Bank Holiday હશે તો પણ પગાર પેન્શન એ જ દિવસે મળશે
RBIની ઘોષણા : નેશનલ ઓટોમેટેડ ક્લીયરિંગ હાઉસ રોજ ચાલુ રહેશે
બેન્ક હોલિડે હોય અને હપ્તો ભરવામાં મોડું થતાં લેટ ફી ભરવી પડે તો કેવી પીડા થાય… ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ) લોકોની આવી પરેશાની દૂર કરવા જઈ રહી છે. હવે તમારે પગાર માટે શનિવાર-રવિવાર અથવા વિકેન્ડ રજા પસાર થવાની રાહ જોવી નહીં પડે. આરબીઆઈ (રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા)એ નેશનલ ઓટોમેટેડ ક્લિયરીંગ હાઉસ (એનએસીએચ)ના નિયમોમાં બદલાવ કર્યો છે.
એનએસીએચની સુવિધા 1 ઓગષ્ટ, ર0ર1 થી સાતેય દિવસ ઉપલબ્ધ થશે. હાલ આ સુવિધા ત્યારે જ મળે છે જ્યારે બેંકો ખુલ્લી હોય છે. સામાન્ય રીતે સોમવારથી શુક્રવાર વચ્ચે આ સુવિધા મળતી હોય છે પરંતુ જ્યારે મહિનાની પહેલી તારીખ શનિવાર-રવિવારના સંજોગોમાં પગારદાર વર્ગે પગાર ખાતામાં જમા થાય તે માટે વિકેન્ડ પસાર થવાની રાહ જોવી પડતી હોય છે. બેંક હોલી ડે હોય ત્યારે પગાર મોડો થવાની ચિંતા નહીં રહે. આરબીઆઈના ગવર્નર શશિકાંત દાસે શુક્રવારે ક્રેડિટ પોલીસીના રિવ્યૂ દરમિયાન એલાન કર્યું કે ગ્રાહકોની સુવિધા વધારવા તથા ર4ડ્ઢ7 ઉપલબ્ધ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટનો લાભ ઉઠાવવા માટે એનએસીએચ જે હાલ બેંકોના કાર્યરત દિવસોમાં ઉપલબ્ધ છે તેને સપ્તાહના તમામ દિવસ લાગૂ કરવાનો પ્રસ્તાવ છે જે 1 ઓગષ્ટ, ર0ર1થી લાગૂ થશે. આ સુવિધાથી સેલેરી, પેન્શન, ઈએમઆઈ કે અન્ય પેમેન્ટ, ક્રેડિટ ટ્રાન્સફર વિકેન્ડમાં પણ થઈ શકશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
