લોકસભામાં મોદી નેતા, રાજનાથ સિંહ નાયબ નેતા
ભારતીય જનતા પક્ષે બુધવારે સંસદીય પાર્ટી કારોબારી કમિટીની રચના કરી હતી, જેમાં લોકસભાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નેતા અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ નાયબ નેતા નીમવામાં આવ્યા છે. રાજયસભામાં કેન્દ્રીય પ્રધાન થાવરચંદ ગેહલોટ ગૃહના નેતા અને પીયૂષ ગોયલની નાયબ નેતા તરીકે નિમણૂક કરવામાં આવી છે. કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીને પણ કારોબારીમાં સ્થાન મળ્યું છે.
ભાજપના વિરષ્ઠ નેતા એલ. કે. અડવાણી, મુરલી મનોહર જોશી, અરુણ જેટલી અને સુષમા સ્વરાજ કારોબારી સમિતિમાં સભ્ય નથી.
ચીફ વ્હીપ તરીકે જયસ્વાલની નિમણૂક કરવામાં આવી છે. મહિલા સાંસદોને ધ્યાનમાં રાખી પ્રથમવાર ભાજપે ત્રણ મહિલા વ્હીપની નિમણૂક કરી છે. વિવિધ રાજયોના સંસદ સભ્યો માટે બીજા 15 વ્હીપની નિમણૂક કરવામાં આવી છે. લોકસભાના
નીતિન ગડકરી, રવિશંકર પ્રસાદ, અર્જુન મુન્ડા, નરેન્દ્રસિંહ તોમર અને જુઆલ ઓરમને સંસદીય કારોબારી સમિતિમાં વિશેષ આમંત્રિત તરીકે લેવામાં આવ્યા છે. રાજયસભામાં જે. પી. નડ્ડા, ઓમપ્રકાશ માથુર, નિર્મલા સીતારામન, ધર્મેન્દ્ર પ્રધાન અને પ્રકાશ જાવડેકરને વિશેષ આમંત્રિત તરીકે સ્થાન આપવામાં આવશે.
ભાજપના મહામંત્રી કૈલાશ વિજયવર્ધીયની ભાજપ સંસદીય ઓફિસના ઈનચાર્જ તરીકે નિમણૂક કરવામાં આવી છે, જયારે બાલાસુબ્રમણિયમ કુમારસુને સચિવ નીમવામાં આવ્યા છે.
સંસદનું ચોમાસું સત્ર શરૂ થવા અગાઉ 16 જૂને 3.30 કલાકે કારોબારીની પ્રથમ બેઠક બોલાવવામાં આવશે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now