ગુજરાતમાં દરીયાઇ મુસાફરી સર્વિસના યોગ કઠિન લાગે છે : હજીરા ઘોઘા રૉ-પેક્સ જહાજ ટ્રાયલ રન વખતે જ દરીયામાં ખોટકાયું

આગામી તા.8મી નવેમ્બર 2020ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેનું વર્ચ્યુઅલ ઉદઘાટન કરવાના છે અને ભાજપવાળાઓ જેના નામે શ્રેય ખાટી રહ્યા છે એ હજીરા ઘોઘા વચ્ચે રો પેક્સ ફેરી સર્વિસ આજે તા.6 નવેમ્બર 2020ના રોજ ટ્રાયલ રન વખતે જ દરિયામાં ટેકનિકલ ખામીને કારણે ખોટકાઇ રહ્યું છે.
દહેજ ઘોઘા ખાતે ગણતરીના મહિના સર્વિસ ચાલ્યા બાદ એ અચોક્કસ મુદત માટે બંધ થઈ ચૂકી છે, હવે હજીરા ઘોઘા વચ્ચે રૉ પેક્સ ફેરી સેવા શરૂ થાય એ પહેલા ટ્રાયલ રન વખતે જ બંધ થતાં આ મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો છે. રૉ પેક્સ સર્વિસ માટે જે જહાજ આપવામાં આવ્યું છે તેની આવરદા અને તેની ક્ષમતા બન્ને અંગે નિષ્ણાંતો સવાલો ઉઠાવી રહ્યા છે.
8/11/2020 થી શરૂ થનારી રૉ પેક્સ ફેરી સર્વિસનું બુકિંગ પણ શરૂ કરી દેવાયું હતું
https://www.dgseaconnect.com/ વેબસાઇટ પર હજીરા અને ઘોઘા વચ્ચેની આ દરીયાઇ સેવા ભલે તા.8મી નવેમ્બરથી શરૂ થવાની હોય પરંતુ, તેનું બુકિંગ પણ શરૂ કરી દેવાયું છે. હવે આ સર્વિસ તા.8મીથી શરૂ થાય છે કે કેમ તે અંગે શંકાઓ પ્રવર્તી રહી છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
