CIA ALERT
26. April 2024
April 1, 20201min3680

Related Articles



બૅન્કોનું કામકાજ નિયમિત કરવા રાજ્યોને આદેશ

Share On :
Print Friendly, PDF & Email

કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્ર-શાસિત પ્રદેશોને ૨૧ દિવસના લૉકડાઉનના સમયગાળા દરમિયાન બૅન્કોના કામકાજ રાબેતામુજબ રહે અને તમામ ઑટોમેટેડ ટેલર મશીન (એટીએમ) સામાન્ય સ્થિતિમાં રહે એની તકેદારી રાખવાનો આદેશ મંગળવારે આપ્યો હતો.

કોરોના વાઇરસની મહામારીને પગલે દેશભરમાં લાગુ કરવામાં આવેલા ૨૧ દિવસના લૉકડાઉનમાંથી બૅન્કોને, એટીએમને, બૅન્કોના કામકાજ સંબંધિત આઇટી (ઇન્ફર્મેશન ટેક્નોલૉજી) વેન્ડર્સને, બૅન્ક કૉરસપૉન્ડ્ન્ટસને તેમ જ કૅશ મૅનેજમેન્ટ સેવાઓને મુક્તિ આપવામાં આવી છે.

પ્રાઇમ મિનિસ્ટર ગરીબ કલ્યાણ યોજના હેઠળ કુલ ૨૭,૫૦૦ કરોડ રૂપિયાના જે આર્થિક પૅકેજની જાહેરાત કરાઈ છે એ સંબંધિત વહેંચણી આવનારા દિવસોમાં થવાની હોવાથી બૅન્કો તથા બધા એટીએમને સામાન્ય સ્થિતિમાં લાવવાની કેન્દ્રએ રાજ્યોને સૂચના આપી છે.

વર્તમાન નાણાકીય વર્ષ (૨૦૧૯-’૨૦) નિર્ધારિત સમય મુજબ ગઈ કાલે (મંગળવારે) પૂરું થયું હતું. સામાન્ય રીતે ઘણી કંપનીઓ તેમ જ પેઢીઓ દ્વારા એમના કર્મચારીઓને મહિનાની શરૂઆતમાં પગાર-વેતનની ચૂકવણી થતી હોય છે અને એ બાબતમાં તેમ જ એટીએમમાંથી પૈસા ઉપાડવા સંદર્ભમાં સામાન્ય પ્રજાને ૨૧ દિવસના લૉકડાઉનના વર્તમાન સમયગાળામાં કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે એ હેતુથી પણ કેન્દ્ર સરકારે રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોને બૅન્કો તથા એટીએમના સામાન્ય કામકાજ વિશેની સૂચના આપી છે.

કેન્દ્રિય ગૃહ સચિવ અજય ભલ્લાએ તમામ રાજ્યો તથા કેન્દ્ર-શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને મોકલેલા સંદેશામાં જણાવ્યું છે કે ‘ઘણી રાજ્ય સરકારોએ બૅન્કોના કામકાજના ઘટાડેલા કલાકો વિશે, મર્યાદિત સંખ્યામાં શાખાઓ કાર્યરત્ રાખવા સંબંધમાં, એટીએમમાં રોકડા ભરવા સંબંધિત કર્મચારીઓની અવરજવર પર નિયંત્રણ અંગે તેમ જ અન્ય કેટલાક કારણો બાબતમાં સૂચનાઓ બહાર પાડી છે.’

પ્રાઇમ મિનિસ્ટર ગરીબ કલ્યાણ યોજના હેઠળ જે ૨૭,૫૦૦ કરોડ રૂપિયાની આર્થિક યોજનાની જાહેરાત કરાઈ છે એ હેઠળ વહેંચણી આ અઠવાડિયા અને આવનારા અઠવાડિયાઓમાં બૅન્કો તથા એટીએમ અને બિઝનેસ કૉરસપૉન્ડન્ટ્સ (બીસીએસ) મારફત થવાની છે. આ સમગ્ર બાબતને લક્ષમાં રાખીને જ ગૃહ સચિવે રાજ્યો અને કેન્દ્ર-શાસિત પ્રદેશોને બૅન્કો તથા એટીએમના કામકાજ રાબેતામુજબના રહે એની તકેદારી રાખવાની સૂચના આપી છે.

તેમણે સોમવારે એક પત્રમાં જણાવ્યું હતું કે ‘પીએમ ગરીબ કલ્યાણ યોજના અન્વયે જે લોકોને આવરી લેવામાં આવ્યા છે તેમને રકમની થનારી વહેંચણી દરમિયાન બૅન્કો સાથે સંકલન જાળવવાની તૈયારી સ્થાનિક જિલ્લા/રાજ્ય/પોલીસ તંત્રએ બતાવી છે.’

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share On :
Print Friendly, PDF & Email

Share On :