ઇજિપ્ત મોકલાઇ રહેલા ડુપ્લીકેટ જીરુંનો રૂ.80 લાખનો જથ્થો જપ્ત
ડુપ્લીકેટ જીરું જેને માનવામાં આવી રહ્યું છે એ સિમેન્ટ અને ઘાંસમાંથી બનાવાયું હતું ઃ ભેળસેળનો અંતિમ નિર્ણય વડોદરા લેબોરેટરીના રિપોર્ટના આધારે લેવાશે
વિશ્ર્વમાં જીરાંના હબ ગણાતા ગુજરાતના ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ગામમાંથી ખોરાક અને ઔષધ વિભાગે દરોડો પાડી સિમેન્ટ અને ઘાસ મેળવીને બનાવેલું નકલી જીરું પકડી પાડ્યું છે. બ્રાહ્મણ વાડામાં બનતું નકલી જીરું પાલડિયા કોર્પોરેશન દ્વારા ઇજિપ્ત મોકલવાનું હતું. જેની બજાર કિંમત ૮૦ લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે. આ જીરુંમાં ભરત જગદીશ પટેલ નામના વેપારીએ તેમાં ભેળસેળ કરી હોવાની બાતમી મળતા તેના પર દરોડો પાડવામાં આવ્યો હતો. મહેસાણા ડેજીગેટેડ અધિકારી કે. આર. પટેલ, મહેસાણા ફૂડ સેફ્ટી ઓફિસર એસ. કે. પ્રજાપતિ તથા પાટણના એસ. બી. પટેલે સંયુક્ત દરોડો પાડ્યો છે. કમિશનર કચેરીના દીપિકા ચૌહાણે માર્ગદર્શન આપી સફળતાપૂર્વક દરોડો પાડી મોટો જથ્થો જપ્ત કર્યો છે.
આ જીરાના જ્થ્થાને ક્ધટેનરમાં ભરીને એક્સપોર્ટ એટલે કે ઇજિપ્ત રવાના કરવાની તૈયારી ચાલી રહી હતી, બરાબસ એ જ સમયે ખોરાક અને ઔષધ વિભાગે દરોડા પાડી જીરાના જથ્થાને જપ્ત કર્યું છે.
ઘાંસ અને સિમેન્ટનો ઉપયોગ કરાયો
ડુપ્લીકેટ મનાતા જીરાનો જથ્થો ઘાંસ અને સિમેન્ટમાં મિશ્રણ કરીને તૈયાર કરાયું હોવાની શંકાના આધારે નમૂના લઈને વડોદરાની લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. પાટણની ક્રાઈમ બ્રાંચની મદદથી પકડી પાડવામાં આવેલું ૨૫ કિલોની ૨૮૦ બેગ ભરેલી છે. જે લગભગ ૫૨,૦૦૦ કિલો થવા જાય છે. જપ્ત કરાયેલા જીરાના જથ્થાની કિંમત અંદાજે રૂ. ૮૦ લાખ છે.
ભેળસેળની રાષાયણિક તપાસ
ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ગામમાંથી ઝડપાયેલા ડુપ્લીકેટ મનાતા જીરુંના જથ્થામાં ખરેખર ભેળસેળવાળું છે કે કેમ, તે તપાસ કરવા માટે વડાદરા લેબોરેટરીને સેમ્પલ્સ મોકલવાની કાર્યવાહી કરવામાં આવી છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now