TMC Vs BJP : તૃણમૂલ સાથે ઘર્ષણ : 25 ભાજપી ઘાયલ
પશ્ચિમ બંગાળના બૈરકપુરમાં ભાજપ અને સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો વચ્ચે સોમવારે થયેલા હિંસક ઘર્ષણમાં કેસરિયા પક્ષના 25 કાર્યકર ઘાયલ થઈ ગયા હતા. તમામને હોસ્પિટલમાં ખસેડાયા હતા.
ભાજપે નોર્થ 24 પરગણા જિલ્લામાં તેના સાંસદ અર્જુનસિંહ પર રવિવારે થયેલા હુમલાના વિરોધમાં આજે પાળેલા 12 કલાકના બંધ દરમ્યાન આ સંઘર્ષ થયો હતો. અગાઉ, ભગવા પાર્ટીના સાંસદ અર્જુનસિંહના વાહનને શ્યામનગર રેલવે સ્ટેશન પર તોડફોડ કરાઈ હતી.
સાંસદે દાવો કર્યો હતો કે, તૃણમૂલ સમર્થકોએ તેમના પર હુમલો કરવા સાથે તેમની કારને નુકસાન પહોંચાડયું હતું. તેમણે એવું પણ જણાવ્યું હતું કે, સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસ વિવિધ સ્થળોએ ભાજપ કાર્યાલયો પર બળપૂર્વક કબ્જો કરવાની કોશિશ કરે છે.
બીજીતરફ, મુખ્યમંત્રી મમતા બેનર્જીના પક્ષે ભાજપ નેતા તરફથી કરાયેલા તમામ આરોપો ફગાવી દીધા હતા. ઊલટું, બંગાળના ખાદ્યાન્ન પ્રધાન જ્યોતિપ્રિય મલિકે સામો આક્ષેપ કરતાં કહ્યું હતું કે, ભાજપ કાર્યકરોએ બૈરકપુર સ્થિત તૃણમૂલ કોંગ્રેસના કાર્યાલય પર બળજબરીથી કબ્જો કર્યો હતો.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now