શિરડીના એરપોર્ટ પર પ્લેન રનવે પરથી ૫૦ મીટર બહાર નીકળી ગયું
મુંબઈ-શિરડી એરલાઈન્સ ઍર ફ્લાઈટ શિરડીના રનવે પર લૅન્ડિંગ કરતી વખતે ૫૦ મીટર સુધી બહાર નીકળી ગઈ હતી. આ ફ્લાઈટમાં ૭૦ પ્રવાસીઓ હતા અને આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે માલહાનિ થઈ નહોતી. સોમવારે સાંજે ૫.૨૯ કલાકે મુંબઈથી આવેલી એરલાઈન્સ ઈન્ડિયાની ફ્લાઈટ શિરડી રનવે પર લૅન્ડિંગ વખતે ઓવરશૂટ થઈને ૫૦ મીટર આગળ નીકળી ગઈ હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. એવિયેશન રેગ્યુલેટર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેેશન (ડીજીસીએ) આ અંગે અલગથી તપાસ કરશે, એવું અધિકારીએ જણાવ્યું હતું. મે, ૨૦૧૦માં ઍર ઈન્ડિયા ઍક્સ્પ્રેસના પાઇલટે દુબઈથી આવેલી ફ્લાઈટને મેંગ્લોર ખાતે લૅન્ડ કરતી વખતે ઓવરશૂટ કરી હતી, જેમાં ૧૫૨ પ્રવાસીના મૃત્યુ થયા હતા.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now