સરદાર સાહેબ ના હોત તો જૂનાગઢ ક્યાં હોત? જૂનાગઢમાં વડા પ્રધાને સંબોધી ચૂંટણી સભા
સરદાર સાહેબ ના હોત તો જૂનાગઢ ક્યાં હોત? સરદાર ન હોત તો સોમનાથની દશા શું હોત? એવું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આરઝી હકૂમતને ટાંકીને જૂનાગઢમાં ચૂંટણી સભાને સંબોધતા કહ્યું હતું. વડા પ્રધાને કૉંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, પાંચ વર્ષ માટે આદેશ લેવા આવ્યો છું. ચોકીદાર ચૌક્કના હૈ, પૈસા લૂંટવા કૉંગ્રેસ સત્તામાં આવે છે, ગરીબ બાળકોનો કોળિયો છીનવી લૂંટે છે. મોદી આતંકવાદને હટાવવાની વાત કરે છે કૉંગ્રેસ મોદીને હટાવવાની, કોઇ ગાળ મને દેવામાં બાકી નથી રાખી. જવાનોએ પરાક્રમ કર્યું પાકિસ્તાનમાં અને ભારતમાં કૉંગ્રેસને પેટમાં દુખે છે. જવાનો જીવતા પાછા આવ્યાં એટલે કંઇ ન થયું, કોઇને કંઇ થયું હોત તો મોદીના વાળ ખેંચી લેત. પ્રથમવાર વોટ કરનાર યુવાનોને કહ્યું તમારો વોટ શહીદ જવાનોને સમર્પિત કરીને આપજો. જૂનાગઢની સભામાં હાજરી આપવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ ઍરપોર્ટ પર આવી પહોંચ્યા હતા અને ભાજપના નેતાઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી જૂનાગઢ પહોંચ્યા હતાં. મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં બે પીએમ હોવા જોઇએ? કૉંગ્રેસ આવી માગણી કરે છે. જમ્મુ-કાશ્મીરમાં અલગ પીએમને કૉંગ્રેસ સમર્થન આપે છે. કૉંગ્રેસના ગોટાળામાં એક નવું નામ જોડાયું છે. સુબ્રતો સાથે નવો ગોટાળો કૉંગ્રેસનાં ખાતામાં આવ્યો છે. કૉંગ્રેસ ગરીબનાં મોઢામાંથી મળવાપાત્ર આહાર છીનવી એના નેતાના પેટ ભરે છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
