મુકેશ અંબાણીએ સતત 10મા વર્ષે રિલાયન્સના ચેરમેન તરીકે રૂ. 15 કરોડનો જ પગાર પેટે લીધા– મળવાપાત્ર રૂ. 24 કરોડ જતા કર્યા
દેશના સૌથી લોકપ્રિય બનેલા ઉદ્યોગપતિ સ્વ.ધીરુભાઇ અંબાણીના મોટા દિકરા અને હાલમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ વાર્ષિક પગાર પેટે નિશ્ચિત કરેલી ૧૫ કરોડ રૂપિયાની રકમ જ લીધી હતી. અંબાણીએ વેતન, અન્ય લાભ, ભથ્થા, કમિશન મળીને ૧૫ કરોડ રૂપિયાનો વાર્ષિક પગાર લીધો હતો. તેઓ ૨૦૦૮-૦૯થી દર વર્ષે આટલો જ પગાર લે છે અને એ રીતે દર વર્ષે ૨૪ કરોડ રૂપિયા ઓછા લે છે. અને આવું તેઓ છેલ્લા 10 વર્ષથી કરી રહ્યા છે. છેલ્લા 10 વર્ષમાં તેમણે પગાર સાથે મળવાપાત્ર રૂ.240 કરોડની રકમ જતી કરી હોવાનું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ઓફિશ્યલ રિપોર્ટમાં જણાવાયું હતું.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના તાજેતરના વાર્ષિક અહેવાલમાં કહેવાયું છે કે ‘ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ ધીરુભાઈ અંબાણીને તેમની ઈચ્છા મુજબ જ નિશ્ચિત કરેલી ૧૫ કરોડ રૂપિયાની રકમ મોકલી દેવામાં આવી છે. તેમણે આ રીતે ટોચના પદ પર ઓછા વેતન માટે વ્યક્તિગત રીતે ઉદાહરણ પૂરું પાડવાનું ચાલું રાખ્યું છે.’
એક તરફ ૨૦૧૭-૧૮ના વર્ષમાં કંપનીના ડિરેક્ટરો સર્વશ્રી નિખીલ મેસવાણી અને શ્રી મેસવાણીના વેતનમાં પણ નોંધપાત્ર વધારો કરાયો છે ત્યારે મુકેશ અંબાણીએ તેમના પગાર પેટે મળતી ખાસ્સી રકમ લેવાનું ટાળ્યું છે.
૨૦૧૭-૧૮ માટે તેમના વેતનમાં ૪.૪૯ કરોડ રૂપિયા પગાર અને ભથ્થાંનો સમાવેશ છે, જે ૨૦૧૬-૧૭માં મળેલા ૪.૧૬ કરોડ રૂપિયા કરતાં થોડો વધારે છે. કમિશન ગયા વર્ષ જેટલું જ ૯.૫૩ કરોડ રૂપિયા મળ્યું છે, જ્યારે અન્ય લાભ ૬૦ લાખ રૂપિયાથી ઘટાડીને ૨૭ લાખ રૂપિયા કરવામાં આવ્યા છે. નિવૃત્તિના લાભ પેટે ૭૧ લાખ રૂપિયાનો સમાવેશ છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now