3 વૈજ્ઞાનિકને MEDICAL માટે નોબેલ
સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં વર્ષ 2019 માટે નોબેલ પુરસ્કારોની ઘોષણા સોમવારથી શરૂ થઇ ગઇ છે. પ્રથમ નોબેલ સન્માન ચિકિત્સાનાં ક્ષેત્રમાં આપવાની ઘોષણા કરાઇ હતી.
અમેરિકાના વિલિયમ જી. કેલીન જૂનિયર અને બ્રિટનના સરપીટર જે. રેટફિલક તેમજ અમેરિકાના ગ્રેએલ સંમેન્જાને સંયુક્ત રીતે સન્માનિત કરાશે.
આ ત્રણેય વિજેતાને શરીરના કોષોમાં જીવન અને ઓકિસજન ગ્રહણ કરવાની ક્ષમતા અંગે કરેલી મહત્ત્વપૂર્ણ શોધ બદલ નોબેલથી નવાજાશે.
તબીબી ક્ષેત્રના નોબેલ પુરસ્કારો બાદ 14 ઓક્ટોબર સુધી છ અન્ય ભૌતિક રસાયણ, સાહિત્ય, શાંતિ સહિત ક્ષેત્રોમાં વિજેતાઓનું એલાન કરાશે. આ વખતે પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન માટે દુનિયાભરમાં ઓળખ ઊભી કરનારા ગ્રેટા થુન્બર્ગને શાંતિ નોબેલ પુરસ્કારના દાવેદાર મનાય છે.
વધુમાં, આ વરસે સાહિત્યના એક સાથે બે નોબેલ પુરસ્કાર અપાશે. ગત વર્ષે યૌન શોષણના આરોપો થકી પુરસ્કાર નહોતા અપાયા. ગત વર્ષે 70 વર્ષમાં પહેલીવાર સાહિત્ય માટે નોબલ પુરસ્કાર નહોતા અપાયા. યૌન શોષણના આરોપો બાદ અકાદમીના 7 સભ્યોએ રાજીનામું આપી દીધું છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now