સુરતથી મુંબઈ ખાસ મતદાનની ફરજ બજાવવા
લોકશાહીને મજબૂત રાખવા માટે એક-એક મત કીમતી ગણાતો હોય છે, ત્યારે એવા પણ મતદાતાઓ છે જે કામધંધાને લઈને અન્ય સ્થળે સ્થાળાંતર કરી ગયા હોય છે છતાં પોતાની ફરજ સમજીને ખાસ મત આપવા માટે આવતા હોય છે. આજે મુંબઈમાં લોકસભાની છ બેઠક માટે મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે બોરીવલીથી સુરત સ્થાયી થઈ ગયેલો દેસાઈ પરિવાર ખાસ વોટ આપવા માટે મુંબઈ આવ્યો છે. બોરીવલીમાં શિંપોલી રહેતા જગદીશભાઈ દેસાઈનો પરિવાર ત્રણ વર્ષ અગાઉ સુરત સ્થાયી ગઈ ગયો છે. પરિવારના મોભી એવા જગદીશભાઈના કહેવા મુજબ તેમનો દીકરો નીરવ ખાનગી કંપનીમાં નોકરી કરે છે, તો તેની પત્ની દીપલ સ્કૂલમાં શિક્ષિકા છે. ચૂંટણીમાં એક-એક મત કીમતી ગણાતો હોય છે અને મતદાન કરવું આપણી પવિત્ર ફરજ છે તેથી અમે ખાસ મત આપવા માટે સુરતથી મુંબઈ આવ્યા છીએ. અમારા પરિવારના સભ્ય બોરીવલીમાં રહે છે તેથી અમે બે દિવસ પહેલા જ બોરીવલી આવી ગયા હતા.
આપના કે આપની સંસ્થાના કોઇપણ પ્રકારના સમાચાર, ઇવેન્ટ કવરેજ, ઇન્વિટેશન, બ્લોગ રાઇટિંગ વગેેરે માટે સંપર્ક કરો : 98253 44944
For any News, Event coverage, Reporting, Invitations etc, Please Feel Free to contact on : 98253 44944
आपके किसी भी प्रकार के न्युज, इवेन्ट कवरेज, इन्विटेशन्स आदि के लिए कृपया संपर्क करें : 98253 44944
You Can Find us on Google Play store too : Download Now
