CIA ALERT
26. April 2024
July 16, 20191min3050

Related Articles



રેશનિંગ અનાજ-કેરોસીન બારોબાર વેચી મારતા 232 રેશનિંગ દુકાન પરવાના રદ

Share On :
Print Friendly, PDF & Email

30 જિલ્લામાં કેરોસીન અને અનાજના કાળાબજાર અટકાવવા માટે તા. 31/05/2019ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં આશરે 15171 રેડ કરવામાં આવી અને આ પ્રકારની ગેરકાયદે પ્રવૃતિ કરતા 232 દુકાનદારોના પરવાના મોકૂફ કરવાની સાથે 75 પરવાનાઓ રદ્દ કરવાની દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી છે.

અન્ન નાગરિક પુરવઠાના રાજ્ય પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે તારીખ:31.05.2019ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં નર્મદા જિલ્લામાં 364 અને છોટાઉદેપુરમાં 954 એમ મળીને કુલ 1318 રેડ કરવામાં આવી હતી.આ ગેરકાયદે પ્રવૃત્તિ બદલ કુલ 21 પરવાના મોકૂફ કરી, બે પરવાના રદ્દ કરવાની કામગીરી કરવામાં આવી હતી.

અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં ગેરકાનૂની પ્રવૃત્તિ બદલ 157 દુકાનદારો સામે કાર્યવાહી કરીને 29 પરવાના મોકૂફ કરીને 18 પરવાના રદ કરવામાં આવ્યા છે.

ખેડા-નવસારીમાં અનુક્રમે 1253 અને 430, બનાસકાંઠા-કચ્છમાં અનુક્રમે 1977 અને 373, પાટણ-મહેસાણામાં અનુક્રમે 557 અને 174, વડોદરા-વલસાડમાં અનુક્રમે 792 અને 426, ગાંધીનગર-પોરબંદરમાં અનુક્રમે 493 અને 228, દાહોદ-ભરૂચમાં અનુક્રમે 744 અને 1009, મોરબી-રાજકોટમાં અનુક્રમે 182 અને 227, જૂનાગઢ-ગીર સોમનાથમાં અનુક્રમે 364 અને 347, જામનગર-દેવભૂમિ દ્વારકામાં અનુક્રમે 248 અને 110, અમદાવાદ-ડાંગમાં અનુક્રમે 500 અને 107, આણંદ- મહીસાગરમાં અનુક્રમે 288 અને 413, સુરત-તાપીમાં અનુક્રમે 443 અને 318 અને સાબરકાંઠા-અરવલ્લીમાં અનુક્રમે 756 અને 408 રેડ કરવામાં આવી હતી.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :