રાજ્યમાં 14-15 સપ્ટેમ્બર વરસાદની વકી
હવામાન વિભાગે કરેલી તાજા આગાહી મુજબ હાલમાં અરબી સમુદ્રમાં સર્જાયેલા સાઈક્લોનિક સર્ક્યુલેશન અને ઓફ-શોર એક્ટીવિટીની સીધી અસર સમગ્ર રાજ્યના આકાશ પર આગામી બે દિવસ, તા.14 અને તા.15 સપ્ટેમ્બર સુધી કેન્દ્રીત થાય તેમ છે. જેને કારણે રાજ્યભરમાં વરસાદી ઝાપટા પડે તેવી શક્યતાઓ રહેલી છે.
રાજ્યમાં 14 અને 15 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધુ જોવા મળી શકે છે.
આજે તા.14મીએ સવારથી જ દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં તથા સૌરાષ્ટ્રના દ્વારકા, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં છૂટા છવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટાના અહેવાલો મળ્યા છે.
15મી તારીખે અમદાવાદ અને ગાંધીનગર સહિત સાબરકાંઠા, અમરેલી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં અને સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના છે.
આ પછીના ત્રણ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની અસર જોવા મળશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રવિવારે આખો દિવસ તડકો અને ભેજવાળું વાતાવરણ રહ્યા પછી રાત્રે ગાંધીનગર અને અમદાવાદના કેટલાક ભાગોમાં વરસાદ નોંધાયો હતો. આજ રીતે આગામી દિવસમાં વરસાદ થવાની લોકોને બફારાથી છૂટકારો મળવાની સંભાવના છે.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now


