થાઓનો હિસ્સો લગભગ 30 ટકા જેટલો હતો. ડેવલપરને ધિરાણ આપતી સંસ્થાઓમાં એનબીએફસી, એચડીએફસી, ઇન્ડિયાબુલ્સ, જેએમ ફાઇનાન્શિયલ અગ્રેસર છે અને તેઓ ડેવલપરને લોનમાં 20 ટકા હિસ્સો ધરાવે છે.

તેનું મુખ્ય કારણ એ છે કે વધુ રાજ્યો હવે રેરા લાગુ કરી રહ્યાં છે. રેરાની ઇશ્યૂ કરવામાં આવેલી માર્ગદર્શિકા વિશે કેટલીક સ્પષ્ટતા મળ્યા પછી જ ડેવલપર્સે પ્રોજેક્ટ લોન્ચ કર્યા છે. પ્રોજેક્ટ લોન્ચના પ્રમાણમાં વધારો થયો છે.

રેરાનો અત્યાર સુધીમાં અમલ કરવામાં આવ્યો હોય તેવાં રાજ્યોની સંખ્યા વધીને 21 થઈ છે. અત્યાર સુધીમાં મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિતનાં રાજ્યોએ રેરા અપનાવ્યો છે. આ ઉપરાંત આ રાજ્યોમાં જ એફોર્ડેબલ હાઉસિંગમાં પણ વધારો થયો છે. વ્યક્તિગત હોમ લોન સેગમેન્ટની સરખામણીમાં આ સેગમેન્ટે વધારે ઝડપથી વૃદ્ધિ કરી છે અને તે વધારે સારું માર્જિન પણ ઓફર કરે છે.

એલઆઇસી હાઉસિંગ ફાઇનાન્સે 31 માર્ચ 2018ના રોજ સમાપ્ત થયેલા ચોથા ક્વાર્ટરમાં ₹2,266 કરોડની પ્રોજેક્ટ લોન વિતરીત કરી હતી અને લગભગ 80 ટકાનો વધારો નોંધાવ્યો હતો. તેમની ₹1.66 લાખ કરોડની લોન બૂકમાં ડેવલપર્સને આપવામાં આવેલી લોનનો હિસ્સો લગભગ પાંચ ટકા છે.

પીએનબી હાઉસિંગ ફાઇનાન્સે મજબૂત બિઝનેસ વૃદ્ધિ નોંધાવી છે અને વાર્ષિક ધોરણે લોનની ફાળવણીમાં 45 ટકા વધારો થયો છે જ્યારે ક્રમિક વૃદ્ધિનો મોટો હિસ્સો કન્સ્ટ્રક્શન ફાઇનાન્સ દ્વારા પ્રેરિત હતો. એલ એન્ડ ટી ફાઇનાન્સે રિયલ એસ્ટેટ ફાઇનાન્સમાં 56 ટકા વૃદ્ધિ નોંધાવી છે. એચડીએફસી માટે બિન-વ્યક્તિગત લોન બૂકમાં ગયા નાણાકીય વર્ષમાં 17.3 ટકા વૃદ્ધિ થઈ હતી જ્યારે રિટેલ લોનમાં 20 ટકા વધારો નોંધાયો હતો.

સૌથી મોટી મોર્ગેજ ધિરાણકાર એચડીએફસી માટે પણ બિનવ્યક્તિગત લોન બૂકમાં ગયા નાણાકીય વર્ષમાં 17.3 ટકાનો વધારો થયો હતો. જ્યારે રિટેલ લોનમાં 20 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી. એન્ટિક બ્રોકિંગના એનાલિસ્ટ દિગંત હરિયાએ કહ્યું કે, ભવિષ્યમાં નવા પ્રોજેક્ટ લોન્ચ વધવાની શક્યતા છે. રેરાનું પાલન કરતા પ્રોજેક્ટને ધિરાણ કરવામાં ધિરાણકારો રાજી છે.

May 25, 2018
2ndhandmob-1280x720.jpg
1min12050

એપલ અને અને સેમસંગ જેવી મહત્ત્વાકાંક્ષી બ્રાન્ડ્સના ફોન સસ્તામાં ખરીદવાની જબરજસ્ત માંગ હોવાથી આવતાં બે વર્ષમાં ભારતનું સેકન્ડ-હેન્ડ સ્માર્ટફોનનું માર્કેટ 27 ટકાના ચક્રવૃદ્ધિ દરે વધી જશે.

નિષ્ણાતો અને વિશ્લેષકોને અપેક્ષા છે કે, 2019 અને 2020માં રિફર્બિશ્ડ ફોનનું માર્કેટ જોરદાર વૃદ્ધિ હાંસલ કરશે કારણ કે નવી-નવી કંપનીઓ વર્તમાન ઓનલાઇન માર્કેટપ્લેસિસ પર જોડાઈ રહી છે. એમેઝોન, કેશિફાઇ, શોપક્લૂઝ અને ટોગોફોગો જેવી ઓનલાઇન ચેનલ્સે આ સેગમેન્ટમાં વાર્ષિક વેચાણમાં ધરખમ વૃદ્ધિ કરી છે.

રિફર્બિશ્ડ મોબાઇલ ફોન કેટેગરી વાર્ષિક ધોરણે 400 ટકાના દરે વધી રહી છે અને મોબાઇલ ફોનના એકંદર વેચાણમાં તેનો હિસ્સો 2017માં લગભગ બમણો થઈ ગયો હતો. એમ એમેઝોન ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું. એમેઝોને જણાવ્યું હતું કે, એપલ અને સેમસંગ જેવી મહત્ત્વાકાંક્ષી બ્રાન્ડ્સના ફોન 50 ટકા ઓછી કિંમતે ખરીદવા માંગતા ગ્રાહકોની સંખ્યા વધી રહી હોવાથી આ કેટેગરીમાં હજુ ઘણી સારી વૃદ્ધિ જોવા મળશે.

ગયા વર્ષે તેમનું વેચાણ ત્રણ ગણું વધ્યું હતું અને આ વર્ષે પણ આવી વૃદ્ધિની અપેક્ષા છે. શોપક્લૂઝે ચાલુ વર્ષના પ્રત્યેક મહિનામાં બીજી અને ત્રીજી શ્રેણીનાં શહેરોમાં 5,780 રિફર્બિશ્ડ ફોન વેચ્યા હતા, જે 2017ના વેચાણની સરેરાશ કરતાં ૩૫ ટકા વધારે છે. શોપક્લૂઝે વેચેલા રિફર્બિશ્ડ ફોનમાં નોકિયા અને સેમસંગના ફોનની સંખ્યા વધારે છે.

એવા ઘણા ગ્રાહકો છે જેમનો પહેલો સ્માર્ટફોન હવે જૂનો થઈ ગયો છે અને કોઈ પણ સ્માર્ટફોન ત્રણ વર્ષમાં ત્રણ વખત વેચાઈ રહ્યો છે, એટલે કે એકંદર સ્માર્ટફોનની માર્કેટની સરખામણીએ વોલ્યુમ કદાચ ઓછું હશે પરંતુ તેનું કદ લગભગ 3.5 કરોડ યુનિટનું છે.

સેકન્ડ-હેન્ડ ફોનના માર્કેટમાં વેચાતા 25 ટકા ફોન જ રિફર્બિશ્ડ હોય છે. નિષ્ણાતો જણાવે છે કે, ડેટાનો વપરાશ વધવાથી ફીચરફોન વાપરતા ગ્રાહકોમાં પણ જૂના સ્માર્ટફોનની માંગ વધી રહી છે.

2017માં રિફર્બિશ્ડ સ્માર્ટફોનનું વોલ્યુમ 25 ટકા જેટલું વધ્યું હતું અને ભારતમાં તેનું વેચાણ 1.2 કરોડ યુનિટ્સને પાર કરી ગયું હતું, જેમાં ત્રીજા ભાગનો હિસ્સો એપલ અને સેમસંગના ફોનનો હતો એમ કાઉન્ટરપોઇન્ટ ટેક્‌નોલોજી માર્કેટ રિસર્ચના આંકડા પરથી જાણવા મળે છે.

May 25, 2018
astral.jpg
1min12190

અમદાવાદ સ્થિત એસ્ટ્રલ પોલિ ટેક્‌નિકનો શેર ગુરુવારે તેની સર્વોચ્ચ સપાટી પર બંધ રહ્યો હતો. ચાલુ મહિને તેણે ત્રીજી વાર આ સ્તર આસપાસ બંધ આપ્યો છે. આ સાથે કંપની રાજ્યની ટોચના માર્કેટ-કેપ ધરાવતી કંપનીઓમાં સ્થાન પામી છે. ગુરુવારે બીએસઇ ખાતે ₹961.15ના બંધ ભાવે કંપનીનું માર્કેટ-કેપ ₹11,516 કરોડ થાય છે.

અમદાવાદ સ્થિત કંપનીઓમાં માર્કેટ-કેપની રીતે તે 8મા ક્રમે આવી ગઈ છે. તેણે સિમ્ફની, ટોરેન્ટ પાવર અને અરવિંદ લિમિટેડ જેવી કંપનીઓને પણ માર્કેટ-કેપમાં પાછળ રાખી દીધી છે.

બિલ્ડિંગ મટિરિયલ્સ બનાવતા એસ્ટ્રલ પોલિ ટેક્‌નિકનો શેર સારાં પરિણામોની જાહેરાત પાછળ ગુરુવારે બીએસઇ ખાતે 6.05 ટકા જેટલો સુધર્યો હતો. આ સાથે કંપનીનું માર્કેટ-કેપ ₹11,000 કરોડને વટાવી ગયું હતું. કંપનીમાં સૌથી મોટી શેરધારક તરીકે પ્રમોટર એવા સંદીપ એન્જિનિયર(31.6 ટકા હિસ્સો)નું માર્કેટ-કેપ ₹3,672 કરોડ પર પહોંચ્યું હતું.

ચાલુ કેલેન્ડરમાં કંપનીના શેરનો દેખાવ જોઈએ તો તેણે 13.58 ટકાનું રિટર્ન દર્શાવ્યું છે, જે અમદાવાદમાં હેડક્વાર્ટર ધરાવતી કંપનીઓમાં કદાચ ઘણું સારુ છે. ચાલુ કેલેન્ડરમાં મોટા ભાગના મિડ-કેપ શેરોમાં વેલ્યૂનું ધોવાણ થયું છે અને તેથી જૂજ કંપનીઓ જ પોઝિટિવ રિટર્ન દર્શાવી રહી છે, જેમાં એસ્ટ્રલ એક છે. તાજેતરમાં અમદાવાદ સ્થિત સિમ્ફની લિનું પરિણામ અપેક્ષાથી વિપરીત આવ્યું હતું, જેની પાછળ શેરના ભાવમાં 10 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો.

એસ્ટ્રલ પોલિ ટેક્‌નિકના શેરે છેલ્લા સવા વર્ષમાં 145 ટકાનું નોંધપાત્ર વળતર દર્શાવ્યું છે. એટલે કે ડિસેમ્બર 2016ના અંતે ₹392ની સપાટી પર બંધ રહેલો કંપનીનો શેર ₹960ના સ્તરે જોવા મળ્યો છે. આમ રોકાણકારોને ઊંચું વળતર આપનારી ગુજરાતી કંપનીઓમાં તે અગ્રણી રહ્યો છે. ગુરુવારે કાઉન્ટરમાં ઊંચાં કામકાજ નોંધાયાં હતાં.

બીએસઇ ખાતે સરેરાશ બે સપ્તાહના 1,844 શેર્સની સરખામણીમાં 4,608 શેર્સનું કામકાજ નોંધાયું હતું. એસ્ટ્રલથી ઊંચું માર્કેટ-કેપ ધરાવતી ગુજરાતી કંપનીઓમાં અદાણી પોર્ટ, કેડીલા હેલ્થકેર, ગૃહ ફાઇનાન્સ, ટોરેન્ટ ફાર્મા, એઆઇએ એન્જિનિયરિંગ, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી એન્ટરપ્રાઇઝનો સમાવેશ થાય છે.

May 25, 2018
parenting.jpg
1min5520

આજકાલ પેરન્ટિંગ ક્લાસિસ કે પ્રી-નેટલ ક્લાસિસ એક ટ્રેન્ડ બની ગયો છે. બધા જાય છે એટલે હું પણ જાઉં છું એટલું જ નહીં, પેરન્ટિંગ પોતાનામાં એક બિઝનેસ બની ગયું છે. જે લોકો આ પ્રકારના કોર્સ કરવા જાય છે એમાંથી કેટલાક ખરેખર એવા હોય છે જેમને પેરન્ટિંગને વધુ સમજવાની ઇચ્છા હોય છે, પરંતુ બાકીના લોકો એવા પણ હોય છે કે જે ફક્ત બીજાને જોઈને આ પ્રકારના ક્લાસિસમાં જતા હોય છે. પોતાના બાળકને બેસ્ટ દેવાની હોડ દરેક માતા-પિતાની હોય છે, પરંતુ બાળકને બેસ્ટ એની પાછળ પૈસા ખર્ચવાથી, મોંઘા ક્લાસિસમાં જવાથી કે કોઈ બીજાની સલાહથી આપી શકાતું નથી. બાળકને બેસ્ટ ત્યારે મળે છે જ્યારે બાળક અને માતા-પિતા વચ્ચેનો સંબંધ બેસ્ટ હોય. એક અભણ માતા-પિતા પણ બાળકને ચળકતો સિતારો બનાવી શકે છે, ખૂબ ભણાવી શકે છે અને ખૂબ આગળ વધવામાં પૂરો સહયોગ આપી શકે છે. અંતે તો પેરન્ટિંગ ક્લાસમાં જઈને નહીં, બાળક સાથે રહીને જ આવડે છે. પેરન્ટિંગ દરમ્યાન ઘણી ભૂલો પણ થાય છે, પરંતુ એ ભૂલોમાંથી શીખે અને પોતાના બાળકની પરવરિશના માર્ગમાં એ ભૂલોને ન આવવા દે એ જ યોગ્ય પેરન્ટિંગનો માર્ગ છે. ભૂલો કરતાં-કરતાં શીખવાથી જે પેરન્ટિંગ આવડે એ કોઈ ક્લાસમાં શીખવાતું નથી. લોકો પહેલાં કરતાં પેરન્ટિંગ બાબતે ઘણા જાગ્રત થયા છે. હકીકત એ છે કે નવા પેરન્ટ્સ તરીકે બાળક માટે શારીરિક, માનસિક અને આર્થિક રીતે સજ્જ રહેવું અત્યંત જરૂરી છે. જો એ સજ્જતા ક્લાસમાં જઈને આવતી હોય તો પણ ઠીક છે કે પછી જો ખુદના પ્રયત્નો સાથે કે ફૅમિલીની મદદથી આવી હોય તો પણ બેસ્ટ જ છે. જરૂર છે સજ્જ થવાની પછી રીત કોઈ પણ હોય.

આજે સમય ઘણો જુદો છે. દરેક યુવાન માતા-પિતા બનવા માટે પહેલાં પોતે સજ્જ થાય છે. આ સજ્જતામાં આર્થિક પાસું મોટું છે. એની સાથે-સાથે દરેક યુગલ પોતાના બાળકને કેવું જીવન આપવા માગે છે, કેવા સંસ્કાર આપી શકશે કે તેનું ઘડતર કેમ કરશે એ બાબતે પણ સજ્જ થવાના પ્રયત્નો પોતાની ક્ષમતા પ્રમાણે કરતું જોવા મળે છે. મારે મારા બાળકને કેમ મોટું કરવું એ બાબતે વિચાર કરતાં માતા-પિતા ઘણાં જોવા મળે છે. જોકે અમુક એવાં પણ છે જેમને ખાસ સમજ નથી પડતી, પરંતુ તેમને એટલી સમજ ચોક્કસ પડે છે કે બાળકો એમનેમ મોટાં નથી થઈ જતાં. પોતાને સજ્જ કરવાં, બાળક મોટું કેમ કરવું અને તેને મોટું કરવામાં નડતા અઢળક પ્રશ્નોને ઉકેલવા માટે આજકાલ પ્રોફેશનલ હેલ્પ મળવા લાગી છે. ઠેર-ઠેર પેરન્ટિંગ કોર્સ શરૂ થયા છે. ઠેર-ઠેર પ્રી-નેટલ ક્લાસિસ પણ શરૂ થયા છે. આ કોર્સ અને ક્લાસમાં જનારાં યુવા યુગલોની સંખ્યા વધતી જાય છે. જે જાણે છે એ સમજે છે કે પેરન્ટિંગમાં કોઈ પણ મેથડ ૧૦૦ ટકા સાચી ન હોય શકે. દરેક બાળકે અને દરેક પેરન્ટ્સે એ મેથડ બદલવાની. કોઈ પણ પ્રકારના પેરન્ટિંગને આદર્શ પેરન્ટિંગ ન ગણાવી શકાય. તો પછી આ કોર્સમાં શીખવાનું શું? શું ખરેખર કોઈ કોર્સ આપણને સારાં માતા-પિતા બનવાનું શીખવી શકે? જો એવું ન હોય તો બધાં શું કરવા માટે કોર્સ શીખી રહ્યાં છે?

 

આજથી ૩૦-૪૦ વર્ષ પહેલાંનું પેરન્ટિંગ ઘણું અલગ હતું. લોકો માનતા હતા કે બાળક ઈશ્વરની દેન છે, એ પોતાના નસીબનું લઈને આવશે, આપણે ચિંતા કરવા જેવી નથી. બાળકો ક્યાં રમે છે? શું કરે છે? શું વિચારે છે? કયા ધોરણમાં ભણે છે? પાસ થયાં કે નહીં એની ઝાઝી ચિંતા એ સમયનાં મા-બાપ કરતાં નહીં. એકંદરે બાળક તેનો રસ્તો ખુદ પસંદ કરતું અને આગળ વધતું. જે આગળ વધી શકે એ વધી જતું, જે રહી જાય તેના બાબતે પણ માતા-પિતા ટેન્શન લેતાં નહીં, તેને જરૂર પડ્યે સપોર્ટ કરતાં અને બધાં એકસાથે જીવી જાણતાં. જોકે એવું નથી કે પહેલાંનું પેરન્ટિંગ ઘણું સારું હતું. એ સમયે બાળકોના દરેક પ્રૉબ્લેમને એક ઝાપટ સાથે સૉલ્વ કરવાનો રિવાજ હતો. જીદ કરે તો ઝાપટ, ખોટું બોલે તો ઝાપટ, પૂછો એનો જવાબ ન આપે તો ઝાપટ, જે કહો એ ન માને તો ઝાપટ. બાળક કહે કે મને આ જોઈએ છે તો ચોખ્ખી ના પાડી દેવાની અને એ ના કહેવું જ બસ થઈ ગયું. તેને એ સમજાવવાની જરૂર નહોતી કે શું કામ તને ના પાડી.

May 25, 2018
mudra.jpg
1min12980

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં પ્રધાન મંત્રી મુદ્રા યોજના (PMMY)ના ૧૦૦થી પણ વધારે લાભકર્તાઓ સાથે થયેલી વાતચીતમાં જણાવ્યું હતું કે પ્રધાન મંત્રી મુદ્રા યોજના દ્વારા દેશના અંદાજે ૧૧ કરોડ નાગિરકોને લાભ મળ્યો છે.

PMMY ૨૦૧૫ની ૮ એપ્રિલે શરૂ કરવામાં આવી હતી, જેમાં ૧૦ લાખ રૂપિયા સુધીની લોન નૉન-કૉર્પોરેટ, નૉન-ફાર્મ સ્મૉલ-માઇક્રો બિઝનેસને આપવામાં આવે છે. આ પ્રકારની લોન કમર્શિયલ બૅન્ક, રીજનલ રૂરલ બૅન્ક, સ્મૉલ ફાઇનૅન્સ બૅન્ક, કો-ઑપરેટિવ બૅન્ક, માઇક્રો ફાઇનૅન્સ ઇન્સ્ટિટ્યુશન અને નૉન-બૅન્કિંગ ફાઇનૅન્શિયલ કંપનીઓ દ્વારા આપવામાં આવે છે.

વડા પ્રધાને મુદ્રા સ્કીમની સફળતા વિશે વાત કરતાં ઉક્ત ઇન્સ્ટિટ્યુશનોની પીઠ થાબડી હતી. સામાન્ય જનતા પ્રાઇવેટ અથવા તો પબ્લિક સેક્ટરમાં નોકરી શોધતી હોય છે, પણ હવે પર્સનલ સેક્ટરના વિકાસ તરફ આપણે ધ્યાન આપવું જોઈએ એ વાત પર નરેન્દ્ર મોદીએ ભાર મૂક્યો હતો. આ ઉપરાંત તેમણે મુદ્રા લોનના કેટલાક સફળ લાભકર્તાનાં ઉદાહરણો પણ લોકો સમક્ષ મૂક્યાં હતાં.

May 25, 2018
indianeco.jpg
1min12700

ભારતની રાષ્ટ્રીય આવક ૨૦૧૭માં ૨.૬ ટ્રિલ્યન (એક ટ્રિલ્યન બરાબર ૧૦૦૦ બિલ્યન) ડૉલરમાંથી વધીને ૨૦૨૫મા પાંચ ટ્રિલ્યન ડા÷લર થશે એવો આશાવાદ ગયે મહિને મળેલી વિશ્વબૅન્કની મીટિંગમાં ભારત સરકારના આર્થિક બાબતોના સચિવ સુભાષચંદ્ર ગર્ગે વ્યક્ત કર્યો છે. ૨૦૦૭થી ૨૦૧૪ના સાત વરસના ગાળામાં ભારતનું અર્થતંત્ર એક ટ્રિલ્યન ડૉલરમાંથી વધીને બે ટ્રિલ્યન ડૉલરનું થયું. વિકાસનો આ દસ ટકાનો વાર્ષિક દર જોતાં આવતાં આઠ વરસ (૨૦૧૮થી ૨૦૨૫)માં આર્થિક વિકાસનો વાર્ષિક દર ૪.૭ ટકાનો રહે તો પાંચ ટકાના ભાવવધારા સાથે ચાલુ ભાવે અર્થતંત્ર ૯.૭ ટકાના દરે વધતું રહેવું જોઈએ, પણ શરત એટલી કે આ વરસો દરમ્યાન રૂપિયાની ડૉલર સામેની કિંમતમાં ઘટાડો થવો ન જોઈએ. આમ થાય તો આપણું પાંચ ટ્રિલ્યન ડૉલરના અર્થતંત્રનું સ્વપ્ન ફળે.

ભારતનું અર્થતંત્ર જે રીતે વિશ્વના અર્થતંત્ર પર આધાર રાખે છે એ જોતાં વિકાસના ૯.૭ ટકાના દરે આ લક્ષ્યાંક સિદ્ધ કરવાનું થોડું મુશ્કેલ બની શકે. વિશ્વમાં વધવા માંડેલા વ્યાજના દર અને બૉન્ડ પરના યીલ્ડને કારણે વિદેશી મૂડીરોકાણનો પ્રવાહ ઘટી શકે.

ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમની દક્ષિણ કોરિયા અને ચીનની મુલાકાત પછી અને અમેરિકાની ગોઠવાઈ રહેલી મુલાકાતને કારણે એના પરમાણુશસ્ત્રોના ઉપયોગના વલણના અકલ્પનીય ફેરફારને લીધે વિશ્વની તણાવભરી ભૌગોલિક-રાજનીતિ વિષયક પરિસ્થિતિ હળવી બની શકે એમાં ટ્રમ્પે ઉત્તર કોરિયા પર મૂકેલા આર્થિક પ્રતિબંધોએ પણ મહત્વનો ભાગ ભજવ્યો હોય.

વડા પ્રધાન મોદીની ચીનની અનૌપચારિક મુલાકાત દરમ્યાન જિનપિંગ સાથે થયેલી વાતચીતના અંજામનો તાગ મેળવવો મુશ્કેલ છે. એમ છતાં ચીનની અમેરિકા સાથેની વધતી જતી મુશ્કેલીઓ વચ્ચે ચીનને ભારત જેવું વિશ્વનું સૌથી મોટું બજાર ગુમાવવું પરવડે એમ નથી.

અમેરિકાએ બહુ સ્પષ્ટ અને મક્કમ રીતે ચીનને અમેરિકા સાથેની એની ટ્રેડ સરપ્લસમાં તાત્કાલિક ધોરણે ૧૦૦ બિલ્યન ડૉલરનો અને ૨૦૨૦ સુધીમાં ૨૦૦ બિલ્યન ડૉલરનો ઘટાડો કરવાની તથા ચીન દ્વારા ૨૦૨૫ માટેના મેડ ઇન ચાઈના પ્લાન અન્વયે સ્થાનિક ઉદ્યોગોને અપાતી રોકડ સહાય (જેના દ્વારા ચીનની ઔદ્યોગિક ઉત્પાદનની ક્ષમતા વધે છે) બંધ કરવાની તાકીદ કરી છે. આ માટે ચીને અમેરિકાથી થતી આયાતો વધારવાની ઑફર કરી છે.

આમ ચારે બાજુથી સર્જાયેલી વિકટ પરિસ્થિતિ વચ્ચે ચીને છેલ્લાં ૧૭ વરસમાં પહેલી જ વાર ૨૦૧૮ના પ્રથમ ક્વૉર્ટર (જાન્યુઆરી-માર્ચ)માં કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ (૨૮ બિલ્યન ડૉલર)નો અનુભવ કર્યો છે (છેલ્લે ૨૦૦૧ના એપ્રિલ-જૂન દરમ્યાન આવો અનુભવ કરેલો). છેલ્લાં સત્તર વરસથી વિશ્વના એક મોટા નિકાસકાર દેશ તરીકે સતત ટ્રેડ સરપ્લસ અને નેગેટિવ CAD દ્વારા ત્રણ ટિલ્યન ડૉલર જેટલું માતબર વિદેશી હૂંડિયામણ જમા કરનાર ચીન માટે આ હકીકત સ્વીકારવી અને વિદેશવેપારક્ષેત્રે આવી હાર પચાવવી મુશ્કેલ છે. આ પરિસ્થિતિમાં જિનપિંગ માટે ચીનમાં પોતાનું સ્થાન કાયમી ધોરણે જાળવી રાખવા માટે ચીનના ભારત સહિત અન્ય દેશો સાથેના સંબંધો સુધારવા અનિવાર્ય ગણાય. ભૂતકાળના અનુભવોને આધારે ચીનનો વિશ્વાસ કરવો અઘરું ગણાય એમ છતાં એની આવી નબળાઈઓનો અણધાર્યો લાભ ભારતને મળી શકે.

પાકિસ્તાનની શાંતિ અને સમૃદ્ધિ પાકિસ્તાનના લશ્કરના ભારતના લશ્કર સાથેના સુમેળભર્યા સંબંધો સિવાય શક્ય નથી એવું પાકિસ્તાનના લશ્કરી વડાનું વિધાન ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધો સુધરે એવી આશા જન્માવે છે. આજે લશ્કરી અને સંરક્ષણ ખર્ચની બાબતમાં ભારતનો વિશ્વના ટોચના દેશોમાં અમેરિકા, રશિયા, ચીન અને સાઉદી અરેબિયા પછી પાંચમો નંબર છે. વિશ્વમાં પ્રવર્તતા ભૌગોલિક-રાજનીતિ વિષયક તણાવમાં સુધારો થવાની જન્મેલી આશાને લીધે આ ખર્ચ સીમિત બનવાની સંભાવના ખરી જે આપણા અર્થતંત્રના લાભમાં હશે. જોકે ઈરાન અને સાઉદી અરેબિયાના સંબંધો અને સિરિયામાં ચાલી રહેલું ગૃહયુદ્ધ કેવો વળાંક લે છે એના પર પણ વિશ્વની શાંતિ અને સમૃદ્ધિનો મોટો આધાર છે. અમેરિકા દ્વારા ઈરાનના ન્યુક્લિયર પ્રોગ્રામ પર મૂકવામાં આવેલા અંકુશો વધે તો પરિસ્થિતિ વણસી પણ શકે.

ઈરાનના પ્રમુખ હસન રૂહાનીએ અમેરિકાને ચેતવણી આપી છે કે જો અમેરિકા ઈરાન અને વિશ્વની મહાસત્તાઓ વચ્ચે ૨૦૧૫માં કરવામાં આવેલા પરમાણુકરારની શરતો બદલવાની કે એ બહાના હેઠળ ઈરાન પર વેપાર પ્રતિબંધ લાદવાની ગુસ્તાખી કરશે તો એનાં માઠાં પરિણામ ભોગવવા માટે અમેરિકા અને અન્ય દેશોએ તૈયાર રહેવું પડશે.

આ પરિસ્થિતિમાં ઉત્તર કોરિયા એના પરમાણુપરીક્ષણ બંધ કરવા માટે તૈયાર ન પણ થાય. લિબિયા અને ઇરાકે પોતપોતાના ન્યુક્લિયર પ્રોગ્રામ છોડી દીધા પછી એમના જે હાલહવાલ થયા એ પણ ઉત્તર કોરિયાને પરમાણુપરીક્ષણ બંધ કરવામાંથી અટકાવી શકે. આ સંજોગોમાં વિશ્વની ભૌગોલિક-રાજનીતિ વિષયક પરિસ્થિતિ બગડે તો વિશ્વના અને ભારતના આર્થિક વિકાસ પર એના છાંટા ઊડ્યા વિના ન રહે.

બીજા શબ્દોમાં રૂપિયાનું છેલ્લાં સાત વરસ (૨૦૧૧-૨૦૧૭)માં થયું એટલું અવમૂલ્યન ૨૦૧૮થી ૨૦૨૫મા થાય તો ભારતે ચાલુ ભાવે હવે પછીનાં આઠ વરસમાં વિકાસનો વાર્ષિક દર ૧૫.૩ ટકા જેટલો વધારવો પડે અને તો જ આપણું અર્થતંત્ર ૨૦૨૫માં પાંચ ટ્રિલ્યન ડૉલરનું થઈ શકે. એટલે કે પાંચ ટકાના ભાવવધારા સાથે સ્થિર ભાવે આર્થિક વિકાસનો વાર્ષિક દર ૧૦ ટકાથી પણ વધુ રહેવો જોઈએ જે અશક્ય નહીં પણ મુશ્કેલ તો છે જ.

૨૦૧૮ની શરૂઆતથી અત્યાર સુધી (૭ મે) ડૉલર સામે રૂપિયો ૪.૫ ટકા જેટલો ઘસાયો છે અને આમ રૂપિયાની કિંમત ૬૭ રૂપિયાથી પણ ઘટીને ૧૫ મહિનાની નીચી સપાટી પર ઊતરી ગઈ છે. ક્રૂડના ભાવ નવેમ્બર-૨૦૧૪ પછીના સૌથી ઊંચા છે. અમેરિકા ઈરાન પર વેપાર વિષયક પ્રતિબંધ મૂકે એનાથી અને વેનેઝુએલાની આર્થિક કટોકટીથી પણ ક્રૂડની તેજી વણથંભી આગળ વધી શકે.

આર્જેન્ટિનાનો પિઝો ડૉલર સામે ગગડી ન જાય એટલે હાલમાં એની સેન્ટ્રલ બૅન્કે વ્યાજના દર વધારીને ૪૦ ટકા જેટલા કર્યા છે. ભારતને અને એનાં મૅક્રો-ઇકૉનૉમિક પરિબળોને આર્જેન્ટિના સાથે સરખાવીને ખતરાની ઘંટી વગાડવાનો આ પ્રયાસ નથી. આર્જેન્ટિનાના કડવા અનુભવે ઊભરતા અને વિકસતા દેશોએ સાવધ બની જવું જોઈએ. એમ છતાં સારી રીતે મૅનેજ કરતા ઊભરતા દેશો પર પણ આની ખરાબ અસર થોડેઘણે અંશે પડવાની જ.

ભારતના મૅક્રો-ઇકૉનૉમિક પરિબળો વિકાસના આપણા તબક્કે હોય એવા દેશો કરતાં ઘણાં મજબૂત છે. જુલાઈ-૨૦૧૩માં અમેરિકાએ નરમ મૉનિટરી પૉલિસી પાછી ખેંચી લેવાની શરૂઆત કરી ત્યાર કરતાં પણ ભારતની સ્થિતિ આજે મજબૂત છે.

GSTની મન્થ્લી સરેરાશ આવક ફિસ્કલ ૨૦૧૮ના લગભગ ૯૦,૦૦૦ કરોડ રૂપિયા સામે ફિસ્કલ ૨૦૧૯ના પ્રથમ મહિને પહેલી વાર એક લાખ કરોડ રૂપિયાનો આંક વટાવીને ૧.૦૩ લાખ કરોડની થઈ છે. ફિસ્કલ ૨૦૧૯નો ૧૨ લાખ કરોડ રૂપિયાનો GSTનો લક્ષ્યાંક સરકાર હાંસલ કરે એવી સંભાવના છે. એ માટેનાં બે કારણો છે- (૧) ફિસ્કલ ૨૦૧૯માં આર્થિક વિકાસનો દર સાત ટકા ઉપર (ફિસ્કલ ૨૦૧૮મા સંભવિત ૬.૬ ટકા) રહેવાની ધારણા છે. (૨) GSTના સરળીકરણ સાથે વધુ ને વધુ ઉદ્યોગ-ધંધા GSTના દાયરામાં આવી શકે.

GST કાઉન્સિલની છેલ્લી મીટિંગના નિર્ણય પ્રમાણે GST રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયા સરળ બનશે અને છ મહિના પછી દર મહિને એક જ રિટર્ન (હાલના રિટર્નને બદલે) ફાઇલ કરવાનું રહેશે. વેચાણકારે ઇન્વૉઇસ અપલોડ કરવાના રહેશે. GSTના અમલની શરૂઆતની મુશ્કેલીઓ દૂર થયા પછી GST દ્વારા કરવેરાની આવક અને આર્થિક વિકાસનો દર વધવાની સરકારને આશા છે.

મોટરકારના વેચાણમાં એપ્રિલ-૨૦૧૮માં ૧૨ ટકાનો વધારો થયો છે. ગ્રામ્ય વિસ્તારની ડિમાન્ડના વધારાનો એમાં મોટો ફાળો છે. સેવાક્ષેત્રનો પર્ચે‍ઝિંગ મૅનેજર્સ ઇન્ડેક્સ (PMI) એપ્રિલમાં ત્રણ મહિનાની ઊંચી સપાટીએ છે. ઉત્પાદનક્ષેત્રનો PMI પણ એપ્રિલમાં સતત નવ મહિનાથી સુધરતો રહ્યો છે. પરિણામે સર્વિસ અને ઉત્પાદનનો કમ્પોઝિટ ઇન્ડેક્સ પણ ત્રણ મહિનાની ઊંચી સપાટીએ હતો.

વિદેશી મૂડીરોકાણકારોએ એપ્રિલમાં મૂડીબજારમાંથી લગભગ ૨૫૦૦ મિલ્યન ડૉલર પાછા ખેંચ્યા છે. આગલા મહિને વિદેશી મૂડીરોકાણકારો દ્વારા મૂડીબજારમાં ૪૫૦ મિલ્યન ડૉલરનું રોકાણ કરવામાં આવેલું.

દેશના મજબૂત મૅક્રો-ઇકૉનૉમિક ફન્ડામેન્ટલ અને વિશ્વનાં ભૌગોલિક-રાજકીય વિષયક પરિબળોમાં કોનો હાથ ઉપર રહે છે એના ઉપર દેશના આર્થિક વિકાસનો દર નિર્ભર છે, પણ એ વિશે અડસટ્ટો લગાવવો મુશ્કેલ ગણાય