ONGC હજીરાએ વૃક્ષોનું નિકંદન કાઢી નાંખ્યું હોવાનો દર્શન નાયકનો રહસ્યસ્ફોટ
પબ્લિક સેક્ટર યુનિટ ગણાતા હજીરા સ્થિત ONGC યુનિટના સંચાલકોએ દુર્લભ વૃક્ષોનું નિકંદન કાઢી નાંખ્યુ હોવાનો રહસ્યસ્ફોટ જિલ્લાના રાજકીય આગેવાન દર્શન નાયકે કર્યો છે. મુખ્યમંત્રી વિજય રુપાણીને પાઠવેલા પત્રમાં સુરતના રાજકીય આગેવાન દર્શન નાયકે અનેક સવાલો ઉપસ્થિત કર્યા છે. ONGC જેવા કેન્દ્ર સરકારના યુનિટમાં પર્યાવરણને ભારે નુકસાન કરવામાં આવી રહ્યું છે તો બીજી તરફ ONGC કેમ્પસમાં સફાઇ અભિયાનના નામે મીંડું હોવાની બાબતને પણ તેમણે ઉજાગર કરી છે.

મુખ્યમંત્રી વિજય રુપાણીને પાઠવેલા આવેદનપત્રમાં સુરત જિલ્લાના રાજકીય આગેવાન દર્શન નાયકે જણાવ્યું છે કે ONGCએ કોઇપણ પ્રકારની મંજૂરી વગર દાયકાઓ જૂના ગુલમહોર, લીમડા, પલટી જેવા મહાકાય વૃક્ષોનું નિકંદન કાઢી નાંખ્યું છે. કોઇ સામાન્ય વ્યક્તિ પોતાની પ્રીમાઇસીસમાં એક નાનું વૃક્ષ કાપે તો વન વિભાગ તેને પેનલ્ટી ઠોકી બેસાડે છે જ્યારે ખુદ કેન્દ્ર સરકારના યુનિટ ગણાતા ONGC હજીરાના સંચાલકોએ આખેઆખું વિશાળ વૃક્ષોના જંગલનું જ નિકંદન કાઢી નાંખ્યું છે આવી સ્થિતિમાં તપાસ કરીને ONGC સામે પગલાં ભરવા જોઇએ.

વડાપ્રધાન જ્યારે વૃક્ષારોપણના હિમાયતી હોય ત્યારે ONGC હજીરાની આ હરકત અક્ષમ્ય છે. એ સિવાય ONGC હજીરા કેમ્પસમાં સફાઇ અભિયાનના નામે મીંડુ જોવા મળી રહ્યું છે. આ બાબત પણ કેન્દ્ર સરકારની નીતિ રીતીઓના વિરોધાભાસ સમાન છે. દર્શન નાયકે ફોટા સમેત સઘળી વિગતોથી મુખ્યમંત્રીને વાકેફ કર્યા છે. ONGC હજીરા યુનિટના સંચાલકો સામે આગામી સમયમાં રાજ્ય સરકાર પગલાં ભરે તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવાય રહી છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


