CIA ALERT

આજ 27/9/21થી કેનેડા ભારત વચ્ચે ફ્લાઇટ શરૂ

Share On :

કેનેડાએ સોમવારથી ભારતથી સીધી ફ્લાઇટ પરનો પ્રતિબંધ હટાવવાનો નિર્ણય જાહેર કર્યો છે : કેનેડાએ પાંચ મહિનાથી વધુ સમય બાદ આ પ્રતિબંધ હટાવ્યો છે.

કેનેડાના સત્તાવાર સૂત્રોએ શનિવારે ટ્વિટર પર આ માહિતી જાહેર કરતા જણાવ્યું હતું કે ૨૭મી સપ્ટેમ્બરે ૦૦.૦૧ વાગ્યાથી ભારતથી કેનેડા માટેની સીધી ફ્લાઇટોને વધારાના સ્વાસ્થ્ય સંબંધી પગલાં સાથે પરવાનગી આપવામાં આવી છે. 
આ માટે પ્રવાસીઓ પાસે દિલ્હીથી કેનેડા માટેની સીધી ફ્લાઇટ પકડવાના ૧૮ કલાકની અંદર મંજૂર કરાયેલ લૅબમાંથી કોવિડ-૧૯ના મોલેક્યુલર ટેસ્ટના રિપોર્ટ હોવા જરૂરી છે. 
ભારતમાં કોરોનાની બીજી લહેર આવ્યા બાદ કેનેડાએ એપ્રિલ મહિનાથી ભારતથી આવનાર બધી જ સીધી ફ્લાઇટો પર પ્રતિબંધ લાદ્યો હતો. 
ભારતના કેનેડા ખાતેના રાજદૂત અજય બિસરીયાએ આ નિર્ણયને વધાવતા ટ્વિટર પર જણાવ્યું હતું કે ૨૭મી સપ્ટેમ્બરથી એર ઇન્ડિયા અને એર કેનેડાની દિલ્હીથી ટોરોન્ટો/વાનકુવરની સીધી ફ્લાઇટો શરૂ થવા સજ્જ છે. પ્રવાસમાં વધુ છૂટછાટ મેળવવા માટે અમે કેનેડા સાથે વાટાઘાટ કરી રહ્યા છીએ.
જોકે, ભારતથી કેનેડા આડકતરી રીતે જનારા પ્રવાસીઓ માટે અન્ય દેશમાંથી કેનેડા જવા અગાઉ ત્રીજા દેશનો કોવિડ-૧૯ નેગેટિવનો રિપોર્ટ કઢાવવો હજુ ય ફરજિયાત રાખવામાં આવ્યો છે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :

Print Friendly, PDF & Email

Share On :