CIA ALERT
07. May 2024
May 24, 20191min2850

Related Articles



ગુજરાતમાં કોઇ હરીફ ન હોય એ રીતે કોંગ્રેસે બધી બેઠકો કબજે કરી

Share On :
Print Friendly, PDF & Email

લોકસભાની ચૂંટણીની મતગણતરીમાં ગુજરાતની 26 બેઠકો ઉપર પુનરાવર્તન થયું છે અને ભાજપે તમામ બેઠકો હાંસલ કરી છે. સતત બીજી વાર ગુજરાતની 26 એ 26 બેઠક પર ભગવો લહેરાવ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે, 2014ની ચૂંટણી કરતા પણ તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારો વધુ માર્જિનથી જીત્યા છે. ગુજરાતમાં 64 ટકા થયેલા મતદાનની સામે સમગ્ર દેશમાં ગુજરાત ભાજપના ઉમેદવારે 62 ટકા મત મેળવ્યા છે અને કોંગ્રેસના સૂપડા સાફ કરીને જાણે ગુજરાતમાં ભાજપની સુનામી આવી હોય તેવી સ્થિતિ’ સર્જાઇ છે.

રાજ્યની હાઇ પ્રોફાઇલ અને વીવીઆઇપી બેઠક ગણાતી ગાંધીનગર બેઠક પરથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ’ 8, 88, 210 મત મેળવીને રાજ્યમાં સૌથી વધુ 5,54, 568 મતના સરસાઇથી જીત હાંસલ કરી છે. ત્યારબાદ નવસારીના ઉમેદવાર સી.આર. પાટીલે 6,89,668 મતોની સરસાઇ મેળવી છે. જ્યારે સુરતના દર્શના બેન જરદોષ અને વડોદરાના રંજનબેન ભટ્ટે અનુક્રમે 5,48,230 અને 5,84,915ની લીડ મેળવી છે.

મતગણતરીમાં શરૂઆતથી જ ભાજપના 26 એ 26 ઉમેદવારો તેમના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ઉમેદવારો સામે સરસાઇ મેળવી રહ્યા હતા. અંદાજીત સાંજે 7 વાગ્યા સુધીમાં રાજ્ય ચૂંટણી પંચ તરફથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ, તમામ 26 બેઠકો પર ભાજપે દોઢ લાખથી લઇને સાડા પાંચ લાખ કરતા વધુ મતોની લીડ લઇને જીત હાંસલ કરી છે. રાજ્યમાં 26 લોકસભા બેઠક ઉપર કુલ 371 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા હતા.

જાહેર થયેલા પરિણામને લઇને વિપક્ષ કોંગ્રેસના ઉમેદવારો સિવાયના તમામ ઉમેદવારોની ડિપોઝીટ ડૂલ થવા પામી હતી. મોસ્ટ સિનિયર સાસંદ તરીકે ગુજરાતમાંથી ભરૂચના મનસુખ વસાવા બન્યા છે. તેઓ 1998થી લઇને 2019 સુધીમાં સતત છ વખત વિજયી બન્યા છે. જ્યારે સી.આર.પાટીલ સહિતના 3 સાસંદો ચાર ટર્મથી ચૂંટાઇ રહ્યા છે. સતત બીજી ટર્મમાં ચૂટાયેલા સાસંદોની સંખ્યા 11 જેટલી થાય છે. જ્યારે 2019માં પ્રથમ વખત ચૂંટણી લડીને જીત મેળવનારા સાસંદોની સંખ્યા 10ની થાય છે.

2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા 16 જેટલા ઉમેદવારોને રીપીટ કરાયા હતા તે તમામની જીત થઇ છે. સાથે સાથે ભાજપ દ્વારા છ જેટલી મહિલાઓને લોકસભા બેઠક પર ટિકિટ આપવામાં આવી હતી તેઓનો પણ વિજય થયો છે.

જાહેર થયેલા પરિણામો સંદર્ભે કોંગ્રેસની આટલી ખરાબ હાલત થશે તેવું ભાજપના ટોચના નેતાઓએ પણ કલ્પના કરી નહોતી. સીધી રીતે કહીએ તો ભાજપે ફરી એકવાર કોંગ્રેસના પંજા ઉપર બુલડોઝર ફેરવીને કોંગ્રેસના સૂપડા સાફ કરી દીધા છે. આશ્ચર્યની વાત એ છે કે,

કોંગ્રેસને જે બેઠક પર જીતવાનો વિશ્વાસ હતો તેવી અમરેલી, પાટણ, આણંદ, છોટાઉદેપુર તથા સુરેન્દ્રનગરની બેઠક પણ કોંગ્રેસે ખૂબ મોટા માર્જિનથી ગુમાવી છે જે કોંગ્રેસ માટે આંચકાજનક છે.

આ વખતની લોકસભાની ચૂંટણીમાં કુલ 12 જેટલા કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યો ચૂંટણી લડી રહ્યા હતા. તેમાંથી કોંગ્રેસના 8 ધારાસભ્યોનો કારમો પરાજય થયો છે જ્યારે ભાજપના 4 ધારાસભ્યોએ ખુબ જ માર્જિનથી જીત મેળવી છે. આજે જાહેર થયેલા પરિણામમાં રાજ્યસરકારના રાજ્યપ્રધાન પરબતભાઇ પટેલ તેમજ વિધાનસભાના ઉપદંડક ભરતસિંહ ડાભીનો વિજય થવા પામ્યો છે. જ્યારે 2017ની ચૂંટણીમાં અપક્ષ તરીકે લુણાવાડા બેઠક પર ચૂંટણી લડેલા રણજિતસિંહ રાઠોડ કે જેઓ પાછળથી ભાજપમાં જોડાયા હતા. તેઓ પણ પંચમહાલ લોકસભાની બેઠક પરથી વિજયી બન્યા છે. જ્યારે અમરાઇવાડી બેઠક પરથી સતત બીજી વખત ધારાસભ્ય રહી ચૂકેલા હસમુખ પટેલ પણ આ વખતે પ્રથમ વખત લોકસભા સાસંદ તરીકે ચૂંટાયા છે.

ચૂંટણી પંચ તરફથી પ્રાપ્ત થયેલા ઉમેદવારોના હાર-જીતના આંકડા મુજબ સૌથી ઓછી લીડ દાહોદમાં રહેવા પામી છે. જે મુજબ દાહોદમાં કેન્દ્રિય પ્રધાન જશવંતસિંહ ભાભોરનો 1,27, 537 મતથી વિજય થયો છે. જ્યારે સૌથી વધુ લીડ ભાજપના નવસારીના ઉમેદવાર સી.આર.પાટીલની 6,89,668ની’ રહેવા પામી છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :