CIA ALERT

સુરતમાં બાળમંદિર એડમિશન ગાઇડ : રાંદેર રોડના સ્વામીનારાયણ એચવી વિદ્યાલય અને ઉધનાના ગુરુકૃપા વિદ્યાસંકુલમાં પ્રવેશ કાર્યવાહી શરૂ

Share On :

તમારા સંતાનને કયા બાળમંદિરમાં પ્રવેશ અપાવશો? ડિટેઇલ ગાઇડન્સ માટે ક્લીક કરો

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

આ વખતે કોરોના પેન્ડેમિકને કારણે સ્કુલો બંધ છે નહીં તો દિવાળી પહેલા તો અનેક સ્કુલોમાં બાળમંદિર (પ્રીપ્રાઇમરી)માં પ્રવેશની કામગીરી પૂરી થઇ જતી હોય છે. બાળમંદિરોમાં પ્રવેશની કામગીરી સપ્ટેમ્બર માસમાં શરુ થઇ જાય છે અને ફેબ્રુઆરી સુધી ચાલતી હોય છે. જો આપનું સંતાન કે આપના પરિવારમાં કોઇ બાળકની વય 3 વર્ષની આસપાસ છે તો તમારા માટે આ આર્ટિકલ ઉપયોગી નિવડશે.

આટલા વિશાળ નેટવર્કમાંથી શું પસંદ કરશો

બાળમંદિરમાં પ્રવેશની દિશા બાળકના સમગ્ર શાળાકીય જીવનનો રસ્તો નક્કી કરતી હોય છે. આવી સ્થિતિમાં સૌથી પહેલા પ્રવેશાર્થીઓના વાલીઓએ એ નક્કી કરવું જોઇએ કે કયા માધ્યમમાં પ્રવેશ લેવો જોઇએ.

  • ગુજરાતી મિડીયમ ( મોટા ભાગની સ્કુલો ગુજરાત બોર્ડ સંલગ્ન)
  • ઇંગ્લિશ મિડીયમ (80 ટકા સ્કુલો ગુજરાત બોર્ડ સંલગ્ન, 20 ટકા અધરધેન ગુજરાત બોર્ડ)
  • ગ્લોબલ ગુજરાતી મિડીયમ (તમામ સ્કુલો ગુજરાત બોર્ડ સંલગ્ન)
  • હિન્દી મિડીયમ (તમામ સ્કુલો ગુજરાત બોર્ડ સંલગ્ન)
  • મરાઠી મિડીયમ (તમામ સ્કુલો ગુજરાત બોર્ડ સંલગ્ન)
  • ઉર્દૂ મિડીયમ (તમામ સ્કુલો ગુજરાત બોર્ડ સંલગ્ન)

કયા બોર્ડને પસંદ કરશો

સુરત શહેર જિલ્લાની વાત કરીએ તો

  • ગુજરાત બોર્ડ – 850 પ્લસ સરકારી-પ્રાઇવેટ પ્રાઇમરી સ્કુલો
  • સેન્ટ્રલ બોર્ડ – CBSE 46 સ્કુલ, તમામ પ્રાઇવેટ સ્કુલ ઉપરાંત 5 કેન્દ્રીય વિદ્યાલય સરકારી સ્કુલો
  • આઇ.સી.એસ.ઇ. – ICSE 02 સ્કુલ
  • આઇ.બી. બોર્ડ – IB 01 સ્કુલ
  • કેમ્બ્રિજ બોર્ડ – 01 સ્કુલ
  • એન.આઇ.ઓ.એસ. NIOS (નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કુલિંગ) કોઇપણ સ્કુલે ગયા વગર ઘરે બેસીને અભ્યાસ. ધો.12 સુધી કોઇપણ પ્રવાહમાં ભણી શકાય. ધો.12 પછી મેડીકલ, એન્જિનિયરિંગ, ફાર્મસી, બીબીએ, સમેત કોઇપણ કોલેજના પહેલા વર્ષમાં પ્રવેશ મળી શકે. (તમામ પ્રવેશ પરીક્ષાઓમાં મેરીટના આધારે)

રેગ્યુલર સ્કુલ કે રેસિડેન્સિયલ

પ્રવેશાર્થીના માબાપ તથા પરિવારજનોએ એ બાબતને પણ નિયત કરવાની રહેશે કે તમારા સંતાનને રેગ્યુલર સ્કુલમાં પ્રવેશ અપાવવો છે કે રેસિડેન્સિયલ (નિવાસી) શાળામાં. છેલ્લા ત્રણેક વર્ષથી સમગ્ર ભારતમાં રેસિડેન્સિયલ કન્સેપ્ટ ધરાવતી સ્કુલો તરફ વાલીઓનો ઝોક વધ્યો છે. આવી સ્કુલોમાં ધો.5થી હોસ્ટેલ એકોમોડેશન પૂરું પાડવામાં આવે છે. સુરતમાં આવી પણ અનેક શાળાઓ આવેલી છે.

તમારા ક્રાઇટેરીયા નક્કી કરો

બાળમંદિર પ્રવેશાર્થીઓના વાલીઓએ પોતાના ક્રાઇટેરીયા અનુસાર સંસ્થાની પસંદગી કરવાની રહેતી હોય છે. દેખાદેખી કે સાંભળેલી વાતોને આધાર બનાવ્યા વગર તમારા પોતાના ક્રાઇટેરીયા અને સ્વયં તપાસ (રિયાલિટી ચેક)ના આધારે તમારા બાળકનું સ્કુલિંગ ડેસ્ટિનેશન નક્કી કરવું જોઇએ.

  • સૌથી પહેલો ક્રાઇટેરીયા એરીયા. તમારા રેસિડેન્સ વિસ્તારની સ્કુલમાં લેવું છે કે અન્ય વિસ્તારમાં, કેમકે બાળકે 15 વર્ષ, 5000થી વધુ દિવસો સુધી ત્યાં અપડાઉન કરવાનું હોય છે. એટલે સૌથી પહેલા નક્કી કરો કે કયા એરિયાની સ્કુલમાં અભ્યાસ કરાવવો બહેતર રહેશે.
  • બીજો ક્રાઇટેરીયા ફી. ફી માટે કહેવાય છે કે ખાંડ નાંખો એટલું ગળ્યું થાય. એમ જેટલી ફી વધુ તેટલું સારું એજ્યુકેશન મળી રહે. આ સૂત્ર બધે ઠેકાણે કામ નથી કરતું પણ 99 ટકા સ્કુલો પર લાગૂ પડે છે. ઉંચી ફી ધરાવતી સ્કુલોનું એજ્યુકેશન બાળકનો ઓવરઓલ વિકાસ કરે છે. મોંઘવારીના જમાનામાં સારા શિક્ષકોનો પગાર સંસ્થાઓને પરવડતો નથી હોતો.
  • ઇન્ફ્રાસ્ટ્રક્ચર. માળખાગત સુવિધાઓ. આજે એજ્યુકેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાળકના સર્વાંગી વિકાસ માટે અત્યંત જરૂરી થઇ ગયું છે. લાઇબ્રેરી, લેબોરેટરીઓ અપડુડેટ હોવા સાથે પ્લેગ્રાઉન્ડ, ડિજિટલ લેબ્સ, ઓડીટોરીયમ, રોબોટિક્સ, મ્યુઝિક સ્ટુડીયો વગેરે પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી સ્કુલોમાં અભ્યાસ કરતા બાળકોનો ગ્રોથ વધુ જોવાય છે.
  • એજ્યુકેશન. ત્રીજો ક્રાઇટેરીયા એજ્યુકેશન. સુરતના શાળાકીય શિક્ષણમાં જબરદસ્ત કોમ્પિટીશન જોવા મળે છે, તેનો ફાયદો વાલીઓ અને વિદ્યાર્થીઓ બન્નેને મળે છે. ક્વોલિટી એજ્યુકેશન આપતી સંસ્થાઓના વિદ્યાર્થીઓનું જાહેર પરીક્ષાઓમાં પરફોર્મન્સ જ માપદંડ છે. એટલે વાલીઓ અને વિદ્યાર્થીઓ સ્વયં જાણી શકે છે કે એજ્યુકેશન વાઇઝ પરફોર્મન્સ જે તે શાળાઓનું કેવું રહે છે.

સુરતના અડાજણ વિસ્તારમાં સ્વામીનારાયણ એચ.વી. વિદ્યાલયમાં પ્રવેશ કાર્યવાહી શરૂ

રાંદેર રોડ, અડાજણ વિસ્તારમાં સેન્ટ્રલ બોર્ડ એફિલિયેટેડ સ્વામીનારાયણ એચ.વી. વિદ્યાલય તેમજ સ્વામીનારાયણ એચ.વી. એકેડેમીમાં પ્રીપ્રાઇમરી સેકશનમાં પ્રવેશ કાર્યવાહી શરૂ થઇ ચૂકી છે. ઉપરોક્ત પોસ્ટરમાં તમામ વિગતો સમાવિષ્ટ કરવામાં આવી છે. રસ ધરાવતા વાલીઓએ સત્વરે ન્યુ રાંદેર રોડ, સ્વામીનારાયણ એચ.વી. વિદ્યાસંકુલ પર સંપર્ક કરવો.

ઉધના સ્થિત શ્રી ગુરુકૃપા વિદ્યાસંકુલમાં પ્રવેશ કાર્વાહી શરૂ

25/10 થી શરૂ થઇ કન્ટ્રીસાઇડ ઇન્ટરનેશનલ સ્કુલની પ્રવેશ કામગીરી

ઉમરાની ઉન્નતી ઇંગ્લિશ એકેડેમીના એડમિશન તા.26/10/2020 થી

ભૂલકાવિહાર સ્કુલમાં પ્રવેશ કાર્યવાહી 26મી નવેમ્બરથી શરૂ થશે

ભૂલકા ભવનમાં 26 નવેમ્બરથી બાળમંદિરમાં પ્રવેશની કામગીરી

આપની સ્કુલમાં બાળમંદિરમાં પ્રવેશ કાર્યવાહીની વિગતો અહીં સમાવવા અમને વ્હોટ્સએપ કરો 98253 44944

બાળમંદિરમાં પ્રવેશ અંગે પેરેન્ટ કાઉન્સેલિંગ, આપની એપોઇન્ટમેન્ટ અહીં બુક કરાવો 98253 44944

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :

Print Friendly, PDF & Email

Share On :