સુબ્રમણિયમ સ્વામી સામે F.I.R. : રાહુલ ગાંધી વિરુદ્ધ ખોટું નિવેદન કરવાનો આરોપ
રાહુલ ગાંધી વિરુદ્ધ ખોટું નિવેદન કરવાના આરોપસર ભાજપના રાજ્યસભાના સાંસદ સુબ્રમનિયન સ્વામી વિરુદ્ધ છત્તીસગઢની પોલીસે એફઆઇઆર દાખલ કરી હતી.
જશપુરના કૉંગ્રેસના જિલ્લા પ્રમુખ પવન અગરવાલની ફરિયાદને આધારે પથ્થલગાવ પોલીસ સ્ટેશનમાં શનિવારે રાતે સ્વામી વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવી હોવાની વાત પોલીસે જણાવી હતી. અગરવાલે લેખિતમાં આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે રાહુલ કોકેઇન લે છે એવું ખોટું નિવેદન સ્વામીએ કર્યું હતું. તેઓ જાણે છે કે આવા ખોટા નિવેદનથી રાજકીય પક્ષો વચ્ચે દુશ્મની વધશે અને લોકો ભડકશે. આવા નિવેદનથી સમાજમાં શાંતિ ભંગ થાય છે. સ્વામી સામે જાણી જોઇને શાંતિ ભંગ કરવા અપમાન કરવું જેવી કાયદાની ત્રણેક કલમ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
કૉંગ્રેસની વિવિધ શાખાઓ શનિવારની રાતથી સ્વામી વિરુદ્ધ બધા જ જિલ્લા અને પ્રાન્તમાં ફરિયાદ દાખલ કરાવી રહી છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now