CIA ALERT

Blog - Page 4 of 694 - CIA Live

Bring to the table win-win survival strategies to ensure proactive domination. At the end of the day, going forward, a new normal that has evolved from generation.
May 10, 2026
image-4-1280x853.png
1min101

ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના સુપ્રસિદ્ધ શ્રીરણછોડરાયજી મહારાજ મંદિર ટ્રસ્ટ દ્વારા આગામી જેઠ અધિક માસને ધ્યાનમાં રાખીને વિવિધ ઉત્સવ મનોરથોની ન્યોછાવર રકમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મંદિર કમિટીની જાહેરાત મુજબ, તારીખ અધિક માસ દરમિયાન તેમજ અન્ય ખાસ તિથિઓ પર ઉજવવામાં આવતા મનોરથો માટે ભક્તોએ નવી નિર્ધારિત રકમ ચૂકવવાની રહેશે. આ નવી યાદીમાં મનોરથની લાગણી રકમ અને સામગ્રી ખર્ચ બંનેનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત વિવિધ ભક્તિ સેવાઓના દરમાં વધારો જોવા મળ્યો છે.

નવી દર યાદી મુજબ, કમળ મનોરથ અને કેરી મનોરથ (નિજમંદિર) માટે કુલ 12,500 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે, જેમાં 7500 રૂપિયા લાગાની રકમ અને 5000 રૂપિયા સામગ્રી ખર્ચ છે. કુંજ મનોરથ, બગીચા મનોરથ, ફૂલ બંગલા અને ચિત્રહરણ મનોરથ માટે ભક્તોએ કુલ 16000 રૂપિયાની ન્યોછાવર આપવી પડશે. સૌથી વધુ રકમ તુલસી વિવાહ મનોરથ અને નંદમહોત્સવ મનોરથ માટે 56000 રૂપિયા નિર્ધારિત કરવામાં આવી છે.

આ ઉપરાંત, દર શુક્રવાર અને અગિયારસના દિવસે કુંજ મનોરથનો લાગો હવેથી 11000 રૂપિયા લેવામાં આવશે તેવી પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. મંદિર કમિટીએ મનોરથો માટેના કેટલાક કડક નિયમો પણ જાહેર કર્યા છે, જે મુજબ મનોરથનો સમય મર્યાદા વધુમાં વધુ ૪૫ મિનિટની જ રહેશે અને મનોરથી દ્વારા એક જ મનોરથ કરાવી શકાશે. શુક્રવાર અને અગિયારસ સિવાયના મનોરથો ગર્ભગૃહ કે ઘુમ્મટમાં કરવામાં આવશે તેમ મંદિર કમિટી દ્વારા જણાવવામાં આવ્યું હતું.

May 6, 2026
Cia_business_news-1280x936.jpg
3min148
  • સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે 8થી 10 મે દરમિયાન રોકાણકારો અને ઉદ્યોગકારોનો મહાકુંભ ભરાશે

એસજીસીસીઆઈ અને જીતો (JITO) સુરતના સંયુક્ત ઉપક્રમે સરસાણા ખાતે ફાઇનાન્સ અને ઇન્વેસ્ટમેન્ટ ક્ષેત્રનું વિશાળ પ્લેટફોર્મ તૈયાર

  • દેશના જાણીતા રોકાણકાર શ્રી સુનિલ સિંઘાનિયાના હસ્તે 8મીએ ઉદ્‌ઘાટન , નિર્મલ જૈન, વિશાલ મલકાન અને વિકાસ ખેમાણી જેવા દિગ્ગજો માર્ગદર્શન આપશે, વારી ગ્રૂપના ચેરમેન શ્રી હિતેશ દોશી પણ ઉપસ્થિત રહેશે
  • એમએસએમઈ, સ્ટાર્ટઅપ્સ અને વ્યક્તિગત રોકાણકારો માટે સંપત્તિ સર્જનની સુવર્ણ તક, એસેટ મેનેજમેન્ટને સમજવાની ઉમદા તક

દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ જગત અને રોકાણકારો માટે નાણાકીય વ્યવસ્થાપન અને રોકાણની નવી દિશાઓ ખોલવા માટે ‘ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી’ (એસજીસીસીઆઈ) અને ‘જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન’ (જીતો- JITO) સુરત દ્વારા સંયુક્તપણે ‘વેલ્થ એક્ષ્પો 2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ષ્પો આગામી 8, 9 અને 10 મે, 2026 દરમિયાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર (SIECC) ખાતે યોજાશે. આ એક્ષ્પોનું ગરિમાપૂર્ણ ઉદ્‌ઘાટન 8 મે 2026 ના રોજ સવારે 10:00 AM કલાકે અબાક્કસ એસેટ મેનેજમેન્ટના સ્થાપક શ્રી સુનિલ સિંઘાનિયાના વરદ્‌ હસ્તે કરવામાં આવશે.

ચેમ્બરના પ્રમુખ નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, “સુરત હવે માત્ર ઉત્પાદનનું કેન્દ્ર જ નથી રહ્યું, પણ તે એક મોટા ઇન્વેસ્ટમેન્ટ હબ તરીકે પણ ઉભરી રહ્યું છે. ‘વેલ્થ એક્ષ્પો 2026’ દ્વારા અમે સ્થાનિક ઉદ્યોગકારો અને એમએસએમઈને અગ્રણી ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂશન્સ, લીઝિંગ કંપનીઓ અને ફિનટેક ઇનોવેટર્સ સાથે એક જ મંચ પર લાવવાનો પ્રયાસ કર્યો છે. આ એક્ષ્પો ઉદ્યોગોને જરૂરી મૂડી અને રોકાણકારોને સાચું માર્ગદર્શન પૂરું પાડવામાં સેતુરૂપ સાબિત થશે. તેમાં એઆઈએફ જેવા રોકાણના નવા માર્ગો વિશે જાણીતા નિષ્ણાતો માર્ગદર્શન આપશે.”

જીટો સુરતના મિલન પરીખે જણાવ્યું હતું કે, “નાણાકીય સાક્ષરતા અને યોગ્ય દિશામાં રોકાણ એ આજના સમયની માગ છે.આ એક્ષ્પોમાં અમે દેશના જાણીતા નિષ્ણાતોને આમંત્રિત કર્યા છે જેઓ ભારતની ‘ગ્રોથ સ્ટોરી’ અને ‘જીઓ પોલિટિક્સ’ની અસરો વિશે ઊંડાણપૂર્વક સમજ આપશે. રોકાણકારો માટે રોકાણના વિવિધ માર્ગો સમજીને માહિતગાર નિર્ણય લેવાની આ એક અનોખી તક છે.” આ એક્ષ્પો બેન્કો, એનબીએફસી, ઇન્સ્યુરન્સ, સ્ટોક માર્કેટ અને લીઝિંગ કંપનીઓનું વિશાળ પ્રદર્શન બની રહેશે અને ગુજરાતનું નાણાકીય ક્ષેત્રનું સૌથી મોટું એક્ઝિબિશન હશે. એસએમઈ, સ્ટાર્ટઅપ્સ અને કોર્પોરેટ્‌સ માટે રોકાણ, આઈપીઓ અને ફાયનાન્સિંગની વિશેષ તકો રહેશે. ફિનટેક ઇનોવેશન્સ અને ડિજિટલ બેન્કિંગ સોલ્યુશન્સ, પેનલ ડિસ્કશન્સ, વર્કશોપ્સ અને નોલેજ સેશન યોજાશે. આ એક્ષ્પોમાં વન–ટુ–વન બિઝનેસ મીટિંગ અને રોકાણકારો સાથે સીધી મુલાકાત કરી શકાશે.

‘વેલ્થ એક્ષ્પો 2026’ના મુખ્ય આકર્ષણો:
નોલેજ સેશન્સનું સંપૂર્ણ શિડ્યુલ
8 મે 2026, શુક્રવાર * સવારે 11:00 કલાકે: શ્રી સુનિલ સિંઘાનિયા (સ્થાપક – અબાક્કસ એસેટ મેનેજમેન્ટ) o વિષય: ભારતનો આગામી દાયકો

  • સ્માર્ટ મનીનું રોકાણ ક્યાં કરવું જોઈએ? * બપોરે 12:00 કલાકે: શ્રી કરણ દત્તા (જીઓ-પોલિટિકલ એક્સપર્ટ અને પૂર્વ સીબીઓ – એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ) o વિષય: જીઓ-પોલિટિકલ ફેરફારોને સમજો અને ફાઇનાન્શિયલ માર્કેટ્સ પર તેની વાસ્તવિક અસરને જાણો.

9 મે 2026, શનિવાર * સવારે 11:00 કલાકે: શ્રી સંદીપ જૈન (સહ-સ્થાપક – ટ્રેડસ્વિફ્ટ બ્રોકિંગ પ્રાઇવેટ લિમિટેડ) o વિષય: સ્ટોક્સ ઓળખવા પાછળની કળા અને વિજ્ઞાન.

  • બપોરે 12:00 કલાકે: શ્રી વિશાલ બી. મલકાન (સહ-સ્થાપક – મલકાન્સવ્યૂ) o વિષય: RSI સાથે ટોપ ડાઉન એનાલિસિસ – 2026 માટે ટોચના સેક્ટર્સની ઓળખ.
  • સાંજે 4:00 કલાકે: શ્રી રાહુલ કપૂર જૈન (માઇન્ડસેટ કોચ અને લેખક) o વિષય: વેલ્થ બિયોન્ડ “વેલ્થ”.

10 મે 2026, રવિવાર * સવારે 11:00 કલાકે: પેનલ ડિસ્કશન – બુલ માર્કેટથી આગળ સંપત્તિ સર્જન o વક્તાઓ: શ્રી વિકાસ ખેમાણી (સ્થાપક – કાર્નેલિયન એસેટ મેનેજમેન્ટ) અને શ્રી સંજય ડાંગી (સ્થાપક – ઓથમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર).

  • બપોરે 12:00 કલાકે: પેનલ ડિસ્કશન – ટકાઉ સંપત્તિનું નિર્માણ: ઉદ્યોગસાહસિકોથી સંપત્તિ સર્જકો સુધી o વક્તાઓ: શ્રી નિર્મલ જૈન (સ્થાપક અને ચેરમેન –આઈઆઈએફએલ હોલ્ડિંગ્સ લિમિટેડ) અને શ્રી હિતેશ દોશી (ચેરમેન – વારી ગ્રૂપ).

આ એક્ષ્પોને સફળ બનાવવા માટે વિવિધ સંસ્થાઓએ સહયોગ આપ્યો છે, જેમાં મહેતા વેલ્થ, જૈનમ, નિવેશ આય, યુનિસનનો સમાવેશ થાય છે. સુરતના રોકાણકારો, ફાઇનાન્સિયલ એડવાઇઝર્સ, સ્ટાર્ટઅપ્સ અને નાણાકીય ઉકેલ શોધતા તમામ લોકો માટે આ એક્ષ્પો આશીર્વાદરૂપ સાબિત થશે.

May 6, 2026
SS_Logo_Red-1280x986.png
21min390

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ફેબ્રુઆરી-માર્ચમાં લેવાયેલી ધો.10ની પરીક્ષાનું પરીણામ આજે જાહેર કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં સુરત ટોપ-ટેનમાં આવેલા વિદ્યાર્થીઓની સ્કુલવાઇઝ નામાવલિ આ મુજબ છે.

RANKNameschool nameGrandTotalPercentileRank
1YASH  HARESHBHAI  PIPALIYAParamount International school59399.99
2DIYA  VINAYKUMAR  PATELVasistha vidhyalay59299.99
2BHAVYKUMAR  NARESHBHAI  GHOGHARIGajera vidhyabhavan59299.99
2DIVYA  BABUBHAI  MAKWANAAshadeep Group of Schools59299.99
3PARTH  RAMESHBHAI  MANGUKIYAAshadeep Group of Schools59199.99
3SHRUTI  VINODBHAI  HIRAPARAJ B DIAMOND AND KARP IMPEX VIDYA59199.99
3JAYDEEP  HARESHBHAI  KATARIYAGyan jyot vidhyalay59199.99
4RUDRABHAI  ASHOKBHAI  VORASHARDAYATAN HIGH SCHOOL59099.99
4JANVIBEN  PRAMODBHAI  PATELSHARDAYATAN HIGH SCHOOL59099.99
4SAUMYA  BHARATBHAI  SHELADIYAAshadeep Group of Schools59099.99
4DARSH  JITENDRABHAI  SURANIAshadeep Group of Schools59099.99
4DARPAN  VIPULBHAI  VEKARIYAAshadeep Group of Schools59099.99
4BHAVYA  SANDEEPKUMAR  RETIWALANobel public school59099.99
5TIRTH  ALPESHBHAI  RANCHM.M.P HIGH SCHOOL58999.98
5KANISHKA  MEHULKUMAR  PATELVasistha vidhyalay58999.98
5DHAIRYA  CHIRAGBHAI  PATELV.D.  DESAI VADIVALA MA.-BHULKA BHAVAN58999.98
5KRISHA  JAYESHBHAI  PANSURIYAAshadeep Group of Schools58999.98
5FENI  MAHESHBHAI  MANDANIAshadeep Group of Schools58999.98
5JEEYA  JANAKBHAI  LATHIYAAshadeep Group of Schools58999.98
5ROSHANI  GOKULBHAI  KALSARIYALPD58999.98
6KRIMIBEN  HARDIPBHAI  SUTARIYASANSKARTIRTH GYANPEETH58899.98
6DHRUV  VIJAYKUMAR  MALANITAPOVAN MADHYAMIK SHALA58899.98
6ZENI  ANILBHAI  BAMBHROLIYAMOUNI INTERNATIONAL SCHOOL58899.98
6RAHI  HARDIKBHAI  KAKADIYAAshadeep Group of Schools58899.98
6LIZA  VIJAYKUMAR  PARLIKARAshadeep Group of Schools58899.98
6OM  ASHWIN  MANGUKIYAL.P. SAVANI VIDHYABHAVAN58899.98
6DHYANAM  KEYUR  DESAIV.D.  DESAI VADIVALA MA. U. MA. SHALA  -BHULKA BHAVAN58899.98
6URMI  VIJAYBHAI  SAKARIYAAshadeep Group of Schools58899.98
7URVI  CHETANBHAI  MISTRYSHRI SWAMINARAYAN MADHYAMIK SHALA58799.97
7VISHWA  ANILKUMAR  PATELThe  Panchshil m bank ltd second school58799.97
7YASHVI  KALPESHBHAI  DONGAP P SAVANI VIDHYABHAVAN58799.97
7JAY  NARENDRABHAI  DOBARIYA 58799.97
7KAVYA  DILIPKUMAR  BOGHANISANSKARDEEP VIDHYA SANKUL58799.97
7DHARMI  GIRISHBHAI  THUMMARAshadeep Group of Schools58799.97
7DEVANSHI  VIJAYBHAI  NAKRANIAshadeep Group of Schools58799.97
7HASTI  KIRITBHAI  BHATIYAMOUNI INTERNATIONAL SCHOOL58799.97
7SHLOK  ASHVINBHAI  ROYshree gadhpur vidhyalay58799.97
7KRINA  SHAILESHBHAI  RAMANIJ B&  KARP KANYA VIDYAMANDIR58799.97
7HEER  SURESHBHAI  DOBARIYA 58799.97
7OM  RAMESHBHAI  CHHUNCHHAShishu vihar58799.97
7MANTHAN  MUKESHBHAI  TARSARIYAN.V.DHAMANWALA SCHOOL58799.97
7DIYA  HIREN  DESAIBhulka Vihar58799.97
7VISHA  DIPESHKUMAR  PATELV.D.  DESAI VADIVALA MA. U. MA. SHALA  -BHULKA BHAVAN58799.97
7DEVANSHKUMAR  FALGUNKUMAR  PATELV.D.  DESAI VADIVALA MA. U. MA. SHALA  -BHULKA BHAVAN58799.97
7BHARGAV  TULSIBHAI  KUKADIYAAshadeep Group of Schools58799.97
7PRIT  BAKULBHAI  HIRPARAAshadeep Group of Schools58799.97
7DHYANI  JAYSUKHBHAI  SARDHARASADVIDHYA HIGH SCHOOL58799.97
8AARUSHIBEN  DARSHAN  PATELvasistha genisis school58699.95
8ISHABEN  ALPESHBHAI  CHOVATIYAKaushala Vidhyabhavan58699.95
8RIYA  ALPESHBHAI  DUNGRANIP P SAVANI Chatainy58699.95
8HEER  MANSUKHBHAI  ANGHANTAPOVAN MADHYAMIK SHALA58699.95
8KHUSHI  ASHOKBHAI  BHALIYAAshadeep Group of Schools58699.95
8BANSI  BHAVESHBHAI  KATHIRIYAAshadeep Group of Schools58699.95
8SIDDH  KETANBHAI  BORADASANSKARDEEP VIDHYA SANKUL58699.95
8TEJAS  PARESHBHAI  MOTISARIYAMOUNI INTERNATIONAL SCHOOL58699.95
8AESHVI  MAHESHBHAI  SARKHELIYAAshadeep Group of Schools58699.95
8VAIBHAVI  NARESHBHAI  VATALIYAGajera Vidhyabhavan58699.95
8VANSH  DILIPBHAI  PAGHDALJ B DIAMOND AND KARP IMPEX VIDYA58699.95
8PRINCE  NALINBHAI  DOMADIYABHAKTI INTERNATIONAL SCHOOL58699.95
8MEET  VIPULBHAI  MANGUKIYAAkshar Jyoti58699.95
8PRIYANSHI  BIREN  DOSHISasnskar bhrati58699.95
8DIPSHA  MEHUL  PATELTHE RADIANT INTERNATIONAL SCHOOL58699.95
8DIVA  PANKAJBHAI  SONANIBAPS SWAMINARAYAN VIDYAMANDIR58699.95
8KHUSHI  VIPULKUMAR  PATELTHE RADIANT INTERNATIONAL SCHOOL58699.95
8VEERKUMAR  VIJAYKUMAR  MODIshree saraswati vidhyalay58699.95
8DARSH  HARESHBHAI  CHODVADIYAAshadeep Group of Schools58699.95
8KRUSHABEN  ALPESHKUMAR  AGRAVATSUMAN HIGH SCHOOL NO258699.95
8LALU  PRAVINBHAI  HADIYALPD58699.95
8NILAYKUMAR  RAKESHBHAI  PATELAshadeep Group of Schools58699.95
8VAISHNAVI  PRAFULBHAI  ASODARIYASUMAN HIGH SCHOOL NO858699.95
8SAKSHI  SANJAYBHAI  DUDHATRAAshadeep Group of Schools58699.95
8TRUSHA  NARSHIBHAI  KALSARIYALPD58699.95
8BHAVY  MANSUKHBHAI  SAVALIYALPD58699.95
8VAIBHAVI  SHAILESHBHAI  NAKUMgyandeep vidhyalay58699.95
9PANKTI  MANISHDEV  SOLANKIThe  Panchshil m bank ltd second school58599.94
9DHRUVI  HASMUKHBHAI  PATELJEEVANBHARTI58599.94
9VED  VASUDEVBHAI  CHODAVADIYATAPOVAN MADHYAMIK SHALA58599.94
9ZENISHA  KHODIDAS  MANGUKIYAAshadeep Group of Schools58599.94
9KRISHA  ALPESHBHAI  DALIYA 58599.94
9LAKSH  AMITBHAI  AKHIYANIYARATNASAGAR VIDYALAYA58599.94
9SOHAM  TUSHARKUMAR  KUMBHANIAshadeep Group of Schools58599.94
9SHLOK  JAGDISHBHAI  UKANIJ B DIAMOND AND KARP IMPEX VIDYA58599.94
9BANSI  CHANDRESHBHAI  BHANDERIJ B&  KARP KANYA VIDYAMANDIR58599.94
9VIDHYA  ANILBHAI  DIHORAAkshar Jyoti58599.94
9VRUSHTI  RAJESH  PATELSHREE SHARADA VIDHYA MANDIR58599.94
9AARUSHI  NARESHKUMAR  RANASIR VITHALDAS DAMODARDAS THAKERSY GIRL’S HIGH SCHOOL58599.94
9KRISHA  HITESHBHAI  PATELBhulka Vihar58599.94
9HEER  SANKETKUMAR  PATEL 58599.94
9SIYA  CHETAN  GAJJAR 58599.94
9HARDIK  VIJESHKUMAR  MASTERUmrigar School58599.94
9SIYA  KRUNALGIRI  GOSWAMIAshadeep Group of Schools58599.94
9FORAM  BIPINBHAI  HIRPARA 58599.94
9SANSKAR  NIKULBHAI  DHANKECHAAshadeep Group of Schools58599.94
9SHELVI  KIRITKUMAR  VEKARIYAAshadeep Group of Schools58599.94
9NAITIK  VIPULBHAI  DHADUKSUMAN HIGH SCHOOL NO858599.94
9PRINCE  HITESHBHAI  NAKUMNobel public school58599.94
9HARVI  HARESHBHAI  THUMMARSUMAN HIGH SCHOOL NO858599.94
9NETRABEN  KAUSHIKKUMAR  DESAIAshadeep Group of Schools58599.94
9TAMANNA  MEHULBHAI  DOLARGyan jyot vidhyalay58599.94
10TIRTH  RAKESHBHAI  PATEL 58499.92
10ANYKUMARI  RAKESHBHAI  PATELM.M.P HIGH SCHOOL58499.92
10TVISHA  DINESHBHAI  KOTHARIThe  Panchshil m bank ltd second school58499.92
10SHIVAM  RASIKBHAI  DHOLAKaushala Vidhyabhavan58499.92
10HEER  JAYSUKHBHAI  DIYORATAPOVAN MADHYAMIK SHALA58499.92
10VAIDEHI  RAJESHBHAI  MENDAPARA 58499.92
10HENI  DEVANGBHAI  CHAUHANM I Highshcool58499.92
10PRIYANSH  YOGESHBHAI  NAROLAAshadeep Group of Schools58499.92
10BHAVY  KAMLESHBHAI  BHANDERIAshadeep Group of Schools58499.92
10TANUSHREE  SHASHIBHUSHAN  SINGHJ V Mordern58499.92
10RUDRA  SANJAYBHAI  SAVANIJ B DIAMOND AND KARP IMPEX VIDYA58499.92
10LAKSHKUMAR  PANKAJBHAI  SAVANIJ B DIAMOND AND KARP IMPEX VIDYA58499.92
10NEEL  BHAVESHBHAI  DHOLAJ B DIAMOND AND KARP IMPEX VIDYA58499.92
10TAMANNA  GHANSHYAMBHAI  KEVADIYAJ B DIAMOND AND KARP IMPEX VIDYA58499.92
10TRISHA  ASHISHBHAI  KUMBHANIJ B&  KARP KANYA VIDYAMANDIR58499.92
10AARYA  KIRTIKUMAR  PATELDEEP DARSHAN SECONDARY SCHOOL58499.92
10RAHI  PRABHUBHAI  DHOLAKIYAVN Godhani58499.92
10DEEP  ALPESHBHAI  JAJADIYASwaminarayan Gurukul58499.92
10KRISHA  VIJAYKUMAR  GALLEDARSIR VITHALDAS DAMODARDAS THAKERSY GIRL’S HIGH SCHOOL58499.92
10SPARSH  VIJAYBHAI  ZANZARUKIA 58499.92
10YASH  MUKESH  CHAUDHARISt Xeviers58499.92
10DHWANI  SNEHAL  DAVELourd Convents58499.92
10KRISHA  PARESHBHAI  SUVAGIYAAshadeep Group of Schools58499.92
10KRUSHAL  VIPULBHAI  GOYANICivilize school58499.92
10KAVY  GHANSHYAMBHAI  DHOLAAshadeep Group of Schools58499.92
10KAVYA  RANABHAI  VANIYASUMAN HIGH SCHOOL NO858499.92
10BHAVY  MUKESHBHAI  PADSALAAKSHARDEEP HIGH SCHOOL58499.92
10AKSHAY  GAGJIBHAI  HADIYALPD58499.92
10JAY  JENTIBHAI  VAGHELALPD58499.92
10KHUSHAL  GABHARUBHAI  KACHHADGyan jyot vidhyalay58499.92

નોંધ- અમને જે માહિતી શાળાઓએ આપી છે, તેના આધારે અમે આ લિસ્ટ બનાવ્યું છે. ગુજરાત બોર્ડ દ્વારા આવી કોઇ માહિતી આપવામાં આવતી નથી. સંભવ છે કે કોઇ સ્કુલ દ્વારા અમને માહિતી મોકલાવવામાં આવી ન હોય તો તેને સમાવી શકાયા ન હોય. જો આપના ધ્યાને કોઇ વિદ્યાર્થી આ લિસ્ટમાં સમાવિષ્ટ થઇ શકે તેવું પરીણામ ધરાવતો હોય તો રિઝલ્ટ સાથે અમને મેઇલ કરશો, અમે લિસ્ટ અપડેટ કરી શકીશું.

Email- shikshansarvada@gmail.com

May 6, 2026
SS_Logo_Red-1280x986.png
6min483

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ફેબ્રુઆરી-માર્ચ 2026માં લેવાયેલી ધોરણ-10 (SSC)ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે રાજ્યનું કુલ પરિણામ 83.86% નોંધાયું છે, જે ગત વર્ષ 2025ના 83.08% પરિણામની સરખામણીએ 0.78%નો સાધારણ સુધારો દર્શાવે છે. જોકે, સૌથી આશ્ચર્યજનક અને આનંદદાયક પાસું ‘A1’ ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં થયેલો તોતિંગ વધારો છે.

પરિણામના આંકડા અને તુલનાત્મક અભ્યાસ

આ વર્ષે પરીક્ષામાં કુલ 7,56,392 નિયમિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 6,34,327 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. ગત વર્ષે (2025) 7,46,892 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા. આ વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થવા છતાં પરિણામની ટકાવારી ઊંચી જવી એ શિક્ષણની ગુણવત્તામાં સુધારો સૂચવે છે.

મેધાવી વિદ્યાર્થીઓનો દબદબો: A1 ગ્રેડમાં ઉછાળો

આ વર્ષના પરિણામની સૌથી મોટી હાઈલાઈટ ‘ગ્રેડ વાઈઝ સિદ્ધિ’ છે. વર્ષ 2026માં કુલ 35,508 વિદ્યાર્થીઓએ ‘A1’ ગ્રેડ મેળવ્યો છે. ગત વર્ષે આ સંખ્યા 28,055 હતી. એટલે કે, ગત વર્ષની સરખામણીએ આશરે 7,453 વધુ વિદ્યાર્થીઓએ ટોચનો ગ્રેડ હાંસલ કર્યો છે. તેવી જ રીતે, ‘A2’ ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા પણ 86,459 થી વધીને 90,863 થઈ છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે વિદ્યાર્થીઓમાં સ્પર્ધાત્મકતા અને ગુણવત્તાલક્ષી દેખાવ વધ્યો છે.

જિલ્લાવાર દેખાવ: નર્મદા જિલ્લો મોખરે

જિલ્લાવાર પરિણામ પર નજર કરીએ તો, વર્ષ 2026માં નર્મદા જિલ્લો 90.85% સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો છે. ગત વર્ષે બનાસકાંઠા જિલ્લો 89.29% સાથે મોખરે હતો. બીજી તરફ, સૌથી ઓછું પરિણામ પંચમહાલ જિલ્લાનું (76.42%) રહ્યું છે, જોકે ગત વર્ષના સૌથી ઓછા પરિણામ ધરાવતા ખેડા જિલ્લા (72.55%) કરતા આ આંકડો ઘણો સારો છે.

કેન્દ્રની વાત કરીએ તો, ગાંધીનગર જિલ્લાનું ‘આજોલ’ કેન્દ્ર 100% પરિણામ સાથે રાજ્યમાં સર્વોત્તમ રહ્યું છે. જ્યારે દાહોદ જિલ્લાનું ‘મુનખોસલા’ કેન્દ્ર 33.74% પરિણામ સાથે સૌથી પાછળ રહ્યું છે.

શાળાઓનું પ્રદર્શન: 100% પરિણામ ધરાવતી શાળાઓ વધી

રાજ્યની શાળાઓના પ્રદર્શનમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે:

  • 100% પરિણામ ધરાવતી શાળાઓ: ગત વર્ષે 1,574 શાળાઓનું પરિણામ સો ટકા હતું, જે આ વર્ષે વધીને 1,697 થયું છે.
  • ઝીરો ટકા પરિણામ: શૂન્ય પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 45 થી ઘટીને 39 થઈ છે, જે શિક્ષણ વિભાગ માટે રાહતના સમાચાર છે.
  • 30% કરતા ઓછું પરિણામ ધરાવતી શાળાઓમાં પણ ઘટાડો થયો છે (201 થી ઘટીને 164).

પુનરાવર્તિત અને ઓપન સ્કૂલના વિદ્યાર્થીઓ

નિયમિત વિદ્યાર્થીઓ ઉપરાંત, પુનરાવર્તિત (Repeater) વિદ્યાર્થીઓનું પરિણામ 33.53% આવ્યું છે, જે ગત વર્ષના 32.26% કરતા વધુ છે. ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ (GSOS) ના વિદ્યાર્થીઓના પરિણામમાં પણ આંશિક સુધારો જોવા મળ્યો છે, જે 27.18% થી વધીને 28.22% નોંધાયું છે.

નિષ્કર્ષ

સમગ્ર રીતે જોતા, 2026નું ધોરણ-10નું પરિણામ શૈક્ષણિક પ્રગતિનું પ્રતીક છે. પરીક્ષા કેન્દ્રોની સંખ્યા 989 થી વધારીને 1,006 કરવામાં આવી હતી, જે વ્યવસ્થાપનની સરળતા દર્શાવે છે. A1 અને A2 ગ્રેડના વિદ્યાર્થીઓની વધતી સંખ્યા ભવિષ્યમાં વિજ્ઞાન પ્રવાહ અને ઉચ્ચ અભ્યાસ માટે નવી તકોના દ્વાર ખોલશે. જે વિદ્યાર્થીઓ સફળ થયા છે તેમના ઘરોમાં દિવાળી જેવો માહોલ છે, અને જેઓ પાછળ રહી ગયા છે તેમને પૂરક પરીક્ષા દ્વારા ફરી તક આપવામાં આવશે.

૧. નર્મદા જિલ્લો: રાજ્યમાં અવ્વલ (૯૦.૮૫%)

સામાન્ય રીતે મોટા શહેરો કે જે શૈક્ષણિક હબ ગણાય છે (જેમ કે અમદાવાદ કે રાજકોટ) તે મોખરે રહેતા હોય છે, પરંતુ ૨૦૨૬માં નર્મદા જિલ્લાએ બાજી મારી છે:

  • ઐતિહાસિક સિદ્ધિ: ગત વર્ષે (૨૦૨૫) બનાસકાંઠા જિલ્લો ૮૯.૨૯% સાથે પ્રથમ હતો. આ વર્ષે નર્મદા જિલ્લાએ ન માત્ર પ્રથમ સ્થાન મેળવ્યું છે, પરંતુ રાજ્યની સરેરાશ (૮૩.૮૬%) કરતા પણ ૭% જેટલું ઊંચું પરિણામ આપ્યું છે.
  • ગરીબ અને ગ્રામીણ વિસ્તારોનો દબદબો: નર્મદા જેવા આદિવાસી બહુલ જિલ્લાનું આ પ્રદર્શન સૂચવે છે કે છેવાડાના વિસ્તારોમાં પણ શિક્ષણનું સ્તર અને વિદ્યાર્થીઓની મહેનત વધી રહી છે.

૨. A1 ગ્રેડ: રેકોર્ડબ્રેક સફળતા

A1 ગ્રેડ મેળવવો એટલે કે ૯૦% થી વધુ ગુણ મેળવવા. આ વર્ષે તેમાં ઘણો મોટો ઉછાળો જોવા મળ્યો છે:

  • આંકડાકીય તફાવત: ૨૦૨૫માં ૨૮,૦૫૫ વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં હતા, જે ૨૦૨૬માં વધીને ૩૫,૫૦૮ થયા છે. આ લગભગ ૨૬% નો વધારો છે.
  • આનું કારણ શું હોઈ શકે?
    • વિદ્યાર્થીઓમાં વધેલી સ્પર્ધાત્મકતા.
    • પરીક્ષા પદ્ધતિમાં થયેલા અનુકૂળ ફેરફારો.
    • ડિજિટલ લર્નિંગ અને સંસાધનોની સુલભતા.

૩. ૧૦૦% પરિણામ ધરાવતી શાળાઓ

આ વર્ષે ૧,૬૯૭ શાળાઓ એવી છે જ્યાં એક પણ વિદ્યાર્થી નાપાસ થયો નથી. ૨૦૨૫માં આવી ૧,૫૭૪ શાળાઓ હતી. આ વધારો દર્શાવે છે કે શાળાઓ હવે માત્ર પાસ થવા પર નહીં, પણ ગુણવત્તાયુક્ત પરિણામ લાવવા પર ધ્યાન આપી રહી છે.


તુલનાત્મક સારાંશ (૨૦૨૫ vs ૨૦૨૬):

વિગત૨૦૨૫૨૦૨૬
સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લોબનાસકાંઠા (૮૯.૨૯%)નર્મદા (૯૦.૮૫%)
૧૦૦% પરિણામ ધરાવતી શાળાઓ૧,૫૭૪૧,૬૯૭
A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓ૨૮,૦૫૫૩૫,૫૦૮

દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાનો તુલનાત્મક અભ્યાસ

ગુજરાત બોર્ડના ધોરણ-10ના પરિણામમાં દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાઓએ (સુરત, ભરૂચ, નર્મદા, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ) સરેરાશ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. આ સાત જિલ્લાઓમાં સુરત જિલ્લો 86.04% સાથે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મોખરે રહ્યો છે, જ્યારે નર્મદા જિલ્લો 90.85% (રાજ્યમાં પ્રથમ) હોવા છતાં સુરતની વિદ્યાર્થીઓની સંખ્યાની સરખામણીએ સુરતનો દબદબો વધુ જણાય છે. ભરૂચ (84.15%) અને નવસારી (84.61%) જિલ્લાઓએ પણ ગૌરવશાળી પ્રદર્શન કર્યું છે. તાપી જિલ્લો 83.22% અને વલસાડ 79.80% પરિણામ સાથે મધ્યમ સ્તરે રહ્યા છે. ડાંગ (આહવા) જિલ્લાએ ભૌગોલિક પડકારો છતાં 88.17% જેવું ઊંચું પરિણામ લાવીને સૌને ચોંકાવી દીધા છે. સમગ્ર રીતે જોતા, દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ રાજ્યના સરેરાશ પરિણામ કરતા પણ વધુ સારું પ્રદર્શન કરવામાં સફળ રહ્યા છે.

સુરત જિલ્લાનું શાનદાર પ્રદર્શન: આંકડાની દ્રષ્ટિએ વિશ્લેષણ

સુરત જિલ્લાએ આ વર્ષે તેની શૈક્ષણિક ગુણવત્તાનો પરચો આપતા 86.04% પરિણામ હાંસલ કર્યું છે. આ પરિણામની વિશેષતા એ છે કે સુરતમાં રાજ્યના સૌથી વધુ 81,652 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 70,254 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ (EQC) થયા છે. સૌથી મહત્વની બાબત ‘A’ ગ્રેડ મેળવનારા તેજસ્વી તારલાઓની સંખ્યા છે. સુરત જિલ્લામાં રાજ્યમાં સૌથી વધુ 6,475 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 13,534 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. આ આંકડા સાબિત કરે છે કે સુરત માત્ર વેપારનું જ નહીં, પરંતુ શિક્ષણનું પણ પાવરહાઉસ બની રહ્યું છે. ગત વર્ષના પરિણામની તુલનામાં સુરતે તેની ગરિમા જાળવી રાખી છે અને વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ આપ્યા છે.

સુરત જિલ્લો: રાજ્યના અન્ય જિલ્લાઓ કરતા શા માટે ચઢીયાતો?

૧. મેધાવી વિદ્યાર્થીઓનો ગઢ: A1 અને A2 ગ્રેડમાં એકહથ્થુ શાસન

સુરતની સૌથી મોટી તાકાત તેના તેજસ્વી વિદ્યાર્થીઓ છે. આખા રાજ્યમાં સૌથી વધુ A1 અને A2 ગ્રેડ સુરત જિલ્લાના ફાળે ગયા છે.

  • A1 ગ્રેડ: સુરતમાં ૬,૪૭૫ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. જેની સરખામણીએ અમદાવાદ સિટી (૧,૭૫૫) અને રાજકોટ (૪,૨૬૨) જેવા મોટા શહેરો ઘણા પાછળ છે.
  • A2 ગ્રેડ: અહીં ૧૩,૫૩૪ વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે, જે રાજ્યમાં સર્વોચ્ચ છે.
  • આ સાબિત કરે છે કે સુરતમાં માત્ર પાસ થવાનું પ્રમાણ જ નથી, પણ ‘ટોપર’ બનવાનું પ્રમાણ પણ અન્ય જિલ્લાઓ કરતા અનેકગણું વધારે છે.

૨. સૌથી વધુ વિદ્યાર્થીઓ હોવા છતાં ઊંચું પરિણામ

કોઈપણ જિલ્લા માટે જ્યારે વિદ્યાર્થીઓની સંખ્યા વધે ત્યારે પરિણામની ટકાવારી જાળવવી પડકારજનક હોય છે.

  • સંખ્યાનું ગણિત: સુરત જિલ્લામાં રાજ્યમાં સૌથી વધુ ૮૧,૬૫૨ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા.
  • આટલી મોટી સંખ્યા હોવા છતાં સુરતે ૮૬.૦૪% જેવું ઊંચું પરિણામ મેળવ્યું છે. તેની સરખામણીએ અમદાવાદ સિટી (૭૯.૯૯%) અને વડોદરા (૭૮.૩૮%) જેવા મોટા જિલ્લાઓ પાછળ રહી ગયા છે.

૩. પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં રાજ્યમાં પ્રથમ

જો આપણે ટકાવારીને બાજુ પર મૂકીને સફળ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા જોઈએ, તો સુરત અજેય છે.

  • સુરતમાંથી કુલ ૭૦,૨૫૪ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.
  • રાજ્યના ઘણા નાના જિલ્લાઓના કુલ વિદ્યાર્થીઓ કરતા પણ સુરતના પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે. આ આંકડો સુરતની શૈક્ષણિક ક્ષમતાનો પુરાવો છે.
May 6, 2026
image-3.png
1min134

કેન્દ્ર સરકારે ગુજરાતને એક મોટી ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને મળેલી કેન્દ્રીય કેબિનેટે ‘ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન’ (ISM) હેઠળ વધુ બે મહત્વકાંક્ષી સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. આ બંને એકમો ગુજરાતના ધોલેરા અને સુરત ખાતે સ્થપાવવાના છે, જે દેશની પ્રથમ કોમર્શિયલ મિની/માઈક્રો-LED ડિસ્પ્લે ફેસિલિટી અને સેમિકન્ડક્ટર પેકેજિંગ યુનિટ હશે. આ બંને પ્રોજેક્ટ્સમાં કુલ રૂ. 3,936 કરોડનું રોકાણ કરવામાં આવશે અને તેનાથી અંદાજે 2,230 કુશળ વ્યાવસાયિકો માટે રોજગારીની તકો ઊભી થશે.

મળતી વિગતો અનુસાર, ક્રિસ્ટલ મેટ્રિક્સ લિમિટેડ દ્વારા ધોલેરા ખાતે સંકલિત કમ્પાઉન્ડ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન અને ATMP ફેસિલિટી સ્થાપવામાં આવશે. આ એકમમાં ગેલિયમ નાઈટ્રાઈડ ટેકનોલોજી આધારિત મિની/માઈક્રો-LED ડિસ્પ્લે મોડ્યુલ્સનું ઉત્પાદન થશે. તેની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 72,000 ચોરસ મીટર ડિસ્પ્લે પેનલ્સ અને 24,000 સેટ RGB વાફર્સની રહેશે. અહીં તૈયાર થનારા ઉત્પાદનોનો ઉપયોગ સ્માર્ટ ટીવી, સ્માર્ટફોન, ઇન-કાર ડિસ્પ્લે તેમજ સ્માર્ટ વોચ અને એક્સટેન્ડેડ રિયાલિટી (XR) ગ્લાસ જેવા આધુનિક ઉપકરણોમાં કરવામાં આવશે.

બીજી તરફ, સુરત ખાતે સુચી સેમીકોન પ્રાઈવેટ લિમિટેડ (SSPL) દ્વારા ‘આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ’ (OSAT) ફેસિલિટી શરૂ કરવામાં આવશે. આ યુનિટ વાર્ષિક 1,033.20 મિલિયન ચિપ્સ બનાવવાની ક્ષમતા ધરાવશે. આ ચિપ્સનો ઉપયોગ પાવર ઇલેક્ટ્રોનિક્સ, એનાલોગ IC અને ઇન્ડસ્ટ્રિયલ સિસ્ટમ્સમાં થશે, જે ખાસ કરીને ઓટોમોટિવ, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ડસ્ટ્રિયલ ઓટોમેશન ક્ષેત્રની જરૂરિયાતો પૂરી કરશે. સુરત અને ધોલેરાના આ પ્રોજેક્ટ્સથી ગુજરાત વૈશ્વિક સેમિકન્ડક્ટર હબ તરીકે વધુ મજબૂત બનશે.

આ બે નવી મંજૂરીઓ સાથે ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ મંજૂર કરાયેલા કુલ પ્રોજેક્ટ્સની સંખ્યા હવે 12 પર પહોંચી ગઈ છે, જેમાં કુલ રોકાણ રૂ. 1.64 લાખ કરોડને પાર કરી ગયું છે. સરકાર દ્વારા અત્યાર સુધીમાં 315 શૈક્ષણિક સંસ્થાઓ અને 104 સ્ટાર્ટ-અપ્સને ચિપ ડિઝાઇન માટે માળખાગત સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. નોંધનીય છે કે, અગાઉ મંજૂર થયેલા પ્રોજેક્ટ્સમાંથી બે એકમોએ ભારતીય બજારમાં કોમર્શિયલ શિપમેન્ટ શરૂ કરી દીધું છે અને અન્ય બે પ્રોજેક્ટ્સ પણ ટૂંક સમયમાં કાર્યરત થવાની અપેક્ષા છે.

ર ફેસિલિટીને મંજૂરી
આ સાથે જ કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યના વાડીનાર ખાતે નવી શિપ રિપેર ફેસિલિટી (જહાજ સમારકામ સુવિધા) સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ દીનદાયલ પોર્ટ ઓથોરિટી (DPA) અને કોચિન શિપયાર્ડ લિમિટેડ (CSL) દ્વારા સંયુક્ત રીતે અમલમાં મૂકવામાં આવશે, જેમાં અંદાજે ₹1,570 કરોડનું મોટું રોકાણ કરવામાં આવશે. આ નવી સુવિધાથી ગુજરાતના દરિયાકાંઠે જહાજોના સમારકામની ક્ષમતામાં વધારો થશે અને રોજગારીની નવી તકો પણ ઊભી થશે.

May 5, 2026
image-2.png
1min174

દેશના ચાર રાજ્ય પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરલમ અને એક કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરી ના અત્યાર સુધીના પરિણામોમાં બે રાજ્ય પશ્ચિમ બંગાળ, આસામ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં ભાજપની જીત નિશ્ચિત છે. જ્યારે તમિલનાડુમાં થલાપતિ વિજયની પાર્ટી ટીવીકે અને કેરળમમાં કોંગ્રેસ સમર્થિત UDF સરકારની રચના કરી શકે છે.

પશ્ચિમ બંગાળમાં સત્તાધારી પક્ષ TMCની કારમી હાર

જેમાં પશ્ચિમ બંગાળમાં સત્તાધારી પક્ષ ટીએમસીની કારમી હાર થઇ છે. જેમાં સીએમ મમતા બેનર્જી ખુદ ભવાનીપુર બેઠક પરથી 15,114 મતથી હારી ગયા છે. તેમજ ભાજપના સુવેન્દુ અધિકારીની જીત થઇ છે. જ્યારે કુલ 293 બેઠકમાંથી ભાજપને 199 બેઠક પર જીત મેળવી છે. તેમજ 08 બેઠક પર આગળ છે. જ્યારે ટીએમસી 69 બેઠક જીતી છે અને 11 બેઠક પર આગળ છે. જ્યારે કોંગ્રેસ 2 બેઠક જીતી છે. જ્યારે લેફ્ટ 1 બેઠક અને અન્યના ફાળે 3 બેઠક ગઇ છે.

આસામમાં ભાજપના નેતૃત્વમાં એનડીએએ 91 બેઠકો જીતી

આ ઉપરાંત આસામમાં ભાજપના નેતૃત્વમાં એનડીએએ 91 બેઠકો જીતી છે. જ્યારે એક પર આગળ છે. કોંગ્રેસે 20 બેઠક જીતી છે અને એક પર આગળ છે. જ્યારે એઆઇયુડીએફ બે બેઠક જીતી છે જ્યારે અન્યના ફાળે 11 બેઠકો ગઇ છે.

પુડુચેરીમાં 30માંથી એનડીએ 17 બેઠક પર વિજય મેળવ્યો

કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરીમાં 30માંથી એનડીએ 17 બેઠક પર વિજય મેળવ્યો છે. જ્યારે એક પર આગળ છે. જ્યારે કોંગ્રેસને 6 અને ટીવીકેને 3 બેઠકો મળી છે. તેમજ ત્રણ બેઠકો અપક્ષને ફાળે ગઇ છે. આમ, પુડુચેરીમાં એનડીએ સરકારની રચના કરશે.

તમિલનાડુમાં થલાપતિ વિજયની ટીવીકે કિંગ બની

તમિલનાડુમાં થલાપતિ વિજયની ટીવીકેએ બે મુખ્ય રાજકીય પક્ષ ડીએમકે અને એઆઇએડીએમકેને પછાડી દીધા છે. તેમજ ટીવીકે 104 બેઠક પર જીત મેળવી છે તેમજ 03 બેઠકો પર આગળ છે. જોકે, ટીવીકેને પૂર્ણ બહુમત માટે 118 બેઠકોની જરૂર છે. જ્યારે સત્તાધારી ડીએમકેએ 72 બેઠક જીતી છે અને 2 બેઠક પર આગળ છે. જ્યારે એઆઇએડીએમકે એ 51 બેઠક જીતી છે અને 2 બેઠક પર આગળ છે.

કેરલમમાં કોંગ્રેસ સમર્થિત યુડીએફએ 97 બેઠક જીતી

જ્યારે કેરલમમાં 140 બેઠકમાંથી કોંગ્રેસ સમર્થિત યુડીએફએ 97 બેઠક જીતીને સત્તા મેળવી છે. જ્યારે કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતૃત્વવાળી એલડીએફએ 35 બેઠક જીતી છે. તેમજ એનડીએ માત્ર 3 બેઠક જીતી છે.

May 4, 2026
SS_Logo_Red-1280x986.png
2min248

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આજે ધો.12 વિજ્ઞાન પ્રવાહ અને ધો.12 સામાન્ય પ્રવાહ (કોમર્સ)ના પરીણામો ઓનલાઇન રાજ્યવ્યાપી ધોરણે જાહેર કર્યા હતા.

  • ધો.12 વિજ્ઞાન પ્રવાહનું રાજ્યનું સરેરાશ પરીણામ 84.33%
  • ધો.12 વિજ્ઞાન પ્રવાહનું સુરત શહેર જિલ્લાનું સરેરાશ પરીણામ 87.26%
  • ધો.12 સાયન્સમાં સમગ્ર રાજ્યમાં એ-વન ગ્રેડ લાવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 1576
  • ધો.12 સાયન્સમાં સુરત શહેર જિલ્લામાં એ-વન ગ્રેડ લાવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 459

ધો.12 કોમર્સનું પરીણામ

  • ધો.12 કોમર્સનું ગુજરાતનું સરેરાશ પરીણામ 92.71 %
  • ધો.12 કોમર્સનું સુરત શહેર જિલ્લાનું સરેરાશ પરીણામ 93.46%
  • ધો.12 કોમર્સમાં સમગ્ર રાજ્યમાં એ-વન ગ્રેડ લાવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 7446
  • ધો.12 કોમર્સમાં સુરત શહેર- જિલ્લામાં એ-વન ગ્રેડ લાવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 2083

ગુજરાત બોર્ડની 2026ની ધો.10 અને ધો.12ની રાજ્યવ્યાપી પરીક્ષાઓ પરીક્ષાઓ 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ 2026 દરમિયાન વિજ્ઞાન, સામાન્ય અને વ્યાવસાયિક પ્રવાહ માટે યોજાઈ હતી.

May 2, 2026
gst.jpg
1min153

  • ઇરાન યુદ્ધથી ક્રૂડનાં ભાવ વધ્યા છતાં એપ્રિલમાં જીએસટી કલેક્શન 8.7 ટકાનો વધારો
  • અગાઉનું સૌથી મોટું જીએસટી કલેક્શન ગયા વર્ષે એપ્રિલમાં રૂ. 2.23 લાખ કરોડ હતું

ઇરાન યુદ્ધને કારણે ક્રૂડનાં ભાવ વધ્યા હોવા છતાં એપ્રિલમાં કુલ જીએસટી કલેક્શન ૮.૭ ટકા વધી લગભગ ૨.૪૩ લાખ કરોડ રૂપિયાનાં રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે તેમ શુક્રવારે જારી કરવામાં આવેલા સરકારી આંકડામાં જણાવવામાં આવ્યું છે. આ આંકડા વૈશ્વિક અનિશ્ચિતતા છતાં મજબૂત આર્થિક પ્રવૃત્તિઓનાં સંકેત આપી રહ્યાં છે.

આ અગાઉ સેન્ટ્રલ જીએસટી, સ્ટેટ જીએસટી અને ઇન્ટિગ્રેટેડ જીએસટીથી થનાર અત્યાર સુધીનું સૌથી મોટું જીએસટી કલેક્શન ગયા વર્ષે એપ્રિલમાં નોંધવામાં આવ્યું હતું. જે ૨.૨૩ લાખ કરોડ રૂપિયાથી વધુ હતું.

સ્થાનિક વ્યવહારોમાંથી કુલ આવક ૪.૩ ટકા વધીને ૧.૮૫ લાખ કરોડ રૂપિયાથી વધુ થઇ હતી. જ્યારે એપ્રિલ, ૨૦૨૬માં આયાતમાંથી જીએસટી કલેક્શન ૨૫.૮ ટકા વધીને ૫૭,૫૮૦ કરોડ રૂપિયા થયું હતું.

એપ્રિલમાં કુલ સીજીએસટી અને એસજીએસટી કલેક્શન અનુક્રમે ૫૨,૧૪૦ કરોડ રૂપિયા અને ૬૧,૩૩૧ કરોડ રૂપિયા રહ્યું છે. આ મહિના દરમિયાન આઇજીએસટી કલેક્શન ૧.૨૯ લાખ કરોડ રૂપિયાથી વધારે રહ્યું હતું.

એપ્રિલ દરમિયાન રિફંડમાં ૧૯.૩ ટકાની વૃદ્ધિ જોવા મળી છે અને તે ૩૧,૭૯૩ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. રિફંડ એડજસ્ટ કર્યા પછી નેટ જીએસટી કલેક્શન ૭.૩ ટકા વધીને ૨.૧૧ લાખ કરોડ રૂપિયા રહ્યું છે.

નવા નાણાકીય વર્ષનાં પ્રથમ મહિનાનાં જીઅસટી કલેક્શનમાં મોટો ઉછાળો એ વાતનાં સંકેત આપી રહ્યાં છે દેશનું અર્થતંત્ર ઝડપથી આગળ વધી રહ્યું છે.

જીએસટી કલેક્શનમાં ટોચનાં પાંચ રાજ્યોમાં મહારાષ્ટ્ર (૧૩, ૭૯૩ કરોડ રૂપિયા), કર્ણાટક (૫૮૨૯ કરોડ રૂપિયા), ગુજરાત (૫૪૫૫ કરોડ રૂપિયા), તમિલનાડુ (૪૭૨૪ કરોડ રૂપિયા) અને ઉત્તર પ્રદેશ (૪૩૯૯ કરોડ રૂપિયા)નો સમાવેશ થાય છે.

May 1, 2026
image-1.png
5min114

સુરત ઇકોનોમિક રિજન 2047 સુધીમાં 20 ગણી વૃદ્ધિ સાથે ગુજરાતના GSDPમાં 35 ટકાથી વધુ ફાળો આપશેઃ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

:: મુખ્યમંત્રી ::

  • કોઈપણ વિસ્તાર વિકાસમાં પાછળ ન રહે અને જિલ્લાની ક્ષમતાઓને વૈશ્વિક પ્લેટફોર્મ મળે તે માટે ગુજરાતે VGRCનો નવતર અભિગમ અપનાવ્યો છે.
  • ઇન્ક્લુસિવ ગ્રોથની ભાવના સાથે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરવામાં રિજનલ કોન્ફરન્સીસ પરફેક્ટ પ્લેટફોર્મ છે.
  • રિજનલ ઈકોનોમિક માસ્ટર પ્લાનથી વિવિધ સેક્ટર્સના સર્વગ્રાહી વિકાસનો ધ્યેય રાખ્યો છે.
  • સુરત ઇકોનોમિક રિજનમાં કેમિકલ અને ફાર્મા, ટેક્સટાઈલ એન્ડ એપેરલ તેમજ જેમ્સ એન્ડ જ્વેલરી, એગ્રિકલ્ચર, રિઅલ એસ્ટેટ અને ટુરિઝમનું પોટેન્શિયલ રહેલું છે.

* સુરત જળ, જમીન અને હવાઈ કનેક્ટિવિટીથી ભારતનું મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ ધરાવતું વેલ-કનેક્ટેડ સિટી બની રહ્યું છે.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી-:

  • ગુજરાતમાં સપના લઈને આવેલા રોકાણકારોની મિત્ર, ભાગીદાર અને હિતેચ્છુ છે રાજ્ય સરકાર:
  • વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ થકી સુરત સહિત દક્ષિણ ગુજરાતના વિકાસને નવી ઊર્જા મળશે
  • ગુજરાત દેશના કુલ જીડીપીમાં ૮.૨ ટકા યોગદાન સાથે અગ્રેસર: રાજ્યના જીડીપીમાં દક્ષિણ ગુજરાતનું યોગદાન ૨૦૪૭ * સુધીમાં ૨૦ ટકા સુધી લઈ જવાનું સરકારનું લક્ષ્ય

* ઔદ્યોગિક ઇન્સેન્ટીવ માટે હવે સરકારી ઓફિસોના ધક્કા ખાવા નહીં પડે, સરકારે પારદર્શી વ્યવસ્થા ઊભી કરી છે

વૈશ્વિક યુદ્ધ, પૂરવઠા સાંકળના સંકટ વચ્ચે પણ ભારત અડગ: છેલ્લા ૪ વર્ષ અને ૬૦ દિવસથી દેશમાં ઈંધણના ભાવમાં કોઈ વધારો નહીં: હરદીપસિંહ પુરી

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ:-

  • સુરતના ઉદ્યોગોએ દેશના સીમાચિહ્નરૂપ પ્રોજેક્ટ્સમાં પાયાનું યોગદાન આપ્યું છે:

* દુનિયાનો સૌથી ઊંચો ‘ચેનાબ રેલ બ્રિજ’ અને સંરક્ષણ ક્ષેત્રની આધુનિક તોપોના નિર્માણમાં સુરતના ઉદ્યોગોનું ગૌરવભર્યું યોગદાન

દક્ષિણ ગુજરાત રિજીયનના પાંચ જિલ્લાઓમાં નિર્માણ પામનાર ૮ નવી ‘સ્માર્ટ GIDC’ વસાહતો સ્થાપવાની જાહેરાત કરતા મુખ્યમંત્રીશ્રી

સુરતના ડાયમંડને કેન્દ્ર સરકાર દ્વારા મળેલા જી.આઈ. ટેગ બદલ ભારતીય પોસ્ટના ઉપક્રમે એક વિશેષ કવરનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે અનાવરણ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સુરતમાં ત્રીજી વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો ભવ્ય પ્રારંભ કરવતા સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, રાજ્યનો કોઈપણ વિસ્તાર વિકાસમાં પાછળ ન રહે અને જિલ્લાની ક્ષમતાઓને વૈશ્વિક પ્લેટફોર્મ મળે તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ગુજરાતે VGRCનો નવતર અભિગમ અપનાવ્યો છે.

તેમણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ રીજીયનમાં આવી અગાઉ યોજાયેલી બે VGRCની સફળતાનો સંદર્ભ આપતા ઉમેર્યું કે, ઇન્ક્લુસિવ ગ્રોથની ભાવના સાથે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરવામાં રિજનલ કોન્ફરન્સીસ પરફેક્ટ પ્લેટફોર્મ છે.

દક્ષિણ ગુજરાત રીજીયનની VGRCમાં સુરત સહિત તાપી, નવસારી, વલસાડ, ડાંગ અને ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વિકાસની ક્ષમતાઓ અને સંભાવનાઓને વધુ વેગ મળશે તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ સુરત ઇકોનોમિક રિજનમાં કેમિકલ અને ફાર્મા, ટેક્સટાઈલ એન્ડ એપેરલ તેમજ જેમ્સ એન્ડ જ્વેલરી, એગ્રિકલ્ચર, રિઅલ એસ્ટેટ અને ટુરિઝમનું જે પોટેન્શિયલ રહેલું છે તેની વિસ્તૃત ભૂમિકા આપી હતી.

તેમણે એમ પણ ઉમેર્યું કે, સુરત ઇકોનોમિક રિજન 2047 સુધીમાં વીસ ગણી વૃદ્ધિ સાથે ગુજરાતના GSDPમાં 35 ટકાથી વધુ ફાળો આપશે તેવા અંદાજ સાથે નીતિ આયોગના માર્ગદર્શનમાં સુરતને ગ્રોથ હબ તરીકે વિકસાવવાનો માસ્ટર પ્લાન મંજૂર પણ થઈ ગયો છે.

વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી સુરત ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર, રેલવે કોરિડોર, નેશનલ હાઈવે, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે, પોર્ટ, એરપોર્ટ, બુલેટ ટ્રેન, મેટ્રો રેલ, આઉટર રિંગ રોડ, વગેરેથી જોડીને એર, વોટર અને લેન્ડની કનેક્ટિવિટીથી ભારતનું મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટથી વેલ-કનેક્ટેડ સિટી બની રહ્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ અવસરે શરું થયેલી દક્ષિણ ગુજરાત પ્રદેશની આ VGRCને વડાપ્રધાનશ્રીના વિઝનરી નેતૃત્વમાં રાજ્યમાં ૨૦૦૧ પછી થયેલા ટ્રાન્સફોર્મેશન અને વિકાસના નવા સીમાચિહ્નનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ગણાવી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં પોર્ટ લેડ ડેવલપમેન્ટ સહિતના ઉત્તરોત્તર અપ્રતિમ વિકાસની પ્રસ્તુતિ કરતા કહ્યું કે, આજે દેશના કુલ કાર્ગોના ૪૦ ટકા હેન્ડલિંગ એકલું ગુજરાત કરે છે. એટલું જ નહી, ઈન્ડસ્ટ્રિયલ આઉટપુટમાં 18 ટકા અને રિન્યુએબલ એનર્જીમાં ૧૫ ટકા હિસ્સો ગુજરાત આપે છે. રાજ્ય સરકારની પોતાની ટેક્સની આવક ૯ હજાર કરોડથી વધીને ૧.૫૫ લાખ કરોડ થઈ છે.

આ ઉપરાંત એગ્રિકલ્ચર, મેન્યુફેક્ચરિંગ તેમજ સર્વિસ સેક્ટરમાં આ અઢી દાયકામાં ગુજરાતે ખૂબ મોટો જમ્પ લગાવ્યો છે. સાણંદ-ધોલેરા સેમિકન્ડક્ટર હબ બન્યા છે. અત્યાર સુધીમાં બે સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત થયાં છે. વાઈબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટ અને વડાપ્રધાનશ્રીના ડેવલપમેન્ટ વિઝનના પરિણામે ગુજરાત આજે દેશમાં સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય બન્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ૨૦૪૭ના વિકસિત ભારતના વડાપ્રધાનશ્રીએ આપેલા ધ્યેયને પાર પાડવા રાજ્યનો દરેક જિલ્લો પોતાના આગવા પોટેન્શિયલ સાથે આગળ વધે તે માટે છ રિજનલ ઈકોનોમિક માસ્ટર પ્લાન ૨૦ જેટલા પ્રાયોરીટી સેક્ટર્સ સાથે તૈયાર થઈ રહ્યાં છે.

તેમણે વિકસિત ભારત ૨૦૪૭ માટે વિકસિત ગુજરાત ૨૦૪૭નો જે રોડમેપ રાજ્ય સરકારે તૈયાર કર્યો છે તેમાં અર્નિંગ વેલ, લીવીંગ વેલનાં ધ્યેય સાથે ૨૦૪૭નુ ગુજરાત કેવું હશે તેના લક્ષ્યો નિર્ધારિત કર્યા છે તેની વિગતો આપતાં કહ્યું કે, સેમિકન્ડકટર, ઈ.વી. ગ્રીન હાઈડ્રોજન, એ.આઈ. જેવી ફ્યુચરિસ્ટીક ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ઈન્વેસ્ટમેન્ટ એન્ડ એમ્પ્લોયમેન્ટ બંન્ને વધારવા છે.

મુખ્યમંત્રીશ્રીએ વેપાર-ઉદ્યોગ જગતના અગ્રણીઓને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવવા દક્ષિણ ગુજરાતની આ VGRCમાં સહભાગી થઈ રહેલા ઉદ્યોગ-વેપાર જગતના અગ્રણીઓને આહવાન કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ દક્ષિણ ગુજરાત રિજીયનમાં સુરત જિલ્લામાં ૨, ભરૂચમાં ૩, વલસાડમાં ૧, તાપીમાં ૧ અને નવસારી જિલ્લામાં ૧ મળી કુલ ૫૩૮૦ એકરમાં નિર્માણ પામનાર ૮ નવી ‘સ્માર્ટ GIDC’ વસાહતો સ્થાપવાની જાહેરાત કરી હતી.

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ સૌ નાગરિકોને ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, ‘વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ના આયોજનથી સુરત અને દક્ષિણ ગુજરાતના વિકાસને નવી ઊર્જા પ્રાપ્ત થશે. વાઈબ્રન્ટ ગુજરાતને પ્રાદેશિક સ્તરે લઈ જવા માટે હવે રાજ્યના ચાર ઝોનમાં રિજનલ કોન્ફરન્સ યોજાઈ રહી છે.

વાઈબ્રન્ટ ગુજરાતની બે દાયકાની સફળતાના આંકડા રજૂ કરતા મંત્રીશ્રીએ ઉમેર્યું કે, વર્ષ ૨૦૦૩માં ગુજરાતનો જીડીપી ૧.૨૯ લાખ કરોડ હતો, જે વધીને વર્ષ ૨૦૧૨-૧૩માં ૭.૨૦ લાખ કરોડ થયો હતો. પ્રગતિની આ કૂચ જારી રાખતા વર્ષ ૨૦૨૨-૨૩માં જીડીપી ૨૧.૯૦ લાખ કરોડ અને વર્ષ ૨૦૨૫ના અંત સુધીમાં ૨૭.૪ લાખ કરોડે પહોંચવાનો અંદાજ છે. દેશના કુલ જીડીપીમાં ૮.૨ ટકા યોગદાન સાથે ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. આ વિકાસયાત્રામાં ઉદ્યોગકારોના અમૂલ્ય ફાળાને તેમણે બિરદાવ્યો હતો.

રાજ્યની ઔદ્યોગિક ક્ષમતા અંગે વિગતો આપતા શ્રી સંઘવીએ કહ્યું કે, રાજ્યમાં MSME એકમોની સંખ્યામાં ચાર ગણો વધારો થયો છે અને ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI)માં ગુજરાત સમગ્ર દેશમાં મોખરે રહ્યું છે. આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાકાર થતા રાજ્યમાં ઐતિહાસિક બદલાવ આવશે. ઉદ્યોગકારો માટે નીતિગત સરળતા અને વહીવટી પારદર્શિતા પર ભાર મૂકતા તેમણે જણાવ્યું કે, પ્રોત્સાહક સહાય (Incentive) મેળવવા માટે હવે ઉદ્યોગકારોએ કચેરીઓના ધક્કા ખાવા પડતા નથી. ઉદ્યોગ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫માં કુલ રૂ. ૫,૬૧૯ કરોડના ઇન્સેન્ટિવનું વિતરણ કરાયું છે, જે અંતર્ગત ગઈકાલે સુરતથી જ ૧૧,૦૦૦ વેપારીઓને રૂ. ૧,૩૦૦ કરોડની સહાય સીધી જ એનાયત કરવામાં આવી છે.

રાજ્ય સરકાર ગુજરાતમાં સપના લઈને આવેલા રોકાણકારોની મિત્ર, ભાગીદાર અને હિતેચ્છુ છે એમ જણાવી શ્રી સંઘવીએ કહ્યું કે, મહેસાણા VGRC ખાતે રૂ. ૩.૨૪ લાખ કરોડ અને રાજકોટમાં રૂ.૫.૭૮ લાખ કરોડના MOU થયા હતા, ત્યારે સુરત ખાતે પણ વિક્રમી સંખ્યામાં MOU થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાનશ્રીના ‘વિકસિત ભારત @૨૦૪૭’ના વિઝનને સાકાર કરવા રાજ્ય સરકારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને સાંકળીને ‘સુરત ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન @૨૦૪૭’ તૈયાર કર્યો છે. આ પ્લાન હેઠળ વર્ષ ૨૦૪૭ સુધીમાં રાજ્યના જીડીપીમાં દક્ષિણ ગુજરાતનો હિસ્સો ૨૦ ટકા સુધી લઈ જવાનું આયોજન છે.

દક્ષિણ ગુજરાતની વિશેષતા જણાવતા મંત્રીશ્રીએ ઉમેર્યું કે, દેશની ૬૦ ટકા સોલાર પેનલ અને સોલાર સેલનું ઉત્પાદન આ વિસ્તારમાં થઈ રહ્યું છે. કુશળ માનવબળ અને પોર્ટ કનેક્ટિવિટીના કારણે લોજિસ્ટિક્સ ખર્ચ પણ ખૂબ ઓછો આવે છે. સુરત આજે દેશના ૭૫ ટકા કાપડનું ઉત્પાદન અને નિકાસ કરે છે, તેમજ વિશ્વના દર ૧૦૦માંથી ૯૦ હીરાનું કટિંગ અને પોલિશિંગ સુરતમાં થાય છે. સ્વચ્છતામાં પણ સુરત દેશમાં પ્રથમ ક્રમે હોવાનું ગૌરવ વ્યક્ત કરતા તેમણે ઉદ્યોગકારોને રાઈઝીંગ સેક્ટરમાં રોકાણ કરવા આહ્વાન કર્યું હતું.

કેન્દ્રીય પેટ્રોલિયમ અને ગેસ મંત્રી શ્રી હરદીપસિંહ પુરીએ વર્ષ ૨૦૨૭ના વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પહેલા આ પ્રકારના પ્રાદેશિક સમિટના આયોજન બદલ ગુજરાત સરકારને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રકારની સમિટ અન્ય રાજ્યોમાં પણ મોડેલરૂપ અને પ્રેરક બની છે એમ જણાવી ઉમેર્યું કે, વૈશ્વિક સ્તરે વીમા ખર્ચમાં વધારો, કાર્ગોમાં વિલંબ અને સપ્લાય ચેઈનની ગંભીર સમસ્યાઓ વચ્ચે પણ ભારત વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના મજબૂત નેતૃત્વ હેઠળ સુરક્ષિત રહ્યું છે. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ આજે જણાવ્યું હતું કે, વૈશ્વિક યુદ્ધ, પૂરવઠા સાંકળના સંકટ, હોર્મુઝની ખાડીમાં પેદા થયેલા તણાવ છતાં પણ કેન્દ્ર સરકારે દેશવાસીઓને આર્થિક બોજથી બચાવ્યા છે.

આ સંદર્ભે મંત્રીશ્રીએ કહ્યું કે, જ્યારે વૈશ્વિક સ્તરે ક્રૂડના ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે, ત્યારે છેલ્લા ૪ વર્ષ અને ૬૦ દિવસથી દેશમાં પેટ્રોલ અને ડીઝલના રિટેલ ભાવમાં કોઈ વધારો કરાયો નથી. તેમણે પાડોશી દેશોની સ્થિતિનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, પશ્ચિમના પાડોશી દેશે એપ્રિલમાં પેટ્રોલના ભાવમાં ૪૨.૭% અને ડીઝલમાં ૫૪.૦૯% નો વધારો કર્યો છે. તેવી જ રીતે ઉત્તર અને દક્ષિણના પાડોશી દેશોમાં પણ ઈંધણના ભાવમાં ૩૯% થી ૬૬% સુધીનો તોતિંગ વધારો ઝીંકાયો છે. વિશ્વના અન્ય બજારોમાં લાંબી કતારો, રેશનિંગ અને કામના કલાકોમાં કાપ જેવી સ્થિતિ જોવા મળી છે, પરંતુ ભારતે ‘પેનિક’ (ગભરાટ) ને ક્યારેય પોતાની નીતિ બનવા દીધી નથી. ભારતીય રસોડામાં કોઈ પણ ચીજવસ્તુની અછત વર્તાવા દેવામાં આવી નથી.

શ્રી પુરીએ વધુમાં ઉમેર્યું કે, ઘણા લોકો દેશમાં ભાવોની સ્થિરતાને ચૂંટણી સાથે જોડે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે છેલ્લા ૪ વર્ષમાં અનેક ચૂંટણીઓ આવી અને ગઈ, તેમ છતાં સરકારની પ્રતિબદ્ધતા સામાન્ય જનતાને રાહત આપવાની રહી છે. સરકાર ગ્રાહકોના હિતમાં કઠોર નિર્ણયો લેવા સક્ષમ છે અને ભવિષ્યમાં પણ જનહિત સર્વોપરી રહેશે.

ગુજરાત ગૌરવ દિવસના પાવન અવસર પર દક્ષિણ ઝોનની ‘વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ના પ્રથમવાર યજમાન બનવા બદલ સુરતવાસીઓને અભિનંદન પાઠવતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વમાં શરૂ થયેલી ‘વાયબ્રન્ટ ગુજરાત’ સમિટની સફળતાને પગલે આજે ગુજરાતે વિકાસની નવી ઊંચાઈઓ સર કરી છે.

સુરતના ઉદ્યોગોની સિદ્ધિઓનો ઉલ્લેખ કરતા મંત્રીશ્રીએ ગૌરવભેર જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં ચેનાબ નદી પર બની રહેલા વિશ્વના સૌથી ઊંચા ‘ચેનાબ રેલ બ્રિજ’માં સુરતની AM/NS કંપની દ્વારા ઉત્પાદિત અત્યંત મજબૂત સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, રાષ્ટ્રની સુરક્ષા માટે હજીરા સ્થિત L&T પ્લાન્ટમાં તૈયાર થયેલી આધુનિક તોપો (K9 વજ્ર) દેશની સરહદોનું રક્ષણ કરી રહી છે. આ બાબત માત્ર સુરત જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે.

તેમણે વધુમાં કહ્યું કે, દેશમાં પાણીની જરૂરિયાત પૂર્ણ કરવા જળસંચય જાગૃતિ ખૂબ જરૂરી છે. જાગૃત્ત દેશવાસીઓએ લોકભાગીદારીથી ૭૦ લાખથી વધુ જળ સ્ટ્રક્ચર બનાવ્યા છે. જેનાથી ૨ બીસીએમ વધુ જળસંચય કરી શકાયું છે. આજે ૮૩ ટકા પાણી એગ્રીકલ્ચરમાં ઉપયોગમાં લેવાય છે જયારે ૧૪ ટકા પાણી જનસમુદાયોમાં તેમજ ૨.૫ ટકા પાણી ઈન્ડસ્ટ્રીઝમાં ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે તેમણે ભૂગર્ભમાંથી પાણીને બિનજરૂરી ન ઉલેચવા અને કુદરતી જળસ્ત્રોતોને બચાવી જળસંગ્રહ કરવા ઔદ્યોગિક એકમોને આહવાન કર્યું હતું. મહાનગરપાલિકા દ્વારા ટર્શરી ટ્રીટેડ વોટર વેચીને વર્ષ દહાડે ૩૦૦થી વધુ કરોડની આવક મેળવતી હોવાનું અને સુરતે આગામી ૫૦ વર્ષ માટે પાણીની જરૂરિયાત માટેનું નક્કર ભવિષ્યલક્ષી આયોજન કર્યું હોવાનું ગર્વ સાથે જણાવ્યું હતું.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સુરતના સાહસિક ઉદ્યોગકારો અને તેમની કાર્યક્ષમતાને કારણે જ આજે મોટા વૈશ્વિક પ્રોજેક્ટ્સમાં સુરતની મજબૂત ભાગીદારી જોવા મળી રહી છે. આગામી સમયમાં આ રિજનલ કોન્ફરન્સના માધ્યમથી દક્ષિણ ગુજરાતના વિકાસને નવી ગતિ મળશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.

ભારત ખાતેના જાપાનના રાજદૂત મહામહિમ શ્રી કેઈચી ઓનોએ પોતાના સંબોધનની શરૂઆત ગુજરાતી ભાષાથી કરતાં જણાવ્યું કે, 2009માં જાપાન પ્રથમવાર વાઇબ્રન્ટ ગુજરાત સમિટના ભાગીદાર દેશ તરીકે જોડાયું ત્યારથી અમે સતત ગુજરાતના પાર્ટનર કન્ટ્રી રહ્યા છીએ, તેનું અમને ખૂબ ગૌરવ છે. તેમણે કહ્યું કે, સુરત એ ભારતના અગ્રણી વ્યાપારી શહેરોમાંનું એક છે, તેમજ ડાયમંડ પ્રોસેસિંગના વૈશ્વિક કેન્દ્ર સ્થાન તરીકે ખૂબ જ પ્રખ્યાત બન્યું છે. જાપાન – ભારતના સંબંધોના સંદર્ભમાં હાઇસ્પીડ રેલવે ટ્રેન પ્રોજેક્ટના મહત્વના હબ તરીકે પણ સુરતનું ખૂબ મહત્વ છે.

તેમણે કહ્યું કે, “સુરત જેવા મહત્વપૂર્ણ શહેરમાં આ ઇન્વેસ્ટમેન્ટ સમિટનું આયોજન ખૂબ ઉલ્લેખનીય છે. સુરત તેમજ ગુજરાત રાજ્યના વધુ સમૃદ્ધ આર્થિક વિકાસ માટે જાપાન સદા સમર્થન આપતું રહેશે.”

તેમણે વધુમાં જણાવ્યું કે, મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે હજીરા ખાતે આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાના સ્ટીલ પ્લાન્ટમાં કુલ રોકાણ રૂ.1.4 ટ્રિલિયન છે, અને તેના થકી લગભગ 40 હજારથી વધુ રોજગારીઓનું સર્જન થયું છે. અત્યાર સુધીમાં આ પ્લાન્ટ દ્વારા 7.2 મિલિયન ટન સ્ટીલનું ઉત્પાદન થયું છે અને તેને નજીકના ભવિષ્યમાં 15 મિલિયન ટન સુધી વધારવામાં આવશે.

સેમિકન્ડક્ટર સેક્ટર અંગે તેમણે કહ્યું કે, આ ક્ષેત્રે સરકાર અને ખાનગી કંપનીઓ વચ્ચેનો સહયોગ સતત વધી રહ્યો છે, ત્યારે જાપાન પણ ભારતમાં સેમિકન્ડક્ટરનું ઉત્પાદન કરવાના દેશના સપનાને સાકાર કરવામાં, અને ખાસ કરીને ગુજરાત રાજ્યમાં તેનું ઉત્પાદન કરવામાં પોતાનો સંપૂર્ણ સહયોગ પ્રદાન કરશે.

તેમણે કહ્યું કે, હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટમાં સુરત એક મેજર હબ છે, અને જાપાન સરકાર તેનું મજબૂતીથી સમર્થન કરી રહી છે. નજીકના ભવિષ્યમાં આ શહેરમાં આકાર પામી રહેલા જાપાન-ઇન્ડિયા જોઇન્ટ પ્રોજેક્ટના નક્કર પરિણામો આપણને જોવા મળશે.

તેમણે જણાવ્યું કે, મારૂતિ સુઝુકી ગાયના છાણમાંથી બાયોગેસ બનાવવા માટેના એક પ્લાન્ટના કન્સ્ટ્રક્શન પર કામ કરી રહી છે. આ પહેલથી માત્ર પર્યાવરણ પરની અસર જ નથી ઘટાડતી, પરંતુ ઊર્જાક્ષેત્રે આત્મનિર્ભરતા વધારે છે તેમજ ખેડૂતો માટેની આજીવિકા વધારવામાં પણ યોગદાન આપે છે.

તેમણે કહ્યું કે, ગત વર્ષે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની જાપાન મુલાકાતના કારણે બંને દેશો વચ્ચેની આ વિશેષ વ્યૂહાત્મક વૈશ્વિક ભાગીદારીએ એક નવા યુગના સુવર્ણ પ્રકરણમાં પ્રવેશ કર્યો છે. આગામી 2027નું વર્ષ, જાપાન અને ભારત વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાનું 75મું વર્ષ છે. બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે, હું આ વિશેષ વર્ષ 2027ની ઉજવણી માટે ભારતની કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને વેપારી સમુદાયો સાથે મળીને ફક્ત દિલ્હીમાં જ નહીં, પરંતુ ભારતના ઘણા ભાગોમાં ખાસ કાર્યક્રમોનું આયોજન કરવા માંગુ છું. 75મા વર્ષને ખરેખર યાદગાર અને ખાસ બનાવવા માટે હું ગુજરાત રાજ્ય સાથે કામ કરવા આતુરતા વ્યક્ત કરીને રાજ્ય સરકારનો આભાર માન્યો હતો.

સિંગાપોરના હાઈ કમિશનર શ્રી સાઈમન વોંગ એ સૌનું ‘જય શ્રી કૃષ્ણ’ સાથે અભિવાદન કરતા જણાવ્યું હતું કે, આજનો દિવસ મહાન છે જ્યારે રિજિયોનલ કોન્ફરન્સના દિવસે અન્ય ત્રણ મહત્વપૂર્ણ ઘટનાઓ પણ જોડાઈ છે. આજે ગુજરાતનો સ્થાપના દિવસ પણ છે, આજે બુદ્ધ પૂર્ણિમા પણ છે અને વિશ્વમાં લેબર ડેની પણ ઉજવણી થાય છે.

ગત વર્ષે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને સિંગાપોરના વડાપ્રધાને બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવીને વ્યુહાત્મક રીતે ઉચ્ચ સ્તરે લઈ ગયા છે.

છેલ્લા ૧૨ વર્ષમાં ભારતમાં સિંગાપોર તરફથી સૌથી વધુ એફડીઆઈ નોંધાવવામાં આવ્યું છે. ૨૦૧૪ થી અત્યારસુધી નું ભારતમાં ક્યુમ્યુલેટિવ એફડીઆઈ ૧૭૯ બિલિયન ડોલરનું છે. જ્યાં સુધી ગુજરાતની વાત છે તો ભારતમાંથી સિંગાપુરમાં થતા નિકાસમાંથી ૧૫ ટકા ગુજરાતમાંથી આવે છે.

આજે આ કોન્ફરન્સ સુરતમાં છે તો જણાવ્યું કે ૧૦૦ મિલિયન ડૉલર મૂલ્યના હીરા સુરતથી સિંગાપોર એક્સપોર્ટ થાય છે. ચારમાંથી એક ડેનિમ જીન્સ સુરતથી આવે છે.

અમે ધોલેરા,ગિફ્ટ સિટી અને સાણંદમાં સેમિકન્ડક્ટર અને ફાઈનાન્સ ક્ષેત્રમાં આગળ જવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ.

નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે સતત સિંગાપુરની મુલાકાત લીધી છે. તેથી આ સબંધ લાંબા સમયથી છે. આગામી વાયબ્રન્ટ ગુજરાતની મુખ્ય ઇવેન્ટમાં સિંગાપોર અન્ય મહત્વપૂર્ણ જાહેરાતો કરશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

સુરત અને ગુજરાતના હીરા ઉદ્યોગ માટે ગૌરવ સમાન ડાયમંડને કેન્દ્ર સરકાર દ્વારા મળેલા જી.આઈ. ટેગ બદલ ભારતીય પોસ્ટના ઉપક્રમે એક વિશેષ કવરનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું.

ઉપસ્થિત સૌએ ‘વાઇબ્રન્ટ ગુજરાત તેમજ વિકસિત ગુજરાતની થીમ સાથે રાજયના વિકાસનું વિઝન રજૂ કરતી ડોક્યુમેન્ટ્રી ફિલ્મ રસપૂર્વક નિહાળી હતી.

આ પ્રસંગે સિંગાપોરના હાઈ કમિશનર શ્રી સિમોન વોંગ, જાપાનના રાજદૂત એચ.ઈ. શ્રી કેઈચી ઓનો, નિપ્પોન સ્ટીલ કોર્પોરેશનના મેનેજિંગ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી નોબુઓ ઓકોચી, ASSOCHAMના અધ્યક્ષશ્રી નિર્મલ મિંડા, રવાન્ડાના હાઈ કમિશનર શ્રી જેકલીન મુકાનગીરા, યુક્રેનના હાઈ કમિશનર એલેકઝાન્ડર, રાજ્ય સરકારના મંત્રી સર્વશ્રી કનુભાઈ દેસાઈ, જીતુભાઈ વાઘાણી, ઋષિકેશભાઈ પટેલ, પ્રદ્યુમનભાઈ વાજા, નરેશભાઈ પટેલ, રમણભાઈ સોલંકી, ડો.જયરામભાઈ ગામીત, સાંસદશ્રી મુકેશભાઈ દલાલ, ધારાસભ્યો, રાજ્યના મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, અધિક મુખ્ય સચિવ શ્રી જયંતી રવિ, ઉદ્યોગ સચિવ શ્રીમતી મમતા વર્મા સહિત ચૂંટાયેલા વરિષ્ઠ પદાધિકારીઓ, સરકારના વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ, દક્ષિણ ગુજરાતના ડાયમંડ, ટેક્ષટાઇલ સહિતના અગ્રણી ઉદ્યોગ સાહસિકો, યુવા એન્ટરપ્રિન્યોર્સ, વિદેશી ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.

May 1, 2026
image.png
1min133

દેશમાં અનેક રાજ્યોની ચૂંટણીઓ પૂર્ણ થતાંની સાથે જ મોંઘવારીનો મોટો વિસ્ફોટ થયો છે. સરકારી ઓઇલ કંપનીઓએ 1 મે 2026થી 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 993 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંક્યો છે. આ વધારા બાદ દિલ્હી સહિત અનેક શહેરોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ 3000 રૂપિયાને પાર કરી ગયો છે. હવે આ મામલે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મોંઘવારીને લઈને કેન્દ્ર સરકાર પર આકરા હુમલા કર્યા છે.

રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે, તેમણે ચૂંટણી બાદ મોંઘવારી વધવાની અગાઉથી ચેતવણી આપી હતી અને હવે તેવું જ થયું છે. તેમણે કહ્યું, આજે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ 993 રૂપિયા વધી ગયા છે. એક દિવસમાં આટલો બધો ભાવ વધારો કરાયો હોય તેવું પહેલીવાર બન્યું છે. તેમણે આ ભાવવધારાને ‘ચૂંટણી બિલ’ ગણાવ્યું છે.

દેશમાં અનેક રાજ્યોની ચૂંટણીઓ પૂરી થયા બાદ સરકારી ઓઇલ કંપનીઓએ 1 મે 2026થી 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 993 રૂપિયાનો વધારો કર્યો છે. જોકે, રાહતની વાત એ છે કે 14.2 કિલોના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ભાવમાં થયેલા વધારા બાદ દિલ્હીમાં હવે એક સિલિન્ડરની કિંમત 3071.50 રૂપિયા થઈ ગઈ છે, જે અગાઉ 1 એપ્રિલના રોજ 2078.50 રૂપિયા હતી. આ વધારાની સાથે જ હવે દેશભરમાં રેસ્ટોરન્ટમાં જમવાનું મોંઘું થઇ જશે. રાંધીને ખાવાની વસ્તુઓના ભાવમાં પણ તોતિંગ વધારો આવશે. આ ઉપરાંત સ્ટ્રીટ ફૂડના ભાવ પણ વધી શકે છે.