આજે અને કાલે (2610) બન્ને દિવસ દશેરા અને દશેરા એટલે વણજોયું મૂહૂર્ત
હિન્દુ કેલેન્ડર પ્રમાણે આસો મહિનાની દસમી તિથિ અને વિજય મુહૂર્તના સંયોગ પર વિજયાદશમીનું પર્વ મનાવવામાં આવે છે. આ વખતે હિન્દુ પંચાગ પ્રમાણે બે દશેરાનો યોગ છે. આ સંયોગની તારીખ વિશે મતમતાંતર પ્રવર્તે છે. જ્યોતિષીઓના મત અનુસાર 25 ઑક્ટોબરના રોજ દસમી તિથિ દરમિયાન દિવસે વિજય મુહૂર્તમાં શ્રી રામ, વનસ્પતિ અને શસ્ત્ર પૂજા કરવી જોઈએ. એ પછી મૂર્તિ વિસર્જન અને સાંજે રાવણ દહનની પરંપરા છે. વિજયાદશમીને જ્યોતિષશાસ્ત્રમાં વણજોયું મુહૂર્ત ગણવામાં આવ્યું છે. યાને કે આ દિવસે પ્રોપર્ટી, વાહનો કે અન્ય કોઈપણ પ્રકારની ખરીદી કરી શકાય છે.
હિન્દું પંચાંગ પ્રમાણે 25 ઑક્ટોબર, રવિવારના દિવસના શુભ મુહૂર્ત
- બપોરે 1.30થી 2.50 સુધી (વિસર્જન અને ખરીદી મુહૂર્ત)
- બપોરે 2.00થી 2.40 સુધી (ખરીદી, અપરાજિતા, શમી અને શસ્ત્ર પૂજા મુહૂર્ત)
- બપોરે 3.45થી સાંજે 4.15 સુધી (વિસર્જન અને ખરીદી મુહૂર્ત)
ગરબા / મૂર્તિ વિસર્જનનાં મુહૂર્ત (26 ઑક્ટોબર, સોમવાર)
- સવારે 6.30થી 8.35 સુધી
- સવારે 10.35થી 11.30 સુધી
આ વખતે આજના દિવસે પૂજા, ખરીદી અને વિસર્જન માટે ત્રણ મુહૂર્ત છે. તેના પછીના દિવસે સૂર્યોદયના સમયે દસમી તિથિ હોવાને કારણે 26 ઑક્ટોબરના રોજ પણ મૂર્તિ વિસર્જન કરી શકાશે. આ દિવસે સવારે લગભગ 11-30 સુધી દસમી તિથિ હોવાને લીધે મૂર્તિ વિસર્જન માટે 2 મુહૂર્ત છે. આ વખતે દશેરા દેશના અમુક ભાગમાં 25મીએ તો અમુક જગ્યાઓએ 26 ઑક્ટોબરે મનાવવામાં આવી રહ્યા છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


