CIA ALERT
26. April 2024
February 8, 20201min3270

Related Articles



કોરોના વાઈરસનો હાહાકાર : 811 મોત : કેસોની સંખ્યા 37000ને પાર

Share On :
Print Friendly, PDF & Email

ચીનમાં કોરોના વાઈરસના કારણે મરણનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. શુક્રવારે એક જ દિવસમાં ૮૬નાં મોત થતાં કુલ આંકડો ૭૨૩નો થયો છે. આ વાઈરસથી ઈન્ફેકશનના કેસ ૩૪૫૪૬ થઈ ગયા છે, એમ ચીનના હેલ્થ મિશને જણાવ્યું હતું. વુહાન બાદ હુબેઈ પ્રાન્તમાં મોત વધી રહ્યા છે. નજીકના હોંગકોંગમાં પણ એક મરણ થયું છે. અમેરિકા-જાપાનમાં પણ આ વાઈરસથી ઘણા મોત થયા હતા.

૬૧૦૧ દર્દી ગંભીર હાલતમાં છે. ૧.૮૯ લાખ લોકો નિગરાની હેઠળ છે. સિંગાપોરમાં ૩૩નાં મોત થયા છે. દર્દીને રીકવરી થતાં હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ અપાયા છે એવા ૨૦૫૦ લોકો છે જેેને હૉસ્પિટલમાંથી રજા અપાઈ છે.

કોરોના વાઈરસના શંકાસ્પદ દર્દીઓને શોધવા માટે ઘરે ઘરે જઈને તપાસ થઈ રહી છે. અમુક દર્દીઓ આ વાઈરસ વિશે છુપાવતા હોવાની ફરિયાદ પણ આવતી રહી છે. જેઓ સારવારનો ઈનકાર કરે તેને સમજાવવા પોલીસની મદદ લેવાય છે.

News on 8 February

કોરોના વાઈરસ સામે ચીનમા જનયુદ્ધ

ચીનમાં નવા જીવલેણ કોરોના વાઈરસે અત્યાર સુધીમાં ૬૩૭ જણનો ભોગ લેતાં ચીને આ મહામારી વિરુદ્ધ જનયુદ્ધ આરંભ્યું છે.

કોરાના વાઈરસને કારણે ગુરુવારે વધુ ૭૩ જણનાં મોત સાથે ચીનમાં આ મહામારીનો મરણાંક ૬૩૭ પર પહોંચ્યો હતો.

મૃત્યુ પામેલાઓમાં મોટાભાગના આ વાઈરસના મુખ્ય કેન્દ્ર ગણાતા હુબેઈ પ્રાન્તના હોવાનું ચીનના આરોગ્ય ખાતાના અધિકારીઓએ શુક્રવારે કહ્યું હતું.

કોરોના વાઈરસના ક્ધફર્મ કેસનો આંક ૩૧૦૦૦ને પાર કરી ગયો હોવાનું તેમણે કહ્યું હતું.

ચીન અને ભારત સહિત વિશ્ર્વના ૨૭ કરતા પણ વધુ દેશ આ વાઈરસની સામે ઝઝુમી રહ્યા છે.

વુહાન અને હુબેઈ પ્રાન્તમાંથી આવતા પ્રવાસીઓને કારણે આ મહામારીનો વ્યાપ વધી રહ્યો હોવાનું તેમણે કહ્યું હતું.

વિદેશમાં કોરાના વાઈરસના કુલ ૨૨૦ કેસ નોંધાયા હોવાનું તેમણે કહ્યું હતું.

કેરળમાં અત્યાર સુધીમાં કોરાના વાઈરસના ત્રણ કેસ નોંધાયા હોવા વચ્ચે ૬૪૭ ભારતીયને વુહાનમાંથી સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા હોવાનું તેમણે કહ્યું હતું.

હુબેઈ પ્રાન્ત અને તેની રાજધાની ગણાતા વુહાન શહેરમાં ગુરુવારે કોરોના વાઈરસને કારણે ૬૯ જણનાં તો જિલિન, હેનાન, ગ્વાન્ગડૉન્ગ અને હૈનાનમ પ્રત્યેકમાં એક જણનું મોત થયું હોવા ઉપરાંત ૩૧૪૩ નવા સેક નોંધાયા હોવાનાં અહેવાલ છે.

ચીનના આરોગ્ય અધિકારીઓએ દેશના શ્રેષ્ઠ આઈસીયુ સ્ટાફ સહિત તબીબી ક્ષેત્રના ૧૧૦૦૦ કર્મચારીઓને વુહાન મોકલ્યા હતા જેમાં ૩૦૦૦ ડૉક્ટર, નર્સ અને ઈન્ટેન્સિવ કૅઅર સ્પેશિયાલિસ્ટનો સમાવેશ થતો હોવાનું તેમણે કહ્યું હતું.

Share On :

આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944


You Can Find us on Google Play store too : Download Now

Share On :
Print Friendly, PDF & Email

Share On :