I.C.C. ને ચેતવણી : ભારત-વિરોધી બૅનરની ઘટના સેમી-ફાઇનલમાં ન બનવી જોઈએ
શ્રીલંકા સામેની ભારતની વર્લ્ડ કપની લીગ મૅચ દરમિયાન હેડિંગ્લીના સ્ટેડિયમ પરથી ભારત-વિરોધી બૅનર સાથેનું વિમાન ઉડવાની ઘટનાને ભારતીય ક્રિકેટ બોર્ડે ‘તદ્દન અસ્વીકાર્ય’ ગણાવી હતી અને જણાવ્યું હતું કે આ બનાવથી અમને અમારા ખેલાડીઓની સલામતી વિશે ચિંતા થઈ રહી છે.
બોર્ડ ઑફ ક્ધટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)એ આ ઘટના વિશે ગંભીર નારાજગી બતાવી હતી અને આખા મામલાને વર્લ્ડ કપની સંચાલક આઇસીસી (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) સમક્ષ લેખિતમાં વ્યક્ત કરીને ફરી આવું કંઈ ન બને એની તકેદારી લેવા કહ્યું હતું.
વિમાન સાથે જોડવામાં આવેલા બૅનરમાં ‘કાશ્મીરમાં કત્લેઆમ બંધ કરો’ તથા ‘કાશ્મીરને ન્યાય આપો’ તેમ જ ‘કાશ્મીરને મુક્ત કરો’ એવું લખવામાં આવ્યું હતું. ભારત-વિરોધી બૅનરવાળા કુલ બે વિમાન લીડ્સ ખાતેના આ સ્ટેડિયમમાં ઉડાડવામાં આવ્યા હતા. શ્રીલંકા સામેની મૅચ શરૂ થયાની ગણતરીની મિનિટોમાં પ્રથમ બૅનરવાળું વિમાન ઉડ્યું હતું અને અડધા કલાક પછી ઉડેલા બીજા વિમાનમાં બીજું બૅનર જોડવામાં આવ્યું હતું.
મૅચની મધ્યમાં ત્રીજું વિમાન ઉડ્યું હતું જેના બૅનરમાં લખાયું હતું, ‘મૉબ લિન્ચિંગનો અંત લાવવામાં મદદ કરો’.
ભારતીય ક્રિકેટ બોર્ડે આઇસીસીને પત્રમાં લખ્યું હતું કે ‘જો મંગળવારે મૅન્ચેસ્ટર ખાતેની ભારતની સેમી ફાઇનલમાં પણ આવી ઘટના બનશે તો એ ખરેખર કમનસીબ કહેવાશે. અમારા ખેલાડીઓની સુરક્ષા અને સલામતીનો મુદ્દો સર્વોત્તમ હોવો જોઈએ
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now