નાથદ્વારામાં 369 ફીટની વિશ્વની સૌથી ઉંચી ભગવાન શિવની મૂર્તિનું લોકાર્પણ
નવી દિલ્હી : રાજસ્થાનનાં નામે આજે નવો વિક્રમ નોંધાઈ રહ્યો છે. રાજ્યના રાજસમંદ જિલ્લામાં આજે વિશ્વની સૌથી ઊંચી ભગવાન શિવની મૂર્તિનું લોકાર્પણ યોજાવાનું છે. રાજસમંદના નાથદ્વારામાં બનેલી આ શિવ પ્રતીમાની ઉંચાઈ ૩૬૯ ફીટ છે. તે વિશ્વની સૌથી ઊંચી પ્રતીમા બની રહેશે. તેનું નામ ‘વિશ્વાસ સ્વરૂપમ’ રાખવામાં આવ્યું છે.
આ પ્રતીમાનો લોકાર્પણ કાર્યક્રમ ૨૯ ઓક્ટો.થી ૬ નવે. સુધી ચાલશે. આ પ્રતીમાનાં નિર્માણમાં ૧૦ વર્ષનો સમય લાગ્યો છે. આ પ્રતિમા ‘સંત-કૃપા-સનાતન-સંસ્થાના’ દ્વારા તૈયાર કરાવાઈ છે.
આ સંસ્થાના ટ્રસ્ટી મદન પાલીવાલે આ મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ અંગે સવિસ્તાર માહિતી આપતા કહ્યું હતું કે, આ લોકાર્પણ યજ્ઞામાં નવ દિવસ સુધી ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવશે અને તે દરમિયાન મોરારી બાપુની ‘રામકથા’નું નવાન્હા-પારાયણ પણ યોજવામાં આવનાર છે.
આ પ્રતીમા શ્રધ્ધાળુઓ અને પર્યટકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે, તેમ કહેતાં સંસ્થાના ટ્રસ્ટીઓ જણાવે છે કે નાથદ્વારાની ‘ગણેશ ટેકરી’ ઉપર આ રચાયેલી ૩૬૯ ફીટની આ પ્રતીમા ૫૧ વીઘા જમીનમાં સ્થાપિત કરાઈ છે. ધ્યાન-મુદ્રામાં બિરાજમાન ભગવાન શિવની આ પ્રતિમા ૨૦ કી.મી. દૂરથી દેખાશે. રાત્રીના સમયે પણ આ પ્રતીમા જોઈ શકાય તે માટે ખાસ લાઇટો ગોઠવવામાં આવી છે.
આ પ્રતીમા વિશ્વની એક માત્ર મૂર્તિ બની રહેશે કે જેમાં લીફ્ટ અને સીડીઓ તથા શ્રધ્ધાળુઓ માટેનો હોલ પણ હશે. પ્રતીમાના સૌથી ઊંચા ભાગ સુધી પહોંચવા ૪ લિફ્ટ અને ૩ સીડીઓ બનાવાઈ છે. પ્રતીમા નિર્માણમાં ૧૦ વર્ષનો સમય લાગ્યો છે. તે માટે ૩૦૦૦ ટન સ્ટીલ અને લોખંડ તથા અઢી લાખ ક્યુબિકરન સીમેન્ટ, ક્રોંકીટનો ઉપયોગ કરાયો છે.
આ મૂર્તિ ૨૫૦ વર્ષની સ્થિરતાને લક્ષ્યમાં રાખી બનાવવામાં આવી છે. તે કલાકે ૨૫૦ કીલોમીટરની ઝડપે ફૂંકાતા પવનના સૂસવાટા સામે પણ ટક્કર લઈ શકે તેવી છે. આ પ્રતિમાની ડીઝાઈનનો વીન્ડ-ટનલ-ટેસ્ટ (ઉંચાઈ પર ફૂંકાતી હવાનું પરીક્ષણ) ઓસ્ટ્રેલિયામાં કરવામાં આવ્યું છે. વરસાદ અને તડકાથી તેનું રક્ષણ કરવા માટે તેની ઉપર ઝિંકનું કોટિંગ અને તે પછી કોપરનો કલર કરવામાં આવ્યો છે.
અહીં શ્રધ્ધાળુઓ અને વિદેશી પર્યટકોનાં પણ મનોરંજન માટે ‘બંજી-જમ્પીંગ’ બનાવાઈ છે. ઋષિકેશ પછી આ સૌથી મોટી ‘બંજી-જંપીંગ’ બની રહેશે. તે સાથે ફૂટ-કોર્ટ, ગેઈન ઝોન, ઝીપ-લાઇન, ગો-કાર્ટિંગ, એડવેન્ચર-પાર્ક તથા જંગલ-કાફેનું પણ નિર્માણ કરાયું છે.
આ ઉપરાંત લાઇટ અને સાઉન્ડનો ‘૩-ડી’ ઉપયોગ કરી શિવ-સ્તુતિનું પ્રસારણ થશે. જે પર્યટકો માટે મુખ્ય આકર્ષણ કેન્દ્ર બની રહેશે. આ પ્રતીમાની સુરક્ષા માટે પૂરૂં ધ્યાન રખાયું છે. ફાયર સેફ્ટી સાધનો તૈનાત રહેશે. તેમને માટે પાણીનું તળાવ પણ બનાવાયું છે. આ ઉપરાંત ‘ગોલ્ફ-લિંકસ’ પણ બનાવાઈ છે. આ સર્વેની સુરક્ષા માટે ખૂબ મોટી સંખ્યામાં સુરક્ષા કર્મીઓ રાત-દિવસ તૈનાત રહેશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now