CIA ALERT
January 20, 20201min4800

સૂરતમાં 1લી ફેબ્રુઆરીએ 100 મુમુક્ષુઓ દીક્ષા ગ્રહણ કરશે

Share On :

આગામી તા.1લી ફેબ્રુઆરી 2020ના રોજ સૂરતના 100 જૈન મુમુક્ષુઓ દીક્ષા ગ્રહણ કરીને સંસારનો ત્યાગ કરશે. સૂરત શહેરમાં 3 અલગ અલગ કાર્યક્રમ અંતર્ગત આ દીક્ષા સમારોહ યોજવા જઈ રહ્યો છે. જે પૈકી સૌથી મોટો સમારોહ સુરતના વેસુ ખાતે યોજાશે.

અંદાજીત 75 જેટલા દીક્ષાર્થીઓ વેસુ ખાતે યોજાનાર ભવ્ય દીક્ષા સમારોહમાં જૈન સાધુ અને સાધ્વી તરીકે દીક્ષા લેશે. જૈન મુની વિજય શ્રેયાંશપ્રભસુરીશ્વરજી મહારાજની નિશ્રામાં દીક્ષા લેશે. જે માટે 71 મુમુક્ષુના દીક્ષા મુહૂર્ત પણ નક્કી કરી દેવાયા છે. અન્ય બે દીક્ષા ગ્રહણ કાર્યક્રમો તા.1લી ફેબ્રુઆરી 2020ના રોજ સૂરતના અડાજણ અને પાલમાં યોજાશે.

આ દીક્ષા સમારોહમાં ભાગ લેવા માટે દેશભરમાંથી દીક્ષાર્થીઓ આવશે. જેમાં કર્ણાટક, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતના જુદા જુદા શહેરોનો સમાવેળ થાય છે.

દીક્ષા ઉત્સવ સમિતિના નરેશ શાહે જણાવ્યું હતું કે મુમુક્ષુઓને દીક્ષા વિજય શ્રેયાંશ પ્રભસુરીશ્વરજી મહારાજ, તપોરત્નસુરિશ્વરજી મહારાજ અને કલ્યાણરત્નસુરીશ્વરજી મહારાજ દ્વારા આપવામાં આવશે.

દીક્ષા સમારોહના એક દિવસ પહેલા મુમુક્ષુઓની વર્ષદાન યાત્રા વરઘોડો કાઢવામાં આવશે.

આજ દિવસે સુરતના પાલમાં 20 દીક્ષાર્થીઓ સમસ્ત શ્રી વાવપંથક શ્વેતાંબર મૂર્તી પૂજક જૈન સંઘ દ્વારા આયોજીત કાર્યક્રમમાં ઓમકાર નગરી ખાતે દીક્ષા ગ્રહણ કરશે. જ્યારે અન્ય 5 દીક્ષાર્થી ગુરુરક પાવન ભુમી ખાતે આયોજીત એક સમારોહમાં દીક્ષા ગ્રહણ કરશે.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :

Print Friendly, PDF & Email

Share On :