સોરઠમાં તોફાની પવનને કારણે કેરીના પાકને નુકસાની
જૂનાગઢ, તા.26: સોરઠમાં કાળઝાળ ગરમી વચ્ચે ગત રાતથી એકા એક ઝંઝાવાતી પવન ફૂંકાતા, ધૂળની ડમરીઓ ચડી હતી. ભારે પવનના કારણે કેરીના પાકને નુકસાન પહોંચ્યાની બાગાયત કારોમાંથી ફરિયાદ ઉઠવા પામી છે સાથે ગરમીમાં આંશીક રાહત અનુભવાય છે.
જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસ આકરા તાપને કારણે તાપમાન 40 ડિગ્રીએ પહોંચ્યું હતું. ત્યાં ગત રાતથી એકાએક વાતાવરણમાં પલટો આવતા ઝંઝાવાતી પવન ફૂકાવાનું શરૂ થયું હતું. રાતભર ભારે પવનને કારણે આંબાના ઝાડ ઉપર લટકતી કાચી કેરીઓ ખરી પડી હતી.
હવામાન સૂત્રોના જણાવ્યા પ્રમાણે આજે મહતમ તાપમાન 39.9 ડિગ્રી ન્યુનતમ 27.5 ડિગ્રી, અને પવનની ઝડપ 8.8 કિ.મી. નોંધાય છે પણ ગત રાત્રે પવનની ઝડપ 15 થી 20 કિ.મી. હોવાનું બાગાયતકારો જણાવી રહ્યા છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
