વાયુ વાવાઝોડું ને પગલે ગુજરાતના 500 ગામો ખાલી કરાવાયા, બે લાખ લોકોનું સ્થળાંતર
ગુજરાતના મહેસુલી વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી પંકજ કુમારે પત્રકારોને જણાવ્યું હતું કે ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારના દરિયા કાંઠે આવેલા 500થી વધુ ગામોને ખાલી કરાવાયાં છે અને સવા બે લાખ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
પંકજ કુમારે એવી પણ માહિતી આપી છે કે મધરાતથી જ પ્રભાવિત વિસ્તારોમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવશે.
વાવાઝોડું ગુજરાત તરફ વધારે નજીક આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વાયુ વાવાઝોડું વેરાવળથી 280 કિલોમિટર દૂર છે.
તા.12મી જુનની બપોરે સાડા ચાર વાગ્યાના અરસામાં વાયું વાવાઝોડું ગુજરાતના પોરબંદરના દરિયાકિનારાથી અંદાજે 360 કિલોમિટર દૂર છે. વાવાઝોડું દ્વારકા અને વેરાવળ વચ્ચેના દરિયાકિનારે ગુરુવારે બપોર બાદ ત્રાટકશે. વાવાઝોડાની તીવ્રતા વધી છે અને તે હવે અતિ તીવ્ર સાયક્લોનમાં ફેરવાઈ ગયું છે.
વાયુ વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે ત્રાટકશે ત્યારે પવનની ગતિ પ્રતિ કલાકના 155થી 165 કિલોમિટરની હશે.
ગુજરાતમાં મોડી સાંજથી જ વાયું વાવાઝોડાની અસર થવા માંડી છે. ગુજરાતમાં વાવાઝોડાં પહેલાં દરિયાકિનારે પવનની ગતિ વધવા લાગી છે. કોડીનાર, સોમનાથ, દીવ, પોરબંદર વગેરે જગ્યાએ છુટોછવાયો વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે. સોમનાથ અને દ્વારકામાં દરિયો વધારે તોફાની બની રહ્યો છે, અહીં ઊંચા ઊછળતાં દરિયાનાં મોજાં જોઈ શકાતા હોવાના રિપોર્ટસ મળ્યા હતા. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે વાવાઝોડામાં પવનની ગતિ કલાકના 155 કિલોમિટર સુધીની હોઈ શકે છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now