CIA ALERT

Blog - Page 59 of 694 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
January 17, 2025
veterinary.jpg
1min847

અત્યાર સુધી GUJCET પરીક્ષાના સ્કોરના આધારે મેરીટ લિસ્ટ બનતું હતું હવે મેડીકલ અને પેરામેડીકલની જેમ વેટરનરી અભ્યાસ માટે પણ NEET UGનો સ્કોર જરૂરી

ધો.12 સાયન્સ બાયોલોજી વિષય સાથે અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ અને વાલીઓ હજુ એ વાતથી અજાણ છે કે વેટરનરી સાયન્સ અને એનિમલ હસબન્ડરી અભ્યાસક્રમમાં પ્રવેશ માટે 2025-2026ના શૈક્ષણિક વર્ષથી ગુજકેટની જગ્યાએ નીટ યુજીની પરીક્ષાનો સ્કોર ફરજિયાત કરી દેવામાં આવ્યો છે. મેડીકલ અને પેરામેડીકલની જેમ હવે વેટરનરી તબીબ બનવા માટે પણ ગુજરાતના તમામ વિદ્યાર્થીઓએ નીટ યુજી પરીક્ષા 2025 આપવી ફરજિયાત છે અન્યથા આ અભ્યાસક્રમમાં પ્રવેશથી વંચિત રહેવું પડશે. હાલમાં ધો.12 બાયોલોજી વિષય સાથે અભ્યાસ કરી રહેલા મોટા ભાગના વિદ્યાર્થીઓ આ બાબતથી અજાણ હોવાનું જાણવા મળે છે.

ગુજરાતમાં વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી અભ્યાસક્રમનું સંચાલન કામધેનુ યુનિવર્સિટી સંલગ્ન કોલેજો દ્વારા કરવામાં આવે છે. રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે તાજેતરમાં એવો ઠરાવ કર્યો છે કે વિદ્યાર્થીઓના વિશાળ હિતને ધ્યાને લઇ ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ કે જેઓને બેચલર ઇન વેટનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી અભ્યાસક્રમમાં સ્ટેટ ક્વોટાની સીટો પર પ્રવેશ આપવા માટે ગુજકેટ પ્રવેશ પરીક્ષાની સ્કોર ફરજિયાત હતો તેના બદલે શૈક્ષણિક વર્ષ 2025-2026થી નીટ યુજી પ્રવેશ પરીક્ષાનો સ્કોર ફરજિયાત કરવામાં આવ્યો છે. વેટરનરી અભ્યાસક્રમમાં પ્રવેશનું મેરીટ લિસ્ટ હવેથી નીટ યુજી પરીક્ષામાં મેળવાયેલા માર્કસના આધારે તૈયાર કરવામાં આવશે. જે વિદ્યાર્થી નીટ યુજી પરીક્ષા આપી ન હશે તેઓ વેટરનરી અભ્યાસક્રમમાં પ્રવેશપાત્ર ગણાશે નહીં.

રાજ્ય સરકારનું કહેવું છે વેટરનરી સાયન્સ જેવા અભ્યાસક્રમમાં પ્રવેશમાં એકસૂત્રતા જળવાય તે માટે આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલમાં વેટરનરી સાયન્સમાં નેશનલ ક્વોટાની સીટો પર પ્રવેશ પ્રક્રિયા ઇન્ડિયા કાઉન્સિલ ફોર એગ્રિકલ્ચર રિસર્ચ દ્વારા નીટ યુજીના સ્કોરના આધારે થાય છે, જ્યારે ગુજરાત રાજ્યમાં આ જ અભ્યાસક્રમમાં સ્ટેટ ક્વોટાની સીટ માટે ગુજકેટનો સ્કોર ગણતરીમાં લેવાય છે. આથી વિદ્યાર્થીઓએ બન્ને પરીક્ષા આપવી પડતી હોવાથી એકસૂત્રતા જળવાય તે હેતુથી વેટરનરી સાયન્સના અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ચાલુ વર્ષથી નીટ યુજી પરીક્ષા ફરજિયાત કરી દેવામાં આવી છે. 

January 16, 2025
saif.png
1min345

Saif ali khan admit at leelawati Hospital | જાણીતા ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન પર ચપ્પાં વડે હુમલો કરી દેવાની ચકચારી ઘટના સામે આવી છે. આ હુમલામાં અભિનેતા સૈફ અલી ઇજાગ્રસ્ત થયો હતો. માહિતી અનુસાર સૈફના ઘરમાં મોડી રાતે ચોર ઘૂસી ગયો હતો. આ ચોરીની ઘટના બાંદ્રાવાળા બંગ્લોમાં બની હતી. જે દરમિયાન એક ચોરે સૈફ અલી ખાન પર હુમલો કરી દીધો હતો. જેમાં તે ઈજાગ્રસ્ત થયા. હાલમાં તેમની લીલાવતી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ડૉક્ટરોએ કહ્યું કે તેને ગળાના ભાગે 10 સેમી.નો ઘા પડી ગયો છે. જોકે તે હજુ ખતરાથી બહાર છે. તેને પીઠ અને હાથ ઉપર પણ ઈજાઓ થઈ છે.

માહિતી અનુસાર આ ઘટના સવારે 3 વાગ્યે બની હતી. એક ચોર સૈફના ઘરમાં ઘૂસી આવ્યો હતો. આ દરમિયાન અમુક નોકર ઊંઘમાંથી ઊઠી એલર્ટ થઈ ગયા અને ચોર ચોરની બૂમ પાડવા લાગ્યા. તે સમયે સૈફ અલી પણ ઊંઘમાંથી જાગી ગયો અને ચોરને પકડવા દોડ્યો હતો. આ દરમિયાન ચોરે સૈફ પર ચપ્પાં વડે હુમલો કરી દીધો જેમાં સૈફ ઈજાગ્રસ્ત થયો હતો. સૈફ અલી ખાનની ટીમના જણાવ્યાનુસાર હાલમાં સૈફ અલી ખાનની સર્જરી ચાલી રહી છે. તેને બે ત્રણ ઈજાઓ થઈ છે જેમાંથી ગળાના ભાગે લાંબો ચીરો પડી ગયાની માહિતી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે કાર્યવાહી કરતાં ઘરના અમુક કર્મચારીઓની અટકાયત કરી હતી અને તેમની પૂછપરછ શરૂ કરી હતી. મળતી માહિતી અનુસાર હજુ 3 લોકોની આ મામલે અટકાયત કરવામાં આવી છે. પોલીસ પૂછપરછ કરવા માટે આ લોકોને સાથે લઈ ગઈ છે.

જ્યારે આ ઘટના વિશે ઘરના નોકર અને સભ્યોને જાણકારી મળી તો તેઓ ડરી ગયા અને ઉતાવળે સૈફને હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી. તેમને લીલાવતી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. હાલ તેમને દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. જોકે ઘટના બાદથી ચોર ફરાર થઇ ગયા હતા. મુંબઈ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમને ઘટનાની જાણ થતાં જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને ચોરને પકડવા માટે ચક્રો ગતિમાન કરાયા હતા.

January 13, 2025
mahakumbh.png
1min323

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એક જ સ્થળે વિશ્વના સૌથી મોટા માનવ મેળાવડા એવા મહાકુંભનો સોમવારથી પ્રારંભ થઇ રહ્યો છે. 45 દિવસ સુધી ચાલનારા આ મહાકુંભમાં લાખો શ્રદ્ધાળુઓ ભાગ લેશે. ગંગા, સરસ્વતી અને યમુનાના પવિત્ર સંગમ સ્થળે શ્રદ્ધાળુઓ ડુબકી લગાવીને શાહી સ્નાન કરશે. પરંપરા મુજબ 12 વર્ષ બાદ આ મહાકુંભનું આયોજન થયું છે જેને પગલે અગાઉ કરતા વધુ લોકો શાહી સ્નાનનો લાભ લે તેવી શક્યતા છે. ઉત્તર પ્રદેશ સરકારને આશા છે કે 26મી ફેબ્રુઆરી સુધી ચાલનારા આ મહાકુંભમાં 35 કરોડ શ્રદ્ધાળુઓ ભાગ લઇ શકે છે.

સોમવારે મહાકુંભની શરૂઆત થાય તેના બે દિવસ પહેલા જ શનિવારે 35 લાખ શ્રદ્ધાળુઓએ અહીંયા શાહી સ્નાન કર્યું હતું. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ પ્રયાગરાજમાં મહાકુંભની વ્યવસ્થાના પરિક્ષણ માટે આવ્યા હતા. 13મી જાન્યુઆરીથી મહાકુંભની શરૂઆત થઇ રહી છે જેમાં શાહી સ્નાનની તારીખો પણ જાહેર કરાઇ છે જે મુજબ 13, 14 અને 29મી જાન્યુઆરીએ એટલે કે આ મહિને ત્રણ શાહી સ્નાન થશે. ફેબુ્રઆરી મહિનામાં 3, 12 અને 26 તારીખે શાહી સ્નાન કરવામાં આવશે. મહાકુંભ 2025 અનેક રીતે અલગ માનવામાં આવે છે.

શ્રદ્ધાળુઓની સુવિધા માટે મહાકુંભ સ્પેશિયલ સાત હજાર બસો ચલાવવાનું આયોજન ઉત્તર પ્રદેશ રોડવેઝે કર્યું છે. જ્યારે જે સ્થળે મેળાવળો ભરાઇ રહ્યો છે ત્યાં જ 550 શટલ બસો ચલાવવામાં આવશે. અહીંના આયોજન સ્થળે 28 હજારથી વધુ શૌચાલય બનાવવામાં આવ્યા છે. સાફ સફાઇ માટે 15 હજાર સફાઇકર્મીઓ તૈનાત કરાયા છે. શ્રદ્ધાળુઓને કોઇ અસુવિધા ના થાય તે માટે 101 સ્માર્ટ પાર્કિંગ સ્થળ બનાવવામાં આવ્યા છે. જેની એક દિવસની ક્ષમતા પાંચ લાખ વાહનોના પાર્કિંગની છે. મેળા ક્ષેત્રમાં પાણીની સુવિધા માટે 1250 કિલોમીટર લાંબી પાઇપલાઇન લગાવાઇ છે. આ ઉપરાંત ૬૭ હજાર એલઇડી લાઇટો, બે હજાર સોલર લાઇટો અને ત્રણ લાખ વૃક્ષો લગાવવામાં આવ્યા છે.

મહાકુંભનું એક મહત્વ એ પણ છે કે જે સ્થળે તે યોજાઇ રહ્યો છે ત્યાં એક કામચલાઉ મોટુ નગર ઉભુ કરાયું છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે આ સ્થળે એક સમયે 50 લાખથી એક કરોડ શ્રદ્ધાળુઓને સમાવવાની ક્ષમતા છે. રાજ્યના મુખ્ય સચિવ મનોજ કુમારના જણાવ્યા મુજબ સમગ્ર કુંભ મેળા પર ચાંપતી નજર રાખવા માટે ૫૫ પોલીસ સ્ટેશન ઉભા કરાયા છે, સુરક્ષા માટે 45000 પોલીસ જવાનો તૈનાત કરાયા છે. મહાકુંભમાં 13 અખાડા ભાગ લઇ રહ્યા છે. પ્રયાગરાજ શહેરની દિવાલો ધાર્મિક રંગે રંગવામાં આવી છે. ચાર રસ્તા પર કળશ મુકવામાં આવ્યા છે. આયોજન સ્થળે વિશાળ ગેટ લગાવવામાં આવ્યા છે. સુરક્ષા માટે પોલીસ ડ્રોનની પણ મદદ લઇ રહી છે.

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ પ્રથમ વખત આ મહાકુંભનું આયોજન થઇ રહ્યું છે જેને પગલે લાખોની સંખ્યામાં લોકો આ મેળાવળામાં એકઠા થવા જઇ રહ્યા છે. દરમિયાન અયોધ્યામાં પણ પ્રાણ પ્રતિષ્ઠાની વાર્ષિક ઉજવણીની પણ તૈયારી ચાલી રહી છે.

મુખ્ય સચિવના જણાવ્યા મુજબ 2019માં કુંભનું આયોજન કરાયું તેની સરખામણીએ મહાકુંભનું આયોજન અનેકગણુ વિશાળ છે.

આ વખતના મેળાને ૨૫ સેક્ટરમાં વિભાજીત કરાયો છે. જ્યારે ઘાટની લંબાઇ પણ વધારીને 12 કિમી કરાઇ છે જે અગાઉ આઠ કિમી હતી. એટલુ જ નહીં 2019ના કુંભ સમયે આયોજન સ્થળનો વિસ્તાર 1291 હેક્ટર હતો જે આ વખતે વધારીને 1850 હેક્ટર રખાયો છે. આ પહેલા 3500 કરોડનો ખર્ચ થયો હતો જ્યારે આ વખતે સાત હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા મહાકુંભ માટે અલગથી આ બજેટ ફાળવવામાં આવ્યું છે.

January 9, 2025
hmpv.jpg
5min590
  • 1. એચએમપી વાઇરસ એટલે?

એચએમપી વાઇરસ એટલે હ્યુમન મેટાન્યૂમો વાઇરસ. યુએસ સેન્ટર્સ ફૉર ડિસીઝ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન અનુસાર આ વાઇરસ શ્વસન સંવેદનાત્મક વાઇરસ (RSV) સાથે ન્યુમોવિરિડે પરિવારનો છે.

નિષ્ણાતોનું કહેવું છે કે આ વાઇરસ 200 થી 400 વર્ષ પહેલાં પક્ષીઓમાંથી પેદા થયો હતો. પરંતુ ત્યારથી આ વાઇરસ વારંવાર વિકસિત થઈ રહ્યો છે. હાલમાં પક્ષીઓ આ વાઇરસથી સંક્રમિત નથી.

  • 2. એચએમપી વાઇરસ શું છે?

હ્યુમન મેટાન્યૂમો વાઇરસ(એચએમપી વાઇરસ)ની પ્રથમ ઓળખ 2001માં નૅધરલૅન્ડ્સમાં થઈ હતી. જેના કારણે લોકોને તાવ, ઉધરસ, નાક બંધ થવું અને કેટલાકને શ્વાસ લેવામાં તકલીફ ઊભી થઇ હતી. જેમ આ વાઇરસની અસર વધે છે તેમ દર્દીઓમાં તે બ્રૉન્કાઇટિસ અથવા ન્યુમોનિયાનું કારણ બની શકે છે. નાનાં બાળકો, વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો આનાથી વધુ અસરગ્રસ્ત થઈ શકે છે.

  • 3. ભારતમાં કેટલા કેસ નોંધાયા છે?

ભારતમાં હ્યુમન મેટાન્યૂમો વાઇરસ(એચએમપીવી)ના અત્યાર સુધીમાં ત્રણ કેસ નોંધવામાં આવ્યા છે. બેંગલુરુમાં નિયમિત પરીક્ષણોમાં ICMRને બે કેસ મળી આવ્યા હતા. જ્યારે ગુજરાતનાં આરોગ્ય પ્રધાન રૂષિકેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં બે મહિનાના બાળકમાં આ વાઇરસનાં લક્ષણો દેખાયાં છે.

  • 4. HMP વાઇરસનાં લક્ષણો શું છે?

તાવ
ખાંસી, બંધ નાક
ગળામાં તકલીફ
શ્વાસ લેવામાં તકલીફ
બ્રૉન્કાઇટિસ અથવા ન્યુમોનિયાનું જોખમ

  • 5. શું HMP વાઇરસ નવો છે?

દિલ્હીની શ્રી ગંગારામ હૉસ્પિટલના બાળરોગ વિભાગના ડૉ. સુરેશ ગુપ્તાએ પીટીઆઈને જણાવ્યું કે “HMP વાઇરસ નવો નથી. છેલ્લાં 20 વર્ષથી લોકો આ વાઇરસથી વાકેફ છે અને શિયાળા દરમિયાન આ ચેપના કેસ નોંધાય છે. આ ફ્લૂના વાઇરસ જેવો જ છે.”

  • 6. HMP વાઇરસની ઓળખ ક્યારે થઈ?

આ વાઇરસની માણસોમાં પ્રથમવાર ઓળખ 2001માં થઈ હતી
યુએસ સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન(સીડીસી) એ જણાવ્યું કે “આ વાઇરસની માણસોમાં પ્રથમવાર ઓળખ 2001માં થઈ હતી.”

  • 7. શું HMP વાઇરસ કોરોના સમાન છે?

નિપાહ અને અન્ય ચેપી રોગ માટે બનેલા કેરળનાં વન હેલ્થ સેન્ટરના નોડલ ઑફિસર ડૉ. ટી.એસ. અનીશે જણાવ્યું હતું કે “એચએમપી વાઇરસ અને કોવિડ-19 બંને અલગ છે.”

“કોવિડ-19 એક નવો જ વાઇરસ હતો. આ કારણોસર કોઈપણ વ્યક્તિમાં તેનો સામનો કરવાની પ્રતિરોધ ક્ષમતા નહતી.

અહેવાલ પ્રમાણે તબીબી નિષ્ણાતો કહે છે કે એચએમપી વાઇરસ રોગચાળો ફાટી નીકળશે એવી ચિંતા કરવાની જરૂર નથી. એવું કહેવાય છે કે તે કોરોના જેવી નવી બીમારી નથી અને તે કોઈ અસાધ્ય રોગ પણ નથી.

જો કે માનવ મેટાન્યુમો વાઇરસ અને કોવિડ-19 બંને ચેપી છે અને શ્વસનતંત્રને અસર કરે છે. બંનેની વિશેષતાઓ સમાન છે. બંને વાઇરસ એક જ રીતે ફેલાઇ છે. કોવિડ-19થી વિપરીત એચએમપી વાઇરસની સારવાર માટે કોઈ ઍન્ટિવાયરલ થેરાપી અથવા રસીનું નિર્માણ નથી થયું.

કોવિડ-19થી વિપરીત એચએમપી વાઇરસ સિઝનમાં જ આવે છે. આ રોગનાં લક્ષણો શિયાળા અને વસંતમાં જોવાં મળે છે.

અભ્યાસોએ દર્શાવ્યું છે કે, કોવિડ-19 પછી કેટલાક દેશોમાં એચએમપી વાઇરસના કેસોમાં ત્રણ ગણો વધારો થયો છે. જ્યારે કોવિડ-19 નિવારણનાં પગલાં અમલમાં હતાં ત્યારે લોકો આ પ્રકારના શ્વસન રોગોથી પ્રભાવિત થતા નથી. પરંતુ આ પગલાં હળવા થયા પછી એચએમપીવી જેવા શ્વસન રોગો બહાર દેખાવા માંડ્યા.

ક્રિશ્ચિયન મેડિકલ કૉલેજ, વેલ્લોરના ડૉ. ગગનદીપ કાંગે જણાવ્યું હતું, “પાંચ વર્ષની ઉંમર બાદ બાળકને આ વાઇરસ સામે સંપૂર્ણ રોગપ્રતિકારક શક્તિ મળે છે.”

‘ખેતરોમાં સાત ફૂટ પાણી ભરાઈ ગયું’ – રાજસ્થાનમાં જમીનમાંથી ખરેખર સરસ્વતી નદી નીકળી?

  • 8. શું HMP વાઇરસ જીવલેણ છે?

આ વાઇરસ વિશે જાતજાતની વાતો થાય છે. આની ઓળખ 15 થી 16 વર્ષ પહેલાં થઈ હતી. જાણીતા વાઇરોલૉજિસ્ટ ડૉ. વી. રવિએ જણાવ્યું હતું, “આ એક મોસમી ચેપ છે.” તેમણે કહ્યું,”તે ઇન્ફલ્યુએન્ઝાના કેસ સાથે પણ જોવા મળે છે. બાળકોને મોટે ભાગે આનો ચેપ લાગે છે.”

આરોગ્ય સેવાઓના મહાનિર્દેશક અતુલ ગોયલે જણાવ્યું,” એચએમપી વાઇરસ એ એક સામાન્ય વાઇરસ છે જે ભારતમાં શરદી અને ફ્લૂ જેવાં લક્ષણોનું કારણ બને છે. આમાં ડરવાની કોઈ જરૂર નથી. આ એક સામાન્ય વાઇરસ છે જે શ્વસન સંબંધી સમસ્યાઓનું કારણ બને છે અને હળવા ગુણધર્મો ધરાવે છે. દેશની હૉસ્પિટલો મોસમી રોગોનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.”

  • 9. એચએમપી વાઇરસ કેવી રીતે ફેલાય છે?

એચએમપી વાઇરસ એક ચેપી રોગ છે. તે ખાંસી અને છીંકથી મોંમાંથી નીકળતી લાળ દ્વારા ફેલાય છે.

તે હાથ મિલાવવાથી, આલિંગન અથવા તો એકબીજાને સ્પર્શ કરવાથી પણ ફેલાય છે.

આ વાઇરસ ચહેરા, નાક, આંખો અને મોંને સ્પર્શ કરેલા હાથ વડે પણ ફેલાય છે. જ્યારે ખાંસી અથવા વહેતા નાકને લીધે લાળ બહાર આવી જાય છે.

    1. એચએમપી વાઇરસ સાથેનો મૃત્યુદર શું છે?

CDC નોંધે છે કે જે લોકો પહેલાથી જ અન્ય રોગો ધરાવતા હોય તેમને એચએમપી વાઇરસ સાથે બીજા અન્ય વધારાના ચેપ મૃત્યુ તરફ દોરી જઇ શકે છે.

2021 માં લેન્સેટ ગ્લોબલ હેલ્થ જર્નલમાં પ્રકાશિત થયેલા એક લેખના ડેટા અનુસાર , પાંચ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોમાં તીવ્ર શ્વસન ચેપથી થતાં મૃત્યુમાં એચએમપી વાઇરસનો હિસ્સો એક ટકા છે.

    1. એચએમપી વાઇરસ ચેપ સામે રોગપ્રતિકારકતા કેવી રીતે વધારવી?

સિંગાપોરમાં ચેપી રોગોના ચિકિત્સક સુ લી યાંગે જણાવ્યું હતું કે, એચએમપીવી કોઈ નવો વાઇરસ નથી અને તે દાયકાઓથી છે.

એવું બહાર આવ્યું છે કે ભૂતકાળમાં લેવામાં આવેલાં પગલાંને લીધે વિશ્વભરના તમામ લોકોમાં આ વાઇરસનો સામનો કરવા માટેની રોગપ્રતિકારક શક્તિ રહેલી જ છે.

    1. HMP વાઇરસનાં લક્ષણો કેટલા દિવસ દેખાય?

આ વાઇરસનો ઇન્ક્યુબેશન પિરિયડ સામાન્ય રીતે ત્રણથી છ દિવસનો હોય છે. બીમારી ટૂંકા ગાળાની અથવા લાંબા ગાળાની હોઈ શકે છે. તેનો આધાર ચેપની તીવ્રતા પર રહેલો છે.

  1. કઈ સાવચેતી રાખવી જોઈએ?

જાહેર અને ભીડભાડવાળી જગ્યાએ માસ્ક પહેરો
નિયમિતપણે હાથ ધોવા
જેઓ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવે છે અને સરળતાથી બીમાર થઈ જાય છે તેઓએ વધારે બહાર ન ફરવું
ફ્લૂની રસી મેળવવી

  1. સાજા થવામાં કેટલા દિવસો લાગશે?

જો વાઇરસનાં લક્ષણો ગંભીર ન હોય તો એચએમપી વાઇરસ માંથી સ્વસ્થ થતા રીતે એક બે અઠવાડિયાનો સમય લાગે છે. જોકે, ખાંસી ઓછી થવામાં થોડો વધુ સમય લાગી શકે.

January 9, 2025
1min343

SGCCI દ્વારા સરસાણા સ્થિત SIECC ખાતે SITEX – સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો–ર૦રપ યોજાશે

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના ઉપક્રમે આગામી તા. ૧૦, ૧૧ અને ૧ર જાન્યુઆરી, ર૦રપના રોજ સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ત્રિદિવસીય ‘સીટેક્ષ – સુરત ઈન્ટરનેશનલ ટેક્ષ્ટાઇલ એક્ષ્પો–ર૦રપ’નું આયોજન કરાયું છે.

SGCCI ના પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા યોજાતા સમગ્ર ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીની મશીનરીને આવરી લેનારા પ્રદર્શન ‘સીટેક્ષ’ શ્રેણીનું આ ૧૧મું પ્રદર્શન છે. ચેમ્બરના અતિ મહત્વકાંક્ષી પ્રદર્શનનો પ્રમુખ ઉદ્દેશ સુરતના ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે એક નવી દિશા અને ગતિ આપવાનો છે. ટેક્ષ્ટાઇલ ટેકનોલોજી એન્ડ મશીનરી માટે યોજાનારા આ એકઝીબીશનનો સીધો લાભ સુરતના વિકાસશીલ ટેક્ષ્ટાઇલ ઉદ્યોગને મળે છે. ‘સીટેક્ષ’ એ ખરેખર વિકસિત ભારત %ર૦૪૭ની દિશામાં એક મહત્વનું ડગલું બની રહેશે, જે ટેક્ષ્ટાઇલ ઉત્પાદતામાં વૃદ્ધિની સાથે સાથે મોટા પાયે રોજગારી નિર્માણ કરવામાં ખૂબ જ મદદરૂપ બની રહેશે.

ટેક્ષ્ટાઇલ મશીનરીમાં ટેકનોલોજી અપગ્રેડ થઇ રહી છે. સુરતમાં સીટેક્ષ પ્રદર્શનમાં જાપાનીઝ પ્રિન્ટીંગ સાથેના ૩ર હેડવાળી મશીનરીનું પ્રદર્શન કરવામાં આવશે. આ મશીનરી હાલમાં હાઈ ડિમાન્ડ પ્રોડકટીવિટીમાં લેટેસ્ટ ટેકનોલોજી છે. ૩ર હેડવાળી આ મશીનરી આખા ભારતમાં બનારસ ખાતે એક જગ્યાએ ઇન્સ્ટોલ કરવામાં આવી છે અને ત્યારબાદ સુરતમાં ઇન્સ્ટોલ થવા જઇ રહી છે. આ ટેકનોલોજીમાં અત્યાર સુધી ર થી ૧૬ હેડ સુધીની પોઝીશન ડિજિટલ પ્રિન્ટીંગ મશીનરીનો સમાવેશ થતો હતો ત્યારે સુરતમાં પ્રથમ વખત ૩ર હેડવાળી આ મશીનરી પર એમ્બ્રોઇડરી ફેબ્રિક અને વિસ્કોસ જેકાર્ડનું સારી રીતે પ્રોડકશન લઇ શકાશે. ડિજિટલ પ્રિન્ટીંગ મશીનરીમાં ટેકનોલોજી અપગ્રેડેશનને કારણે સુરતમાં હવે ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીને જબરજસ્ત વેગ મળશે.

આ ઉપરાંત મેક ઇન ઇન્ડિયા વોટરજેટ મશીન, મેક ઇન ઇન્ડિયા હાઇ સ્પીડ રેપિયર મશીન અને શટલ લુમ વીથ સેવન શટલ ૪ બાય ૪ મશીનરીનું પ્રથમ વખત સુરતના સીટેક્ષ એકઝીબીશનમાં પ્રદર્શન કરવામાં આવશે. આ મશીનરીથી વેલ્યુ એડેડ ફેબ્રિકનું પ્રોડકશન લઇ શકાય છે. સોના–ચાંદીના તારના ઉપયોગથી પ્યોર સિલ્ક અને સેમી સિલ્કનું કપડું બનાવી શકાય છે. શટલ લુમ વીથ સેવન શટલ ૪ બાય ૪ મશીનરી હાલ દક્ષિણ ભારત તથા બનારસ ખાતે જ ઉપલબ્ધ છે. સુરતમાં પ્રથમ વખત આ મશીનરીને સીટેક્ષ એકઝીબીશનમાં પ્રદર્શિત કરવામાં આવશે અને ત્યારબાદ સુરતના વિવર્સ આ મશીનરીના ઉપયોગથી વેલ્યુ એડેડ ફેબ્રિક બનાવી શકશે.

ચેમ્બર પ્રમુખ શ્રી વિજય મેવાવાલાએ વધુમાં જણાવ્યું હતું કે, સીટેક્ષ એકઝીબીશનમાં વેલ્વેટ એરજેટ મશીનરીનું પણ પ્રદર્શન કરાશે. આ મશીનરી પર હાઈ કવોલિટી વેલ્વેટનું પ્રોડકશન લઇ શકાશે. અત્યારે કોરિયાથી હાઇ કવોલિટી વેલ્વેટની આયાત કરવામાં આવે છે, જેનું આ મશીનરી પર પ્રોડકશન લઇ શકાશે. આ ઉપરાંત સીટેક્ષ એકઝીબીશનમાં ઇન્ટરેકટીવ સોફટવેરની પણ વિઝીટર્સને માહિતી આપવામાં આવશે. રેપિયર જેકાર્ડ મશીન માટે આ સોફટવેરનો ઉપયોગ કરવામાં આવે છે. આ સોફટવેરની મદદથી મોબાઇલ, લેપટોપ તથા ઓન સ્ક્રીન પર પ્રોડકશનને લાઇવ જોઇ શકાય છે.

ચેમ્બરના ઉપ પ્રમુખ શ્રી નિખિલ મદ્રાસી અને તત્કાલિન પૂર્વ પ્રમુખ શ્રી રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, સીટેક્ષ એકઝીબીશનનો ઉદ્‌ઘાટન સમારોહ તા. ૧૦ જાન્યુઆરી, ર૦રપના રોજ સવારે ૧૦ઃ૦૦ કલાકે સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાશે, જેમાં ઉદ્‌ઘાટક તેમજ મુખ્ય મહેમાન તરીકે ભારતના માનનીય કેન્દ્રિય જલશકિત મંત્રી શ્રી સી.આર. પાટીલજી પધારશે અને તેમના વરદ્‌ હસ્તે સીટેક્ષ એકઝીબીશનનું ઉદ્‌ઘાટન કરવામાં આવશે. ઉદ્‌ઘાટન સમારોહમાં સુરતના જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી અતિથિ વિશેષ તરીકે સ્થાન શોભાવશે.

ચેમ્બરના માનદ્‌ મંત્રી શ્રી નિરવ માંડલેવાલા અને માનદ્‌ ખજાનચી શ્રી મૃણાલ શુકલએ જણાવ્યું હતું કે, સીટેક્ષ પ્રદર્શનમાં ભારતમાં બનેલા એરજેટ, વોટરજેટ અને રેપિયરના લેટેસ્ટ મોડેલ મશીનરીનું પ્રદર્શન કરવામાં આવશે. મોટા ભાગે એરજેટ મશીન કોટન બેઇઝ હોય છે, પરંતુ આ એકઝીબીશનમાં વિસ્કોસ તેમજ પોલિએસ્ટરનું પ્રોડકશન કરનારા એરજેટ મશીનો પણ પ્રદર્શિત કરાશે. આ મશીનરી પર અલગ અલગ યાર્નનો પણ ઉપયોગ કરી શકાય છે, જે પ્રોડકશનમાં ૯પથી ૯૬ ટકા સુધીની એફિશીયન્સી આપે છે.

ચેમ્બરના ઓલ એકઝીબીશન્સ ચેરમેન શ્રી બિજલ જરીવાલાએ જણાવ્યું હતું કે, સીટેક્ષ એકઝીબીશનમાં ટેક્ષ્ટાઇલ મશીનરી, ટેક્ષ્ટાઇલ એન્સીલરી અને મશીનરીઓ, ટેકનિકલ ટેક્ષ્ટાઇલ સંબંધિત મશીનરી, એરજેટ લૂમ્સ, વોટર જેટ લૂમ્સ, રેપીયર લૂમ્સ, ઈલેકટ્રોનિક જેકાર્ડ, ડોબી મશીન, વેલવેટ વિવિંગ મશીન, સરકયુલર નીટિંગ, યાર્ન ડાઇંગ, વોર્પિંગ મશીન, ડિજીટલ પ્રિન્ટીંગ મશીનરી, પોઝીશન પ્રિન્ટીંગ મશીન, વિવિધ પ્રિન્ટીંગ ઈન્ક, સ્યુઇંગ મશીન, ફયુઝીંગ મશીન તેમજ ખૂબ મોટી સંખ્યામાં મશીનરી તથા એસેસરીઝનું પ્રદર્શન કરવામાં આવશે, આથી જ અમને ટેક્ષ્ટાઇલ ઇન્ડસ્ટ્રીના તમામ સેકટર્સના એકઝીબીટર્સ તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે.

SGCCI દ્વારા સુરત – ગુજરાત ઉપરાંત આખા ભારતના વિવર્સ એસોસીએશનોને સીટેક્ષ એકઝીબીશનની મુલાકાત માટે આમંત્રણ પાઠવવામાં આવ્યા છે, જેથી સુરત ઉપરાંત બહારના રાજ્યોના વિવર્સ મોટી સંખ્યામાં સીટેક્ષ એકઝીબીશનની વિઝીટ કરશે.

સીટેક્ષ એક્ષ્પો–ર૦રપના ચેરમેન શ્રી સુરેશ પટેલે જણાવ્યું હતું કે, સરસાણા સ્થિત ‘સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે સીટેક્ષ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. પીલરલેસ એસી ડોમમાં તથા બહાર બનાવવામાં આવેલા ડોમમાં ૮૯ જેટલા એકઝીબીટર્સ દ્વારા ભાગ લેવામાં આવ્યો છે. ટેક્ષ્ટાઇલ મશીનરી અને એસેસરીઝ મેન્યુફેકચરર્સ તેમની વિશ્વની સૌથી અદ્યતન ટેકનોલોજી ધરાવતી મશીનરીનું પ્રદર્શન કરશે.

વધુમાં, સીટેક્ષ એક્ષ્પો–ર૦રપના કો–ચેરમેનો શ્રી મયુર ગોળવાલા અને શ્રી રિતેશ બોડાવાલાએ એકઝીબીશનના આયોજનમાં ભારે જહેમત ઉઠાવી હતી. ટેક્ષ્ટાઇલ મશીનરી અને એન્સીલરીનું વિશાળ પ્રદર્શન હોવાથી આ એકઝીબીશનમાં ૧૪ વર્ષથી નાના બાળકોનો પ્રવેશ પ્રતિબંધિત છે, જેની નોંધ લેવા વિનંતી છે.

January 9, 2025
carlifonia-fire.png
1min278

અમેરિકાના લોસ એન્જેલસમાં ભીષણ આગ ભડકી છે જે હવે શહેરો તરફ આગળ વધી રહી છે. આ ભીષણ આગને લીધે અત્યાર સુધી 2 લોકો મૃત્યુ પામી ગયા છે ત્યારે 70000 થી વધુ લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. આગની લપેટમાં અત્યાર સુધીમાં 1000થી વધુ ઈમારતો આવી ચૂકી છે. લોસ એન્જેલસમાં લાગેલી આ આગની ભયાનક તસવીરો હવે સામે આવવા માંડી છે. તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ઈમારતો આખે આખી સળગી ગઈ છે.

દક્ષિણ કેલિફોર્નિયાનાં લૉસ એન્જલસ શહેરની પાસેનાં જંગલમાં ભયંકર આગ ફેલાઈ ગઈ છે. પેસિફિક મહાસાગરનાં તટે રહેલા આ વિસ્તારમાં મહાસાગર પરથી આવતા પવનોએ આગને ચોપાસ અને ઝડપભેર ફેલાવી દીધી હતી. ઇટન-ફાયર કહેવાતી આ આગ લૉસ એન્જલસ નગરની નજીકનાં શહેર અલ્ટાડીના પાસેનાં જંગલમાંથી મંગળવારે શરૂ થઇ હતી. સાંજના આશરે 6:30 કલાકે, અભયારણ્ય પાસેથી આગ શરૂ થઇ હોવાનું અનુમાન છે.

આગ એટલી ઝડપથી ફેલાવા લાગી કે હોસ્ટિલ્સમાં રહેલાઓને પાર્કીંગ વૉર સુધી પહોંચાડવા માટે તેમનાં દર્દીનાં કપડામાં જ પૈડાંવાળા ખાટલા અને વ્હીલ ચેર્સમાં લઇ જવા પડયા હતા અને પાર્કીંગ વોરમાં ઉભેલી એમ્બ્યુલન્સોમાં ચઢાવી ભયાવહ વિસ્તારમાંથી બહાર કાઢવા પડયા હતા.

આ આગને લીધે આકાશ પહેલાં નારંગી રંગનું પછી લાલ અને તે પછી ધૂમાડાને લીધે કાળું દેખાતું હતું તેમ સોશ્યલ મીડીયા પર વીડીયો દર્શાવતા હતા.પેસિફિક તટ વિસ્તાર આનો હાહાકાર મચાવી દીધો હતો અને પૃથ્વી પરનાં સ્વર્ગ સમાન હોલીવૂડના થોડા કીલોમીટર દૂરનો વિસ્તાર ભડકે બળી રહેતાં ત્યાં રહેલા 70000થી વધુ નાગરિકોને મહેનતે બહાર કાઢવામાં આવ્યાં હતાં તે સમયે એક વૃદ્ધે કહ્યું હતું કે મારાં સાંભળવાનાં વર્ષમાં મેં કદી આવી પ્રચંડ આગ જોઈ નથી.
આ જંગલની આગ શમાવવા ઠેર ઠેરથી લાઈબંબાઓ દોડાવવામાં આવ્યા હતા પરંતુ તેમને મોટી મુશ્કેલી તો તે ઉભી થઇ હતી એક જંગલના પ્રમાણમાં સાંકડા માર્ગો ઉપર અનેક લોકો પોતાની મોટરો પડતી મુકી પગપાળા નાસી રહ્યા હતા. તેનું એક કારણ તે પણ હતું કે આગની અસહ્ય ગરમીથી કદાચ મોટરની ટાંકીમાં રહેલું પેટ્રોલ કે ડીઝલ સળગી ઉઠે તો તેવો મોટરમાં ભડથું થઇ જાય. આડેધડ પડેલી આ મોટરો પેલા લાઈબંબાઓનો માર્ગ અવરોધાતી હતી. તેથી ક્રેનો બોલાવી તે મોટરો દૂર કરવી પડી હતી. તેમાંસમયનો ઘણો દુર્વ્યય થયો હતો. દરમિયાન આગ ભભૂકતી ગઈ.

હેલિકોપ્ટર્સથી પાણીનો છંટકાવ કરવાનું પણ મુશ્કેલ બન્યું હતું કારણ કે આગની જ્વાળાઓની ગરમીથી હેલિકોપ્ટર્સમાં રહેલી ટાંકીનું વિશિષ્ટ પેટ્રોલ પણ સળગી ઉઠવાની ભીતિ હતી. છેવટે વિમાન દ્વારા પાણીનો છંટકાવ શરૂ કર્યો પરંતુ તે બહુ કામયાબ નીવડયો નહીં. નામ માત્રની આગ શમાવી શકાઈ.

આ સમયે કેલિફોર્નિયાના ગવર્નર ગેવીન ન્યૂસમ દક્ષિણ કેલિફોર્નિયામાં હતા. તેઓ તુરત જ તે ઘટના સ્થળ તરફ પહોંચી ગયા હતા અને પરિસ્થિતિનો ક્યાસ મેળવી રહ્યા હતા. તેમાં X પ્લેટફોર્મ પરના વીડિયોએ દર્શાવ્યું હતું. ચારે તરફ માત્ર ધૂમાડો જ દેખાતા હતા. ઇમર્જન્સી સાયરનો વાગી રહી હતી. તેમાં પણ આ વર્ષે કેલિફોર્નિયામાં વિશેષત: દ.કેલિફોર્નિયામાં વરસાદ ઘણો ઓછો થયો હોવાથી ભૂમિ પણ સુકી ભઠ્ઠ બની રહી છે. લોસ એન્જલસના ફાયર ડીપાર્ટમેન્ટના વડા ક્રીસ્ટીન ક્રાઉલીએ 110 ફાયર એન્જિન્સ કામે લગાડયાં છે. છતાં આશરે 645 ચો.કીમી.માં વ્યાપેલી આગ કાબુમાં કેમ લેવી તે પ્રશ્ન છે. સમગ્ર અભયારણ્ય તો ખતમ થઇ ગયું છે.

January 9, 2025
tirupati-stampede.png
1min361

આંધ્રપ્રદેશના સુવિખ્યાત તિરુપતિ મંદિરમાં વૈકુંઠ દ્વાર ટિકિટ કેન્દ્રો પાસે ધક્કામુક્કીમાં 6 શ્રદ્ધાળુઓના મોત થયા છે. ગઇકાલ સવારથી જ હજારો શ્રદ્ધાળુ વૈકુંઠ દ્વારા દર્શન માટે જુદાં-જુદાં ટિકિટ કેન્દ્રો પર લાઇનમાં ઊભા હતા. આ ઘટના તે સમયે બની જ્યારે શ્રદ્ધાળુઓને વૈરાગી પટ્ટીડા પાર્કમાં લાઇન લગાવવાની મંજૂરી આપવામાં આવી હતી. વૈકુંઠ દ્વારા દર્શન દસ દિવસ માટે ખોલવામાં આવ્યા છે. તેના લીધે ટોકન માટે લોકો હજારોની સંખ્યામાં લાઇન લગાવે છે.

મંદિરમાં ધક્કામુક્કીના લીધે અફડાતફડી મચી ગઈ, તેમા 6ના મોત થયા અને અનેક ઘાયલ થયા છે. તેમા મલ્લિકા નામની મહિલા પણ સામેલ છે. પરિસ્થિતિ બગડતી જોઈને પોલીસે મોરચો સંભાળ્યો અને પરિસ્થિતિ અંકુશમાં લાવી હોવાનું જણાવાયું છે. દર્શન માટેના ટોકનની લાઇનમાં લગભગ ચાર હજાર લોકો હતા. મંદિર સમિતિના ચેરમેન બીઆર નાયડુએ તાત્કાલિક બેઠક યોજી હતી. સીએમ ચંદ્રાબાબુ નાયડુએ આ ઘટનાને લઈને શોકની લાગણી વ્યક્ત કરી છે. તેમણે મૃતકોના સંબંધીઓને દિલસોજી પાઠવી છે અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર પૂરી પાડવા આદેશ આપ્યા છે.
40થી વધુ ઈજાગ્રસ્ત થયા…

આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં નાસભાગને કારણે 6 લોકોના મોત થયા છે. નાસભાગને કારણે 40 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ અકસ્માતમાં 6ની હાલત ગંભીર જણાવાઈ રહી છે જેના લીધે મૃતકાંક વધી શકે છે. અકસ્માત પર દુઃખ વ્યક્ત કરતા પીએમ મોદીએ કહ્યું કે હું આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં બનેલી નાસભાગની ઘટનાથી દુખી છું. મારી સહાનુભૂતિએ લોકો સાથે છે જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. આંધ્રપ્રદેશ સરકાર અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડી રહી છે.

January 3, 2025
Surat-jahaj-1280x698.jpg
7min628
xr:d:DAFzd0SQryM:3,j:884239860705702294,t:23110707

સુરતનું નામ હાલમાં વિશ્વભરના દેશોના સંરક્ષણ વિભાગોના અધિકારીઓમાં ભારે ચર્ચાસ્પદ છે. કેમકે ભારતીય નૌકાદળનું એક શક્તિશાળી યુદ્ધપોત જહાજ તેમજ મિસાઇલ ડ્રીસ્ટ્રોયર જહાજને સુરતનું નામ આપવામાં આવ્યું છે. આ જહાજને આગામી તા.15મી જાન્યુઆરીએ ભારતીય નૌકાદળમાં સત્તાવાર રીતે સામેલ કરવામાં આવશે અને તા.15મી જાન્યુઆરીથી જ સુરત મિસાઇલ ડ્રીસ્ટ્રોયર જહાજ દેશની નૌકાસીમામાં તૈનાત કરી દેવામાં આવશે. સુરત મિસાઇલ ડ્રીસ્ટ્રોયર જહાજ સાથે અન્ય બે શક્તિશાળી યુદ્ધપોત જહાજો પણ ભારતીય નૌકાદળ દ્વારા દેશને સમર્પિત કરવામાં આવશે.

ભારતીય નૌકાદળ 15 જાન્યુઆરીના રોજ બે સ્વદેશી ટેક્નોલોજીથી નિર્મિત ફ્રન્ટલાઈન યુદ્ધ જહાજો – સુરત અને નીલગીરી તેમજ ડીઝલ-ઈલેક્ટ્રિક સબમરીન વાગશીરને ભારતીય દરીયાઇ સીમામાં ઉતારીને દેશની રક્ષા કાજે સમર્પિત કરશે. આ ત્રણેય જહાજો નૌકા દળની એકંદર લડાયક ક્ષમતાને નોંધપાત્ર રીતે વધારશે તેવી અપેક્ષા છે.

ભારતીય નૌકાદળની એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, “નીલગીરી, સુરત અને વાઘશેરનું સંયુક્ત સંચાલન સંરક્ષણ સ્વાવલંબન અને સ્વદેશી જહાજ નિર્માણમાં ભારતની અપ્રતિમ પ્રગતિ દર્શાવે છે.”

સુરત ગાઇડેડ-મિસાઇલ ડિસ્ટ્રોયર છે, જ્યારે નીલગીરી સ્ટીલ્થ ફ્રિગેટ છે. યુદ્ધ જહાજો અને સબમરીનને મુંબઈમાં નેવલ ડોકયાર્ડ ખાતે એક સમારોહમાં કાર્યરત કરવામાં આવશે. આ ત્રણેય પ્લેટફોર્મની ડિઝાઈન અને નિર્માણ સંપૂર્ણપણે Mazagon Dock Shipbuilders Limited (MDL), મુંબઈ ખાતે કરવામાં આવ્યું છે.

નીલગીરી અને સુરત બંને આધુનિક ઉડ્ડયન સુવિધાઓથી સજ્જ છે અને “ચેતક, ALH, સી કિંગ અને નવા સમાવિષ્ટ MH-60R સહિત હેલિકોપ્ટરની શ્રેણીને દિવસ અને રાત્રિ બંને કામગીરી દરમિયાન ચલાવી શકે છે,” સરકારે જણાવ્યું હતું.

કેન્દ્રએ ઉમેર્યું હતું કે આ જહાજોમાં “મહિલા અધિકારીઓ અને ખલાસીઓના મોટા પ્રમાણમાં પૂરકને ટેકો આપવા માટે વિશિષ્ટ સવલતોનો સમાવેશ થાય છે, જે ફ્રન્ટલાઈન લડાઇ ભૂમિકાઓમાં લિંગ-સમાવેશ તરફ નૌકાદળના પ્રગતિશીલ પગલાઓ સાથે સંરેખિત છે.”

Surat: Key features

  1. Surat is the fourth and final ship of the Project 15B stealth destroyer class
  2. The Project 15B destroyer, Surat, is the culmination of the follow-on class to the Kolkata-class (Project 15A) destroyers, featuring substantial improvements in design and capabilities.
  3. Surat is a guided missile destroyer with a displacement of 7,400 tons and an overall length of 164 meters.
  4. It is a potent and versatile platform equipped with state-of-the-art weapons and sensors, including surface-to-air missiles, anti-ship missiles and torpedoes.
  5. The destroyer is also powered by a Combined Gas and Gas (COGAG) propulsion set, comprising four gas turbines.
  6. Surat has achieved speeds in excess of 30 knots (56 km/h) during her sea trials.
  7. It is also poised to be Indian Navy’s first Al-enabled warship utilising indigenously developed Al solutions which would enhance its operational efficiency manifolds.
  8. Surat’s keel was laid on November 7, 2019 and was launched on May 17, 2022. The ship was delivered to the Indian Navy in 31 months from launch to delivery, making her the fastest indigenous destroyer ever built.

The ship had commenced her Contractor Sea Trials on June 15, 2024 and completed her Final Machinery Trials on November 25, 2024, “within an unprecedented record time of just six months.”

Nilgiri: Key features

  1. Nilgiri is the lead ship of the Project 17A stealth frigate class. It’s a major advancement over the Shivalik-class frigates, incorporating significant stealth features and reduced radar signatures through state-of-the-art technology.
  2. Nilgiri is first among the seven P17A frigates under construction and MDL, Mumbai and GRSE, Kolkata.
  3. These multi-mission frigates are capable of operating in a ‘blue water’ environment, “dealing with both conventional and non-conventional threats in the area of India’s Maritime Interests.”
  4. The ships are powered by two Combined Diesel or Gas (CODOG) main propulsion plants, each comprising a Diesel Engine and Gas Turbine, driving a Controllable Pitch Propeller (CPP).
  5. The ships also have state- of-the-art Integrated Platform Management System (IPMS).
  6. They are fitted with supersonic surface-to-surface missile system, Medium Range Surface-to-Air Missiles system, 76 mm Upgraded Gun, and a combination of rapid-fire close-in weapon systems.
  7. Nilgiri’s keel was laid on December 28, 2017 and the ship was launched into water on September 28, 2019. The ship had sailed out for her maiden sea trials in Augusta 24 and ever since, has undergone a comprehensive schedule of trials in harbour and at sea.

Vaghsheer submarine: Key features

  1. Vaghsheer is the sixth and final Scorpene-class submarine under the Kalvari-class Project 75.
  2. It is one of the most silent and versatile diesel-electric submarines in the world.
  3. It is designed to undertake a wide range of missions, including anti-surface warfare, anti-submarine warfare, intelligence gathering, area surveillance, and special operations.
  4. Armed with wire-guided torpedoes, anti-ship missiles, and advanced sonar systems, the submarine also features modular construction, allowing for future upgrades such as the integration of Air Independent Propulsion (AIP) technology.

January 3, 2025
china-virus.png
1min311

કોવિડ-19ની યાદો એટલી ભયાનક છે કે જે કદાચ લોકોના મગજમાંથી વર્ષો સુધી નહીં ભૂલાવાની. જોકે એ વચ્ચે કોરોના કાળના 5 વર્ષ બાદ ફરી એકવાર ચીનથી એક ડરામણાં અહેવાલ સામે આવ્યા છે. ચીનમાં ફરી એકવાર કોરોના જેવો જ ઘાતક વાયરસ તબાહી મચાવી રહ્યો હોવાના દાવા થઇ રહ્યા છે.

માહિતી અનુસાર આ વાયરસ કોરોના જેવો જ ઘાતક છે અને તેના લક્ષણ પણ કોરોના જેવા જ છે. આ નવા વાયરસનું નામ હ્યુમન મેટાન્યૂમોવાયરસ (HMPV) છે જે એક RNA વાયરસ છે. જે પણ વ્યક્તિ આ વાયરસથી ચેપગ્રસ્ત થાય છે તેનામાં કોરોના જેવા જ લક્ષણ દેખાય છે. આ વાયસરની લપેટમાં સૌથી વધુ બાળકો જ આવી રહ્યા છે. એમાંય 2 વર્ષની નાની વયના બાળકો સૌથી વધુ પીડિત બની રહ્યા છે.

ચીનના રોગ નિયંત્રણ તથા રોકથામ કેન્દ્ર (CDC) ના અહેવાલ અનુસાર તેના લક્ષણોમાં ખાંસી, તાવ, નાક બંધ થવી અને ગળામાં ખરાશ વગેરે થાય છે. HMPV ઉપરાંત ઈન્ફ્યૂએન્ઝા એ, માઈક્રોપ્લાઝમા, ન્યૂમોનિયા અને કોરોનાના કેસ પણ સામે આવી રહ્યા છે. જેમાં દર્દીઓની સંખ્યા સતત વધતી જઇ રહી છે.

સોશિયલ મીડિયા પર કરાયેલી એક પોસ્ટમાં દર્દીઓની તસવીરો જાહેર કરવામાં આવી છે જેમાં બતાવાયું છે કે ચીને વાયરસ ફેલાયા બાદ અનેક જગ્યાએ ઈમરજન્સી જાહેર કરી દીધી છે. આ દાવા અનુસાર હોસ્પિટલ અને સ્મશાન ઘાટ પર ફરી ભીડ જોવા મળી રહી છે. જોકે ચીન તરફથી હાલ એવી કોઈ માહિતીની પુષ્ટી કરવામાં આવી નથી. અનેક મીડિયાના અહેવાલોમાં સીડીસીએ પહેલાથી અસ્થમા અને ક્રોનિક ઓબ્સટ્રક્ટિવ પલ્મોનરી જેવા રોગો સામે ઝઝૂમતા દર્દીઓમાં સંક્રમણનો ખતરો વધવાની આશંકા વ્યક્ત કરી છે.