CIA ALERT
19. March 2024

Alert Archives - CIA Live

March 18, 2024
CFC-2.jpeg
1min20

સુરત: :જેમ એન્ડ જ્વેલરી ઈન્ડસ્ટ્રી માટે દેશના પહેલા મેગા કોમન ફેસિલિટી સેન્ટરને મુંબઈના SEEPZ SEZમાં ખુલ્લો મૂકાયો છે. ભારત સરકારમાં વાણિજ્ય અને ઉદ્યોગ, ઉપભોક્તા બાબતો, ખાદ્યાન્ન તેમજ જાહેર વિતરણ તેમજ ટેક્સટાઈલ મંત્રી શ્રી પિયુષ ગોયલે મુંબઈના SEEPZ SEZમાં આવેલા ભારતના અગ્રણી મેગા કોમન ફેસિલીટી સેન્ટરના લોકાર્પણ સમારોહમાં હાજરી આપીને પ્રસંગને શોભાવ્યો હતો. ભારત રત્નમ, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા પ્રમોટ કરવામાં આવેલું મેગા સીએફસી છે. GJEPC, SEEPZ SEZના સક્રિય સમર્થન સાથેઆ પ્રોજેક્ટનું સંચાલન કરે છે.  

આ મહત્વપૂર્ણ સમારોહમાં GJEPCના વાઈસ ચેરમેન શ્રી કિરીટ ભણસાલી, SEEPZ-SEZના ઝોનલ ડેવલપમેન્ટ કમિશનર, IRS શ્રી રાજેશ કુમાર મિશ્રા, ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના સંયુક્ત સચિવ IAS શ્રી વિપુલ બંસલ, ભારત રત્નમ મેગા CFCના વર્કિંગ ગ્રુપના હેડ શ્રી કોલિન શાહ અને SEEPZના સંયુક્ત ડેવલપમેન્ટ કમિશનર શ્રી સી.પી.એસ ચૌહાણે હાજરી આપી હતી.

ભારત રત્નમ- મેગા CFCનો હેતુ જેમ અને જ્વેલરી પ્રોડક્ટોના ઉત્પાદન અને ડિઝાઈન માટે ટેકો પૂરો પાડવાનો છે. તે વર્તમાન ગુણવત્તા, ઉત્પાદકતા, માનવબળની કુશળતા, ઘરેલુ R&D, ટેક્નોલોજીની પ્રગતિ તેમજ ખર્ચની હરિફાઈક્ષમતામાં વધારો કરશે. સ્કીલ ડેવલપમેન્ટ કોર્સ તેમજ ઈન્ડસ્ટ્રી માટે નિપુણ માનવબળને વિકસિત કરવા માટે તેમાં ટ્રેનિંગ સેન્ટરનો પણ સમાવેશ કરવામાં આવશે.  

પોતાના પ્રારંભિક સંબોધનમાં શ્રી ગોયલે જણાવ્યું હતું કે, “ભારત રત્નમ મેગા સીએફસી મેક ઈન ઈન્ડિયા અને ડિઝાઈન ઈન ઈન્ડિયાના નવા યુગની શરૂઆત કરે છે. તે ભારતના ખરા હીરા તરીકે ઉભર્યું છે અને પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપનો વધુ એક ચમકતો દાખલો છે. નોંધપાત્ર 14 મહિનામાં પૂર્ણ થયેલું આ સેન્ટર પોતાની વિશ્વ સ્તરની સવલતો સાથે ઉત્કૃષ્ટતાના પ્રકાશસ્તંભ તરીકે ઉભું છે અને ભારતના ભાવિ માટે સીમાચિહ્ન પૂરું પાડે છે. અત્યંત આકર્ષક ટ્રેનિંગ અને સ્કીલિંગ સેન્ટર 1600 જેટલા યુવાનોને તાલીમબદ્ધ કરશે, જેઓ દર વર્ષે માનવબળમાં જોડાશે. આ તમામ પહેલ ઉચ્ચ ગુણવત્તાની જ્વેલરીની મેડ ઈન ઈન્ડિયા બ્રાન્ડનું સર્જન કરવામાં મદદરૂપ થશે, જેના માટે આ દુનિયાને આકાંક્ષા અને ઈચ્છા હશે, તેમજ આ દુનિયા જેની તરફ જોશે. ભારત રત્નમ ઈનોવેશન, આર્થિક વૃદ્ધિ અને ટેક્નોલોજીની પ્રગતિને આગળ ધપાવવાની સરકારની પ્રતિબદ્ધતાનું પ્રતિક છે.”GJEPCના ચેરમેન, શ્રી વિપુલ શાહે જણાવ્યું હતું કે, “અમે જ્યારે ભારતરત્નમ-મેગા CFCનું ઉદ્ઘાટન કરી રહ્યા છીએ, ત્યારે આ અભૂતપૂર્વ પ્રોજેક્ટનું નેતૃત્વ કરવા બદલ હું શ્રી પિયુષ ગોયલનો હૃદયપૂર્વક આભાર માનું છું. તેમનું અવિરત સમર્પણ અને દૂરંદેશી નેતૃત્વ  આ પરિવર્તનકારી પહેલ ને ફળીભૂત કરવા માટે નિમિત્ત બની રહ્યું છે. તે અમારા ઉદ્યોગ માટે ગેમ ચેન્જર છે અને તે અમને 75 અબજ ડોલર ની નિકાસના લક્ષ્યાંક ને હાંસલ કરવામાં અને 2047 સુધીમાં વિકસિત ભારતના અમારા વિઝનને સાકાર કરવા તરફ પ્રેરિત કરશે.

March 18, 2024
WhatsApp-Image-2024-03-17-at-18.13.14.jpeg
3min27

જયેશ બ્રહ્મભટ્ટ 98253 44944

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના એક્ષ્પોના ઇતિહાસમાં સૌથી વધુ મેદની હાલ ચાલી રહેલા ઓટો એક્ષ્પો 2024ના પ્રથમ ત્રણ દિવસમાં ઉમટી પડી છે. ત્રણ દિવસમાં 50 હજાર પ્લસ વિઝિટર્સે ચેમ્બરના ઓટો એક્ષ્પોની મુલાકાત લીધી. રવિવારે સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતેના ઓટો એક્ષ્પોમાં ભીડભાડના દ્રશ્યો સોશ્યલ મિડીયા પર ભારે વાઇરલ થયા છે. સોશ્યલ મિડીયાના વિવિધ માધ્યમો પૈકી એક્સ અને ઇન્સ્ટા પર ચેમ્બરના ઓટો એક્ષ્પોના વિઝ્યુઅલ્સ ભારત અને વિદેશની અનેક કાર મેન્યુફેક્ચરીંગ કંપનીના ડાયરેક્ટર્સ અને ટોપ ઓફિશ્યલ્સે જોયા અને તેના પર કોમેન્ટ્સ પણ કરી છે. ભારતના ટોપ કાર ડિલર્સ અને ડિસ્ટ્રીબ્યુટર્સને આ પ્રકારના ઓટો એક્ષ્પોમાં રસ પડ્યો છે જ્યાં વિઝિટર્સ ફક્ત જોવા નથી આવી રહ્યા તેઓ ખરીદી પણ કરી રહ્યા છે. ઓટો એક્ષ્પોને જે પ્રકારનું માઇલેજ સુરતમાં અને સોશ્યલ મિડીયામાંથી મળી રહ્યું છે એ જોતા 2025માં યોજાનારા ચેમ્બરના ઓટો એક્ષ્પોનું લેવલ કંઇક જુદા પ્રકારનું હશે અને સંભવ છે કે સરસાણા ડોમથી પણ વધુ જગ્યામાં બીજા હંગામી ડોમ ઉભા કરીને ઓટો એક્ષ્પો યોજવો પડે.

રવિવાર તા.17મી માર્ચે ચેમ્બર ઓફ કોમર્સના ઓટો એક્ષ્પોમાં ભારે ભીડ ઉમટી પડી

સ્પેશિયલ ડિસ્કાઉન્ટ, સ્કીમ અને ઓફરને કારણે કાર–બાઇક ખરીદવા લોકોનો અદ્‌ભૂત ધસારો

એકઝીબીશનમાં લોકો ગાડીનું બુકીંગ કરી રહયા છે અને ત્યાંથી ડિલીવરી પણ થઇ રહી છે, રવિવારે આખું પાર્કીંગ ફૂલ થઇ ગયું હતું

Visitors

AUTO EXPO 2024
15/3/24 Day-1 7370 Visitors

16/3/24 Day-2 – 12730 Visitors

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તા. ૧પ, ૧૬, ૧૭ અને ૧૮ માર્ચ ર૦ર૪ દરમિયાન સવારે ૧૦:૦૦થી સાંજે ૭:૦૦ કલાક સુધી સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે ‘સુરત ઈન્ટરનેશનલ ઓટો એક્ષ્પો–ર૦ર૪’નું આયોજન કરવામાં આવ્યું છે.

ઓટો એક્ષ્પોમાં વિવિધ બ્રાન્ડની કાર, ટુ વ્હીલર્સ, કોમર્શિયલ વ્હીકલ્સ, ઓટો એસેસરીઝ, સ્પેરપાટર્‌સ તથા વર્કશોપને લગતી મશીનરી અને ટુલ્સનું પ્રદર્શન કરનારા બધા જ એકઝીબીટર્સ દ્વારા સ્પેશિયલ માર્કેટીંગ ઓફર આપવાની શરૂઆત કરવામાં આવી છે. દરેક એકઝીબીટર્સે તેમની પ્રોડકટ માટે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ, સ્કીમ અને ઓફર આપતા વાહન ખરીદવા માટે લોકોનો અદ્‌ભૂત ધસારો જોવા મળી રહયો છે. એકઝીબીશનમાં લોકો ગાડીનું બુકીંગ કરી રહયા છે અને ત્યાંથી ડિલીવરી પણ થઇ રહી છે. રવિવારે લોકો એટલી મોટી સંખ્યામાં પ્રદર્શન જોવા માટે આવ્યા હતા કે આખું પાર્કીંગ ફૂલ થઇ ગયું હતું.

દરમ્યાન રવિવારે સાંજે ૪:૩૦થી ૬:૦૦ કલાક દરમ્યાન સ્ટંટ શો પણ યોજાયો હતો, જેમાં વિવિધ બાઇક રાઇડર્સ દ્વારા અદ્‌ભૂત સ્ટંટ કરવામાં આવ્યા હતા, જે જોઇને લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા.

પશ્ચિમ ભારતના સૌથી મોટા કમ્પોઝીટ ઓટો એકઝીબીશનમાં ૭૦થી વધુ એકઝીબીટર્સ દ્વારા કાર, ટુ વ્હીલર્સ, કોમર્શિયલ વ્હીકલ્સ, ઓટો એસેસરીઝ, સ્પેરપાટર્‌સ તથા વર્કશોપને લગતી મશીનરી અને ટુલ્સ પ્રદર્શિત કરવામાં આવી રહી છે. જેમાં ખાસ કરીને રૂપિયા સાડા ૪ લાખથી લઇને રૂપિયા સાડા ૪ કરોડ સુધીની કાર, રૂપિયા ૪૦ લાખની મોટરસાયકલ અને વીન્ટેજ કારો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.

કરોડો રૂપિયાની ઇલેકટ્રીક અને હાઇબ્રીડ કાર, રૂપિયા ૪૦ લાખની મોટરસાયકલ અને ૬ જેટલી વીન્ટેજ કાર આકર્ષણનું કેન્દ્ર બની

પશ્ચિમ ભારતના સૌથી મોટા કમ્પોઝીટ ઓટો એકઝીબીશનમાં ૭૦થી વધુ એકઝીબીટર્સ દ્વારા કાર, ટુ વ્હીલર્સ, કોમર્શિયલ વ્હીકલ્સ, ઓટો એસેસરીઝ, સ્પેરપાટર્‌સ તથા વર્કશોપને લગતી મશીનરી અને ટુલ્સ પ્રદર્શિત કરવામાં આવી રહી છે. ખાસ કરીને રૂપિયા સાડા ૪ લાખથી લઇને રૂપિયા સાડા ૪ કરોડ સુધીની કાર, રૂપિયા ૪૦ લાખની મોટરસાયકલ અને વીન્ટેજ કારો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. ગઇકાલે પ્રથમ દિવસે ૭૩૭૦ લોકોએ ઓટો એક્ષ્પોની મુલાકાત લીધી હતી. જ્યારે આજરોજ બીજા દિવસે ૧ર૮૪૪ લોકોએ ઓટો એક્ષ્પોની મુલાકાત લેતા બે દિવસમાં કુલ ર૦ર૧૪ જેટલા લોકોએ આ એક્ષ્પોની વિઝીટ કરી હતી. આવતીકાલે રવિવાર હોવાથી વિઝીટર્સનો આંકડો બમણો થવાની સંભાવના છે.

વર્ષ ૧૯ર૬માં અમેરિકામાં બનેલી ફોર્ડ કંપનીની ટી મોડેલની કાર પ્રદર્શનમાં મૂકાઇ છે. આ કાર વિશ્વની પહેલી માસ પ્રોડકશન કાર છે. જેમાં ૪ સિલિન્ડરવાળું એન્જીન છે. આ કારની ડિઝાઇન ઘોડાવાળી બગ્ગી પરથી લેવામાં આવી હતી.

વર્ષ ૧૯૩૦માં અમેરિકામાં બનેલી ફોર્ડ કંપનીની એ ફેટોન મોડેલની કાર લોકોનું ધ્યાન ખેંચી રહી છે. આ કારમાં પણ ૪ સિલિન્ડરવાળું એન્જીન છે. આ કાર ટોપ સ્પીડ પ્રતિ કલાકે ૧૦પ કિલોમીટરની છે.

વર્ષ ૧૯૩રમાં અમેરિકા ખાતે બનેલી હડ્‌સન એસેકસ કારને પણ પ્રદર્શન મૂકાઇ છે. ભારતમાં આ એક જ ગાડી ઉપલબ્ધ છે, જેને ઓટો એક્ષ્પોમાં પ્રદર્શિત કરવામાં આવી રહી છે. આ કારની ટોપ સ્પીડ પ્રતિ કલાકે ૧૧ર કિલોમીટર છે.

ભારતને જ્યારે આઝાદી મળી તે સમયે ૧૯૪૭માં અમેરિકા ખાતે બનેલી બ્યુઇક રોડમાસ્ટર પહેલી ઓટોમેટિક હાયડ્રોલિક કાર હતી. જેમાં વિન્ડો, સનરૂફ અને સીટ આગળ પાછળ થતી હતી. આ વીન્ટેજ કારમાં ૪૯૦૦ સીસીનું એન્જીન છે. આ કારની લંબાઇ ર૧ ફૂટ છે. આ વિન્ટેજ કારમાં સ્ટ્રેઇટ આઠ સિલિન્ડરવાળું એન્જીન છે, જે પ્રતિ કલાકે ૧૩૮ કિલોમીટરની ઝડપે દોડતી હતી.

વર્ષ ૧૯૪૮માં અમેરિકા ખાતે બનેલી ઓલ્ડ્‌સ મોબાઇલ ડાયનેમિક ૭૬ સિરીઝ વિન્ટેજ કાર પણ લોકોનું ધ્યાન ખેંચી રહી છે. આ વિન્ટેજ કારમાં સ્ટ્રેઇટ છ સિલિન્ડરવાળું એન્જીન છે, જે પ્રતિ કલાકે ૧૧૧ કિલોમીટરની ઝડપે દોડતી હતી.

આ ઉપરાંત વર્ષ ૧૯૬પમાં જર્મની ખાતે બનેલી ફોકસવેગન કંપનીની બીટલ મોડલની કાર પ્રદર્શનમાં મૂકાઇ છે, જે પ્રતિ કલાકે ૧રપ કિલોમીટરની ઝડપે દોડતી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્રદર્શન પશ્ચિમ ભારતનું સૌથી મોટું કમ્પોઝીટ ઓટો એકઝીબીશન ગણાય છે. જેમાં આ વર્ષે વોલ્વો કંપનીની XC 40 Recharge કારને લોન્ચ કરવામાં આવી હતી. જ્યારે હયુન્ડાઇ કંપનીની Creta N Line અને BYD seal કારને દેશમાં પ્રથમ વખત સુરતના ઓટો એક્ષ્પોમાં ડિસ્પ્લે માટે મૂકવામાં આવી છે. મોટા ભાગે તમામ સેગમેન્ટમાં વિવિધ બ્રાન્ડ દ્વારા પોતાના ઇલેકટ્રીકલ વ્હીકલ તથા હાઇબ્રીડ વ્હીકલનું પ્રદર્શન કરવામાં આવી રહયું છે.

March 18, 2024
WhatsApp-Image-2024-03-17-at-20.07.22-1280x853.jpeg
1min29

  • સુરત ડાયમંડ એસોસીએશન સંચાલિત RTSV હોસ્પિટલનો દશાબ્દી મહોત્સવ શાનદાર રીતે સંપન્ન
  • કિરણ-2 હોસ્પિટલ માટે દાતાઓએ મન મૂકીનો દાનનો ધોધ વહાવ્યો
  • ગુજરાતમાં સૌથી વધુ રાહત દરે તબીબી સેવા ઉપલબ્ધ કરાવવાની નેમ સાથે કિરણ-2 હોસ્પિટલને ઝડપભેર વિકસાવવાનો નિર્ધાર કરાયો

સુરત
સુરત ડાયમંડ એસોસીએશનની આરોગ્ય સમિતિ સંચાલિત આર.ટી.એસ.વી. ડાયમંડ હોસ્પિટલનો દશાબ્દી મહોત્સવ આજે રવિવારની સંધ્યાએ શાનદાર રીતે સંપન્ન થયો છે. હકડેઠઠ માનવ મેદની આ સમારોહમાં ઉમટી પડી હતી. ડાયમંડ હોસ્પિટલના આરંભથી જ દર્દીઓનો અત્યંત રાહતદરે તબીબી સેવાઓ પૂરી પાડવાનું શરૂ કરાયું હતું, આ પ્રકારે ગુજરાતમાં સૌથી વધુ રાહતદરે તબીબી સેવાઓ ઉપલબ્ધ કરાવવાની નેમ સાથે સંસ્થાની સૂચિત કિરણ-2 હોસ્પિટલને ઝડપભેર વિકસાવવાનો મક્કમ નિર્ધાર ડાયમંડ હોસ્પિટલના દશાબ્દી મહોત્સવમાં જાહેર મંચ પરથી વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આજે ડાયમંડ હોસ્પિટલના દશાબ્દી મહોત્સવ પ્રસંગે ડાયમંડ હોસ્પિટલમાં જ જન્મ લેનારી 400 દિકરીઓના પરિવારજનોને રૂ.1-1 લાખની કિંમતના બોન્ડ મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.

ડાયમંડ હોસ્પિટલના દશાબ્દી મહોત્સવના સમારોહમાં મહાનુભાવો ઉપસ્થિત થાય ત્યાં સુધીમાં કિરણ-2 હોસ્પિટલ માટે લાખો રૂપિયાનું નવું દાન દાતાઓએ મન મૂકીને જાહેર કર્યું હતું. દાતાઓએ કિરણ-2 હોસ્પિટલના નિર્માણમાં મન મૂકીને દાન આપવાની જાહેરાત કરી હતી. સમારોહમાં નવું દાન આપનારા દાતાઓનું જાહેર અભિવાદન કરવામાં આવ્યું હતું.
બરાબર સાંજે સાતના ટકોરે સમારોહના અધ્યક્ષ એવા કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રી શ્રીમનસુખભાઇ માંડવીયા, રાજ્યસભાના સભ્ય શ્રી ગોવિંદભાઇ ધોળકીયા, ગુજરાતના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઇ પાનશેરીયા, ભાજપાના પૂર્વ પ્રદેશ પ્રમુખ શ્રી જીતુભાઇ વાઘાણી, મેયર શ્રી દક્ષેશ માવાણી સહિતના આગેવાનોનું આગમન મંચ પર થયું હતું.

કેન્દ્રના આરોગ્ય મંત્રી ડો.મનસુખભાઇ માંડવીયાએ રાહતદરે તબીબી સેવા પૂરી પાડવી અને દિકરીઓના જન્મ માટે એક પણ રૂપિયો ચાર્જ નહીં લેવાની ડાયમંડ હોસ્પિટલની બાબતોને બિરદાવતા જણાવ્યું હતું કે આ પ્રકારની સેવાના ભેખધારી સંસ્થાઓની સમાજને તાતી જરૂરીયાત છે. તેમણે કિરણ-2 હોસ્પિટલ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
સમારોહને સંબોધતા શ્રી મનસુખભાઇ માંડવીયાએ કહ્યું કે 200 કરોડથી વધુની રાહત ડાયમંડ હોસ્પિટલ દ્વારા સામાન્ય મધ્યમવર્ગના લોકોને આપવામાં આવી એ બહુ મોટી વાત છે. સુરતની ધરતી નોખી ધરતી છે, આ કર્ણની ધરતી છે, આ ધરતી પર પૂણ્ય અને સેવા આ ધરતીની વિશેષતા છે. 25 વર્ષનો જાહેર જીવનનો અનુભવે છે, કદાચ સૌરાષ્ટ્રમાં ક્યારેય પૂર્ણ્ય દાન ન કર્યું હોય પરંતુ, સુરતની ધરતી પર આવી ગયા અને મંચ પર બેઠા એટલે દાન કરવાનું શરૂ કરી દે છે. પૂણ્ય દાન કરવું બીજાનો સહયોગ કરવો એ ભારતીય પરંપરા, ભારતીય સંસ્કૃતિ, જીવન શૈલીનો ભાગ છે. જરૂરીયાતમંદ લોકોને સહયોગ કરવો એ આપણા સંસ્કાર છે. તેમણે અમેરીકા અને ભારતના તબીબી ખર્ચના ઉદાહરણો રજૂ કર્યા હતા. તેમણે કહ્યું કે સુરતમાં 30 ચેરીટી હોસ્પિટલો છે, જેમાં 50 ટકા જેટલું કામ રાહત દરે કરવામાં આવે છે. અહીં સ્વાસ્થ્ય એ સેવા છે, ધંધો નથી. સંસ્કારએ ભારતની સભ્યતા છે. કોવીડ આવ્યો ત્યારે આખી દુનિયા સાથે વાતો થતી, દરેક દિવસે દુનિયા પૂછતી કે ભારતમાં કેવું છે, ભારતમાં ડોક્ટરો હોસ્પિટલમાં આવે છે, દુનિયામાં ડોક્ટરો અને નર્સો રજા પર હતા, આપણા દેશમાં કોવીડમાં રોગીઓની સેવા કરતા કેટલાય ડોક્ટરો પોતાના પ્રાણના ભોગે ફરજ બજાવતા રહ્યા. તેમણે સંસ્થાને 600 બેડની હોસ્પિટલ કરો એવી હાકલ સાથે કહ્યું કે આટલા બેડ થશે તો 50 સીટની મેડીકલ કોલેજને મંજૂરી આપવામાં આવશે. સી.પી.ભાઇ, દિનેશભાઇ નાવડીયા સહિત ડાયમંડ હોસ્પિટલ સાથે સંકળાયેલા, પ્રત્યક્ષ અપ્રત્યક્ષ સાથ સહકાર આપનારા તમામને અભિનંદન આપતા મનસુખભાઇ માંડવીયાએ પોતાનું વક્તવ્ય પૂર્ણ કર્યું હતું.

સુરત ડાયમંડ એસોસીએશન સંચાલિત આર.ટી.એસ.વી. ડાયમંડ હોસ્પિટલના દશાબ્દી મહોત્સવનું આયોજન જ્યાં કરવામાં આવ્યું હતું એ કિરણ-2 હોસ્પિટલ જ્યાં નિર્માણ પામવાની છે એ લોકશન (ગ્રાઉન્ડ) પર આજે દશાબ્દી મહોત્સવમાં હકડેઠઠ માનવ મેદની ઉમટી પડી હતી. સાંજે 5 કલાકથી જ લોકોનું ગ્રાઉન્ડ પર આગમન શરૂ થઇ ચૂક્યું હતું. મહાનુભાવોની પણ એન્ટ્રી એક પછી એક શરૂ થઇ હતી અને જોતજોતામાં પ્રેક્ષાગાર અને મંચ બન્નેની તમામ બેઠકો ફુલ થઇ ગઇ હતી.
સમારોહના આરંભે ડાયમંડ હોસ્પિટલના ચેરમેન સી.પી.વાનાણીએ મહાનુભાવોનું સ્વાગત કરતા ડાયમંડ હોસ્પિટલની અત્યાર સુધીની કામગીરીનો ચિતાર આપ્યો હતો. એવી જ રીતે સંસ્થાના ઉપપ્રમુખ કેશુભાઇ ગોટીએ 10 વર્ષમાં ડાયમંડ હોસ્પિટલે કેટલી રકમની રાહત આપી તેનો વિગતવાર ચિતાર આપ્યો હતો.

આ પ્રસંગે ડાયમંડ હોસ્પિટલને દાન આપનારા દાતાશ્રીઓ, જુદાજુદા કાર્યોમાં સહકાર આપનારા આગેવાનો તેમજ ડાયમંડ હોસ્પિટલમાં પોતાની સેવા આપી રહેલા તબીબોનું સન્માન કરવામાં આવ્યું હતું.

છેલ્લા 10 વર્ષમાં ડાયમંડ હોસ્પિટલમાં જન્મેલી દિકરીઓની દર વર્ષની નામાવલી અનુસાર મહાનુભાવોના હસ્તે લકી ડ્રો કરવામાં આવ્યો હતો. અને 2014થી 2023 સુધીના વર્ષમાં પ્રત્યેક વર્ષની એક દિકરીની ચીઠ્ઠી ઉપાડીને ઇનામી ડ્રો કરવામાં આવ્યો હતો.

March 15, 2024
voting.jpg
1min29

છેલ્લાં કેટલાંક સમયથી ચર્ચા છે કે લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. એવામાં હવે ખુદ ચૂંટણીપંચે આ અંગેનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરવાની ચોક્કસ તારીખ જાહેર કરી દીધી છે. માહિતી અનુસાર ચૂંટણીપંચે કહ્યું છે કે તેઓ આવતીકાલે લોકસભા ચૂંટણી 2024નો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરશે. જેમાં મતદાન તારીખથી લઈને મતગણતરી અને પરિણામ સહિતની તમામ વિગતો જાહેર કરાશે.

March 15, 2024
cia_multi-1280x1045.jpg
1min52

  • ડાયમંડ હોસ્પિટલમાં જન્મલેનાર 400 દિકરીઓને રૂ.1-1 લાખના બોન્ડ પ્રમાણપત્રો એનાયત કરાશે
  • ડાયમંડ હોસ્પિટલ દ્વારા કમસેકમ રૂ.250 કરોડની રકમની રાહત દર્દીઓને તેમના મેડીકલ બિલમાં કરાવી આપવામાં આવી
  • છેલ્લામાં 10 વર્ષમાં 11.64 લાખ દર્દીઓને તબીબી સેવાઓ પૂરી પાડવામાં આવી
  • ડાયમંડ હોસ્પિટલમાં જન્મલેનાર 2000થી વધુ દિકરીઓને રૂ.1-1 લાખના બોન્ડ સુપરત કરવામાં આવ્યા છે.

તા.22મી ફેબ્રુઆરી 2014ના રોજ જેની સ્થાપના થઇ હતી એ સુરત ડાયમંડ હોસ્પિટલ આરોગ્ય સમિતિ સંચાલિત RTSV ડાયમંડ હોસ્પિટલે સફળતાપૂર્વક 10 વર્ષ પૂર્ણ કર્યા છે. દશાબ્દી વર્ષની પૂર્ણાહૂતિના વિરલ પ્રસંગે ડાયમંડ હોસ્પિટલની તબીબી અને આરોગ્યલક્ષી સેવાઓને વધુ લોકાભિમુખ બનાવવાની નેમ સાથે દશાબ્દી મહોત્સવને ભવ્યાતિભવ્ય રીતે ઉજવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

વધુ માહિતી આપતા ડાયમંડ હોસ્પિટલના ચેરમેન શ્રી સી.પી.વાનાણી તેમજ સેક્રેટરીશ્રી દિનેશ નાવડીયાએ પત્રકાર પરીષદને સંબોધતા જણાવ્યું છે કે દશાબ્દી મહોત્સવનું આયોજન તા.17મી માર્ચને રવિવારે સાંજે 5.30 કલાકે કિરણ હોસ્પિટલ-2 ગ્રાઉન્ડ, લેક ગાર્ડન પાસે, ડિજિટલ વેલી, મોટા વરાછા મેઇનરોડ ખાતે કરવામાં આવ્યું છે. ડાયમંડ હોસ્પિટલના દશાબ્દી મહોત્સવમાં કમસેકમ 5000થી વધુ લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે.

છેલ્લા 10 વર્ષમાં 11 લાખ 64 હજારથી વધુ દર્દીઓને ડાયમંડ હોસ્પિટલે જરૂરી જરૂરી તબીબી સેવા પૂરી પાડી છે. 26,556 ગર્ભવતી મહિલાઓની ડિલિવરી અત્યંત રાહત દરે કરી આપવામાં આવી છે. જુદાજુદા સમાજના લોકોને અંદાજે રૂ.250 કરોડથી પણ વધુ રકમની રાહત તબીબી સેવા, સુવિધાઓમાં કરી આપવામાં આવી છે. ડાયમંડ હોસ્પિટલમાં જન્મ લેનાર 2000 દિકરીઓને રૂ.1 લાખના બોન્ડ એનાયત કરવામાં આવ્યા છે.

શ્રી સી.પી.વાનાણી અને શ્રી દિનેશ નાવડીયાએ જણાવ્યું કે અમને આનંદ છે કે દશાબ્દી મહોત્સવની ઉજવણી પ્રસંગે વધુ 400 દિકરીઓને 1-1 લાખના બોન્ડ વિતરણ કરવામાં આવશે. આગામી દિવસોમાં મોટા વરાછા વિસ્તાર ખાતે રત્નકલાકાર તેમજ દરેક સમાજના જરૂરીયાત મંદ પરીવારોને પરવડે તેવી સુરત મહાનગરપાલિકા અને ગુજરાત સરકારના ભૂમિદાનથી નામકરણના મુખ્યદાતા કિરણ જેમ્સના વલ્લભભાઇ લાખાણી પરિવાર તથા ટ્રસ્ટી દાતાશ્રીઓના સહયોગથી રૂ.425 કરોડના ખર્ચે 450 બેડની કિરણ હોસ્પિટલ-2 અને નર્સિંગ કોલેજનું નિર્માણ કાર્ય ધમધમતું કરકી દેવાનું આયોજન છે.

આ પ્રસંગે કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રી ડો. મનસુખભાઇ માંડવીયા સમારોહના અધ્યક્ષ તરીકે જ્યારે કિરણ જેમ્સના ચેરમેન શ્રી વલ્લભભાઇ એસ. લાખાણી, રાજ્યસભાના નવનિર્વાચીત સદસ્ય શ્રી ગોવિંદભાઇ ધોળકીયા અને આલિધ્રા ગ્રુપના  શ્રી હંસરાજભાઇ ગોંડલિયા ઉદઘાટક તરીકે ઉપસ્થિત રહેશે. ડાયમંડ હોસ્પિટલના દશાબ્દી મહોત્સવમાં કેન્દ્ર સરકારના મંત્રી શ્રી પુરુષોત્તમભાઇ રુપાલા, ગુજરાત ભાજપ પ્રમુખ શ્રી સી.આર. પાટીલ, સુરતના સાંસદ અને કેન્દ્ર સરકારના મંત્રી શ્રીમતી દર્શના જરદોષ, રાજ્યના નાણાં મંત્રી શ્રી કનુભાઇ દેસાઈ, ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, રાજ્યના મંત્રી શ્રી મુકેશભાઇ પટેલ, શ્રી પ્રફુલ્લભાઇ પાનસેરીયા, મેયર સુરત શ્રી દક્ષેશભાઇ માવાણી અને સાંસદ બારડોલી શ્રી પ્રભુભાઇ વસાવા વિશેષ ઉપસ્થિત રહેશે.

March 15, 2024
kiran-hospital.png
1min30

વર્ષે 40,000થી વધુ વિદ્યાર્થીઓને મોબાઇલ અને ડ્રગ્સના દુષણથી થતી મુશ્કેલીઓ અને કોઇપણ વ્યક્તિને હેલ્થ ઇમરજન્સીમાં કેવી રીતે મદદ કરવી તે અંગેનું નોલેજ શેરીંગ કરાશે

Kiran Hospital - About Us

ધો.8થી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ડ્રગ્સથી દૂર રહે, મોબાઇલના વ્યસની ન બને અને ઇમરજન્સીમાં દર્દીને કેવી રીતે ટ્રીટ કરી શકાય તેનાથી વાકેફ કરાશે

કિરણ હોસ્પીટલ દ્વારા સુરત શહેરની તમામ સ્કુલો તથા કોલેજોના ધો.8થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ હેલ્થકેર નોલેજ અભિયાનનો આરંભ આગામી શનિવારે સવારે 10 કલાકે કિરણ હોસ્પિટલના ઓડીટોરીયમ ખાતે શિક્ષણ મંત્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવશે.

કિરણ હોસ્પીટલ દ્વારા સુરત શહેરની તમામ સ્કુલો તથા કોલેજોના ધો.8થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ હેલ્થકેર નોલેજ અભિયાનનો આરંભ આગામી શનિવારે સવારે 10 કલાકે કિરણ હોસ્પિટલના ઓડીટોરીયમ ખાતે શિક્ષણ મંત્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવશે.વધુ માહિતી આપતા કિરણ હોસ્પિટલના ચેરમેન મથુર સવાણી અને અગ્રણી શાળા સંચાલક સવજીભાઇ પટેલ સહિત અન્યોએ જણાવ્યું હતું કે આ એક એવું અભિયાન છે જેમાં કિરણ હોસ્પિટલ ખાતે દર શનિવારે તેના ઓડીટોરીયમમાં જુદી જુદી શાળાના 350 વિદ્યાર્થીઓના એક એવા બે સેશનમાં તબીબો વિદ્યાર્થીઓને હેલ્થકેરના આજીવન જરૂરી પાઠ ભણાવશે. જેમાં હાલમાં સુરતમાં વધી રહેલા ડ્રગ્સના દુષણને કારણે થતી સમસ્યાઓ, મોબાઇલના વધુ પડતા ઉપયોગને કારણે થતી મુશ્કેલીઓ ઉપરાંત આસપાસમાં કોઇક વ્યક્તિની તબિયત અચાનક બગડે તો ક્વીક રિસ્પોન્સ સ્વરૂપે શું કરવું અને શું ન કરવું તે અંગેનું નોલેજ શેરીંગ કિરણ હોસ્પિટલના તબીબો દ્વારા કરવામાં આવશે. કન્યા છાત્રાઓ માટે મહિલા તબીબો તેમના પ્રશ્નોનું નિરાકરણ તેમજ ખોટી માન્યતાઓ કે ભ્રમણાઓથી ગેરમાર્ગે ન દોરવાવા અંગે માહિતગાર કરશે.આ કાર્યક્રમમાં નિરંતર રીતે દશ શનિવારે બે સેશનમાં જારી રહેશે. સુરત શહેર જિલ્લા કે બહારગામની કોઇપણ શાળા તેમના વિદ્યાર્થીઓ માટે આ નોલેજ શેરીંગ સેશન ઓનલાઇન બુક કરાવી શકશે.

March 13, 2024
sumullogo.jpg
1min50

સુરતની સુમુલ ડેરી દિન પ્રતિદિન નવી ક્ષિતિજો સર કરી રહી છે. તા.14મી માર્ચ 2024ના રોજ સુમુલડેરી કેટલીક એવી સિદ્ધીઓ સર કરવા જઇ રહી છે કે જે ગુજરાત જ નહીં પરંતુ, સમગ્ર ભારતના લોકોની આઇસ્ક્રીમની જરૂરીયાતને પૂર્ણ કરવા માટે સક્ષમ હશે.

તા.14મી માર્ચ 2024ને ગુરુવારથી સુમુલ ડેરીના ઉપક્રમે કામરેજના નવી પારડી ખાતે અમુલ આઇસ્ક્રીમ પ્લાન્ટનું વિસ્તૃતિકરણ તેમજ સુુમુલ ડેરીના ભારતના સૌથી મોટા આઇસ્ક્રીમ કોન મેકીંગ પ્લાન્ટનું લોકાર્પણ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીના હસ્તે કરવામાં આવશે.

અમુલ આઇસ્ક્રીમ પ્લાન્ટનું હાલનું 50 હજાર લિટર પ્રતિદિન ક્ષમતા તા.14મી માર્ચથી બમણી થઇ જશે અને દૈનિક 1 લાખ લિટર આઇસ્ક્રીમ ઉત્પન કરવાની ક્ષમતા હાંસલ કરી લેવામાં આવશે.

March 12, 2024
bb-1280x758.jpg
1min44

“ભારત અને બિયોન્ડ” એ સુરત, ગુજરાતના 16 વર્ષીય ભવ્યા વિજય ભટ્ટર દ્વારા લખાયેલ ફેબ્રિક પુસ્તકની વિશેષ આવૃત્તિ છે.

May be an image of 8 people, dais and text

આ પુસ્તકનો ઉદ્દેશ્ય ભારતને 2014 થી 2024 સુધી રાષ્ટ્રીય વિકાસ માટેની વિવિધ સરકારી યોજનાઓ અને નીતિઓ પર સશક્તિકરણ અને શિક્ષિત કરવાનો છે.

આજે 8મી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. સુરતમાં મહિલાઓનું સન્માન અને આદર, સુરતની 16 વર્ષની દીકરી ભવ્યા ભટ્ટરની એક ફેબ્રિક બુક પણ સુરતની મહિલા સાંસદ અને કેન્દ્રીય રેલવે અને એપેરલ રાજ્ય મંત્રી શ્રી દર્શનાબેન જરદોશ દ્વારા બહાર પાડવામાં આવી છે.

વધુ વિગતો આપતાં, ઑગમોન્ટ અને જાર ટીમ સાથે સમગ્ર કાર્યક્રમના સંયોજક દિનેશ નાવડીયાએ કહ્યું; વૈશ્વિક સ્વપ્રદ્રષ્ટા નેતા તરીકે ઉભરી રહેલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની લોકપ્રિયતા બાળકો અને પુખ્ત વયના લોકોમાં વધુ લોકપ્રિય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કાર્યશૈલીથી પ્રભાવિત ભવ્યા વિજય ભટ્ટરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની સરકાર 1.0 અને મોદી સરકાર 2,0 અને તેનું મૂલ્યાંકન ફેબ્રિક પેજ પર કર્યું જેણે સુરતને “ટેક્સટાઈલ સિટી” ની ટાઈલનું બિરુદ મેળવ્યું.ભવ્યા ભટ્ટર અર્થશાસ્ત્ર તેમજ લલિત કળામાં પ્રતિભાશાળી પ્રતિભા ધરાવે છે અને આગામી દિવસોમાં લેખન ક્ષેત્રે તેમની પ્રતિભાને વધુ વિકસિત કરવાની યોજના ધરાવે છે. આ પુસ્તક વાચકો માટે એક સફર, વિવિધ સરકારી નીતિઓ અને પહેલો દ્વારા પ્રવાસ બનવા માંગે છે જેણે છેલ્લા એક દાયકામાં ભારતના આર્થિક વિકાસ અને વિકાસને આગળ વધારવામાં મદદ કરી છે.

આ સમારોહમાં યુવા, સ્ત્રી અવાજની સંભાવનાની ઉજવણી કરવામાં આવી હતી અને વ્યક્તિઓને સશક્તિકરણ કરવામાં અને ભારતના આર્થિક વિકાસમાં ફાળો આપવા માટે સરકારી પહેલની અસરને પ્રકાશિત કરવામાં આવી હતી. આ પ્રસંગે કેન્દ્રીય કાપડ અને રેલવે મંત્રી શ્રીમતી સુષ્મા સ્વરાજ ઉપસ્થિત રહ્યા હતા. દર્શના જરદોશ, જેમણે ફેબ્રિક કાપડના પુસ્તકને ભારતના હૃદય માટે ભારતની કળાનું પ્રતિનિધિત્વ કરવા માટે પ્રશંસનીય માપદંડ તરીકે જાહેર કર્યું. આ પ્રસંગે સુરતના મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી.શાલિની અગ્રવાલ આઈએએસ પણ ઉપસ્થિત રહ્યા હતા.

સિક્કા બનાવવાની જગ્યાના નેતા ઓગમોન્ટે સરકારી નીતિઓની સમજને વિસ્તૃત કરવા માટે લેખક દ્વારા લેવામાં આવેલા પુષ્કળ પ્રચતોને સ્વીકાર્યા, ખાસ કરીને નાણાકીય સમાવેશ અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાના હેતુથી.

ભારતની અગ્રણી નાણાકીય તંદુરસ્તી એપ્લિકેશન, જાર એપ, ભવ્યા ભટ્ટરના પ્રયતોની પ્રશંસા કરે છે, જેમણે દેશની આર્થિક સુખાકારીને આકાર આપવામાં સરકારી પહેલોની અસરને પ્રકાશમાં લાવી છે.

આ પ્રક્ષેપણથી તેમને ભારતની આર્થિક અને વેપાર નીતિઓનો સંયુક્ત રીતે વ્યાપક દૃષ્ટિકોણ રજૂ કરવાની મંજૂરી મળી છે અને તે કેવી રીતે મધ્યમ ભારત માટે મૂર્ત લાભોમાં ભાષાંતર કરે છે જે ટાયર 1 શહેરોની બહાર વિકાસ માટે ઉત્સુક છે.

ભવ્યા વિજય ભટ્ટર, 16 વર્ષીય લેખક, અને જાણીતા, સુરતા સ્થિત ડેવલપર, વિજય ભટ્ટર અને તેમની પત્ની નીલમ ભટ્ટરની પુત્રી, એમ કહીને પ્રોજેક્ટનો સાર કેપ્ચર કરે છે: “ભારત અને તેનાથી આગળ માત્ર એક પુસ્તક નથી; તે એક્શન માટે કૉલ છે, અમને આપણા રાષ્ટ્રની સંભવિતતા અને પ્રગતિને સ્વીકારવા વિનંતી કરે છે. હું આ પ્લેટફોર્મ અને દિનીશ નાવડિયા, મધુસુદન ગ્રુપ, ઓગમોન્ટ અને જાર એપના મારા વિઝનને શેર કરવા અને પ્રસારિત કરવામાં સમર્થન માટે આભારી છું.”

February 27, 2024
UDYOG-1st-1280x1598.jpg
2min78

Reporte on 26 February 2024

ચેમ્બર ઓફ કોમર્સના ‘ઉદ્યોગ– ર૦ર૪’ પ્રદર્શનને મળ્યો જબરજસ્ત પ્રતિસાદ, દેશભરમાંથી ર૦ હજારથી વધુ બાયર્સે મુલાકાત લેતા એકઝીબીટર્સને સારી ઇન્કવાયરી જનરેટ થઇ

ઇન્દોર, તેલંગાણા, કોલકાતા, ચેન્નાઇ, છત્તીસગઢ, દિલ્હી, ઇરોડ, હૈદરાબાદ, જોધપુર, જેતપુર, ઉદયપુર, અહમદનગર, અમૃતસર, પાણીપત, બેંગ્લોર, મુંબઇ, ભીવંડી, માલેગાંવ, નાસિક, નવાપુર અને અમદાવાદ વિગેરે શહેરોથી બાયર્સે ઉદ્યોગ પ્રદર્શનની મુલાકાત લીધી

સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુકત ઉપક્રમે આગામી તા. ર૩, ર૪, રપ અને ર૬ ફેબ્રુઆરી, ર૦ર૪ના રોજ સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ચાર દિવસીય ‘ઉદ્યોગ– ર૦ર૪’પ્રદર્શન યોજાયું હતું, જેનું આજરોજ સમાપન થયું હતું. ચાર દિવસીય ઉદ્યોગ પ્રદર્શનમાં દેશના જુદા–જુદા શહેરોમાંથી ર૦ હજારથી પણ વધુ બાયર્સે વિઝીટ કરતા પ્રદર્શનને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો. જેને કારણે એકઝીબીટર્સને જુદા–જુદા સેગમેન્ટમાં ખૂબ જ સારી ઇન્કવાયરી જનરેટ થઇ હતી.

ઉદ્યોગ પ્રદર્શનમાં ત્રણ દિવસ દરમ્યાન ઇન્દોર, તેલંગાણા, કોલકાતા, ચેન્નાઇ, છત્તીસગઢ, દિલ્હી, ઇરોડ, હૈદરાબાદ, જોધપુર, જેતપુર, ઉદયપુર, અહમદનગર, અમૃતસર, પાણીપત, બેંગ્લોર, મુંબઇ, ભીવંડી, માલેગાંવ, નાસિક, નવાપુર, અમદાવાદ, આણંદ, અંકલેશ્વર, ભાવનગર, ભરૂચ, વડોદરા, વલસાડ, રાજકોટ, સેલવાસા, વ્યારા વિગેરે શહેરોમાંથી બાયર્સ મુલાકાતે આવ્યા હતા. ઉદ્યોગ પ્રદર્શનમાં પહેલા દિવસે ૪૧૭૦, બીજા દિવસે પપ૮૦, ત્રીજા દિવસે ૭૧પ૦ અને ચોથા દિવસે ૩૧૮ર બાયર્સ મળી કુલ ર૦૦૮ર જેટલા બાયર્સ મુલાકાતે આવ્યા હતા, આથી એકઝીબીટર્સને ખૂબ જ સારી ઇન્કવાયરી જનરેટ થઇ હતી.

ઉદ્યોગ પ્રદર્શનમાં ટેક્ષ્ટાઈલ એન્સીલરી, ઇલેકટ્રીકલ, ઇલેકટ્રોનિકસ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન સેગમેન્ટ, એન્જીનિયરીંગ સેગ્મેન્ટ, એન્વાયરમેન્ટ સેગમેન્ટ, સર્વિસ સેગમેન્ટ, અલ્ટર્નેટ એન્ડ રિન્યુએબલ એનર્જી સેગમેન્ટ, બેન્કીંગ એન્ડ ફાયનાન્સ, કન્ટ્રી, સ્ટેટ, ગર્વમેન્ટ પીએસયુ એન્ડ કોર્પોરેટ પેવેલિયન અને ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ સિકયુરીટીના ઉત્પાદકો દ્વારા તેમની પ્રોડકટ્‌સ અને સર્વિસિસનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

આ ઉદ્યોગ એકઝીબીશનમાં પ્રથમ વખત ‘૩ E એક્ષ્પો’તરીકે અલગથી પેવેલિયન ફાળવવામાં આવ્યું હતું. જેમાં એનર્જી, એફિશિયન્સી અને એન્વાયરમેન્ટ માટેના પ્રોડકટ તેમજ સિસ્ટમનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રિન્યુએબલ એનર્જી સેગમેન્ટમાં પણ એકઝીબીટર્સને ઘણી સારી ઇન્કવાયરી જનરેટ થઇ હતી.

Reported on 24 February 2024

Reported on 22 February 2024

સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટરના સંયુકત ઉપક્રમે આગામી તા. ર૩, ર૪, રપ અને ર૬ ફેબ્રુઆરી, ર૦ર૪ના રોજ સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ચાર દિવસીય ‘ઉદ્યોગ– ર૦ર૪’પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, ચેમ્બરના ફલેગશીપ એવા ઉદ્યોગ પ્રદર્શનનું દર બીજા વર્ષે આયોજન થાય છે, જેના ભાગરૂપે ચેમ્બર દ્વારા આ વર્ષે ઉદ્યોગ પ્રદર્શનની ૧૪મી આવૃત્તિ તરીકે ‘ઉદ્યોગ– ર૦ર૪’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં સુરત ઉપરાંત અંકલેશ્વર, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, વાપી, વલસાડ, મુંબઇ, ઠાણે, પૂણે, ગુરૂગ્રામ (હરિયાણા) અને ભોપાલના મળી ર૦૦થી વધુ એકઝીબીટર્સ દ્વારા પાર્ટીસિપેટ કરવામાં આવ્યું છે. ઉદ્યોગ એકઝીબીશનમાં ‘૩ E એક્ષ્પો’ તરીકે અલગથી પેવેલિયન ફાળવવામાં આવ્યું છે. જેમાં એનર્જી, એફિશિયન્સી અને એન્વાયરમેન્ટ માટેના પ્રોડકટ તેમજ સિસ્ટમનું પ્રદર્શન કરવામાં આવશે.

‘ઉદ્યોગ–ર૦ર૪’ પ્રદર્શનનો ઉદ્‌ઘાટન સમારોહ શુક્રવાર, તા. ર૩ ફેબ્રુઆરી ર૦ર૪ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સેમિનાર હોલ– એ, સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા, સુરત ખાતે યોજાશે. જેમાં ઉદ્‌ઘાટક તરીકે કેપી એનર્જી લિમિટેડના મેનેજિંગ ડિરેકટર ડો. ફારૂક પટેલ પધારશે અને તેમના વરદ હસ્તે ઉદ્યોગ પ્રદર્શનનું ઉદ્‌ઘાટન કરવામાં આવશે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO)ના ઇન્ડસ્ટ્રી ઇન્ટરફેસ એન્ડ ટેકનોલોજી મેનેજમેન્ટના ડાયરેકટર અરૂણ ચૌધરી સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે સ્થાન શોભાવશે. જ્યારે કાકરાપાર એટોમિક પાવર સ્ટેશન (NPCIL)ના સ્ટેશન ડાયરેકટર અજય કુમાર ભોલે અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ચીફ જનરલ મેનેજર ક્ષિતિજ મોહન સ્પેશિયલ ગેસ્ટ્‌સ તરીકે સમારોહની શોભા વધારશે. આ ઉપરાંત જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર– સુરતના જનરલ મેનેજર એમ.કે. લાદાણી અને ટોરેન્ટ પાવર લિમિટેડ– સુરતના વાઇસ પ્રેસિડેન્ટ નિતિન માલકન અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.

સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટરમાં કુલ ૧,૧૦,૦૦૦ ચોરસ ફુટ વિસ્તારમાં ઉદ્યોગ પ્રદર્શન યોજાયું છે. જેમાં ટેક્ષ્ટાઈલ એન્સીલરી, ઇલેકટ્રીકલ, ઇલેકટ્રોનિકસ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન સેગમેન્ટ, એન્જીનિયરીંગ સેગ્મેન્ટ, એન્વાયરમેન્ટ સેગમેન્ટ, સર્વિસ સેગમેન્ટ, અલ્ટર્નેટ એન્ડ રિન્યુએબલ એનર્જી સેગમેન્ટ, બેન્કીંગ એન્ડ ફાયનાન્સ, કન્ટ્રી, સ્ટેટ, ગર્વમેન્ટ પીએસયુ એન્ડ કોર્પોરેટ પેવેલિયન અને ઈન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ સિકયુરીટીના ઉત્પાદકો દ્વારા તેમની પ્રોડકટ્‌સ અને સર્વિસિસનું પ્રદર્શન કરવામાં આવશે.

ઉદ્યોગ એકઝીબીશનમાં ઇલેકટ્રીકલ, ઇલેકટ્રોનિકસ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન સેગમેન્ટમાં ઓટોમેશન એન્ડ રોબોટિકસ, એસી એન્ડ ડીસી ડ્રાઇવ્સ, કેબલ્સ, સ્વીચ ગિયર્સ, ઇન્વર્ટર, યુપીએસ અને બેટરી વિગેરેનું પ્રદર્શન કરવામાં આવશે. એન્જીનિયરીંગ એન્ડ અલાઇડ સેગમેન્ટમાં મશીન ટૂલ્સ, ગિયર્સ એન્ડ મોટર્સ, ટેક્ષ્ટાઇલ એન્સીલરી, કોમ્પ્રેશર, પમ્પ્સ એન્ડ વાલ્વ, કટીંગ ટૂલ્સ, મશીન ટૂલ્સ એસેસરીઝ, એકસકલુઝીવ લેસર એન્ડ એડીટીવ મેન્યુફેકચરીંગ, વેલ્ડીંગ ઇકવીપમેન્ટ એન્ડ કોન્સુમેબલ્સ, પાવર ટૂલ્સ એન્ડ ફાસ્ટનર, ઇન્ડસ્ટ્રીયલ હાર્ડવેર મટિરિયલ હેન્ડલીંગ, ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ્‌સ, ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ સિકયુરિટી, હેઝાર્ડ વેસ્ટ મેનેજમેન્ટ અને એર પોલ્યુશન કન્ટ્રોલ સિસ્ટમનું પ્રદર્શન કરવામાં આવશે.

આ ઉપરાંત સર્વિસ સેગમેન્ટમાં બેન્કીંગ, ફાયનાન્સ એન્ડ ઇન્સ્યુરન્સ, ટૂરીઝમ, લોજિસ્ટીક એન્ડ વેર હાઉસિંગ અને આઇટી સર્વિસિસનું પ્રદર્શન કરવામાં આવશે. જ્યારે રિન્યુએબલ એનર્જી સેગમેન્ટમાં સોલાર એનર્જી, વીન્ડ એનર્જી, બાયો–એનર્જી, હાઇડ્રો એનર્જી, જનરેટર્સ, ટ્રાન્સફોર્મર્સ, ઇલેકટ્રો કેમિકલ વિગેરે દરેક ઇન્ડસ્ટ્રી સબંધિત એનર્જી સિસ્ટમનું પ્રદર્શન કરવામાં આવશે.

ચેમ્બર ઓફ કોમર્સને ઉદ્યોગ પ્રદર્શનમાં ગોલ્ડ સ્પોન્સર તરીકે કેપી ગૃપ તથા એસોસીએટ સ્પોન્સર તરીકે એનપીસીઆઇએલ અને જૈનમનો તેમજ એમએસએમઇ બેન્કીંગ સ્પોન્સર તરીકે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો સહકાર પ્રાપ્ત થયો છે. જ્યારે ઉદ્યોગ એકઝીબીશન માટે સરકારના ઇન્ડેક્ષ્ટબી, મિનિસ્ટ્રી ઓફ માઇક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઇઝીસ, સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ– ગુજરાત અને એસ.એસ.આઇ.સી.નો સહયોગ મળ્યો છે.

February 12, 2024
Cia_business_news-1280x936.jpg
2min128

Dated 08 February 2024

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તા. ૧૦થી ૧ર ફેબ્રુઆરી દરમ્યાન સરસાણા ખાતે ‘હેલ્થ એન્ડ વેલનેસ’ અને ‘ફૂડ એન્ડ એગ્રીટેક’ 

એક્ષ્પો યોજાશે

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આગામી તા. ૧૦/૦ર/ર૦ર૪થી ૧ર/૦ર/ર૦ર૪ દરમિયાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘હેલ્થ એન્ડ વેલનેસ– ર૦ર૪’ અને ‘ફૂડ એન્ડ એગ્રીટેક– ર૦ર૪’ એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનનો સમય સવારે ૧૦:૦૦ થી સાંજે ૬:૦૦ કલાક સુધીનો રહેશે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ર૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની પરિકલ્પના રજૂ કરી તેને સાકાર કરવા માટે પ્રયાસો શરૂ કર્યા છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ૮૩ વર્ષથી ઉદ્યોગ – ધંધાઓના વિકાસ હેતુ પ્રયાસ કરતી ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ આરોગ્ય સબંધિત ઇન્ડસ્ટ્રીઝ, સ્ટાર્ટ–અપ અને ઉદ્યોગ સાહસિકોને પ્લેટફોર્મ આપવાના ભાગ રૂપે ‘હેલ્થ એન્ડ વેલનેસ એક્ષ્પો– ર૦ર૪’નું આયોજન કર્યું છે. આ એક્ષ્પોના આયોજન પાછળનો મુખ્ય હેતુ એ છે કે, હેલ્થ ઇન્ડસ્ટ્રીઝમાં ઝંપલાવી રહેલા યુવા ઉદ્યોગ સાહસિકો અને સ્ટાર્ટ–અપ, કેન્દ્ર તથા રાજ્ય સરકારની આરોગ્ય સબંધિત જુદી–જુદી યોજનાઓથી વાકેફ થઇ શકે અને તેનો લાભ લઇ પોતાના ઉદ્યોગોનો ઝડપી વિકાસ સાધી શકે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ એક્ષ્પો થકી દક્ષિણ ગુજરાતમાં હેલ્થ ઇન્ડસ્ટ્રીમાં એક પ્રકારનું હેલ્ધી વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

આ એકઝીબીશનમાં એક જ છત્ર નીચે સુરત સહિત દક્ષિણ ગુજરાત, ગુજરાત અને દેશના અન્ય શહેરોમાં મેડિકલ સુવિધાઓ કેટલી ઉપલબ્ધ છે? તેની જાણકારી મેળવી શકાશે. આ ઉપરાંત સુરતમાં મેડીકલ ટુરીઝમ વિકસાવવા માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ પ્રદર્શન થકી પ્રથમ પ્રયાસ કરવામાં આવ્યો છે. વિશ્વના જુદા–જુદા દેશોમાંથી બિન નિવાસી ભારતીયો અને બિન નિવાસી ગુજરાતીઓ સુરતમાં આવે છે અને તબીબી સારવાર પણ લે છે ત્યારે તેઓને સુરતની કઇ હોસ્પિટલમાં મેડીકલ ટુરિઝમ છે? તેના વિશે પણ વિસ્તૃત માહિતી મળી રહે તે હેતુથી પણ આ પ્રદર્શન યોજાયું છે. આ પ્રદર્શન થકી સુરતમાં મેડીકલ ક્ષેત્રે સ્પેશિયલ તબીબી સ્કીલ્સ, સ્પેશિયલ રોબોટ્‌સ અને સર્જરી તેમજ સારી મેડીકલ સર્વિસિસ મળી રહે છે તેની માહિતી એનઆરઆઇ, એનઆરજી અને દેશના અન્ય લોકો સુધી પહોંચાડી શકાશે.

ચેમ્બર પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, ‘હેલ્થ એન્ડ વેલનેસ’ પ્રદર્શન થકી મેડીકલ સંસાધનોના ઉત્પાદકોને તેમજ સર્વિસ આપનારાઓને સીધું માર્કેટ પૂરું પાડવાનો હેતુ તો છે જ પણ તેની સાથે સાથે આ એકઝીબીશનને કારણે જાહેર જનતામાં તબીબી સારવાર માટેની જનજાગૃતિ કેળવાશે અને મેડીકલ ફેટર્નિટીને પણ તેનો લાભ થશે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં કઇ હોસ્પિટલની કયા રોગ માટેની સારવાર માટે શું વિશેષતા છે? તેની જાણ સામાન્ય લોકોને થશે, જેથી કરીને તેઓ સંબંધિત રોગની સારવાર માટે સંબંધિત હોસ્પિટલમાં લેતા થશે.                 

ચેમ્બરના ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, ભારત દેશ હવે ‘વિકસિત ભારત @ર૦૪૭’ની પરિકલ્પનાને સાકાર કરવા કૃષિ ક્ષેત્રમાં નવી ઓળખ ઉભી કરવા જઇ રહયો છે ત્યારે માનનીય વડાપ્રધાન ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્ય સાથે આગળ વધી રહયા છે. દેશના વિકાસમાં કૃષિ અને કૃષિકારોનું અનન્ય યોગદાન રહયું છે. વિજ્ઞાન અને ટેકનોલોજીના સમન્વય અને આગવી સૂઝબૂઝ થકી કૃષિ ક્ષેત્ર પ્રગતિના પંથે આગળ વધી રહયું છે ત્યારે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કૃષિ ક્ષેત્ર અને ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન મળી રહે અને તેના થકી તેનો વિકાસ થાય તેવા આશય સાથે ફૂડ એન્ડ એગ્રીટેક એકઝીબીશનનું આયોજન કરવામાં આવે છે.

સુરત સહિત દક્ષિણ ગુજરાતનો બેલ્ટ કૃષિ ઉદ્યોગ માટે હબ છે ત્યારે આવનારા સમયમાં ઉદ્યોગ સાહસિકો તેમજ નવા એગ્રો ગ્રેજ્યુએટ્‌સ કૃષિ ઉદ્યોગમાં પોતાનું યોગદાન આપી શકે તે હેતુથી પણ આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એકઝીબીશનમાં ભાગ લેનારા એકઝીબીટર્સને ગુજરાત સરકારની માર્કેટ ડેવલપમેન્ટ આસિસ્ટન્સ સ્કીમનો લાભ પણ મળી રહેશે.

તત્કાલિન પૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલાએ જણાવ્યું હતું કે, ‘હેલ્થ એન્ડ વેલનેસ’ પ્રદર્શનના આયોજન માટે ગુજરાતના આરોગ્ય મંત્રી ૠષિકેશ પટેલ, શિક્ષણ મંત્રી પ્રફૂલ પાનશેરીયા, સુરતના મેયર દક્ષેશ માવાણી અને સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર શાલિની અગ્રવાલનું માર્ગદર્શન મેળવવામાં આવ્યું હતું. સુરત શહેરમાં તેમજ રાજ્યમાં મેડીકલ ટુરિઝમને વિકસાવવા માટે આ પ્રદર્શન મહત્વની ભૂમિકા ભજવી શકે છે તેના વિશે તેઓની સાથે વિસ્તૃત ચર્ચા વિચારણા કરાઇ હતી અને તેઓનું પણ માર્ગદર્શન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મેળવવામાં આવ્યું હતું, આથી મેડીકલ ટુરિઝમને વિકસાવવા માટે સહિયારો પ્રયાસ કરવામાં આવી રહયો છે.

માનદ્‌ મંત્રી નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, ફૂડ એન્ડ એગ્રીટેક એક્ષ્પોનો ઉદ્‌ઘાટન સમારોહ શનિવાર, તા. ૧૦ ફેબ્રુઆરી, ર૦ર૪ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે સેમિનાર હોલ– એ, સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા ખાતે યોજાશે. જેમાં ગુજરાત સ્ટેટ કો–ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન લિમિટેડના ચેરમેન દિલીપ એન. સંઘાણી મુખ્ય મહેમાન તરીકે સ્થાન શોભાવશે. જ્યારે ધી સુરત ડિસ્ટ્રીકટ કો–ઓપરેટીવ બેંક લિમિટેડના ચેરમેન બળવંતભાઇ પટેલ અને સુરત – તાપી ડિસ્ટ્રીકટ કો–ઓપરેટીવ મિલ્ક પ્રોડયુસર્સ યુનિયન લિમિટેડના ચેરમેન માનસિંહભાઇ પટેલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.

માનદ્‌ ખજાનચી કિરણ ઠુમ્મરે જણાવ્યું હતું કે, હેલ્થ એન્ડ વેલનેસ એક્ષ્પોનો ઉદ્‌ઘાટન સમારોહ શનિવાર, તા. ૧૦ ફેબ્રુઆરી, ર૦ર૪ના રોજ બપોરે ૩:૦૦ કલાકે સેમિનાર હોલ– એ, સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા ખાતે યોજાશે. જેમાં સુરત શહેરના પ્રથમ નાગરિક મેયર દક્ષેશભાઇ માવાણી ઉદ્‌ઘાટક તરીકે પધારશે અને તેમના વરદ હસ્તે આ એક્ષ્પોનું ઉદ્‌ઘાટન કરવામાં આવશે. સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર શાલિની અગ્રવાલ મુખ્ય મહેમાન તરીકે હાજર રહી સમારોહની શોભા વધારશે. જ્યારે ગુજરાત મેડિકલ સર્વિસિસ કોર્પોરેશન લિમિટેડના એડીશનલ ડાયરેકટર ડો. આર.એન. દિક્ષીત અને સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર (હેલ્થ એન્ડ હોસ્પિટલ) ડો. આશિષ કે. નાયક અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.

ઓલ એકઝીબીશન્સ ચેરમેન બિજલ જરીવાલાએ જણાવ્યું હતું કે, હેલ્થ એન્ડ વેલનેસ પ્રદર્શનમાં આરોગ્યના ક્ષેત્રે સુરતમાં કાર્યરત જુદી–જુદી હોસ્પિટલો, આંતરરાષ્ટ્રીય કક્ષાની તબીબી સુવિધા આપતી હોસ્પિટલો, આયુર્વેદિક હોસ્પિટલો, હેલ્થ ઇન્ડસ્ટ્રી, મેડીકલ પ્રોડકટ, સોફટવેર, લેબોરેટરી તેમજ મેડીકલ ઇકવીપમેન્ટનું ઉત્પાદન કરતા ઉત્પાદકો તેમજ તે અંગેની સર્વિસ આપતી કંપનીઓ મળી ૬૦થી વધુ એકઝીબીટર્સ દ્વારા આ પ્રદર્શનમાં ભાગ લેવામાં આવ્યો છે. બીજી તરફ, ફુડ એન્ડ એગ્રીટેક એક્ષ્પોમાં ૧૦૦થી વધુ એકઝીબીટર્સે ભાગ લીધો છે. જેમાં ફુડ પ્રોસેસિંગ ક્ષેત્રે ફુડ પ્રોસેસિંગ ઇકવીપમેન્ટ્‌સ એન્ડ મશીનરી, પેકેજિંગ મશીનરી એન્ડ મટિરિયલ્સ, કોલ્ડ ચેઇન ઇકવીપમેન્ટ એન્ડ રેફ્રીજરેશન એપ્લાયન્સિસ, વેર હાઉસિંગ એન્ડ કાર્ગો હેન્ડલીંગ, ફુડ ટેસ્ટીંગ લેબોરેટરીઝ, ઇન્સ્યુરન્સ એજન્સીઝ, ફાયનાન્શિયલ સોલ્યુશન્સ, ડ્રાયડ, ફ્રોઝન એન્ડ કેનડ ફુડ, બેકરી એન્ડ ગ્રોસરીઝ, બેવરેજ એન્ડ ડ્રીન્કસ (નોન આલ્કોહોલિક), ફુડ પાર્કસ અને કન્ઝયુમર પેકેજડ ગુડ્‌સનું પ્રદર્શન કરવામાં આવશે.

‘હેલ્થ એન્ડ વેલનેસ’ એક્ષ્પોના ચેરપર્સન ડો. પારૂલ વડગામાએ જણાવ્યું હતું કે, આ એક્ષ્પોમાં ભાગ લેનારા એકઝીબીટર્સ પર એક નજર કરીએ તો હોસ્પિટલ્સ, ડોકટર્સ, નર્સિંગ હોમ્સ, લેબ્સ (ડાયગ્નોસ્ટીક સેન્ટર્સ), બાયોમેડિકલ કંપનીઝ, હોસ્પિટલ ફર્નિચર, ઇમ્પોર્ટર એન્ડ એક્ષ્પોર્ટર, ફાર્મા કંપનીઝ, ઇન્સ્યુરન્સ કંપનીઝ, મેડિકલ આર્કિટેકટ્‌સ, મેડિકલ/હોસ્પિટલ કન્સલ્ટન્ટ, મેડિકલ ટુરીઝમ, આયુર્વેદા, હોમિયોપેથિક, ફિઝીયોથેરાપી સેન્ટર, આઇવીએફ સેન્ટર્સ, બેરિયાટ્રિક સર્જરી, પેઇન મેનેજમેન્ટ, હોમ કેર સર્વિસ પ્રોવાઇડર્સ, વેલનેસ સેન્ટર્સ, ન્યુટ્રિશન, કિલનિકલ રિસર્ચ, માર્કેટીંગ કંપનીઝ, જીમ – હેલ્થ કલબ, યોગા કલાસિસ, વેલનેસ ફુડ પ્રોડકટ, એચઆર રિકુ્રટર્સ – નર્સિસ એન્ડ સ્ટાફ, મેડિકલ કોલેજીસ, નર્સિંગ કોલેજીસ, ફિઝીયો કોલેજીસ, પેરામેડિકલ કોલેજીસ, એડમિશન એજન્સીઝ, ઓડિયોલોજી એન્ડ હિયરીંગ એડ, મેડિકલ લેજર્સ, ડેન્ટલ લેબ્સ, ટેલીમેડિસીન રેડિયોલોજી, સોફટવેર પ્રોવાઇડર્સ, મેડિકલ ફાયનાન્શીયલ પ્રોવાઇડર્સ, બ્લડ બેન્ક, મેડિકલ ડિવાઇસ કેલીબ્રેશન સર્વિસિસ, આયુષ એન્ડ અલ્ટરનેટીવ ટ્રિટમેન્ટ સેન્ટર, આઇટી ઇન મેડિકલ સેકટર અને મેન્ટલ હેલ્થની સર્વિસ આપનારાઓનો સમાવેશ થાય છે.

ફુડ એન્ડ એગ્રીટેક એક્ષ્પોના ચેરમેન કે.બી. પિપલીયાએ જણાવ્યું હતું કે, ફૂડ એન્ડ એગ્રીટેક એક્ષ્પોની મુલાકાત લેવા માટે ફુડ પ્રોસેસિંગ એન્ડ પેકેજિંગ ઇન્ડસ્ટ્રીના મેન્યુફેકચરર્સ એન્ડ પ્રોફેશનલ્સ, એગ્રીકલ્ચર મશીનરી મેન્યુફેકચરર્સ, સપ્લાયર્સ એન્ડ એકસપર્ટ, ફુડ એન્ડ બેવરેજ પ્રોડયુસર્સ, ઇમ્પોર્ટર્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુટર્સ, એન્જીનિયર્સ/ટેકનોક્રેટ્‌સ, કન્સલ્ટન્ટ્‌સ એન્ડ એડવાઇઝર્સ, ફુડ કવોલિટી એસ્યોરન્સ પ્રોફેશનલ્સ, ઇન્ટરનેશનલ ડેલીગેટ્‌સ એન્ડ ડિપ્લોમેટ્‌સ, સીડ ફર્ટિલાઇઝર્સ એન્ડ એગ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીના ઉદ્યોગકારો, ટ્રેડર્સ, ઉદ્યોગ સાહસિકો અને ખેડૂતોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ એક્ષ્પોમાં એકજ સ્થળે સુરતીઓને ૪૦૦થી પણ વધુ ટેસ્ટી તથા હેલ્ધી વાનગીઓનો સ્વાદ માણવાનો મોકો મળશે.

‘તમાકુ મુકત ભારત’ અભિયાનની સાથે આ પ્રદર્શનમાં જીંગર પ્રોડકટનું પ્રદર્શન કરવામાં આવશે. તમાકુનું સેવન કરનારાઓ તમાકુથી મુકિત મેળવવા માટે વિવિધ પ્રયાસ કરે છે ત્યારે જીંજર પ્રોડકટ તેઓને તમાકુથી મુકિત અપાવવા માટે ઘણી ઉપયોગી સાબિત થશે. આ પ્રદર્શનમાં કેટલીક પ્રોડકટ એવી છે કે એકની ખરીદી પર બીજી વિના મૂલ્યે આપવામાં આવશે.

આ પ્રદર્શનથી ખાદ્ય ઉદ્યોગ, સંસ્થાઓ અને વિદ્યાર્થીઓ માટે ઉજળી તક મળશે. ભવિષ્યમાં ઉદ્યોગ સાહસિકોને પણ સારુ પ્લેટફોર્મ મળી રહેશે. કૃષિ ક્ષેત્રે એગ્રીકલ્ચર મશીનરી એન્ડ ઇકવીપમેન્ટ્‌સ, એગ્રો કેમિકલ્સ, પેસ્ટીસાઇડ્‌સ એન્ડ ફર્ટિલાઇઝર્સ, કવોલિટી કન્ટ્રોલ સર્વિસિસ, હેન્ડલીંગ માટેના ઇકવીપમેન્ટ, માઇલીંગ એન્ડ મિકસીંગ, ડ્રાયર્સ, કલીનર, સિલોસ એન્ડ સ્ટોરેજ સિસ્ટમ્સ, ડેરી એન્ડ મિલ્ક પ્રોસેસિંગ ઇકવીપમેન્ટ, એગ્રીકલ્ચર ઇકવીપમેન્ટ, ઇરીગેશન સિસ્ટમ્સ, બાયો ટેકનોલોજી, સીડ્‌સ એન્ડ પ્લાન્ટીંગ મશીનરી, ગ્રીન હાઉસિસ, પોલી હાઉસિસ, હાયડ્રોપોનિકસ એન્ડ એકવાપોનિકસ, નર્સરીઝ, સોલાર પ્રોડકટ્‌સ એન્ડ સોલ્યુશન્સ, ટેરેસ ગાર્ડનીંગ અને ડ્રોન ટેકનોલોજીનું પ્રદર્શન કરવામાં આવશે.

–––––––––––––––––––––––––––––––––––––

હેલ્થ એન્ડ વેલનેસ એક્ષ્પો દરમ્યાન પબ્લીક અવેરનેસ પ્રોગ્રામ યોજાશે

ર૦થી વધુ વિવિધ મેડિકલ વિષયો પર વિવિધ નિષ્ણાંત તબીબો વકતવ્યો આપશે

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આગામી તા. ૧૦/૦ર/ર૦ર૪થી ૧ર/૦ર/ર૦ર૪ દરમિયાન સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ‘હેલ્થ એન્ડ વેલનેસ– ર૦ર૪’ અને ‘ફૂડ એન્ડ એગ્રીટેક– ર૦ર૪’ એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું છે. એકઝીબીશન દરમ્યાન રવિવાર, તા. ૧૧ ફેબ્રુઆરી ર૦ર૪ના રોજ સવારે ૧૦ઃ૩૦થી સાંજે પઃ૦૦ કલાક દરમ્યાન પબ્લીક અવેરનેસ પ્રોગ્રામ યોજાશે, જેમાં વિવિધ નિષ્ણાંત તબીબો મેડિકલ વિષયો પર પોતાનું વકતવ્ય રજૂ કરશે.

પહેલા સેશનમાં સ્ટ્રોક એન્ડ બ્રેઇન બાયપાસ વિશે ડો. લિપે ચેરિયન (ઓનલાઇન), ઇમ્પોર્ટન્સ ઓફ હેલ્થ ચેકઅપ વિશે ડો. દીપક ઉપાધ્યાય, એકસપ્લોરીંગ ધ ડાઇવર્સિટી ઓફ હિયરીંગ લોસ એન્ડ ટેઇલર્ડ ટ્રિટમેન્ટ ઓપશન્સ વિશે ડો. સૌમિત્ર શાહ, ઓકયુપેશનલ હેલ્થ વિશે ડો. વિકાસ દેસાઇ, હાઉ ટુ કેર યોર ડાયાબિટીસ વિશે ડો. પિયુષ દેસાઇ, હાઉ ટુ ડીલ વીથ સિરિયલ સાયલન્ટ કિલર વિશે ડો. મુકુર પેટ્રોલવાલા, હાઉ યુ કેર યોર હાર્ટ વિશે ડો. નરેન્દ્ર તન્વર, ડોકટર – પેશન્ટ રિલેશનશિપ વિશે ડો. નિર્મલ ચોરારિયા, ન્યુટ્રિશન્સ એન્ડ હેલ્થ વિશે ડો. મિતા પાસવાલા, ઓર્ગન ડોનેશન વિશે નિખિલ વ્યાસ, રોબોટિકસઃ ઇનોવેશન્સ ટુ મેક યોર સર્જરી સેઇફ વિશે ડો. ધૈવત વૈષ્ણવ, આઇ એમ યોર બ્રેઇન – યુ આર ફોર મી એન્ડ આઇ એમ ફોર યુ વિશે ડો. કાંતા ભુતડા માર્ગદર્શન આપશે.

બપોર બાદ બીજા સેશનમાં કેન્સર વેકસીનેશન ઇન વુમન વિશે ડો. સોનિયા ચંદાની, વ્હોટ શુડ યુ નો એબાઉટ યોર જોઇન્ટ? વિશે ડો. હિરેન શાહ, ટ્રોમા એન્ડ એકિસડન્ટ – પ્રાઇમરી કેર વિશે ડો. અમિત પટેલ, હાઉ યુ ડીલ વીથ યોર કેન્સર? એન્ડ રોલ ઓફ ટેકનોલોજી વિશે ડો. નિલેશ મહાલે, એલર્જીસ વિશે ડો. સમિર ગામી, સ્કીન એન્ડ હેર કેર વિશે ડો. જગદીશ સખિયા અને દવા ઇન્ડિયાના સીઇઓ ડો. સુજિત પોલ મહત્વનું વકતવ્ય રજૂ કરશે. બંને સેશનમાં ડો. પારૂલ વડગામા અને ડો. મિતા પાસવાલા કન્વીનર તરીકે ભૂમિકા ભજવશે.