CIA ALERT
26. April 2024
October 10, 20191min13420

Related Articles



SBI : છઠ્ઠીવાર વ્યાજ ઘટાડયું

Share On :
Print Friendly, PDF & Email

જાહેરક્ષેત્રની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (જઇઈં)એ એમસીએલઆર’ આધારિત લોન પર વ્યાજદર ઘટાડવાનું એલાન કર્યું હતું. આ પગલાંથી લોન તો સસ્તી બની હતી પરંતુ ફિકસ્ડ ડિપોઝિટ (એફડી)ના વ્યાજ ઘટાડાતાં એફડી ધરાવનારાઓને ફટકો પડશે. બેન્કની વેબસાઈટ પર ઉપલબ્ધ જાણકારી અનુસાર તમામ સમયઅવધિની લોન પર વ્યાજના દરોમાં 10 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. નવા વ્યાજદર 10મી ઓક્ટોબરથી લાગુ થઈ જશે.

એસબીઆઈના નિવેદન મુજબ હવેથી બચત ખાતામાં 1 લાખ રૂપિયા સુધીની જમા રકમ પર 3.50 ટકાની જગ્યાએ 3.25 ટકા વ્યાજ મળશે. નવા દરો 1 નવેમ્બરથી લાગુ થશે.

ફિકસ ડિપોઝિટને લાગેવળગે છે ત્યાં સુધી 1 વર્ષની મુદ્દતની એફડીમાં વ્યાજદર હવે 6.40 ટકા, બે વર્ષ સુધીની બે કરોડથી વધુની એફડીના દર 6.00 ટકા કર્યા છે. નવા દરો 10 ઓકટોબરથી લાગુ થશે.

એક વર્ષની લોન પર હવે વ્યાજના દર ઘટીને 8.05 ટકા થઈ ગયા છે. પહેલાં આ દર 8.15 ટકા હતા. વર્તમાન નાણાકીય વર્ષમાં બેન્કે સતત છઠ્ઠી વખત વ્યાજદરમાં ઘટાડો કર્યો હતો.
હવે એક દિવસની લોન પર વ્યાજદર 7.80 ટકામાંથી ઘટીને 7.70 ટકા, એક મહિનાના લોન પર વ્યાજના દર ઘટીને 7.70 ટકા, ત્રણ મહિનાની લોન પર આ દર ઘટીને 7.75 ટકા, છ મહિના માટે વ્યાજદર 7.90 ટકા, એક વર્ષ માટે 8.05 ટકા, બે વર્ષ માટે 8.15 ટકા અને ત્રણ વર્ષ માટે વ્યાજદર ઘટીને 8.25 ટકા થઈ ગયાં છે.

જો કે બેન્કે રેપો રેટ આધારિત લોન (આરએલએલઆર) પર વ્યાજના દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. ઉલ્લેખનીય છે કે પહેલી ઓક્ટોબરથી બેન્કે હોમ લોનને રેપો રેટથી જોડી દીધી હતી.
આ પહેલાં બેન્કે 9 સપ્ટેમ્બરના એમસીએલઆર આધારિત વ્યાજદરોમાં ઘટાડો કર્યો હતો.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :