પોર્ટુગલના જંગલમાં ભીષણ દાવાનળ, જંગલ મોટાપાયે ભસ્મીભૂત
પોર્ટુગલના જંગલમાં લાગેલી આગને ઓલવવા માટે ૧૦૦૦થી વધુ બંબાવાળા સતત ત્રણ દિવસથી ભગીરથ પ્રયાસ કરી રહ્યાં છે.
આગને લીધે ૩૧ વ્યક્તિ ઘાયલ થઇ હતી.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે સોમવારે સવારથી ૩૨૧ વાહનો અને પાંચ પાણી ફેંકતા વિમાનો આગ ઓલવવાના કામે લગાડવામાં આવ્યા છે. લિસ્બનથી ૨૦૦ કિ. મી. દૂર આવેલા કાસ્ટેલો બ્રાન્કો જિલ્લા તરફના જંગલમાં આગ લાગી છે.
સપ્તાહોથી ઓછા વરસાદને લીધે જંગલના લાકડા અને ઘાસ સૂકાયેલા છે. આગ ઓલવનાર ટીમને રાતના ઠંડું હવામાનનો લાભ મળ્યો હતો. જોકે, બપોરના સમયે વાતાવરણ ગરમ અને હવાની ઝડપ વધવાની આગાહી કરવામાં આવી હતી.
પોર્ટુગલમાં ઉનાળામાં જંગલમાં અવારનવાર આગ લાગતી હોય છે. જંગલના નબળા મેનેજમેન્ટ અને હવામાનમાં ફેરફારને લીધે જંગલમાં અવારનવાર આગ લાગતી હોય છે. આ અગાઉ ૨૦૧૭માં જંગલમાં લાગેલી આગમાં ૧૦૬ વ્યક્તિએ જીવ ગુમાવ્યા હતા.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now