વિશ્વમાં 155,965 દર્દીઓ રિકવર થઇ ચૂક્યા છે, 95 ટકા દર્દીઓને માઇલ્ડ ઇન્ફેકશન હોય છે
કોરોનાથી ભારતમાં 100 દર્દીઓ સંપૂર્ણ સાજા થઇ ગયા
વિશ્વમાં કોરોના વાઇરસથી લગભગ 1થી 2 ટકા દર્દીઓના જ મૃત્યુ થાય છે એમ તબીબો દ્વારા વારેઘડીયે લોકોને કહેવામાં આવી રહ્યું છે.
દરમિયાન આપણે સૌ ભારતીયો માટે રાહતના સમાચાર એ છે કે કોરોના પોઝીટીવ દર્દીમાંથી સંપૂર્ણ પણે સાજા થઇને ઘરે પરત ફરેલા લોકોની સંખ્યા કુલ 100 થઇ ચૂકી છે. ભારતમાં રિકવર થયેલા કોરોના પેશન્ટનો આંકડો ત્રિપલ ડિજીટમાં પહોંચે એ એક મોરલ વિક્ટરી પણ છે.
- અત્યાર સુધીમાં રિકવર થયેલા પેશન્ટ્સની સંખ્યા
- વિશ્વમાં કુલ 155,965
- ભારતમાં કુલ 1000
- ગુજરાતમાં કુલ 02
કોરોના ઇન્ફેકશન અંગે જાણો વધુ
વિશ્વમાં હાલમાં કુલ 1,90,746 દર્દીઓ કે જેઓ કોરોનાગ્રસ્ત હતા તેમની બિમારીનું ફાઇનલ પરીણામ આવી ચૂક્યું છે. આ પૈકી 82 ટકા એટલે કે 1,55,964 દર્દીઓ રિકવર થઇ ચૂક્યા છે. એવી જ રીતે કુલ 18 ટકા દર્દીઓ એટલે કે 34,781 કમનસીબ લોકોના કોરોનાના કારણે મોત નિપજી ચૂક્યા છે.
હાલના એક્ટીવ કેસ
હાલમાં વિશ્વમાં કુલ 5,44,252 લોકોને કોરોના ઇન્ફેકશન લાગ્યું છે. જેમાંથી 95 ટકા એટલે કે 5,16,051 દર્દીઓને માઇલ્ડ ઇન્ફેકશન છે. એવી જ રીતે 5 ટકા એટલે કે 28,201 પેશન્ટની હાલની કન્ડીશન ક્રિટીકલ બતાવવામાં આવી રહી છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now